CIA ALERT

Slider Archives - Page 454 of 488 - CIA Live

August 24, 2018
senior.jpg
1min11260

ભારતીય રેલવેમાં રિઝર્વેશન ટિકિટ માટે વિવિધ ક્વૉટા ફાળવવામાં આવ્યા છે અને સિનિયર સિટીઝન ક્વૉટા હેઠળ તેમને લૉઅર બર્થ ફાળવવાનું જરૂરી છે. આ ક્વૉટા હેઠળ એકલા પ્રવાસ કરનાર સિનિયર સિટીઝનને ટિકિટ ફાળવવામાં આવે, પરંતુ ખરા અર્થમાં સિનિયર સિટીઝન પ્રવાસીને આ લૉઅર બર્થ ક્વૉટાનો લાભ મળતો નથી અને એજન્ટ જ આ લૉઅર બર્થની સીટ ઈને કાળા બજાર કરતાં હોવાનો પ્રવાસી સંગઠને દાવો કર્યો હતો.

લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસ કરતી વખતે જ્યારે સિનિયર સિટીઝનને જ લૉઅર બર્થ ન મળે ત્યારે જેટલી કફોડી સ્થિતિમાં વરિષ્ઠ નાગરિક મૂકાય છે એટલી જ કફોડી સ્થિતિ તેમના પરિવારની પણ હોય છે. હાલમાં મુંબઈનો જ એક પરિવાર આવી સ્થિતિનો સામનો કરી રહ્યો છે. આ બધા વચ્ચે પણ આઘાતજનક વાત તો એ છે કે દસ દિવસ પહેલાં જે મુંબઈ-રાજકોટ દુરંતો ઍક્સ્પ્રેસમાં આ પરિવારને તેમની સાથે સિનિયર સિટીઝન હોવા છતાં લોઅર બર્થ ફાળવવામાં આવી નહોતી એ જ ટ્રેનમાં છ દિવસ પહેલાં એજન્ટ પાસેથી ટિકિટ બુક કરાવનાર પરિવારને લૉઅર બર્થ સીટ ફાળવવામાં આવી છે.

આ અંગે આઈઆરસીટીસીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દરેક ટ્રેનમાં લૉઅરબર્થ સીટ ક્વૉટા હોય છે. આ ક્વૉટામાં એકલા પ્રવાસ કરનારા સિનિયર સિટીઝનને સીટ મળતી નથી, પણ એમાં એકલી પ્રવાસ કરનાર ૪૫ વર્ષની ઉપરની મહિલા કે ગર્ભવતી મહિલા કે પછી દિવ્યાંગ પ્રવાસીને નીચેની સીટ ફાળવવામાં આવે છે. ઉપરાંત જે પ્રવાસી એડવાન્સમાં આઈઆરસીટીસી પરથી સિનિયર સિટીઝન ક્વૉટામાં ટિકિટ બુક કરાવે છે ત્યારે તેમને લૉઅર બર્થ ફાળવવામાં આવે છે, પણ જ્યારે પ્રવાસી ગ્રુપમાં સીટ બુક કરાવે છે અને એ વખતે તેમની સાથે સિનિયર સિટીઝન પ્રવાસી હોય અને તેઓ સિનિયર સિટીઝન ક્વૉટા પર ક્લિક ન કરે ત્યારે તેમને જનરલ ક્વૉટામાં ટિકિટ ફાળવવામાં આવે છે.

કાઉન્ટર પરથી જ્યારે સિનિયર સિટીઝન પ્રવાસી ટિકિટ બુક કરે છે ત્યારે ફોર્મમાં સિનિયર સિટીઝન ક્વૉટાની કૉલમ હોય છે, જેના પર પ્રવાસીએ ટિક માર્ક કરવાનું હોય છે, જેથી તેમને રેલવે લોઅર બર્થ ક્વૉટામાં ટિકિટ ફાળવે છે.

જે પ્રવાસી દસ દિવસ પહેલાં ઓનલાઈન ટિકિટ બુક કરાવે તેને લોઅર બર્થ નથી ફાળવવામાં આવતી અને ત્યાર બાદ એજન્ટ પાસેથી ટિકિટ બુક કરાવનાર પ્રવાસીને લૉઅર બર્થ ક્વૉટામાં ટિકિટ ફાળવવામાં આવે તો આમાં ભૂલ કોની? દસ દિવસ પહેલાં ટિકિટ બુક કરાવનાર પ્રવાસીની કે પછી એજન્ટ પાસેથી ટિકિટ બુક કરાવનારા પ્રવાસીની?

