CIA ALERT

Slider Archives - Page 484 of 491 - CIA Live

July 4, 2018
sonali2.jpg
1min13280

બોલીવુડની સ્વરૂપવાન અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકીને પોતે હાઇગ્રેડ કેન્સરથી પીડીત હોવાનો ખુલાસો કરતા તેના પ્રશંસકોમાં ઘેરા દુખની લાગણીઓ સોશ્યલ મિડીયામાં વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં સોનાલી બેન્દ્રે અમેરિકામાં સારવાર લઇ રહી છે. બોલીવુડમાં ઇરફાન ખાનની બિમારીના ન્યુઝ બાદ સોનાલી બેન્દ્રેએ પોતાની બિમારી અંગે સોશ્યલ મિડીયા, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને સૌને આંચકાજનક સમાચાર આપ્યા છે.

સોનાલી બેન્દ્રેએ ઇન્સ્ટાગ્રામ પર શું લખ્યું એ અક્ષરસઃ અહીં પ્રસ્તુત છે.

” Sometimes, when you least expect it, life throws you a curveball. I have recently been diagnosed with a high grade cancer that has metastised, which we frankly did not see coming. A niggling pain led to some tests, which led to this unexpected diagnosis. My family and close friends have rallied around me, providing the best support system that anyone can ask for. I am very blessed and thankful for each of them. There is no better way to tackle this, than to take swift and immediate action. And so, as advised by my doctors, I am currently undergoing a course of treatment in New York. We remain optimistic and I am determined to fight every step of the way. What has helped has been the immense outpouring of love and support I’ve received over the past few days, for which I am very grateful. I’m taking this battle head on, knowing I have the strength of my family and friends behind me. 

July 4, 2018
1min12390

વિધાનસભાના ચોમાસુ સત્રની પૂર્વસંધ્યાએ અંધેરીના વિધાનસભ્ય રમેશ લટકેના પ્રાઇવેટ અસિસ્ટન્ટના ફ્રેન્ડની ડેડ-બૉડી મળતાં સનસનાટી ફેલાઈ

death

અંધેરી (ઈસ્ટ)ના શિવસેનાના વિધાનસભ્ય રમેશ લટકેના પર્સનલ અસિસ્ટન્ટ સંદીપ વાધળેના ૫૦ વર્ષના મિત્ર વિનોદ અગ્રવાલની ડેડ-બૉડી નાગપુરની MLA હૉસ્ટેલની રૂમમાંથી મળી આવી હતી. વિધાનસભાનું ચોમાસુ સત્ર નાગપુરમાં આજથી શરૂ થવાનું છે ત્યારે આ ડેડ-બૉડી મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસે આ સંદર્ભે ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો છે.

મૂળ રાજસ્થાનના કોટાનો વિનોદ અગ્રવાલ વિધાનસભ્ય રમેશ લટકેને આપવામાં આવેલી રૂમમાં રહેતો હતો. ગઈ કાલે સવારે લાંબા સમય સુધી વિનોદે રૂમનો દરવાજો ખોલ્યો નહોતો. એ પછી લૉક તોડીને અંદર પ્રવેશ કર્યા પછી આ બાબતની ખબર પડી હતી. વિનોદ અગ્રવાલનું મૃત્યુ કેવી રીતે થયું એની પોલીસ તપાસ કરી રહી છે. ઊંઘમાં જ અટૅક આવ્યો હોવાથી મૃત્યુ થયું હોવાનો અંદાજ વર્તાવવામાં આવ્યો છે.

મૉન્સૂન અધિવેશન આ વર્ષે પહેલી વાર નાગપુરમાં થાય છે જે આજથી ૨૦ જુલાઈ સુધી ચાલશે. બધા વિધાનસભ્યો એ માટે નાગપુર પહોંચ્યા છે.

