CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 74 of 79 - CIA Live

September 18, 2018
trenn.jpg
1min10010
  • 19 હજારથી વધુ છોડો રોપીને ગ્રીનમેન તરિકે ઓળખ ઉભી કરનાર યુવાન ઉદ્યોગપતિ વિરલ દેસાઈનો અનોખો પ્રયાસ 
  • ટ્રી ગણેશા સાથે સ્થાપિત કરેલી નાનકડી પ્રતિમાનું પણ સ્થળ પર જ વિસર્જન કરી તે માટીમાં છોડોનું વાવેતર કરાશે

 

સુરત. ગણેશ ઉત્સવનો શહેરભરમાં માહોલ જામ્યો છે ત્યારે સ્થાપિત થયેલી હજારો પ્રતિમાઓની વચ્ચે પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપવા સુરતના જ એક યુવાન ઉદ્યોગપતિએ પોતાની ફેક્ટ્રીમાં ટ્રી ગણેશાની સ્થાપના કરી છે.  આ ઉદ્યોગપતિનું નામ છે વિરલ સુધીરભાઈ દેસાઈ. વિરલ દેસાઈ છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણ અને ઉર્જા સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે અને ખાસ કરીને આ કાર્ય માટે તેમણે હાર્ટસ એટ વર્ક ફાઉન્ડેશનની સ્થાપના કરીને તેઓ વૃક્ષા રોપણનું અભિયાન ચલાવી રહ્યા છે.  આ અભિયાન હેઠળ તેઓ અત્યાર સુધી 19 હજારથી વધુ છોડોનું રોપણ કરીને ગ્રીનમેન તરિકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યા છે. ત્યારે ગણેશ ઉત્સવને પણ તેમને પર્યાવરણ સંરક્ષણની સાથે જોડયો છે અને પોતાની ફેક્ટરીમાં જ એક વૃક્ષને ગણપતિનું રૂપ આપીને સાથે માટીની એક નાનકડી પ્રતિમાની સ્થાપના કરી છે. દસ દિવસની આરાધના બાદ આ પ્રતિમાનું સ્થળ પર જ વિસર્જન કરવામાં આવશે અને ત્યારબાદ એ માટીમાં છોડ રોપવામાં આવશે.

એટલું જ નહીં પણ વિરલ દેસાઈ ગણેશ ઉત્સવ દરમિયાન પણ રોજ વૃક્ષારોપણ કરી રહ્યા છે. ત્રણ દિવસ દરમિયાન તેઓ વી.આર.પોપાવાલા ખાતે 68 અને સિવિલ હોસ્પિટલ સ્થિત છાંયડો ખાતે 82 છોડ રોપી ચૂક્યા છે.

વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રકૃતિ એ જ ભગવાન છે ત્યારે પ્રકૃતિનું સંરક્ષણ કરવી એ જ સાચી ભક્તિ છે.આ અનોખા આયોજન પાછળનો ઉદ્દેશ પણ પર્યાવરણ સંરક્ષણ અંગે લોકો ને જાગૃત કરવાનો છે.

-x-x-x-x-

 

