CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 73 of 78 - CIA Live

September 6, 2018
we1.jpg
1min35090

બિઝનેસમાં ઇનોવેશન જરૂરી : ડો.જગદીશ સખીયા

સુરત :વર્લ્ડવાઈડ આંત્રપ્રિન્યોર(WE)ની પહેલા ચેપ્ટર “આગાજ”સાથે જોડાયેલા સભ્યોની બેઠક મળી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ અને વક્તા તરીકે શહેરના જાણીતા ડર્મેટોલૉજિસ્ટ ડૉ જગદીશ સખીયા ઉપસ્થિત રહ્યા હતા. જેમને તમામ ઉદ્યોગસાહસિકો સમક્ષ પોતાની સકસેસ સ્ટોરી “સંઘર્ષ સે શિખર તક” વર્ણવી હતી.

ડો.જગદીશ સખિયાએ જણાવ્યું હતું કે તેઓ એક ખેડૂત પરિવારમાંથી આવે છે ત્યારે તેઓ જ્યારે ભણતા હતા ત્યારે પરિવારની આવકનો સ્ત્રોત માત્ર ખેતી જ હતો. એવામાંય ભણતર કર્યું અને ઉચ્ચ અભ્યાસ માટે વાત આવી ત્યારે પરિવારની માસિક આવક દોઢસો રૂપિયા જેટલી હતી. જે પૈકી ૫૦ રૂપિયાની માગણી એડમિશન માટે કરતાં પિતાએ ના પાડી દીધી હતી. ઉચ્ચ અભ્યાસની ખેવના મનમાં હતી. પણ એન્જીનીયરીંગ માં જવું કે મેડીકલમાં એ દુવિધા હતી. આખરે સિક્કો ઉછાળીને નિર્ણય લીધો તો નસીબમાં મેડિકલમાં જવાનો આવ્યો. પણ અહીં પણ તમામ બેઠકો હાઉસફુલ હતી. માત્ર ડર્મેટોલોજિસ્ટ વિભાગમાં પ્રવેશ મળે એમ હતું. એટલે તે શાખામાં જ પ્રવેશ લીધા અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ડર્મેટોલોજિસ્ટ તરીકે કારકિર્દી શરૂ કરી. પણ આ ક્ષેત્રમાં સામાન્ય કરતાં કઈ નવું કરવું હતું એટલે ૪૦ દેશોના પ્રવાસ ખેડ્યો અને આ ક્ષેત્રમાં નવી ઇનોવેશન કરવાની સાથે આજે આજે ડર્મેટોલોજિસ્ટ ક્ષેત્રે એ બ્રાંડનેમ બની ગયું છે.

ડો.જગદીશ સખીયાએ ઉદ્યોગસાહસિકોને આહવાન કર્યું હતું કે હંમેશા બિઝનેસમાં ઇનોવેશન કરતા રહેવું. કારણકે ઉદ્યોગના વિકાસનો પાયો અને ગતિ હંમેશાં ઇનોવેશન પર જ આધાર રાખે છે. ત્યારે હંમેશા કંઈક નવું આપવાની ક્ષમતા દરેક ઉદ્યોગસાહસિકોમાં હોવી જરૂરી છે. આ વચ્ચે પ્રશ્નોત્તરી શેસનમાં ઉદ્યોગ સાહસિકોના વિવિધ સવાલોના પણ તેમને ખુબ રસપ્રદ અને પ્રેરક ઉત્તર આપ્ય હતા. કોઈ વ્યક્તિને આપના બિઝનેસ વિશેની માહિતી આપવી અને તમામ બાબતશીખવાડવાથી તે વ્યક્તિ જ પોતાનો પ્રતિસ્પર્ધી બની શકે છે? આ સવાલનો જવાબ આપતાં ડૉ જણાવ્યું હતું કે શીખવેલી બધી જ વસ્તુ સામેની વ્યક્તિ કોપી કરી શકે પણ આપની બુદ્ધિમતા અને સ્કીલ એ ક્યારેય કોઈ ની કોપી કરી નહિ કરી શકે છે. એટલે આવી બાબતોથી ડરવાની જરૂર નથી. અંતે તેમને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે ઉદ્યોગસાહસિકોને આવ્હાન કર્યું હતું.

