Slider Archives - Page 442 of 488 - CIA Live

September 25, 2018
EWAY-10-1-18.jpg
1min8230

રાજ્ય સરકારે તાજેતરમાં એક નોટિફિકેશન દ્વારા જોબવર્કના હેતુસર રાજ્યમાં આંતરિક ટ્રાન્સપોર્ટ થતા હેન્ક, યાર્ન, ફેબ્રિક્સ તથા ગાર્મેન્ટ સિવાયની તમામ આઇટમો માટે ૧ ઓક્ટોબરથી ઇ-વે બિલ ફરજિયાત બનાવ્યું છે. જોગવાઈ મુજબ ₹50,000થી વધારે કિંમતના તમામ માલ માટે ઇ-વે બિલ ફરજિયાત બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ, રેવન્યુ લિકેજ રોકવા માટે ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલ ફરજિયાત બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં 1 ઓક્ટોબરથી ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલનો અમલ કરવાની જાહેરાત કરવામાં આવી છે તેનો વેપાર-ઉદ્યોગ જગત, ટ્રાન્સપોર્ટરો અને નિષ્ણાતો વિરોધ કરી રહ્યા છે. 

રાજ્યમાં 19 આઇટમો માટે એપ્રિલ મહિનાથી ઇ-વે બિલ અમલી છે અને અન્ય પ્રોડક્ટ્સમાં કોઈ મોટી કરચોરી ઝડપાઈ નથી ત્યારે સરકારે તમામ આઇટમો માટે ઇ-વે બિલ ફરજિયાત બનાવ્યું છે તેના કારણે ઇન્સ્પેક્ટર રાજ આવશે અને વેપારીઓની હેરાનગતિ વધશે એમ નિષ્ણાતો જણાવે છે. ઉપરાંત શહેરોમાં માત્ર મ્યુનિસિપલ લિમિટમાં ઇ-વે બિલમાંથી મુક્તિ આપવામાં આવી છે તે વિસ્તારવી જોઈએ એવી માંગ થઈ રહી છે.

કરચોરીની મહત્તમ સંભાવના ધરાવતી 19 આઇટમોમાં 15 એપ્રિલથી જ ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલ ફરજિયાત છે અને તેના સિવાયની આઇટમોમાં મોટા પાયે કરચોરી થઈ હોવાના કોઈ કિસ્સા પ્રકાશમાં આવ્યા નથી ત્યારે અચાનક રાજ્ય સરકારે શા માટે ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલ ફરજિયાત બનાવ્યું છે તે અસ્પષ્ટ છે. આ પગલાંથી ઇન્સ્પેક્ટર રાજ ફરી આવશે અને વેપારીઓની હેરાનગતિ વધશે. એવું નિષ્ણાંતો પણ માની રહ્યા છે. મોટા ભાગનાં રાજ્યોએ ઇન્ટ્રા સ્ટેટ ઇ-વે બિલમાંથી મુક્તિ આપી છે કારણ કે તે માટે જરૂરી સ્ટાફ પણ નથી.

ટ્રાન્સપોર્ટર્સની નોંધણી વગર ઇ-વે બિલ સિસ્ટમ કામ કેવી રીતે કરશે

એવી પણ માગ ઉઠી છે કે તામિલનાડુ, પંજાબ, કર્ણાટક સિહતનાં રાજ્યોમાં ₹1 લાખના માલ સુધી ઇ-વે બિલ જરૂરી નથી તેવું ગુજરાતમાં કરવું જોઈએ. ઇ-વે બિલમાં એક સ્થળેથી બીજા સ્થળે માલ પહોંચાડવા માટે જે મુદત આપવામાં આવી છે તે અયોગ્ય છે કારણ કે રજાઓના દિવસોમાં અથવા તો પૂરતા બૂકિંગના અભાવે માલ મોડો પહોંચે તેવી સંભાવના રહેતી હોય છે. રાજ્યમાં લગભગ 1.50 લાખ જેટલા ટ્રાન્સપોર્ટરો છે અને મોટા ભાગનાએ એનરોલમેન્ટ પણ કરાવ્યું નથી ત્યારે 1 ઓક્ટોબરથી કઈ રીતે તેઓ ઇ-વે બિલ બનાવી શકશે તે મોટો પ્રશ્ન છે. તમામ આઇટમો માટે ફરજિયાત ઇ-વે બિલથી નાના વેપારીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. જેમના એક ટ્રક ચાલતા હોય તેમને ઘણી તકલીફ થશે. અનેક નાના વેપારીઓનો માલ એક જ ટ્રકમાં જતો હોય ત્યારે વ્યક્તિગત માલ ₹50,000થી ઓછો હોય પરંતુ કુલ માલ ₹50,000થી વધારે થતો હોય ત્યારે ઇ-વે બિલ કેવી રીતે જનરેટ થશે તે સમસ્યા છે. રાજ્ય સરકારે આ મર્યાદા વધારીને ₹1 લાખની કરવી જોઈએ.