September 12, 2018
blend.jpg
1min12680
Jayesh Brahmbhatt 98253 44944
રાજ્યમાં આવેલી દારુની કાયદેસરની દુકાનો એટલે કે પરમીટ લિકર શોપમાં છેલ્લા કેટલાય દિવસોથી જુદી જુદી જાતના દારુની ગંભીર અછત વર્તાય રહી છે. પરમિટ હોલ્ડરને દારુ ખરીદવા માટે પહેલા જે પ્રકારની ચોઇશ મળતી હતી તેને બદલે હવે બે-પાંચ બ્રાન્ડ પૈકી જે બ્રાન્ડ હાજર હોય તો બ્રાન્ડ લઇને ચાલતી પકડવી પડે છે. આનું કારણ દારુ બનાવતી ડિસ્ટલરીઓ, કંપનીઓ દ્વારા ગુજરાતની પરમિટ શોપમાં દારૂનો સપ્લાય બંધ કરી દીધો હોવાનું જાણવા મળે છે. એક તરફ
(1) રાજ્ય સરકારે નવી પરમિટ આપવાનું બંધ કરી દીધું છે
(2) જુની પરમિટ રિન્યુ કરવાનું બંધ કરી દીધું છે
(3) દારુની દુકાનો પર પ્રાઇશ ટેગ લખ્યા વગરની બોટલો વેચવાનું બંધ કરાવી દીધું છે અને
(4) દારુની દુકાનોમાં વેચાતી જુદી જુદી બ્રાન્ડ માટેની બોટલનો લઘુત્તમ ભાવ નક્કી થઇ શકે તે સબબની ફાઇલને મંજૂરી આપવાનું કામ વિલંબમાં નાંખ્યું છે.
આવા કારણોસર ગુજરાતમાં કાયદેસર રીતે પરમિટ લઇને દારુ પીનારા લોકો માટે મુસિબતોનો પાર રહ્યો નથી. બીજી તરફ રાજ્ય સરકાર એવું આશ્વાસન લઇ રહી છે કે તેઓ ગુજરાતમાં દારુબંધીનો ચૂસ્ત અમલ કરી રહ્યા છે. હકીકત એ છે કે જે રાજ્યોમાં દારુ મુકિ્ત છે તેના કરતા વધુ દારુ જ્યાં દારુબંધી છે એ ગુજરાતમાં વેચાય છે અને પીવાય છે.
છેલ્લા ઘણા દિવસોથી પરમિટ શોપમાં પહેલાની જેમ જુદી જુદી જાતના દારુની વેરાયટી બ્રાન્ડ મળતી હતી તે મળવાનું બંધ થવા પાછળનું કારણ પરમીટ શોપ માટે રાજ્ય સરકારે નક્કી કરેલા નવા નિયમો છે.
દારુની બોટલનો યુનિટ રેટ નક્કી ન થાય ત્યાં સુધી ગુજરાતની લિકર શોપમાં ફેક્ટરીઓ દારુ સપ્લાય નહીં કરે
થોડા મહિના અગાઉ રાજ્યના તોલમાપ વિભાગે કેટલીક પરમીટેડ લિકર શોપ ઉપર કાર્યવાહી હાથ ધરીને કિંમત દર્શાવ્યા વગરની દારૂની બોટલો વેચવાના આરોપ સર લિકર શોપ માલિકોને લાખો રૂપિયા દંડ ફટકાર્યો હતો. આટલેથી આગળ વધીને સરકારે દારૂની ફેક્ટરીઓને નોટિસ આપીને દારુની પ્રત્યેક બોટલો પર લઘુત્તમ ભાવ છાપવા સબબની ચીમકી આપી હતી. આ નોટીસના જવાબમાં ફેક્ટરી દ્વારા ગુજરાત સરકારને ગુજરાતમાં લાગુ પડતા વિવિધ વેરા અને દુકાન માલિકના નફાની ટકાવારીની માહિતી આપવા રજૂઆત કરવામાં આવી હતી.
દારુની બોટલનો પ્રતિ યુનિટ દર નક્કી કરવા માટે  ગુજરાતમાં લાગુ પડતા વેરાઓ તેમજ નફા અંગેની તમામ માહિતી હોવી અનિવાર્ય છે. હવે દારુની ફેક્ટરીઓને પહોંચાડવા સબબની માહિતીની ફાઇલ  સરકારમાં જુદા જુદા કન્સર્ન ડિપાર્ટમેન્ટમાં ખો-ખોની રમતનો દાવ આપી રહી છે.
ગુજરાતમાં ભરવા પાત્ર ટેક્સ તેમજ અન્ય માહિતીના અભાવે દારુની ડિસ્ટલરીઓ, ફેક્ટરીઓ દ્વારા કિંમત છાપ્યા વગરનો માલ ગુજરાતની લિકર શોપમાં સપ્લાય કરવાનું બંધ કરી દેવાયું છે. અને આ જ કારણે રાજ્યની પરમીટ શોપ કહો કે લિકર શોપમાં દારુ પીનારાઓની ભાષામાં કહીએ તો માલ મલવાનો બંધ થઇ રહ્યો છે.

We are in Google Play store too….

September 11, 2018
azura-1280x856.jpg
1min6250

બોલીવુડ અભિનેત્રી અમૃતા રાવે કર્યું ઉદઘાટન

સુરત, સપ્ટેમ્બર 2018: હેલ્થકેર અને વેલનેસ ક્ષેત્રે નામના ધરાવતી અઝુરા વેલનેસ ક્લબનાબીજા સેન્ટરનું શનિવાર, તા. 8સપ્ટેમ્બરના રોજ કેનોપસ મોલ, પાર્લે પોઈન્ટ સર્કલ, ઘોડ દોડ રોડ ખાતે ધમાકેદાર લોન્ચીંગ કરી હતી.જેનું ઉદઘાટન બોલીવુડની પ્રસિદ્ધ અદાકારા અમૃતા રાવેકર્યું હતું.

આ પહેલા અઝુરા વેલનેસ ક્લબના પહેલા સેન્ટરનું ઉદઘાટન 23મી એપ્રિલ 2017ના રોજ ટ્રીનીટી સિગ્નસ, સોમેશ્વરા ચાર રસ્તા, સુરત ખાતે બોલીવુડની પ્રસિદ્ધ અદાકારા ઝરીન ખાનેકર્યું હતું.

