CIA ALERT

Slider Archives - Page 436 of 491 - CIA Live

October 19, 2018
cbse1.jpg
4min14590

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે,’ સીબીએસઈ સાથે નવી શાળાઓની સંલગ્નતા પ્રક્રિયામાં સુધારો કર્યો છે. એચઆરડી મંત્રી પ્રકાશ જાવડેકરે અહીં એક પત્રકાર પરિષદમાં આ વિશે જાહેરાત કરી હતી.

‘શાળાઓને સંલગ્નતા આપવાની પ્રક્રિયામાં સીબીએસઈએ અનેક ફેરફાર કર્યા છે, રાજ્ય અને કેન્દ્ર-એમ બેઉ સ્તરે એનઓસી લેવાનું બિનજરૂરી ડુપ્લિકેશન (બેવડાપણું) અમે નિવાર્યું છે,’ એમ જણાવી જાવડેકરે ઉમેર્યું હતું કે હાલ દેશમાં 20,700 શાળાઓ સીબીએસઈ સાથે સંલગ્ન છે અને દર વર્ષે નવી શાળા ખોલવા બેથી અઢી હજાર અરજીઓ બોર્ડને મળે છે.

અગાઉ રાજ્ય સ્તરે એનઓસી ઇન્સ્પેક્શન સંકળાયું હોય તેવી સંલગ્નતા પ્રક્રિયા રહેતી અને તે પછી એ જ એનઓસી ઈન્સ્પેક્શન સીબીએસઈ દ્વારા કરાતું એમ જણાવી જાવડેકરે ઉમેર્યું હતું કે મંત્રાલયે આ પ્રક્રિયા દૂર કરી છે.’ ઝડપ, પારદર્શકતા અને સીબીએસઈ સાથે કામ પાડવાની સરળતા અંકે કરવા સીબીએસઈ સંલગ્નતાના બાયલોઝ સુધારવામાં આવ્યાની છણાવટ જાવડેકરે કરી હતી. હવે જિલ્લા શિક્ષણ અધિકારી સીબીએસઈ સંલગ્નતાનું ફોર્મ ચકાસશે.

News in English

Establishing a school in India was never easy. Besides building the infrastructure such as classrooms, laboratories and libraries, the paperwork and long process involved was a damper. However, getting an approval for setting up a school affiliated to the Central Board of Secondary Education (CBSE) may just be a cake walk, if the Union government walk the talk on reducing paperwork and other formalities by 75%, and taking the process online.

Union human resource development minister Prakash Javadekar on Thursday said school reforms will speed up the approval process, reduce pendency and curb duplicity of work between central and state governments.

All processes will be online to bring in transparency in the school sector, which caters to millions of students across India, added school education secretary Rina Ray.

Instead of physical verification, CBSE will focus on learning outcome while granting approval. “The inspection will focus on academic excellence and progress of students over time, innovations and quality of pedagogy, capacity of teachers and teacher training, inclusive practices in school, and quality of co-scholastic activities. This will not only help the board and the school to track students’ progress over time, but will also identify areas that would need further effort,” the central board said.

Schools affiliated to the CBSE will have to make full fee disclosures on their websites. In a way, the reform move liberalized the school affiliation system under the CBSE, authorities in the ministry said.

From now on schools will be required to provide two documents instead of 14, while seeking CBSE affiliation, according to the plan. Most physical inspections will be conducted by the district education officer.

Javadekar said the new rules reflect a “shift from the highly complex procedure followed earlier to a simplified system based on preventing duplication of processes”.

“As a result of this major change, the board shall not revisit any of the aspects vetted by the state during inspection and the delay because of scrutiny and non-compliance of deficiencies in these documents shall be drastically curtailed.”

CBSE has more than 20,783 schools under its jurisdiction, catering to over 20 million students. As it is the central board, it works as a model for nearly 28 state school boards in terms school reforms, change in inspection and approval system.

The entire school sector caters to nearly 250 million students and the country spends more than 2.5% of the gross domestic product on the sector.