September 24, 2018
careerguidance.jpg
1min6670

650 શાળાઓના શિક્ષકોને રોજગાર અને તાલીમલક્ષી યોજનાઓથી માહિતગાર કરવા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો:

મદદનીશ નિયામક(રોજગાર) કચેરી, સુરત અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી,સુરતના સંયુકત ઉપક્રમે બારડોલીના તરસાડી સ્થિત ઉકા તરસાડીયા યુનિવર્સિટી, માલીબા કેમ્પસ ખાતે “કારકિર્દી આયોજન સપ્તાહ-૨૦૧૮” ની ઉજવણી કરવામાં આવી હતી. 

વિદ્યાર્થીઓમાં શાળાકીય શિક્ષણ દરમિયાન જ રોજગાર ક્ષમતા વિકસે તે માટે કૌશલ્ય વિકાસ અને કોર્પોરેટ જગતની જરૂરિયાત મુજબના ગુણો વિકસે તે માટે રાજ્ય સરકાર દ્વારા તા.૨૪ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યવ્યાપી ‘કરિયર કોર્નર વીક’નું આયોજન થયું છે. સંયુકત માહિતી નિયામકશ્રીની કચેરી, સુરત અને ઉકા તરસાડીયા યુનિવર્સિટીના સહયોગથી યોજાયેલા “કારકિર્દી આયોજન સપ્તાહ’ની ઉજવણીમાં વિવિધ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ જેવી કે, સ્ટાફ સિલેકશન (એસ.એસ.સી.), યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી. માટે તલસ્પર્શી માર્ગદર્શન, સ્કીલ ડેવલપમેન્ટ, રોજગાર અને તાલીમલક્ષી યોજનાઓની માહિતી વિદ્યાર્થીઓને મળી રહે તે માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર ઉપરાંત સુરત જિલ્લાની તમામ શાળાઓના શિક્ષકો અને આચાર્યશ્રીઓ માટે NCERT અભ્યાસક્રમ અને એડોલેસેન્ટ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.

રોજગાર અધિકારીશ્રી પારૂલબેન પટેલે ‘કરિયર કોર્નર વીક’ વિષે વિસ્તૃત જાણકારી આપી જણાવ્યું કે, વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓ માટે ઘણી જ તકો છે, જેની મોટાભાગના વિદ્યાર્થીઓને પાયાની જાણકારી હોતી નથી. પૂરતી માહિતીના અભાવે તેઓ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. કારકિર્દી આયોજન સપ્તાહના આયોજન દ્વારા અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રોજગારની તકો ઝડપવા માટે વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ મળી રહેશે. તેમણે વધુમાં કહ્યું કે, રોજગાર કચેરી દ્વારા અનેકવિધ કારકિર્દી ઘડતર વિષયક કાર્યક્રમો તેમજ રોજગારી માટે ભરતી મેળાનું પણ અવારનવાર આયોજન કરવામાં આવે છે, જેનો બહોળી સંખ્યામાં આ ભરતી મેળાનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ દ્વારા શિક્ષકો-પ્રાધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓ સુધી તમામ રોજગારલક્ષી ઉપયોગી જાણકારી પહોંચી શકે તે માટે નિષ્ણાંત વક્તાઓએ જ્ઞાનવર્ધક જાણકારી પીરસી હતી.