રેલવેએ પોતે જ એવી સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ કે જેમાં ૬૦ વર્ષની ઉંમરના પ્રવાસીઓને ઑટોમેટિકલી લૉઅર બર્થ સીટ મળી જાય.

August 24, 2018
nigerian.jpg
1min12800
દુબઇ એરપોર્ટ પરથી કેવી રીતે નાઇજીરીયન નાગરિક દોઢ કિલો જેટલા કોકેઇન સાથે પ્લેનમાં બેસી શક્યો એ સવાલનો જવાબ સમગ્ર કૌભાંડને ઉજાગર કરે તેમ છે
અમદાવાદ એરપોર્ટ પરથી દોઢેક કિલો કોકેઇન સાથે નાઇજિરીયન યુવાન જોહુ ની ધરપકડ કરવામાં આવી છે. સવાલ એ છે કે દુબઇથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ અમદાવાદથી ડોમેસ્ટીક ફ્લાઇટમાં દુબઇ જઇ રહેલા નાઇજિરીયન જોહુને જો અમદાવાદ એરપોર્ટ પર પકડી શકાયો તો દુબઇ એરપોર્ટ પરથી એ કેવી રીતે પ્લેનમાં બેસી શક્યો, નશીલા પદાર્થોની હેરાફેરી માટે સખત કાયદાઓ ધરાવતા દુબઇના એરપોર્ટમાં દોઢ કિલો કોકેઇન સાથે ઘૂસી જ કેવી રીતે શકાય એ સવાલ ઉપસ્થિત થાય છે. નાઇજિરીયન નાગરિકની પાછળ આંતર રાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ કામ કરતા હોવાના દાર્શનિક પુરાવાઓ મળી રહ્યા છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની હેરાફેરી કરવાના કિસ્સા વધી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કોકેઇનની હેરાફેરીનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. દુબઈથી આવેલા અને મુંબઈ જઈ રહેલા એક નાઇજિરિયન મુસાફરના પેટમાંથી કોકેઇનની 23 કેપ્સ્યુલ મળી આવી હતી. જેનું વજન 448 ગ્રામ અને જેની કિંમત રૂ.67 લાખ 20 હજાર મનાય છે.
નાઇજરીયન નાગરિકની ઘનિષ્ઠ તપાસ દરમિયાન તેના સામાનમાંથી કોકેઇનની 29 કેપ્સ્યુલ મળી આવી હતી જેનું વજન 580 ગ્રામ 750 મિલીગ્રામ અને જેની કિંમત 87,11,250 ગણાય છે. આમ આ નાઇજિરિયન નાગરિક ઝોહુ એલેક્સિસ પાસેથી કોકેઇનનો કુલ 1 કિલો 450 ગ્રામ 480 મિલીગ્રામ જથ્થો મળી આવ્યો હતો. જેની કુલ બજાર કિંમત રૂ.2 કરોડ 17 લાખ ,57,200 થવા જાય છે. આ નાઇજિરિયન નાગરિકની ધોરણસર અટક કરી તા.27 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
એલેક્સિઝ નામનો એક નાઇજિરિયન નાગરિક રાત્રે દુબઈની ફ્લાઇટમાં અમદાવાદ આવ્યો હતો અને મંગળવારે સવારે જેટ એરવેઝની ફ્લાઇટમાં મુંબઈમાં જવા માટે નીકળ્યો હતો. મુંબઈ જવા માટે સિક્યોરિટી એરિયામાંથી ચેકિંગ કરાવીને બહાર નીકળતો હતો, તે સમયે તેની મેટલ ડિટેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી.
એ મુસાફરના પેટમાં કઇંક શંકાસ્પપદ વસ્તુ હોવા અંગે શંકા જતા મેડિકલ તપાસની કાર્યવાહી માટે સી.આઇ.એસ.એફ.ના ઇન્સ્પેક્ટર સતીશ્રા ચૌધરીને સોંપ્યો હતો. એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.બી.પ્રજાપતિ આ નાઇજિરિયન નાગરિકને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તબીબો દ્વારા તેના શરીરની ચકાસણી કરવામાં આવી હતી.
આ ચકાસણી દરમિયાન તેના ગુદાના ભાગેથી પ્રથમ ઇંડા આકાર જેવી સફેદ કલરની 9 મોટી કેપ્સ્યુલ કાઢી હતી. ત્યારબાદ જરૂરી દવાઓ આપી થોડીવાર પછી ગુદાના ભાગેથી જ બીજી 14 મોટી કેપ્સ્યુલ કાઢી હતી. આ બધી કેપ્સ્યુલની અંદર ડ્રગ્સ હોવાનું શકદાર નાઇજિરિયન ઝોહુ એલેક્સિસે જણાવ્યું હતું. જેથી એસઓજીના એસીપી, એફએસએલ અને એનસીબીના અધિકારીઓનો કાફલો સિવિલ હોસ્પિટલ દોડી ગયો હતો. એફએસએલના અધિકારીઓની ચકાસણીમાં આ કેપ્સ્યુલમાં માદક પદાર્થ કેકોઇન હોવાનું ખૂલ્યું હતું. આ અંગે એસ.ઓ.જી.ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
August 24, 2018
cpr1-1280x720.jpg
1min7510

