Slider Archives - Page 356 of 487 - CIA Live

May 11, 2019
urea_scam.jpg
1min699

સૌરાષ્ટ્રમાં કેશોદ, રાણાવાવ, ઉપલેટામાં ઓછા વજનની ઉઠેલી ફરિયાદો
ખાતરની થેલીઓનું વજન કરવાની પ્રક્રિયાનું વિડીયોગ્રાફી કરવા સરકારનો આદેશ
જેતપુરમાંથી ઓછા વજનવાળી ખાતરની થેલીઓ પકડાયા બાદ આ કૌભાંડ રાજ્યવ્યાપી બની જતાં સંબંધિતઓ દોડતાં થઇ ગયા છે. બીજી બાજુ શનિ અને રવિ એમ દિવસ રાજ્યભરનાં ખાતરનાં ડેપો અને વેચાણ કેન્દ્રો પર ખાતરનું વેચાણ બંધ કરવાનાં રાજ્ય સરકારે આદેશો આપ્યા છે. બે દિવસમાં પૂર્ણ તપાસ બાદ સોમવારથી પૂન: ખાતર વેચાણ શરૂ કરવાં સરકારે જણાવ્યું છે.
રાજ્યના મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહે રાજ્યમાં ખાતરની થેલીઓમાં ઓછા વજન અંગેની બાબત ધ્યાનમાં આવતા જી.એસ.એફ.સી. અને જી.એન.એફ.સી.ના મેનાજિંગ ડિરેક્ટરને આ ખાતર વેચાણ રવિવાર સુધી બંધ રાખવા સુચના આપી છે.
રાજ્યની આ બે કંપનીઓના તમામ ડેપો અને વેચાણ કેન્દ્રો પર આ દરમ્યાન ખાતરના વજનની સંપૂર્ણ ચકાસણી’ વીડિયોગ્રાફી સાથે કરવાની સ્પષ્ટ સુચના પણ આપવામાં આવી છે. આ સમગ્ર પ્રકિયા સંતોષકારક રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કર્યા બાદ જ સોમવારથી આ ખાતરનું વેચાણ ફરી શરૂ કરવાનો આદેશ મુખ્ય સચિવ જી.એસ.એફ.સી. અને જી.એસ. એન.સી.ને આપ્યા છે.
જામજોધપુર:
જામજોધપુરના ખેડૂત પુત્ર અને યુવા ધારાસભ્ય દ્વારા આજ રોજ કંપનીના વેચાણ કેન્દ્ર ડેપો પર રૂબરૂ જઇ જનતા અને ખેડૂતોને સાથે રાખી રેડ કરવામાં આવેલ અને ખાતરની બાચકીઓમાં ડેપો પર વજન કરતાં તમામ ખાતરની બાચકીઓમાં 200 ગ્રામથી માંડી 400 ગ્રામ વજન ઓછું બતાવવામાં આવેલ.
કેશોદ:
જૂનાગઢ, વંથલીમાં વજન બરાબર જણાવેલ પરંતુ કેશોદ ખાતર ડેપોમાં તપાસ કરતાં પાંચ બેગોમાં 300થી 580 ગ્રામ ખાતર ઓછું જણાયું હતું. આ અંગે ખેત નાયબ નિયામકએ’ ડેપો સંચાલકને નોટિસ પાઠવી, ખાતરના સેમ્પલ લઇ તપાસાર્થે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
રાણાવાવ:
પોરબંદરના રાણાવાવ પોલીસ સ્ટેશન સામે આવેલા કિશાન સુવિદ્યા કેન્દ્ર ખાતે ખેતી અધિકારી અને ખેડૂત આગેવાનોની ઉપસ્થિતિમાં રોજકામ કરવામાં આવ્યું હતું જેમાં તપાસ કરવામાં આવતા ઓછું ખાતર જોવા મળ્યું હતું. રાણાવાવ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઇ ખીસ્તરીયા, બખરલાના ખેડૂત આવડાભાઇ ખુંટી, રાણાવાવના લખમણભાઇ દેવા વગેરેની ઉપસ્થિતીમાં રોજકામ કરવામાં આવતાં ડી.એ.ડી.માં પ00 ગ્રામ જેટલું ઓછું વજન જણાઇ આવ્યું હતું. એન.ટી.કે.માં 400 ગ્રામ જેટલું ઓછું વજન જણાયું હતું. 6 મહિના જુના સ્ટોકમાં પણ ઓછું વજન જણાયું હતું. ડી.એ.બી.ની 340 થેલી સ્ટોક નજરે ચડયો હતો જ્યારે એનપીકેની 80 થેલી પડી હતી. ખેડૂતોને 1 થેલી દીઠ 1પ રૂપિયાનું નુકશાન થયું હોવાનું જણાવાયું હતું અને તેનું રોજકામ પણ કરાયું હતું.
ઉપલેટામાં જનતા રેઇડ
ગુજરાતમાં પેક થેલીમાં રાસાયણિક ખાતર ઓછું ભરતી કરતા હોવાના અને ખેડૂતોને ઓછું ખાતર આપી કંપની દ્વારા છેતરપિંડીની ફરિયાદો ઉઠવા પામેલ છે. ત્યારે ઉપલેટામાં પણ છેતરપિંડી થતી હોવાની ફરિયાદો કોંગ્રેસ પાસે આવતા શહેર કોંગ્રેસના પ્રમુખ-કૃષ્ણકાંત ચોટાઇ, તાલુકા પંચાયતના પ્રમુખ લાબાભાઇ ડાંગર, રમણીકભાઇ લાડાણી, લખમણભાઇ ભોપાલા, કપીલભાઇ સોલંકી, કમલેશભાઇ વ્યાસ સહિતના કોંગ્રેસના આગેવાનો, કાળા નાલા પાસે આવેલ સરદાર ફર્ટિલાઇઝર્સના ડેપોએ ધસી ગયા હતા અને ખાતરની થેલીઓમાં ખાતર ઓછું હોવાની ફરિયાદો અંગે ડેપો ઉપર હાજર રહેલ મેનેજર પરમારને જાણ કરતાં તેઓએ આ થેલીઓ કંપનીમાંથી આવતી હોવાનું જણાવેલ હતું.
જામનગર:
જામનગરના રણજીત સાગર રોડ ઉપર આવેલા ખાતરના ડેપોમાં કોંગ્રેસના અગ્રણી અને લોકસભાની તાજેતરની ચૂંટણીમાં ઉમેદવાર મુળુભાઇ કંડોરિયા અને પાલભાઇ આંબલિયા સહિતના અગ્રણીઓએ ચેકિંગ કરાવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન ડીએપી ખાતરની ત્રણ બોરીમાં ઓછું વજન હોવાનું જણાયું હતું. જેમાં એક બોરીમાં 120 ગ્રામ, બીજી બોરીમાં 420 ગ્રામ અને ત્રીજી બોરીમાં 570 ગ્રામ વજન ઓછું હોવાનું માલૂમ પડયું હતું.
May 11, 2019
jkhighway.jpg
1min9770