“અઝુરા” શબ્દનો અર્થ શક્તિશાળી અને સંપૂર્ણ થાય છે, આમ આ બ્રાન્ડ આપણી આંતરિક શક્તિ તેમજ મગજ, શરીર અને આત્મા જેવા શરીરના મૂળભૂત તત્વોના પોષણને મહત્વ આપી રહી છે. તેના માટે ક્લબમાં રીલેક્સીંગ, મિકેનીકલ, પેસીવ, ઇન્વેસીવ અને નોન-ઇન્વેસીવ થેરાપીનું સંયોજન ઉપલબ્ધ કરાશે, આ થેરાપી દરેક વ્યક્તિની જરૂરિયાત માટે વિશિષ્ટ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. તેને સામાન્ય બનાવવા, અઝુરાએ બાહ્ય દુનિયાની અરાજક્તાને ભૂલીને  માનસિક રીતે શાંત અને આરામપ્રદ રહેવાની જગ્યા ડિઝાઇન કરી છે.

આ હેલ્થ ક્લબ વિવિધ સંશોધનાત્મક અને સગવડસભર સેવાઓ મારફતે સાકલ્યવાદી સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેવી કે કિડ્સ મેનીયા-શહેરી માતા-પિતા કે જેઓ તેમના બાળકોને લાડ લડાવવા લાંબા અંતરની મુસાફરી ઇચ્છતા હોય તેમના માટે, ટ્રાયો કેર-વાળને લગતી દરેક પ્રણાલીઓ, ત્વચાની સંભાળ-ત્વચાની નિયમિત કાળજી માટે, સ્પા-વિશ્રામ માટે અને ફેટ2ફીટ-યોગ્ય પોષક આહારના ઉપયોગ માટે. આ દરેક સેવાઓ સંપૂર્ણ કુશાગ્ર તાલીમ પામેલા કર્મચારીઓ દ્વારા પુરી પાડવામાં આવશે.

બ્યુટી અને વેલનેસ ઇન્ડસ્ટ્રીમાં 18 વર્ષથી વધુ મૂલ્યવાન અનુભવ ધરાવતા વિભા શર્માના નેતૃત્વ હેઠળ અઝુરાનો ઉદ્દેશ આગામી પાંચ વર્ષોમાં ભારતના દરેક ખૂણે સેવાઓનો વ્યાપ વધારવાનો છે. વિભા શર્મા જણાવે છે કે, “અઝુરા દ્વારા અમે દરેક હેલ્થ અને વેલનેસની અને તે પણ આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબની જરૂરિયાતો પુરી પાડવાનું વન-સ્ટેપ સોલ્યુસન સુરતને ભેટ ધરીએ છીએ. મને જાહેર કરતા આનંદ થાય છે કે અમે અહીં વિસ્તરણની યોજનાઓ તૈયાર રાખી છે અને રાજકોટ, અમદાવાદ, ઇન્દોર, જયપુર, શિલોંગ, લુધિયાણા, આગરા, પુણે અને ચેન્નાઇ વગેરે જેવા દેશના દસથી વધુ શહેરોમાં એક નેટવર્ક ઉભું કરવાનો અમારો ઉદ્દેશ છે.”

-x-x-x-x-

September 10, 2018
Live_Darshan_Ganesh-1280x798.png
1min6230

સી.આઇ.એ. લાઇવ હવે એક પ્રાદેશિક ન્યુઝ વેબ રહી નથી. દેશભરમાંથી વ્યુઅર્સ www.cialive.in વેબ સાઇટ પર રોજેરોજ ન્યુઝ વાંચવા, જોવા આવી રહ્યા છે.

ગુગલ સર્ચ એન્જિનના આંકડા સ્પષ્ટ સૂચવે છે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કેરેલા વગેરે રાજ્યોમાં ઓડિયન્સ www.cialive.in વેબસાઇટ પર ક્લીક કરી રહ્યા છે. એવી જ રીતે અમેરિકા, યુકે અને કેનેડામાં વસતા બિન નિવાસી ભારતીયો માટે પણ સીઆઇએ લાઇવ ન્યુઝ વેબ માનીતી બની ગઇ છે.

આગામી ગણેશ ઉત્સવને અનુલક્ષીને www.cialive.in દ્વારા સુરત શહેરમાં ધામધૂમથી, આન-બાન-શાનથી, હર્ષોલ્લાસભેર ઉજવાતા ગણેશોત્સવના ફોટા, ઇવેન્ટસ, આવકારદાયક થીમ, પ્રેરણાદાયી કાર્યો વગેરેનો લહાવો દેશ-વિદેશમાં પથરાયેલા પોતાના વ્યુઅર્સ સુધી પહોંચાડશે.

