સુરતીઓની દુનિયા Archives - Page 42 of 79 - CIA Live

April 16, 2020
zones_map-surat.jpg
1min6030

સુરતમાં છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસોમાં ઉછાળો આવતા હોટસ્પોટ વિસ્તારોમાં કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, સુરતના 5 વિસ્તારો જેમાં સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ, અઠવા અને લિંબાયતમાં આજે મઘરાતની કરફ્યુ લાગુ કરવામાં આવશે. જેનો 22 એપ્રિલ 2020 સુધી અમલ કરવાનો રહેશે.

કરફ્યુ દરમિયાન બપોરે 1થી 4 દરમિયાન માત્ર મહિલાઓ જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે બહાર નીકળી શકશે. વિડીયો કોન્ફરન્સ બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આજે મધરાતેથી 22 એપ્રિલ 2020 સુધી સુરત શહેરમાં 4 પોલીસ સ્ટેશન અને એક પોલીસ ચોકી વિસ્તારમાં કરફયુનો અમલ કરવાનો રહેશે. જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફયુનો અમલ થવાનો છે તેમાં સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ, અઠવા અને લિંબાયતના કમરૂનગર પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. સૌથી વધુ કેસ સામે આવ્યા છે તેવા 5 વિસ્તારમાં 22 એપ્રિલ સુધી કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે.

એ પૂર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સુરત શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણની સ્થિતી અંગે મુખ્ય સચિવ અનિલ મુકિમ, રાજ્યના પોલીસ વડા  શિવાનંદ ઝા, ACS સંગીતા સિંહ, સુરતના પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટર સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સમીક્ષા કરી હતી. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા લોકડાઉનને વધુ સખ્ત બનાવવા અંગે પણ આ વિડીયો કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી.

March 30, 2020
sanitizer.jpg
1min5370

કુરાર પોલીસે શનિવારે સવારે મલાડમાં કાર રોકી નીલકુમાર રાજેશભાઈ શાહને પકડી પાડ્યો હતો. તેની કારમાં સેનિટાઈઝરનાં કેન મળી આવ્યા હતા, જેની પર કોઈ પણ અધિકૃત કંપનીનું લેબલ નહોતું, ઉત્પાદનની તારીખ, ગ્રુપ નંબર, એક્સપાયરી ડેટ નહોતી. ઉત્પાદન કરતી સંસ્થાનો લાઈસન્સ નંબર વગેરે વિગતો પણ નહોતી. પોલીસે પૂછપરછ કરતાં નીલે બરોબર જવાબ આપ્યા નહોતા. આથી ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા.

ડ્રગ્સ ઈન્સ્પેક્ટર ખિવસરાએ પૂછપરછ કરતાં નીલે કેનમાં સેનિટાઈઝર છે, જે સુરતમાં પોતાની કંપનીમાં ઉત્પાદન કરીને મુંબઈમાં લોઅર પરેલમાં વેચવા માટે આવ્યો હતો એવું જણાવ્યું હતું. જોકે તે સેનિટાઈઝર ઉત્પાદનની પરવાનગી આપતું લાઈસન્સ રજૂ કરી શક્યો નહોતો. કારમાંથી ખાખી રંગનાં ૪૦ બોક્સ મળી આવ્યાં હતાં. એક બોક્સમાં અંદાજે ૫ લિટર સેનિટાઈઝરના ૧૬૦ કેન હતા. એક કેનની કિંમત રૂ. ૫૦૦ મળી કુલ રૂ. ૮૦,૦૦૦નો માલ હતો. આમાંથી ચાર કેન તાબામાં લઈ દ્રવ્યની તપાસ અને વિશ્લેષણ કરવા માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. નીલની ધરપકડ કર્યા પછી જામીન પર છોડી મુકાયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

March 26, 2020
corona-1.jpg
1min13610

जिंदगी की पहली रेस होगी जिसमें रुकने वाले की जीत पक्की है : ગુજરાતમાં કોરોના કેસ 43 થયા

સૂરત શહેરના લાખો લોકો માટે આજે તા.26મી માર્ચ 2020નો દિવસ રાહતના સમાચાર લઇને આવ્યો છે. સૂરત શહેરમાં કોરોના વાઇરસ જેવા શંકાસ્પદ લક્ષણો ધરાવતા 8 દર્દીઓના સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ અર્થે પેન્ડીંગ સ્ટેટસ ધરાવતા હતા. એ તમામનો આજે રિપોર્ટ નેગેટીવ જાહેર થયો છે.

