CIA ALERT

Slider Archives - Page 454 of 491 - CIA Live

September 1, 2018
indiahocky-1280x720.jpg
1min5360

ભારતના પુરુષોની હૉકી ટીમ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવામાં અસફળ રહી અને હવે આજે બ્રૉન્ઝ માટે પાકિસ્તાન સાથે ટક્કર ઝીલવાનો વખત આવી પડ્યો એવી ભારતીય ટીમની અણધારી હાલતથી ક્રોધિત હૉકી ઇન્ડિયાના મોવડીઓએ કહ્યું છે કે ચીફ કોચ હરેન્દ્ર સિંહ અને તેમના સપોર્ટ સ્ટાફે પોતાની નોકરી ટકાવવી હોય તો આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં ભારતમાં યોજાનારી વર્લ્ડ કપ ટુર્નામેન્ટ તેમના માટે છેલ્લો મોકો છે.

વિશ્ર્વમાં પાંચમી રૅન્ક ધરાવતું ભારત ૨૦૧૪ની ગઈ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું, પરંતુ આ વખતે ટાઇટલ જાળવી રાખવા ફેવરિટ હોવા છતાં સિલ્વર મેડલથી પણ વંચિત રહી ગયું છે. સેમી ફાઇનલ પહેલાં ભારતીય ટીમે કુલ ૭૬ ગોલ કર્યા હતા છતાં સેમી ફાઇનલમાં ૧૨મા નંબરના મલયેશિયા સામે છેલ્લી ઘડીએ એક ગોલ આપી દેતાં મૅચ ૨-૨ની બરાબરી બાદ સડન-ડેથમાં ગઈ હતી જેમાં ભારત ૬-૭થી હારી ગયું હતું.

ભારતમાં હૉકીની રમતનું સંચાલન કરતા હૉકી ઇન્ડિયાના એક અધિકારીએ પીટીઆઇને જણાવ્યું હતું કે ‘આપણા પુરુષ હૉકી ખેલાડીઓ બગડી ગયા છે. તેઓ જ્યારે જુઓ ત્યારે સોશિયલ મીડિયા પર જ હોય છે. શિસ્ત જાળવવા બાબતમાં તેમને કોઈ પરવા જ નથી હોતી. તેમણે ઍથ્લેટો, શૂટરો અને બૅડ્મિન્ટન ખેલાડીઓ પાસેથી શીખવું જોઈએ.’ મલયેશિયા સામેની સેમી ફાઇનલ હારને લીધે ભારત ૨૦૨૦ની ટોક્યો ઑલિમ્પિક્સમાં સીધો પ્રવેશ કરવાથી પણ વંચિત રહી ગયું છે. અધિકારીએ પીટીઆઇને વધુમાં કહ્યું હતું કે ‘ભારતીય ટીમનો આ પર્ફોર્મન્સ બિલકુલ અસ્વીકાર્ય છે. તેમણે બે વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે. નબળી ટીમો સામે કુલ ૭૬ ગોલ કરીને તેઓ વધુપડતા આત્મવિશ્ર્વાસથી ફુલી ગયા હતા. ઉપરથી નીચે સુધીનું આખું ટીમ-મૅનેજમેન્ટ આ નિષ્ફળતા માટે દોષી કહેવાય. તેઓ માત્ર બેઠાં રહીને પગાર નહીં ખાઈ શકે.’

September 1, 2018
ssc.jpg
1min9180

વર્ષ ૨૦૧૭ની સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી)ની સહિયારી સ્નાતક સ્તરની પરીક્ષાના પરિણામોની ઘોષણા કરવા પર તેમ જ ૨૦૧૭ની સહિયારી સિનિયર સેક્ધડરી સ્તરની પરીક્ષા આડે સુપ્રીમ કોર્ટે શુક્રવારે સ્ટે આપતાં કહ્યું હતું કે પરીક્ષા અને આખેઆખી સિસ્ટમ કલંકિત છે.

૩૧મી ઑગસ્ટે ચુકાદો દેતાં અદાલતે કહ્યું હતું કે અમે લોકોને એસએસસી પરીક્ષાના કૌભાંડમાંથી લાભ લઈને નોકરી મેળવવાની મંજૂરી આપી શકીએ એમ નથી, એમ અદાલતે ઉમેર્યું હતું.

