CIA ALERT

Slider Archives - Page 453 of 488 - CIA Live

August 27, 2018
amarnath-yatra.gif
1min7550

મુદ્રના સ્તરથી ૧૪,૫૦૦ ફૂટ ઊંચે આવેલી અમરનાથ ગુફામાં સ્વયંભૂ હિમલિંગની પૂજાઅર્ચના, દર્શન કરવા માટે યોજાતી વાર્ષિક અમરનાથ યાત્રા શ્રાવણી પૂનમના દિને છડી મુબારક નામક વિધિ સાથે સંપન્ન થઈ હતી. રવિવારે તા.26મી ઓગસ્ટ 2018ના રોજ પૂર્ણિમા અને રક્ષા બંધનના દિને અંદાજે ૧૫૦ શ્રદ્ધાળુઓએ ગુફાના દર્શન કર્યા હતા. બે માસની અમરનાથ યાત્રામાં અંદાજેે ૨.૮૫ લાખ ભક્તોએ હિમલિંગના દર્શન કર્યા હતા. આ ફેરે અમરનાથ યાત્રામાં ૩૪ શ્રદ્ધાળુ મૃત્યુ પામ્યા હતા. છડી મુબારકની અમરનાથની પવિત્ર ગુફામાં સ્થાપના સાથે યાત્રાની સમાપ્તી થઇ હતી. વર્ષ ૨૦૧૭માં અમરનાથ યાત્રા કરનાર ભાવિક ભક્તોની સંખ્યા ૨.૬૦ લાખ હતી તેમ જ વર્ષ ૨૦૧૨માં ૬.૨૧ લાખ હતી.

આ વખતે ખરાબ મોસમ અને કાશ્મીરના સંજોગો જોતાં અમરનાથ યાત્રામાં ઓછા યાત્રાળુ આવ્યા હતા.

ઉત્તર ભારતમાં શ્રાવણ માસ પૂરો થવા અવસરે પવિત્ર ‘છડી મુબારક’ને રવિવારે તા.26મી ઓગસ્ટ 2018ના રોજ અમરનાથ ગુફામાં સ્થાપિત કરવામાં આવી હતી. દશનામી અખાડાના મહંત દીપેન્દ્ર ગીરીના નેજાં હેઠળ સાધુઓનું એક દળ શ્રીનગરના દશનામી અખાડાથી નીકળ્યું હતું. પૂજાઅર્ચના બાદ છડી મુબારકને ફરીથી તે અખાડામાં જ સ્થાપિત કરી દેવાયું હતું. ‘બર્ફાની બાબા કી જય,’ ‘જય બાબા અમરનાથ બર્ફાની, ભૂખે કો અન્ન, પ્યાસે કો પાની’,‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના ગગનભેદી પોકારોથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.

August 26, 2018
iift1-1280x850.jpg
1min12220

ફર્સ્ટ એન્ડ સેકન્ડ ઈયરના૧૫૦ વિદ્યાર્થીઓ એવિવિધ સામાજિક સંદેશાઓ આપતી રાખડીઓબનાવી

સુરત : શહેરની જાણીતી ફેશન ઇન્સ્ટિટ્યુટ IIFT દ્વારા રક્ષાબંધનને લઈને રાખી મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.ઇન્સ્ટિટયૂટના સંચાલક મુકેશ માહેશ્વરીએ જણાવ્યુ હતું કે કોમ્પિટિશનમાં ફર્સ્ટ અને સેકન્ડ ઈયરના ૧૫૦ વિદ્યાર્થીઓએભાગ લીધો હતો.કોમ્પિટિશનનો વિષય સામાજિક જાગૃકતા રાખવામાં આવ્યો હતો જેને અનુરૂપ વિદ્યાર્થીઓએ વિવિધ સામાજિક સંદેશાઓ આપતીઆકર્ષક રાખડીઓ બનાવી હતી. આ અવસરે મોડલ એન્ડ એફ એક્ટ્રેસખુશી શાહે જજ તરીકેની ભૂમિકા નિભાવી હતી.

કોમ્પિટિશનના અંતે બંને વર્ષ માટે પ્રથમ ત્રણ-ત્રણ વિજેતાઓનાં નામે જાહેર કરાયા હતા. જેમાં પ્રથમ વર્ષમાં સેવગર્લ ચાઈલ્ડપર રાખડીબનાવનાર સુનંદા ગુપ્તા પ્રથમ,સેવનેચર, સ્વચ્છ ભારત પર આધારિત રાખડી બનાવનાર હિમાની બોરડદ્રિતિયઅનેસેવ વોટર થીમ પર રાખી બનાવનાર અંકિતા પટેલે ત્રીજો ક્રમ મેળવ્યો હતો. જ્યારે સેકન્ડ ઈયરના વિદ્યાર્થીઓમાં ગ્રોમોર ટ્રીથીમ પર રાખડી બનાવનાર ગાર્ગી શર્મા પ્રથમ, અગેનેસ્ટહેરેસમેંટપર રાખડી તૈયાર કરનાર મમતા સાવી બીજા અને સ્વચ્છ ભારત થીમ પર રાખડી બનાવનાર કલ્પનાની ત્રીજા સ્થાને રહી હતી.