રામબન જિલ્લામાં ભેખડો ધસી પડવાની નવેસરથી બનેલી ઘટનાને પગલે 3000 કરતા પણ વધારે વાહનો અટવાઈ ગયા હોવા વચ્ચે શુક્રવારે સતત બીજે દિવસે પણ જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે વાહનોની અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો હતો, એમ અધિકારીઓએ કહ્યું હતું.

હાઈવેસ્થિત ડિગડોલ વિસ્તારમાં કાટમાળ ખસેડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ નવેસરથી ભેખડો ધસી પડવાની બનેલી ઘટનાને પગલે હાઈવે સતત બીજે દિવસે પણ વાહનવ્યવહાર માટે બંધ રાખવાની ફરજ પડી હતી, એમ તેમણે કહ્યું હતું.

ભેખડો ધસી પડવાને કારણે 2500 જેટલાં ભારે વાહનો તો 500 જેટલા હળવાં વાહનો હાઈવેના જુદા જુદા ભાગમાં અટવાઈ ગયા હતા.

કાટમાળ ખસેડવાના કામ માટે માણસો અને મશીનોને કામે લગાડવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

May 11, 2019
votingsign.jpg
1min4860

બારમીએ રવિવારે યોજાનારી લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાનનું પ્રચારકાર્ય શુક્રવારે સાંજે 6.00 વાગે બંધ થયું હતું. છ રાજયોની અને દિલ્હીની 59 બેઠક માટે બારમીએ મતદાન થશે. ઉત્તર પ્રદેશની 14, હરિયાણાની 10, બિહાર, મધ્ય પ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળની આઠ-આઠ બેઠક, દિલ્હીની સાત બેઠક અને ઝારખંડની ચાર બેઠક માટે મતદાન થશે. 2014માં 59માંથી ભાજપે 45, તૃણમૂલ કૉંગ્રેસે આઠ, કૉંગ્રેસે બે, સમાજવાદી પાર્ટી અને એલજેપીએ એક-એક બેઠક જીતી હતી.

દિલ્હીમાં કૉંગ્રેસના પીઢ નેતા શીલા દીક્ષિત, ઓલિમ્પિક બોક્સર વિજેન્દ્રસિંહ, કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધન, ક્રિકેટર ગૌતમ ગંભીર અને આમ આદમી પાર્ટીના આતિશી જેવા ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં નોંધાશે. ઉત્તર પ્રદેશમાં કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ મહત્ત્વના ઉમેદવાર છે.

ઉત્તર પ્રદેશમાં 2014માં ભાજપે 14માંથી 13 બેઠક કબજે કરી હતી. આઝમગઢમાં સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ જીત્યા હતા.

હરિયાણામાં કેન્દ્રીય પ્રધાન કૃષ્ણપાલ ગુર્જર અને રાવ ઈંદ્રજિત સિંહ ફરી ચૂંટણી લડી રહ્યા છે.

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડા ફરી વાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. 2014માં હરિયાણામાં ભાજપે આઠ બેઠક પર અને સાથી પક્ષ એમજેસીએ બે બેઠક પરથી ચૂંટણી લડી હતી, જેમાંથી ભાજપે સાત બેઠક જીતી હતી જયારે એમજેસી બંને બેઠક હારી ગયું હતું. આ બંને બેઠક પર આઇએનએલડી જીતી ગઈ હતી. કૉંગ્રેસે રોહતક પરથી હુડાના પુત્ર દીપેન્દ્ર સિંહને ફરી ઉમેદવારી આપી છે. પશ્ર્ચિમ બંગાળમાં આઠ બેઠક પર મતદાન થશે. તમામ આઠ બેઠક 2014માં ટીએમસીના કબજામાં હતી. ઝારખંડમાં ચાર, બિહારમાં આઠ, મધ્ય પ્રદેશમાં આઠ બેઠક પર મતદાન થશે. કેન્દ્રીય પ્રધાન રાધામોહન સિંહ બિહારમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ભોપાલની બેઠક પર દિગ્વિજયસિંહ અને પ્રજ્ઞાસિંહ ઠાકુર વચ્ચેનો જંગ રસપ્રદ બની રહ્યો છે. 2014માં મધ્ય પ્રદેશની સાત બેઠક ભાજપ અને એક માત્ર ગુના બેઠક કૉંગ્રેસ જીતી શકી હતી. બિહારની આઠે આઠ બેઠક એનડીએ જીત્યું હતું.

May 10, 2019
surat_loksabha.png
1min7750

દાયકા પહેલાં આવેલી મંદીમાં ડેવલપરોએ 40 ટકા સુધી ઘટાડો કર્યો હતો : રેરા-જીએસટી અને ઊંચા પ્રીમિયમને કારણે માર્જિન ઘટી ગયું હોવાથી બિલ્ડરો પણ લાચાર