‘કારકિર્દી આયોજન સપ્તાહ’ અંતર્ગત કારકિર્દી ઘડતરના તેમજ આયોજનના વિવિધ પગથિયા તેમજ લશ્કર, ફેશન, ટેકનોલોજી, ખેતીક્ષેત્રે તેમજ મેડિકલ અને એન્જિનિયરીંગ અને કોમ્પ્યુટર ટેક્નોલોજી ક્ષેત્રે વિવિધ પ્રકારની રોજગારની માહિતી પ્રદર્શિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી યુ.એન.રાઠોડ, રોજગાર અધિકારીશ્રી મુકેશભાઈ વસાવા વિવિધ શાળા-કોલેજોના શિક્ષકો-પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

September 24, 2018
sandesara.jpg
1min12990

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન દ્વારા પાંચ હજાર કરોડના બેંક કૌંભાડમાં વડોદરા સ્થિત સ્ટર્લિંગ બાયોટેકના ડીરેક્ટરો ચેતન સાંડેસરા, દિપ્તિ સાંડેસરા, રાજભુષણ દિક્ષિત, નિતિન સાંડેસરા, વિલાસ જોશી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમન્ત હાથી સામે ગુનો નોંધાયો છે.

સાંડેસરા પર એવો આરોપ છે કે, તેમની કંપનીએ બેંકો પાસેથી રૂપિયા પાંચ હજાર કરોડની લોન લીધી હતી અને આ પછી આ કંપની ખોટમાં ગઇ અને નોન-પર્ફોમિંગ એસેટ બની ગઇ. આ કેસમાં ત્રણ વ્યક્તિઓની ધરપકડ થઇ છે. જેમાં દિલ્હી સ્થિતિ વેપારી ગગન ધવન, આંધ્રા બેંકના પૂર્વ ડિરેક્ટર અનુપ ગર્ગ અને સ્ટર્લિંગ બાયોટેક લિ. ના ડાયરેક્ટર રાજભુષણ દિક્ષિતની ધરપકડ કરવામાં આવી હતી.

વિજય માલ્યા અને નિરવ મોદી બાદ ભાગેડુ બિઝનેસ મેનની યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. પાંચ હજાર કરોડના બેન્ક કૌભાંડનો આરોપી નીતિન સાંડેસરા દેશ છોડીને ફરાર થઈ ચૂક્યો છે. હાલ આ ગુજરાતી બિઝનેસમેન નીતિન સાંડેસરા નાઈજીરિયામાં હોવાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે નીતિન સાંડેસરાની ગુજરાત સ્થિત ફાર્મા કંપનીના બેન્ક કૌભાંડમાં તપાસ ચાલી રહી છે. ગત મહિને નીતિન સાંડેસરા યુએઈમાં છુપાયો હોવાના અહેવાલ સામે આવ્યા હતા.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નિતિન સાંડેસરા, ભાઈ ચેતન સાંડેસરા, ભાભી દિપ્તીબહેન સાંડેસર અને પરિવારના અન્ય લોકો નાઈજીરીયામાં છુપાયેલાં છે. ભારતની નાઈજીરીયા સાથે કોઈ પ્રત્યાર્પણ સમજૂતી નથી ત્યારે તેમને આફ્રિકી દેશમાંથી પરત લાવવા મુશ્કેલ બની શકે છે.

પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે, યુ.એ.ઇ દ્વારા નિતિન સાંડેસરાની દુબઇમાં અટકાયત કરવામાં આવી હતી પણ આ સમાચાર ખોટા સાબિત થયા. તેની દુબઇમાં ક્યારેય ધરપકડ થઇ નહોતી. હજી સુધી તે વાતની જાણકારી નથી મળી કે સાંડેસરા પરિવાર ભારતીય પાસપોર્ટની સાથે નાઈજીરીયા પહોંચ્યા છે કે પછી અન્ય કોઈ દેશનાં પાસપોર્ટની મદદથી તેઓ નાઈજીરિયા પહોંચ્યા છે

 

September 22, 2018
manvendra.jpg
1min8050

આણંદની સરદાર પટેલ યુનિવિર્સિટી સાથે સંલગ એમ એસ ડબ્લ્યુ વિભાગ તરફથી ગુરુવારે એલજીબીટી (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્ઝેન્ડર) વિષય પર એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. આ પરિસંવાદમાં સ્ફોટક નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે તેમની પાસેથી ઘણા ધાર્મિક ગુરુઓએ સેક્સની માંગણી કરી છે. રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ પોતે સમલૈંગિક હોવાની જાહેરાત કરી ચુક્યા છે.

