CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 43 of 79 - CIA Live

March 17, 2020
deosurat.gov_.in_.png
1min16070

રાજ્ય સરકાર મહેરબાન તો DEO રાજ્યગુરુ પહેલવાન

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાતના સૌથી ઝડપથી વિકાસ પામતા સૂરત શહેરમાં તેની વિકાસની ગતિને અનુરૂપ વહીવટી અધિકારીઓ હોવા જોઇએ. પરંતુ, સૂરતના શિક્ષણ જગતની કમનસીબી છે કે હાયર એજ્યુકેશનમાં વીર નર્મદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ગુપ્તા સાહેબ અને સ્કુલિંગ ક્ષેત્રના વડા રાજ્યગુરુ સાહેબ બન્ને એવા માથાના મળ્યા છે કે શિક્ષણની ઘોર ખોદાય રહી છે.

સૂરતને આજ સુધી મળ્યા નથી એટલા હોપલેસ ડીઈઓ હાલમાં જોવા મળી રહ્યા છે. શિક્ષણાધિકારીના નિર્ણયોમાં વિદ્યાર્થી હિત કેન્દ્રમાં હોવું જોઇએ તેની જગ્યાએ વિદ્યાર્થી હિત તો દૂરની વાત પણ અત્યારના ડીઈઓ રાજ્યગુરુ સાહેબના નિર્ણયોથી એવી અનુભૂતિ થાય છે કે વિદ્યાર્થીનું પારાવાર અહિત થઇ રહ્યું છે.

એફ.આર.સી.ના નિર્ણયોનું અમલ કરાવવામાં કે આઇ.ટી.ઇ.ના મામલામાં ખોટા કેસો નજર સામે હોવા છતાં પગલાં ભરવામાં નપાણિયા પૂરવાર થયેલા હાલના ડીઈઓ રાજ્યગુરુએ તા.16મી માર્ચે જે કર્યું એના પરથી એવું લાગે છે કે જબ સરકાર મહેરબાન તો ડીઈઓ રાજ્યગુરુ પહેલવાન.

સરકારે કોરોના વાઇરસને વધતો અટકાવવા માટે તા.16થી 29 માર્ચ સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા માટે પરિપત્ર કર્યા છે. આ પરિપત્રમાં (કોઇપણ સ્પેશિફિક બોર્ડની સ્કુલોનો નિર્દેશ કર્યા વગર) સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે જે શાળાઓમાં જો (બોર્ડ સિવાયની) પરીક્ષાઓ ચાલુ હોય તો પરીક્ષા આગામી સપ્તાહ એટલે કે ચાલુ સપ્તાહમાં પૂરી કરી દેવી. અને પરીક્ષા શરૂ ન હોય તો તા.30મી માર્ચ 2020 પછી લેવાનું આયોજન કરવું.

પરંતુ, સૂરતના શિક્ષણાધિકારી મહાશય રાજ્યગુરુ સાહેબને તા.16મી માર્ચે શાળાઓ બંધ કરાવવાનું એવું શૂરાતન ચઢયું કે જે શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલતી હતી એમના સંચાલકોને દમદાટી આપીને સ્કુલો બંધ કરાવી દીધી. વૃદ્ધાવસ્થાની નજીક પહોંચેલા સૂરત ડીઇઓ રાજ્યગુરુ સાહેબની તા.16મી માર્ચની ભાષા જો સાંભળી હોય તો કોઇ એવું ન કહે કે આ સૂરત જેવા મોટા જિલ્લાના શિક્ષણ વિભાગનો વડા બોલતા હોય.

જ્યારે વાણી જ એવી હોય તો અર્થઘટનનું તો પૂછવું જ શું. સરકારી પરીપત્રનું મનસ્વી અર્થઘટન કરીને સૂરતના સ્કુલ સંચાલકોને રાજ્યગુરુ સાહેબે એવી પ્રતીતી કરાવી દીધી કે સરકારી પરીપત્ર નહીં પોતે કહેશે એમ જ સંચાલકોએ કરવું પડશે. તા.16મીએ શિક્ષણાધિકારીઓ સૂરતની અનેક સ્કુલોની પરીક્ષાઓ બંધ કરાવી દઇને વિદ્યાર્થીઓનું મોટું અહિત કર્યું છે.

વિદ્યાર્થીઓ રેડી હતા, સ્કુલો સજ્જ હતી, પરીક્ષા લેવાઇ ગઇ હોત તો બધા ને નિરાંત હોત

શહેરની કેટલીક પ્રાઇવેટ સ્કુલ્સમાં પરીક્ષા જો ડીઈઓએ સરકારી પરીપત્ર મુજબ લેવા દીધી હોત તો હજારો વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્કુલ શિક્ષકો તમામને નિરાંત થઇ હોત. પરંતુ, કયા કારણોસર સરકારી પરીપત્રનું ડીઈઓએ મનસ્વી અર્થઘટન કર્યું એ સમજાતું નથી. ખુદ સરકારે પરીપત્રમાં નિર્દેશ કર્યો હોય કે જે શાળાઓમાં પરીક્ષા ચાલુ હોય તે શાળામાં સપ્તાહમાં પૂરી કરવી, એ વાત તાર્કીક છે કે સરકારને પણ ચાલુ પરીક્ષામાં અંતરાય થાય તો કેટલા લોકોએ સહન કરવુું પડે..

