CIA ALERT

Slider Archives - Page 483 of 488 - CIA Live

June 28, 2018
share1.jpg
1min4990

બીએસઈ500 કંપનીઓમાંથી લગભગ 25 કંપનીઓએ આ વ્યાપક માર્કેટ પ્રવાહને પરાસ્ત કર્યો હતો તથા FY2017-18 સુધીના પાંચ વર્ષ દરમિયાન વાર્ષિક ધોરણે વધારે ઊંચો નફો અને વેચાણ વૃદ્ધિ નોંધાવી હતી.

શ્રીમ્પ ફીડ મેન્યુફેક્ચરર તથા નિકાસકાર અવંતિ ફીડ્ઝ આ યાદીમાં ટોચ પર છે. પ્રોફિટ ગ્રોથની પ્રોફાઈલ પર એક નજર કરીએ તો જણાય આવે છે કે FY18માં ₹446.50 કરોડનો નફો, FY17માં ₹215.70 કરોડ, FY16માં ₹157.50 કરોડ, FY15માં ₹115.90 કરોડ, FY14માં ₹70.40 કરોડ અને FY13માં ₹30.10 કરોડ નોંધાયો હતો. તેના ટર્નઓવરમાં પણ સમાન લાઈનમાં વધારો નોંધાયો હતો. આના કારણે જ એમા કોઈ શંકા નથી કે આ શેરમાં 5,508 ટકાનો ઉછાળો નોંધાયો છે. 25 જૂન, 2013ના રોજ આ શેરનું મૂલ્ય ₹9.30 હતું તે આ વર્ષના સમાન દિવસે તેનું મૂલ્ય ₹521.60 નોંધાયું હતું.  આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અવંતિ ફીડ્સ માટે બુલિશ હતી. ભારતની શ્રીમ્પની નિકાસ મૂલ્યના સંદર્ભમાં મિડ-ટીનમાં વધા તેવી અપેક્ષા રાખવામાં આવે છે અને તેના લીધે અવંતિ સૌથી વધારે ફાયદો મેળવી શકે.  FY13-18 દરમિયાન 35 ટકા રિટર્ન ઓન ઈક્વિટી તથા 66 ટકા સરેરાશ પીએટી વૃદ્ધિ સાથે અવંતિની અર્નિંગ ગ્રોથ ટ્રેજેક્ટરી તીવ્ર ચડાવ ઉતાર પર જળવાઈ રહે તેવી અપેક્ષા રાખવામાં આવે છે, જો કે, FY19Eમાં નીચા માર્જિન ઘટાડો નોંધાવી શકે, તેમ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે જણાવ્યું હતું. બ્રોકરેજે તાજેતરમાં અવંતી ફીડ પર ‘બાય’ રેટિંગ આપ્યું હતું.

ચાર અન્ય કંપનીઓ જેમણે સમાન દેખાવ કર્યો હતો તેમાં મેઘમણી ઓર્ગેનિક, કેએનઆર કન્સ્ટ્રક્શન, આરતી ઈન્ડસ્ટ્રીઝ અને કેપીઆર મિલનો સમાવેશ થાય છે, જેમના શેર્સ પાછલા પાંચ વર્ષ દરમિયાન 1,000 ટકા કરતાં વધારે ઉછળ્યા છે, કેમ કે કંપનીઓની ટોપલાઈન તથા બોટમલાઈન મજબૂત થઈ છે. બ્રોકરેજ આનંદ રાઠી આરતી ઈન્ડસ્ટ્રીઝ પર ₹1,489ના પ્રાઈસ ટાર્ગેટ સાથે પોઝિટિવ છે. કંપની સ્પેશિયાલિટી કેમિકલ્સ અને ફાર્મા પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ કરે છે તથા વૈશ્વિક બજારમાં હાજરી ધરાવે છે. બ્રોકરેજનો અંદાજ છે કે FY19 માટે કંપની ₹410.80 કરોડનો નફો કરશે તથા FY20 માટે ₹554.50 કરોડનો ચોખ્ખો નફો નોંધાવશે.

રોડનું બાંધકામ કરતી કંપની કેએનઆર કન્સ્ટ્રક્શને પાછલા પાંચ વર્ષ દરમિયાન વેચાણમાં 2.5 ગણા કરતાં વધારે વૃદ્ધિ સામે નફામાં પાંચ ગણો વધારો નોંધાવ્યો હતો. એન્ટિક સ્ટોક બ્રોકિંગે નાણાકીય વર્ષ 2019 માટે કંપનીનો ચોખ્ખો નફો ₹207.70 કરોડ અંદાજ્યો છે તથા 2020 માટે કંપનીનો ચોખ્ખો નફો ₹216 કરોડ અંદાજ્યો છે, જેની સામે 2018 માટે કંપનીનો ચોખ્ખો નફો ₹243.50 કરોડ નોંધાયો છે. બ્રોકરેજ આ કંપની માટે ₹338ની ટાર્ગેટ કિંમત સાથે બાય રેટિંગ આપે છે.