આજે સવારે 10.30 કલાકે જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ સૂરત શહેરમાં હવે કોરોના શંકાસ્પદ એક પણ દર્દીના સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ નથી. સૂરત શહેરમાં હવે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 6 જ છે. 8 દર્દીઓના સેમ્પલ્સ ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમનો રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રવાહકો સમેત શહેરીજનો માટે ખાસ્સી રાહતના સમાચાર છે.

ગુજરાતમાં 43 કેસ

સવારે 11 કલાકે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આપેલી માહિતી મુજબ ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 43 થઇ છે. જેમાં અમદાવાદના 15, ગાંધીનગર અને સૂરતના 7-7, વડોદરામાં 8, રાજકોટમાં 4 તથા કચ્છ અને ભાવનગરમાં 1-1 કેસ હોવાની પુષ્ટી કરવામાં આવી છે.

ગુજરાતમાં કોરના કેસ તા.26મી માર્ચ 2020 સવારે 11 કલાકે

  • અમદાવાદ 15
  • વડોદરા 8
  • સૂરત 7
  • ગાંધીનગર 7
  • રાજકોટ 4
  • કચ્છ 1
  • ભાવનગર 1

હવે સોશ્યલ ડિસ્ટન્સિંગ મહત્વનું

સૂરત શહેરમાં તા.26મી માર્ચે સવારે 11 કલાકના સ્ટેટસ અનુસાર હાલ કોઇ શંકાસ્પદ દર્દી કોરોના સ્પેશ્યલ વોર્ડમાં નવો દાખલ થયો નથી. આઠ દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. આવી સ્થિતિમાં હવે સૂરતના લોકો જેટલું સોશ્યલ ડિસ્ટન્સિંગ કરશે એટલો ફાયદો સૂરતને મળશે. સૂરત શહેર પોલીસ તંત્ર, વહીવટીતંત્ર, સૂરત મહાનગરપાલિકા સમેત તમામ વહીવટી તંત્રો લૉકડાઉનને જડબેસલાક બનાવવા માટે કટિબદ્ધ છે. સૂરતના લોકો પણ લૉકડાઉનનો ચુસ્તપણે અમલ કરે એ હવે જરૂરી અને નિર્ણાયક થઇ પડ્યું છે.

March 26, 2020
aqi-1280x737.png
1min13110

જો ભાઇ લૉકડાઉનથી તકલીફ તો રે’વાની, પણ સૌથી મોટો ફાયદો સૂરતીઓને મળી રહ્યો છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સૂરત શહેર અને જિલ્લાને લૉકડાઉનથી સૌથી મોટો ફાયદો એ મળી રહ્યો છે કે ગઇ તા.22મીથી લગભગ મોટા ભાગે વ્હીકલ મૂવમેન્ટ બંધ થઇ ગઇ છે. 72 કલાક દરમિયાન વાહનોની અવરજવર સૂરતના માર્ગો પર 90 ટકા જેટલી ઘટી છે અને તેનો સીધો ફાયદો સૂરતના વાતાવરણને થયો છે. એક સમયે દિવાળીના દિવસોમાં સૂરતનો એર ક્વોલિટી ઇન્ડેક્ષ એર ક્વોલિટી ઇન્ડેક્ષ (AQI) 400ને પાર પહોંચી ગયો હતો ત્યાં આજે તા.26મી માર્ચ 2020ની સવારે 10.10 કલાકે સૂરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર અપડેટ કરાયેલી સૂરતના એર ક્વોલિટી ઇન્ડેક્ષ (AQI)ની માહિતી મુજબ સૂરતના વરાછા વિસ્તારમાં મૂકાયેલા પ્રદૂષણ માપક યંત્રમાં 96 એર ક્વોલિટી ઇન્ડેક્ષ (AQI) દર્શાવી રહ્યો છે. જે સૂરતનું વાતાવરણ સંતોષકારક હોવાનું જણાવે છે.