-x-x-x-x-

September 6, 2018
ra1.jpg
1min15530

 

 

 

 

 

 

 

 

ડુ બીફોર ડાઈ એનજીઓ અને સ્કોલર ઇંગ્લિશ એકેડેમી દ્વારા કરાયું એવોર્ડ સેરેમનીનું આયોજન

સુરત :શિક્ષક દિવસની પૂર્વ સંધ્યાએ સુરત જ નહીં પણ રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે સરાહનીય  કામગીરી કરી માઇલસ્ટોન સ્થાપિત કરનાર આઠ હસ્તીઓને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એજ્યુકેશન એક્સેલેન્સી એવાર્ડ એનાયત કરાયો હતો. શહેરની ડુબીફોર ડાઈ એનજીઓ અને સ્કોલર ઇંગ્લિશ એકેડેમી દ્વારા આ એવોર્ડ સમારોહનું આયોજન કરાયું હતું.

પીપલોદ ખાતેના સ્વસ્તિક હાઉસ ખાતે આયોજીત એવોર્ડ સેરેમનીમાં અનેક આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં સી.એ. રવી છાવછરિયા, સોનલ વૈદ્ય કુલકર્ણી, ડૉ. સંજય મેહતા, પ્રહર્ષા મેહતા, માવજીભાઈ પ્રેમજીભાઈ સવાણી, મિનાક્ષી વખારિયા, તૃપ્તિ વ્યાસ  અને નિર્મલ મોટવાણીને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન એજ્યુકેશન એક્સેલેન્સી એવાર્ડથી સન્માનિત કરાયા હતા.

-x-x-x-x-

September 1, 2018
bc2.jpg
1min9740

સુરત, 31ઓગસ્ટ, 2018 – બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (બીએનઆઇ) સુરતે 29મી જુલાઇ 2016ના રોજ સ્થાપના બાદ રેફરલ માર્કેટિંગ તરીકે ઓળખાતા સુપરલેટિવ ટેક્નો-નેટવર્કિંગ (ટેક્નોલોજી આધારિત નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન)ના 15માં ચેપ્ટર બીએનઆઇ ચાણક્યના લોન્ચની જાહેરાત કરી છે.શહેરના ડુમસ રોડ ખાતે ટીજીબી હોટલમાં આયોજિત બીએનઆઇ ચાણક્યના ભવ્ય લોન્ચ પ્રસંગે સુરતના 200થી વધુ અગ્રણી કારોબારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે બીએનઆઇ ચાણક્યચેપ્ટરમાં 51સ્થાપક સભ્યો સામેલ છે, જેઓ ચેપ્ટર્સમાં વિવિધ  બિઝનેસ કેટેગરીનું પ્રતિનિધિત્વ કરે છે અને વિવિધ ક્ષેત્રોમાં કામગીરી ધરાવે છે.

મહત્વપૂર્ણ છે કે બીએનઆઇ સુરતે માત્ર બે વર્ષમાં જ કુલ 15ચેપ્ટર્સ લોન્ચ કર્યાં છે તથા 1,050થી વધુ સભ્યો ધરાવે છે. આગામી મહિનાઓમાં બીએનઆઇ સુરત વધુ 7 ચેપ્ટર્સ લોન્ચ કરીને 350થી વધુ સભ્યોને ઉમેરવાનું લક્ષ્ય ધરાવે છે. બીએનઆઇ સુરતે નોલેજ સિરિઝ, એક્ઝિમ ફોરમ અને બી2બી ટેક્સટાઇલ ફોરમ જેવી પ્રાદેશિક સ્તરે પહેલ પણ કરી છે, જેને ખુબજ સારો પ્રતિસાદ સાંપડ્યો છે.

 

બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (બીએનઆઇ) વિશ્વનું સૌથી મોટું અને 33 વર્ષ જૂનું રેફરલ ઓર્ગેનાઇઝેશન છે. સુરતના જાણીતા સીએ ગૌરવ વી. સંઘવી અને ડો. નીધિ સંઘવીએ જુલાઇ 2016માં સુરતમાં તેની સ્થાપના કરી હતી અને તેઓ બીએનઆઇ સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ છે.બીએનઆઇ સુરત વિવિધ ક્ષેત્રના હજારો કારોબારીઓને એક પ્લેટફોર્મ ઉપર લાવીને તેમને કારોબારમાં વૃદ્ધિ સાધવામાં મદદરૂપ બન્યું છે. બીએનઆઇ સકારાત્મક અભિગમ સાથે સભ્યોને સહયોગ આપે છે, જેની મદદથી તેઓને કારોબાર વિસ્તારવામાં મદદ મળે છે. બીએનઆઇની વિશેષતા એ છે કે પ્રત્યેક પ્રોફેશનના એક સભ્યને જ બીએનઆઇ ચેપ્ટરનું પ્રતિનિધિત્વ કરવા મળે છે.