સુરત શહેર, અર્બન એરીયા તેમજ તેને અડીને આવેલા વિસ્તારોમાં હાલમાં બે લાખ જેટલી નવી મિલક્તો જેમાં સૌથી વધુ ફ્લેટ્સ છે, દુકાનો, ઓફિસ, રો હાઉસ, ગાળા ટાઇપ મકાનો વગેરે ખાલી પડ્યા હોવા છતાં તેના ભાવો ઘટતાં નથી. શહેરીજનોને પણ નવાઇ લાગી રહી છે કે પડ્યા પડ્યા મિલક્તો ખરાબ થઇ રહી છે, બાંધકામો સડી રહ્યા છે આમ છતાં બિલ્ડરો, ઓર્ગેનાઇઝરો મિલક્તોના ભાવ ઓછા કરીને વેચવા કેમ કાઢતા નથી. હાલ આ મુદ્દો લગભગ દરેક ધંધાદારી લોકોના સર્કલથી લઇને ફ્રેન્ડસ ગ્રુપોમાં ચર્ચાય રહ્યો છે.

દાયકા સવા દાયકા પહેલાં પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જબરદસ્ત મંદી આવી હતી. એ વખતે જે રીતે નવી ખાલી મિલક્તોા ભાવમાં 40 ટકા જેવો જંગી ઘટાડો થયો હતો એવો આ વખતે થયો નથી. ફ્લેટના વેચાણમાં અત્યંત મંદી હોવા છતાં બિલ્ડરો ભાવમાં ઘટાડો કરવાને બદલે ફ્લેટો જાળવી રાખવાનું પસંદ કરી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે નાણાં લઇને બેઠેલા ઇન્વેસ્ટર્સ માથું ખંજવાળી રહ્યા છે કે તેમની પાસે સસ્તા ભાવે રોકાણની તક આવતી નથી. આવી સ્થિતિ છેલ્લા દોઢેક વર્ષથી સર્જાયેલી જોવા મળી રહી છે.

બિલ્ડરો અને ડેવલપર્સનું માર્જિન ઘટી રહ્યું છે

એક જાણીતી સંસ્થા દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે રિયલ એસ્ટેટ માર્કેટ પર લગાવવામાં આવેલા ભારે વેરા અને પ્રીમિયમની ઊંચી રકમને કારણે ડેવલપરનું માર્જિન સતત ઘટી રહ્યું છે. આ બધાની વચ્ચે રિયલ એસ્ટેટ માર્કેટમાં ભારે સ્પર્ધા આવી ગઈ છે, ત્યારે ફક્ત આઠ ટકા જેવા નજીવા માર્જિનમાં ડેવલપરો ફ્લેટ વેચી રહ્યા છે અને તેથી જ ભાવમાં વધુ ઘટાડો કરવા તેઓ તૈયાર નથી.

ફાઇનાન્સ અને ઇન્ટરેસ્ટ કોસ્ટમાં વધારો, બિલ્ડરો લાઇન છોડીને અન્ય વેપારમાં નજર દોડાવી રહ્યા છે

2005થી ફાઈનાન્સ અને ઈન્ટરેસ્ટની કોસ્ટમાં અંદાજે આઠ ગણો વધારો થઈ ગયો છે,કેમ કે બિલ્ડરોને ધીમી ગતિએ થતા વેચાણને લઈને લાંબા ગાળાની લોન લેવી પડે છે. આ ઉપરાંત જમીનની કિંમતમાં નવ ગણો, મંજૂરીઓ પાછળ થતા ખર્ચમાં સાત ગણો અને ક્ધસ્ટ્રક્શન કોસ્ટમાં બમણો વધારો થતાં ડેવલપરનું માર્જિન સતત ઘટી રહ્યું છે. 2005માં એક પ્રોજેક્ટને પૂરો થતાં સરેરાશ ત્રણ વર્ષ લાગતા હતા, તેને સ્થાને હવે 6 વર્ષ લાગે છે. આ બધું મળીને પ્રોજેક્ટની 35 ટકા કિંમત થઈ જાય છે અને સૌથી મોટો ખર્ચ આ જ છે.