-x-x-x-x-

 

August 26, 2018
rudraksh-1280x854.jpg
3min22860
દેવકાળની વાત છે ભગવાન શિવ મનને સંયમમાં રાખીને હજારો વર્ષોથી ઘોર તપશ્ચર્યામાં લીન હતા. એક દિવસ અચાનક તેઓએ બંને નેત્રો ખોલ્યાં, જેમાંથી  થોડાંક જળબિન્દુ સરી પડ્યાં. આ બિન્દુમાંથી રુદ્રાક્ષ નામનું વૃક્ષ પેદા થયું. શિવજીએ આ રુદ્રાક્ષને વિષ્ણુભક્તો તેમજ લોકોમાં વહેંચી દીધા.
વિશ્વમાં ઉપલબ્ધ વિવિધ કદ-આકારના રુદ્રાક્ષમાં કયા રુદ્રાક્ષ શ્રેષ્ઠ ગણવા જોઇએ?
આમળાના ફળ જેટલા મોટા રુદ્રાક્ષને શ્રેષ્ઠ ગણાયા છે.  બોર જેવડા હોય તો મધ્યમ અને ચણા જેવડા હોય તો એમની ગણના નિમ્ન કોટિમાં થાય છે. 
રુદ્રાક્ષ આડેધડ રીતે ધારણ કરી શકાતા નથી. ધારણ કરનારાઓ માટે શાસ્ત્રોમાં અનેક નિયમો નિર્દેશિત કરાયા છે. નિયમોનુ પાલન કરી રુદ્રાક્ષ ધારણ કરવાથી સકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય છે. રુદ્રાક્ષ ધારણ કરતાં પહેલાં તેનું વિધિવત પૂજન કરવું જોઈએ અને ત્યારબાદ મંત્ર જાપ કરતાં કરતાં તે ધારણ કરી શકાય છે. રુદ્રાક્ષને શિવનું પ્રતીક ગણવામાં આવે છે. એને યોગ્ય રીતે ધારણ કરાય તો ફાયદાકારક રહે છે.
રુદ્રાક્ષના વિવિધ પ્રકાર છે, નીચે મુજબ છે:
– એક મુખી રુદ્રાક્ષ સાક્ષાત શિવનું સ્વરૂપ છે તે ભોગ અને મોક્ષ આપે છે.
– બે મુખી રુદ્રાક્ષ દેવદેવેશ્વર સંપૂર્ણ કામનાઓ અને ફળ આપનાર છે.
– ત્રણ મુખી રુદ્રાક્ષ અગ્નિ સ્વરૂપ છે. એના પ્રભાવથી વિદ્યા પ્રાપ્ત થાય છે.
– ચાર મુખી રુદ્રાક્ષ સાક્ષાત બ્રહ્માનું સ્વરૂપ છે તેનાં દર્શનથી ધર્મ અર્થ, કામ અને મોક્ષ મળે છે.
– પાંચ મુખી રુદ્રાક્ષ કાલાગ્નિ રુદ્ર રૂપ છે તે કંઇ પણ કરવા સમર્થ છે અને સંપૂર્ણ મન વાંછિત ફળ દેનાર છે.
– છ મુખી રુદ્રાક્ષ કાર્તિકેય સ્વરૂપ છે. જો તેને જમણી બગલની બાજુમાં ધારણ કરવામાં આવે તો બ્રહ્મહત્યા વગેરે પાપોથી મુક્ત થાય છે.
– સાત મુખી રુદ્રાક્ષ અનંગ સ્વરૂપ છે. તેને ધારણ કરનાર દરિદ્રને પણ પણ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
– આઠ મુખી રુદ્રાક્ષ અષ્ટમુર્તિ ભૈરવરૂપ છે. તે ધારણ કરનાર મનુષ્ય પૂર્ણ આયુષ ભોગવે છે.
– નવ મુખી રુદ્રાક્ષ ભૈરવ અને કપિલ મુનિનું પ્રતિક છે. જે મનુષ્ય આ રુદ્રાક્ષ ડાબા હાથમાં ધારણ કરે તે શિવ સમાન સર્વેશ્વર થઈ જાય છે.
– દસ મુખી રુદ્રાક્ષ સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ છે. આ રુદ્રાક્ષને ધારણ કરવાથી સર્વ કામનાઓ પૂર્ણ થઈ જાય છે.
– અગિયાર મુખી રુદ્રાક્ષ રુદ્રરૂપ છે. આ રુદ્રાક્ષને ધારણ કરવાથી મનુષ્ય સર્વત્ર વિજયી બને છે.
– બાર મુખી રુદ્રાક્ષ આદિત્ય સમાન છે તેને કેશમાં ધારણ કરવાથી મસ્તક ઉપર બાર આદિત્યો બિરાજમાન થાય છે.
–  તેર મુખી રુદ્રાક્ષ વિશ્વદેવાનું રૂપ છે તેને ધારણ કરવાથી મનુષ્ય સંપૂર્ણ મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે તથા સૌભાગ્ય અને મંગલનો લાભ કરાવે છે.
– ચૌદ મુખી રુદ્રાક્ષ તે પરમ શિવરૂપ છે. એને ભક્તિપૂર્વક મસ્તક ઉપર ધારણ કરવો, જેથી બધા પાપ નષ્ટ થાય છે.
August 26, 2018
RobotEvolution.jpg
1min5460