July 4, 2018
share1.jpg
1min13780

શેરબજાર બીએસઈ બુધવારથી 222 કંપનીઓને ડિલિસ્ટ કરશે. આ કંપનીઓના શેર્સ પાછલા છ મહિના કરતાં વધારે સમયથી સસ્પેન્ડ રહ્યા છે. આ પગલું એવા સમયે ભરવામાં આવી રહ્યું છે જ્યારે સત્તાવાળાઓ શેલ કંપનીઓ પર ત્રાટકી રહ્યા છે. પાછલા વર્ષના ઓગસ્ટમાં સેબીએ શેરબજારોને 331 શંકાસ્પદ શેલ કંપનીઓ સામે પગલાં ભરવાનો આદેશ કર્યો હતો જ્યારે સરકારે બે લાખ કરતાં વધારે કંપનીઓની નોંધણી રદ પણ કરી દીધી છે કે જે ઘણા લાંબા સમયથી બિઝનેસ કામગીરી કરતી ન હતી.

એક સરક્યુલરમાં બીએસઇએ જણાવ્યું હતું કે, 210 કંપનીઓ છ મહિના કરતાં વધારે સમયથી સસ્પેન્ડેડ છે તેમને શેરબજારની ડિલિસ્ટિંગ કમિટીના આદેશનો અમલ કરીને ચાર જુલાઇ, 2018થી અમલમાં આવે તે રીતે એક્સ્ચેન્જના પ્લેટફોર્મ પરથી ડિલિસ્ટ કરવામાં આવશે.

છ કંપનીઓ- એશિયન ઈલેક્ટ્રોનિક્સ, બિરલા પાવર સોલ્યુશન, ક્લાસિક ડાયમન્ડ (ઈન્ડિયા), ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રીઝ, પેરેમાઉન્ટ પ્રિન્ટ પેકેજિંગ અને SVOGL ઓઈલ ગેસ એન્ડ એનર્જી- જેને એનએસઈ દ્વારા ફરજિયાત ડિલિસ્ટ કરવામાં આવી છે તેને પણ બુધવારથી બીએસઈમાંથી ડિલિસ્ટ કરવામાં આવશે. કમ્પલસરી ડિલિસ્ટિંગ રેગ્યુલેશન અનુસાર, ડિલિસ્ટેડ કંપની, તેના પૂર્ણકાલિન ડિરેક્ટર્સ, પ્રમોટર્સ તથા જૂથ કંપનીઓને ફરજિયાત ડિલિસ્ટિંગની તારીખથી 10 વર્ષ માટે સિક્યોરિટી માર્કેટમાં ભાગ લેવા માટે પ્રતિબંધિત કરવામાં આવે છે.

આ ડિલિસ્ટેડ કંપનીઓના પ્રમોટર્સને બીએસઈ દ્વારા નિયુક્ત સ્વતંત્ર વેલ્યુઅર દ્વારા નક્કી કરવામાં આવેલી વાજબી કિંમતે પબ્લિક શેરધારકો પાસેથી શેર્સની ખરીદી કરવી પડે છે. વધુમાં આ કંપનીઓને માર્કેટના નિયમનકાર સેબી દ્વારા આપવામાં આવેલી સલાહ પ્રમાણે પાંચ વર્ષ માટે શેરબજારના ડિસમિનેશન બોર્ડ પર મુકવામાં આવે છે.

શેરબજારે અલગથી જણાવ્યું હતું કે, છ કંપનીઓ, જે છ મહિના કરતાં વધારે સમયથી સસ્પેન્ડ છે અને લિક્વિડેશન હેઠળ છે તેને પણ સમાન દિવસે ડિલિસ્ટ કરવામાં આવશે.

July 4, 2018
kej1.jpg
1min5150

કેબિનેટે તેમના દ્વારા લેવાતા તમામ નિર્ણયો લેફ. જનરલને જણાવવાનો હોય છે પરંતુ તેમાં ઉપરાજ્યપાલની સહમતિ મેળવવી જરૂરી બનતી નથી. ઉપરાજ્યપાલ દિલ્હીના શાસક જરૂર છે પરંતુ તેની સામે પણ સર્વોચ્ચ ન્યાયાલયે લક્ષ્મણ રેખા ખેંચી હતી

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના વડપણ હેઠળની પાંચ જજોની બેન્ચે આજે તા.4 જુલાઇના રોજ દિલ્હી રાજ્ય સરકારની સત્તાઓ અંગે અંગે ચુકાદો જાહેર કર્યો હતો. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ જણાવ્યું છે કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી શકાય નહીં. આ સાથે જ ઉપરાજ્યપાલ દિલ્હીના સ્વતંત્ર શાસક નહીં હોવાનું સુપ્રીમે જણાવ્યું હતું.