સૂરતમાં કે ગુજરાતમાં ના તો હજુ કોરોનાનો એકેય કન્ફર્મ કેસ મળ્યો છે કે ન તો એલાર્મિંગ સિચુએશન છે. અને એટલે જ સરકારે જ્યાં પરીક્ષા શરૂ હતી એ સ્કુલોને ચાલુ સપ્તાહમાં પરીક્ષા પૂરી કરી દેવાનો સ્પષ્ટ નિર્દેશ પરીપત્રમાં કર્યો છે, પરંતુ, રાજ્યગુરુ સાહેબને કોણ જાણે કેમ સ્કુલો બંધ કરાવવાની ચાનક ચઢી એ તપાસનો વિષય છે. કેટલાક સંચાલકોને ડીઈઓએ એવો જવાબ આપ્યો કે સીબીએસઇ બોર્ડની સ્કુલો માટે પરીક્ષા ચાલુ સપ્તાહમાં લેવા દેવાની જોગવાઇ છે.

આવું અર્થઘટન કરવામાં પણ બુદ્ધિનું દેવાળું ફૂંકાયું હોય તેવી પ્રતીતિ થાય છે. કેમકે સરકારના પરીપત્રમાં ક્યાંયે કોઇ બોર્ડનો સ્પેશિફિક ઉલ્લેખ નથી. બીજી વિચાર માગી લે એવી બાબત એ છે કે સીબીએસઇ સ્કુલોમાં પરીક્ષા લેવા દેવાય તો ગુજરાત બોર્ડની સ્કુલોમાં કેમ નહીં.

સૂરતના ડીઈઓ મહાશય માટે આટલું કચકચાવીને એટલા માટે લખવું પડે છે કે અનેક સંગીન મુદ્દાઓ, ભૂલો, ખોટા અર્થઘટનો કર્યા હોવા છતાં ન તો સરકાર તેમની સામે કોઇ પગલાં ભરતી નથી કે ન તો તેઓ કનડવાનું બાકી રાખતા.

March 16, 2020
CIA_Live_Logo_New2.jpg
1min18010

યુવતિના પરિવારજનોની ખેલદિલી, સંપર્કમાં આવેલા લોકોને સેલ્ફ કૉરન્ટાઇન કરવા અપીલ

સૂરતમાં તા.16મી માર્ચે નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી એક યુવતિને દાખલ કરીને તેના સેમ્પલ્સ અમદાવાદની બી.જે. મેડીકલ કોલેજમાં મોકલી આપવામાં આવ્યા છે. આ યુવતિની હિસ્ટ્રી અંગે થયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે યુવતિ થોડા દિવસો પૂર્વે લંડનથી આવી હતી અને રવિવારે રાત્રે તેને તાવ, ખાંસી જેવા શંકાસ્પદ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. યુવતિના પરિવારજનોએ ફેમિલી ડોક્ટરની સલાહ અનુસાર સૂરતની સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડનો સંપર્ક કર્યો હતો. પ્રાથમિક તપાસમાં તેણીને શંકાસ્પદ કોરોનાના દર્દી તરીકે દાખલ કરીને તેની સારવાર શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

યુવતિના પરિવારજનોએ જે જે સંપર્કમાં આવ્યા છે તેમને સેલ્ફ કૉરન્ટાઇન અનુસરવા અપીલ કરી

સૂરત પરત ફરેલી અને શંકાસ્પદ કોરોનાના લક્ષણ ધરાવતી યુવતિના પરિવારજનોએ આ યુવતિના સંપર્કમાં જે લોકો આવ્યા એ તમામ સુધી તંત્ર પહોંચે એ પહેલા જ પોતે યુવતિના સિન્ટમ્સ અંગે જાણ કરીને તમામને સાવચેતીપૂર્વક સેલ્ફ કૉરન્ટાઇન અનુસરવા માટે જણાવી દીધું છે.

સૂરતના તંત્રવાહકોએ પણ યુવતિ સાથે સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવા અંગેની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.

March 16, 2020
surat.jpg
1min5370

રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવી એ મારી નૈતિક ફરજ છે, સાથે-સાથે નાગરિકોને કોઈ ખોટી રીતે હેરાન કરીને અને ધાકધમકીથી મિલકતો પચાવી ન પાડે તે માટે પણ રાજ્ય સરકાર સતત ચિંતિત છે. જેના ભાગરૂપે સુરત શહેરના લિંબાયત અને રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનું રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે એવું ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોમી એખલાસનું વાતાવરણ જળવાઈ રહે અને ભાઈચારાની ભાવના વધુ બળવત્તર બને તે માટે રાજ્યના સંવેદનશીલ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ સતત ચિંતા કરીને આ માટે સતત માર્ગદર્શન આપી રહ્યા છે ત્યારે સુરત શહેરના આ વિસ્તારોમાં મળેલી રજૂઆતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે આ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ સાથે પણ જરૂરી પરામર્શ કર્યા બાદ આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવાયું છે.