તા.26મી માર્ચ 2020ને સવારે 10.10 કલાકે સૂરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર અપડેટ કરાયેલી એર ક્વોલિટી ઇન્ડેક્ષ (AQI) ની માહિતીનો સ્ક્રીન શૉટ

છેલ્લા 24 કલાકના એર ક્વોલિટી ઇન્ડેક્ષ (AQI) નો ગ્રાફ

સૂરત મહાનગરપાલિકાએ વરાછા અને લિંબાયત વિસ્તારમાં હવા માપક યંત્રો મૂક્યા છે. જે સતત ચોવીસે કલાક સૂરતની એર ક્વોલિટીને મેઝર કરે છે.

લૉકડાઉનથી લોકોને મુશ્કેલીઓ પડી રહી છે પણ સિક્કાની બીજી બાજુ સકારાત્મક ફેરફારો પણ આપણા સ્વાસ્થયને ફાયદો થાય એવા છે

લોકડાઉનથી કેટલાક લોકોને મુશ્કેલીઓનો સામનો જરૂરથી કરવો પડી રહ્યો છે, પરંતુ કહેવાઈ છે ને કે દરેક સિક્કાની બે બાજુ હોય છે. લોકડાઉનની પણ બીજી બાજુ છે, જે સકારાત્મક છે. ફેક્ટરીઓ, વાહનોની અવર-જવર તેમજ કંસ્ટ્રક્શન કામ વગેરે બંધ થવાના કારણે હવાનું પ્રદૂષણ ઘટ્યું છે. આખો દેશ લોકડાઉન છે તેથી હવાની ગુણવત્તામાં સુધારો થઈ રહ્યો છે.

દેશના અન્ય મહાનગરોના એર ક્વોલિટી ઇન્ડેક્ષ (AQI)ની સ્થિતિ

મુંબઈનું AQI લેવલ 53, ચેન્નઈનું 59 અને કોલકાતાનું 50 છે. દેશના અન્ય શહેરોમાં પટનાનું AQI લેવલ 130, રાંચીનું 68, ભોપાલનું 226, જયપુરનું 101, લખનઉનું 116 જ્યારે દહેરાદુનનું AQI લેવલ 126 છે.

March 24, 2020
sumul_dairy.jpg
1min4870

સુમુલ ડેરીના ચેરમેન શ્રી રાજુભાઇ પાઠકે સુરત શહેર તેમજ સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં પણ સુમુલ ડેરીનું દૂધ તેમજ દુધની પ્રોડક્ટસ અગાઉ જે રીતે મળતી રહી છે એ રીતે સતત લૉકડાઉન દરમિયાન પણ મળતી રહેશે. લોકો કોઇપણ પ્રકારની દોડધામ કે સ્ટોરેજ કરે નહીં.

તેમણે કહ્યું કે સુમુલ ડેરી પાસે તમામ સામગ્રી તેમજ દુધનો આવરો અવિરત પણે જારી છે અને રહેશે. અફવાઓથી ભરમાશો નહીં કે ખોટી દોડધામ કરશો નહી. કોઇ નકારાત્મક વાત નહીં માનવા રાજુ પાઠકે સૂરત શહેર તેમજ જિલ્લાના તમામ નાગરીકો તેમજ સુમુલ ડેરીના યુઝર્સને જાહેર અપીલ કરી છે.

સુમુલ ડેરીના ચેરમેન શ્રી રાજુ પાઠકે વિડીયો મેસેજથી યુઝર્સને ફિકર નહીં કરવા જણાવ્યું

March 23, 2020
cp2.jpg
1min9160

સૂરતને લૉકડાઉન કરવામાં આવ્યું હોવા છતાં સામાન્ય સૂરતીઓ આજે ડેઇલી રૂટિનની જેમ સવારથી જ ઘરની બહાર નીકળી પડ્યા હતા. કોરોના વાઇરસ સ્પ્રેડનું મોટું રિસ્ક હોવા છતાં પણ સૂરતના લોકો બિલકુલ બેફિકર થઇને રસ્તાઓ પર ફરી રહ્યા હોઇ, ખુદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બચ્છાનિધિ પાની તેમજ પોલીસ કમિશનર શ્રી બ્રહ્મભટ્ટ આજે તા.23મી માર્ચે સવારે શહેરના માર્ગો પર આવ્યા હતા અને લોકોને ઘરે રહેવા સમજાવ્યા હતા.