કેબિનેટે તેમના દ્વારા લેવાતા તમામ નિર્ણયો લેફ. જનરલને જણાવવાનો હોય છે પરંતુ તેમાં ઉપરાજ્યપાલની સહમતિ મેળવવી જરૂરી બનતી નથી. ઉપરાજ્યપાલ દિલ્હીના શાસક જરૂર છે પરંતુ તેની સામે પણ સર્વોચ્ચ ન્યાયાલયે લક્ષ્મણ રેખા ખેંચી હતી અને જણાવ્યું હતું કે સત્તા એક જ સ્થળે કેન્દ્રીત ના થવી જોઈએ. દરેક લોકોએ સમન્વય સાથે કામ કરવું જોઈએ. ઉપરાજ્યપાલને પણ કેટલીક શરતો લાગુ પડે છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે દિલ્હીને કોઈ એક વ્યક્તિના હાથમાં સત્તા સોંપવા અંગે ઈનકાર કર્યો હોવાનું પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે. પાંચ જજોનો ચુકાદાનો આવી ગયા બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થયું છે જેમાં સુપ્રીમ જણાવ્યું હતું કે વિવાદીત નિર્ણયોને ઉપરાજ્યપાલે રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવા જોઈએ.

ગત 6 ડિસેમ્બરના સુપ્રીમે અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓ પર ચુકાદો અનામત રાખ્યો હતો. દિલ્હીનું શાસન ઉપરાજ્યપાલ દ્વારા ચલાવવાના હાઈકોર્ટના ચુકાદાને કેજરીવાલ સરકારે પડકાર્યો હતો.

આજે તા.4 જુલાઇ 2018ને બુધવારે સવારે 10.30 કલાકે સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભ‌ળાવવાનું ચાલુ કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ઉપરાજ્યપાલે કેબિનેટ નિર્ણયોમાં અવરોધ લાવવો જોઈએ નહીં. ચૂંટાયેલી સરકાર અને બંધારણીય કાયદાનું પાલન થવું જોઈએ. તમામ લોકોએ સૌહાર્દ અને પરસ્પર સમન્વય સાથે કામ કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટના ચુકાદાને પ્રાથમિક રીતે જોતા નિષ્ણાતો માને છે કે આ ચુકાદાથી કેજરીવાલ સરકારને મોટી રાહત મળી શકે છે.

July 3, 2018
am1.jpg
1min15120

ઇ-કોમર્સ કંપની અમેઝોન પર 16 જુલાઇથી પ્રાઇમ ડે સેલની શરૂઆત થવા જઇ રહી છે. 36 કલાક સુધીના આ મહાસેલમાં બધી કંપનીઓ અલગ-અલગ કેટેગરીના તેમના તમામ પ્રોડક્ટસ પર ભારે ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપશે. પ્રાઇમ ડે સેલની શરૂઆત 16 જુલાઈ બપોરે 12 વાગે થશે જે 17 જુલાઇના રોજ 11.59 કલાકે પૂર્ણ થશે. જણાવી દઇએ કે આ સેલ અમેઝોન કંપનીના પ્રાઇમ મેમ્બર્સ માટે રહેશે.

શું હશે ઓફર્સ?

36 કલાકના આ સેલમાં 200થી વધુ બ્રાન્ડ્સના પ્રોડક્ટ્સ સસ્તી કિંમતે મળશે. તો મોટી બ્રાન્ડ્સમાં વનપ્લસ, ઇન્ટેલ, બૉસ, તોશીબા, સેમસંગ જેવી મોટી કંપનીઓના નામ શામેલ છે. આ સિવાય પણ અનેક કંપનીઓનો સમાવેશ સેલમાં કરાયો છે જેનાં પ્રોડક્ટ્સ આ ઓફરમાં ખરીદવા માટે ઉપલબ્ધ હશે. આ ઉપરાંત સેલ દરમિયાન અમેઝોન એપ પર ઘણી ક્વિઝ પણ રમાશે. ક્વિઝ જીતનારને ઇનામમાં વનપ્લસ 6 આપવામાં આવશે.