શહેરના રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં પાર્કિંગની વકરી રહેલી સમસ્યા અને તેના પર હાલ ચાલી રહેલા વિવાદ વચ્ચે સુરત શહેર પોલિસ કમિશનર શ્રી સતીશ શર્માએ આજે બપોરે રિંગ રોડ પર ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ગીચ માર્કેટ રોડ્સ પર રાઉન્ડ લીધો હતો.

પોલીસ કમિશનર શ્રી શર્મા તેમની ટીમ સાથે જે જે માર્કેટ નજીક પાર્કિંગની સમસ્યા સર્જાઇ રહી છે ત્યાં પગપાળા ચાલીને ગયા હતા. તેમણે સમગ્ર પશ્ન અંગે સવાલો કરીને જાત માહિતી મેળવી હતી.

અત્રે એ ખાસ નોંધનીય છે કે ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં પાર્કિંગની જગ્યાઓ કવર કરી દેવામાં આવી છે અને વ્યાપારીઓ તેમજ મુલાકાતીઓ રોડ પર વાહનો પાર્ક કરી રહ્યા હોઇ, શહેરના હાર્દ સમા રિંગ રોડ  વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય રહી છે.

સુરત શહેર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર બન્ને સંકલન સાધીને હાલમાં આ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે.

August 24, 2018
gurudas-kamat-mumbai-chembur-charai-.jpg
1min5730

ગઇ તા.23મી ઓગસ્ટ 2018ના દિવસે મુંબઇના ચેમ્બુરની સ્મશાનભૂમિમાં કૉન્ગ્રેસના સિનિયર લીડર ગુરુદાસ કામતના અંતિમ સંસ્કાર સમયે સ્મશાનભૂમિમાં લગાડવામાં આવેલી એક તકતીએ લોકોને જબરદસ્ત મોટો આંચકો આપ્યો હતો. આજથી 9 વર્ષ અગાઉ જે સ્મશાનભૂમિનું નૂતનીકરણ અને લોકાર્પણ જે દિવસે (તા.23મી ઓગસ્ટ 2009) ગુરુદાસ કામતના ફન્ડમાંથી અને તેમના હસ્તે કરવામાં આવ્યું હતું એ જ સ્મશાનભૂમિમાં નવ વર્ષ પછી એ જ (23મી ઓગસ્ટ 2018) તારીખે ગુરુદાસ કામતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

હસુ અડવાણી ચરઈ હિન્દુ સ્મશાનભૂમિ BMC સંચાલિત છે. આ સ્મશાનભૂમિનું નૂતનીકરણ ૨૦૦૯ની સાલમાં સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન તરીકે ગુરુદાસ કામતના ફન્ડમાંથી જ કરવામાં આવ્યું હતું. એથી નૂતનીકરણ બાદ સ્મશાનભૂમિનું લોકાર્પણ પણ ગુરુદાસ કામતના હસ્તે ૨૦૦૯ની ૨૩ ઑગસ્ટે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ કરવામાં આવ્યું એ દિવસે ૨૩ ઑગસ્ટ હતી, આજે નવ વર્ષ પછી ૨૩ ઑગસ્ટના જ દિવસે એ જ સ્મશાનભૂમિમાં ગુરુદાસ કામતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

August 24, 2018
china-1.jpg
1min4030

અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ-વૉરમાં હવે વધુ સંઘર્ષ ન થાય એ માટેની વાટાઘાટો ચાલુ છે ત્યારે અમેરિકાએ ચીન દ્વારા પોતાની ટૅક્નોલોજીની બેફામ ચોરી થઈ રહી હોવાનું જણાવીને ચાઇનીઝ માલ પર બીજા ૧૬ અબજ ડૉલરની આયાત ડ્યૂટી લાદી છે.

