સુરતીઓની દુનિયા Archives - Page 41 of 79 - CIA Live

May 15, 2020
coronavirus.jpg
1min6930

14 એપ્રિલે સૂરતમાં 4 મૃત્યુ, 83 કેસ હતા, 14 મે એ 44 મૃત્યુ 943 કેસ થયા

તા.14મી મે ગુરુવારે સાંજે 6 કલાકે સૂરત મહાનગરપાલિકાની સત્તાવાર માહિતી મુજબ સુરત શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક ૧૦૦૭ પર પહોંચી ગયો છે. મોટા ભાગના મિડીયાએ સૂરતમાં કેસોની સંખ્યા 1000 પ્લસ થઇ ગયા અંગે ભારે હોહા અને ગભરાટ મચાવ્યો. હકીકતમાં સૂરતમાં તા.14મી મે 2020ની સાંજે સત્તાવાર એક્ટીવ કેસોની સંખ્યા ફક્ત 315 છે. આ બાબત રાહત આપનારી છે પણ સનસનાટી મચાવવા માટે કાગારોળ એકહજાર કેસોની જ મચાવવામાં આવી રહી છે.

સૂરત શહેર અને જિલ્લાના મળીને કુલ કેસોની સંખ્યા 1000 પાર થઇ ગઇ છે. સૂરત શહેરની વાત કરીએ તો તા.14મી મે એ સાંજની સ્થિતિ અનુસાર કુલ કેસ 963 છે. જેમાંથી 630 (ડિસ્ટ્રીક્ટ-33) રિકવર થઇ ચૂક્યા છે.

તા.14મી મે સાંજે 6 કલાકની સત્તાવાર માહિતી

  • કુલ કેસ સૂરત સિટી : 963
  • કુલ કેસ ડિસ્ટ્રિક્ટ : 58
  • એક્ટિવ કેસ સિટી 315
  • એક્ટિવ કેસ ડિસ્ટ્રિક્ટ : 24
  • કુલ પોઝિટિવ સમગ્ર જિલ્લામાં : 1021
  • તા.14મી મે એ મોત : 2,
  • કુલ મોત : 45 (1 ડિસ્ટ્રિક્ટ)
  • 14 મે ડિસ્ચાર્જ : 64
  • કુલ ડિસ્ચાર્જ : 630 (33 ડિસ્ટ્રિક્ટ)

14 એપ્રિલે સૂરતમાં 83 કેસ અને 4 મૃત્યુ હતા, એક મહિના પછી 14મી મે એ 44 મૃત્યુ અને 943 કેસ થયા

સૂરત મ્યુનિસિપલ કોર્પોરેશનનની વેબસાઇટ પર દૈનિક કેસ તેમજ મૃત્યુઆંક અંગે મૂકવામાં આવેલો ચાર્ટ.

સૂરતના કુલ કેસ પૈકી 38 ટકા કેસ એકલા લિંબાયત ઝોનમાંથી મળ્યા

May 10, 2020
madressa.jpg
1min5010

સૂરત શહેરની મદ્રેસા ઈસ્લામીયા વકફમાં અભ્યાસ કરતા અને મૂળ બિહારના વતની એવા ૬૭૦ જેટલા વિદ્યાર્થીઓની વ્હારે જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ આવ્યા હતા. મદ્રેસામાં વેકેશન હોવાથી વતન બિહાર જવા માંગતા ૬૭૦ વિદ્યાર્થીઓ લોકડાઉનના કારણે સુરતમાં ફસાઈ ગયા હતા, જેમને  તત્કાલ સ્પેશ્યલ ટ્રેન દ્વારા બિહાર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

તારીખ 8મીના મધ્યરાત્રિએ દોઢ વાગ્યાની ટ્રેનમાં કુલ ૬૭૦  વિદ્યાર્થીઓ તથા અન્ય શ્રમિકો મળી કુલ ૧૧૯૫ ને લઈને સ્પેશ્યલ ટ્રેન તેમના માદરે વતન બિહાર જવા રવાના થઈ હતી. ૨૪ કલાકનું ૨૦૭૩ કિલોમીટરનું અંતર કાપી નોનસ્ટોપ ટ્રેન બિહારના પટના પહોંચશે. મદ્રેસાના તમામ વિદ્યાર્થીઓની આંખોમાં વતન જવાની ખુશી છલકાતી હતી. 