શહેરના અનેક વિસ્તારોમાં આજે જાણે સામાન્ય રૂટિન લાઇફ હોય એમ લોકો ટોળે વળ્યા હતા, પોલીસે રોકતા પોલીસ સાથે જીભાજોડીના પણ બનાવો બન્યા હતા. કેટલાક સ્થળોએ પોલીસે બળ પ્રયોગ કરવો પડ્યો હતો. મોટા ભાગના વિસ્તારોને પોલીસે કોર્ડન કરી લીધા હતા.

શહેરીજનોએ વાતનો સમજવી જોઇએ કે લૉકડાઉન દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ સંકળાયેલા લોકો માટે જ અવરજવર ખુલ્લી રાખવામાં આવી છે. સામાન્ય લોકોએ શક્ય હોય ત્યાં સુધી ઘરે બેસીને પોતાના કામો કરવા જોઇએ.

SMC commissioner

March 22, 2020
cable.jpg
6min35340

આપણા સૂરતની આવી તસ્વીરો તમે ક્યારેય નહીં જોઇ હોય

જનતા કર્ફયુને સૂરત સિટઝન્સનો સજ્જડ રિસ્પોન્સ

મગદલ્લા ટી જંકશન

વરાછા મેઇન રોડ સવારે 9 કલાકે

તસ્વીર સૌજન્ય ગૌતમ ધાંધલિયા, પત્રકાર સૂરત

ભાગળ ચાર રસ્તા સવારે 8.50 કલાકે

તસ્વીર સૌજન્ય વ્હોટ્સ એપ સાઇ કોર્પોરેશન ગ્રુપ, સૂરત

ટેક્સટાઇલ માર્કેટ રિંગરોડ

સરદાર બ્રીજ સર્કલ, અડાજણ

કતારગામ અનાથાશ્રમ પાસે સવારે 9.30 કલાકે

તસ્વીર સૌજન્ય ફેસબુક

સચીન જીઆઇડીસી મેઇન રોડ સવારે 10 કલાકે

તસ્વીર સૌજન્ય, મહેન્દ્ર રામોલિયા, સચીન જીઆઇડીસી

કેબલ સ્ટેઇડ બ્રિજ સવારે 10.15 કલાકે

તસ્વીર સૌજન્ય ફેસબુક વોલ મનોજ જોશી, પત્રકાર, ગુજરાત ગાર્ડિયન સૂરત

સૂરત રેલ્વે પ્લેટફોર્મ

સૂરત રેલ્વે સ્ટેશન પ્રવેશદ્વાર

સૂરત રેલવે સ્ટેશન ટ્રાફિક સર્કલ

સૂરત મધ્યસ્થ બસ સ્ટેશન

ઉધના સૂરત

જીલાણી બ્રિજ, અડાજણ પાટીયા

રુષભ ચાર રસ્તા, અડાજણ પાટીયા

એલ.પી. સવાણી સ્કુલ પાછળ, પાલ-અડાજણ

આઇ માતા ચોક, સૂરત

ટેક્સટાઇલ માર્કેટ, રિંગરોડ

રાહૂલ રાજ મોલ, સૂરત ડુમસ રોડ

અડાજણ, ફ્લાયઓવર એન્ડ આનંદ મહલ રોડ

અડાજણ ફ્લાય ઓવર એપ્રોચ

March 22, 2020
melvyn_thomas.jpg
1min6770

વિશ્વ વિખ્યાત સિંગર ભાવિન શાસ્ત્રીએ લખ્યું ભૂલી જાવ મારી બર્થ ડે, 2021માં ઉજવીશ

સમગ્ર ભારત આજે કોરોના સામેની લડાઇમાં જનતા કર્ફયુ સ્વયંભુ રીતે અમલ કરી રહ્યું છે. ભારતના નાગરીકોએ આજે જનતા કર્ફયુને જે રીતે સજ્જડ રિસ્પોન્સ આપ્યો છે એ જોતા દરેકે દરેક નાગરીકો દેશ માટે પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ જણાય આવે છે.