શહેરના મોટા ભાગના રિયલ એસ્ટેટના માંધાતાઓએ હવે બિલ્ડીંગ લાઇન પરચૂરણ લઇન થઇ ગયાનું માનીને પોતાની મૂડી મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં નાંખવાના આયોજન કર્યા હોવાનું જણાય આવે છે. બિલ્ડિંગ કન્સ્ટ્રકશનમાં કોસ્ટ વધી, મળતર ઘટ્યું અને નાના પ્લેયર્સ પણ આવી રહ્યા હોઇ હવે મોટા માંથા રિયલ એસ્ટેટમાંથી ખસી રહ્યા છે.

મિલક્તો પોતાની કિંમતે વેચવા માટે અનેક સ્કીમો બિલ્ડરોએ આપવી પડી રહી છે

આ બધા ઉપરાંત ડેવલપરો પ્રોપર્ટીની કિંમતની ચુકવણીમાં હપ્તા પાડીને આપે, ફ્લોર રાઈઝના હિસાબે વધારાની કિંમત ન વસૂલે, જીએસટી અને રજિસ્ટ્રેશન ફી ચુકવી આપે આ બધાને કારણે તેમના પર વધારાના 10-20 ટકા જેટલો બોજો પડી રહ્યો છે. અનેક ડેવલપરોએ તો તૈયાર પડેલા પોતાના ફ્લેટો વેચવા માટે 10-15 વર્ષના હપ્તાની સ્કીમ બનાવી આપી છે, જેથી તેમનું રોલિંગ અટકી ન પડે. આને કારણે પણ નફામાં કાપ મુકાઈ રહ્યો છે.

2005માં કોઈ પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવનારી વ્યક્તિ અને આજે એ જ પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદનારી વ્યક્તિ લગભગ સમાન કિંમત ચુકવી રહી છે તેના પરથી રિયલ એસ્ટેટ માર્કેટની હાલતનો અંદાજ આવે છે. જીએસટી અને સ્ટેમ્પ ડ્યૂટી ઉપરાંત રેરાએ પણ પ્રોપર્ટી માર્કેટ પર ગંભીર અસર કરી છે.

May 10, 2019
ayodhya.jpg
1min6350

સર્વોચ્ચ અદાલતે અયોધ્યાના રામ જન્મભૂમિ – બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં મધ્યસ્થી કરીને સુલેહસંપવાળો ઉકેલ શોધવા માટે રચેલી 3 સભ્યની સમિતિએ તાજેતરમાં પોતાનો વચગાળાનો અહેવાલ બંધ કવરમાં સુપરત કર્યો તે પછી આ અદાલત શુક્રવારે કેસની સુનાવણી કરવાની છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતની રજિસ્ટ્રીને છઠ્ઠી મેએ બંધ કવરમાં વચગાળાનો અહેવાલ સુપરત કરાયો હતો અને આ કેસની સુનાવણી શુક્રવારે રખાઇ છે.

અગાઉ, સર્વોચ્ચ અદાલતે અયોધ્યા વિવાદનો સુલેહસંપવાળો ઉકેલ લાવવા માટે 3 સભ્યની બનેલી સમિતિ રચી હતી.

મધ્યસ્થીની સમિતિમાં સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ એફ. એમ. આઇ. કલિફુલ્લા, આધ્યાત્મિક ધર્મગુરુ અને આર્ટ ઑફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પાંચુનો સમાવેશ થાય છે.

કેસની સુનાવણી કરતી પાંચ ન્યાયાધીશની બંધારણીય બૅન્ચમાં રંજન ગોગોઇ, એસ. એ. બોબડે, ડી. વાય. ચંદ્રચુડ, અશોક ભૂષણ અને એસ. અબ્દુલ નાઝીરનો સમાવેશ થાય છે.

સર્વોચ્ચ અદાલતે આ કેસ મધ્યસ્થીઓને સોંપ્યો તે પછી સૌપ્રથમ વખત સુનાવણી કરવાની છે.

સર્વોચ્ચ અદાલતે મધ્યસ્થીઓની સમિતિને બંધબારણે કાર્યવાહી હાથ ધરીને આઠ અઠવાડિયાંમાં પોતાની કામગીરી પૂરી કરવાનો હુકમ કર્યો હતો.