તેમણે ઉમેરતા કહ્યું હતું કે, સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન તથા રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ પાડવા માટે ધારાસભ્ય પુર્ણેશ મોદી, શ્રીમતી સંગીતાબેન પાટીલ, વિવિધ સંસ્થાઓ, સમાજિક આગેવાનો તથા અન્ય વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતો સંદર્ભે રાજ્યના સંવેદનશીલ મુખ્ય પ્રધાને સુરત શહેરના પોલીસ કમિશનર અને જિલ્લા મેજીસ્ટ્રેટના હકારાત્મક અભિપ્રાય ધ્યાને લઈને આ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ પાડવા માટે રાજ્ય સરકારે ૧૪મી માર્ચ ૨૦૨૦થી નિર્ણય કર્યો જેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવાયુ છે.

જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારના આ નિર્ણયના કારણે આ વિસ્તારોમાં અસામાજિક તત્ત્વો દ્વારા ધાકધમકીથી મિલકતો પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તથા આવા તત્ત્વોથી પીડિત નાગરિકોને સુખ, શાંતિ અને સલામતીનો અહેસાસ થશે. આ વિસ્તારોમાં હવેથી મિલકતનું વેચાણ કરતા અગાઉ સુરત કલેકટરની કાયદાની જોગવાઈઓ અનુસાર પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે.

March 11, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5550

ધૂળેટીની રજાના દિવસે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અંગત રસ લઇને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ ત્રણ ડ્રાફ્ટ પ્રારંભિક ટાઉન પ્લાનીંગ (ટી.પી.) સ્કીમને મંજૂરી આપી છે.

હોળી-ધુળેટીના પર્વેના અવસરે જે ત્રણ વિસ્તારોમાં પ્રારંભિક ટી.પી.ની મંજૂરીની ભેટ આપી છે તેમાં ભેસ્તાન વિસ્તારની પ્રીલિમનરી ટી.પી. પ૪ (ભેસ્તાન) અને પપ (ભેસ્તાન) તેમજ ટી.પી. ટીપી ૧૪ પાલ (ફર્સ્ટ વેરીડ)નો સમાવેશ થાય છે.

આ ટી.પી. સ્કીમમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને કુલ ૩ર જેટલા પ્લોટ સમગ્રતયા ૪૦ હેકટર્સના ક્ષેત્રફળ સાથે સંપ્રાપ્ત થવાના છે. આ પ્લોટસમાં ખૂલ્લી જગ્યા-બાગબગીચા તેમજ જાહેર હેતુ માટે ર લાખ ૧પ હજાર ૮૧૧ ચોરસ મીટર જમીન અને સામાજિક-આર્થિક નબળા વર્ગના લોકોના આવાસ-રહેઠાણ માટે ૧ લાખ ૧૮ હજાર ૪૩૪ ચોરસ મીટર જમીન પ્રાપ્ત થશે. આ ઉપરાંત ૬૭૮૦૮ ચો.મીટર જમીન રહેણાંક તેમજ વેચાણના હેતુ માટે પણ સંપ્રાપ્ત થશે. આ બે પ્રારંભિક ટી.પી સ્કીમ મંજૂર થવાથી સુરત મહાનગરમાં બાગ-બગીચા સહતિ અન્ય નાગરિકલક્ષી સુવિધામાં વધારો થશે.

March 9, 2020
aswin-1280x877.jpg
1min5690

પાલિકાના ડેપ્યુટી ટાઉન પ્લાનર 1.50 લાખની લાંચ લેતા રંગહાથ ઝડપાયો હતો. લિંબાયત ઝોનના ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલરે બાંધકામ ન તોડવા માટે 2 લાખની લાંચ માંગી હતી. 1.50 લાખમાં સેટલમેન્ટ કર્યું હતું. આ દોઢ લાખ રૂપિયા લેવા ઉધના દરવાજા ઉપર આવતા એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. અશ્વિન ટેલર સાથે વિવાદ હંમેશા જોડાયેલો રહ્યો હતો. ફેબ્રુઆરી 2017માં ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલરને જમીનની ફાઈલ સાથે ચેડા કરીને કમિશનરને ઉઠા ભણાવવાના મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. 

લિંબાયત ઝોન વિસ્તારમાં આવતી કાપડ માર્કેટમાં મેન્ટેનન્સ મેનેજર તરીકે કામ કરતા વ્યક્તિ પાસે માર્કેટમાં થયેલા ગેરકાયદેસર બાંધકામ મુદ્દે લાંચ લેવાનો આ મામલો હતો. અશ્વિન ટેલરે પહેલા માર્કેટમાં ગેરકાયદેસર બાંધકામ માટેની નોટિસ આપી હતી. આ બાંધકામ દૂર કરવા માટે દબાણ કર્યું હતું. બાંધકામનું ડીમોલીશન નહીં કરવા માટે બે લાખ રૂપિયાની માગણી કરી હતી. છેવટે દોઢ લાખ રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું. ફરિયાદીએ રૂપિયા નહીં આપવા હતા. એટલે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. એસીબીએ રવિવારે છટકું ગોઠવ્યું હતું. ઉધના દરવાજા પાસે અશ્વિન ટેલરને રૂપિયા લેવા માટે બોલાવ્યો હતો, જેવો રૂપિયા લેવા માટે આવ્યો અને રૂપિયા લીધા કે તરત જ એસીબીએ તેને દબોચી લીધો હતો.