ફેબ્રુઆરીમાં યોજાયેલી એસએસસીની પરીક્ષામાં કંઈ કેટલીય ગેરરીતીઓ આચરવામાં આવી હતી. પ્રશ્ર્નપત્રો લીક થઈ ગયા હતા એવા આક્ષેપો પણ થયા હતા. મોટે પાયે ચીટીંગ કરાયું હોવાના આક્ષેપો પણ થયા હતા. આથી મોટે પાયે વિરોધ પ્રદર્શનો પણ યોજાયા હતા. કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં આ મામલે કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (સીબીઆઈ)ની તપાસનો આદેશ આપ્યો હતો. પેપર ફૂટી ગયા સંદર્ભે મેમાં ૧૭ વ્યક્તિની વિરુદ્ધ એફઆઈઆર પણ કરાઈ હતી.

September 1, 2018
shiva.jpg
1min5910

ભારત અને નેપાળે બિહારના રાક્સુલ શહેર અને નેપાળના કાઠમંડુને જોડતી રેલવે લાઇન માટેના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં નેપાળના પ્રવાસે છે. તેમણે નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી સાથે દ્વિપક્ષીય સંધિના તમામ મુદ્દા પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત મોદી અને ઓલીએ યાત્રાળુઓ માટેની ૪૦૦ ખાટલાની નેપાળ-ભારત મૈત્રી પશુપતિ ધરમશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદી અને ઓલી વચ્ચે આ વર્ષમાં આ ત્રીજી મીટિંગ છે. એપ્રિલ મહિનામાં ઓલીની ભારત મુલાકાત દરમિયાન તેઓ પહેલી વાર મળ્યા હતા. ત્યાર બાદ વડા પ્રધાન મોદીની મે મહિનામાં નેપાળ મુલાકાત દરમિયાન તેઓ મળ્યા હતા.

‘અમે ભારત-નેપાળ સંબંધોની વિવિધ બાબતો અંગે ચર્ચા કરી હતી. બંને દેશોના આર્થિક, વેપારી અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત બનાવવા અંગે અમે ચર્ચા કરી હતી,’ એમ મોદીએ જણાવ્યું હતું. રાક્સુલ અને કાઠમંડુ વચ્ચે રેલવે લાઇનને કારણે બંને દેશના લોકોની અવરજવરમાં અને માલસામાનની હેરફેરમાં સરળતા રહેશે એમ વિદેશ વ્યવહાર મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું હતું.

