Slider Archives - Page 355 of 491 - CIA Live

May 22, 2019
guj.jpg
1min5720

23 મેના રોજ ગુજરાતની તમામ 26 લોકસભા અને ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી યોજાશે. આ મતણગતરી સવારના 8 વાગ્યે શરૂ કરવામાં આવશે.

રાજ્યમાં 26 સંસદીય મત વિસ્તાર અને ત્રણ પેટાચૂંટણી માટે 27 મતગણતરી કેન્દ્રો તથા જામનગર (ગ્રામ્ય) વિધાનસભાની પેટાચૂંટણી માટે 1 મતગણતરી કેન્દ્ર મળીને કુલ 28 મતગણતરી કેન્દ્ર રાખવામાં આવ્યા છે. આ મતગણતરી માટે 2548 કાઉન્ટિગ સુપરવાઈઝર, 2548 કાઉન્ટિગ આસિસ્ટન્ટ તથા 2912 જેટલા માઈક્રો ઓબ્ઝર્વર સહિત કુલ 8,662નો સ્ટાફ નિયુક્ત કરવામાં આવશે.

આ તૈયારીઓને જોતાં ગુજરાતનું પરિણામ લગભગ બે વાગ્યાની આસપાસ આવી જવાની શક્યતા છે.

દરેક મતગણતરી હોલ ખાતે વધુમાં વધુ 14 મતગણતરી ટેબલ એક રિટર્નિંગ ઑફિસર આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર)નું ટેબલ રહેશે.

26 સંસદીય મત વિસ્તારના 182 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ટપાલ મતપત્રો માટે 103 મદદનીશ ચૂંટણી અધિકારીઓ રહેશે. ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટ્ટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમની ચકાસણી-ગણતરી માટે 15 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી માટે 4 મદદનીશ ચૂંટણી અધિકારીઓ મળીને કુલ 122 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ તથા 26 સંસદીય મતવિસ્તાર તેમજ 4 વિધાનસભા મત વિસ્તાર માટે 41 ઓબ્ઝર્વર રહેશે. 2548 કાઉન્ટિગ સુપરવાઈઝર, 2548 કાઉન્ટિગ આસિસ્ટન્ટ તથા 2912 જેટલા માઈક્રો ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવશે. તેમજ ટપાલ મત પત્રોની ગણતરી માટે સુપરવાઈઝર, આસિસ્ટન્ટ અને માઈક્રો ઓબ્ઝર્વ્સ મળીને કુલ 309 જેટલા અધિકારીઓ રહેશે. આ સિવાય પણ ચૂંટણી અધિકારીની મદદ માટે રિઝર્વ તથા સપોર્ટિંગ સ્ટાફ રહેશે.

આ ઉપરાંત તમામ ઇવીએમની મતગણતરી થયા બાદ મોકપોલ ડેટા ક્લિયર નહીં કરવાને કારણે ચૂંટણીપંચે નિર્દેશ કરેલાં 16 મતદાન મથકોના વીવીપેટ સ્લીપની ગણતરી ટૅકનિકલ કારણોસર પરિણામ ડિસ્પ્લે નહીં થવાના કારણે ગણવાની થતી વીવીપેટ સ્લીપની ગણતરી ચૂંટણી અધિકારી દ્વારા નિયમ 56(ઘ)ની જોગવાઈ હેઠળ નક્કી થયેલા મતદાન મથકોની વીવીપેટ સ્લીપની ગણતરી દરેક વિધાનસભા મત વિસ્તારના ડ્રો દ્વારા પસંદ કરેલા પાંચ મતદાન મથકોની વીવીપેટ સ્લીપની ગણતરી કરવામાં આવશે.