ડિસ્કાઉન્ટ કેટેગરી

અમેઝોનના પ્રાઈમ ડે સેલ માં ગ્રાહક ઘણા કેટેગરીઝના પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટનો લાભ લઇ શકશે. મોબાઇલ એન્ડ એસેસરીઝ પર 40% , ઇલેક્ટ્રોનિક આઇટમ્સ પર 50% અને ઘર અને આઉટડોર માટેના જરૂરી વસ્તુઓ પર 70% સુધીની છૂટ આપવામાં આવશે. આ સાથે જ ફેશન પ્રોડક્ટ્સ પર પણ 50-80% અને બૂક્સ, મનોરંજન પ્રોડક્ટ્સ પર 70% સુધી ડિસ્કાઉન્ટ જેવી અનેક ઑફર્સ આ સેલમાં ઉપલબ્ધ છે.

સેલમાં મળી રહેલી ઑફર્સની સાથે અમેઝોન પર બે દિવસ નક્કી કરાયેલા સમય પર કેટલાક પ્રોડક્ટ્સનું ફ્લેશ સેલ પણ કરાશે. આ ઉપરાંત એચડીએફસી બેન્કના કાર્ડ્સ અથવા અમેઝોન પેથી પેમેન્ટ કરવા પર ગ્રાહકને 10% ડિસ્કાઉન્ટ મળશે. સાથે આ સેલમાં ગ્રાહકોને ડિસ્કાઉન્ટ કૂપન પણ મળશે. આ કુપન દરેક કેટેગરી માટે ઉપલબ્ધ હશે. કુપનનો ઉપયોગ કરવા માટે યુઝરને કુપન પર ક્લિક કરીને તેને કાર્ટમાં એડ કરવાનું રહેશે. જ્યારે યુઝર તમામ વસ્તુઓ સાથે ચેકઆઉટ કરશે ત્યારે ડિસ્કાઉન્ટ કૂપન અપ્લાઇ થશે અને તે અનુસાર ગ્રાહકને ડિસ્કાઉન્ટ મળશે.

July 3, 2018
sapt1-1280x720.jpg
1min29260

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી હજારો લોકો જેના દર્શને જાય છે એ મહારાષ્ટ્રના નાસિક નજીક વણી ખાતે આવેલા સપ્તશૃંગી માતાના મંદિર પહોંચવા માટે ફ્યુનિક્યુલર રોપ-વેની સુવિધા કાર્યાન્વિત કરી દેવામાં આવી છે.

દેશની જાણીતી શક્તિપીઠ પૈકીના અને મહારાષ્ટ્રમાં નાસિક નજીક વણી ખાતે ગઢ પર આવેલા સપ્તશ્રૃંગી મંદિર પર દેશની પહેલી ફ્યુનિક્યુલર ટ્રોલીનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ટ્રોલીને કારણે મહિલા, દિવ્યાંગ અને વૃદ્ધ ભાવિકોને મંદિર સુધી સરળતાથી પહોંચવામાં મદદ મળશે.

રાજ્ય સરકારના આદિવાસી વિભાગ અને જાહેર બાંધકામ ખાતાના માધ્યમથી આ ટ્રોલીનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. દેશમાં પહેલીવાર જ આવા સ્વરૂપનો રોપ વે બનાવવામાં આવ્યો હોવાનો સરકારનો દાવો છે. રશિયન ટેકનોલોજીની મદદ લઇને રોપ વે બનાવવામાં આવ્યો છે. મેક ઇન ઇન્ડિયા હેઠળ યોજના પર કામ કરવામાં આવ્યું છે. મેટ્રોની જેમ ડબાની રચના કરવામાં આવી છે. એક જ ફેરીમાં 60 જણ આ ટ્રોલીમાં પ્રવાસ કરી શકશે.

સપ્તશ્રૃંગી ગઢ સમુદ્રની સપાટીથી 12,000 મીટર ઊંચાઇ પર છે, 40 અંશે રોપ વે બાંધવામાં આવ્યો છે. રોપ વેની લંબાઇ 167 મીટર, જ્યારે ઊંચાઇ 100 મીટર છે. સપ્તશ્રૃંગી ગઢને 550 સીડી હોવાથી દેવીના દર્શન કરવા માટે મહિલા વરિષ્ઠ નાગરિકને અગાઉ દોઢથી બે કલાક સમય લાગતો હતો, હવે માત્ર દોઢ મિનિટમાં ભકત મંદિર સુધી પહોંચી શકશે.