February 28, 2020
SGCCI.jpg
1min5030

આજરોજ તા.28મી ફેબ્રુઆરી 2020ને શુક્રવારે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર આયોજિત મેગા બિલ્ડ એક્ષ્પોનું ઉદઘાટન સમારોહ સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે.

આજથી તા.ર માર્ચ ર૦ર૦ દરમિયાન ચાર દિવસ માટે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘મેગા બીલ્ડ એક્ષ્પો– ર૦ર૦’ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.

આયોજક સંસ્થાઓ

ચેમ્બર દ્વારા સુરત હાર્ડવેર એન્ડ બિલ્ડીંગ મટીરિયલ મર્ચન્ટ એસોસિએશન, સુરત સિરામીક એસોસિએશન, ધી સુરત આયર્ન એન્ડ સ્ટીલ મર્ચન્ટ એસોસિએશન, સુરત પેન્ટ્‌સ મર્ચન્ટ એસોસિએશન, સુરત મશીન ટૂલ્સ હાર્ડવેર એન્ડ વેલ્ડીંગ મર્ચન્ટ્‌સ એસોસિએશન, સુરત ઇલેકટ્રીકલ મર્ચન્ટ્‌સ એસોસિએશન અને સુરત ફર્નીચર એસોસિએશનની સાથે મળીને ‘મેગા બીલ્ડ એક્ષ્પો– ર૦ર૦’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે.

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ ‘મેગા બીલ્ડ એક્ષ્પો– ર૦ર૦’ અંગે જણાવ્યુ હતુ કે, દક્ષિણ ગુજરાતના વ્યાપાર અને ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવી સંસ્થા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રીઝમાં હાલની માર્કેટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બિલ્ડીંગ મટીરિયલ્સ પ્રોડકટને બુસ્ટઅપ કરવા માટે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રદર્શનને કારણે ગ્રાહકોને પ્રોડકટની ડિટેલ આસાનીથી મળી રહેશે.

સુરતમાં વસતિ વધારાને સમાવવા માટે નવા ઇન્ફ્રાસ્ટ્રકચરની જરૂરિયાત પડવાની હોવાથી નવા ટાઉન પ્લાનીંગ મંજૂર કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાએ ૬૬ જેટલી નવી ડ્રાફટ ટીપી સ્કીમો તૈયાર કરી છે અને રાજય સરકાર પાસેથી મંજૂરી મેળવવા માટે આગળ ધપાવી છે. સુરત, વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોની યાદીમાં સમાવિષ્ટ છે અને દક્ષિણ ગુજરાત પણ ગુજરાત રાજયમાં માથાદીઠ આવકમાં મોખરે હોવાથી લોકોની ખરીદશકિત પણ વધારે છે. દક્ષિણ ગુજરાતના શહેરોમાં મોડર્ન કન્સ્ટ્રકશન સિસ્ટમને સ્વીકારવામાં આવી છે ત્યારે રીયલ એસ્ટેટને નવી ઉંચાઇએ પહોંચાડવા માટે આ પ્રદર્શન ખૂબ જ મહત્વનું બની રહેશે.

ચેમ્બરના એકઝીબીશન સેલના હેડ શ્રી દેવેશ પટેલે જણાવ્યુ હતુ કે, સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૯૦ હજાર સ્કવેર ફૂટ એરીયામાં મેગા બીલ્ડ એક્ષ્પો પ્રદર્શન યોજાશે. જેમાં ફર્નીચર એન્ડ સ્ટીલ સેગ્મેન્ટ, ફર્નીચર એન્ડ ફર્નીશીંગ સેગ્મેન્ટ, હાર્ડવેર સેગ્મેન્ટ, સિરામીક સેગ્મેન્ટ, પેન્ટ સેગ્મેન્ટ, ઇલેકટ્રીકલ સેગ્મેન્ટ અને મશીન ટૂલ્સ સેગ્મેન્ટને આવરી લેવામાં આવ્યા છે.

આ પ્રદર્શનમાં સુરત ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, વલસાડ, સેલવાસ, જામનગર, હિમ્મતનગર, મોરબી, કચ્છ, મુંબઇ, ઠાણે, હરીયાણા અને ગુડગાવથી કુલ મળીને ૧૪૦ જેટલા એકઝીબીટર્સે ભાગ લીધો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપરાંત દેશના અન્ય રાજયોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં બાયર્સ આ પ્રદર્શનની મુલાકાત લેશે.

