નિઃશુલ્ક તીરંગો મેળવવા માટે www.crpatil.com વેબસાઈટ ઉપર જઈને એક ફોર્મ ભરવું પડશે, જેમાં નામ, ઘરનું એડ્રેસ, રાજ્ય, દેશ, ફોન નંબર જેવી માહિતી ભરવાની રહેશે, એક વાર ફોર્મ રજીસ્ટર થઈ ગયા પછી ઘર બેઠા તિરંગો નિઃશુલ્ક મળી રહેશે
હર ઘર તિરંગા, હર ગાંવ તિરંગા’ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના તમામ રાજ્યના લોકોને ભારતીય ધ્વજ નિઃશુલ્ક અને સરળતાથી મળી રહે તેમજ ગર્વથી ફરકાવી શકે -સી.આર.પાટીલ
— અભિયાનનો પ્રતિભાવ જોતા આ વર્ષે અંદાજિત એક લાખ લોકો સુધી 15મી ઓગસ્ટ પહેલા રાષ્ટ્રઘ્વજ પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી

15મી ઓગસ્ટના ગર્વથી પોતાના ઘર કે ઓફિસમાં ભારતીય ઘ્વજ ગર્વથી ફરકાવી શકે તે માટે નવસારી લોકસભા વિસ્તારના સાંસદ સી.આર.પાટીલ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં ‘હર ઘર તિરંગા, હર ગાંવ તિરંગા’ અભિયાન હેઠળ તમામ લોકોને ઘર બેઠા ભારતીય તિરંગો પહોંચાડવામાં આવશે, ફક્ત સાંસદની વેબસાઈટ ઉપર જઈને રજીસ્ટર કરવાથી તિરંગો નિઃશુલ્ક મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
![]() |
સાંસદ સી.આર.પાટીલે જણાવ્યુંહતુંકે, ‘હર ઘર તિરંગા, હર ગાંવ તિરંગા’ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના તમામ રાજ્યના લોકોને ભારતીય ધ્વજ સરળતાથી મળી રહે અને ગર્વથી ફરકાવી શકે તેનો છે. વર્ષ 2016માં આવા જ એક અભિયાનમાં 25000 લોકો તરફથી તિરંગા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતુ, જોકે આ વખતે આ આંકડો એક લાખ સુધી પહોંચે તેવી શક્યતા રહેલી છે. ઉપરાંત લોકોમાં પણ જે રીતે અગાઉના અભિયાન સમયે પ્રતિભાવ જોવા મળ્યો હતો તે જોતા આ વખતે એક મહિના પહેલા રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે.
![]() |
ભાજપ સાથે સંકળાયેલા અગ્રણી દિનેશ રાજપુરોહિતએ જણાવ્યુંહતુંકે, નિઃશુલ્ક તીરંગો મેળવવા માટે www.crpatil.com વેબસાઈટ ઉપર જઈને એક ફોર્મ ભરવું પડશે, જેમાં નામ, ઘરનું એડ્રેસ, રાજ્ય, દેશ, ફોન નંબર જેવી માહિતી ભરવાની રહેશે, એક વાર ફોર્મ રજીસ્ટર થઈ ગયા પછી ઘર બેઠા તિરંગો નિઃશુલ્ક મળી રહેશે.
![]() |


.jpg)




















(પ્રતિકાત્મક તસ્વીર)