બ્લુચિપ કંપનીઓ ઈન્ફોસિસ, એચડીએફસી બેન્ક, એચડીએફસી, મારૂતિ સુઝુકી અને કોટક મહિન્દ્રા બેન્કે પણ સતત પાંચમાં વર્ષે પણ નાણાકીય વર્ષ 2018માં ચોખ્ખા વેચાણમાં તથા ચોખ્ખા નફામાં વૃદ્ધિ નોંધાવી હતી. પાછલા પાંચ વર્ષ દરમિયાન આ કંપનીઓના શેર્સમાં 10 ટકાથી લઈને 500 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

મોતીલાલ ઓસવાલ એચડીએફસી, એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, ઇન્ફોસિસ, મારૂતિ સુઝુકી અને એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ માટે ‘બાય’ રેટિંગ ધરાવે છે.

સીસીએલ પ્રોડક્ટ્સ, એડલવાઈઝ ફાઇનાન્સિયલ સર્વિસિસ, નેટ્કો ફાર્મા, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, ચોલામંડલમ્ ઈન્વેસ્ટમેન્ટ, ઓરોબિન્દો ફાર્મા અને સોલાર ઈન્ડસ્ટ્રીઝમાં જૂન 2013થી જૂન 2018 દરમિયાન 500 ટકાથી વધારે ઉછાળો નોંધાયો હતો.

એડલવાઇઝ ફાઇનાન્સિયલ સર્વિસિસનો નફો નાણાકીય વર્ષ 2018માં વધીને ₹890.10 કરોડ નોંધાયો હતો જે નાણાકીય વર્ષ 2013માં ₹178.50 કરોડ હતો, જ્યારે તેનું વેચાણ ₹2144.40 કરોડથી વધીને ₹8,405.10 કરોડ નોંધાયું હતું.

બ્રિટાનિયાનો નફો નાણાકીય વર્ષ 2018 માટે વધીને ₹1,000 કરોડથી વધારે હતો જે નાણાકીય વર્ષ 2013માં ₹259 કરોડ હતો. આ એફએમસીજી કંપની મજબૂત સ્થિતિમાં છે કેમ કે તે પ્રોસેસ્ડ ફૂડના સૌથી મોટા સેગમેન્ટમાં લિડરશિપ પોઝિશન ધરાવે છે જેનું માર્કેટ આશરે ₹30,000 કરોડનું છે.

મધરસન સુમી, જેએમ ફાઇનાન્સિયલ, પિડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝ તથા યસ બેન્કમાં પણ વાર્ષિક ધોરણે નફામાં વધારા સાથે સતત પાંચમાં વર્ષે પણ વધારો જોવાયો હતો, પાછલા પાંચ વર્ષ દરમિયાન આ શેરની કિંમત 250-400 ટકા વધી હતી.

આ યાદીના અન્ય નામોમાં પીસી જ્વેલર્સ, એશિયન પેઇન્ટ, સન ટીવી અને એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સનો સમાવેશ થાય છે, જેમના શેર્સમાં સમાન ગાળા દરમિયાન 200 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. એમકે ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસિસ ₹947ની ટાર્ગેટ કિંમત સાથે સન ટીવીમાં હોલ્ડ રેટિંગ ધરાવે છે.

June 28, 2018
ghat1.jpg
1min5280

મુંબઇના ઘાટકોપરમાં જાગૃતિ બિલ્ડિંગ નજીક એક નિર્માણાધીન ઈમારત પર બપોરે 1.13 મિનીટના સમયે એક ચાર્ટર્ડ પ્લેન તૂટી પડ્યું હતું. વરસતા વરસાદ વચ્ચે આ વિમાન તૂટીને બિલ્ડિંગ પર તૂટી પડ્યું હતું. મળતી માહિતી મુજબ કિંગ એર C90એ ૧૨ બેઠકો સાથેનું ખાનગી વિમાન હતું જે જુહુથી ટેક ઓફ થયું હતું. પ્લેનમાં બે પાઈલટ તેમજ બે ટેકનિકલ એન્જિનિયર પણ હતા. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હોવાની પ્રારંભિક માહિતી મળી છે.

આ વિમાન મુંબઈના ઘાટકોપરના સર્વોદયનગર વિસ્તારમાં ક્રેશ થયું છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડ પહોંચી ગઈ હતી.
– જે જગ્યાએ આ વિમાન ક્રેશ થયું તે રહેણાંક વિસ્તાર છે. આ વિમાન લગભગ બપોરે 1.13 વાગ્યે ક્રેશ થયું હતું. આ વિમાન ઉત્તર પ્રદેશ સરકારનું વિમાન VT-UPZ, કિંગ એર C90 છે.


– પહેલાં એવાં સમાચાર આવ્યાં હતા કે પ્લેન ઉત્તર પ્રદેશ સરકારનું છે, પરંતુ બાદમાં સરકાર તરફથી નિવેદન આવ્યું કે આ વિમાન યુપી સરકારનું નથી.
– યુપી સરકારનું કહેવું છે કે તેઓએ વિમાન મુંબઈની એક કંપની UY એવિએશન પ્રાઈવેટ લિમિટેડને વેંચી દીધું હતું.