મહારાષ્ટ્ર રાજ્ય સરકારે સૌપ્રથમ વખત કૉલેજોને પ્લેસમેન્ટ ઑરિએન્ટેડ અભ્યાસક્રમ શરૂ કરવાની યોજના ઘડી કાઢી છે. કૉલેજોમાંં સાઇબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઇ.) અને પ્રોડક્ટ ડિઝાઇન જેવા અભ્યાસક્રમનો સમાવેશ થશે.

સ્વાયત્ત કૉલેજોમાં આ વિષયને બીજા વિષયના વિકલ્પ તરીકે અપાશે અને અન્ય કૉલેજોમાં વૅલ્યુ ઍડેડ અભ્યાસક્રમ તરીકે ગણાશે. રાજ્ય સરકારની પ્લેસમેન્ટ ઑરિએન્ટેડ અભ્યાસક્રમ બનાવાની યોજના છે. કૉલેજોમાં રોબોટિક્સ, એ.આઇ., સાઇબર સિક્યોરિટી, ડૅટા ઍનાલિટ્કિસ અને કેપિટલ માર્કેટ્સ જેવા અભ્યાસક્રમ શરૂ કરવાની રાજ્ય સરકારની યોજના છે.

ગણતરીની કૉલેજોના કૅમ્પસ પ્લેસમેન્ટ પર રાજ્ય સરકાર નજર રાખશે. પ્લેસમેન્ટમાં વિદ્યાર્થીઓને મળતો સરેરાશ પગાર અને ઇન્ડસ્ટ્રીને વિદ્યાર્થીઓમાં કયા પ્રકારની નિપુણતા જોઇએ છે વગેરે માહિતીઓ પર રાજ્ય સરકાર બૅઝલાઇન સ્ટડી કરશે. છેલ્લે જ્યારે અભ્યાસક્રમમાં ફેરફાર થયો હતો તે વખતના વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ અને અત્યારના વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટની રાજ્ય સરકાર સરખામણી કરશે.

મહારાષ્ટ્ર રાજ્ય સરકારની યોજના છે કે ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો દ્વારા પ્લેસમેન્ટ ઑરિએન્ટેડ અભ્યાસક્રમ બનાવવાનો વિચાર છે તે માટે આઇઆઇટી-બૉમ્બેના નિષ્ણાત પાસેથી રોબોટિક્સ અને એ.આઇ.નો અભ્યાસક્રમ અમદાવાદની નિરમા યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવશે. તે સિવાય સાઇબર સિક્યોરિટી, ડૅટા ઍનાલિટ્ક્સનો અને કૅપિટલ માર્કેટનો અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવશે આ માટે શિક્ષકોને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે.