-x-x-x-

August 31, 2018
ng.jpg
1min10050

જયેશ બ્રહ્મભટ્ટ

અસ્સલ સુરતીને જોવા, જાણવા હોય તો નરેન્દ્રભાઇ ગાંધીને જોઇ લો. બોલવાની સ્ટાઇલથી, પહેરવેશ અને રહેનસહેનથી લઇને ખાણીપીણીની શોખીન નરેન્દ્રભાઇ ગાંધીને સૌથી વધુ વખત રક્તદાન કરવા તેમજ રક્તદાન સંબંધિત પ્રવૃતિઓને સતત પ્રોત્સાહિત કરવા બદલ રાજ્યના રાજ્યપાલ શ્રી ઓમપ્રકાશ કોહલી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલના હસ્તે ગાંધીનગર ખાતે બહુમાનીત કરવામાં આવ્યા ત્યારે એક પત્રકાર તરીકે મને પહેલો વિચાર એ જ આવ્યો કે કર્મ કીયે જા ફલ કી ચિંતા છોડ કર…આ ઉક્તિને નરેન્દ્રભાઇ ગાંધીએ પચાવી જાણી છે અને એ લોકો માટે સતત પ્રયત્નશીલ રહે છે પછી એ શિક્ષણનું ફિલ્ડ હોય, બેંકિંગ ક્ષેત્ર હોય, સામાજિક કામ હોય કે પછી સ્પોર્ટસનું ફિલ્ડ હોય, તેમની ઓફિસ કે કાર્યાલયે પહોંચેલા મુલાકાતી માટે એટલિસ્ટ એક ફોન કરીને રજૂઆત તો કરી જ દે.

(ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીના હસ્તે રાજ્યમાં રક્તદાન મહાદાન પ્રવૃત્તિ માટે સુરતના નરેન્દ્રભાઇ ગાંધીનું પ્રમાણપત્ર આપીને બહુમાન કરાયું એ વેળાની તસ્વીર)

(ગુજરાતના નાયક મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના હસ્તે રાજ્યમાં રક્તદાન મહાદાન પ્રવૃત્તિ માટે સુરતના નરેન્દ્રભાઇ ગાંધીનું પ્રમાણપત્ર આપીને બહુમાન કરાયું એ વેળાની તસ્વીર)

અઢી દાયકાથી પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી તેમને અનેક વખત મળવાનું થયું. ખરેખર લોક નેતા જો કહું તો એમાં શંભુભાઇ પટેલ, સી.આર. પાટીલ, નરેન્દ્ર ગાંધી, પ્રવીણ નાયક જેવા નેતાઓના અનુભવો શ્રેષ્ઠતમ જણાયા છે. આ નેતાઓની પાસે કોઇપણ કામની અપેક્ષાએ જતા મિત્રો, મુલાકાતીઓ માટે આ નેતાઓ સતત સક્રીય રહીને ફોલોઅપ પણ કરતા.

નરેન્દ્ર ગાંધી માટે કહેવાય છે કે મેરીટ પર એ સંગઠનના નેતા છે. સામાન્ય કાર્યકર તેમને વર્ષોથી નહીં દાયકાઓથી વળગી રહ્યા. જે ક્ષેત્રમાં જવાબદારી મળી તે ક્ષેત્રમાં પૂરી સમજણ કેળવે અને નિષ્ઠાપૂર્વક તેમાં લીન રહે એવા છે નરેન્દ્રભાઇ ગાંધી. તેમણે ક્યારે કોઇ અપેક્ષા રાખી નથી પછી ભલે એ ખેલ જગત હોય કે રાજકીય તખ્તો. સતત પ્રવૃતિમય રહેતા નરેન્દ્ર ગાંધી માટે કહેવાય અનેક વખત રાજકીય સ્તરે ચાવીરૂપ ભૂમિકા માટે પસંદ કરાયા પરંતુ એ કોળીયો પણ છેલ્લી ઘડીએ તેમના મુખેથી છીનવાય ગયો. આમ છતાં કોઇપણ ફિકર કર્યા વગર સતત પ્રયાસો કરે છે અને એટલે જ કુદરત પણ તેમને અન્યાય થવા દેતી નથી.