આ ઉપરાંત તેમની સંસ્થા લક્ષ્ય ઘણાં લાંબા સમયથી સમલૈંગિકો માટે કામ કરી રહી છે. આ પ્રસંગે નિવેદન કરતા માનવેન્દ્રસિંહે કહ્યુ હતુ કે, આપણા સમાજમાં ઘણો દંભ છે. હું તેની સામે લડાઈ લડી રહ્યો છું. દેશની ધાર્મિક સંસ્થાઓના વડાંઓ દંભી છે. હું એવું કહેવામાં બિલકુલ શરમ નથી અનુભવી રહ્યો કે ઘણા ધાર્મિક નેતાઓએ મારી પાસે સેક્સની માંગણી કરી છે.ૅ એચઆઈવીમાં ત્રીજા નંબરે હોવા અંગે કટાક્ષ કરતા માનવેન્દ્રસિંહે કહ્યુ હતુ કે, ૅઓલિમ્પિકમાં આપણને ગોલ્ડ, સિલ્વર નથી મળ્યો પરંતુ એચઆઈવીમાં આપણે બ્રોન્ઝ મેડલ જરૂર જીતી લીધો છે.

September 22, 2018
gujcmdcm.jpg
1min5350

ગુજરાતમાં ખેડૂતો અંગેની નીતિ ઘડવામાં રાજ્યની ભાજપા સરકાર સદંતર નિષ્ફળ નિવડી રહી છે અને જે પણ કરી રહી છે એની ભારોભાર ટીકાઓ થઇ રહી છે. તાજેતરમાં રાજ્ય સરકારે ખેડૂતોને અકસ્માત મોતના કિસ્સામાં રૂ.2 લાખનું વળતર આપવાની કરેલી જાહેરાતના ઉલ્ટા પ્રત્યાઘાત પડ્યા છે. ખેડૂતોએ એવી ટીકા કરી છે કે લઠ્ઠાકાંડમાં દારૂ પીને મોતને ભેટનારાઓને રૂ.4 લાખ આપતી સરકાર ખેડૂતોને મોતના બદલામાં રૂ.2 લાખ આપવાનું કેવી રીતે વિચારી શકે.

ગુજરાતમાં ધારાસભ્યોના તોતિગ પગાર વધારાના બીજા દિવસે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ખેડૂતોને અકસ્માતે મોત માટેની રૂ. એક લાખની સહાયને વધારીને રૂ. બે લાખ કરવાની કરેલી જાહેરાતના રાજ્યભરમાં અવળા પ્રત્યાઘાતો પડ્યા છે. લઠ્ઠાકાંડમાં મરી જાય એને રૂ. ચાર લાખ મળે છે. જ્યારે ખેડૂતોને મૃત્યુ બાદ બાદ બે લાખ આપવાની વાત સરકાર કરે છે એવો સૂર ઠેર ઠેર ઊઠી રહ્યો છે તેમ જ સોશિયલ મીડીયામાં પણ સરકારની ઠેકડી ઉડાવતા મેસેજોનો મારો ચાલી રહ્યો છે ત્યારે રાજકોટના ખેડૂતોએ શાકભાજીના પુરતા ભાવ ન મળતા ચક્કાજામ કરીને રોડ પર પડેલા ખાડાઓમાં શાકભાજી ભરીને તેને પૂરવાનો અનોખો વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો. તેમ જ નીતિન પટેલની જાહેરાતને ખેડૂતોની ગંભીર મજાક હોવાનું જણાવ્યું હતું.

ખેડૂતો આક્રમક બનતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને મહામહેનતે સમજાવટથી ખેડૂતોને શાંત કરી ટ્રાફિક પૂર્વવત્ કરાવ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ ન મળતા મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાવનગર હાઇવે પર અનોખો વિરોધ કર્યો હતો. મહીકા ગામના પાટિયા પાસે રોષે ભરાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને અનોખી રીતે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ગ્રુપ અને ખેડૂતોએ રસ્તા પર શાકભાજી ફેંકી હાઇ-વે પર ચક્કાજામ કર્યો હતો. તેમજ રસ્તા પરના ખાડા પણ શાકભાજીથી બૂરી દીધા હતા.