May 8, 2020
apmc_Surat.jpg
1min5070

અમદાવાદ પછી સૂરતમાં પણ કોરોના સુપર સ્પ્રેડર જેને માનવામાં આવી રહ્યા છે એ શાકભાજી વિક્રેતાઓને ભીંસમાં લેવા ઉપરાંત સૂરત મહાનગરપાલિકા તંત્રએ દૈનિક 1200 ટન શાકભાજીનું ટર્નઓવર ધરાવતી ગુજરાતની મોટામાં મોટી એ.પી.એમ.સી. માર્કેટને તા.8મીએ મધરાતથી એક સપ્તાહ માટે બંધ કરાવી દેવાની સૂચના આપી છે.

સૂરતમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે તા. ૯ મે થી તા.૧૪મી મે સુધી એપીએમસી તેમજ લોકલ માર્કેટમાં શાકભાજી વેચાણ કરનારા લોકો પર ફરજિયાત બંધનો આદેશ કર્યો છે. જેથી એપીએમસી સંચાલકોના જણાવ્યા પ્રમાણે માર્કેટ બંધ કરે તો રૂ.૫ કરોડનું દૈનિક નુકસાન ખેડૂતોને થવાનો અંદાજ છે.

સામાન્ય દિવસોમાં ૫૦ હજારથી વધુ લોકો એપીએમસી માર્કેટમાં શાકભાજીના ખરીદ-વેચાણ કરવા માટે આવે છે. તેની સામે ૨૫૦૦ ટન શાકભાજીનું દૈનિક વેચાણ થાય છે. જોકે, તેની સામે હાલના સમયે કોરોનાના કારણે કરવામાં આવેલા લોકડાઉનથી માંડ ૧૫૦૦૦ વેપારી-ખેડૂતોની અવર-જવરની સાથો-સાથ ૧૨૦૦ ટન જેટલા શાકભાજીનું વેચાણ થઈ રહ્યું છે. આવા સંજોગોમાં જો એપીએમસીને બંધ કરી દેવામાં આવે તો શહેરમાં શાકભાજી વેચાણનો સ્ત્રોત અટવાઈ શકે તેમ છે.

આ અંગે એપીએમસીના ચેરમેને જણાવ્યું હતું કે, માર્કેટ બંધ કરવામાં આવે તો દૈનિક રૂ.૫ કરોડથી વધુનું ખેડૂતોને નુકસાન થાય તેમ છે. એવામાં સૌથી મોટું નુકસાન રાજ્યની બહારથી આવતા વટાણા, તુવેર, ગલકા, પરવળ સહિતના શાકભાજીનો જથ્થો અટકી પડશે તેનાથી થશે.

May 8, 2020
Odisha-Surat-trains.jpg
1min5190

સૂરતથી તાજેતરમાં ઓડિશા ગયેલા ૨૧ શ્રમિકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું ટેસ્ટીંગના પરીણામમાં માલૂમ પડ્યું હતું. ઓડિશામાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા વધીને ૨૦૬ થઇ છે. રાજ્યના ગંજમ જિલ્લામાં ૧૭ અને મયૂરભંજમાં ચાર દરદી છે.

અગાઉ, રાજ્ય સરકારે ગંજમને રેડ ઝૉનમાં, જ્યારે મયૂરભંજ અને જગતસિંહપુરને ઑરેન્જ ઝૉનમાં રાખવાની જાહેરાત કરી હતી. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ગંજમ જિલ્લામાં બીજી મેએ કોરોના વાઇરસનો સૌપ્રથમ દરદી નોંધાયો હતો, પરંતુ બાદમાં ત્રણથી ચાર દિવસમાં આવા દરદીઓની સંખ્યા અચાનક ઘણી વધી ગઇ છે.

ગંજમ જિલ્લામાં હીરા ઘસવાના કે તેને લગતા અન્ય કાર્ય સાથે સંકળાયેલા અંદાજે ત્રણ લાખ મજૂર છે. ગુજરાતના સુરતમાં ઓડિશાના હીરાના અનેક કારીગર છે.

ઓડિશામાં ગંજમ ઉપરાંત જાજપુર, ભદ્રક, બાલેશ્ર્વર અને ભુવનેશ્ર્વરને રેડ ઝૉનમાં મુકાયા છે. ઓડિશામાં ૧૦ ઑરેન્જ ઝૉન અને ૧૪ ગ્રીન ઝૉન છે.