May 22, 2019
vivek.jpg
1min8870

એક્ઝિટ પૉલના અનુસંધાનમાં અભિનેત્રી ઐશ્ર્વર્યા રાય બચ્ચનની વાંધાજનક મીમને શેર કરી વિવાદોમાં સપડાયેલા અભિનેતા વિવેક ઓબેરોયે આખરે માફી માગી હતી અને તે મીમ પણ ડિલીટ કર્યું હતું. વિવેકે ટ્વિટ કરી લખ્યું હતું કે ક્યારેક એક વ્યક્તિને પહેલી નજરે જે મજાકીયુ અને નિરુપદ્રવી લાગતું હોય તે બીજાને ન લાગે તેમ પણ બને. હું દસ વર્ષથી 2000 કરતા પણ વધારે વંચિત બાળકીના સશક્તિકરણ માટે કામ કરી રહ્યો છું.

કોઈ મહિલાના અપમાનનો હું વિચાર પણ કરી શકતો નથી. તેણે બીજી પણ એક ટ્વિટ કરી હતી અને લખ્યું હતું કે જો એક મીમ દ્વારા અન્ય મહિલાની ભાવનાને ટેસ પહોંચે છે તો તેમાં સુધારો થવો જોઈએ. હું માફી માગુ છું. ટ્વિટ મે ડિલીટ કર્યું છે. જોકે ઓબેરોયની માફી બાદ પણ એક સામાજિક સંસ્થાએ તેને કાર્યક્રમના અતિથિ તરીકે નકાર્યો હતો. ફોની વાવાઝોડાના અસરગ્રસ્તો માટે ફંડ એકઠું કરવાના એક કર્યાક્રમમાં તેમને સેલિબ્રિટી તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ આ વિવાદ બાદ તેમણે તેમની ઉપસ્થિતિ નકારી હતી.

જોકે અગાઉ વિવેકે માફી માગવાની ના પાડી હતી. તેણે જણાવ્યું હતું કે કોઈએ આ મીમ પૉસ્ટ કરી હતી અને હું તેના પર હસ્યો અને તે વ્યક્તિની કલ્પનાશક્તિના વખાણ કર્યા. તેમાં કઈ ખોટું કર્યું નથી. ઓબેરોયના આ ટ્વિટ બાદ નેટિઝન અને ફિલ્મજગતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા તેને નોટિસ પણ પાઠવવામાં આવી હતી.

May 22, 2019
Keval-Kakka.jpg
1min6010

28 વર્ષના કેવલ કક્કા નામના યુવા ભારતીય પર્વતારોહકે ચાલી રહેલી સિઝનમાં માત્ર છ જ દિવસમાં માઉન્ટ ઍવરેસ્ટ સહિત 8000 મીટર કરતા વધુ ઊંચાઈ ધરાવતા બે પર્વત સર કરી લીધા હોવાનું નેપાળના પ્રસારમાધ્યમના અહેવાલમાં મંગળવારે જણાવવામાં આવ્યું હતું.

કેવલ હીરેન કક્કાએ મંગળવારે તા.21મી મે 2019ના રોજ વિશ્વમાં ચોથા ક્રમાંકનો સૌથી ઊંચો માઉન્ટ લ્હાત્સે પર્વત સર કરી લીધો હતો.

નવ સભ્યની ટીમનું નેતૃત્વ કરી રહેલા મુંબઈસ્થિત પર્વતારોહક હીરેને મંગળવારે તા.22મી મે 2019ની સવારે 6:30 વાગ્યે પર્વતના શિખર પર પગ મૂક્યો હતો, એમ આ પર્વતારોહણ અભિયાનનું આયોજન કરનાર સતોરી ઍડવેન્ચર્સ પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર રિશી ભંડારીએ કહ્યું હતું. 16મી મેએ કક્કાએ માઉન્ટ ઍવરેસ્ટનું શિખર સર કર્યું હોવાનું સમાચારપત્રના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

કૅનેડિયન પર્વતારોહક મૅથ્યુસ વનૉર્નના નેતૃત્વ હેઠળ માઉન્ટ ઍવરેસ્ટ સર કરનાર 13 સભ્યની ટીમનો પણ તે હિસ્સો હતો, એમ ભંડારીએ કહ્યું હતું