ચીને એવું જણાવ્યું છે કે અમેરિકાએ હાર્લી મોટર સાઇકલો, બૉનબોન તથા ઑરેન્જ જ્યૂસ સહિતની સંખ્યાબંધ પ્રોડક્ટોને ટાર્ગેટ કરીને તોતિંગ ડ્યૂટી લાદી છે. અમે એટલી જ સંખ્યાની અમેરિકી પ્રોડક્ટો પર ડ્યૂટી લાદીને તાત્કાલિક વળતો જવાબ આપીશું. વિશ્ર્વના આ બે મોટા રાષ્ટ્રો વ્યાપક અસર પાડનારી ટ્રેડ-વૉર અંગે પહેલીવાર મંત્રણા યોજી રહ્યા છે ત્યારે અમેરિકાએ આ ધડાકો કર્યો છે. ટ્રમ્પે અમેરિકાની વેપાર ખાધ ઘટાડવા આક્રમક વ્યાપારી પગલાં લીધા છે, પરંતુ અમેરિકાના ટ્રેડિંગ પાર્ટનરો આક્રમકતાપૂર્વક તેનો વિરોધ દર્શાવીને પ્રત્યારોપ કર્યા છે. તેમના મત મુજબ આ પગલું અમેરિકી ખેડૂતો, ઉત્પાદકો અને ગ્રાહકોને માટે નુકસાનકર્તા છે. અમેરિકાના બિઝનેસ હાઉસો ઉત્પાદકો માટે ભાવ વધારનારી અને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડનારા ટેરિફ વિશે ખૂબ ચિંતિત છે. હજી બીજા ૨૦૦ અબજ ડૉલરના ચાઇનીઝ માલ-સામાન પર નવી ડ્યૂટીની સંભાવના છે જે વિશે આ અઠવાડિયે જાહેર સુનાવણીઓ થઈ રહી છે. આ ઉપરાંત ટ્રમ્પે તમામ ઑટો આયાત પર ૨૫ ટકાના ટૅક્સનું સૂચન કર્યું છે.

August 23, 2018
cbse1.jpg
1min12860

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) એ 2020 થી ધો.10 અને ધો.12ની પરીક્ષાઓની પ્રશ્નપત્ર પેટર્ન બદલવાની યોજના ધરાવે છે, જેમાં સુધારણાના ભાગરૂપે વ્યાવસાયિક વિષયના પરીક્ષણો ફેબ્રુઆરીમાં અને શક્ય એટલી ઝડપથી તેના પરિણામ જાહેર કરવાની બાબતો પ્રાથમિકતા પર છે.

 

સેન્ટ્રલ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે નવી પરીક્ષા પદ્ધતિ કહો કે પેટર્ન વિદ્યાર્થીઓની વિશ્લેષણાત્મક ક્ષમતાઓ (એનાલિટીકલ) પરીક્ષણ કરશે અને ગોખણપટ્ટી કરીને માર્ક લાવવાની બાબત પર બ્રેક લગાડશે.

સેન્ટ્રલ બોર્ડના પ્રશ્નપત્રના પ્રશ્નોમાં સમસ્યા હલ કરવાની બાબત (પ્રોબ્લેમ સોલ્વિંગ) પર પ્રાથમિકતા હશે. 1 થી 5 માર્ક સુધીના ટૂંકા જવાબો ધરાવતા સવાલો વધુ પ્રમાણમાં પ્રશ્નપત્રમાં સામેલ કરવામાં આવશે. તણાવજનક સ્થિતિમાં વિદ્યાર્થીઓ સ્વયં નિર્ણાયક વિચાર કરી શકે અને પોતાની ક્ષમતા આધારે જવાબ આપી શકે તેવા પ્રશ્નો સામેલ કરાશે. વિદ્યાર્થીઓ પોતાની સમજશક્તિ અનુસાર પ્રશ્નોના જવાબો આપે નહીં કે ગોખણપટ્ટી કરીને પૂરેપૂરા માર્કસ મેળવે એ પ્રકારનું પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે.