August 25, 2018
wireless.jpg
1min7480
(તસ્વીરમાં જોઇ શકાય છે એ રીતે આઇફોનની સ્ક્રીન પર વાયરલેસ સિસ્ટમની મદદથી પેટમાં રહેલા ગર્ભનું પરીક્ષણ થઇ શકે છે, તસ્વીર પ્રતિકાત્મક છે)
રાજ્યમાં ભ્રુણ પરીક્ષણ પર પ્રતિબંધ હોવા છતાં યેનકેન પ્રકારે ભ્રુણ પરીક્ષણો થતા રહે છે અને ફક્તને ફક્ત દિકરો અવતરે એવી અપેક્ષા રાખતા પરિવારો દિકરીઓની માં ના પેટમાં જ હત્યા કરી દે છે. રાજકોટમાંથી એક હેરત પમાડે તેવો કિસ્સો પકડાયો છે. સંભવતઃ ગુજરાતનો પહેલો કિસ્સો હશે જેમાં કોઇ વાયરલેસ કનેકટેડ ગેજેટ્સ સાથે સોનોગ્રાફી મશીન્સથી ભ્રુણ પરીક્ષણ કરતા એક મહિલા સમેત ચાર વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. એક્સપર્ટસના કહેવા અનુસાર વાયરલેસ ગેડજેટ્સની મદદથી સોનોગ્રાફી મશીન એટેચ કરીને ભ્રુણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. એક ફુલફ્લેજ સોનોગ્રાફી ક્લિનિકમાં સોનોગ્રાફી મશીન્સ, બેડ વગેરેથી લઇને અન્ય માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ હોય ત્યારે ભ્રુણ પરીક્ષણ શક્ય બની શકે પરંતુ, રાજકોટમાં જે મોડસ ઓપરેન્ડી પકડાય છે એ જોતા હવે વાયરલેસ ઉપકરણથી કોઇપણ સ્થળે જઇને ગેરકાયદે ભ્રુણ પરીક્ષણ કરી આપીને રૂપિયા રળવાની ટેકનીક ભેંજાબાજો અપનાવી રહ્યાની પ્રતીતિ થઇ રહી છે.
ચોટીલાની મણીરત્ન હોસ્પિટલના સંચાલિકા રમા બડમલિયા દ્વારા વાયરલેસ સોનોગ્રાફી મશીન દ્વારા રાજકોટના રૈયા રોડ પર સગર્ભાનું ગેરકાયદે જાતિય ભ્રૂણ પરીક્ષણ કરી આપવામાં આવતુ હોવાની ચોકકસ બાતમી મળી હતી. બાતમીને આધારે રાજકોટ ક્રાઇમ બ્રાંચના એસીપી સરવૈયા, ઇન્સપેક્ટર હિતેષદાન ગઢવી, સબ ઇન્સપેક્ટર અતુલ સોનારાએ બ્રાંચના મહિલા કોન્સટેબલ મિતાલી હિતેન્દ્રભાઇ ઠાકરને  સાથે રાખીને છટકુ ગોઠવ્યું હતું.
વાયરલેસ ઉપકરણ દ્વારા ભ્રૂણ પરીક્ષણ
(રાજકોટથી પકડાયેલા મુદ્દામાલ)
મહિલા પોલીસ મિતાલી ઠાકરે ડમી ગ્રાહક બનીને રમાનો મોબાઇલ ફોન પર સંપર્ક સાધ્યો હતો. મિતાલી ઠાકરને ભ્રૂણ પરીક્ષણ માટે રૈયા રોડ પર દ્વારકેશ પાર્ક પાસે પ્રભુ રેસીડન્સીમાં આવેલ શ્રીમદ્ ભગવદ ગીતા નામના મકાન પર આવવા જણાવાયું હતું. આ સરનામુ મળતા જ  પોલીસ કાફલો જિલ્લા આરોગ્ય શાખાના અધિકારી એમ.એન. ભંડેરી, જુલીબહેન મણિયાર વગેરે ટીમે એ મકાન પર દરોડો પાડયો હતો. જ્યાં વાયરલેસ સોનોગ્રાફી મશીનથી ભ્રુણ પરીક્ષણ કરવામાં આવતું હોવાનું અને ચોટીલાની મણીરત્ન હોસ્પિટલની સંચાલિકા રમા બડમલિયા દ્વારા પરીક્ષણ કરી આપવામાં આવતુ હોવાનું માલુમ પડયું હતું. લોજીનું બનેલુ વાયરલેસ સોનોગ્રાફી મશીન, તેની સાથે જોડાયેલ આઇપેડ વગેરેને સીલ મારીને કબજે કરાયા હતાં. હોસ્પિટલની સંચાલિકા  રમા બડમલિયા કોઇપણ જાતની ડિગ્રી કે તાલિમ વગર જ આ પ્રકારનું પરીક્ષણ કરી આપતી હતી એ બાબતે પણ ગુનો નોંધાઇ રહ્યો છે.
પોલીસે આ ગુનામાં ચોટીલામાં આઇજીપી બંગ્લોઝ સામે આવેલી મણીરત્ન હોસ્પિટલનું સંચાલન કરતા રમા મુળુભાઇ બડમલિયા, રાજકોટની માલધારી સોસાયટી પાસેના મફતિયાપરામાં રહેતાં મહેશ મનુભાઇ રાઠોડ, જામનગર રોડ  પર અવંતીકા પાર્કના નિતેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ સોલંકી અને રૈયા રોડ પર દ્વારકેશ પાર્કની બાજુમાં આવેલ પ્રભુ રેસીડન્સીના હરેશ ગોરધનભાઇ કારિયાની ધરપકડ કરવામાં આવી છે.
મહિલા પોલીસને રૂ.ત્રણ હજારનું ઇનામ ગેરકાયદે ભ્રૂણ પરીક્ષણનું કૌભાંડ પકડી પાડવામાં ડમી ગ્રાહક બનીને છટકુ સફળતાપૂર્વક પાર પાડનાર ક્રાઇમ બ્રાંચની મહિલા કોન્સ્ટેબલ મિતાલી ઠાકરને રૂ. ત્રણ હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું.
ટીમને રૂ. 15 હજારનું ઇનામ
બેટી બચાવ અભિયાન હેઠળ ભ્રૂણની હત્યા થતી રોકવા અને ગેરકાયદે ભ્રૂણ પરીક્ષણ કરનાર સામે કાર્યવાહી કરનાર ક્રાઇમ બ્રાંચની ટીમને રૂ. 15 હજારનું ઇનામ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આપ્યું હતું.
August 25, 2018
karia.jpg
1min6580

સાંજે 5.27 સુધી રક્ષાબંધન ઉજવી શકાય એવો પંડિતજીઓનો અભિપ્રાય

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એવું રક્ષાબંધન તા.26મી ઓગસ્ટ, 2018ના રોજ ઉજવાશે. એટલે કે શ્રાવણી પૂર્ણિમાએ આ વર્ષે પૂર્ણિમા સાંજે 5.27એ પૂર્ણ થતી હોવાથી ત્યાં સુધી જ રક્ષાબંધન થઈ શકશે. જ્યારે વ્રતની પૂનમ તા.25મી ઓગસ્ટે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હિંદુઓની પવિત્ર એવી અમરનાથ યાત્રાની પૂર્ણાહુતિ પણ રક્ષાબંધનનાં રોજ થશે.