કક્કાએ માઉન્ટ ટિબ્બા (6001 મીટર), માઉન્ટ હનુમાન ટિબ્બા (5932 મીટર), માઉન્ટ ફ્રૅન્ડશિપ (5289 મીટર), માઉન્ટ લૉબુચે ઈસ્ટ (6019 મીટર), માઉન્ટ સ્ટૉક કાન્ગરી (6049 મીટર), માઉન્ટ માનાસ્લુ (8163 મીટર)ના પર્વતારોહણ અભિયાનથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

નેપાળની પર્વતારોહણ માર્ગદર્શકોની આઠ સભ્યની ટુકડીએ સફળતાપૂર્વક માઉન્ટ ઍવરેસ્ટ સર કર્યા બાદ આ વરસે 14 મેએ પર્વતારોહણની સિઝન શરૂ થઈ હતી.

માઉન્ટ ઍવરેસ્ટની ઊંચાઈ 8848 મીટર અને માઉન્ટ લ્હાત્સેની ઊંચાઈ 8526 મીટર છે.

May 22, 2019
amit.jpg
1min12140

ભાજપના પ્રમુખ અમિત શાહ દ્વારા આયોજિત ડિનરમાં એનડીએના તમામ પક્ષોના નેતાઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. આરંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પુષ્પગુચ્છ આપી અમિત શાહે સ્વાગત કર્યું હતું.

ત્યાર બાદ સાથી પક્ષોના નેતાઓએ ફૂલોનો હાર પહેરાવ્યો હતો અને શૉલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું. ડિનર પાર્ટીમાં હાજર રહેલા ડઝન જેટલા સાથી પક્ષોના નેતાઓમાં મહારાષ્ટ્ર શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર, લોકજનશક્તિના રામવિલાસ પાસવાન અને અકાલી દળના વડા પ્રકાશસિંહ બાદલનો સમાવેશ થતો હતો.

એનડીએના ટોચના નેતાઓ મોદી સાથે મંચ પર બેઠા હતા. મોદીની એક બાજુએ અમિત શાહ તો બીજી બાજુએ પ્રકાશસિંહ બાદલ બેઠા હતા. મોદી સાથે મંચ પર બિરાજમાન અન્ય નેતાઓમાં નીતિશકુમાર, ઉદ્ધવ ઠાકરે, રાજનાથસિંહ, અરુણ જેટલી, જે. પી. નડ્ડા, પ્રકાશ જાવડેકર વગેરેનો સમાવેશ થતો હતો.

આ અગાઉ કેદ્રિય પ્રધાનમંડળની બેઠક ભાજપના મુખ્યાલયમાં મળી હતી. આ બેઠક બાદ વધુ એક બેઠક મળી હતી જેમાં અમિત શાહે ઉપસ્તિત તમામ પ્રધાનોનો રાષ્ટ્ર માટે આપેલી સેવા બદલ આભાર માન્યો હતો. મોટાભાગના ઍક્ઝિટ પૉલમાં ભાજપને સ્પષ્ટ બહુમતી આપવામાં આવી હોવા વચ્ચે 23મી મેએ જાહેર થનારાં લોકસભાની ચૂંટણીનાં પરિણામો અગાઉ યોજવામાં આવેલી આ બેઠકને મહત્ત્વની માનવામાં આવે છે.

મોદીએ લોકસભાની ચૂંટણીના પ્રચારને એમ કહીને યાત્રા સાથે જોડી હતી કે આ ચૂંટણી અન્ય ચૂંટણીઓ કરતા અલગ હતી કેમ કે માત્ર પક્ષ નહીં દેશની જનતા આ ચૂંટણી લડી હતી.  તેમણે કહ્યું હતું કે મેં અનેક ચૂંટણીઓ જોઈ છે, પરંતુ આ ચૂંટણી રાજકારણ કરતા વિશેષ હતી.

આ ચૂંટણી માટે હું જ્યારે પ્રચાર કરી રહ્યો હતો ત્યારે મને એમ લાગી રહ્યું હતું કે જાણે હું યાત્રા કરી રહ્યો છું, એમ મોદીએ કહ્યું હતું.