ટ્રોલીમાં કુલ નવ બ્રેક બેસાડવામાં આવ્યા છે, તેથી જ બે-ત્રણ બ્રેક ફેલ થઇ જાય તો પણ બાકી બચેલી બ્રેકથી કામ થઇ શકે. એક રોપને સર્પોટ કરવા માટે વધુ એક રોપ નાખવામાં આવ્યો છે. ટેકનિકલ ખામી સર્જાતા સિક્યોરિટી અલાર્મ વાગશે.

મુખ્ય પ્રધાન પાસે સમયનો અભાવ હોવાથી છેલ્લા છ મહિનાથી ટ્રોલીનું લોકાપર્ણ રખડ્યું હતું.

July 3, 2018
1min13870

ગુજરાતમાં દારૂબંધી હોવાથી યુવાનો હવે કફ સિરપથી નશો કરવાના વ્યસની બનતા જાય છે. નશાની ચીજવસ્તુઓ ના મળતાં વિવિધ પદ્ધતિ દ્વારા નશો કરવાની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે. હવે યુવાધને દવાની દુકાને આસાનીથી મળી જતી કફ સિરપ અને દવાઓથી નશો કરવા માટેનો રસ્તો અપનાવી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

એનસીબી (નાકોર્ટિક્સ કંટ્રોલ બ્યૂરો) અને એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ)ની ટીમે દવાની દુકાનોમાં આસાનીથી વેચાતી કફ સિરપનો જથ્થો અમદાવાદ, સાણંદ અને પાટણથી જપ્ત કર્યો છે. એનસીબીની ટીમે 46 લાખ રૂપિયાની 42 હજાર કફ સિરપની બોટલો જપ્ત કરી છે, જેમાં અફીણનું પ્રમાણ વધારે છે, જેનો યુવાધન નશા માટે ઉપયોગ કરતા હતા.

એનસીબી અને એફડીએને છેલ્લા બે દિવસમાં કફ સિરપનો મોટો જથ્થો અમદાવાદ, પાટણ અને સાણંદ જિલ્લામાં હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે બન્ને એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન પાર પાડીને અમદાવાદ અને પાટણથી 46 લાખની 42 હજાર કફ સિરપની બોટલ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે.

July 3, 2018
kuvar3.jpg
1min14490

ગુજરાત કોંગ્રેસના  િદગ્ગજ નેતા,  સૌરાષ્ટ્રના આગેવાન ગણાતા કુંવરજી બાવળિયાએ આજે લાંબા સમયની અટકળોને સાચી પાડતા કોંગ્રેસને ત્યાગપત્ર આપી દીધું છે. આજે ને આજે જ તેઓ ભાજપમાં જોડાઇ જશે. કુંવરજી બાવળિયાને રાજ્ય સરકારમાં તરત જ મંત્રી પદું આપી દેવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવાય રહી છે.

લાંબા સમયથી કોંગ્રેસની ટોચની નેતાગીરીથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય અને પીઢ નેતા તેમજ કોળી આગેવાન કુંવરજી બાવળિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. બાવળિયાએ મંગળવારે સવારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસ્થાને જઈને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ તેઓ ગાંધીનગર ખાતે સીએમ નિવાસ સ્થાને વિજય રૂપાણીને મળવા માટે પહોંચ્યા હતા.

કોંગ્રેસમાંથી નારાજ બાવળિયા ભાજપના હેડક્વાર્ટર કમલમ ખાતે પહોંચ્યા હતા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીત વાઘાણી સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. મળતી માહિતી મુજબ કુંવરજી બાવળિયાને કેબિનેટ કક્ષાનો પોર્ટફોલિયો સોંપાઈ શકે છે. પાણી પુરવઠા અને શિક્ષણમાંથી કોઈ એક ખાતાની જવાબદારી તેમને સોંપવામાં આવી શકે છે.