‘મેગા બીલ્ડ એક્ષ્પો પ્રદર્શન’ના ચેરમેન શ્રી હિરેન શાહે જણાવ્યુ હતુ કે, રીયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી સંબંધિત નવી પ્રોડકટ એનર્જી અને કોસ્ટ ઇફેકટીવ હશે. આર્કીટેકટ, ઇન્ટીરીયર ડિઝાઇનર અને જાહેર જનતા સુધી નવી પ્રોડકટ અને તેની પ્રાઇઝ રેટની અવેરનેસ પહોંચાડવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાના આ પ્રદર્શનમાં ચાર દિવસ દરમિયાન રીયલ એસ્ટેટ સંબંધિત વિવિધ કોન્ફરન્સ અને સેમિનારો યોજાશે. વિવિધ સેગ્મેન્ટમાં નવી ડિઝાઇન અને અદ્યતન ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે. બીટુબી મિટીંગો યોજાશે તેમજ બ્રાન્ડ પ્રમોશન માટેની તકો આપવામાં આવશે.

આ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન શુક્રવારે, તા. ર૮ ફેબ્રુઆરી ર૦ર૦ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસના સ્પેશિયલ સેક્રેટરી એન્ડ ડેવલપમેન્ટ કમિશનર શ્રી રામ મોહન મિશ્રા (આઇએએસ)ના હસ્તે કરવામાં આવશે. આ પ્રદર્શનમાં અતિથિ વિશેષ તરીકે હીકોકી પાવર ટૂલ્સ ઇન્ડિયા પ્રા. લિ.ના એકઝીકયુટીવ ડાયરેકટર એન્ડ સેક્રેટરી શ્રી દત્તાત્રય જોશી ઉપસ્થિત રહેશે.

મેગા બીલ્ડ એક્ષ્પો પ્રદર્શનના આયોજનમાં ડાયમંડ સ્પોન્સર તરીકે શ્રીજી ગૃપ ઓફ કંપની તથા પ્લેટીનમ સ્પોન્સર તરીકે એ–વન ફાયર સેફટી સર્વિસિસ અને ઓલીવ જોડાયુ છે. જયારે સુરત મહાનગરપાલિકા, એચડીએફસી બેંક, એચબીએલએફ, મેરીયોટ સુરત, એરલીન્ક અને આર.કે. ઇન્ફ્રાટેલનો સહકાર પ્રાપ્ત થયો છે.

‘મેગા બીલ્ડ એક્ષ્પો’ પ્રદર્શન જાહેર જનતા માટે સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી ખુલ્લુ રહેશે.

February 25, 2020
mirchi1.jpg
1min7140

છેલ્લા ૪ વર્ષથી રેડિયો મિર્ચી ૯૮.૩ એફએમ સમગ્ર ભારતમાં એક અલગ જ પ્રકારની દોડનું આયોજન કરે છે. સુરતમાં આ વખતે વેસુ ખાતે આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટી સાથે આ ભવ્ય મિર્ચી નિઓન રન નું આયોજન કરવામાં આવ્યું હતું .

કુલ ૪૬૯૨ લોકોએ આ ૫ કિમી દોડમાં ભાગ લીધો હતો. આ દોડ તમામ માટે આકર્ષણ નું કેન્દ્ર બને છે કારણકે એ રાત્રે થાય છે અને એમાં તમામ સ્પર્ધકો નિઓન કલરના કપડાં સાથે દોડે છે.. અંધારામાં આ કલર ચમકે છે અને એક અલગ જ દુનિયા સર્જાય છે.

સુરત મહાનરપાલિકા કમિશનર શ્રી બંછનિધિપાની, રેડિયો મિર્ચીના ગુજરાત હેડ બિથીન્દ્ર બિશ્વાસ, સમિત શાહ, હર્ષવર્ધન વ્યાસ, પ્રોગ્રામ હેડ પાર્થ દેસાઈ સહિત વિવિધ કૉલેજના પ્રિન્સીપાલ એ આ દોડની શરૂઆત કરાવી હતી.

૫ કિમી ની દોડ બાદ તમામ VIP road ગ્રાઉન્ડમાં ભેગા થયા હતા.કોલકતા થી આવેલા ભારતના પ્રસિદ્ધ કલબ મિર્ચી ના ડીજે રિચાર્ડ દ્વારા ડીજે મિક્સમાં તમામ લોકો મન મૂકીને નાચ્યા હતા. આ પેહલા કલ્ટ સ્પોર્ટ્સ દ્વારા નમ ફિટનેસ સેશન અને માનસી દ્વારા ઝુંબા સેશન વોર્મ અપમાં તમામે ભાગ લીધો હતો.

મિર્ચી ના આરજે હર્ષ , કૃતાર્થ , પરીમાં અને ઉમંગ દ્વારા આ કાર્યક્રમ નું સફળ સંચાલન કરાયું હતું.

તમામ દોડવીરો માટે મિલ્કોગ્રફી દ્વારા ફ્રી માં લો ફેટ દુધ નું વિતરણ કરાયું હતું જ્યારે પરફેક્ટ ડાયોગને સ્ટિક દ્વારા ફ્રી બ્લડ ચેક અપ ની સેવા અપાઈ હતી.