કોઇ રાજ્યના રાજ્યપાલના હસ્તે રક્તદાન જેવી નેક પ્રવૃત્તિ માટે ઇનામ મળે એનાથી મોટી ગૌરવવંતી વાત કઇ હોઇ શકે. સી.આઇ.એ. લાઇવ પરિવાર શ્રી નરેન્દ્રભાઇ ગાંધીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.

August 28, 2018
shott-1280x853.jpg
1min9950

વરૂણ કાબરાં બેન્ડ દ્વારા લાઈવ પર્ફોર્મન્સ સાથે જ યુવાઓએ ભારે ધમાલ મસ્તી કરી અને પ્રાઇઝ પણ જીત્યા

સુરત: ગુજરાતનું પહેલું ફુલ્લી ફેમીલી એન્ટરટેઈનમેન્ટ સેંટર શોટ દ્વારા ચોથી વર્ષગાંઠની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શોટખાતે મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વરૂણ કાબરા બેન્ડે લાઈવ પર્ફોર્મન્સ આપ્યું હતું.લાઈવપર્ફોમન્સમાં યુવાઓને જલસા પડી ગયા હતા.આ ઉપરાંત આ પ્રસંગે વિવિધ ગેમ્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં યુવાઓ ભાગ લઈ ખૂબ જ મોજમસ્તી કરી હતી. વિવિધ ગેમ્સમાં વિજેતાઓને આઇફોનથી લઈને વિવિધ ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતા.સમગ્ર ઈવેન્ટનું આયોજન વન ફોર ઓલ દ્વારા કરવામાં આવ્યું હતું.

-x-x-x-x-

August 24, 2018
cpr1-1280x720.jpg
1min7510

શહેરના રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં પાર્કિંગની વકરી રહેલી સમસ્યા અને તેના પર હાલ ચાલી રહેલા વિવાદ વચ્ચે સુરત શહેર પોલિસ કમિશનર શ્રી સતીશ શર્માએ આજે બપોરે રિંગ રોડ પર ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ગીચ માર્કેટ રોડ્સ પર રાઉન્ડ લીધો હતો.

પોલીસ કમિશનર શ્રી શર્મા તેમની ટીમ સાથે જે જે માર્કેટ નજીક પાર્કિંગની સમસ્યા સર્જાઇ રહી છે ત્યાં પગપાળા ચાલીને ગયા હતા. તેમણે સમગ્ર પશ્ન અંગે સવાલો કરીને જાત માહિતી મેળવી હતી.

અત્રે એ ખાસ નોંધનીય છે કે ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં પાર્કિંગની જગ્યાઓ કવર કરી દેવામાં આવી છે અને વ્યાપારીઓ તેમજ મુલાકાતીઓ રોડ પર વાહનો પાર્ક કરી રહ્યા હોઇ, શહેરના હાર્દ સમા રિંગ રોડ  વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય રહી છે.

સુરત શહેર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર બન્ને સંકલન સાધીને હાલમાં આ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે.

August 22, 2018
Ukai-1.jpg
1min44250

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ખેતી સિંચાઇ તેમજ પીવાના પાણીના સૌથી મોટા સ્ત્રોત સમાન ઉકાઇ ડેમમાં પાણીની સપાટી ધીમે ધીમે વધી ગઇ છે અને તા.23મી ઓગસ્ટને ગુરુવારે બપોરે 3 કલાકે ઉકાઇ ડેમની સપાટી 311 ફૂટના લેવલને આંબી ગઇ છે.

 

ઉકાઇ ડેમ અંગે બે બાબતો હાલમાં ચર્ચાસ્પદ છે એક સકારાત્મક અને એક નકારાત્મક. સકારાત્મક બાબત એ છે કે ધીમે ધીમે ખરું પણ ઉકાઇ ડેમમાં પાણીનો આવરો થઇ રહ્યો છે અને સપાટી 292 ફૂટ પરથી વધીને તા.23મી ઓગસ્ટ 2018ના રોજ 311.34 ફૂટ પર પહોંચી છે. આમ, ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયા કે જ્યાં વરસાદ શરૂ થયો છે અને ત્યાંથી પાણીનો આવરો ડેમમાં થઇ રહ્યો છે.