August 31, 2018
schoo-1280x720.jpg
1min12710
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૯થી ૧૨ની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધા બાદ ધોરણ-૯ અને ધોરણ-૧૧ સાયન્સમાં વર્ગ બઢતી અંગેના નિયમો જાહેર કર્યા છે. ધોરણ-૯ અને ધોરણ-૧૧ સાયન્સમાં વિદ્યાર્થીઓને પાસ થવા માટે ૩૩ ટકાનો નિયમ રાખવામાં આવ્યો છે. જોકે, એક નિયમ તરીકે વિદ્યાર્થીને પાસ થવા માટે સિધ્ધી ગુણ અને કૃપા ગુણ ફરજિયાત આપવાનો પણ નિર્ણય લેવાયો છે.
ધોરણ-૧૧ સાયન્સ માટેના વર્ગ બઢતીના નિયમો
* પ્રથમ પરીક્ષા માટે ૫૦ ગુણના પેપરમાંથી પ્રથમ પરીક્ષા સુધીના અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પુછવાના રહેશે
* બીજી પરીક્ષા માટે ૫૦ ગુણના પ્રશ્નપત્રમાં પ્રથમ પરીક્ષા સુધીના અભ્યાસક્રમમાંથી ૧૫ ગુણ અને પ્રથમ પરીક્ષાથી બીજી પરીક્ષા સુધીના અભ્યાસક્રમમાંથી ૩૫ ગુણના પ્રશ્નો પુછવાના રહેશે
* વાર્ષિક પરીક્ષા માટે ૮૦ ગુણના પેપરમાં સમગ્ર અભ્યાસક્રમમાંથી પ્રશ્નપત્ર તૈયાર કરવાના રહેશે, જ્યારે ૨૦ ગુણ આંતરીક મુલ્યાંકનના રહેશે
* વાર્ષિક પ્રાયોગીક પરીક્ષા ૫૦ ગુણની લેવાની રહેશે.
* વાર્ષિક પરીક્ષા સહિત વર્ષ દરમિયાન ૩ પરીક્ષા લેવાશે, આ ત્રણ પૈકી વર્ગ બઢતી માટે બે પરીક્ષા આપવી ફરજિયાત છે.
* પાસ થવા માટે વિદ્યાર્થીએ જે તે વિષયમાં ૩૩ ગુણ મેળવવાના રહેશે
* આંતરીક મુલ્યાંકનમાં ૫ ગુણ પ્રથમ સત્રની સામયિક કસોટીના, ૫ ગુણ બીજા સત્રની સામયિક કસોટીના, ૫ ગુણ નોટબુક સબમીશનના અને ૫ ગુણ સબ્જેક્ટ એનરીચમેન્ટ એક્ટીવીટીના રહેશે.
* સ્કૂલો વર્ગ બઢતીના નિયમો ઉંચી કક્ષાના રાખવા ઈચ્છતી હોય તો રાખી શકશે પરંતુ તે પહેલા બોર્ડ સમક્ષ દરખાસ્ત કરવાની રહેશે.
* અકસ્માત થયો હોય ત્યારે એક પરીક્ષા ન આપનાર વિદ્યાર્થી માટે અન્ય પરીક્ષાના ગુણને ટકામાં રૂપાંતર કરી ગેરહાજર રહેલા પરીક્ષાના ગુણ ગણી નિયમ પ્રમાણે વર્ગ બઢતી લાયક ગણવાનો રહેશે.
* વિદ્યાર્થીની શાળામાં હાજરી ૧૦૦ ટકા ફરજિયાત છે, પરંતુ વિદ્યાર્થીની માંદગી, કુટુંબમાં શોક, રહેઠાણ ફેરફાર જેવા કિસ્સામાં તુટ મંજુર કરી શકાશે. જેમાં ૧૫ ટકા સુધીની છુટ આચાર્ય આપી શકશે. ૧૬થી ૨૫ ટકા સુધીની છુટ ડીઈઓ આપી શકશે અને ૨૬ ટકા કરતા વધુ છુટ બોર્ડના સચિવની પુર્વ પરવાનગીથી આપી શકાશે.
* બોર્ડની પરીક્ષામાં દિવ્યાંગ બાળકોને જે છુટછાટ મળે છે તે ધોરણ-૧૧ની શાળાકીય પરીક્ષામાં પણ આપવાની રહેશે.
ધોરણ-૯ માટેના વર્ગ બઢતીના નિયમો
* પ્રથમ કસોટી ૫૦ ગુણ, બીજી કસોટી ૫૦ ગુણ, વાર્ષિક પરીક્ષા ૮૦ ગુણ અને આંતરીક મુલ્યાંકનના ૨૦ ગુણ રહેશે.
* આંતરીક મુલ્યાંકનમાં ૫ ગુણ પ્રથમ સત્રની સામયિક કસોટીના, ૫ ગુણ બીજા સત્રની સામયિક કસોટીના, ૫ ગુણ નોટબુક સબમીશનના અને ૫ ગુણ સબ્જેક્ટ એનરીચમેન્ટ એક્ટીવીટીના રહેશે.
* સ્વાસ્થ્ય અને શારિરીક શિક્ષણ, ચિત્રકામ, સંગીત, સીવણ અને ભરત, કમ્પ્યુટર અધ્યયન જેવા વિષયોની વર્ષ દરમિયાન એક જ વાર્ષિક પરીક્ષા લેવાની રહેશે.
* દરેક વિષયમાં પાસ થવા માટે ૩૩ ગુણ મેળવવાના રહેશે
આંતરીક મુલ્યાંકનમાં ૫ ગુણ પ્રથમ સત્રની સામયિક કસોટીના, ૫ ગુણ બીજા સત્રની સામયિક કસોટીના, ૫ ગુણ નોટબુક સબમીશનના અને ૫ ગુણ સબ્જેક્ટ એનરીચમેન્ટ એક્ટીવીટીના રહેશે.
August 31, 2018
TC.jpg
1min14340

ક્યારેક નકલી રેલવે-પોલીસ તો ક્યારેક નકલી TC બનીને જ્વેલરી પહેરેલા પ્રવાસીઓને અથવા તો ટિકિટ કન્ફર્મ કરવાના નામે રેલવે-પ્રવાસીઓને ઠગનારા બે આરોપીઓને બોરીવલી રેલવે-પોલીસે પકડી પાડ્યા છે. આ આરોપીઓ ગુજરાત-રાજસ્થાન આવતા-જતા પ્રવાસીઓને વધુ ટાર્ગેટ બનાવતા હતા. એક મારવાડી રેલવે-પ્રવાસીની ફરિયાદને આધારે પોલીસ આ આરોપીઓ સુધી પહોંચી શકી હતી અને તેમને રંગેહાથ પકડી પાડ્યા હતા. આરોપીઓને પકડવામાં રેલવે-પોલીસને CCTV કૅમેરાની સારી મદદ મળી હતી.