નિર્મોહી અખાડા સિવાયના હિંદુ સંગઠનોએ મધ્યસ્થીઓની સમિતિ રચવાનો વિરોધ કર્યો હતો, જ્યારે મુસ્લિમ સંગઠનોએ તેને આવકાર આપ્યો હતો.

હિંદુ સંગઠનોએ જણાવ્યું હતું કે આ કિસ્સામાં મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવામાં અગાઉ પણ નિષ્ફળતા મળી હોવાથી ફરી તે પ્રક્રિયા શરૂ કરવાનો અર્થ નથી.

May 10, 2019
mbbs.jpg
1min12560

જયેશ બ્રહ્મભટ્ટ

ધો.12 સાયન્સ બી ગ્રુપના સીબીએસઇ, આઇસીએસઇ તેમજ ગુજરાત બોર્ડના પરીણામો જાહેર થઇ ચૂક્યા છે, પણ મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદિકમાં પ્રવેશ માટે ફરજિયાત નીટ પરીક્ષાના પરીણામને હજુ કમસે કમ 25 દિવસ જેટલો સમય બાકી છે.

નેશનલ ટેસ્ટીંગ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમજ એન.ટી.એ.ના નોટિફિકેશનની માહિતી અનુસાર નીટ 2019નું પરીણામ તા.5મી જુન 2019ની આસપાસ જાહેર થશે.

મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદિકમાં પ્રવેશ ઇચ્છુક વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આ 25 દિવસનો સમયગાળો ભારે ઉચાટ વાળો રહેશે. જે વિદ્યાર્થીઓના નીટમાં 350થી નીચે સ્કોર આવે તેવું ગણિત છે એવા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ સમયગાળો ભારે કપરો બની રહેશે. એક તરફ એવી મૂંઝવણ હશે કે મેડીકલમાં પ્રવેશ મળશે કે નહીં અને બીજી તરફ પ્રાઇવેટ મેડીકલ કોલેજો તેમજ ફોરેનની મેડિકલ કોલેજોમાં પ્રવેશ અપાવતા ધંધાદારી એજન્ટોના રોજેરોજ ફોનકોલ્સ અને મેસેજિસ આવશે.

ગુજરાતમાં મેડિકલ, પેરામેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે રચવામાં આવેલી કમિટી પણ નીટના પરીણામ સુધી નિષ્ક્રીય બેસી રહે છે. અત્યાર સુધી એવું જ અનુભવાયું છે કે પરીણામ આવ્યા પછીના દોઢથી બે મહિના પછી પ્રવેશ કમિટી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરે છે. નીટના પરીણામને હજુ 25 દિવસની વાર છે ત્યાં સુધી મેડીકલ પ્રવેશ સમિતિ, એન્જિનિયરિંગની વ્યવસ્થાની જેમ રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂરી કરી દે તો બાદમાં પ્રવેશ કાર્યવાહી ઝડપથી હાથ ધરી શકાશે. પરંતુ, હજુ સુધી પ્રવેશ સમિતિ વહેલી જાગે તેવા કોઇ અણસાર જણાતા નથી.

એજન્ટોની માયાજાળમાં ફસાવવા કરતા સ્વયં પ્રયત્ન કરો

નીટના પરીણામ સુધી પ્રાઇવેટ મેડીકલ કોલેજોમાં પ્રવેશ અપાવતા એજન્ટો તેમજ ફોરેનમાં મેડીકલ એડમિશન અપાવતા એજન્ટો પોતાની માયાજાળ બિછાવીને વાલીઓને અને વિદ્યાર્થીઓને એવા ડરાવશે કે ઘણાં વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમની વાતોમાં આવી જઇને રશીયા, ચાઇના, ફિલિપાઇન્સ, યુક્રેન વગેરે જેવી મેડીકલ કોલેજોમાં પ્રવેશ માટેની ટોકન એમાઉન્ટ પણ આપી દેશે.

ફોરેન મેડીકલ ભણવા જવામાં કશું ખોટું નથી પરંતુ, એજન્ટોને બિનજરૂરી દોઢથી અઢી લાખ રૂપિયા ચૂકવવા કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ જાતે જ ફોરેનની કોલેજોની વેબસાઇટ પરથી કોલેજનો સંપર્ક કરીને એડમિશન મેળવવું જોઇએ. આ પ્રક્રિયાથી એજન્ટોને આપવાની થતી દોઢથી અઢીલાખ જેવી માતબર રકમ બચાવી શકાય છે.