Instead of school management waiting for years, the affiliation process can be completed in a few months and there will be no pendency, CBSE said.

Javadekar said that in 2018 the government cleared about 8,000 applications, some of which were seven or eight years old.

CBSE will inspect the learning outcome in affiliated schools every five years.

 

 

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944

For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944

October 19, 2018
Modi_Shirdi2.jpg
1min12460
  • નરેન્દ્ર મોદી શિરડી સાઇબાબાના દરબારમાં પહોંચ્યા
  • સાંઈબાબા શતાબ્દી પર વિશેષ ચાંદીના સિક્કાનું અનાવરણ
  • સાંઈબાબાની સમાધિને સો વર્ષ પૂર્ણ થવાનો અવસર
  • વડાપ્રધાને મંદિરમાં એક વિશેષ ધ્વજા પણ લહેરાવી

મહારાષ્ટ્રના અહમદનગરમાં સાંઈબાબાની સમાધિને સો વર્ષ પૂર્ણ થવા અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ તા.19મી ઓક્ટોબર 2018ને શુક્રવારનાર રોજ શિરડી પહોંચ્યા હતા.

સાંઈબાબાની સમાધિને સો વર્ષ પૂર્ણ થવાના અવસરે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી ઉજવણી-મહોત્સવના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નરેન્દ્ર મોદીએ સાઇબાબા મંદિરમાં જઇને વિશેષ પૂજા અર્ચના કરી હતી અને સાંઈબાબા શતાબ્દી પર વિશેષ ચાંદીના સિક્કાનું અનાવરણ કર્યુ હતું.

વડાપ્રધાને મંદિરમાં એક વિશેષ ધ્વજા પણ લહેરાવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત વર્ષે ઓક્ટોબરમાં શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. જો કે પીએમનો કાફલો રોકીને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપનાર સ્થાનિક મહિલા કાર્યકર્તા તૃપ્તી દેસાઈની પોલીસે અટક કરી હતી. ભૂમાત્મા રણરાગિણી સેનાની અધ્યક્ષ તૃપ્તી દેસાઈ સબરીમાલા મંદિરમાં તમામ મહિલાઓના પ્રવેશના મુદ્દે મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

October 19, 2018
30-woman-wrestler-headshaved_01.jpg
1min5880

કુશ્તી મેચ દરમિયાન રાઉન્ડ વચ્ચે 30 સેકન્ડના બ્રેકમાં વાળ સરખા કરવામાં જ સમય વેડફાઇ જતો હોવાથી કોચએ આપેલી સલાહને અનુસરીને મહિલા પહેલવાનો જાતે જ માથાના વાળ પૂરેપૂરા મૂંડાવી રહી છે

ajab-gajab

આમિર ખાનની ‘દંગલ’ ફિલ્મમાં દીકરી પહેલવાનીમાં બરાબર ધ્યાન આપી શકે એ માટે પિતા મહાવીરસિંહ ફોગાટ દીકરીઓ ગીતા અને બબીતાની મરજી વિના વાળ ટૂંકાં કરાવી દે છે, પરંતુ હરિયાણામાં મહિલા પહેલવાનો જાતે જ માથાના વાળ પૂરેપૂરા મૂંડાવી રહી છે. વાત એમ છે કે હરિયાણામાં રેસલિંગનો ફીવર છોકરીઓમાં એટલો છવાયો છે કે તેઓ કુશ્તીમાં અવ્વલ આવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. મહિલા પહેલવાનોનું કહેવું છે કે કુશ્તી દરમ્યાન બે રાઉન્ડની વચ્ચે તેમને માત્ર ૩૦ સેકન્ડનો સમય મળતો હાયે છે. એવા સમયે આ સમય માથાના વાળ ઠીક કરવામાં જ નીકળી જાય છે. એને કારણે કોચ દ્વારા જે ટિપ્સ અપાઈ રહી હોય છે એમાંથી ધ્યાન ભટકી જાય છે. મહિલા પહેલવાનોના કોચ રાજેશકુમારનું કહેવું છે કે ‘હવાસિંહ અખાડામાં ઘણી છોકરીઓ રેસલિંગની તાલીમ લઈ રહી છે. વાળને કારણે તેમની ગેમ પર અસર ન થાય એ માટે બધી છોકરીઓએ માથું મુંડન કરાવી લેવાનો નર્ણિય જાતે જ લીધો છે. એનાથી તેમનો પર્ફોમન્સ પણ સુધરશે.’