સી.આઇ.એ. લાઇવની ટીમે આજે જેમની વર્ષગાંઠ છે એવા કેટલાક લોકોના સંપર્ક કર્યા. વર્ષગાંઠ જીવનમાં દરેક વ્યક્તિ માટે સ્પેશ્યલ ડે ગણાય છે. ત્યારે સૂરતના ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકાર મેલ્વીન થોમસ અને સૂરતના જ વિશ્વ વિખ્યાત સિંગર ભાવિન શાસ્ત્રીનો આજે બર્થ ડે છે. તેમણે બર્થ ડે અને જનતા કર્ફયુ અંગે શું રિસ્પોન્સ આપ્યો એ જાણીને પ્રતીતી થાય છેકે ભારતના સિટીઝન્સની પ્રાયોરિટીમાં દેશ પ્રથમ આવે છે બાકી બધું પછી.

દેશના હિતમાં આવી 10 બર્થ ડે કુરબાન : મેલ્વીન થોમસ Times of India, Surat

ભારતના સુપ્રસિદ્ધ અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સૂરતના પત્રકાર મેલ્વીન થોમસનો સંપર્ક કરીને જ્યારે તેમને પૂછ્યું કે આજે જનતા કર્ફયુ છે અને આપની બર્થ ડે છે, ત્યારે મેલ્વીન થોમસે સાહજિકતાથી કહ્યું આજે નો સેલિબ્રેશન, હોમ સ્ટે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સૂરતના પત્રકારે આગળ વધીને એમ પણ કહ્યું કે જો આપણી સૌની સલામતિ અને સેફ્ટીની વાત હોય તો આવી 10 બર્થડે કુરબાન કરી દઉ. આજે જનતા કર્ફયુમાં હું અને મારો પરિવાર અમારી ફરજ બજાવીને કમ્પલિટ હોમ સ્ટે કરીશું. નો બર્થડે સેલિબ્રેશન.

તમને જણાવી દઇએ કે મેલ્વીન થોમસ સૂરતના સિનિયર જર્નલિસ્ટ છે. અંગ્રેજી દૈનિક અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં તેઓ પત્રકાર છે અને તેમને બર્થ ડે વીશ કરવા માટે સેંકડો મિત્રો, શુભેચ્છકો વીશ કરતા હોય છે. પરંતુ, તેમણે કહ્યું કે કોરોના સામેની લડાઇમાં કશું વચ્ચે નહીં આવે, બર્થ ડે પણ નહીં.

ભાવિન શાસ્ત્રીની પણ આજે બર્થ ડે, તેમણે ફેસબુક વોલ પર આ પોસ્ટ મૂકી છે

March 20, 2020
surat_loksabha.png
1min6600

એક તરફ કોરોનાને પગલે સૂરતના માર્ગો ખાસ્સા ખાલીખમ્ તો બીજી તરફ

એક તરફ સરકારી કચેરીઓ સમેત જાહેર સ્થળો પર લોકોની ભીડ ભેગી ન થાય એ માટે તમામ સરકારી તંત્રો પ્રયાસો કરીને કોરોના કેસોનો વ્યાપ વિસ્તાર વધતો અટકાવવાના પ્રયાસો કરી રહ્યા છે જ્યારે બીજી તરફ આજે તા.20મી માર્ચ 2020ના રોજ સૂરતની કેટલીક સબરજિસ્ટ્રારની કચેરીઓમાં મિલકતોના દસ્તાવેજો કરાવવા માટે અરજદારોની ભારે ભીડ જોવા મળી હતી. મોટા ગજારના બિલ્ડરોથી લઇને મિલકત લેનારા લોકો દસ્તાવેજ કરાવવા માટેની લાઇનમાં જોવા મળ્યા હતા.