May 22, 2019
aruna.jpg
1min6830

arunachal killing માટે છબી પરિણામ

નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઑફ નાગાલેન્ડ (એનએસસીએન)ના કહેવાતા ઉગ્રતાવાદીઓએ મંગળવારે અરુણાચલ પ્રદેશના તિરાપ જિલ્લામાં હાલના વિધાનસભ્ય અને વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાંના નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ના ઉમેદવાર તિરોંગ અબો, તેમના દીકરા, એક સુરક્ષા અધિકારી સહિત કુલ 11 જણને ઠાર માર્યા હતા. ખોંસા પશ્ર્ચિમ વિધાનસભા ક્ષેત્રના વિધાનસભ્ય 44 વર્ષીય તિરોંગ અબો આ બેઠક પરથી ફરી ચૂંટણી લડી રહ્યા હતા.

પ્રારંભિક અહેવાલમાં આ હુમલામાં સાત જણ માર્યા ગયા હોવાનો દાવો કરાયો હતો, પરંતુ પોલીસ ડિરેક્ટર જનરલ એસ. બી. કે. સિંહે 11 જણ માર્યા ગયા હોવાની જાહેરાત કરી હતી. તિરોંગ અબો આસામમાંથી પોતાના મતવિસ્તારમાં જતાં હતાં ત્યારે તેમના પર આ હુમલો કરાયો હતો. તેમની સાથે પરિવારના સભ્યો, ત્રણ પોલીસ અને એક ચૂંટણી અધિકારી હતા.

તિરાપ જિલ્લામાં નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઑફ નાગાલેન્ડ (એનએસસીએન)ના કહેવાતા ઉગ્રતાવાદીઓએ મંગળવારે અંદાજે સવારે 11.30 વાગ્યે તેઓના વાહનો પર ગોળીબાર કર્યો હતો. પોલીસ ડિરેક્ટર જનરલ એસ. બી. કે. સિંહે જણાવ્યું હતું કે આ વિધાનસભ્ય અને અન્ય દસ જણ મળીને કુલ 11 જણનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

હુમલામાં ઘાયલ એક સુરક્ષા અધિકારીને આસામના દિબ્રુગઢની હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડૂએ આ હિંસા અંગે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હુમલાખોરોને શોધીને તેઓની સામે કાર્યવાહી કરાશે. હું આ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારના સભ્યો અને સગાંના દુ:ખમાં સહભાગી છું.

મેઘાલયના મુખ્ય પ્રધાન અને નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ના નેતા કોનરાડ સંગમાએ પણ આ હુમલાને વખોડી કાઢ્યો હતો અને વડા પ્રધાનની કચેરી તેમ જ કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથ સિંહને આ પ્રકરણમાં જલદી પગલાં લેવા વિનંતિ કરી હતી. સંગમાએ ટ્વીટ કર્યું હતું કે નેશનલ પીપલ્સ પાર્ટી (અરુણાચલ પ્રદેશના) પોતાના વિધાનસભ્ય તિરોંગ અબો અને તેમના પરિવારના સભ્યોના મૃત્યુના સમાચારથી ઘણી દુ:ખી છે.

તેમણે જણાવ્યું હતું કે અમે આ ક્રૂર હુમલાને વખોડી કાઢીએ છીએ અને વડા પ્રધાનની કચેરી તેમ જ રાજનાથ સિંહને આ હુમલા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા વિનંતિ કરીએ છીએ. દરમિયાન, અરુણાચલ પ્રદેશની કૉંગ્રેસ સમિતિએ રાજ્યમાંની કાયદો અને વ્યવસ્થામાંની ખામી માટે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની સરકારને દોષ દીધો હતો.

કૉંગ્રેસે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અસલામત છે અને સામાન્ય જનતા પણ અસલામતી અનુભવે છે.