October 19, 2018
1min6150

દુબઈમાં The kabab Shop નામની એક રેસ્ટોરાં છે જેના માલિકે બહાર પાટિયું માર્યું છે કે ‘જો તમે જૉબલેસ હો અને નોકરી શોધી રહ્યા હો તો અમારે ત્યાં ખાવાનું ખાઈ શકો છો. જ્યારે પૈસા આવી જાય ત્યારે બિલ પે કરી દેજો.’

‘ખલીજ ટાઇમ્સ’માં છપાયેલા સમાચાર અનુસાર આ રેસ્ટોરાંનું નામ છે ‘ધ કબાબ શૉપ’. આ રેસ્ટોરાં કમાલ રિઝવી નામનો પાકિસ્તાની મૂળનો કૅનેડાનો બિઝનેસમૅન ચલાવે છે. રેસ્ટોરાં સિલિકૉન ઓએસિસ વિસ્તારમાં છે. કમાલ રિઝવીનું કહેવું હતું કે ‘તેને ત્યાં રોજ બે કસ્ટમર્સ લંચ માટે આવતા હતા. લંચ પછી પણ તેઓ ખાસ્સો સમય અહીં વિતાવતા. જોકે થોડાક સમય પછી બન્નેનું આવવાનું અચાનક બંધ થઈ ગયું. મેં તપાસ કરી તો ખબર પડી કે એમાંથી એક જણની નોકરી છૂટી ગઈ છે એટલે બન્નેએ અહીં આવવાનું બંધ કરી દીધું છે. મેં તેમને ફોન કરીને કહ્યું કે તેઓ રોજ આવીને અહીં ખાવાનું ખાઈ શકે છે, ભલે તેઓ અત્યારે બિલ પે ન કરી શકે એમ હોય. એ ફોન પછી બન્ને પાછા આવવા લાગ્યા.’

October 19, 2018
ayodhyay.jpg
1min5880

uddhav2

તા.19મી ઓક્ટોબર 2018ના રોજ મુંબઇના શિવાજી પાર્કમાં યોજાયેલી શિવસેનાની પરંપરાગત દશેરારૅલીને સંબોધિત કરતાં શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રામમંદિરના મુદ્દે કેન્દ્રની NDAએ સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.

સાડાચાર વર્ષથી સત્તા પર છો તો એક વખત પણ અયોધ્યા કેમ ન ગયા એવો પ્રશ્ન કરી વડા પ્રધાન પર સીધો હુમલો કરતાં ઉદ્ધવ ઠાકરેએ ૨૫ નવેમ્બરે તેઓ અયોધ્યા જશે એવી જાહેરાત કરી હતી. BJPને પડકારતાં તેમણે કહ્યું હતું કે ‘હવે જોઈએ કે અયોધ્યામાં રામમંદિર કોણ બનાવે છે? તમે કે પછી હું?’

BJP પર તીખા વ્યંગ કરતાં તેમણે કહ્યું હતું કે ‘જો અયોધ્યામાં રામમંદિર બાંધવાની વાત માત્ર ચૂંટણીઢંઢેરો જ હતી તો કેન્દ્રની સરકારને NDAની સરકાર ન કહેતાં એમ કહી શકાય કે સરકારના DNAમાં જ કોઈ ગરબડ છે. મંદિર બાંધવા માટે છપ્પનની છાતીની નહીં પણ મજબૂત મનોબળની જરૂર છે.’