September 21, 2018
4-1280x720.jpg
1min42760

જીએસટીની ક્રેડીટ લેપ્સ સામે લડત ચલાવી રહેલા સુરતના વિવર્સે તા.21મી સપ્ટેમ્બર 2018ને શુક્રવારે બપોરે સુરતની મુલાકાતે આવેલા ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીનો કાળા વાવટા બતાવીને વિરોધ પ્રદર્શન કરતા સુરતની ખટોદરા પોલીસે વિવર્સ અગ્રણી શ્રી અશોક જીરાવાળા, મયુર ગોળવાળા, વિજય માંગુકીયા, નિરવ સભાયા સમેત ચારની અટકાયત કરી હતી. કેન્દ્રીય કપડા મંત્રી સ્મૃતિ ઇરાની સિન્થેટિક રેયોન ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ આયોજિત ટેકસ્ટાઇલ એક્ઝિબિશનના ઉદઘાટન સમારંભમાં આવ્યા હતા. સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના કારભારીઓ આ ઘટના પછી મોટા સંકટમાં ફસાય જવા પામ્યા છે. વિવર્સ અગ્રણીઓ સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બન્યા હતા.

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

35 દેશના 200 જેટલા ખરીદારો સરસાણા ડોમમાં ઉપસ્થિત હોય અને કેન્દ્રના નાણામંત્રી સમેતના અગ્રણીઓની હાજરીમાં સુરતના વિવર્સે કાળા વાવટા તેમજ વિરોધ પ્રદર્શિત કરતા સુરત માટે નીચા જોણું થયું છે. સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ માટે પણ આ ઘટના નાલેષીજનક બની છે. કેન્દ્રીય નાણામંત્રી સ્મૃતિ ઇરાની પણ આ બાબતથી નારાજ થયા હતા અને તેમણે ચેમ્બર આગેવાનોને પણ આ મુદ્દે કહ્યું હતું કે સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ કેમ પરિસ્થિતિ કાબૂમાં રાખી શક્તી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ સ્મૃતિ ઇરાનીએ આજના પ્રદર્શનના મુદ્દે સુરતના ચેમ્બર અગ્રણીઓને પણ દિલ્હી તેડાવ્યા છે.

સરસાણા ખાતે આયોજિત કાર્યક્રમમાં વિવર્સે જબરદસ્ત હંગામો કર્યો હતો અને હાય રે સ્મૃતિ ઇરાની હાય હાય અને ભાજપ મુર્દાબાદ તથા હમ અપના હક માંગતે હૈ નહીં કીસી સે ભીખ માંગતે જેવા નારા લગાવ્યા  હતા.

ચેમ્બર ઓફ કોમર્સે સમારંભ પછી તરત જ ડેમેજ કન્ટ્રોલ મેનેજમેન્ટ હાથ ધરવું પડ્યું

સ્મૃતિ ઇરાનીની હાજરીમાં તેમજ વિદેશી બાયર્સની ઉપસ્થિતિ વચ્ચે સુરતમાં વિવર્સ એસોસીએશન દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ કાળાવાવટા બતાવવામાં આવતા સ્મૃતિ ઇરાનીએ ચેમ્બરના આગેવાનોનો ઉધડો લીધો હતો. જેવા સ્મૃતિ ઇરાની વિદાય પામ્યા હતા કે તરત જ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના અાગેવાનોએ ડેમેજ કન્ટ્રોલ મેનેજમેન્ટ શરૂ કરી દીધું હતું. આ મુદ્દે મિડીયા ટ્રાયલ ન થાય અને કેન્દ્ર સરકારને નીચાજોણું ન થાય તે હેતુથી પત્રકારોને પણ ફોન કરીને આ મુદ્દે વધુ તુલ ન અપાય તેવી રજૂઆતો ચેમ્બર આગેવાનોએ કરવી પડી હતી. ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ સોશ્યલ મિડીયામાં મેસેજ પણ વહેતા મૂકવા પડ્યા હતા કે રાજકીય લાભ ખાટવા માટે વિવર્સ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા.

 

You Can Find us on Google Play Store

September 21, 2018
shameful-1280x932.jpg
1min6660

Jayesh Brahmbhatt  98253 44944

રાજ્યની મેડીકલ કોલેજોમાં અધ્યાપકોની ખોટ મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ઇન્સ્પેક્શન વખતે સામે ન આવે એટલે એમસીઆઇના દર ઇન્સ્પેકશન વખતે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અધ્યાપકોની ઉથલપાથલ એટલે કે આડેધડ બદલી કરી દેવામાં આવતી હોય છે. રાજ્ય સરકાર આવી પ્રેક્ટિસ છેલ્લા દસેક વર્ષથી કરી રહી છે.