તપાસ કરાતાં જાણવા મળ્યું કે 2019-20નું હિસાબી વર્ષ તા.31મી માર્ચ 2020ના રોજ પૂર્ણ થઇ રહ્યું હોઇ, બિલ્ડરોથી લઇને મિલકત લેનારાઓના હિસાબી સેટિંગ યોગ્ય રીતે ગોઠવાય એ માટે દસ્તાવેજો કરાવવા જરૂરી થઇ પડે છે. દર વર્ષે આ પ્રમાણે દસ્તાવેજો કરાવવા માટે ભારે કતારો લાગતી જ હોય છે. આ વખતે કોરોનાની કાર્યવાહીની સાથે સૂરતના માર્ગો પર ટ્રાફિક ખાસ્સો ઓછો દેખાય રહ્યો છે ત્યારે સબરજિસ્ટ્રારની કચેરીઓ દસ્તાવેજ કરનારા, કરાવનારાઓથી ભરાયેલી જોવા મળી છે.

કેટલાક અરજદારોએ કહ્યું કોરોનાની કાર્યવાહી થઇ રહી છે સાચી વાત પરંતુ, જો અમે દસ્તાવેજ નહીં કરાવીએ તો મોટું નુકસાન થાય તેમ છે. આથી જોખમ ખેડીને પણ દસ્તાવેજ કરાવવા જરૂરી બન્યા છે. ઘણાંએ જંત્રી તેમજ સ્ટેમ્પ ડ્યૂટીના ભાવ વધે એ પહેલા દસ્તાવેજ કરાવી લેવાનું નક્કી કર્યું હતું. એ મુજબ બિલ્ડર કે વેચનારા સાથે માર્ચ એન્ડમાં દસ્તાવેજ કરવાનું પ્લાન કર્યું હતું. એટલે મોટી ભીડ દેખાઇ રહી છે.

March 17, 2020
CIA_Live_Logo_New2.jpg
2min39350

કોરોના કરતા વધુ વેદના સોશ્યલ મિડીયાના ધુતરાષ્ટ્રોએ આપી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

લંડનથી સૂરત પરત ફર્યા બાદ કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે સ્વયં નવી સિવિલ હોસ્પિટલ, સૂરતમાં દાખલ થયેલી યુવતિનો પ્રાથમિક ટેસ્ટ રિપોર્ટ આખરે નેગેટીવ આવતા સૂરત સમેત સમગ્ર ગુજરાતમાં રાહતની લાગણી પ્રવર્તી ઉઠી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે મોડી રાત્રે મંગળવારે મોડી રાત્રે 10 વાગ્યે એ સ્પષ્ટતા કરી હતી કે સૂરતમાં કોરોનાનો એકપણ કેસ નથી, કેસ હોવા અંગેની અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં.

મંગળવારે રાત્રે 10 વાગ્યે ગુજરાત સરકારની ટ્વીટ

છેલ્લા ચોવીસ કલાકથી સૂરતની આ યુવતિ અને તેના પરિવારજનો પર કોરોનાએ ન આપી હોય તેટલી વેદના સોશ્યલ મિડીયાના ધુતરાષ્ટ્રોએ આપી હતી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી સરકારના ઉચ્ચ અધિકારીઓથી લઇને મિડીયા તેમજ તમામ લોકોની નજર સૂરતની યુવતિના ટેસ્ટ રિપોર્ટ પર હતી. એ દરમિયાન કેટલાક ભેંજાગેપ લોકોએ યુવતિનું નામ શોધી કાઢીને તેના નામજોગ અફવાઓ સોશ્યલમ મિડીયામાં ફેલાવી મૂકી હતી કે ગુજરાતમાં કોરોનાનો પહેલો કન્ફર્મ કેસ સૂરતમાં નોંધાયો. પરંતુ, એ એક અફવા જ બની રહી છે.

મંગળવારે રાત્રે 10 કલાકે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે કરેલી ટ્વીટમાં આપી જાણકારી click the link below

https://twitter.com/GujHFWDept/status/1239955309436768257

જોકે, સદનસીબે આજરોજ તા.17મી માર્ચને મંગળવારે સાંજે 4 વાગ્યે પ્રાઇમરી ફાઇન્ડીંગ્સમાં સૂરતમાં શંકાસ્પદ કોરોના લક્ષણો સાથે દાખલ થયેલી યુવતિનો કોરોના ટેસ્ટ નેગટીવ આવ્યો હોવાની માહિતી મળી છે.