આથી સુરત શહેરના ગણેશ આયોજકો પછી ભલે એ શેરી, મહોલ્લા, એપાર્ટમેન્ટ, સોસાયટી, રો હાઉસ, પોતાના ઘરમાં સ્થાપના કરતા હોય એવા તમામને પોતાના ગણેશજીનો ફોટો તેમજ તેની ટૂંકી નોંધ સી.આઇ.એ લાઇવને ઇમેલ cialive@yahoo.com કરશે તો અમે તેને www.cialive.in વેબસાઇટ પર પ્રકાશિત કરીશું.

તો આજે જ આપના ગણેશજીના દર્શન અને આશીર્વાદનો લ્હાવો દેશ-દુનિયાભરના ભક્તજનોને પહોંચાડો.

આપના ગણેશજીની મૂર્તિના ફોટા, ગ્રુપ ફોટા, સેલ્ફી ટૂંકી વિગત સાથે અમને આ મેઇલ પર મોકલશો

Email  cialive@yahoo.com

Contact number 98253 44944

 

ON Google Play Store

September 10, 2018
230520-surat.jpg
1min14580

પેટ્રોલ-ડિઝલના ભળકે બળતા ભાવોના વિરોધમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષો દ્વારા આજરોજ તા.10મી સપ્ટેમ્બર 2018ના દિવસ એક દિવસ પૂરતા આપવામાં આવેલા બંધના એલાનની આર્થિક નગરી, ટેક્સટાઇલ સિટી, ડાયમંડ સિટી સુરત પર આંશિક અસર પણ જોવા મળી ન હતી. 20થી 25 જગ્યાઓ પર કોંગ્રેસી નેતાઓએ ખાસ કરીને સ્થાનિક નેતાઓએ ભેગા મળીને બંધ પળાવ્યો એ સિવાય સુરત શહેર રાબેતા મુજબ ધમધમતું હતું. ટેક્સટાઇલ માર્કેટ, લિંબાયત, પૂણા જેવા વિસ્તાર સિવાય સુરતમાં બંધમાં કોઇ જોડાયા ન હતા. રિક્ષા હડતાળનો તો ભારે ફિયાસ્કો થયો હતો. રિક્ષા ચાલકોને જ ખબર ન હતી કે શહેરમાં આજે રિક્ષા હડતાળ છે. આમ, સુરત શહેરમાં બંધની આંશિક અસર પણ જોવા મળી ન હતી.

આજે સવારના સેશનમાં અમરોલી, ધારુકાવાળા તેમજ અન્ય કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ સિવાય બાકીની શાળા કોલેજો રાબેતા મુજબ શરૂ રહી હતી. સવારે સાડા  દસ વાગ્યાથી ટેક્સટાઇલ માર્કેટ પણ રાબેતા મુજબ કાર્યાન્વિત થયેલી જોવા મળી હતી. બેંકો, સરકારી કચેરીઓ, ચૌટાબજાર, રાજમાર્ગ, અઠવાલાઇન્સ, અડાજણ, વરાછા રોડ વગેરે વિસ્તારોમાં સવારથી જ દુકાનો, ઓફિસો રાબેતા મુજબ શરૂ થઇ હતી. આજના બંધ અંગે કોંગ્રેસી નેતાઓ દ્વારા કોઇ જ આગોતરી વ્યવસ્થા કરવામાં આવી ન હતી પરીણામે જ્યાં કોંગ્રેસી નેતાઓનું વર્ચસ્વ હતું ત્યાં પણ બંધની કોઇ જ અસર જોવા મળી ન હતી. શહેરના રિંગ રોડ પર ટ્રાફીક રાબેતા મુજબ હતો, એવી જ રીતે રાજમાર્ગ, અઠવાલાઇન્સ મેઇન રોડ, ઘોડદોડ રોડ, ઉધના મગદલ્લા રોડ, ઉધના મેઇન રોડ, કતારગામ, વરાછા રોડ, પૂણા રોડ વગેરે વિસ્તારમાં સવારના સેશનમાં બંધની કોઇ જ અસર જોવા મળી ન હતી.