ગઇ તા.19 સપ્ટેમ્બર 2018ના રોજ રાજ્ય સરકારે રાજ્યની જુદી જુદી મેડીકલ કોલેજોમાંથી 161 જેટલા અધ્યાપકોની જુદી જુદી કોલેજોમાં બદલી આદેશો કર્યા હતા. આ બદલીમાં એક મોટો લોચો એ પણ લાગ્યો કે રાજ્ય સરકારે એવા અધ્યાપિકાની બદલીનો ઓર્ડર કરી દીધો કે જે હયાત જ નથી. ફેબ્રુઆરી 2018માં કેન્સરથી જેમનું મૃત્યુ થયું હતું એમની બદલીનો ઓર્ડર જારી કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ડો. મધુ પંજવાણી કે જેઓ ભાવનગર ખાતે સરકારી મેડીકલ કોલેજમાં એસોસીએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. તેમના પરિવારજનોએ મિડીયા પર્સન્સને જણાવ્યું હતું કે ડો. મધુ પંજવાણી કેન્સરથી પીડાતા હતા અને ગયા ફેબ્રુઆરી 2018માં તેમનું નિધન થયું હતું. ગઇ તા.19મી સપ્ટેમ્બરના રોજ રાજ્ય સરકાર દ્વારા 161 અધ્યાપકોની બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો હતો તેમાં ડો. મધુ પંજવાણીનું નામ પણ સામેલ કરી દેવાયું. ડો. મધુ પંજવાણીને ભાવનગર મેડીકલ કોલેજમાંથી જૂનાગઢ ખાતે જીએમઇઆરએસ સેમી સરકારી મેડીકલ કોલેજમાં બદલી કરવામાં આવી હોવાનું ઓર્ડરમાં જણાવાયું છે.

રાજ્યના આરોગ્ય વિભાગની આ બેદરકારીને લીધે તબીબી જગત તેમજ શિક્ષણ જગતમાં સરકારે હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાવું પડ્યું છે.

 

You can Find us on GOOGLE Play Store

September 21, 2018
gspc.jpg
1min11980

Jayesh Brahmbhatt   98253 44944

ગુજરાતમાં જાહેર સાહસો એટલે કે પબ્લિક સેક્ટર યુનિટ્સ કે જેનો વહીવટ રાજ્ય સરકાર કરી રહી છે એ એકમોએ 18 હજાર કરોડથી વધુની જંગી ખોટ કરી છે. એક તરફ રાજ્ય સરકારની તિજોરી તળીયા ઝાટક છે, દેવું વિક્રમી રીતે વધી ગયું છે અને બીજી તરફ આવા ખોડંગાતા પબ્લિક સેક્ટર યુનિટમાં રાજ્ય સરકાર દ્વારા નાંખવામાં આવતા રૂપિયા નિરર્થક બની રહ્યા છે. એકલા જીએસપીસી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી)ની ખોટ જ રૂ.17 હજાર કરોડથી વધુની રકમને પાર કરી ગઇ છે. આ કોઇ આક્ષેપબાજી કે પોલિટીકલ સ્ટેટમેન્ટ નથી પણ ક્રોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) દ્વારા તેના રિપોર્ટમાં ગુજરાતના પબ્લિક સેક્ટર્સના નફા નુકસાનનું સરવૈયુ કાઢવામાં આવ્યું છે તેના પરથી મળેલી વિગતો અત્રે પ્રસ્તુત છે.

ગુજરાતમાં કયા જાહેર સાહસોએ કેટલી ખોટ કરી

રાજ્ય સરકાર હસ્તકના કુલ 77 પબ્લિક સેક્ટરના એકમોમાંથી 14 પીએસયુ (પબ્લિક સેક્ટર યુનિટ) (સરકારી સાહસો) એ ₹18,412.39 કરોડની ખોટ કરી છે. ખોટ કરનારા 14 પીએસયુમાં સૌથી મોટો ફાળો ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી)નો છે.