સેન્ટ્રલ બોર્ડ 2020થી પ્રશ્નોના પેટર્નમાં ફેરફારો કરવાની યોજના પર હાલ કામગીરી કરી રહ્યું છે. સેન્ટ્રલ બોર્ડ માર્ચ માસમાં તમામ પરીક્ષાઓ પૂર્ણ કરવા તેમજ મૂલ્યાંકન માટે વધુ સમય આપવા અને પરિણામોને શક્ય એટલા વહેલા જાહેર કરવાનું વિચારી રહ્યું છે.

સેન્ટ્રલ બોર્ડના બે ભાગમાં પરીક્ષાઓ – વ્યવસાયિક અને બિન-વ્યાપારી વિષયોને સુનિશ્ચિત કરવાની સંભાવના છે. “વ્યાવસાયિક વિષયો માટેની પરીક્ષાઓ, જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી છે, ફેબ્રુઆરીમાં હાથ ધરવામાં આવી શકે છે જેથી અન્ય વિષયો માટેની પરીક્ષાઓ માર્ચ મહિનામાં લગભગ 15 દિવસમાં પૂર્ણ થઈ શકે છે,” અધિકારીએ જણાવ્યું હતું.

સીબીએસઈ તેના પેટા-નિયમોને બદલવાનો પણ પ્રયાસ કરી રહી છે જે શાળાઓ માટે જોડાણના નિયમો પર અસર કરશે. સૂચિત બાયલો શાળાઓના શૈક્ષણિક ગુણવત્તા પર વધુ ભાર મૂકે છે, જેમ કે શિક્ષકોની ગુણવત્તા, શિક્ષણના પરિણામો અને શિક્ષણ શાસ્ત્ર. બોર્ડ શાળાના ભૌતિક માળખાકીય નિરીક્ષણનું સંચાલન કરશે નહીં, જેના માટે તે શાળાઓના માન્યતા આપતા સંબંધિત રાજ્યના શિક્ષણ / શાળા શિક્ષણ વિભાગોના ડિરેક્ટોરેટના અહેવાલો પર આધારિત હશે.

 

 

 

August 23, 2018
vasundhra_750_1534868510_618x347.jpeg
1min5280
રાજસ્થાનમાં હાલ મુખ્યમંત્રી વસુંધરા રાજે દ્વારા કાઢવામાં આવી રહેલી ગૌરવ યાત્રામાં લખલૂંટ અને બેફામ ખર્ચ કરવામાં આવી રહ્યો હોવા સંદર્ભે રાજસ્થાન હાઈકોર્ટમાં એક રીટ પીટીશન થઇ છે. જેમાં અરજી કરનારે આરોપ લગાવ્યો હતો કે, વસુંધરા રાજેની યાત્રામાં સરકારી મશીનરીનો દુરપયોગ કરવામાં આવ્યો છે.
જેના અનુસંધાને રાજસ્થાન હાઈકોર્ટે ભાજપના પ્રદેશ પ્રમુખ મંડળ લાલ સૈનીને પાર્ટી તરફથી કરાયેલી ખર્ચ અંગે સોગંદનામું દાખલ કરવા આદેશ કર્યો હતો.
ભાજપ દ્વારા રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેની ૪ ઓગષ્ટથી ૧૦ ઓગષ્ટ દરમિયાન યોજાયેલી ગૌરવ યાત્રા માટે રૂપિયા એક કરોડથી વધુનો ખર્ચ કર્યો હોવાની વિગતો સાંપટી છે. પ્રથમ તબક્કાની ગૌરવયાત્રામાં ઉદયપુર-મેવાડ ક્ષેત્રની ૨૩ વિધાનસભા બેઠકમાં પ્રચાર કર્યો હતો. ગોરવયાત્રામાં વસુંધરા રાજેના રથના બ્રાંડિગ માટે ૧.૭૫ લાખ ખર્ચ્યા, ઇંધણના રૂ. ૧.૪૦ લાખ  તેમજ  અન્ય પરચૂરણ ખર્ચ્યા હતાં. જોકે, મીડિયા અહેવાલ અનુસાર ભાજપે ગૌરવ યાત્રા માટે ૧.૧૦ કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં ૪૧.૩૦ લાખ રૂપિયા ટેન્ટ હાઉસ, ૩૮.૯૮ લાખ રૂપિયા પબ્લિસિટી, જેમાં બેનર્સ અને કટઆઉટ સામેલ છે અને ૨૫.૯૯ લાખ રૂપિયા જાહેરાતનો ખર્ચ થયો. ભાજપા પ્રદેશ એકમે જણાવ્યું કે, ૧૬ હજાર રુપિયા પેન ડ્રાઈવ માટે ખર્ચવામાં આવ્યા, એનો ઉપયોગ વસુંધરા રાજેની ગૌરવ યાત્રા દરમિયાન ગીત વગાડવા માટે થયો.
જ્યારે, ૩,૫૦,૦૦૦નો ખર્ચ ગીત કમ્પોઝ કરવા માટે થયો. માસ્ક માટે ૨૦ હજાર અને ભગવા-લીલા રંગના મફલર માટે ૬૩ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો. પાર્ટીએ સ્ટીકલ માટે ૨૬ હજાર, ઝંડા માટે ૧.૧૭ લાખ રૂપિયા સહિતનો ખર્ચ કર્યો હતો. ભાજપે હાઈકોર્ટમાં સોગંધનામું કરીને કહ્યું કે, ગૌરવયાત્રાનો ખર્ચ પાર્ટી એકમ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
August 23, 2018
bandhan.jpg
1min12240