July 3, 2018
a1.jpg
1min14160

મુંબઇમાં ભારે વરસાદના કારણે અંધેરી સ્ટેશને અંધેરી ઇસ્ટ અને અંધેરી વેસ્ટને એકબીજા સાથે જોડતા ગોખલે ફૂટ ઓવર બ્રિજનો હિસ્સો તૂટી પડ્યો છે. આ અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ વેસ્ટર્ન લાઇન પર લોકલ ટ્રેનોની અવરજવર ઠપ થઇ છે. આજે અંધેરી વિસ્તારથી લોકલ ટ્રેનોની અવરજવર અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવી છે, ઘટના સ્થળેથી કાટમાળ ખસેડીને ટ્રેનોની અવરજવર ઝડપભેર શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ઘટનાને પગલે ધસી પડેલા કાટમાળમાં સદનસીબે કોઇ દબાયું ન હોવાના અહેવાલો વચ્ચે મુંબઇ પોલીસે જણાવ્યું હતું કે બ્રિજ તૂટ્યા બાદ ટ્રાફિકને રોકી દેવાયો છે. મુંબઇ પોલીસની ટ્વિટમાં કહ્યું છે કે અંધેરી ઇસ્ટ અને વેસ્ટને જોડતા ગોખલે બ્રિજનો હિસ્સો તૂટી ટ્રેક પર પડતા ઓવરેહડ (ઓએચઇ) વાયરોને પણ નુકસાન પહોંચ્યું છે. વેસ્ટર્ન લાઇન પર ટ્રેન સેવા પ્રભાવિત થઇ છે. બીએમસી, ફાયર બ્રિગેડ સિવાય, આરપીએફના કર્મચારીઓ સ્થળ પર મદદ માટે હાજર છે. ઓવર બ્રિજની ઉપર અને નીચે અવરજવરને રોકી દેવાઇ છે.

ટ્રેક પર તૂટી પડ્યો બ્રિજનો હિસ્સો

મંગળવારે સવારે 7.30 વાગ્યે અંધેરી સ્ટેશન પર એક રોડ ઓવર બ્રિજનો હિસ્સો તૂટતા પશ્ચિમ રેલવે પર લોકલ સેવા ઠપ થઇ છે. આ બ્રિજ અંધેરી સ્ટેશનના દક્ષિણમાં આવેલું છે અને બ્રિજ પૂર્વથી પશ્ચિમની તરફના રસ્તા પરિવહનને જોડે છે. જાણવા મળ્યું છે કે બ્રિજનો હિસ્સો ટ્રેક પર પડ્યો અને તમામ 6 લાઇનના ઓએચઇ વાયર તૂટી ગયા છે. વેસ્ટર્ન રેલવે દ્વારા પણ ટ્વિટ કરી આ અંગેની માહિતી આપવામાં આવી છે.

July 3, 2018
1min13650

વીમા કંપનીઓ કોઈ પણ સંજોગોમાં કરાયેલા દાવાઓને નકારી શકે નહીં. આ એક એવો કિસ્સો છે જેમાં વીમા કંપનીએ દાવાની રકમ ન ચૂકવવા માટે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા.

કેસ સ્ટડી: ઈન્ડિયન ઓઈલ કોર્પોેરેશન (આઈઓસી) સાથે શિવશક્તિ કેરિયર્સ નોંધાયેલી ટ્રાન્સપોર્ટ કંપની હતી. તેણે એક ટેન્કરના માલિક સંજય અગ્રવાલ સાથે ટેન્કર ભાડે લેવાનો લાંબાગાળા સુધીનો કોન્ટ્રેક્ટ કર્યો હતો. ત્યાર બાદ શિવશક્તિએ ભાડે લીધેલા ટેન્કરનો ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ પાસે રૂપિયા પાંચ લાખનો વીમો કઢાવ્યો હતો જેની ર0-02-2009થી 19-02-2010 સુધીની પોલિસી હતી.

ર3-07-2009ના રોજ, જ્યારે એ ટેન્કર 12 હજાર લિટર્સ ડિઝલ ભરીને ગૌહાતિમાં બેટકુચીથી મીસામારી ખાતે આવેલા આઈઓસીના ડેપો તરફ જઈ રહ્યું હતું ત્યારે ધુલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા થેકરાબારી ખાતે તેને અકસ્માત નડ્યો હતો. ટેન્કરમાં ભરેલો સંપૂર્ણ જથ્થો રોડ પર ઢોળાઈ ગયો હતો. પોલીસ ફરિયાદ કરવામાં આવી અને વીમા કંપનીને તે અંગે જાણ કરવામાં આવી. રૂ. 4 લાખ બે હજાર 120નો દાવો રજૂ કરવામાં આવ્યો.