પીએસયુની ₹18,412 કરોડની ખોટમાં જીએસપીસીનો ₹17,061 કરોડનો ફાળો છે. ત્યાર બાદ સરદાર સરોવર નિગમ લિમિટેડની ખોટ ₹973 કરોડ, ગુજરાત એસટી નિગમની ₹184 કરોડ, ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશનની ખોટ ₹117 કરોડ છે. જે સરકારી નિગમોની કુલ ખોટ ₹18,412 કરોડ થઈ છે તેમાં જીએસપીસીનો હિસ્સો 92 ટકા છે. જીએસપીસીનું ₹20,000 કરોડનું કૌભાંડ કેગના રિપોર્ટ દ્વારા છતું થાય છે.

ગુજરાતમાં કયા જાહેર સાહસોએ કેટલો નફો કર્યો

ગુજરાતના 55 પીએસયુએ ₹3,647.96 કરોડનો નફો કર્યો છે. વર્ષ 2016-’17ના ફાઇનલાઇઝ્ડ એકાઉન્ટ્સ પરથી કેગે હાથ ધરેલા પરફોર્મન્સ ઓડિટમાં આ વિગતો બહાર આવી છે. કેગના રિપોર્ટમાં જે નોંધવામાં આવ્યું છે તેમાં રાજ્ય સરકારના સૌથી વધુ નફો મેળવનારા જાહેર સાહસ એકમોમાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ છે જેણે ₹737.79 કરોડનો નફો કર્યો છે. ત્યાર બાદ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે ₹445 કરોડનો નફો, ગુજરાત ગેસ લિમિટેડે ₹303.33 કરોડ, ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ₹293.38 અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડનો નફો 284.79 કરોડ છે.

2016-17માં પીએસયુમાં કુલ રોકાણ રૂ.દોઢ લાખ કરોડ

વર્ષ 2012-’13માં સ્ટેટ પીએસયુમાં કુલ ₹1,02,689 કરોડનું રોકાણ થયું હતું જે વધીને 2016-’17માં ₹1,49,499 કરોડ થયું છે. વર્ષ 2012-’13થી 2015-’16 દરમિયાન રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ 4.95થી 6.82 ટકા રહ્યું છે. તેવી જ રીતે સ્ટેટ પીએસયુની જાહેર ઇક્વિટી વર્ષ 2012-’13માં ₹59,130 કરોડ હતી તે વધીને 2016-’17માં ₹85,112 પહોંચી છે.

2012-’13થી 2015-’16 સમયગાળા દરમિયાન રિટર્ન ઓન ઇક્વિટી 0.27 ટકાથી વધીને 4.53 ટકાની વચ્ચે રહી છે. એસટી નિગમ અંગે રિપોર્ટમાં કેગે ટિપ્પણી કરી હતી કે નિગમનું આંતરિક કંટ્રોલ મિકેનિઝમ નબળું છે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ઓડિટનાં તારણોમાં આ નિગમે 2012-’16માં ખોટ નોંધાવી છે. કંપનીની મોટા ભાગની આવક ફર્ટિલાઇઝરના વેચાણમાંથી આવી હતી, ગુજરાત એગ્રો કંપની પાસે એક્સ્પાયર્ડ ફર્ટિલાઇઝરના નાશ કે નિકાલ માટે કોઈ મેનેજમેન્ટ કે સિસ્ટમ ન હતી જે પર્યાવરણીય કાયદાનો ભંગ પણ કરે છે.

જીએસપીસીએ ભારત સરકારના પેટ્રોલિયમ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ પાસે ₹2.97 કરોડના વિલંબિત પેમેન્ટ બાબતે નીકળતાં નાણાં લેવાની કોઈ દરકાર રાખી ન હતી. તેવી જ રીતે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડે તેનાં નાણાં બ્લોક હોવા છતાં જમીન હસ્તગત કરવાના નિર્ણયો લીધા હતા, સાબરમતી ગેસ લિમિટેડે યોગ્ય કેટેગરાઇઝેશન ન કરી શકવાને કારણે ₹58 લાખની રેવન્યુ ગુમાવી હતી. આઇડીસીએ તેના પ્લોટધારકોને ફાળવાયેલા પ્લોટ ઉપરાંત વધારાના પ્લોટ માંગતાં તેમને ફાળવ્યાનો નિર્ણય જે ગેરવાજબી કન્સેશનના ₹2.97 કરોડ અપાયું છે.