પ્લેનને રહેણાંક વિસ્તારથી દૂર લઈ ગયો હતો પાઈલટ

– એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે દૂર્ઘટના પછી તેને એક શખ્સને આગની જવાળામાં ઘેરાયેલો જોયો. તે થોડે દૂર ચાલ્યાં બાદ પડી ગયો.
– જણાવવામાં આવે છે કે પાઈલટ આ પ્લેનને નિર્માણધીન ઈમારત તરફ લઈ ગયો કે જેથી વધુ લોકોને નુકસાન ન થાય
– ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીના પ્રમુખ સચિવ ગોયલે કહ્યું કે મુંબઈમાં જે પ્લેન ક્રેશ થયું છે, તેને સરકારે 2014માં વ્હેંચી દીધું હતું.
– મુખ્ય સચિવ અવીનશ અવસ્થીએ કહ્યું કે, ઉત્તરપ્રદેશ સરકાર પાસેથી યૂવી એવિએશને આ પ્લેન ખરીદ્યું હતું. આ કંપનીના મેનેજિંગ ડાયરેકટર દીપક કોઠારી છે.
– અલ્હાબાદમાં આ પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત થયા બાદ આ ડીલ કરવામાં આવી હતી.

June 27, 2018
whatpay3.jpg
1min14930

ભારતમાં લગભગ 10 લાખ લોકો વોટ્સએપની પેમેન્ટ્સ સર્વિસિસનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. સંભવતઃ ટૂંક સમયમાં જ વ્હોટ્સ એપ થકી પેમેન્ટસ સિસ્ટમ શરૂ કરી દેવામાં આવશે. આ સુવિધા ખરીદી, મની ટ્રાન્સફર, ચૂકવણી વગેરેની સુવિધા પૂરી પાડશે અને જાણકારો કહે છે કે વ્હોટ્સ એપ જે રીતે પ્રચલિત છે એ જોતા તેની પેમેન્ટ સિસ્ટમ પણ દેશમાં પ્રચલિત અન્ય મોબાઇલ પેમેન્ટ સિસ્ટમના બાર વગાડી દેશે.

કંપનીના અધિકારીના જણાવ્યા અનુસાર વોટ્સએપ ભારત સરકાર, NPCI અને ઘણી બેન્કો સાથે પેમેન્ટ ફીચરના વિસ્તરણ માટે વધુ યુઝર્સ સાથે કામ કરશે.

વોટ્સએપ છેલ્લા કેટલાક મહિનાથી પેમેન્ટ સર્વિસિસનું ટેસ્ટિંગ કરી રહી છે. જોકે, તેણે લોન્ચિંગની તારીખ જાહેર કરી નથી, પણ જાણકારોના મતે કંપની આગામી કેટલાંક સપ્તાહમાં સર્વિસ લોન્ચ કરશે. વોટ્સએપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ભારતમાં હાલ લગભગ 10 લાખ લોકો વોટ્સએપ પેમેન્ટ્સનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. ફીડબેક બહુ પ્રોત્સાહક છે. લોકોને મેસેજ જેટલી જ સરળતાથી અને સુરક્ષિત રીતે નાણાં મોકલવાનું ગમી રહ્યું છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “વોટ્સએપ ભારત સરકાર, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) અને બેન્કો સાથે પેમેન્ટ સર્વિસને વધુ લોકો સુધી પહોંચાડવા સક્રિય છે.” યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા નાણાકીય ટ્રાન્ઝેક્શન્સ માટે વોટ્સએપને NPCI તરફથી બેન્કો સાથે જોડાણની મંજૂરી મળી ચૂકી છે. અગાઉ ચાલુ વર્ષે Paytmના સ્થાપક વિજય શેખર શર્માએ વોટ્સએપના UPI પેમેન્ટ પ્લેટફોર્મમાં સુરક્ષાનું જોખમ હોવાનો આરોપ મૂક્યો હતો.

June 27, 2018
Monsoon_clouds_near_Nagercoil.jpg
1min13220

વરસાદની બદલાઇ રહેલી સિસ્ટમ ભારત માટે ખતરાની ઘંટી વગાડી રહી છે, જૂન પૂરો થવા આવ્યો પણ હજુ દેશમાં ક્યાંયે વાવણી લાયક વરસાદ પડ્યો નથી કે નથી વોટર સ્ટોરેજમાં નોંધપાત્ર પાણી ભરાવો જોવા મળ્યો છે

ભારતમાં વરસાદની સિસ્ટમ સાવ જ ફેરવાઇ ચૂકી હોવાના નિર્દેશ મળી રહ્યા છે .ભારતમાં સામાન્યઃ મોન્સુન જૂનના પહેલા અઠવાડીયાથી સક્રિય થાય છે. આ વખતે શરૂઆત ત્રણ દિવસ વહેલી થઇ હતી અને એવું લાગ્યું કે ૧૫ જૂન સુધી દેશનો મોટાભાગનો વિસ્તાર તેમાં આવરી લેવાશે. પરંતુ ૧૩ જૂનથી તે પાછું નબળું પડ્યું અને તે ખેચાઇ ગયું છે. આ બાબત ચિંતાજનક છે અને તેના કારણે દેશમાં પાણી અને અન્નનો દુકાળ સર્જાઇ શકે છે.