વિપક્ષે આ હુમલાની ઉચ્ચ સ્તરની અદાલતી તપાસની માગણી કરી હતી અને મુખ્ય પ્રધાન પેમા ખાંડૂ તેમ જ તેમની ભાજપ સરકાર પર બધું દોષારોપણ કર્યું હતું. અગાઉ, તિરોંગ અબો ખોંસા પશ્ર્ચિમની બેઠક પરથી 2014માં પીપલ્સ પાર્ટી ઑફ અરુણાચલના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. અરુણાચલ પ્રદેશમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઇ હતી.

 

May 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min22550

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત શહેરનું ધો.10નું પરીણામ આ વખતે અભૂતપૂર્વ રહ્યું છે. એ-વન ગ્રેડમાં સુરત શહેર જિલ્લા મળીને કુલ 1009 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યા છે જે નભૂતો ન ભવિષ્યતી જેવું છે. બોર્ડના ઇતિહાસમાં કોઇ જિલ્લાએ બોર્ડની કોઇપણ પરીક્ષામાં ચાર ડિજિટમાં એ-વન રેન્ક હાંસલ કરી શક્યા નથી.

આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધો.10ના પરીણામમાં સુરત શહેર જિલ્લામાંથી કુલ 1009 વિદ્યાર્થીઓએ એ-વન રેન્ક હાંસલ કર્યા હતા.

સુરતના 1009 એ-રેન્કર્સમાં 99 તો એકલી નાના વરાછાની આશાદીપ ગ્રુપના હતા, જ્યારે બાકીના વિદ્યાર્થીઓમાં પીપી સવાણી સ્કુલના 83 વિદ્યાર્થીઓ સાથે દ્વિતિય ક્રમે રહી છે.

સુરતમાં ધો.10માં એ ગ્રેડ મેળવનારી શાળાઓ અને એ-ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યા આ મુજબ છે.

નોંધ. જે સ્કુલના વિદ્યાર્થીઓની સંખ્યાં અહીં અમને સત્તાવાર રીતે મળી છે તેમનો જ સમાવેશ કરાયો છે. અન્ય શાળાઓએ તેમની માહિતી 098253 44944 પર મોકલી આપવી.

 