વડા પ્રધાને એક પણ વાર અયોધ્યાની મુલાકાત નથી લીધી એ મુદ્દાને તેમની વિદેશયાત્રા સાથે સાંકળતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તમે ચીન, જપાન અને અમે ભૂગોળમાં પણ ક્યારેય નામ ન સાંભળ્યા હોય એવા દેશોમાં જાઓ અને ભારતનું નામ રોશન કરો, પણ એક વાર તમારા મતવિસ્તારની પાડોશમાં આવેલા અયોધ્યાને કઈ રીતે ભૂલી શકો છો?

દશેરારૅલીના ભાષણની શરૂઆત રામમંદિરના મુદ્દાથી કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે વિજયાદશમીએ દર વર્ષે રાવણ ઊભો થાય છે પણ રામમંદિર ઊભું નથી થઈ રહ્યું.

October 18, 2018
carstealing.png
1min6670
  • સુત્રધાર ડો.હરેશ બાવળાના બલદાણા ગામે આયુર્વેદિક દવાખાનું ચલાવતો હતો
  • કાર ચોર ટોળકીનો સુત્રધાર ડોકટર હરેશ માણીયા સુરતથી ઝડપાયો
  • વસ્ત્રાપુર, સેટેલાઈટમાં ૧૩૦થી વધુ કાર ચોરી કર્યાંની કબુલાત
  • સેન્ટ્રો, એસ્ટીમ, મારુતી ફ્રન્ટી, એસેન્ટ, વેગર આર, અલ્ટો જેવી જુના મોડેલની જ ગાડીઓ ચોરતા

અમદાવાદ સહિત રાજયભર જુદા જુદા સ્થળોએથી સેન્ટ્રો, એસ્ટીમ, મારુતી ફ્રન્ટી, અલ્ટો, વેગન આર, એસેન્ટ જેવી જુના મોડેલની જ કારની ચોરી કરી તેની નંબર પ્લેટો બદલી ઉપજાવી કાઢેલા ફેક દસ્તાવેજાના આધારે નિર્દોષ ગ્રાહકોને પધરાવી દેતી ટોળકીનો પર્દાફાશ કરી અમદાવાદ ક્રાઈમબ્રાંચે મુખ્ય સુત્રધારને સુરતથી દબોચી લીધો છે. રાજ્યવ્યાપી કારચોરી કૌભાંડમાં એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે પકડાયેલો સુત્રધાર આયુર્વેદિક ડોકટર છે અને તેણે અત્યાર સુધીમાં રપ૦થી વધુ કારોની ચોરી કરી વેચી મારી રોકડી કરી લીધી છે. આ ટોળકીના કુલ પાંચ સાગરિતો ઝડપાયા છે. એકલા અમદાવાદના વસ્ત્રાપુરમાંથી જ આ ટોળકીએ ૧૩૦ જેટલી કારની ચોરી કરી હોવાનું મનાઈ રહયું છે. ખાસ કરીને જાહેર રોડ પર પાર્ક કરેલી કારો ઉઠાવી જતા હતાં.

પકડાયેલા સાગરિતોની પુછપરછમાં અમદાવાદ ક્રાઈમબ્રાંચને એવી માહિતી મળી હતી કે કાર ચોર ટોળકીનો મુખ્ય સુત્રધાર ડો. હરેશ સુરતમાં સંતાયેલો છે, જેના આધારે અમદાવાદ ક્રાઈમબ્રાંચની એક ટીમે સુરતમાં 17 ઓક્ટોબર 2018ને બુધવારે સવારથી જ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને સુરત પોલીસની મદદથી ડો. હરેશને આબાદ ઝડપી લીધો હતો. ડો. હરેશને અમદાવાદ લાવી તેની પુછપરછ કરતા ચોંકી ઉઠેલા પોલીસ અધિકારીઓએ આ ગેંગના અન્ય સાગરિતોને પણ ઝડપી લેવાની તજવીજ શરૂ કરી છે. ચોરીની કારોની નંબર પ્લેટ બદલીને કોને કોને વહેચી છે તે અંગે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે જેના પગલે આગામી ટુંક સમયમાં ધરપકડનો દોર શરૂ થશે.