લિસ્ટિંગના પાંચ મહિનામાં બંધન બેન્કનો શેર ₹375ના ઓફર ભાવથી 87 ટકા ઊછળ્યો છે. તેનું માર્કેટ-કેપ યસ બેન્કની નજીક આવ્યું છે. બંધન બેન્ક કરતાં યસ બેન્કની લોન બૂક છ ગણી મોટી અને કુલ આવક સાડા ચાર ગણી વધુ છે. શેરમાં તીવ્ર ઉછાળાથી પ્રાઇસ ટુ બૂક (P/B)ના સંદર્ભમાં ટોચની 10 બેન્કોમાં બંધન બેન્ક સૌથી મોંઘો બેન્ક શેર બન્યો છે.

તા.17મી ઓગસ્ટે બંધન બેંકનો શેર ₹703.20એ બંધ આવ્યો હતો અને માર્કેટ-કેપ ₹83,878 કરોડ હતું, જેનાથી તે દેશની આઠમા ક્રમની સૌથી મોટી બેન્ક બની છે. સાતમા ક્રમની સૌથી મોટી બેન્ક યસ બેન્કનું માર્કેટ-કેપ ₹90,628 કરોડ હતું. બંધન બેન્કનો શેર 8.9ના P/B રેશિયોએ ટ્રેડ થાય છે. ટોચની દસ ખાનગી બેન્કોનો P/B રેશિયો 2.5થી 5.1ની રેન્જમાં છે, જ્યારે સરકારી બેન્કનો 0.9થી 1.4 છે. માર્કેટ-કેપના સંદર્ભમાં HDFC બેન્કનો P/B રેશિયો 5.1 છે.

બંધનનું પ્રીમિયમ વેલ્યુએશન તેના ઊંચા રિટર્ન રેશિયો અને વધુ સારી એસેટ ક્વોલિટીનું પ્રતિબિંબ પાડે છે. FY18માં તેનું રિટર્ન ઓન એસેટ (RoA) 4 ટકાના સ્તરે સૌથી ઊંચું હતું. ટોચની દસ બેન્કોનું RoA બે ટકાથી નીચું છે. બંધનની કુલ એનપીએ 1.25 ટકા હતી, જે સૌથી નીચી છે.

FY18માં બંધનની કુલ આવક ₹5,508 કરોડ અને કુલ ધિરાણ ₹32,339 કરોડ હતું. આ બંને માપદંડમાં તે આ યાદીની સૌથી નાની બેન્ક છે. એનાલિસ્ટ્સ બંધનના શેર માટે હકારાત્મક વલણ ધરાવે છે. બ્લૂમબર્ગનું સરેરાશ રેટિંગ દર્શાવે છે કે છમાંથી પાંચ એનાલિસ્ટ્સે બાય રેટિંગ આપેલું છે અને એકે હોલ્ડ રેટિંગ આપેલું છે.