TC

મળતી માહિતી મુજબ ૪૮ વર્ષના અમરજિત સિંહ અને ૩૫ વર્ષના રાજવીર શર્માને પોલીસે પકડ્યા છે. બોરીવલીથી રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર ભારત તરફ જવાવાળી ટ્રેનના રેલવે-પ્રવાસીઓને ક્યારેક નકલી TC બનીને તો ક્યારેક રેલવે-પોલીસ બનીને ઠગતા હતા.

પકડાયેલા આરોપીઓ વિવિધ ભાષાઓ પર સારો કમાન્ડ ધરાવે છે. ટ્રેનમાં અને પ્લૅટફૉર્મ પર નકલી TC બનીને વેઇટિંગ ટિકિટ કન્ફર્મ કરવાના નામે પૈસા લઈને ફરાર થઈ જતા હતા તો અમુક વખતે જ્વેલરી પહેરીને આવેલી મહિલા પ્રવાસીઓને ટાર્ગેટ બનાવવા રેલવે-પોલીસ બનીને જતા હતા. મહિલા પ્રવાસીને કહેતા કે ટ્રેનમાં જ્વેલરી પહેરીને યાત્રા ન કરવી જોઈએ એટલે એને ઉતારી લો એટલે મહિલાઓ જ્વેલરી ઉતારી લેતી હતી. ત્યાર બાદ એક કાગળ આપીને જ્વેલરી એમાં રાખવા કહેતા હતા. મહિલા જેવી આરોપી દ્વારા આપવામાં આવતા કાગળિયામાં જ્વેલરી રાખતી એમ ખૂબ ચતુરાઈથી તેઓ કાગળિયાને બદલી નાખતા અને રફુચક્કર થઈ જતા હતા એટલું જ નહીં, પકડાયેલા આરોપી રેલવેના મોટા અધિકારીઓનાં નામ લઈને નોકરી અપાવવાના ઝાંસામાં લોકોને ફસાવતા હતા.’

આરોપીઓને CCTV કૅમેરાની મદદથી પકડવામાં આવ્યા એમ જણાવતાં બોરીવલી ગવર્નમેન્ટ રેલવે-પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય પાટીલે કહ્યું હતું કે ‘આ વિશે ફરિયાદ મળ્યા બાદ પોલીસની ટીમે પ્લૅટફૉર્મના CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતાં. ત્યાર બાદ આરોપીઓને પ્રવાસીને ફસાવતા રંગેહાથ પકડ્યા હતા. પકડાયેલા આરોપીઓ પર રેલવે-પોલીસની સાથે સિટી પોલીસમાં પણ અનેક કેસ દાખલ છે. તપાસ દરમ્યાન આરોપીઓએ એવું કહ્યું હતું કે તેમની સાથે પણ આવો બનાવ બન્યો હતો અને ત્યાર બાદ તેમને એવું લાગ્યું કે પૈસા કમાવાનો આ એક આસાન તરીકો છે. આ લોકોએ છેલ્લા એકથી દોઢ મહિનામાં ત્રણ બનાવને અંજામ આપ્યો છે. એક પ્રવાસી પાસેથી આરોપીઓએ સાડાત્રણ લાખ રૂપિયાના દાગીના લૂંટ્યા હતા.’