You can download from Google play store too

September 21, 2018
chandi-1280x720.jpg
1min18790

ગુજરાતના એકમાત્ર એવા અને ૩૫૦ વર્ષ પહેલાં જામનગરના રાજવીએ ભેટ તરીકે આપેલા આ ચાંદીના તાજિયાનું વજન ૧૯૦ કિલો છે અને એની માનતા અત્યાર સુધીમાં એક લાખથી વધુ માવતર માની ચૂક્યા છે 

 

વિષય શ્રદ્ધાનો હોય તો તર્ક અને દલીલ પણ પાયાવિહોણાં થઈ જાય છે. આ વાત જામનગરના ચાંદી-તાજિયાને અક્ષરોઅક્ષર લાગુ પડે છે. મહોરમ નિમિત્તે જામનગરમાંથી નીકળતા તાજિયા જુલૂસમાં જોડાતા ચાંદીના તાજિયા જોવા માટે અને એ તાજિયાનાં દર્શન માટે એકલા જામનગર, સૌરાષ્ટ્ર કે ગુજરાતમાંથી જ નહીં પણ મુંબઈ, હૈદરાબાદ, દિલ્હી, લંડન, આફ્રિકા, કૅનેડા અને અમેરિકા જેવા દેશોમાંથી પણ ભાવિકો પધારતા હોય છે.

૧૯૦ કિલો વજન ધરાવતો આ તાજિયો સાડા ત્રણસો વર્ષ પહેલાં જામનગરના રાજવી પરિવારે જામનગરની સૈયદ જમાલ કમિટીને ભેટ આપ્યો હતો. જામ રા ખેંગારજીને ત્યાં બાળકો થતાં નહીં હોવાથી તેમણે માનતા માની હતી કે જો તેમને ત્યાં વંશ આવશે તો તે મહોરમ નિમિત્તે ચાંદીનો તાજિયો બનાવી આપશે. માનતા ફળી એટલે તેમણે તાજિયો કરાવી આપ્યો અને પછી તો આ તાજિયો પોતે શ્રદ્ધાનો વિષય બની ગયો. એવું માનવામાં આવે છે કે આ તાજિયાનાં દર્શન કરાવવાથી બાળકો બીમાર નથી પડતાં. આ જ કારણે આ તાજિયાને નજર સમક્ષ રાખીને દર વર્ષે હજારો મા-બાપ પોતાનાં નાદુરસ્ત બાળકો માટે માનતાં રાખે છે અને મહોરમના દિવસે તાજિયાનું જુલૂસ નીકળે ત્યારે આ ચાંદીના તાજિયાનાં દર્શન કરાવે છે.

જામનગરમાં મહોરમના તહેવાર અગાઉ એક દિવસ દરમ્યાન આ ચાંદીના તાજિયા લોકદર્શન માટે ખુલ્લા મૂકવામાં આવે છે.

ગુગલ યુ ટ્યુબ પર આ તાજીયાના વિડીયોઝ પણ ઉપલબ્ધ છે.

You can find us on Google Play store too

September 20, 2018
tarachand_kasat.jpg
1min1363

माहेश्वरी समाज के गौरव, पूर्व फोस्टा अध्यक्ष, टेक्सटाइल GST संघर्ष समिति के संयोजक श्री ताराचंद कासट को फेडरेशन ऑफ़ आल इंडिया व्यापार मंडल के राष्ट्रीय संगठन में वरिष्ठ राष्ट्रीय उपाध्यक्ष के रूप में मनोनीत किया गया है । कपडा व्यवसाय में उनके अनुभव एवं कपडा व्यवसाय के उत्थान एवं विकास में आपकी महत्वपूर्ण भूमिका देखते हुए उन्हे राष्ट्रीय अध्यक्ष (चेयरमैन) टेक्सटाइल कमेटी के पद पर भी मनोनीत किया गया है ।

सुरत को अपनी कर्मभूमि बनाकर कार्य कर रहे श्री ताराचंद कासट कि ईस नियुक्ति पर सुरत के टेक्सटाइल व्यापारीओ के वर्गमां खुशी कि लहर दौड गई है. टेक्सटाईल व्यापारीओने ताराचंद कासट को शुभकामनाए प्रदान करते हूए सुरत के टेक्सटाइल व्यापारीओ के हित में कार्य करते रहेने कि अपील भी कि है.

 

Please contact for any news coverage, event reporting or anything related to publishing on this web…

98253 44944

you can find us on Google Play store too