સામાન્ય રીતે ભદ્રા વગેરે હોતાં અનેક વખત રાત્રિ રક્ષાબંધન કે બપોર સુધીના જ યોગ આવતા હતા, પરંતુ આ વર્ષે શ્રાવણ સુદ પૂર્ણિમા તિથિ સાંજે 5.27 સુધી જ હોવાથી રક્ષાબંધન એટલે કે બહેનો પોતાના ભાઈઓની રક્ષા માટે બાંધતા રક્ષા સૂત્ર-રાખડી ત્યાં સુધી જ બાંધવા કેમ કે ત્યારબાદ એકમનો પ્રારંભ થઈ જાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રક્ષાબંધનમાં ભદ્રા અને એકમ ત્યાજ્ય હોય છે. સાથોસાથ વ્રતની પૂનમ તા.25મી ઓગસ્ટના રોજ મનાવાશે. જ્યારે આ દિવસે હયગ્રીવ જયંતીની પણ ઉજવણી કરવામાં આવશે.

(સુરતના અડાજણ ખાતે આવેલી પ્રેસિડેન્સી સ્કુલમાં રક્ષાબંધનની ઉજવણી થઇ એ વેળાની તસ્વીર)

આ દિવસે બહેનો ‘યેન બદ્ધો બલિ રાજા દાનવેન્દ્ર મહાબલ:, તેન ત્વામપિ બદ્ધાનિ રક્ષે મા ચલ મા ચલ’ શ્લોકનું ઉચ્ચારણ કરીને બહેને ભાઈના હાથે તો ભૂદેવોએ પોતાના યજમાનનાં હાથે રક્ષા સૂત્ર-રાખડી બાંધવી જોઈએ. આ દિવસે બહેનો પોતાના ભાઈના હાથે રક્ષા સૂત્ર બાંધીને વર્ષભર તેઓના રક્ષણ માટેની શુભકામના વ્યક્ત કરે છે અને જરૂર પડે ભાઈઓ પણ બહેનોની રક્ષા માટે તત્પર રહે છે. ભારતીય પરંપરમાં રક્ષાસૂત્રનું મહત્ત્વ પ્રાચીન કાળથી અકબંધ રહ્યું છે. રક્ષાસૂત્ર માટે જે પ્રાચીન મત મળે છે તે અંતર્ગત ઈન્દ્રાણી એવા શચીએ ઈન્દ્રને રક્ષાસૂત્ર બાંધ્યું હતું. તો લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી હતી. સાથે જ કુંતા માતાએ અભિમન્યુને રક્ષાસૂત્ર બાંધ્યું હતું.

ભૂદેવો પોત-પોતાના વેદ અનુસાર યજ્ઞોપવીત પરિવર્તન કરશે

શ્રાવણી પૂર્ણિમાએ ભૂદેવો પોત-પોતાનાં વેદ અનુસાર યજ્ઞોપવીત પરિવર્તન કરતાં હોય છે. જે અંતર્ગત ઋગ્વેદીય શ્રાવણી તા.૨૫મી ઓગસ્ટના રોજ થશે. જ્યારે તા.26મી ઓગસ્ટે યજુર્વેદ અને અથર્વવેદ શ્રાવણી થશે. જ્યારે તા.11મી સપ્ટેમ્બરના રોજ સામવેદી શ્રાવણી પરિવર્તન થશે.

August 25, 2018
hardik-patel-770x433.jpg
1min14020

આજે તા.25મી ઓગસ્ટ 2018થી પાટીદાર નેતા હાર્દિક પટેલ પોતાના અમદાવાદ ખાતેના નિવાસસ્થાને અનશન શરૂ કરે તે પહેલા જ પોલીસે સમગ્ર રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાંથી હજારો પાટીદારોને અટકાયતીના પગલા રૂપે નજરકેદ કર્યા હોવાની વિગતો જાણવા મળી છે. બીજી તરફ હાર્દિક પટેલ પોતાના નિવાસસ્થાને ઉપવાસ કરવા માટે મક્કમ છે અને જો ભવિષ્યમાં તેની કોઇકને કોઇક કેસમાં ધરપકડ થાય તો જેલમાંથી ભૂખ હડતાળ જારી રાખવાની જાહેરાત કરી ચૂક્યો છે.

બીજી તરફ હાર્દિકના ઘર તરફના માર્ગો પર બેસુમાર પોલીસ ખડકી દેવામાં આવી હોવાના ફોટો પણ સોશ્યલ મિડીયામાં વાઇરલ થઇ રહ્યા છે. શનિવારે સવારે હાર્દિક પટેલે પત્રકારોને જણાવ્યુ હતું કે તે કોઇપણ સંજોગોમાં પોતાના ઉપવાસ ચાલુ રાખશે. હાર્દિક પટેલના સમર્થનમાં કોંગ્રેસના ત્રણ પાટીદાર નેતાઓ પણ હાર્દિક પટેલના ઘરે પહોંચ્યા છે. આ નેતામાં લલિત કથગરા, લલિત વસોયા અને કિરીટ પટેલનો સમાવેશ છે.