હાલમાં દેશના અમુક ભાગોમાં જ વરસાદ પડી રહ્યો છે. ૨૬ જૂન સુધી તો વરસાદ સામાન્યપણે દેશના તમામ ભાગોને આવરી લે છે. પરંતુ હાલમાં ચોમાસુ આસામ, મહારાષ્ટ્રના થોડાક વધુ ભાગો, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના કેટલાક ભાગો, બિહાર, મધ્યપ્રદેશ અને દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું હોવાથી હવે વરસાદ શરૂ થયો છે. પરંતુ અત્યારસુધીનો ડ્રાય સ્પેલ ચિંતાનો વિષય છે.

પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ રાજસ્થાનમાં અનુક્રમે માઇનસ ૬૩ ટકા, માઇનસ ૪૩ ટકા, માઇનસ ૫૨ ટકા અને માઇનસ ૫૪ ટકા ઓછો વરસાદ પડ્યો છે. બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પણ અનુક્રમે માઇનસ ૩૮ ટકા, માઇનસ ૪૯ ટકા અને માઇનસ ૩૧ ટકા ઓછો વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ ગુજરાત રિજનમાં હવામાન વિભાગના પેટા-ડિવિઝનોમાં સ્થિતિ ધૂંધળી છે. ૨૨ જૂનના રોજે માત્ર ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામાન્ય વરસાદ (માઇનસ ૧૯ ટકાથી પ્લસ ૧૯ ટકા) વરસાદ રહ્યો હતો. ૧૧ રાજ્યોમાં ઓછો વરસાદ રહ્યો છે અને મોટાપાયે ઓછો વરસાદ ધરાવતા ત્રણ રાજ્યો છે. દરમિયાન આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વધુ (૨૦ ટકાથી ૫૯ ટકા) અને ત્રણ રાજ્યોમાં વધુપડતો વરસાદ (૬૦ ટકા અથવા તેથી વધુ) પડ્યો હતો. દેશમાં વાર્ષિક વરસાદમાં ૧૦ ટકા જિલ્લાઓમાં વધારો થયાનો ટ્રેન્ડ છે, જ્યારે ૧૩ ટકા જિલ્લાઓમાં વરસાદનો ઘટતો ટ્રેન્ડ છે.

આઇએમડીના ત્રણ વિજ્ઞાનીઓ સુરિન્દર કૌર, સુમંત કુમાર દિવાકર અને અશોક કુમાર દાસે ૧૯૬૧ અને ૨૦૧૩ વચ્ચે વિવિધ જિલ્લા અને હવામાનશાસ્ત્રના સબ-ડિવિઝન્સમાં વાર્ષિક અને મોસમી વરસાદના લાંબાગાળાના ટ્રેન્ડનો અભ્યાસ કર્યો હતો. તેમણે આ ગાળામાં વાર્ષિક વરસાદના ટ્રેન્ડનું પણ વિશ્લેષણ કર્યું હતું. તેમના અભ્યાસમાં ૬૩૨ જિલ્લા અને ૩૪ જેટલા હવામાનશાસ્ત્ર સબ-ડિવિઝન્સ સામેલ કરાયા હતા.

આ વિશ્લેષણમાં ૬,૯૯૫ જેટલા વરસાદ ગેજ સ્ટેશનોમાંથી દૈનિક વરસાદના રેકોર્ડની પણ છણાવટ કરાઇ હતી. અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહો અને લક્ષદ્વીપને આ અભ્યાસમાંથી બાકાત રખાયા છે.

June 27, 2018
lic-idbi-1530021374.jpg
1min10660

ભારતની સૌથી મોટી જીવન વીમા કંપની LICના બોર્ડે IDBI બેન્કનો અંકુશાત્મક હિસ્સો ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપી છે, પરંતુ વિશ્લેષકો અને બજારના પંડિતોમાં આ નિર્ણયથી આશ્ચર્ય અને નારાજગી ફેલાઈ છે. (સરકાર માટે) ‘LIC equals ATM’ એવી ટ્વિટ વેલ્યૂ ઇન્વેસ્ટર અને ગુડગાંવની મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (MDI)ના ફાઇનાન્સ પ્રોફેસર સંજય બક્ષીએ કરી છે.

IDBI બેન્ક અને LIC બંને સરકારી કંપની છે. સોમવારે BSE પર IDBI બેન્કનો શેર 1.44 ટકા ઘટીને ₹58.20એ બંધ રહ્યો હતો જ્યારે LICનો શેર 1.55 ટકા ઘટીને ₹490એ બંધ આવ્યો હતો.

IIASના સ્થાપક અને MD અમિત ટંડન કહે છે કે, “બેન્કનો વહીવટ કરવાની આ‌વડત LIC પાસે નથી. શું તે બેન્કનું વડપણ બરાબર સંભાળી શકશે અને બેન્કને યોગ્ય દિશામાં ચલાવી શકશે તે સૌથી મોટો સવાલ છે. આ સિવાય પણ અનેક પ્રશ્નો ચિંતા પેદા કરનારા છે, જેમ કે શેરહોલ્ડર્સ દ્વારા વોટિંગ પર મર્યાદા. સરકાર તેનો વોટ આપી શકે પરંતુ LIC તો ચોક્કસપણે ન આપી શકે.”