ફિલ્મી સ્ટાઇલ કાર ચોર જેવી ઓપરેન્ડી હતી ડો. હરેશ મણીયાની

સમગ્ર ટોળકીનો મુખ્ય સુત્રધાર ડોકટર હરેશ મણીયા છે હરેશ મણીયાએ રાય યુનિવર્સિટીમાંથી એમએસસી કર્યું છે અને બાવળા તાલુકાના બગદાણા ગામે આયુર્વેદિક દવાખાનુ ચલાવે છે. દરમિયાનમાં તેણે વાહનચોરી કરવાનું શરૂ કર્યું હતું અને તેણે પોતાની ગેંગ બનાવી હતી અન્ય શહેરોમાંથી કારોની ઉઠાંતરી કર્યાં બાદ તેઓએ અમદાવાદ શહેરમાં અનેક સ્થળોએથી વાહનચોરી કરી હતી બાવળાની સહજાનંદ સોસાયટીમાં રહેતો ડોકટર હરેશ વાહનચોરીમાં એકસપર્ટ થઈ ગયો હતો જાકે તેના ઉપર અનેક ગુનાઓ નોંધાયેલા છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતો હરેશ અગાઉ ડુપ્લીકેટ ચલણી નોટોના કેસમાં ઝડપાયો હતો અને તેને સજા પણ થઈ હતી.

અમદાવાદમાં કાર ચોરીના બનાવો વધતા પોલીસ એલર્ટ બની હતી

પકડાયેલા આરોપીઓની પુછપરછ કરતા તેઓએ કબુલ્યુ છે કે વસ્ત્રાપુર, આનંદનગર અને સેટેલાઈટ વિસ્તારમાંથી તેઓએ ૧૩૦થી વધુ ગાડીની ચોરી કરી છે. ચોંકાવનારી બાબત એ છે કે ડો. હરેશની ગેંગે એસ.જી.હાઈવે પરથી સૌથી વધુ કારની ચોરી કરી છે કારની ચોરી કર્યાં બાદ તેઓ એક પાર્ટી પ્લોટમાં ગાડીને લઈ જતા હતા અને ત્યાં નંબર પ્લેટ બદલીને બીજા શહેરોમાં વહેંચી નાંખતા હતાં વાહનચોર ટોળકીએ અનેક મોંઘી કારોની ચોરી કરી છે પ્રાથમિક પુછપરછમાં જ રપ૦થી વધુ કારોની ચોરી કરી હોવાનું કબુલ્યું છે આટલી મોટી સંખ્યામાં કારની ચોરી કરતી ગેંગ ઝડપાતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે.

October 18, 2018
ravan.jpg
1min7840
  • રાવણ બનાવવા માટેના વાંસ, કાગળ અને ફટાકડાના ભાવમાં લગભગ 25 ટકા સુધી વધારો
  • ફટાકડાના ભાવમાં તોતિંગ વધારો
  • મટિરિયલ પર જીએસટીની ચૂકવણી

દશેરા પર્વે મનોરંજન માટે ખાસ કરીને બાળકોના મનોરંજન માટે રાવણદહનનો કાર્યક્રમો યોજાય છે. પણ આ વખતે રાવણને પણ જીએસટી અને મોંઘવારી એવા નડ્યા કે વિરાટ કદના રાવણને વામન કદના કરી દેવા પડ્યા છે. બજારમાં દશેરાએ રાવણ દહન માટેના રાવણો તૈયાર કરી આપનારાઓએ રાવણોના ભાવમાં 35 ટકા જેટલો જંગી વધારો કર્યો હોવાથી આ વખતે ગુજરાતના અનેક શહેરોમાં રાવણોના કદ પાછલા વર્ષોની તુલનામાં નાના થઇ ગયા છે.