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલના અનશનને લઇને સમગ્ર ગુજરાતમાં ઉતેજનાપૂર્ણ માહોલ સર્જાયો છે. આજે હાર્દિક પટેલના નિવાસસ્થાને પહોંચવા માટે નીકળેલા પાટીદાર યુવકોને પોલીસે માર્ગમાં જ શોધી-શોધીને અટકાયતમાં લીધા હોવાના બિનસત્તાવાર સમાચારો સાંપડ્યા છે. ચોટીલા, ઉત્તર ગુજરાત, પંચમહાલ વગેરે વિસ્તારોમાંથી હાર્દિક પટેલના નિવાસસ્થાને પહોંચવાનો પ્રયાસ કરનારાઓને પોલીસ શોધી શોધીને અટકાયતમાં લઇ રહી છે. ટૂંકમાં હાર્દિક પટેલના અનશન પર સમગ્ર ગુજરાતની શાંતિનો આધાર જણાય રહ્યો છે.

પોલીસ તંત્ર દ્વારા પાસ સમર્થકોને હાર્દિકના સમર્થનમાં જતાં રોકવા માટે સૌરાષ્ટ્રભરમાં પાસના કન્વીનરો, સહકન્વીનરો વગેરેને નજર કેદ કરવાનો દોર શુક્રવાર તા.24 ઓગસ્ટ 2018થી જ શરૂ થઇ ગયો હતો. પાસના કાર્યકરો દ્વારા હાર્દિક સુધી પહોંચવા ગેરિલા પધ્ધતિ અપનાવવામાં આવે તેવા નિર્દશો મળે છે. અંદાજે એકાદ હજાર સૌરાષ્ટ્રીયન પાટીદાર તો અમદાવાદ પહોંચી ગયા હોવાનું જાણવા મળે છે. રક્ષાબંધનને દિવસે હાર્દિકને રાખડી બાંધવા ર૦૦ જેટલી પાટીદાર બહેનો સૌરાષ્ટ્રમાંથી હાર્દિકને રાખડી બાંધવા પહોંચશે.

પાસના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ હાર્દિકના ઉપવાસના સમર્થનમાં ગુજરાતભરમાથી પાસના કાર્યકરો સમર્થનમાં ઉમટી પડવા હાકલ થતાં જ સૌરાષ્ટ્રના ગામે ગામથી પાસના કાર્યકરોની ફોજે કેસરિયા કર્યા છે. સેંકડો કાર્યકરોએ  અમદાવાદ પહોંચવા તેમના નામ નોંધાવી દીધા છે. પોલીસ છૈલ્લી ઘડીએ અટકાયતી પગલા લેશે એવી દહેશત સાથે જ પાસના વ્યુહ મુજબ સૌરાષ્ટ્રના અંદાજે એક હજાર  જેટલા કાર્યકરો તો અમદાવાદ અને અમદાવાદની આસપાસ પોહંચી પણ ગયા હોવાનું જાણવા મળે છે.

August 25, 2018
naik.jpg
5min11690

cialive@yahoo.com

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ જેમને બહુમુખી પ્રતિભા ગણાવીને વ્યાવસાયિક પ્રગતિ કરતા સામાજિક ઉત્થાન તેમજ વ્યક્તિગત પ્રતિભાને ધ્યાનમાં રાખીને જેમને પી.એચડી.ની માનદ ઉપાધી એનાયત કરી છે એવા લાર્સન એન્ડ ટોબ્રો કંપનીના નોનએક્ઝિક્યુટિવ ચેરમેન ડો.અે.એમ. નાયક એલ.એન્ડ.ટી.ની વાર્ષિક સાધારણ સભામાં તેમની સામે પૂછાયેલા સવાલોથી એટલા અકળાઇ ઉઠ્યા કે તેમણે કંપનીને જેમને માલિક કહેવાયા છે એવા શેરહોલ્ડરને જ હડધૂત કરીને સભા બહાર કરવાના આદેશ સિક્યુરિટી ગાર્ડસને આપવા પડ્યા હતા.

 

છેલ્લા કેટલાય વર્ષોથી એલ.એન્ડ.ટી. કંપનીમાં અંદરોઅંદર એટલા વિખવાદ ચાલી રહ્યા છે તે હવે સપાટી પર આવી રહ્યા છે. વય મર્યાદાને કારણે નિવૃત થઇ ચૂકેલા ડો.એ.એમ. નાયક 75 વર્ષની વયે પણ નોન એક્ઝિક્યુટિવ ચેરમેનની ખુરશી છોડી શક્તા નથી, ખુરશી ન છોડે એ વાત તો માની શકાય પરંતુ, હવે તેઓ તેમના પર્સનલ પ્રોજેક્ટ સાકાર કરવા માટે એલ.એન્ડ.ટી. કંપનીની મશીનરીનો ઉપયોગ કરી રહ્યા છે અને આ બાબત જ્યારે એલ.એન્ડ.ટી.ની વાર્ષિક સાધારણ સભામાં પૂછવામાં આવી ત્યારે તેઓ એટલા છંછેડાઇ ગયા કે તેમણે સવાલનો જવાબ આપવાની જગ્યાએ સવાલ પૂછનારાઓને જ સભા બહાર કરી દેવાનો આદેશ આપવો પડ્યો.