IDBI બેન્કનો 10.82 ટકા હિસ્સો LIC પાસે પહેલેથી જ છે અને જો તેણે હિસ્સો 15 ટકાથી વધારવો હોય તો નિયમનકારી મંજૂરી લેવી જરૂરી છે. સૂત્રોને ટાંકીને ઇટી નાઉ ન્યૂઝ ચેનલે જણાવ્યું હતું કે, LICને IDBI બેન્કનો 43 ટકા હિસ્સો ખરીદવામાં રસ છે.

ક્વોન્ટમ સિક્યોરિટીઝના ડિરેક્ટર નીરજ દીવાનનું માનવું છે કે, આ નિર્ણયનો સમય એટલો ખરાબ ન હોવાની શક્યતા છે. અત્યારે કંપનીઓનો મૂડીખર્ચ વધી રહ્યો છે. લગભગ તમામ સેક્ટરની કંપનીઓને પૈસાની જરૂર છે. જેમ કે, ભૂષણ સ્ટીલને ખરીદી લેનારી ટાટા સ્ટીલને પૈસાની જરૂર છે.

કંપનીઓ ઈનઓર્ગેનિક ગ્રોથ કરવા માંગે છે અથવા ક્ષમતામાં વધારો કરવા માંગે છે, આથી તેમને ફંડિંગની જરૂર પડશે અને ધીમે ધીમે ક્રેડિટ ડિમાન્ડ પણ વધશે એમ દીવાને ઇટી નાઉને જણાવ્યું હતું.

IDBI બેન્કે માર્ચ ’18 ક્વાર્ટરમાં ₹5,662.76 કરોડની ખોટ નોંધાવી હતી, જેનું પ્રમાણ માર્ચ ’17 ક્વાર્ટરમાં ₹3,199.77 કરોડ હતું. બેન્કની ઊંચી NPA તથા નેગેટિવ RoAને ધ્યાનમાં રાખીને RBIએ ગયા મહિને તેને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) ફ્રેમવર્ક હેઠળ મૂકી હતી.

June 27, 2018
malya.jpg
1min13740

ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાએ બેન્કોને કિંગફિશર એરલાઇન્સનું બાકી લેણું ચૂકવવા ₹13,900 કરોડની ‘ફ્રીઝ’ થયેલી એસેટ્સના વેચાણ માટે કોર્ટની મંજૂરી માંગી છે.

તા.26મી જુને આપેલા નિવેદન મુજબ માલ્યા અને યુનાઇટેડ બ્રુઅરીઝ હોલ્ડિંગ્સે 22 જૂને કોર્ટમાં અરજી કરીને એસેટ્સના વેચાણમાંથી એકત્ર ભંડોળ લેણદારોને ચૂકવવાની પરવાનગી માંગી હતી.

નિવેદનમાં જણાવ્યા અનુસાર એસેટ્સના વેચાણ પર પ્રતિબંધના કારણે બાકી લેણાં પર વ્યાજ વધી રહ્યું છે. બ્રિટન ભાગી ગયેલા અને અત્યારે ત્યાં જ રહેતા માલ્યાએ જણાવ્યું હતું કે, “મેં PSU બેન્કોનું લેણું ચૂકવવા સારા ઇરાદાથી તમામ પ્રયાસ કર્યા છે અને હજુ પણ ચાલુ રાખીશ. જોકે, રાજકારણથી પ્રેરિત પરિબળોના હસ્તક્ષેપને કારણે આ પ્રક્રિયામાં અવરોધ ઊભો થશે તો હું કંઈ નહીં કરી શકું.”

ઉલ્લેખનીય છે કે, ભારતીય બેન્કોના નાણાં ચૂકવ્યા વગર બ્રિટન ભાગી ગયા પછી માલ્યા પર ભારત અને બ્રિટનમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના ઘણા કેસ ચાલી રહ્યા છે. બ્રિટનની કોર્ટમાં ભારત સરકાર દ્વારા હાલ માલ્યાના પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે.

માલ્યાએ તા.28મી જુન 2018ના રોજ જણાવ્યું હતું કે, “હું બેન્ક ડિફોલ્ટનો પોસ્ટર બોય બની ગયો છું. લોકોનો આક્રોષ ઠાલવવા મને સાધન બનાવાયો છે.” લાંબા સમયે મૌન તોડતા ભાગેડુ બિઝનેસમેને જણાવ્યું હતું કે, “મેં વડાપ્રધાન અને નાણાંમંત્રી બંનેને 15 એપ્રિલ, 2016ના રોજ મારો પક્ષ સમજાવતો પત્ર લખ્યો હતો.

મને બંનેમાંથી કોઈનો જવાબ મળ્યો નથી.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “રાજકીય નેતાઓ અને મીડિયાએ મારી પર એવી રીતે આરોપ કર્યા હતા જાણે હું ₹9,000 કરોડ ચોરીને ભાગી ગયો હોઉં. ધિરાણ આપનારી કેટલીક બેન્કોએ તો મને વિલફુલ ડિફોલ્ટર ગણાવ્યો હતો.”