જોકે, કોરોના સેમ્પલનો સત્તાવાર રિપોર્ટ આવ્યો ન હોવા છતાં સોમવારે સાંજથી સોશ્યલ મિડીયામાં સૂરતની આ યુવતિના નામ સાથે તેણે જાણે કોઇ મોટો ગુનો આચર્યો હોય એ રીતે તેની બદનામી કરવા માંડી. યુવતિના માતાપિતા તેમજ પરિવારજનોને પણ એટલા ફોન કોલ્સ કરવામાં આવ્યા કે જેટલા એક વર્ષમાં ના આવ્યા હોય.

આખરે બી.જે. મેડીકલ કોલેજ કે જ્યાં ગુજરાતમાં કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવે છે ત્યાંથી સત્તાવાર રીતે સૂરતની આ યુવતિને કોરોનાનો ચેપ લાગ્યો છે એ મતલબનો નેગેટિવ કોરોના રિપોર્ટ આવતા સર્વત્ર રાહતની લાગણી ફરી વળી છે.

સરકાર સમેત આખા ગુજરાતની નજર હતી

સોમવાર તા.16મી માર્ચે શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે સૂરતની સિવિલ હોસ્પિટલના કોરોના સ્પેશ્યલ વોર્ડમાં એક યુવતિ દાખલ થયાના સમાચાર બાદ સમગ્ર ગુજરાત સરકાર, આરોગ્ય વિભાગ તેમજ મિડીયાનું ધ્યાન આ કેસ પર હતું. દરેક સ્તરેથી સતત યુવતિના રિપોર્ટ અંગે પૂછપરછ કરવામાં આવી રહી હતી. કેમકે ગુજરાતમાં તા.16મી માર્ચ સુધી કોરોનાનો એકેય કન્ફર્મ કેસ ન હતો. પરીણામે તમામ સ્તરે એ વાતની ઇંતેજારી હતી કે સૂરતની યુવતિનો રિપોર્ટ શું આવશે.

Reported on 16 March 2020

સૂરતમાં લંડનથી પરત થયેલી અને શંકાસ્પદ કોરોના લક્ષણ ધરાવતી યુવતિ સિવિલમાં દાખલ

યુવતિના પરિવારજનોની ખેલદિલી, સંપર્કમાં આવેલા લોકોને સેલ્ફ કૉરન્ટાઇન કરવા અપીલ

સૂરતમાં તા.16મી માર્ચે નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી એક યુવતિને દાખલ કરીને તેના સેમ્પલ્સ અમદાવાદની બી.જે. મેડીકલ કોલેજમાં મોકલી આપવામાં આવ્યા છે. આ યુવતિની હિસ્ટ્રી અંગે થયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે યુવતિ થોડા દિવસો પૂર્વે લંડનથી આવી હતી અને રવિવારે રાત્રે તેને તાવ, ખાંસી જેવા શંકાસ્પદ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. યુવતિના પરિવારજનોએ ફેમિલી ડોક્ટરની સલાહ અનુસાર સૂરતની સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડનો સંપર્ક કર્યો હતો. પ્રાથમિક તપાસમાં તેણીને શંકાસ્પદ કોરોનાના દર્દી તરીકે દાખલ કરીને તેની સારવાર શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

યુવતિના પરિવારજનોએ જે જે સંપર્કમાં આવ્યા છે તેમને સેલ્ફ કૉરન્ટાઇન અનુસરવા અપીલ કરી

સૂરત પરત ફરેલી અને શંકાસ્પદ કોરોનાના લક્ષણ ધરાવતી યુવતિના પરિવારજનોએ આ યુવતિના સંપર્કમાં જે લોકો આવ્યા એ તમામ સુધી તંત્ર પહોંચે એ પહેલા જ પોતે યુવતિના સિન્ટમ્સ અંગે જાણ કરીને તમામને સાવચેતીપૂર્વક સેલ્ફ કૉરન્ટાઇન અનુસરવા માટે જણાવી દીધું છે.

સૂરતના તંત્રવાહકોએ પણ યુવતિ સાથે સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવા અંગેની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.