આ નિઓન રન ના અંતે મિર્ચી હેડ બીથિન્દ્ર બિશ્વાસ એ જણાવ્યું હતું કે શહેરીજનો ના દર વર્ષના ઉત્સાહને જોઈ ને મિર્ચી દ્વારા આ નિઓન રન નું આયોજન કરવાનો અમને સંતોષ થાય છે. તેમણે તમામ દોડવીરો અને શહેરીજનો નો આભાર માન્યો હતો.

February 20, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5410

સાંસદ સી.આર. પાટીલે આપેલું અલ્ટીમેટમ પરીણામદાયી રહ્યું

નવસારીના સાંસદ સી.આર. પાટીલ તેમજ ધારાસભ્યો સર્વશ્રી હર્ષ સંઘવી, ઝંખનાબેન પટેલ, સંગીતાબેન પાટીલની સક્રિયતાને પગલે ભાટીયા ટોલ પ્લાઝાના નોકરીયાત સંચાલકોએ પોતાનું મમત્વ છોડવું પડ્યું હતું. સાંસદ સી.આર. પાટીલે તો ભાટીયા ટોલ પ્લાઝા પર સ્થાનિકો માટે બન્ને બાજુએ બબ્બે લેન શરૂ કરવા અંગે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું.

જ્યારથી ફાસ્ટેગનો અમલ શરૂ થયો છે ત્યારથી સૂરતને જોડતા ટોલ પ્લાઝા પર ટોલ પ્લાઝાના નોકરીયાત અધિકારીઓએ મનસ્વી રીતે સ્થાનિક વાહનચાલકોને હેરાન પરેશાન કરીને પૂરો ટોલ વસૂલ કરવાની પેંતરાબાજી શરૂ કરી હતી. સૂરત શહેર ઉપરાંત આસપાસના ગામડાઓના લોકો પણ રોજેરોજ ભાટીયા ટોલ પ્લાઝા ખાતેથી અવરજવર કરતા હોઇ, ફાસ્ટેગની આડમાં ભાટીયા ટોલ પ્લાઝાના સંચાલકોએ સ્થાનિક વાહનચાલકો માટે એક જ લેન રાખીને મોટી મોટી કતારો લાગે એવી ગોઠવણ કરી હતી. જેથી સ્થાનિકો કતારમાં ફસાવાની જગ્યાએ પૂરો ટોલ ભરીને ઝડપથી પાસ થઇ જવાનું મુનાસિબ સમજે એવી પેરવી કરી હતી.

જોકે, નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપાના કદાવર નેતા સી.આર. પાટીલ તેમજ ધારાસભ્ય હર્ષ સંઘવી, સંગીતાબેન પાટીલ તેમજ અન્ય નેતાઓએ આ મુદ્દે કલેક્ટર, નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થાનિક વાહન ચાલકોને મળવાપાત્ર અધિકાર સત્વરે અપાવવાની માગ કરી હતી. તા.19મી ફેબ્રુઆરી 2020ના રોજ સી.આર. પાટીલે તંત્રવાહકોને અલ્ટીમેટમ આપ્યું હતું અને કહ્યું હતું કે રજૂઆતો, સમજાવટનો દૌર હવે બહુ થયો, આ મુદ્દે 24 કલાકમાં નિવેડો નહીં આવે તો મોટી લડત શરૂ કરવાના સંકેત આપ્યા હતા.

સી.આર. પાટીલે ભાટીયા ટોલ પર સૂરતના સ્થાનિકોને ફેસેલિટી મળે એ માટે દિલ્હી સુધી આક્રમક રજૂઆતો કરી હતી. અને તેનું પરીણામ આવ્યું છે. ભાટીય ટોલ પ્લાઝા ખાતે હવેથી સ્થાનિક વાહન ચાલકો ઝડપથી પસાર થઇ શકે તે માટે બન્ને તરફ બબ્બે લેન શરૂ કરવાની સૂચના આપી દેવામાં આવી છે અને તેનો અમલ ઝડપથી શરૂ કરી દેવાની ગતિવિધિ શરૂ કરી દેવામાં આવી છે.

February 20, 2020
chay_makers2-1280x720.jpg
1min21500

વાપીમાં ચા ની દુકાને અનાયાસે મળેલા 2 એન્જિનયરોની 3 Idiots ફિલ્મ જેવી કહાણી

ગમતું કામ કરવું જોઇએ એવી શીખ આપતા થ્રી ઇડિયટ પીક્ચરની સ્ટોરીને પણ ટક્કર મારે એવી જીવતી વારતાં સૂરતમાં ઘટી છે. બે ડિગ્રી ધારી એન્જિનિયરોએ પોતાને ઓછી ગમતી નોકરી છોડીને જેને પીવાનો બહું શોખ છે એ ચા નો સ્ટોલ કહો કે દુકાન કહો કે સ્ટુડીયો શરૂ કર્યો અને તેમને જરાય સંકોચ કે ખચકાંટ નથી. તેમને ચા પીવાની ગમે છે એટલે કામ શરૂ કર્યું. પોતે જ ચા બનાવે છે અને પોતે જ સર્વ કરે છે ચા. વાંચો એન્જિનિયરોની ચા ની કહાણી.