માલ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, “CBI અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ED)એ સરકાર અને બેન્કોના દબાણને વશ થઈને મારી સામે ઘણા ખોટો આરોપો સાથેની ચાર્જશીટ ફાઇલ કરી છે.” તેમણે કહ્યું હતું કે, “EDએ મારી, મારી ગ્રૂપ કંપનીઓની તેમજ મારા પરિવારની માલિકીની કંપનીઓની લગભગ ₹13,900 કરોડની એસેટ્સ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ટાંચમાં લીધી છે.” ટૂંકમાં, માલ્યાએ જણાવ્યું હતું કે, “મને બેન્ક ડિફોલ્ટ અને લોકોનો આક્રોષ ઠાલવવા માટે ‘પોસ્ટર બોય’ બનાવી દેવામાં આવ્યો છે.”

June 27, 2018
oscar_feature.jpg
1min16550

તબુ, માધુરી દીક્ષિત, અનીલ કપૂર તેમ જ અભિનેતા અલી ફઝલને નિમંત્રણ દેવાયા છે. બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જી (બ્રીજ) તથા માધબી મુખરજી (ચારુલતા)નું નામ પણ આમંત્રણ મેળવનાર સભ્યોમાં

એકેડેમી ઓફ મોશન પીક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સીસ દ્વારા વિક્રમસર્જક 928 નવા સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં બોલીવૂડના સુપરસ્ટાર શાહ રૂખ ખાન, તબ્બુ તેમ જ પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહનો પણ સમાવેશ થાય છે. જગપ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડ સંલગ્ન સંસ્થા વૈવિધ્ય વિસ્તારવા ઈચ્છતી હોવાથી અભૂતપૂર્વ નિર્ણય લેવાયો છે.

અકાદમીએ એક જાહેરાતમાં કહ્યું હતું કે નવા સભ્યોને લીધે મોટા પાયે વૈવિધ્યમાં વધારો થશે. કારણ કે 49 ટકા આમંત્રિત મેમ્બર્સ મહિલા છે તથા 38 ટકા લોકો ત્વચાના વિવિધ રંગ ધરાવે છે. સભ્યો તરીકે 59 દેશના કલાકારોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. 59 દેશના કલાકારોને સભ્યો તરીકે નોતરાં દેવામાં આવ્યાં છે.

ઓસ્કાર એકેડેમીના નવા આમંત્રિતોમાં ભારતનો દબદબો છે. તબુ, માધુરી દીક્ષિત, અનીલ કપૂર તેમ જ અભિનેતા અલી ફઝલને નિમંત્રણ દેવાયા છે. બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જી (બ્રીજ) તથા માધબી મુખરજી (ચારુલતા)નું નામ પણ આમંત્રણ મેળવનાર સભ્યોમાં છે.

યશરાજ ફિલ્મના આદિત્ય ચોપરા તથા નિર્માતા ગુણીત મોન્ગાને પણ આ નામાવલિમાં સ્થાન મળ્યું છે.

ઈમ્તીયાઝ અલીના રોકસ્ટારમાં કામ કરવા બદલ જાણીતા સિનેમાટોગ્રાફર અનિલ મહેતાને, કોસ્ચ્યુમ ડિઝાઈનર ડોલી અહલુવાલિયા તેમ જ મનીષ મલ્હોત્રાને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે.

June 27, 2018
saudi1.jpg
1min20630

સઉદી અરેબિયામાં મહિલાઓને ડ્રાઈવિંગની પરવાનગી આપવામાં આવતાં હવે એ રાજ્યની આવક સઉદી અરેબિયાની ઑઈલ કંપની અર્માકોના શેરના વેચાણ જેટલી થશે. ગઇ તા.24મી જુન 2018ના રોજ લેવામાં આવેલા પગલાથી દેશની આવકમાં 2030 સુધીમાં વધીને 90 અબજ ડૉલર જેટલી થશે, એવું દુનિયાભરના એક્સપર્ટ્સ જણાવી રહ્યા છે. સઉદી અરેબિયન ઑઇલ કંપનીના લગભગ પાંચ ટકા શેરના વેચાણમાંથી લગભગ 100 અબજ ડૉલરની આવક ઊભી કરી શકાય.

આ રીતે ઇકોનોમીને વેગ મળશે

ડ્રાઇવિંગ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાતાં ઑફિસમાં કામ કરતી મહિલાઓની સંખ્યા વધશે, વર્કફોર્સના કદમાં વધારો થશે. એકંદર આવક અને આઉટપૂટમાં વધારો થશે, ઇકોનોમીક એક્સપર્ટે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નોકરિયાત મહિલાઓની વધતી સંખ્યાનો સમાવેશ કરવા અર્થતંત્ર સાનુકૂળ બન્યા પછી જ આ લાભ મેળવી શકાશે. સઉદી અરેબિયાની લેબર માર્કેટમાં મહિલાઓનો સહભાગ નબળો છે. આર્થિક દૃષ્ટિએ માત્ર 20 ટકા મહિલા સક્રિય છે. અખાતના બીજા પાડોશી દેશો કરતાં આ દેશ પાછળ છે.