બંધની ક્યાં અસર જોવા મળી

પૂણાના યોગી ચોક, કાપોદ્રા, લિંબાયત વગેરે વિસ્તારોમાં આજે સવારે કોંગ્રેસી કાર્યકરોએ દુકાનો, ઓફિસો બંધ કરાવવામાં સફળતા મેળવી હતી. જોકે, થોડા સમયમાં પોલીસ પહોંચી જતા બાદમાં આ વિસ્તારોમાં પણ દુકાનો, ઓફિસો રાબેતા મુજબ ધમધમતી થઇ જવા પામી હતી. કોંગ્રેસી કોર્પોરેટર અને વિદ્યાર્થી નેતા ભાવેશ રબારીના જણાવ્યા અનુસાર ધારુકાવાળા કોલેજ કેમ્પસ, અખંડ આનંદ અને અમરોલી કોલેજોને બંધના એલાનના ભાગરૂપે બંધ કરાવવામાં સફળતા મેળવી હતી. ટેકસટાઇલ માર્કેટ વિસ્તારમાં માર્કેટ ખુલે એ પહેલા કેટલાક નેતાઓએ બંધ રાખવા માટે પ્રયાસો કર્યા હતા જોકે, વેપારીઓએ રાબેતા મુજબ માર્કેટ શરૂ કરી દેતા ટેક્સટાઇલ વ્યાપારી વિસ્તાર રિંગરોડ પર પર પણ બંધની કોઇ અસર જોવા મળી ન હતી. ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં તારાચંક કાસટ અને તેમના કેટલાક સમર્થકોએ દુકાનો બંધ રાખી હતી એ સિવાય તમામ માર્કેટો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી હતી. લિંબાયત વિસ્તારમાં રવિન્દ્ર પાટીલની આગેવાની હેઠળ સવારે ટાયરો સળગાવીને કેટલીક સ્કુલ બસ તેમજ રીક્ષાઓ રોકીને બંધ પાળવા માટે પ્રયાસ કરાયો હતો જોકે પોલીસે તેમને વિખેરી નાંખ્યા હતા.

કોંગ્રેસીઓ પોતાના ગઢમાં પણ બંધ કરાવી ન શક્યા

આજના કોંગ્રેસ પ્રેરિત બંધના એલાનમાં સુરતમાં કોંગ્રેસીઓનું પ્રદર્શન સાવ જ નબળું રહ્યું. પેટ્રોલ અને ડિઝલના ભડકે બળતા ભાવોથી સામાન્ય લોકો દુભાયેલા છે જ પરંતુ, કોંગ્રેસના બંધના એલાનમાં સ્થાનિક કોંગ્રેસી નેતાઓ સામાન્ય લોકોને સાંકળવામાં નિષ્ફળ નિવડ્યા. કોંગ્રેસના કોર્પોરેટરો જ્યાંથી ચૂંટણી લડ્યા છે એ વિસ્તારોમાં પણ બંધની અસર વર્તાવી શક્યા નહીં. એકાદ બે કલાક દુકાનો જબરદસ્તી બંધ રખાવી કોંગ્રેસીઓએ ફોટા પડાવી લીધા. એ પછી સવારે 10.30થી બધું ધમધમતું જોવા મળ્યું હતું.

કોંગ્રેસ કાર્યાલયની આસપાસમાં, કોંગ્રેસના પ્રમુખના ઘરની આસપાસ ઉધના દરવાજા વિસ્તારમાં જ બંધની કોઇ અસર જોવા મળી ન હતી. આમ કોંગ્રેસનું પરફોર્મન્સ બિઝનેસ સિટીમાં બંધ કરાવવામાં સાવ નબળું જોવા મળ્યું હતું.

 

Download CIA LIVE app from GOOGLE Play Store

September 7, 2018
doctors-1280x1349.jpg
1min10650

Jayesh Brahmbhatt.   98253 44944

Me and Mummyવાળા ડો. પ્રફુલ દોશી પર થયેલી પોલીસ ફરીયાદ બાદ શહેરના તબીબો પેનિકની સ્થિતિમાં હોવાની કેફિયત સાથે આજે વીસથી વધુ તબીબોએ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી શર્માને મળીને કેટલીક રજૂઆતો કરી હતી.

ડો.અનિતા શાહ, ડો. આશા ભટ્ટ, ડો. પ્રફુલ છાશટીયા, ડો.પ્રશાંત નાયક, ડો.સમીર દેસાઇ, ડો.અનિલ પટેલ, ડો.ઇન્દ્રવદન શાહ, ડો. ભૂપેશ ચાવડા, ડો. વિનોદ શાહ, ડો.અનિલ ગોસ્વામી, ડો.પ્રકાશ ભટ્ટ, ડો.મનિષા ઝવર, ડો. તોરાવાલા, ડો.અનિલ શાહ, ડો.હિરલ શાહ વગેરેનું પ્રતિનિધિ મંડળ આજે બપોરે પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માને મળવા પહોંચ્યું હતું.