May 6, 2020
CIA_Live_Logo_New2.jpg
1min8370

ગઇ તા.24મી માર્ચથી લૉકડાઉનની સ્થિતિને પગલે ભારતના બિઝનેસ સિટી તરીકે જાણીતા સુરતમાં ધંધા રોજગારને પારાવાર નુકસાન પહોંચ્યું છે. અનેક ધંધા રોજગાર ધીમે ધીમે શરૂ થઇ રહ્યા છે. બિઝનેસ સિટીમાં હવે લોકો પાસે નવેસરથી કામકાજ શરૂ કરવા માટેની કાર્યશીલ મૂડી પણ રહી નથી. આવા સંજોગોમાં કેન્દ્ર સરકારના પેકેજ જાહેર થઇ રહ્યા છે. પરંતુ, સાથોસાથ સુરતની પોતિકી બેંક વરાછા કો.ઓ. બેંક લિ. દ્વારા ખાસ કોરોના લૉકડાઉનમાં આર્થિક રીતે ભીંસમાં આવેલા ધંધા-રોજગાર કરતા લોકો માટે ફાસ્ટ લોન તેમજ બિઝનેસ લોનની બે હેસલ ફ્રી પેકેજ અમલમાં મૂકવામાં આવ્યા છે.

કોરોના ફાસ્ટ લોનમાં ઝીરો પ્રોસેસિંગ સાથે શક્ય એટલી ઝડપથી લોન પાસ કરાવવાનું આયોજન વરાછા બેંકનું છે.

સૌથી મહત્વની વાત એ છે કે બિલકુલ નાના માણસોને પણ રૂ.50હજાર સુધીનું ધિરાણ ઝડપભેર આપવામાં આવશે. આ લોન સ્કીમમાં પરત ચૂકવણીની મુદત 36 હપ્તા છે અને વ્યાજનો દર 9 ટકા રાખવામાં આવ્યો છે.

વરાછા બેંક ફાસ્ટ લોન યોજનાની વિગત વાંચો અહીં

વરાછા બેંકની બિઝનેસ લોન સ્કીમની વિગત વાંચો અહીં

વેપારીઓને રૂ.5 લાખ સુધીનું ત્વરીત ધિરાણ વ્યાજનો દર 11 ટકા લોનની મુદત 60 મહિના

May 6, 2020
mahila_psi.jpg
1min9590

સુરતમાં તા.5મી મે 2020ના રોજ એક અજીબોગરીબ ઘટના બની હતી. લૉકડાઉનમાં બિન્ધાસ્ત રીતે હરીફરી રહેલા લોકોને શહેર પોલીસ રોકીને કાયદાનું પાલન કરાવી રહી છે એવામાં મજૂરાગેટ વિસ્તારમાં મહિલા પોલિસ સબ ઇન્સ્પેક્ટર પર હુમલો કરવાની અને આ હુમલો પણ બે યુવતિઓ દ્વારા થયો હોવાની ઘટનાએ સમગ્ર ભારતનું ધ્યાન ખેંચ્યું હતું. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મહિલા પીએસઆઇ પર હુમલો કરનાર સુરતની એક યુવતી જે થોડા સમયમાં દિક્ષા લેવાની હતી, સંયમનાં માર્ગે જવાનું આયોજન ધરાવે છે. તેણે લૉકડાઉન દરમિયાન ઉપાશ્રય જવાનું નક્કી કર્યું હતું અને જ્યારે પોલીસ તેને અટકાવી ત્યારે તે પોતાના પરનો સંયમ ખોઇ બેઠી અને તેણે PSI મહિલા પર હિંસક હુમલો કરી દીધો હતો.

ચર્ચા એ ઉઠી છે કે જે યુવતી સન્યાસ લઇને અહિંસા પરમોધર્મના માર્ગે આગળ વધવાનું ઉમદા આયોજન ધરાવે છે તેણે મહિલા PSI કયા સંજોગોમાં હુમલો કર્યો..