રાવણોને પણ ગુજરાતમાં આ વર્ષે મોંઘવારી અસર કરી રહી છે. ગુજરાતમાં દશેરાના દિવસે રાવણદહન માટે તૈયાર કરી આપવામાં આવતા રાવણનાં પૂતળાં મોંઘવારીને કારણે ઓછાં વેચાયાં છે તો જ્યાં રાવણદહન થાય છે ત્યાં રાવણનાં નાના કદના પૂતળાંના ઓર્ડર અપાયા હોવાનું જાણવા મળે છે.
દક્ષિણ ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં વાપી, અમદાવાદ અને મુંબઇથી દર વર્ષે રાવણ તૈયાર કરીને મોકલવામાં આવે છે અને એ માટે ખાસ ઉત્તર પ્રદેશથી કારીગરો એક મહિના પહેલાંથી રાવણ દહન સ્થળે ડેરા તંબુ તાણીને રાવણનાં પૂતળાં બનાવે છે.

સુરતમાં રહીને રાવણદહન માટે રાવણ તૈયાર કરી આપતા અબ્બાસ અલી કહે છે કે 25થી 50 ફૂટ જેટલાં ઊંચાં રાવણનાં પૂતળાંનો અૉર્ડર  અત્યાર સુધી મળતા હતા. આ વર્ષે ભાવતાલની વાતચીતમાં જ ઓર્ડર પર 30 ટકા કાપ આવી ગયો છે. જીએસટી અને રાવણ માટે ઉપયોગી મટીરીયલ અને ફટાકડાના ભાવ વધારાને કારણે રાવણના ભાવ 35 ટકા જેટલા વધાર્યા છે. આમ આ વર્ષે રાવણ દહન કરનારાઓએ પોતાનું બજેટ વધાર્યું નથી એટલે આ વર્ષે દશેરામાં મોંઘવારીને કારણે રાવણની માગણી ઓછી થઈ ગઈ છે.

રાવણ બનાવવા માટેના વાંસ, કાગળ અને ફટાકડાના ભાવમાં લગભગ 28 ટકા વધારો થયો છે રાવણ દહન કરાવનારા આયોજકોએ ભાવ વધારાને પગલે ઓછા ફટાકડા નાખવાનું કહેવા ઉપરાંત નાના કદના તૈયાર કરાવ્યા છે.

 

October 18, 2018
RSS.jpg
1min20050
  • રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે દશેરા પર્વે પોતાનો 93મા સ્થાપના દિવસની ઉજવણી કરી
  • સ્થાપના દિવસ નિમિત્તે મોહન ભાગવતે પોતાના સંબોધનમાં રામ મંદિરથી લઈ ચીન સુધીના મુદ્દે નિવેદન આપ્યું
  • નોબેલ પુરસ્કારથી સન્માનિત સામાજિક કાર્યકર્તા કૈલાશ સત્યાર્થી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા

RSS

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આજે તા.18 ઓક્ટોબર 2018ને દશેરા પર્વે પોતાનો 93મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. ત્યારે નાગપુરમાં સંઘ દ્વારા પથ સંચલનનું આયોજન કરાયું હતું. સંઘ પ્રમુખ મોહન ભાગવતની હાજરીમાં સ્વયંસેવકોએ પથ સંચલન કર્યું. આ દરમિયાન નોબેલ પુરસ્કારથી સન્માનિત સામાજિક કાર્યકર્તા કૈલાશ સત્યાર્થી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા. સ્થાપના દિવસ નિમિત્તે મોહન ભાગવતે પોતાના સંબોધનમાં રામ મંદિરથી લઈ ચીન સુધીના મુદ્દે નિવેદન આપ્યું.