પોલીસ કમિશનરને મળ્યા બાદ તેમની મુલાકાત અંગે પ્રતિનિધિમંડળ દ્વારા મિડીયાને જણાવાયું હતું કે તેઓ ડો. પ્રફુલ દોશી સામેના પોલીસ પ્રકરણ પછી ભયની સ્થિતિમાં આવી ગયા છે. તબીબ સામે આક્ષેપો સરળતાથી થઇ શકે તેવી સ્થિતિમાં તબીબોએ કેવી રીતે કામ કરવું એ અંગે રજૂઆતો કરવામાં આવી હોવાનું પ્રતિનિધિ મંડળના કેટલાક તબીબોએ જણાવ્યું હતું.

પોલીસ કમિશનર શ્રી શર્માએ આ મુદ્દા પર તેમના ગાઇડન્સ આપ્યું હોવાનું જણાવતા પ્રતિનિધિ મંડળે કહ્યું કે પોલીસ કમિશનરે તેઓને કન્સલ્ટીંગ રૂમમાં વિડીયો કેમેરા રાખવા તેમજ દર્દીની તપાસ થાય ત્યારે તેના પરિવારજનો પૈકી કોઇકને સાથે રાખવાની સલાહ આપી હતી.

તબીબોનું પ્રતિનિધિ મંડળ પોલીસ કમિશનર ને મળવા પહોંચ્યું ત્યારે એવી વાતો વહેતી થઇ હતી કે તેઓ ડો. પ્રફુલ દોશીની તરફેણમાં મળવા પહોંચ્યા હતા. જો કે, પ્રતિનિધિ મંડળે કહ્યું કે તેમણે આવી કોઇ રજૂઆત કરી ન હતી.

September 7, 2018
1min5230

એક પરણિત મહિલા દર્દી સાથે ટ્રીટમેન્ટની આડમાં દુષ્કર્મ ગુજારવાના કેસમાં પોલીસ ફરીયાદ બાદ પોલીસ કાર્યવાહીથી છેલ્લા ત્રણ દિવસથી ભાગતા ફરતા મી એન્ડ મમ્મીવાળા ડો. પ્રફુલ દોશીને અઠવાલાઇન્સ પોલીસ સેફ પેસેજ આપી રહી હોવાના મિડીયા રિપોર્ટ બાદ અઠવાલાઇન્સ પોલીસ હવે ખરેખર હરકતમાં આવી છે અને ડો. પ્રફુલ દોશીને શોધવા માટે ધમધમાટ શરૂ કર્યો છે.

ડો. પ્રફુલ દોશી સાથે સંબંધો ધરાવતા અન્ય એક તબીબની પણ ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું બિનસત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસને એવી પણ માહિતી મળી હતી કે ડો.પ્રફુલ દોશી કોઇક ફાર્મ હાઉસ પર સંતાયા છે અને આ સમગ્ર પ્રકરણમાં લિગલી કેવી રીતે બચી શકાય તે માટેનો તખ્તો ઘડી રહ્યા છે.

ડો.પ્રફુલ દોશીની હરકતોનો ભોગ બનેલી મહિલાએ અઠવા લાઇન્સ પોલીસની તપાસ સામે શંકા સેવતા લખેલા પત્ર બાદ અઠવાલાઇન્સ પોલીસ મથકના સ્ટાફને આ પ્રકરણમાં ગમે તે ભોગે ડો.પ્રફુલ દોશીને હાજર કરાવવા માટેની સૂચના અપાઇ હોવાનું જાણવા મળે છે.

તબીબોના બે ગ્રુપો વચ્ચે ડો.દોશીના મુદ્દે મતમતાંતર

બીજી તરફ શહેરમાં કેટલાક તબીબોએ ડો. પ્રફુલ દોશીને આ કેસમાં બચાવવાની બ્રીફ પકડી હોય તેવું જણાય આવે છે. હકીકતમાં ડો.પ્રફુલ દોશીની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવું પણ કેટલીક તબીબો ઇચ્છી રહ્યા છે. ડો. પ્રફુલ દોશી એવા તબીબ છે જેની સામે ભૂતકાળમાં પણ આંગળીઓ ઉઠી છે આવી સ્થિતિમાં હવે ડો. પ્રફુલ દોશીને મુદ્દે તબીબોના બે ગ્રુપ પડી રહ્યા છે. એક ગ્રુપ એવું માને છે કે ડો. પ્રફુલ દોશી જો ખરેખર કસૂરવાર હોય તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી થવી જ જોઇએ જેથી સમગ્ર તબીબ આલમ બદનામ થતી બંધ થાય. બીજી તરફ શહેરના કેટલાક તબીબો તેમને ગમે તે ભોગે આ કેસમાંથી બચાવી લેવા માટે સક્રિય હોવાનું જાણવા મળે છે.