મેડીકલ અને પેરામેડિકલમાં ગયા વર્ષનું કટઓફ શું હતું

મેડીકલ કટઓફ 2018-19

ડેન્ટલ કટઓફ 2018-19

આયુર્વેદિક કટઓફ 2018-19

હોમિયોપેથી કટઓફ 2018-19

 

May 10, 2019
guj.jpg
1min6160

ગુજરાતના વાતાવરણમાં અસામાન્ય ફેરફારો જોવા મળી રહ્યા છે. આ ઉનાળામાં એક વખત માવઠું બેસી ચૂક્યું છે અને હવે ફરીથી આગામી ત્રણેક દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માવઠાની અસર વર્તાય તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ગરમીમાં ઘટાડો નોંધાશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પણ પડી શકે છે એવી માહિતી સ્થાનિક કલેક્ટરેટ સુધી પહોંચાડી દેવામાં આવી છે.

દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. પરિણામે હવામાન વિભાગે 10, 11 અને 12 મેનાં રોજ થન્ડર સ્ટોર્મ, ભારે પવન અને વીજળીનાં કડાકાની આગાહી છે. આ દિવસો દરમિયાન પવનની ગતિ પણ 30થી 40 કલાક પ્રતિ કિલોમીટરની રહી શકે છે. પરિણામે હળવી ઠંડક અનુભવાશે.

બનાસકાંઠા, રાજકોટ અને કચ્છમાં વાતાવરણમાં પલટો થવાની આગાહી છે. 11મી તારીખે બનાસકાંઠા, પાટણ, રાજકોટ અને અમરેલી માટે આગાહી આપવામાં આવી છે. 12મી મેના રોજ રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, સુરેન્દ્રનગર માટે વોર્નિંગ આપવામાં આવી છે.

May 10, 2019
cancel-1280x960.jpg
1min8300

ઘર ખરીદનારાઓએ ગયા નાણાકીય વર્ષમાં ફ્લેટ બૂક કરાવીને પછી રદ કર્યો હોય તો બિલ્ડરોએ તેના પર વસૂલેલો જીએસટી રિફંડ કરવો પડશે અને તેને આ પ્રકારના રિફંડ માટે ક્રેડિટ એડજસ્ટમેન્ટની છૂટ પણ મળશે, એમ આવકવેરા વિભાગે જણાવ્યું હતું.

રિયલ એસ્ટેટ સેક્ટરની કંપનીઓને રહેણાક એકમો પર પાંચ ટકા અને એફોર્ડેબલ હાઉસિંગ પર એક ટકા જીએસટી પહેલી એપ્રિલ 2019થી ઈનપુટ ટેક્સ ક્રેડિટ વગર વસૂલવાની છૂટ મળે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી) દ્વારા આ પ્રકારની ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે.

હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સમાં બિલ્ડરોને આઇટીસી સાથે 12 ટકાનો ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી) વસૂલવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તેમા એફોર્ડેબલ હાઉસિંગ માટે આઇટીસી સાથે આઠ ટકા અથવા તો આઇટીસી વગર એક ટકાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ખરીદનાર દ્વારા ડેવલપરને ક્રેડિટ નોંધ સેક્શન 34ની જોગવાઈ મુજબ ભાવફેરના સંદર્ભમાં કે બુક કરવામાં આવેલા ફ્લેટનો સોદો કેન્સલ થાય ત્યારે ઉપરોક્ત જોગવાઇઓ લાગુ પડશે.