છેલ્લા ઘણા સમયથી રામ મંદિરનો મુદ્દો ફરી ઉઠ્યો છે. ત્યારે આજે સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ સરકારને સલાહ આપી દીધી છે. સંઘ પ્રમુખે કહ્યું, ‘રાજકારણને કારણે કેટલાક લોકો આ મુદ્દાને ખેંચી રહ્યા છે. રામ મંદિર હિન્દુ-મુસલમાન વચ્ચેનો પ્રશ્ન નથી. તે ભારતનું પ્રતીક છે. અને જે માર્ગે રામ મંદિરનું નિર્માણ શક્ય હોય તે માર્ગે મંદિર બનવું જ જોઈએ. સરકારે કાયદો બનાવીને રામ મંદિર બનાવવું જોઈએ’

તો પોતાના સંબોધન દરમિયાન મોહન ભાગવતે ફરી એકવાર ભારતને વિશ્વગુરુ બનાવવાની વાત દોહરાવી. સાથે જ મોહન ભાગવતે દેશના રાજકારણમાં સત્ય અને અહિંસાનું મહત્વ પણ દર્શાવ્યું. ભાગવતે કહ્યું કે મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના આધારે રાજકારણની કલ્પના કરી હતી. જે અંગ્રેજો હંમેશા જીતતા હતા તેમની સામે હથિયાર વગર લડીને ગાંધીએ જીત અપાવી હતી.

October 17, 2018
adinath.jpg
1min6250

સુરતના પરવત પાટિયા ખાતે આવેલા આદિનાથ દિગંબર જૈન દેરાસરમાં તા.16મી ઓક્ટોબર 2018ની રાત દરમિયાન જૈનો માટે અતિપવિત્ર અને આસ્થાનું પ્રતિક ગણાતી અષ્ટધાતુની મૂર્તિ, ચાંદીની છત અને કળશ ગુમ થઇ જતા જૈન સમાજમાં રોષ છે. આજે તા.17મી ઓક્ટોબર 2018ના રોજ સવારે નિત્ય ક્રમ મુજબ ભગવાનની પુજાનો સમય થયો ત્યારે એ વાત ઉજાગર થઇ કે મૂર્તિ સમેત અન્ય સામગ્રી પર તસ્કરો હાથ ફેરો કરીને પલાયન ભણી ગયા છે.

(આ મૂર્તિની પૂજા થવાની હતી, પરંતુ એ પહેલા તસ્કરો તફડાવી ગયા)

પરવત પાટીયા વિસ્તારમાં આવેલા આ આદિનાથ દિગંબર જૈન મંદિર નજીક 10થી 19 ઓકટોબર સુધી  24 સમવશરણ કલ્પદ્રુમ મહામંડળ વિધાન કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે જ આ ઘટના બનતા જૈન બંધુઓની લાગણી દુભાઇ જવા પામી છે. ચોરી કોણે કરી એ જાણવા માટે જ્યારે સીસી ટીવી કેમેરાની સિસ્ટમ ચેક કરવામાં આવી ત્યારે સીસી ટીવી કેમેરા બંધ મળ્યા હતા. ઇલેક્ટ્રીક સપ્લાયનો પ્લગ નીકળી જતા સીસી ટીવી ઠપ હતા. એ જ સમયે તસ્કરોએ પણ હાથ ફેરો કર્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

દિંગબર જૈન સમાજના ભક્તોએ કેશવ નગર પોલીસ ચોકીનો ઘેરાવ કરીને ચોરને પકડી પાડવાની માગ કરી હતી.

October 16, 2018
liquor.jpg
1min11430
  • માર્ચ 2018થી લિકર પરમિટ નવી-રિન્યુઅલ બધી જ કાર્યવાહી સ્થગિત
  • એપ્રિલ 2018થી ગુજરાતમાં દારુ પર 65 ટકા જેટલો જંગી ટેક્સ
  • સરકારે દારુ પરમિટના નીતિ-નિયમો કડક બનાવવા ઉપરાંત તોતિંગ ટેક્સ નાંખતા સત્તાવાર લિકર શોપનું વેચાણ ઘટ્યું
  • કાયદેસર વેચાતો દારુ ઓછો થતાં સરકારની તિજોરીને મળતા ટેક્સની આવકમાં પણ ઘટાડો
  • ખાનગીમાં ગેરકાયદે દારુનો વેપલો કરતા બુટલેગરોને તડાકો
  • ગુજરાતમાં 6 કરોડની વસતિ પૈકી ફક્ત 72 હજાર પાસે દારુની પરમિટ 
  • 72000 દારુની પરમિટ પૈકી 40 હજાર હેલ્થના કારણોસર અપાયેલી છે