2016માં બીજા દેશોમાં મહિલાઓનો સહભાગ સરેરાશ 42 ટકા જેટલો હોવાનું જણાયું હોવાથી સઉદી વહીવટીતંત્રે સઉદી અરેબિયાના સમાજને આધુનિક બનાવવા ઘડી કાઢેલા નેશનલ વિઝન 2030 પ્રોગ્રામના મુખ્ય લક્ષ્યાંક પૈકી એક મહિલાઓનો સહભાગ વધારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સઉદી અરેબિયામાં તેમના (મહિલાઓના) એક ટકા પોઇન્ટ ઉમેરવામાં આવે તો લેબર માર્કેટમાં કામ કરતી મહિલાઓની સંખ્યા વધીને 70,000 થાય.

તા.24મી જુન 2018નો દિવસ સઉદી અરેબિયામાં રહેતી મહિલાઓ માટે ઐતિહાસિક દિન બની રહેશે. મહિલાઓના ડ્રાઇવિંગ પરની પાબંદી ઉઠાવી લેવાતાં ઉજવણી કરવા મહિલાઓએ રિયાધના રસ્તાઓ પર ડ્રાઇવિંગ કરવાનો આનંદ માણ્યો હતો.

સઉદી અરેબિયાના ઊર્જા ખાતાના પ્રધાન ખાલિદ અલ-ફાલિહે જણાવ્યું હતું કે ડ્રાઈવિંગ પરની પાબંદી ઉઠાવી લેવાનો અર્થ મહિલાઓ વધુ શક્તિશાળી બનશે અને તેઓ વધુ સક્રિય બનશે.

 

June 27, 2018
firebikes.jpg
1min16650

જયેશ બ્રહ્મભટ્ટ

કોટ વિસ્તાર એટલે કે જુના તળ સિટી વિસ્તાર, ગીચ ગલીઓમાં આગ લાગે કે બિલ્ડિંંગ છત તૂટી ગઈ તો હવે ડરવાનું કારણ નથી. ફાયરબ્રિગેડના કંટ્રોલરૂમમાં ફોન કરવાની સાથે જ ઘટના સ્થળે તુરંત ફાયર મોટરબાઈક મદદ માટે પહોંચી જશે. મુંબઈના સાંકડા રસ્તા અને ગલીઓમાં આવેલી વસતિમાંથી રસ્તો કાઢીને ઘટના સ્થળે ફાયર બાઈક ગણતરીના સમયમાં પહોંચી જશે. મુંબઈ ફાયરબિગ્રેડે પ્રાયોગિક ધોરણે પાંચ ફાયર બાઈકની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે, જેમાં એક બાઈકની કિંમત 76 લાખ 12 હજાર 800 રૂપિયા છે. મુંબઇ બાદ દેશના અન્ય શહેરોમાં પણ ફાયરબ્રિગેડ ફાયર બાઇક્સ કન્સેપ્ટ ઝડપભેર સ્વીકારે એ દિવસો દૂર નથી.


મુંબઈમાં ઠેર ઠેર વિકાસના નામે ઊંચા ઊંચા ટાવર ઊભા થઈ ગયા છે પણ અનેક જગ્યાએ રસ્તાઓ અને ગલીઓ હજી પણ સાંકડી છે. તેમાં પાછું રસ્તા પર ફેરિયાઓ તેમ જ ગેરકાયદે રીતે પાર્કિંગને કારણે રસ્તાઓ પરથી વાહનોને પસાર થવાને જગ્યા ઓછી પડતી હોય છે. ત્યારે આવા સમયે જો કોઈ દુર્ઘટના થાય તો ફાયરબ્રિગેડની ગાડીઓ રસ્તો કાઢીને સમસયર ઘટનાસ્થળે પહોંચી શકતી નથી અને મોટી જાનહાનિ થતા માલમિલકતને નુકસાન થવાનો ભય હોય છે.

કાલબાદેવીમાં આવેલી ગોકુલ નિવાસ બિલ્ડિંગમાં 2015ની સાલમાં લાગેલી આગની દુર્ઘટના સમયે રસ્તો સાંકડો હોવાને કારણે તેમ જ બે ઈમારતની વચ્ચે જગ્યા પણ સાંકડી હોવાને કારણે ફાયરબિગ્રેડની સમયસર મદદ મળી શકી નહોતી અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.ઉપરાઉપરી આગની દુર્ઘટનાઓને પગલે ફાયરબ્રિગેડે આવા સમયે તુરંત ઘટનાસ્થળે પહોંચીને બચાવકામગીરી પાર પાડી શકાય તે માટે કમર કસી છે. તે મુજબ મુંબઈ ફાયરબિગ્રેડે હવે ફાયર બાઈક ખરીદવાનો નિર્ણય લીધો છે અને એક ખાનગી કંપની સાથે પાંચ વર્ષનો કૉન્ટ્રાક્ટ કર્યો છે.