ડેવલપર આ પ્રકારની ક્રેડિટ નોટની રકમ પર ચૂકવેલા વેરા અંગે ટેક્સ એડજસ્ટમેન્ટને પાત્ર બનશે. જેમકે કોઇ ડેવલપરે ₹1.20 લાખ પર 12 ટકાના દરે વેરો ચૂકવ્યો હોય અને તેની કુલ બૂકિંગ રકમ પહેલી એપ્રિલ 2019 પહેલા દસ લાખ રૂપિયા હોય તથા બુકિંગ પહેલી એપ્રિલ 2019 પૂર્વે કે પહેલાં રદ થાય તો તેને જીએસટીની ₹1.20 લાખની જવાબદારી સામે ટેક્સ એડ્જસ્ટમેન્ટનો અધિકાર મળશે.

એક્સપર્ટસ કહે છે કે ઉપરોક્ત ગાઇડલાઇન્સને કારણે ડેવલપરને કરબોજો ઘટાડવામાં મદદ મળશે, જે તેણે ઘણી વખત જૂનાં બૂકિંગ રદ થવાની સ્થિતિમાં વેઠવો પડે છે.

એક વખત રિયલ એસ્ટેટ ડેવલપર હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ પર જૂની જીએસટી કર પદ્ધતિ પસંદ કરે અથવા તો નવી પસંદ કરે તે પણ તે જ્યુરિસડિક્શનલ કમિશનર પાસે મેન્યુઅલી કરાવી શકશે. જોકે તેને તેમાં સુધારો કરવાની છૂટ નહીં મળે.

ડેવલપરો સામાન્ય રીતે જેને ટ્રાન્સફર ઓફ ડેવલપમેન્ટ રાઇટ (ટીડીઆર) તરીકે જાણે છે તેમાં જમીનની ખરીદીના સંદર્ભમાં એફએક્યુએ જણાવ્યું હતું કે તેમાં પહેલી એપ્રિલ 2019 પછીના કરારો પર જીએસટી લાગુ નહીં પડે. જોકે, ટીડીઆર કરાર પહેલી એપ્રિલ 2019 પૂર્વે કરવામાં આવ્યો હોય તો ડેવલપર ચૂકવાયેલા જીએસટી પર ક્રેડિટ ક્લેમ ન કરી શકે. જીએસટી રેજિમમાં ટીડીઆર પર 18 ટકાના દરે વેરો લાગે છે.

May 10, 2019
bihar_evm.jpg
1min11660

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં પાંચમાં તબક્કાના મતદાન દરમિયાન એક હોટલમાં છ ઈવીએમ રાખવા બદલ ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને સંબંધિત મતદાન અધિકારીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. જોકે, જિલ્લા અધિકારીઓએ કહ્યું કે ઈવીએમનો ઉપયોગ નથી કરવામાં આવ્યો કે નથી તેનું સીલ તોડવામાં આવ્યું.

May 10, 2019
rajiv_admiral.jpeg
1min11220


પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીએ આઈએનએસ વિરાટ જહાજનો ઉપયોગ પોતાની ટેક્સી તરીકે કર્યાનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આક્ષેપ પછી રાજકીય બબાલ મચી ગઈ છે. નૌસેનાનાં પૂર્વ વરિષ્ઠ અધિકારી આ મુદ્દે આગળ આવીને મોદીનાં આરોપોને નકારી રહ્યા છે. પૂર્વ ચીફ નેવલ સ્ટાફ એડમિરલ એલ.રામદાસે બાકાયદા નિવેદન જારી કરીને મુદ્દાસર એ પ્રવાસનો ઉલ્લેખ કર્યો છે જેમાં રાજીવ પરિવાર સાથે છૂટ્ટી ગાળવા ગયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન અને તેમના પત્ની સિવાય એ અધિકૃત યાત્રામાં અન્ય કોઈ વિદેશી સામેલ નહોતાં. દિવંગત રાજીવે લક્ષદ્વીપ ટાપુ ઉપર 10 દિવસ માટે નૌસેનાનાં જહાજનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. આ નિવેદન કદાચ ઈન્ડિયા ટૂડેનાં એક અહેવાલ આધારિત હોઈ શકે છે. પરંતુ આમાં સચ્ચાઈ નથી. વાસ્તવમાં એ વડાપ્રધાનનો અધિકૃત પ્રવાસ જ હતો. તેનાં ઉપર કોઈ મિજલસો યોજાઈ નહોતી.