સુરતના બે મિત્રોએ..એક ભાઈનું નામ છે પ્રદીપ જે મિકેનિકલ એંજિનિયર થયેલા છે..કુવૈત, દુબઇની ઘણી મલ્ટીનેશનલ કંપનીઓમાં નોકરી કરીને દોઢ લાખ રૂપિયા મહિને કમાતા હતા..અને બીજા છે ગણેશભાઈ જેમને હમણાં જ સિવિલ એંજિનિયરનો અભ્યાસ પૂર્ણ કર્યો છે..પણ નોકરી કરવા કરતા તેઓ પોતાની મહેનતથી રૂપિયા કમાવવા માંગતા હતા..અને એટલે બધી નાનપ બાજુ પર મૂકીને વરાછા મિનીબજારમાં તેમને શરૂ કરી આ ચા ની દુકાન અને નામ રાખ્યું ચાય મેકર્સ-બાય એંજિનિયર્સ..આ બંને એન્જીનિયર જાતે જ ચા બનાવે છે..જાતે જ ચા નો કપ ભરી આપે છે..હીરાની દુકાનોમાં ચાની ડિલિવરી આપવા પણ જાતે જ જાય છે..
(સૂરતના મહિલા પત્રકાર પારુલ મહાડીકની ફેસબુક વોલ પરથી સાભાર)

ઉપરના ફોટામાં યેલો ટીશર્ટમાં છે એ યુવાનનું નામ પ્રદીપ જાદવ છે જે મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી ધરાવે છે અને મિડલ ઇસ્ટમાં શારજાહ તેમજ દુબઇ નોકરી કરી ચૂક્યા છે. આ યુવાનની સાથે તેના પાર્ટનર કમ ફ્રેન્ડ ગણેશ પંડીત દૂધનાલય છે જે મહારાષ્ટ્રના લાતૂરના છે. આ બન્ને યુવાનો એન્જિનિયર છે, અભ્યાસ પછી સારી નોકરી મળી નહીં. એક દિવસ વાપી સ્ટેશન રોડ પર ગુજરાત ચા નામની ચાની કિટલીએ અનાયાસે બન્નેનો ભેટો થઇ ગયો. બન્નેએ એન્જિનિયરિંગની નોકરી ગમતી ન હોવાની વાતો શેર કરી. બન્ને ચા પીવાના ભારે રસીયા અને વાપીની ચાની દુકાને જ નક્કી કરી લીધું કે ચા બનાવીને વેચવાનો ધંધો શરૂ કરીએ.

આ વાતને માંડ એકાદ વર્ષ થયું હશે. અને આ પ્રદીપ જાદવ અને ગણેશ પંડીત દૂધનાલયએ સૂરતના મિનીબજાર ખાતે ગઇ તા.20મી જાન્યુઆરી 2020ના રોજ ચાય મેકર્સ નામની ચા ની દુકાન શરૂ કરી. એક મહિનામાં આ બન્ને મિત્રોએ શરૂ કરેલી ચાની દુકાન ચાલવા માંડી છે. પ્રદીપ જાદવે સી.આઇ.એ લાઇવને જણાવ્યું કે એક મહિનામાં સારો રિસ્પોન્સ છે અને અમે એન્જિનિયરિંગની નોકરી છોડીને આ ધંધો ચાલુ કર્યો છે અમે ખુશ છીએ. એવું લાગે છે અમારે માણસો રાખવા પડશે કેમકે અમે બે પહોંચી વળતા નથી એટલા ઓર્ડર મળી રહ્યા છે.

એન્જિનિયરોના હાથે બનાવેલી ચા પીવી હોય તો સૂરતના વરાછાના મિની બજારમાં આ દુકાનો જવું પડશે

ચા ની દુકાન શરૂ કરવા માટે સૂરતના વરાછા વિસ્તારમાં મિની બજાર જ કેમ પસંદ કર્યું એવા પ્રશ્નના ઉત્તરમાં પ્રદીપ જાદવે કહ્યું કે થોડો માર્કેટ સરવે કર્યો અને જાણવા મળ્યું કે વરાછા વિસ્તારમાં લોકો ચા પીવાના શોખીન છે તેમજ મિની બજાર સંપૂર્ણ કમર્શિયલ વિસ્તાર છે અને અહીં મોટા ભાગે મશીનની ચા મળી રહી છે. એટલે અમે આ લોકેશન પર દુકાન ભાડે રાખીને ચા નો બિઝનેસ શરૂ કર્યો.