September 6, 2018
we1.jpg
1min35240

બિઝનેસમાં ઇનોવેશન જરૂરી : ડો.જગદીશ સખીયા

સુરત :વર્લ્ડવાઈડ આંત્રપ્રિન્યોર(WE)ની પહેલા ચેપ્ટર “આગાજ”સાથે જોડાયેલા સભ્યોની બેઠક મળી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ અને વક્તા તરીકે શહેરના જાણીતા ડર્મેટોલૉજિસ્ટ ડૉ જગદીશ સખીયા ઉપસ્થિત રહ્યા હતા. જેમને તમામ ઉદ્યોગસાહસિકો સમક્ષ પોતાની સકસેસ સ્ટોરી “સંઘર્ષ સે શિખર તક” વર્ણવી હતી.

ડો.જગદીશ સખિયાએ જણાવ્યું હતું કે તેઓ એક ખેડૂત પરિવારમાંથી આવે છે ત્યારે તેઓ જ્યારે ભણતા હતા ત્યારે પરિવારની આવકનો સ્ત્રોત માત્ર ખેતી જ હતો. એવામાંય ભણતર કર્યું અને ઉચ્ચ અભ્યાસ માટે વાત આવી ત્યારે પરિવારની માસિક આવક દોઢસો રૂપિયા જેટલી હતી. જે પૈકી ૫૦ રૂપિયાની માગણી એડમિશન માટે કરતાં પિતાએ ના પાડી દીધી હતી. ઉચ્ચ અભ્યાસની ખેવના મનમાં હતી. પણ એન્જીનીયરીંગ માં જવું કે મેડીકલમાં એ દુવિધા હતી. આખરે સિક્કો ઉછાળીને નિર્ણય લીધો તો નસીબમાં મેડિકલમાં જવાનો આવ્યો. પણ અહીં પણ તમામ બેઠકો હાઉસફુલ હતી. માત્ર ડર્મેટોલોજિસ્ટ વિભાગમાં પ્રવેશ મળે એમ હતું. એટલે તે શાખામાં જ પ્રવેશ લીધા અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ડર્મેટોલોજિસ્ટ તરીકે કારકિર્દી શરૂ કરી. પણ આ ક્ષેત્રમાં સામાન્ય કરતાં કઈ નવું કરવું હતું એટલે ૪૦ દેશોના પ્રવાસ ખેડ્યો અને આ ક્ષેત્રમાં નવી ઇનોવેશન કરવાની સાથે આજે આજે ડર્મેટોલોજિસ્ટ ક્ષેત્રે એ બ્રાંડનેમ બની ગયું છે.

ડો.જગદીશ સખીયાએ ઉદ્યોગસાહસિકોને આહવાન કર્યું હતું કે હંમેશા બિઝનેસમાં ઇનોવેશન કરતા રહેવું. કારણકે ઉદ્યોગના વિકાસનો પાયો અને ગતિ હંમેશાં ઇનોવેશન પર જ આધાર રાખે છે. ત્યારે હંમેશા કંઈક નવું આપવાની ક્ષમતા દરેક ઉદ્યોગસાહસિકોમાં હોવી જરૂરી છે. આ વચ્ચે પ્રશ્નોત્તરી શેસનમાં ઉદ્યોગ સાહસિકોના વિવિધ સવાલોના પણ તેમને ખુબ રસપ્રદ અને પ્રેરક ઉત્તર આપ્ય હતા. કોઈ વ્યક્તિને આપના બિઝનેસ વિશેની માહિતી આપવી અને તમામ બાબતશીખવાડવાથી તે વ્યક્તિ જ પોતાનો પ્રતિસ્પર્ધી બની શકે છે? આ સવાલનો જવાબ આપતાં ડૉ જણાવ્યું હતું કે શીખવેલી બધી જ વસ્તુ સામેની વ્યક્તિ કોપી કરી શકે પણ આપની બુદ્ધિમતા અને સ્કીલ એ ક્યારેય કોઈ ની કોપી કરી નહિ કરી શકે છે. એટલે આવી બાબતોથી ડરવાની જરૂર નથી. અંતે તેમને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે ઉદ્યોગસાહસિકોને આવ્હાન કર્યું હતું.