August 31, 2018
crime.jpg
1min6780

રાજકોટના પડધરી પાસેની ગાર્ડી ઈન્ટરનેશનલ સ્કૂલની બે વિદ્યાર્થિનીને ભગાડી ગયા બાદ બે વર્ષે લંપટ પ્રોફેસર ધવલ ત્રિવેદી પોલીસના હાથમાં આવ્યો હતો અને જેલ હવાલે કરાયો હતો.
પડધરીમાં આવેલી ગાર્ડી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી જામનગર પંથકની બે સગીરાનું સ્કૂલના પ્રિન્સીપાલ તરીકે નોકરી કરતા મૂળ વડોદરાના ધવલ હેમેન્દ્ર ત્રિવેદી નામનો વિપ્ર પ્રૌઢ મોહજાળમાં ફસાવી અપહરણ કરી ગયો હતો. પંજાબ પંથકમાં બે વર્ષ સુધી રહ્યા બાદ સીઆઈડી ક્રાઈમે ઝડપી લીધો હતો અને જેલહવાલે કરી દીધો હતો. આ ગુનામાં ધવલ ત્રિવેદીને આજીવન કેદની સજા થઇ હતી.
બાદમાં બે વખત પેરોલ પર છૂટયો હતો.ત્રીજી વખત છૂટયા બાદ ચોટીલા પહોંચ્યો હતો અને કુંભારા ગામની કોલેજિયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ગયો હતો. આ મામલે ચોટીલા પોલીસે ગુનો નોંધ્યો હતો. ચાર ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને લંપટ ધવલ ત્રિવેદી યુવતી સાથે દિલ્હી પહોંચ્યાના સગડ મળતા પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી હતી. દિલ્હીમાં નાણા ખૂટી જતા મોબાઈલ વેચી નાખ્યો હોય તે કબજે કરી ધવલ ત્રિવેદી’ અને યુવતીની શોધખોળ શરૂ કરી હતી.
August 31, 2018
Toy-babies-woman-gave-baby_01A.jpg
1min12150

ડૉક્ટરે કહેલું કે આ બહેન કદી મા નહીં બની શકે, ૫૪ લાખ રૂપિયાની ઢીંગલીઓ ખરીદ્યા પછી અચાનક ઘરે પારણું બંધાયું

baby doll

બ્રિટનમાં રહેતાં વિક્ટોરિયા એન્ડ્રૂઝ નામનાં બહેનને ડૉક્ટરે કહી દીધેલું કે તમે કદી મા નહીં બની શકો. પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમને કારણે તેનું વજન પણ વધી ગયેલું. વિક્ટોરિયા પોતે મા નહીં બની શકે એ વાત કોઈ કાળે પચાવી શકે એમ નહોતી એટલે તેણે નવજાત શિશુ જેવી જ ઢીંગલીઓ વસાવવાનું શરૂ કર્યું. ઇન્ટરનેટ પરથી રિયલ બાળક જેવો જ લુક ધરાવતી ઢીંગલીઓ તે ખરીદવા લાગી. આ ઢીંગલીઓને તે રોજ નવાં કપડાં પહેરાવીને સજાવતી. એને બહાર ફરવા લઈ જતી. આવી લગભગ ૪૦ ઢીંગલીઓ માટે તેણે અલગ રૂમ પણ તૈયાર કર્યો હતો, જ્યાં આ ઢીંગલીઓ રમી શકે એવાં રમકડાં પણ તેણે વસાવ્યા હતા. બાળક માટેનું વિક્ટોરિયાનું ઘેલપણ એટલી હદે હતું કે તેણે એમાં ૬૦,૦૦૦ પાઉન્ડ એટલે કે લગભગ ૫૪ લાખ રૂપિયાનું આંધણ કરી નાખ્યું. વિક્ટોરિયા આ ઢીંગલીઓમય થઈ જતાં આખરે તેનું બૉયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું. જોકે બૉયફ્રેન્ડ તેનાથી જુદો થયો એ પછી તરત જ તેને પેટમાં દુખાવો ઉપડ્યો. ડૉક્ટર પાસે ગઈ તો ખબર પડી કે તે આઠ વીકની પ્રેગ્નન્ટ છે. તેને માન્યામાં નહોતું આવતું એટલે તેણે બીજા ક્લિનિકમાં તપાસ કરાવી. બાળક પોતાના હાથમાં આવી ન જાય ત્યાં સુધી તે આ હકીકતને સ્વીકારવા તૈયાર નહોતી. હવે તો વિક્ટોરિયાનો દીકરો ટૉબી આ દુનિયામાં આવી ગયો છે અને તેણે ટૉબી જેવો જ લુક ધરાવતો ઢીંગલો પણ વસાવી લીધો છે.