ગુજરાતમાં દારુબંધીનો કડકાઇથી અમલ કરાવવા માટે રાજ્ય સરકારે છેલ્લા છ મહિના દરમિયાન અનેક પગલાં ભર્યા છે. રાજ્ય સરકારના પગલાં આવકારદાયક છે પણ આ પગલાંની બીજી તરફ કેટલીક આડઅસરો પણ ઉપસ્થિત થઇ છે. જેમકે રાજ્ય સરકારે ગુજરાતમાં લિકર પરમિટ શોપ પરથી વેચાતા દારુ પર 65 ટકા જેટલો ટેક્સ ઠોકી બેસાડતા થયું એવું કે હવે ખાનગીમાં ગેરકાયદેસર દારુ વેચી રહેલા બુટલેગરોને તડાકો પડી ગયો છે. જેમની પાસે પરમિટ છે એ લોકો પણ પરમિટના દારુની જગ્યાએ ખાનગીમાં દારુ લઇ રહ્યા છે, બુટલેગરો દ્વારા વેચાતો દારુ સસ્તો પડતો હોવાથી લોકો હવે ગેરકાનુની રીતે દારુ ખરીદી રહ્યા છે.

બીજી બાજુ રાજ્ય સરકારે માર્ચ 2018થી નવી લિકર પરમિટ આપવાનું કે જુની પરમિટ રિન્યુ કરવાનું બંધ કરી દીધું છે. જેને લઇને પરમિટ હોલ્ડર પણ ગેરકાયદેસર હોવા છતાં બુટલેગરો પાસેથી જ દારુ ખરીદી રહ્યા છે.

રાજ્યમાં આવેલી સત્તાવાર લિકર શોપમાં છેલ્લા 6 મહિના દરમિયાન લિકર વેચાણ સતત ઘટ્યું છે. ગુજરાતના હોટેલિયર્સ આગેવાનોનું એક પ્રતિનિધિમંડળ ગુજરાત સરકારના જુદા જુદા અધિકારીઓ તેમજ મંત્રીઓને મળ્યું હતું અને તેમણે ઉપરોક્ત રજૂઆતો કરી જે પૈકી કેટલીક રજૂઆતો આંખ ઉઘાડનારી હતી. એક રજૂઆત એવી પણ હતી કે રાજ્ય સરકારે પરમિટ રિન્યુઅલ બંધ કરતા, જેમની પરમિટ રિન્યુ નથી થઇ તેવા લોકો પણ હવે બુટલેગરો પાસેથી દારુ ખરીદી રહ્યા છે. આવું થવાને કારણે ગુજરાત સરકારની તિજોરીને મળતો ટેક્સ પણ ગુમાવવાનો વખત આવે છે.

જોકે રાજ્યના ગૃહ વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે કે ટૂંક સમયમાં અને ઘણુંખરું દિવાળી પહેલા લિકર પરમિટ નવી અને રિન્યુઅલની પ્રોસેસ ફરીથી શરૂ થશે. નવા દર અનુસાર પરમિટ હોલ્ડરોએ ફી ચૂકવવાની રહેશે. પરમિટ માટે રૂ.2000ની પ્રોસેસિંગ ફી નો નવો ધારો લાગુ કરવામાં આવ્યો છે. એવી શક્યતા છેકે લિકર પરમિટ અંગેનું સત્તાવાર નોટિફિકેશન ટૂંક સમયમાં જાહેર થશે.