દરમિયાન આઈઓસીએ પોતાનું નુકસાન શિવશક્તિ કેરિયર્સ પાસેથી વસૂલ કરી લીધું. તેમ છતાં વીમા કંપની એ દાવો તેણે આપેલી પોલિસી મુજબ મંજૂર ન કર્યો. વીમા કંપનીએ અકસ્માતની તારીખમાં ફરક આવતો હોવાનું જણાવી એ દાવો નકારી દીધો. જ્યારે વીમા ધારકે જણાવ્યું હતું કે, અકસ્માત ર1-07-09ના રોજ થયો હતો, પણ પોલીસે એ ર3-07-2009ના રોજ બનાવની નોંધ કરી હતી.

ત્યાર બાદ શિવશક્તિ કેરિયર્સે એ નકારાયેલા દાવાને કામરૂપ ડિસ્ટ્રિક્ટ ફોરમમાં પડકાર્યો હતો. વીમા કંપનીએ કેસ લડી હતી, અને તેણે, દાવાને નકારવામાં કંઈ ખોટું ન કર્યું હોવાનું જણાવ્યું હતું. સાક્ષીઓના પુરાવાઓને ધ્યાનમાં લીધા પછી ફોરમે ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીને, દાવાની રકમ રૂ. 4 લાખ બે હજાર 120 ઉપરાંત એ રકમ પર ફરિયાદની તારીખથી 12 ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. એ ઉપરાંત રૂ. પાંચ હજાર વળતર પેટે અને રૂ. 10 હજાર દાવાના ખર્ચ પેટે ચૂકવવાનું જણાવ્યું હતું. અને તેના માટે ફોરમે બે મહિનાની મુદત આપી હતી. જો તેમાં વિલંબ થાય તો વળતર અને દાવાના ખર્ચની રકમ પર પણ 12 ટકા વ્યાજ ચૂકવવાનું પણ ફરમાવ્યું હતું.

ન્યૂ ઈન્ડિયાએ ફોરમના આદેશને આસામ સ્ટેટ કમિશન સમક્ષ પડકાર્યો હતો. કમિશને શિવશક્તિ કેરિઅર્સના નિવેદક તરીકે ત્રિભોવન ગૌરનું નામ હોવાનું જોવા મળ્યું હતું, જ્યારે શિવશક્તિના પ્રોપરાઈટર શિવ ચંદ્રગૌર હોવાથી એ દસ્તાવેજ વિવાદાસ્પદ હોવાનું નોંધ્યું હતું. એ દસ્તાવેજ વિશ્ર્વસનીય ન હોવાનું કમિશને નિરીક્ષણ કર્યું હતું.

કમિશને એવું સૂચવ્યું હતું કે, જો વીમા કંપનીને એમ લાગ્યું હતું કે, દાવો છેતરપિંડી ભર્યો છે તો તેણે વીમા ધારક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવી જોઈતી હતી, પણ એવું કરવામાં આવ્યું નથી. કમિશને વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, અકસ્માત થયો હોવાની વાત સાચી છે, કારણ કે આઈઓસી એ ટ્રાન્સપોર્ટર પાસેથી નુકસાનીની વસૂલાત કરી લીધી છે.

વીમા કંપનીની અપીલ કાઢી નાખતાં કમિશને એવું પણ નિરીક્ષણ કર્યું હતું કે, ન્યૂ ઈન્ડિયાએ દાવો ખોટો હોવાની અરજી કરી હતી કે ખરેખર તો જવાબદારી સામે આંખમિચામણાં કરવા સમાન હતી. એ દાવાની રકમ ચૂકવવા નહોતી માગતી. ન્યાયમૂર્તિ એ. હઝારિકા અને દિલીપ મહંતા તેમ જ રેણુ મહંતાની બનેલી બેંચે 8-05-2018ના રોજ આપેલા આદેશ દ્વારા ડિસ્ટ્રિક્ટ ફોરમના આદેશને માન્ય રાખ્યો હતો.