August 23, 2018
tc1.jpg
1min5670

સોશિયલ મીડિયા દ્વારા તિરંગા ચેલેન્જમાં ભાગ લેનાર દેશભરના ઉત્સાહી 55 યુવાન સામાજિક કાર્યકર્તાઓને નોબલ એશિયન ઓફ ઘી યરપુરસ્કારથી સમ્માનવામાં આવ્યા

 

 

સુરત, તા. 17 – દેશભરના સોશિયલ મીડિયામાં, ખાસ કરીને ફેસબૂક પર ‘તિરંગા ચેલેન્જ’ નામની ડિજિટલ ફ્રેમ હાલ ઓગસ્ટ મહિનામાં ખુબ જ વાયરલ થઈ છે. આ ફ્રેમ દ્વારા એક અવનવો સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે કે ઓગસ્ટ મહિનામાં એક છોડ વાવો અને અન્ય ત્રણ મિત્રોને છોડ વાવવા માટે ચેલેન્જ પડકારો. સુરતથી શરુ થયેલી આ મુહિમ જોતજોતામાં આખા ભારતમાં પ્રસરી ગઈ અને લોકોમાં છોડ વાવી અન્ય ત્રણ મિત્રોને ચેલેન્જ કરવાની જાણે હોડ લાગી ગઈ.

તિરંગા ચેલેન્જ દ્વારા દેશના ખૂણે-ખૂણાથી લોકો જોડાયા જેમાં વિવિધ બ્યુટી પેજન્ટ્સ જીતનાર મોડેલ્સ, પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ તેમજ ડોક્ટરો પણ શામેલ છે. આ તમામ લોકો જેઓએ આ ડિજિટલ ફ્રેમનો ફેસબૂક પર ઉપયોગ કરી પોતપોતાના શહેરમાં હરિયાળી ક્રાંતિ માટે વિશેષ કામ કર્યું તેઓને 15મી ઓગસ્ટે સુરતની ઑરો યુનિવર્સીટી ખાતે બોલાવી ‘નોબલ એશિયન ઓફ ઘી યર’ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સુરત સહિત લગભગ 29 શહેરના લોકોને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો અને તેઓએ આ ‘ગો ગ્રીન’ મુહિમને હજી વધુ આગળ ધપાવવાનો નિર્ણય કર્યો હતો. આ પુરસ્કાર સમારંભમાં શહેરના મેયર જગદીશભાઈ પટેલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ તેમજ કોર્પોરેટર રૂપલબેન  શાહે અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી.

સોશિયલ મીડિયા પર ‘તિરંગા ચેલેન્જ’ની ડિજિટલ ફ્રેમ બનાવનાર ડો. વિમલ રાઠી અને અવેરનેસ ટ્રસ્ટના સેક્રેટરી પ્રવીણભાઈ વોરાએ જણાવ્યું હતું કે ફ્રેમની સફળતાથી તેઓ ખુશ છે પણ એનાથી વિશેષ આ ફ્રેમના કારણે દેશના વિવિધ શહેરોમાં વૃક્ષારોપણ થઇ રહ્યું છે તેનાથી તેઓને વધુ આનંદ છે.

 

 

 

 

August 23, 2018
socialmedia1-900px.jpg
1min6020

Jayesh Brahmbhatt   98253 44944

સોશ્યલ મિડીયા પર પોસ્ટિંગ અંગે કોઇ ધારોધોરણો તો ઠીક પણ નીતિ-નિયમો ન હોવાથી કેટલાક લોકો તેને બેફામ દૂરુપયોગ કરીને લોકોને રંજાડી તો રહ્યા છે પરંતુ, તેની સાથોસાથ અફવાઓ ફેલાવીને સામૂહિક હિંસા થાય તેવા પ્રયાસો કરી રહ્યા હોઇ, ભારત સરકારે આગામી સપ્ટેમ્બર માસથી લાગુ થાય તે રીતે સોશ્યલ મિડીયા પર કાનુની લગામ કસવાની તમામ પૂર્વતૈયારીઓ કરી લીધી હોવાનું જાણવા મળે છે. ભારતના કાયદા હેઠળ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી વધારવા કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરમાં નવી ગાઇડલાઇન્સ દાખલ કરશે. ગાઇડલાઇન્સની રૂપરેખા તૈયાર છે અને તેની જવાબદારી કાનૂની ફર્મને સોંપવામાં આવી છે.