સ્કુલનું નામ                એ-વન ગ્રેડની સંખ્યા

આશાદીપ ગ્રુપ                   99

પીપી સવાણી ગ્રુપ              83

મૌની ગ્રુપ                           31

જે.બી. એન્ડ કાર્પ સ્કુલ        35

ગજેરા ગ્રુપ ઓફ સ્કુલ્સ       34

ભૂલકા વિહાલ સ્કુલ            30

કૌશલ વિદ્યાભવન              29

સંસ્કારભારતી વિદ્યાલય      27

એલ.પી. સવાણી સ્કુલ          27

તપોવન ગ્રુપ                        25

અંકુર-અર્ચના ગ્રુપ ઓફ સ્કુલ્સ   20

સ્વામીનારાયણ ગુરુકુળ      19

સુરત ડાયમંડ ગર્લ્સ              16

સદભાવના ગ્રુપ સ્કુલ્સ          16

ભૂલકા ભવન સ્કુલ                15

વશિષ્ઠ ગ્રુપ                           15

આઇ એન ટેકરાવાળા          13

યોગી પ્રવૃતિ વિદ્યાલય          12

સુમન હાઇસ્કુલ્સ                  12

એલપીડી પૂણા સ્કુલ             11

ડીઆર રાણા સ્કુલ               11

રૂસીમા પૂણાવાલા એક્સપેરિમેન્ટલ    11

સંસ્કારદીપ વિદ્યાલય            09

લિયો ગ્રુપ ઓફ સ્કુલ્સ          09

લુડ્ઝ કોન્વેન્ટ સ્કુલ              09

વનિતા વિશ્રામ સ્કુલ સુરત    09

માધવબાગ વિદ્યાભવન        08

ઉત્તર ગુજરાત કેએસકે વિદ્યાલય  08

વીએન ગોધાણી કન્યા          07

શારદા વિદ્યાભવન               06

દીપદર્શન વિદ્યાસંકુલ           06

ગુરુકૃપા વિદ્યાસંકુલ              06

એસ્પાયર સ્કુલ                     06

શિશુવિહાર સ્કુલ                 05

જીવનભારતી કુમારભવન     05

બચકાણીવાલા વિદ્યામંદિર   04

દક્ષિણામૂર્તિ વિદ્યાલય          04

પ્રેસિડેન્સી સ્કુલ                    04

ધર્મજીવન સ્કુલ, એકેરોડ       04

સરસ્વતી વિદ્યાલય               04

બાયોનિક્સ સ્કુલ                 04

નોબલ ગ્રુપ                          04

લોકમાન્ય વિદ્યાલય              04

દિવ્યજીવન જોથાણ            03

માતૃભૂમિ વિદ્યાભવન           03

અંકુર સ્કુલ   કતારગામ        03

સાધના ગર્લ્સ સ્કુલ               03

આર.કે. વિદ્યાભવન             03

પ્રેરણા સ્કુલ                         02

વષિષ્ઠ જેનેસીસ                   02

વિશ્વભારતી ગર્લ્સ સ્કુલ        02

સિવિલાઇજ્ડ મોડર્ન સ્કુલ     02

અક્ષરદીપ વિદ્યાલય,નાના વરાછા    02

વિદ્યાકુંજ                            02

લીલાબા સ્કુલ                      01

રાદડીયા સ્કુલ                      01

ઉમરીગર મેમો. સ્કુલ            01

મેટ્રીક્સ ગ્લોબલ સ્કુલ            01

કેટલાઇઝર સ્કુલ                    01

કેજી ભીંગરાડીયા શાળા          01

વિઝડમ સ્કુલ                          01

બાલાજી ગર્લ્સ સ્કુલ                 01

May 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min8920

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડએ આજે જાહેર કરેલા ધો.10ના પરીણામની કેટલીક એવી બાબતો અમે અહીં ઉજાગર કરી રહ્યા છે જે વાંચીને વાચકોને સહજ આશ્ચર્ય થશે.

ધો.10નું ગુજરાતનું ઓવરઓલ પરીણામ 66 ટકા છે. આ એવરેજ પરીણામ છે. પરંતુ, પરીણાની ભીંતરમાં ડોકીયું કરીશું તો નીચે મુજબની વાસ્તવિકતાઓ નજર સામે આવે છે.

ગણિત વિજ્ઞાનમાં સૌથી વધુ નાપાસ થયા

  • સૌથી વધુ વિદ્યાર્થીઓ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિષયમાં ફેઇલ થયા છે. સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિષયમાં કુલ 8,22,820 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 5,61,299 પાસ થયા છે અને 2,61,521 નાપાસ થયા છે. આ વિષયનું પરીણામ બોર્ડે લીધેલી તમામ વિષયોની પરીક્ષામાં સૌથી ઓછું પરીણામ છે.
  • બીજા નંબરે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં નાપાસ થયા છે. ગણિતમાં 8,21,982 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 5,72,473 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 2,49,509 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

છોકરીઓનું પરીણામ છોકરાઓ કરતા 10 ટકા વધુ

  • બોર્ડના સમગ્ર પરીણામમાં ગર્લ્સ (કન્યાઓ)નું પરીણામ બોયઝ (કુમાર) કરતા વધુ આવ્યું છે. બોયઝનું ટકાવારી પરીણામ 62.83 ટકા છે જ્યારે ગર્લ્સનું પરીણામ 72.64 ટકા છે.

તમામ માધ્યમોમાં ગુજરાતી માધ્યમનું પરીણામ સૌથી ઓછું

  • ગુજરાતી મિડીયમની સ્કુલોનું પરીણામ હિન્દી, ઇંગ્લિશ, ઉર્દૂ સમેત તમામ ભાષાકીય માધ્યમોની સ્કુલોના પરીણામ કરતા ઓછું આવ્યું છે.