August 31, 2018
rahul.jpg
1min5640

કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાફેલ યુદ્ધ વિમાનોના સોદા અને નૉટબંધીને મુદ્દે આકરી ટીકા કરી હતી અને સવાલ કર્યો હતો કે રાફેલ લડાયક વિમાનના સોદામાં વિમાનની કિંમત અંદાજે રૂપિયા 520 કરોડથી વધીને રૂપિયા 1,600 કરોડ (લગભગ ત્રણ ગણી) કઇ રીતે થઇ ગઇ?

તેમણે જણાવ્યું હતું કે મોદીએ નૉટબંધીનું મોટું કૌભાંડ કર્યું હતું અને સામાન્ય માણસો પાસેથી નાણાં લઇને તે ‘મૂડીવાદી મિત્રો’ને અપાયા હતા. વડા પ્રધાને આ સંબંધમાં ખુલાસો કરવો જોઇએ.દરમિયાન, કૉંગ્રેસના પ્રવક્તા જયપાલ રેડ્ડીએ આક્ષેપ કર્યો હતો કે રાફેલ સોદાનો મુખ્ય હેતુ મોદીના મિત્ર અનિલ અંબાણીને મદદ કરવાનો હતો. અનિલ અંબાણીએ આ સોદાના 12 દિવસ પહેલાં જ એક નવી કંપની શરૂ કરી હતી.

દરમિયાન, રાફેલ સોદામાં અબજો ડૉલરના અયોગ્ય લાભના આક્ષેપનો સામનો કરી રહેલા અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ જૂથે કૉંગ્રેસના અનેક નેતાને કાનૂની નૉટિસ મોકલી હતી.

કૉંગ્રેસે જણાવ્યું હતું કે અમે આવી નૉટિસથી નથી ડરતા અને તેનાથી અમને ચૂપ કરાવી નહિ શકાય. આ નૉટિસ જ ‘ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને કૉપૉર્રેટ વિશ્ર્વ વચ્ચેના સંબંધ’નો પુરાવો છે.

કૉંગ્રેસના પ્રમુખે રાફેલ સોદાની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ યોજવાની માગણી કરી હતી.

રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં સવાલ કર્યો હતો કે તમે રૂપિયા 520 કરોડનું વિમાન રૂપિયા 1,600 કરોડમાં શું કામ ખરીદો? તમે (મોદી) શું કામ (કોઇને) લાભ કરાવવા પ્રયાસ કરી રહ્યા છો?

રાહુલે જણાવ્યું હતું કે કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલી પણ આ સોદાની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરાવવા કંઇ નથી બોલતા.

ડેસ્સોલ્ટ એવિયેશન દ્વારા ફ્રાંસના બે એન્જિનવાળા અને બહોળી ભૂમિકા ભજવી શકતા રાફેલ યુદ્ધ વિમાનોની ડિઝાઇન તૈયાર કરાય છે અને તેઓનું નિર્માણ કરવામાં આવે છે.

કૉંગ્રેસના પ્રવક્તા જયપાલ રેડ્ડીએ આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાનના નેતૃત્વ હેઠળ એનડીએ સરકારે નવેસરથી કરેલા રાફેલ સોદામાં ભારતને રૂપિયા 41,000 કરોડનું નુકસાન થયું છે.

કૉંગ્રેસના પ્રમુખે નૉટબંધીને લગતા ભારતીય રિઝર્વ બૅન્કના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે નૉટબંધી પછી પણ બેકારી અને ઓછું કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) જેવા મહત્ત્વના મુદ્દે વણઉકેલાયેલા છે. મોદીએ આ સંબંધમાં સ્પષ્ટતા કરવી જોઇએ અને દેશની જનતાને જવાબ આપવો જોઇએ.

રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે નૉટબંધી કોઇ ભૂલ નહોતી, પરંતુ તે જનતા પર ઇરાદાપૂર્વક કરાયેલો હુમલો હતો.

તેમણે જણાવ્યું હતું કે મને બદનક્ષીના કેસનો ડર નથી. નૉટબંધીએ દેશના અર્થતંત્રને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને તેનાથી બેકારી વધી છે. મોદીએ દેશના યુવાનોને તો તેઓના સવાલોના જવાબ આપવા જ જોઇએ.

કૉંગ્રેસ સવાલ કર્યો હતો કે રાફેલ સોદામાં સરકારી એરૉસ્પેસ કંપની એચએએલનો સમાવેશ શું કામ નહોતો કરાયો?