એલ.એન્ડ.ટી. કંપનીના શેર બાયબેક કરવાની વાત અને બીજો મુદ્દો તેમની પૌત્રી નિરાલીના નામે હોસ્પિટલ માટે કંપનીની જમીન આપવાની બાબત પર સવાલો પૂછવામાં આવતા એલ.એન્ડ ટી.ના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન ડો.એ.એન. નાયક ભારે છંછેડાઇ ગયા હતા.

 

 

For readers in English

 

L&T AGM: AM Naik asks marshals to throw out shareholders for questioning his cancer hospital project on company land

The 73rd AGM of engineering giant Larsen & Tubro (L&T) today witnessed some unpleasant scenes with an irate group non-executive chairman AM Naik summoning security marshals to evict shareholders who questioned him for getting the company’s land to set up a cancer hospital in his granddaughter’s memory.

The drama began when Uday Dixit, a shareholder and an ex-employee of L&T, which is the only large company majority-owned by employees, questioned the rationale for the board to allow Naik to set up a super specialty cancer hospital at the Powai campus in memory of Nirali, Naik’s granddaughter who died of the dreaded disease as a child.

It may be noted that while announcing the hospital Naik had said it was “his monument and legacy to L&T”. Dixit and a few other shareholders said the land allotted for the proposed hospital was supposed to be a manufacturing facility of the company till 2019.

“The land belongs to the collector who has given the licence to the company for manufacturing till 2019. How can you demolish it? We are not fools. How can the structure be demolished before 2019 and build a hospital and residential units? Let shareholders know,” Dixit said.

To this Naik said L&T had paid the money for the land and so it belongs to the company.

To calm down the tempo, Managing Director and Chief Executive SN Subramanyan intervened saying, “we have done it as per the rules and regulations of the company as well as per the government norms. The hospital is not only for employees but also for the general public. “We have taken all the necessary permissions and so there is nothing illegal. Moreover, the land will continue to belong to L&T. We have all the documents and I am answering you with all responsibility,” Subramanyan said.

As the shareholders continued to interfere during the replies, Naik lost his cool and asked Dixit and others to shut up, angering the shareholders who demanded to be heard.

Marshals called in

Following this Naik called security marshals, saying “this is a shareholders’ meeting and not a forum for your individual grievances. Where is the security? Let others talk and if anyone interrupts unnecessarily, throw them out.”

Another shareholder wondered why Naik, who retired last September should continue to call the shots. “At 75, tell me Mr Naik, why can’t you sit at home and play with the kids.” This forced Subramanyan to intervene again and told the shareholders that “Naik has been with this company from nowhere to whatever he is today. And I hope all of you benefited during his tenure including four bonus issues and now a buyback and dividend. Now at 75, he has retired and is only a non-executive chairman.”

Some shareholders also did not like the 9,000-crore share buyback announced saying they will not wish to give up their shares and suggested that the company go for a rights issue.

One shareholder said he stands to lose if he gives up his shares for the money. “I would want to keep the shares for my future generation as I have been possessing L&T shares which originally belonged to my parents. If I retain them, I may earn higher returns in future.”

August 25, 2018
p3-1280x853.jpg
1min8960

Jayesh Brahmbhatt   98253 44944

પરિવર્તન ટ્રસ્ટની પ્રવૃત્તિઓ પરથી પ્રેરણા લઇને શહેરમાં વિકસેલા અનેક નાના જ્ઞાતિ, સમાજ, સમૂહો દ્વારા સામાજિક જનજાગૃતિ માટે જુદા જુદા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે, એક સમાજમાંથી બીજા સમાજના લોકો પ્રેરણા લઇને રચનાત્મક તેમજ સકારાત્મક સહયોગથી સમાજના દરેક પરિવારોને આગળ વધારવામાં મદદરૂપ થાય એનાથી મોટી સિદ્ધિ બીજી કઇ હોઇ શકે.

શહેરના કાંઠા વિસ્તારમાં આવેલા કોળી પટેલ સમાજની બહુલ વસતિ ધરાવતા ગામડાઓમાં સામાજિક પરિવર્તન માટે સતત પ્રયત્નશીલ કાંઠા વિસ્તાર પરિવર્તન ટ્રસ્ટ દ્વારા ગઇ તા.15મી ઓગસ્ટ 2018ના રોજ સમાજના યુવા વર્ગને પ્રોત્સાહિત કરવા માટેનો એક ઉત્કૃષ્ઠ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જુદી જુદી શાળાકીય, કોલેજ, યુનિવર્સિટીની પરીક્ષાઓમાં 65 ટકા કે તેનાથી વધુ ગુણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓને સમાજના આગેવાનોના હસ્તે જાહેરમાં સન્માનિત કરીને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.