-x-x-x-x-

September 6, 2018
ra1.jpg
1min15540

 

 

 

 

 

 

 

 

ડુ બીફોર ડાઈ એનજીઓ અને સ્કોલર ઇંગ્લિશ એકેડેમી દ્વારા કરાયું એવોર્ડ સેરેમનીનું આયોજન

સુરત :શિક્ષક દિવસની પૂર્વ સંધ્યાએ સુરત જ નહીં પણ રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે સરાહનીય  કામગીરી કરી માઇલસ્ટોન સ્થાપિત કરનાર આઠ હસ્તીઓને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એજ્યુકેશન એક્સેલેન્સી એવાર્ડ એનાયત કરાયો હતો. શહેરની ડુબીફોર ડાઈ એનજીઓ અને સ્કોલર ઇંગ્લિશ એકેડેમી દ્વારા આ એવોર્ડ સમારોહનું આયોજન કરાયું હતું.

પીપલોદ ખાતેના સ્વસ્તિક હાઉસ ખાતે આયોજીત એવોર્ડ સેરેમનીમાં અનેક આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં સી.એ. રવી છાવછરિયા, સોનલ વૈદ્ય કુલકર્ણી, ડૉ. સંજય મેહતા, પ્રહર્ષા મેહતા, માવજીભાઈ પ્રેમજીભાઈ સવાણી, મિનાક્ષી વખારિયા, તૃપ્તિ વ્યાસ  અને નિર્મલ મોટવાણીને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન એજ્યુકેશન એક્સેલેન્સી એવાર્ડથી સન્માનિત કરાયા હતા.

-x-x-x-x-

September 1, 2018
bc2.jpg
1min9810

સુરત, 31ઓગસ્ટ, 2018 – બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (બીએનઆઇ) સુરતે 29મી જુલાઇ 2016ના રોજ સ્થાપના બાદ રેફરલ માર્કેટિંગ તરીકે ઓળખાતા સુપરલેટિવ ટેક્નો-નેટવર્કિંગ (ટેક્નોલોજી આધારિત નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન)ના 15માં ચેપ્ટર બીએનઆઇ ચાણક્યના લોન્ચની જાહેરાત કરી છે.શહેરના ડુમસ રોડ ખાતે ટીજીબી હોટલમાં આયોજિત બીએનઆઇ ચાણક્યના ભવ્ય લોન્ચ પ્રસંગે સુરતના 200થી વધુ અગ્રણી કારોબારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે બીએનઆઇ ચાણક્યચેપ્ટરમાં 51સ્થાપક સભ્યો સામેલ છે, જેઓ ચેપ્ટર્સમાં વિવિધ  બિઝનેસ કેટેગરીનું પ્રતિનિધિત્વ કરે છે અને વિવિધ ક્ષેત્રોમાં કામગીરી ધરાવે છે.

મહત્વપૂર્ણ છે કે બીએનઆઇ સુરતે માત્ર બે વર્ષમાં જ કુલ 15ચેપ્ટર્સ લોન્ચ કર્યાં છે તથા 1,050થી વધુ સભ્યો ધરાવે છે. આગામી મહિનાઓમાં બીએનઆઇ સુરત વધુ 7 ચેપ્ટર્સ લોન્ચ કરીને 350થી વધુ સભ્યોને ઉમેરવાનું લક્ષ્ય ધરાવે છે. બીએનઆઇ સુરતે નોલેજ સિરિઝ, એક્ઝિમ ફોરમ અને બી2બી ટેક્સટાઇલ ફોરમ જેવી પ્રાદેશિક સ્તરે પહેલ પણ કરી છે, જેને ખુબજ સારો પ્રતિસાદ સાંપડ્યો છે.

 

બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (બીએનઆઇ) વિશ્વનું સૌથી મોટું અને 33 વર્ષ જૂનું રેફરલ ઓર્ગેનાઇઝેશન છે. સુરતના જાણીતા સીએ ગૌરવ વી. સંઘવી અને ડો. નીધિ સંઘવીએ જુલાઇ 2016માં સુરતમાં તેની સ્થાપના કરી હતી અને તેઓ બીએનઆઇ સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ છે.બીએનઆઇ સુરત વિવિધ ક્ષેત્રના હજારો કારોબારીઓને એક પ્લેટફોર્મ ઉપર લાવીને તેમને કારોબારમાં વૃદ્ધિ સાધવામાં મદદરૂપ બન્યું છે. બીએનઆઇ સકારાત્મક અભિગમ સાથે સભ્યોને સહયોગ આપે છે, જેની મદદથી તેઓને કારોબાર વિસ્તારવામાં મદદ મળે છે. બીએનઆઇની વિશેષતા એ છે કે પ્રત્યેક પ્રોફેશનના એક સભ્યને જ બીએનઆઇ ચેપ્ટરનું પ્રતિનિધિત્વ કરવા મળે છે.

-x-x-x-