ગાઇડલાઇન્સમાં રહેલી એક અત્યંત મહત્વની જોગવાઇએ છે કે ફેસબુક કે વ્હોટ્સ એપ પર ખોટા સમાચારો, ઉત્તેજક સમાચારો, અફવાઓ, નિંદા કરતી પોસ્ટ્સ વગેરે મોકલનારના મૂળ સુધી કંપનીઓએ પહોંચવું પડશે એટલું જ નહીં પણ તેમની સામે કાનૂની કાર્યવાહી કરવી પડશે. વાંધાનજક પોસ્ટ માટે સ્થાનિક સ્તરે ફરીયાદ થઇ શકે તે માટે સક્ષમ અધિકારીની નિમણૂંક કરવી પડશે

કેન્દ્ર સરકારની ગતિવિધિઓ જોતા એવું જણાય આવે છે કે સોશિયલ મીડિયા ખાસ કરીને ફેસબુક અને વ્હોટ્સ એપ સંબંધી માર્ગરેખાનું નોટિફિકેશન કલમ 79 હેઠળ આવશે. વોટ્સએપના પ્લેટફોર્મ દ્વારા ફેલાયેલી અફવાઓને કારણે થયેલી હિંસા સામે પગલાં લેવા વોટ્સએપને કરેલી તાકીદ સામે મેસેજિંગ કંપનીના નબળા પ્રતિસાદ પછી સરકારે કાયદો કડક બનાવવાની કવાયત હાથ ધરી છે.

સંભવતઃ સપ્ટેમ્બર 2018થી દાખલ થઇ શકે નિમ્નલિખિત જોગવાઇઓ

(1) બોગસ, ખોટો, ઉત્તેજક મેસેજ ફેલાવનારા સુધી પહોંચવું પડશે સોશ્યલ મિડીયા કંપનીઓએ

(2) અફવાઓ ફેલાવનારા, ખોટા મેસેજ કરનારા સુધી પહોંચ્યા પછી તેમની સામે ફોજદારી દાખલ કરવી પડશે

(3) સ્થાનિક રાષ્ટ્રીય સ્તરે ફરીયાદ અધિકારીઓની નિમણૂંક કરવી પડશે સોશ્યલ મિડીયા કંપનીઓએ

(4) વાંધાજનક કન્ટેન્ટ ચોક્કસ સમય મર્યાદામાં દૂર કરવું પડશે કંપનીઓએ

સૂચિત સોશ્યલ મિડીયા રેગ્યુલેશન્સ ગાઇડલાન્સમાં ગ્લોબલ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા કંપનીઓ માટે ભારતમાં ફરિયાદ અધિકારી નીમવાનું ફરજિયાત બનશે. તેણે ફરિયાદના ગણતરીના કલાકોમાં પ્રતિસાદ આપવો પડશે અને કન્ટેન્ટ માટે જવાબદાર વ્યક્તિ કે ગ્રૂપને પકડવાની જવાબદારી પણ તેની રહેશે. IT એક્ટની કલમ 79 હેઠળ ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ 2011માં નોટિફાય કરવામાં આવી હતી.

કંપનીઓને વાંધાજનક કન્ટેન્ટ દૂર કરવા 36 કલાકનો સમય આપવાની જોગવાઈ છે. ઉપરાંત, કંપનીએ તેની વેબસાઇટ પર ફરિયાદ અધિકારીનું નામ લખવું પણ જરૂરી છે. જોકે, આ માર્ગરેખાનો કડક અમલ થયો ન હતો.

ઇન્ટરનેટ ફર્મ્સ ગૂગલ અને વોટ્સએપની માલિક ફેસબૂક ઇન્ટરમીડિયરીઝની કેટેગરીમાં આવે છે. આ કંપનીઓ સંદેશની આપ-લે માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે, પણ માહિતીના સર્જન કે ફેરફારમાં સક્રિય ભૂમિકા ભજવતી નથી. હવે અમારે IT એક્ટની કલમ 79 હેઠળ માર્ગરેખા જાહેર કરવાની છે. ત્યાર પછી અમે વોટ્સએપ (કે અન્ય ઇન્ટરનેટ કંપની)ને કાયદાનું પાલન નહીં કરવા બદલ જવાબદાર ઠેરવી શકીએ. કાયદો અમને કડક પગલાંના અમલમાં મદદ કરશે. અત્યારે કન્ટેન્ટ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોવાથી મેસેજનું મૂળ શોધી શકાતું નથી.