તદુપરાંત જુદા જુદા ક્ષેત્રો જેવા કે સ્પોર્ટસ, વ્યાવસાયિક તેમજ અન્ય ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા કોળી પટેલ સમાજના નવયુવાનોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાંઠા વિસ્તાર પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રકાશભાઇ કોન્ટ્રાક્ટરે સી.આઇ.એ.ને જણાવ્યું હતું કે દર વર્ષે તેઓ સમાજના વિદ્યાર્થીઓ તેમજ વિશિષ્ટ પ્રતિભાઓને સન્માન કરવાનો કાર્યક્રમ યોજે છે. આવા કાર્યક્રમોથી યુવાધન વધુ પ્રોત્સાહિત થાય છે. સમાજના યુવાનો પોતાના પરિવાર, સમાજ અને દેશ માટે કંઇક કરી બતાવે એ માટે તેમને પ્રોત્સાહિત કરવાની એક પણ તક અમે જતી કરવા માગતા નથી.

કાંઠા વિસ્તાર પરિવર્તન ટ્રસ્ટ દ્વારા આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ, સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સામાજિક રીત રિવાજોમાં સુધારા, લગ્નોત્સુક યુવક યુવતિઓનો પરિચય સમારો તેમજ પુસ્તિકા વિમોચન વગેરે પ્રકારના કાર્યક્રમો કરીને સામાજિક ઉત્થાન માટે સતત પ્રયાસો કરવામાં આવે છે.

પરિવર્તન ટ્રસ્ટની પ્રવૃત્તિઓ પરથી પ્રેરણા લઇને શહેરમાં વિકસેલા અનેક નાના જ્ઞાતિ, સમાજ, સમૂહો દ્વારા સામાજિક જનજાગૃતિ માટે જુદા જુદા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે, એક સમાજમાંથી બીજા સમાજના લોકો પ્રેરણા લઇને રચનાત્મક તેમજ સકારાત્મક સહયોગથી સમાજના દરેક પરિવારોને આગળ વધારવામાં મદદરૂપ થાય એનાથી મોટી સિદ્ધિ બીજી કઇ હોઇ શકે.

 

August 24, 2018
wea1.jpg
1min7380

ગુજરાતમાં ટેક્સટાઇલ પોલીસી સુધારવા બાબતે આજે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસીએશનના પ્રમુખ શ્રી અશોક જીરાવાળા તેમજ અન્ય મિત્રોએ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા સમક્ષ મુદ્દાસર રજૂઆતો કરી હતી.

શ્રી અશોક જીરાવાળા તેમજ પ્રતિનિધિમંડળની રજૂઆતો હતી કે સુરતમાં અંદાજે 35થી વધુ તો વિવર્સ એસોસીએશ છે, જ્યાં સાડા છ લાખથી વધુ લૂમ્સ કાર્યરત છે અને તેના પર જ સુરતનો કાપડ ઉદ્યોગનો દારોમદાર રહેલો છે, પરંતુ, છેલ્લા કેટલાક વખતથી સરકારની નીતિઓને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગની પરિસ્થિતિ અત્યંત કથળી છે અને આ ઉદ્યોગ પ્રોત્સાહનના અભાવે અન્ય રાજ્યમાં ઢસડાય જાય તેવી ભીંતી છે.

ફેડરેશન ઓફ વિવર્સ વેલફેર એસોસીએશન દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને અપાયેલા આવેદનપત્રમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો ખાસ કરીને વિવર્સને કનડતા ત્રણ ઇશ્યુઓ પર રજૂઆત કરવામાં આવી હતી. પહેલો મુદ્દો વીજળીના દરોને અનુલક્ષીને હતો. ગુજરાતમાં પ્રતિ યુનિટ રુ.7.50નો દર છે જ્યારે મહારાષ્ટ્રમાં પ્રતિ યુનિટ રૂ.3ના દરે વીજળી મળે છે, વિવર્સને સસ્તી વિજળી મળવી જોઇએ એવી રજૂઆત હતી.

બીજો મુદ્દો એ હતો કે મહારાષ્ટ્રમાં સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે અગર જો મહિલાનું એકમ હોય તો તેને પ્રતિ યુનિટ રૂ.1ના દરે વિજળી પૂરી પાડવામાં આવે છે, ગુજરાતમાં પણ મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે આવી યોજના દાખલ કરવી જોઇએ.

ત્રીજો મુદ્દો એ હતો કે મહારાષ્ટ્રમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં 35 ટકા સબસિડી મળે છે. ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ફક્ત 10 ટકા અને ગ્રામીણ વિસ્તારમાં ફક્ત 15 ટકા સબસિડી આપવામાં આવે છે. તદુપરાંત કેપ યુનિટ જે રૂ.25 લાખ છે તેને પણ દૂર કરવાની રજૂઆત કરવામાં આવી હતી.