એંજિનિયર્સની ચા જેવી તેવી તો હોય જ નહીં ને પાછી..દાર્જિલિંગથી ફિલ્ટર થઈને આવેલી અને સલ્ફર ફ્રી ખાંડથી બનેલી એક નહીં પણ 9 પ્રકારની ચા અહીં મળે છે. ચાની કિંમત પણ કંઈ વધારે ન સમજતા..વેરાયટી પ્રમાણે 15 રૂપિયાની અંદર એક ચા નો કપ મળી જશે પણ ટેસ્ટ એકદમ હટકે મળશે એની ગેરંટી.
(સૂરતના મહિલા પત્રકાર પારુલ મહાડિકના ફેસબુક વોલ પરથી સાભાર)

10 રૂ.માં સાદી ચા અને 15 રૂ.માં આખો કપ ફ્લેવર્ડ ચા

પ્રદીપ જાદવે સી.આઇ.એ લાઇવને જણાવ્યું કે આપણા ઘરે બને છે તેવી સાદી ચા એક ફુલ કપના રૂ.10 છે જ્યારે ફ્લેવર્ડ ચા ના રૂ.15 આખો કપના રાખ્યા છે. તેમની દુકાનો હોટ ચોકલેટ, ગ્રીન ટી, ગ્રીન હની ટી, રોઝ ટી, લેમન ગ્રીન ટી, લેમન ટી, કોફી વગેરે વેરાઇટી ઉપલબ્ધ છે.

February 19, 2020
CIA-1280x937.jpg
1min5130

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સૂરત તેમજ કસ્ટમ વિભાગ દ્વારા આજે સંયુક્ત પણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ધંધાર્થીઓ માટે અત્યંત જરૂરી ઇ-સ્ટોરેજ અને ઇનડાયરેક્ટ ટેક્સ ડોક્યુમેન્ટસના કમ્પ્યુટરાઇઝ્ડ હેન્ડલિંગ અંગે ટ્રેનિંગ તેમજ અવેરનેસનો મહત્વનો વર્કશોપ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો. સેમિનારમાં ઉપસ્થિત રહેલા હીરા ઉદ્યોગના ધંધાર્થીઓ માટે આ વર્કશોપ અત્યંત ઉપયોગી એટલા માટે બની રહ્યો કેમકે દરેક એક્સપોર્ટસ હાઉસીસ તેમજ તેને આનુષંગિક કામગીરી સાથે સંકળાયેલા વ્યાવસાયિકો માટે કસ્ટમ ડિપાર્ટમેન્ટસની અદ્યતન માહિતી હોવી અને તેનું અમલીકરણ જરૂરી હતું. આ વર્કશોપને કારણે ડોક્યુમેન્ટેશન તેમજ અન્ય પ્રોસીજરનું સરળીકરણ થઇ શકશે.

શું છે ઇ-સંચિત

ઇ-સંચિત અંગે આજના વર્કશોપમાં માહિતી આપવામાં આવી હતી. આ ઇ-સંચિત એ એવું ડિજિટલ પ્લેટફોર્મ છે જે કેન્દ્ર સરકાર દ્વારા એક્સપોર્ટ-ઇમ્પોર્ટ કરતા વ્યવસાયિકો માટે લોંચ કરવામાં આવ્યું છે. કાગજકીય કાર્યવાહી ઓનલાઇન ડિજિટલી થઇ શકે અને વ્યક્તિગત કે ફિઝિકલ ઇન્ટરફિયરન્સ ઓછું થાય તે માટે ઇ-સંચિત પ્લેટફોર્મ ઉભું કરવામાં આવ્યું છે. કસ્ટમ તેમજ ક્લીયરીંગ એજન્ટો પ્રત્યક્ષ રીતે મળે અને એક યા બીજા પ્રશ્નો ઉપસ્થિત થાય તેના કરતા બહેતર રીતે ઇ-સંચિત કામ કરે છે અને તેના કારણે એપ્લિકેશન ક્લીયરિંગ પ્રોસેસનો સમય પણ ઘટી જાય છે. આ પ્લેટફોર્મ પર આયાત-નિકાસને લગતા ડોક્યુમેન્ટ્સ ડિજિટલી સહી સિક્કાની મદદથી અપલોડ કરી શકાય છે.

સૂરત હિરા બૂર્સના ડેપ્યુટી કમિશનર કસ્ટમ્સ ડો. પ્રસાદ વરવાન્ટકરે જણાવ્યું કે હીરા ઉદ્યોગમાં આયાત નિકાસનું કામ કરતા દરેક લોકો માટે ઇ-સંચિત પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સૂરત હીરા બૂર્સથી હીરા આયાત નિકાસનું કામ કરનારા દરેક લોકો માટે આ રજિસ્ટ્રેશન જરૂરી છે અને એ આયાત નિકાસકર્તાઓ માટે લાભદાયી પણ છે.

ઇ-સંચિત અંગેના આજના સેમિનારમાં અંદાજે 45 જેટલા આયાત નિકાસ હાઉસીસના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહીને જરૂરી જાણકારી મેળવી હતી.

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે ડાયમંડ ઉધોગકારોના હિતમાં છે ઇ સંચિત પ્લેટફોર્મ. અવરોધ મુક્ત કાગજકીય કાર્યવાહી અને ઝડપી પ્રોસેસિંગ ઇ-સંચિતથી શક્ય બન્યું છે. સ્થાનિક હીરા ઉદ્યોગકારોએ ઇ-સંચિત પ્લેટફોર્મનો વધુને વધુ ઉપયોગ કરવા દિનેશ નાવડીયાએ હિમાયત કરી છે. તેમણે જણાવ્યું હતું કે જીજેઇપીસી દ્વારા જરૂરી તમામ મદદ પૂરી પાડવામાં આવશે.