સૂરતના કૈલાસ નગર વિસ્તારમાં રહેતી યુવતિની વય 25 વર્ષની છે અને સુરત શહેરનાં લાલ બંગલા ખાતે આવેલા દેરાસરનાં ઉપાશ્રયમાં રહી રહેલા સાધ્વી મહારાજને મળવા તે ગઇ હતી. તે પાછી ફરી રહી હતી ત્યારે તેને પોલીસે અટકાવી અને તેની પૂછપરછ કરી. પોલીસ તેનું કામ કરતી હતી તે શ્રેયાથી જાણે ન સંખાયું અને તેણે મહિલા પોલીસ સાથે ખરાબ ભાષામાં વાત કરી, તમાશો કર્યો અને હોહા કરી. આટલું ઓછું હોય તેમ તેણે મહિલા PSI પર હુમલો કર્યો અને તેમ કરતાં મહિલા પોલીસ કર્મીને આંખની પાસે જ વાગ્યું. તેની આંખ માંડ બચી. આ ઘટના પછી તેની ધરપકડ થઇ અને તેની બહેન જે પણ ઉપાશ્રય ગઇ હતી તે બંન્નેને પોલીસ સ્ટેશન લઇ જવાયા.

May 5, 2020
luxarybus.jpg
1min5370

હીરા ઉદ્યોગને કારણે સૌરાષ્ટ્રથી સૂરત આવીને વસેલા મૂળ સૌરાષ્ટ્રવાસીઓને હાલ કોવીડ-19 લૉકડાઉનમાં સૂરત રહીને કંટાળ્યા છે અને હવે તેમને માદરે વતન જવું છે. સૂરતના વરાછાના ધારાસભ્ય અને સરકારના મંત્રી કુમાર કાનાણીએ આ અંગે સરકારમાં વાતચીત કરતા હવે સૂરતથી સૌરાષ્ટ્ર તેમજ અન્ય જિલ્લાઓમાં જવા માટેની એક પ્રોસીજર નક્કી કરવામાં આવી છે.

જેમકે સુરતથી સૌરાષ્ટ્ર કે અન્ય જિલ્લામાં જવા માગતા લોકોએ ઓનલાઇન નોંધણી કરાવવાનું રહેશે. આ અંગેની વેબસાઈટ તા.5મીએ સાંજે અથવા 6એ સવારે લોંચ કરી દેવામાં આવશે. એમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.

કલેક્ટર ઓફિસમાં ઓનલાઈન અરજી કર્યા બાદ જેમને પરવાનગી મળશે તેમનું મેડિકલ સ્ક્રિનિંગ કરાશે.

ચેકપોસ્ટ પર સહી-સિક્કા કરી બસ કે ખાનગી વાહનમાં જે-તે વ્યક્તિ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી, માસ્ક પહેરીને સુરતથી સૌરાષ્ટ્ર જવા રવાના થઈ શકશે. આ અંગેની તૈયારીઓ કરવા માટે સીએમ દ્વારા એક કમિટિ બનાવાઈ છે, જેના અધ્યક્ષ સ્થાને કિશોર કાનાણીની નિમણૂંક કરાઈ છે. સુરતથી સૌરાષ્ટ્ર જવામાં એક જ શરત રખાઈ છે કે કોઈપણ વ્યક્તિને એક કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાંથી બીજા કન્ટેઈન્મેન્ટ ઝોનમાં જવાની પરવાનગી નહીં અપાય.

સુરતથી ઓલપાડ, અંકલેશ્વર અને જંબુસરના રસ્તે સૌરાષ્ટ્ર જઈ શકાશે. આવતીકાલથી તેના માટે રજિસ્ટ્રેશન શરુ કરાશે અને ત્યારબાદ મંજૂરી આપવાનું શરુ કરાશે. જે લોકોને શરદી, ઉધરસ કે શ્વાસ લેવામાં કોઈ તકલીફ ના હોય તે લોકોને જ પરમિશન અપાશે. સૌરાષ્ટ્ર પહોંચ્યા બાદ જે-તે જિલ્લાના તંત્ર દ્વારા પણ આ લોકોની ચકાસણી કરાશે.

જે લોકોમાં કોરોનાના કોઈપણ લક્ષણ દેખાશે તેને નજીકની હોસ્પિટલમાં મોકલાશે. જે લોકોમાં લક્ષણ નથી તેઓ હોમ ક્વોરન્ટાઈન કે તંત્ર દ્વારા ઉભી કરાયેલી ક્વોરન્ટાઈન ફેસિલિટીમાં રહેવું પડશે. 14 દિવસનો ક્વોરન્ટાઈન પિરીયડ પૂરો થયા બાદ 30 દિવસ સુધી તેમને ત્યાં જ રહેવું પડશે. મતલબ કે, તેઓ 45 દિવસ સુધી સુરત પરત નહીં આવી શકે.