નકારાત્મક બાબત એ છે કે રાજ્ય સરકારે ઉકાઈ ડેમમાં પાણીનું લેવલ મેઇન્ટેન કરવા માટે કેટલાક નીતિ નિયમો બનાવ્યા છે. જેમાં એક નિયમ રુલ લેવલની જાળવણીનો છે. દર વર્ષે ચોમાસા દરમિયાન જે તે તારીખે ડેમમાં પાણીનું લેવલ કેટલું જાળવવું તે અંગે ચોક્કસ ગણતરી સાથે કાર્યવાહી થાય છે. તા.23મી ઓગસ્ટ 2018ના દિવસે ઉકાઇ ડેમમાં પાણીની સપાટીનું રૂલ લેવલ 335 ફૂટ હોવું જોઇએ. તેના કરતા આજના દિવસે પાણીની સપાટી 24 ફૂટ ઓછી છે.

પણ દેર આયે દુરસ્ત આયે એ રુએ પણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ખાતે આવેલા ઉકાઇ ડેમના કેચમેન્ટ એરિયામાં પડી રહેલા વરસાદનું પાણી ઉકાઇ ડેમને ધીમી ધારે ભરી રહ્યું છે એ પોઝિટીવ બાબત સમગ્ર દક્ષિણ ગુજરાતના માથેથી ધીમે ધીમે જળસંકટ ઓછું કરી રહી છે.

અગાઉ ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદ નહીં પડવાને કારણે ડેમમાં પાણીનો આવરો નહીં થતા ચોમાસાના પ્રારંભે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પરંતુ હવે જિલ્લા પ્રશાસન તેમજ દક્ષિણ ગુજરાતના લોકોને પણ ઉકાઇ ડેમની પાણીની સપાટી વધવાથી હાશકારો થઇ રહ્યો છે.

August 22, 2018
vior.jpg
1min12950

સુરતના લાલદરવાજા, ભટાર અને વેસુ ખાતે સ્કીન ક્લિનિક ધરાવતા સખીયા ગ્રુપ દ્વારા હવે સ્કીન ટાઇટનિંગ માટે વૈશ્વિક સ્તરે સ્વીકૃત અને અત્યંત અદ્યતન ટ્રીટમેન્ટ પદ્ધતિ લાવ્યા છે. સમગ્ર ગુજરાતવાસીઓ માટે સખીયા સ્કીન ક્લિનિકને સુરતમાં 20 વર્ષ પૂર્ણ થયા છે અને આ ઉપલક્ષમાં ભટાર સ્થિત સખીયા ક્લિનિક ખાત ેસ્કીન ટાઇટનિંગ માટે ઇઝરાયેલ મેઇક વિઓરા સિસ્ટમ્સનું સૌથી એડવાન્સ્ડ વર્ઝન સુરત ખાતે સ્થાપિત કર્યું છે. સ્કીન ટાઇટેનિંગ માટે આનાથી વિશેષ આધુનિક સુવિધા વિશ્વમાં ક્યાંય ઉપલબ્ધ નથી.

વધુ વિગતો આપતા ડો. જગદીશ સખીયાએ કહ્યું કે સખીયા સ્કીન ક્લિનિકમાં ચામડીના વિવિધ રોગો જેવા કે સોરીયાસીસ, ખીલ, પીગમેન્ટેશન, હઠીલી ધાધર, એલર્જી, શીળવા, બેક્ટેરિયલ વાઇરલ ઇન્ફેકશન, તજા ગરમી, ખસ, ખરજવું વગેરે જેવા રોગોની સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે. ડર્મેટો દ્વારા સફેદ ડાઘની સર્જરી, ખીલના ખાડાની સર્જરી, ચરબીની ગાંઠ, ગળા પરના મસા, કપાસી, કણી, નખની સર્જરી, અત્યાધુનિક હેર ટ્રાન્સપ્લાન્ટ, બાયોપ્સી દ્વારા નિદાન વગેરે પ્રકારની સર્જરી પણ સખીયા સ્કીન ક્લિનિકમાં ઉપલબ્ધ છે.

લેસર ટ્રીટમેન્ટ, પ્લાસ્ટીક સર્જરી વગેરે સુવિધા પણ સખીયા સ્કીન ક્લિનિક ખાતે ઉપલબ્ધ છે. વધુમાં સખીયા સ્કીન ક્લિનિક આઇ.પી.ઓ. બહાર પાડી રહી છે, એ પછી સમગ્ર ભારતમાં સખીયા સ્કીન ક્લિનિકની 2000 જેટલી ફ્રેન્ચાઇઝી શરૂ કરશે.