August 31, 2018
vehicle-insurance-800x445.jpg
1min5950

વીમાની નિયામક ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે વાહનોની લાંબાગાળાની થર્ડ પાર્ટી વીમા પૉલિસી ફરજિયાત બનાવતા શનિવારથી કાર અને બે પૈડાંવાળા વાહન ખરીદવા મોંઘાં થશે.

એન્જિનની ક્ષમતા 1,000 સીસીથી ઓછી હોય એવી કારના ત્રણ વર્ષના થર્ડ પાર્ટી વીમાનો ખર્ચ અંદાજે રૂપિયા 5,286 થશે, 1,000થી 1,500 સીસીની કારનો રૂપિયા 9,534 અને 1,500 સીસી કે તેથી વધુની ક્ષમતવાળી કારનો રૂપિયા 24,305 થશે.

બે પૈડાંવાળા વાહનોમાં 75 સીસીથી ઓછી ક્ષમતાવાળા એન્જિનના પાંચ વર્ષના થર્ડ પાર્ટી વીમાના અંદાજે રૂપિયા 1,045 થશે, 75થી 150 સીસીની બાઇકના રૂપિયા 3,285, જ્યારે 150થી 350 સીસીની બાઇકના રૂપિયા 5,453 અને 350 સીસીથી વધુની ક્ષમતાવાળું એન્જિન ધરાવતી બાઇકના રૂપિયા 13,034 થશે.

મોટર વાહન ધારા મુજબ થર્ડ પાર્ટી વીમો ફરજિયાત છે.

વાહનોની ચોરી અને નુકસાન સહિતની બાબતને આવરી લેતા કૉમ્પ્રિહેન્સિવ ઇન્સ્યુરન્સમાં કાર ખરીદનારી વ્યક્તિ માટે એક કે ત્રણ વર્ષનો અને બે પૈડાંવાળા વાહન માટે પાંચ વર્ષનો વિકલ્પ અપાય છે.

અદાલતના આદેશ મુજબ નવી કાર માટે બધી જનરલ ઇન્સ્યુરન્સ કંપનીએ ત્રણ વર્ષનો થર્ડ પાર્ટી વીમો આપવો ફરજિયાત રહેશે. બે પૈડાંવાળા નવા વાહન માટે પાંચ વર્ષનો થર્ડ પાર્ટી વીમો આપવાનો રહેશે.

ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ પહેલી સપ્ટેમ્બરથી આ નવા આદેશનો અમલ કરવાની સૂચના આપી છે.

August 30, 2018
hm.jpg
1min4880

અલ્તાફ કચરુ કુલગામ જિલ્લાના રેડવાનીનો રહેવાસી હતો અને તેના નામ પર ૧૫ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીવિરોધી અભિયાન માટે તેનું એન્કાઉન્ટર મોટી સફળતા માનવામાં આવે છે.

બુરહાન વાનીનો ઉત્તરાધિકારી એવો અલ્તાફ કચરુ કાશ્મીરી યુવાનોનું બ્રેઇનવૉશ કરીને બનાવતો ટેરરિસ્ટ : તેના સાથીને પણ ઉડાવી દીધો

altaf

સુરક્ષા દળોએ તા.28મી ઓગસ્ટ 2018ના રોજ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ખાનાબલ વિસ્તારમાં આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના બે ટોચના આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ કામગીરીને સુરક્ષા દળોની મોટી કામયાબી તરીકે જોવામાં આવી રહી છે. આ આતંકવાદીઓની ઓળખ હિઝબુલ કમાન્ડર અલ્તાફ અહમદ ડાર ઉર્ફે અલ્તાફ કચરુ અને તેના સહયોગી ઉમર રાશિદ તરીકે કરવામાં આવી હતી. આ એન્કાઉન્ટર સમયે આ જિલ્લામાં ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી. બિનપોરા ગામના એક ઘરમાં આતંકવાદીઓ એક ઘરમાં ઘૂસી ગયા છે એવી જાણકારી મળ્યા બાદ આ ઑપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

અલ્તાફ કચરુને બુરહાન વાનીનો ઉત્તરાધિકારી પણ માનવામાં આવતો હતો. હિઝબુલ મુજાહિદ્દીનનો આ આતંકવાદી કુલગામ જિલ્લાના કમાન્ડર તરીકે કેટલાંય વર્ષોથી સુરક્ષા દળો પર હુમલાઓ કરી રહ્યો હતો. ૨૦૧૭માં તેને હિઝબુલના નવા ઑપરેશનલ કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.