બિઝનેસમાં ઇનોવેશન જરૂરી : ડો.જગદીશ સખીયા

સુરત :વર્લ્ડવાઈડ આંત્રપ્રિન્યોર(WE)ની પહેલા ચેપ્ટર “આગાજ”સાથે જોડાયેલા સભ્યોની બેઠક મળી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ અને વક્તા તરીકે શહેરના જાણીતા ડર્મેટોલૉજિસ્ટ ડૉ જગદીશ સખીયા ઉપસ્થિત રહ્યા હતા. જેમને તમામ ઉદ્યોગસાહસિકો સમક્ષ પોતાની સકસેસ સ્ટોરી “સંઘર્ષ સે શિખર તક” વર્ણવી હતી.

ડો.જગદીશ સખિયાએ જણાવ્યું હતું કે તેઓ એક ખેડૂત પરિવારમાંથી આવે છે ત્યારે તેઓ જ્યારે ભણતા હતા ત્યારે પરિવારની આવકનો સ્ત્રોત માત્ર ખેતી જ હતો. એવામાંય ભણતર કર્યું અને ઉચ્ચ અભ્યાસ માટે વાત આવી ત્યારે પરિવારની માસિક આવક દોઢસો રૂપિયા જેટલી હતી. જે પૈકી ૫૦ રૂપિયાની માગણી એડમિશન માટે કરતાં પિતાએ ના પાડી દીધી હતી. ઉચ્ચ અભ્યાસની ખેવના મનમાં હતી. પણ એન્જીનીયરીંગ માં જવું કે મેડીકલમાં એ દુવિધા હતી. આખરે સિક્કો ઉછાળીને નિર્ણય લીધો તો નસીબમાં મેડિકલમાં જવાનો આવ્યો. પણ અહીં પણ તમામ બેઠકો હાઉસફુલ હતી. માત્ર ડર્મેટોલોજિસ્ટ વિભાગમાં પ્રવેશ મળે એમ હતું. એટલે તે શાખામાં જ પ્રવેશ લીધા અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ડર્મેટોલોજિસ્ટ તરીકે કારકિર્દી શરૂ કરી. પણ આ ક્ષેત્રમાં સામાન્ય કરતાં કઈ નવું કરવું હતું એટલે ૪૦ દેશોના પ્રવાસ ખેડ્યો અને આ ક્ષેત્રમાં નવી ઇનોવેશન કરવાની સાથે આજે આજે ડર્મેટોલોજિસ્ટ ક્ષેત્રે એ બ્રાંડનેમ બની ગયું છે.
ડો.જગદીશ સખીયાએ ઉદ્યોગસાહસિકોને આહવાન કર્યું હતું કે હંમેશા બિઝનેસમાં ઇનોવેશન કરતા રહેવું. કારણકે ઉદ્યોગના વિકાસનો પાયો અને ગતિ હંમેશાં ઇનોવેશન પર જ આધાર રાખે છે. ત્યારે હંમેશા કંઈક નવું આપવાની ક્ષમતા દરેક ઉદ્યોગસાહસિકોમાં હોવી જરૂરી છે. આ વચ્ચે પ્રશ્નોત્તરી શેસનમાં ઉદ્યોગ સાહસિકોના વિવિધ સવાલોના પણ તેમને ખુબ રસપ્રદ અને પ્રેરક ઉત્તર આપ્ય હતા. કોઈ વ્યક્તિને આપના બિઝનેસ વિશેની માહિતી આપવી અને તમામ બાબતશીખવાડવાથી તે વ્યક્તિ જ પોતાનો પ્રતિસ્પર્ધી બની શકે છે? આ સવાલનો જવાબ આપતાં ડૉ જણાવ્યું હતું કે શીખવેલી બધી જ વસ્તુ સામેની વ્યક્તિ કોપી કરી શકે પણ આપની બુદ્ધિમતા અને સ્કીલ એ ક્યારેય કોઈ ની કોપી કરી નહિ કરી શકે છે. એટલે આવી બાબતોથી ડરવાની જરૂર નથી. અંતે તેમને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે ઉદ્યોગસાહસિકોને આવ્હાન કર્યું હતું.
-x-x-x-x-








