ઇમરજન્સી રિસ્પોન્સ ટાઇમ અડધોઅડધ ઘટી જાય  છે

એક્સપર્ટસ કહે છે કે દરેક મોટા શહેરોમાં ફાયર બ્રિગેડમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં નાના વ્હીકલ્સ હોવા જ જોઇએ. ગીચ વિસ્તારો, સાંકડી શેરીઓમાં જ્યારે હોનારત સર્જાય ત્યારે નાના વ્હીકલ્સ દ્વારા તુરંત ઘટના સ્થળે પહોંચીને તાકીદે બચાવ રાહતની કામગીરી શરૂ કરી શકાય છે. એવી જ રીતે નાની હોનારત કે જ્યાં ફાયર બાઇક્સથી કામ પૂરું થઇ જતું હોય ત્યારે મોટા વ્હીકલ્સને બિનજરૂરી રીતે એકશનમાં લાવીને મેઇન્ટેનન્સ કોસ્ટ શું કામ વધારવાની. મોટા વ્હીકલ્સથી બચાવ રાહત કામગીરી શરૂ થાય તેના કરતા અડધોઅડધ ઓછા સમયમાં ફાયર બાઇક્સથી ઇમરજન્સી રિસ્પોન્સ આપી શકાય છે.

સુરત શહેરમાં પણ આવી જ સ્થિતિ છે. સુરતના કોટ વિસ્તારમાં ગીચ શેરીઓમાં જ્યારે પણ કોઇ હોનારત કે આગ લાગવાની ઘટના બને ત્યારે પણ ફાયર બ્રિગેડને ઘટના સ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલી પડે છે. ફાયર બાઇક્સને કારણે કોઇપણ હોનારત સમયે ઇમરજન્સી રિસ્પોન્સ ટાઇમ મોટા ફાયર વ્હીકલ કરતા અડધોઅડધ ઘટાડી શકાય તેમ હોવાથી નિષ્ણાંતો માને છે કે દેશભરના મહાનગરોમાં આગામી દિવસોમાં ફાયર બાઇક્સ જોવા મળશે.

June 26, 2018
jalyatra.jpg
1min12880

અમદાવાદનાં નગરદેવતા જગન્નાથજી મંદિર, જમાલપુર ખાતેથી નીકળનારી જળયાત્રા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત ૧૦૮ કળશ કે જેમાં જળ ભરીને લાવવામાં આવે છે. રથયાત્રા માટેના ઉપરણાની તૈયારીઓ પણ ચાલી રહી છે. તા.૨૮મી જૂને ‘જળયાત્રા મહોત્સવ’ ઉજવાશે.  ‘જળયાત્રા મહોત્સવ’ જેઠ સુદ પૂર્ણિમા, તા.૨૮મી જૂને ઉજવાશે. આ પ્રસંગે જગન્નાથજી મંદિરેથી મહંત દિલીપદાસજી મહારાજની નિશ્રામાં શોભાયાત્રા સાબરમતી નદીનાં સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન કરવા સવારે ૮ વાગ્યે થશે. સવારે ૮.૩૦ વાગ્યે નદીએથી ૧૦૮ કળશમાં જળભરીને મંદિરમાં લાવવામાં આવશે-ગંગાપૂજન વિધિ થશે. ત્યારબાદ સવારે ૧૦ વાગ્યે ભગવાન જગન્નાથજીની ષોડશોપચાર પૂજન વિધિ મહાજળાભિષેક કરાશે. ત્યારબાદ ગણેશજીના સ્વરૂપમાં ભગવાન જગન્નાથજીના અતિવિશિષ્ટ એવા સવારે ૧૧ વાગ્યે ગજવેશ શણગારના દર્શન થશે.

આ પ્રસંગે ષષ્ઠ પીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજનાં આશીર્વચન થશે. મહોત્સવના મુખ્ય અતિથિ તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. સાથે જ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત ધારાસભ્યો, સાંસદ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.

જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું કે, મંદિરમાં જળયાત્રા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને બીજી તરફ રથયાત્રા માટે ઉપરણા બનાવવાનું કાર્ય મંદિરના સ્વયંસેવકો દ્વારા ચાલી રહ્યું છે.

જ્યારે ઉપરણાના પ્રસાદ અંગે તેમણે જણાવ્યું કે, ભગવાન જગન્નાથજીને નેત્રોત્સવ વિધિ દરમિયાન આ ઉપરણા આંખે બાંધવામાં આવતા હોય છે. જેનાથી તેઓ સ્વસ્થ બને છે. માટે મંદિર દ્વારા ભગવાનની નિજ પ્રસાદીરૂપ આ ઉપરણા અષાઢી બીજે- ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી સાથે નગરચર્યા માટે નીકળે છે ત્યારે માર્ગમાં વહેંચવામાં આવે છે. આ ઉપરણા મંદિરમાં જ, સ્વયંસેવકો દ્વારા જ તૈયાર થયેલા હોય છે. જેની તૈયારી રથયાત્રાનાં ૨૦-૨૫ દિવસ પૂર્વે મંદિર દ્વારા શરૂ થઇ જાય છે. સાથોસાથ આ દોઢ  લાખ કરતાં વધુ ઉપરણા વહેંચવામાં આવે છે. સાથે જ રથયાત્રા પરંપરાગત માર્ગ ઉપર નીકળે છે ત્યારે ભગવાનનો પ્રસાદ ઉપરણા મેળવવા ભક્તોની પડાપડી થાય છે.