 

ઉપરોક્ત તસ્વીરોમાં દ્રશ્યમાન થાય છે એ રીતે વિઓરા મશીન્સથી સ્કીન ટાઇટેનિંગ ટ્રીટમેન્ટ સુરતના સખીયા સ્કીન ક્લિનિક, ભટાર રોડ ખાતે ઉપલબ્ધ બનશે. આ ટ્રીટમેન્ટના રૂ.36 હજાર ચાર્જ છે જેમાં 6 સેશનમાં ટ્રીટમેન્ટ આપવામાં આવશે.

August 19, 2018
varachha.jpg
1min5010

પાટીદારનો ગઢ ગણાતા શહેરના પુણા વિસ્તારમાં મોડીરાત્રે  બીઆરટીએસની 2 બસ પર પત્થરમારો કરીને કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. એ ઉપરાંત સરથાણા વિસ્તારમાં ટાયરો સગળગાવવાની  ઘટનાને પગલે પોલીસની ગાડીઓ દોડતી થઇ ગઇ હતી. આવી ઘટનાઓને પગલે પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર ગણાતા સુરતના વરાછા વિસ્તારમાં ફરી એકવાર વાતાવરણ તંગ બન્યું છે. અમદાવાદમાં હાર્દિક પટેલની અટકાયત અને તે પછી અલ્પેશ કથિરીયાની રાજદ્રોહ કેસમાં ધરપકડ બાદ આ પરિસ્થિતિનું  નિર્માણ થયું હોવાનું જણાય આવે છે.

એ પૂર્વે આજે રવિવાર તા19મી ઓગસ્ટ 2018ની સવારે અમદાવાદ ખાતે હાર્દિક પટેલની અટકાયતના સમાચારને પગલે સુરતમાં પાટીદાર આંદોલનના સમર્થકો વરાછાના મીનીબજાર ખાતે ધરણા પર બેઠા હતા. ધરણા પર બેઠેલા પાટીદારોની પોલીસે અટકાયત કરવાનું શરૂ કરતા મામલો બિચકયો હતો. વરાછામાં એકઠું થયેલું ટોળું તોફાને ચઢ્યું હતુ અને પત્થરમારો શરૂ કરી ને બે કચરાપેટીને ઉંધી વાળી દીધી હતી.

વરાછામાં પાટીદાર આંદોલન વધુ તીવ્ર બને એવી સ્થિતિ જણાતા પોલીસે સુરતમાં 40 જેટલા પાટીદારો અને કોગ્રેસી કાર્યકરોની અટકાયત કરીને હજીરા પોલીસ સ્ટેશન મોકલી આપ્યા છે.

 

August 19, 2018
va1.jpg
1min7910

Jayesh Brahmbhatt  98253 44944

એલાયન્સ ક્લબ ઓફ સુરત ચેરિશના સભ્યો દ્વારા શહેરના ભાઠા વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમના 40 જેટલા વડીલો, સિનિયર સિટીઝન્સને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દક્ષિણ ગુજરાતના જાણીતા શિવ તિર્થ ધામના દર્શનાર્થે લઇ જવામાં આવ્યા હતા.

એલાયન્સ ક્લબ ઓફ સુરત ચેરિસના વૈશાલી ગાલાએ સી.આઇ.એ. ને જણાવ્યું હતું કે વડીલ સિનિયર સિટીઝન્સને સુરતથી લક્ઝરી બસદ્વારા કાવી કંબોઇ (જંબુસર), ભાડભૂત, ભરૂચના નિલકંઠેશ્વર ધામ ખાતે લઇ જવામાં આવ્યા હતા. માર્ગમાં તેમના માટે ચા-પાણી નાસ્તા તેમજ ભોજનની પણ વ્યવસ્થા એલાયન્સ ક્લબ ઓફ સુરત ચેરિશ તરફથી જ રાખવામાં આવી હતી.

વૈશાલી ગાલાએ કહ્યું કે હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શિવજીની આરાધના માટેના આ શ્રેષ્ઠ મહિનામાં ભાઠા વૃદ્ધાશ્રમના વડિલો શિવજીના મંદિરના દર્શન કરીને ખૂબ ખુશ થયા હતા. એલાયન્સ ક્લબ ઓફ સુરત ચેરિશના સભ્યોએ પણ વડિલોને તિર્થસ્થાને લઇ જવામાં ધન્યતા અનુભવી હતી.