May 5, 2020
diamond-cutting.jpg
1min5260

સૂરતના હીરા ઉદ્યોગમાં સક્રીય એવા નાના અને મધ્યમ કક્ષાના કારખાનેદારો કફોડી હાલતમાં મૂકાયા છે. એક તરફ છેલ્લા દોઢ મહિનાથી ધંધો બંધ અને બીજી તરફ લોકડાઉનના દોઢ મહિનાથી પણ વધુ સમયમાં પગાર ના મળતાં લાખો રત્ન કલાકારો કફોડી સ્થિતિમાં મૂકાયા છે. સરકારનો આદેશ હોવા છતાંય રત્ન કલાકારોને પગાર નહીં કરી શકનારા સૂરતના અંદાજે 118 જેટલા કારખાનેદારો સામે કારીગરોના યુનિયને લેબર કમિશનમાં ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આવા 118 લોકો સામે યુનિયન દ્વારા લેબર કમિશનમાં ફરિયાદ કરવામાં આવી છે. જોકે, અહીં મુશ્કેલી એ પણ છે કે ઘણા કારખાનેદારો કારીગરોને પૂરો પગાર ચૂકવી શકવાની સ્થિતિમાં નથી. 50-200 કારીગરો ધરાવતા નાના અને મધ્યમ કક્ષાના ઘણા કારખાનેદારોએ હજુ સુધી કારીગરોને કોઈ આર્થિક મદદ નથી કરી.


April 30, 2020
surat_police.jpg
1min5550

રાજ્યભરમાં જ્યારે લોકડાઉન ચાલુ છે ત્યારે સૂરત શહેર પોલીસ પણ સખતાઈથી લોકડાઉનનું કડક પાલન કરાવી રહી છે. સુરત શહેરમાં કોરોનાના કેસ વધતા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અનુસાર હવે આગામી 14 મે સુધી શહેરભરમાં 144 કલમ લાગુ પડશે.

અગાઉના જાહેરનામા અનુસાર કલમ 144નો 30 એપ્રિલના રોજ અંત આવતો હતો. જેથી હવે નવું જાહેરનામું બહાર પાડીને 14 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે શહેરમાં 4થી વધુ વ્યક્તિઓ ભેગા નહીં થઈ શકે.

April 28, 2020
surat_loksabha.png
1min4580

સૂરતમાં આજે બે જુદા જુદા સ્થળોએ બબાલ મચતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી. હીરા બુર્સ બની રહ્યું છે એ ખજોદ ખાતે કામ કરતા મજૂરોએ વતન જવાની માગ સાથે તોફાન કરીને સિક્યુરિટી કેબિન સમેતની ચીજવસ્તુઓની તોડફોડ કરતા મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી.

સુરતના ખજોદ સ્થિત હિરાબુર્સ સાઇટ પર બાંધકામ કરતા કામદારો દ્વારા એકાએક હોબાળો કરવામાં આવ્યો હતો. કામદારોના ટોળાએ ઓફિસની કેબિનોમાં ભારે તોડફોડ કરી હતી. લગભગ 300થી 400 કામદારોએ અચાનક જ કન્સ્ટ્રક્શન સાઈટ પર આવી પહોંચ્યા હતા અને વાહનો તેમજ ઓફિસમાં તોડફોડ કરી હતી. બિલ્ડિંગની બહાર પાર્ક કરેલી ગાડીઓમાં પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે. હાલ પોલીસ દ્વારા તેમને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

ડીંડોલીમાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

સૂરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ઠાકોર નગરમાં શાકભાજી લેવા નીકળેલા ચારથી પાંચ લોકોને PCR વાનના પોલીસ જવાનોએ ઉભા રાખી દંડાવાળી કરતા જોતજોતામાં મામલો બિચક્યો હતો. પોલીસની મારઝૂડને પગલે આસપાસની સોસાયટીના રોષે ભરાયેલા લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને પોલીસ સાથે ઘર્ષણ કરતા સામ સામે થઈ ગયા હતા. વહેલી સવારે બનેલી ઘટના બાદ ઘેરાઈ ગયેલી પોલીસ કર્મચારીઓની મદદ માટે એસઆરપી, ડિંડોલી અને લિંબાયત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. લગભગ એક કલાકના ઘર્ષણ બાદ મામલો થાળે પડ્યો હતો.