100 ટકા પરીણામ ધરાવતી સ્કુલો

  • ગુજરાત બોર્ડનું ધો.10નું 100 ટકા પરીણામ ધરાવતી શાળાઓની સંખ્યા 366 છે જ્યારે ઝીરો ટકા પરીણામ ધરાવતી સ્કુલોની સંખ્યા 63 છે તેમજ 30 ટકા કે તેનાથી ઓછું પરીણામ ધરાવતી શાળાઓની સંખ્યા 955ની છે.

સીસીટીવી કેમેરાએ ચોરી કરતા ઝડપ્યા

  • બોર્ડની પરીક્ષા દરમિયાન સુપરવાઇઝર કે અન્ય માનવીય સ્ટાફના હાથે ચોરી ગેરરીતિ આચરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 119 છે જ્યારે સીસીટીવી ફૂટેજની ચકાસણી બાદ ચોરી ગેરરીતિના કુલ 2165 કેસો ઝડપી પાડવામાં આવ્યા હતા.

May 21, 2019
ssc.jpg
1min11610

જયેશ બ્રહ્મભટ્ટ

હોંશિયાર વિદ્યાર્થીઓને ખેંચી લાવવા માટે પહેલા ટ્યુશન ક્લાસીસો અને હવે સ્કુલોએ એ-વન વિદ્યાર્થીઓને સાવ મફતમાં ભણાવવા અંગે કરેલી જાહેરાતો 2019ના ધો.10ના પરીણામ સાથે જ ટ્યુશન અને સ્કુલોના સંચાલકોના ગળે ગાળીયાની જેમ ફીટ થઇ ગઇ છે. ઇનામી ફંડા આ વખતે ટ્યુશન ક્લાસીસો અને સ્કુલોના સંચાલકો માટે આર્થિક ફંદા બની જાય તેવી સ્થિતિ છે.

આજે સવારે જેમ જેમ સ્કુલોના પરીણામોમાં એ-વન ગ્રેડ નીકળતા જતા હતા તેમ તેમ ટ્યુશન ક્લાસીસો અને કેટલીક સ્કુલોના સંચાલકોના બ્લડ પ્રેશર વધતા ગયા હતા, કેમકે એ-વન વાળાને એકપણ રૂપિયો લીધા વગર ભણાવવાની જાહેરાતો અનેકે કરી છે.

સુરતમાંથી અભૂતપૂર્વ રીતે 1009 એ-વન ગ્રેડ આવ્યા છે. આવી ઘટના ગુજરાત બોર્ડ માટે પણ પહેલી વખતબની છે જેમાં એ-વન ગ્રેડના વિદ્યાર્થીઓની કોઇ એક જિલ્લાની સંખ્યા ચાર આંકડાને પાર કરી ગઇ હોય

સુરતમાંથી કુલ 1009 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પાસ થયા છે. આ બધા જ વિદ્યાર્થીઓને જાણીતા અને જેમણે અગાઉથી જાહેરાતો કરી છે એ મુજબની સ્કુલ અને ટ્યુશનમાં બિલકુલ ફ્રી ભણાવવામાં આવશે. આ ગણતરી જોઇએ તો ટ્યુશન ક્લાસીસોમાં ધો.12ના ટ્યુશન તેમજ જેઇઇ, નીટ, ગુજકેટ વગેરે પરીક્ષાના ટ્યુશન મળીને વાર્ષિક ફી વિદ્યાર્થી દીઠ રૂ.50 હજારથી એક લાખ સુધીની આવે છે. આ પ્રમાણે ગણતરી કરીએ તો આ વખતે કરોડો રૂપિયાની ખોટ સ્કુલો અને ક્લાસીસોએ કરવી પડે તેમ છે.

શહેરના કેટલાક ધંધાદારી ટ્યુશન ક્લાસીસો અને સ્કુલોના સંચાલકોએ એ-વન ગ્રેડવાળાને ધો.11-12 સાયન્સ, કોમર્સમાં ફ્રી ભણાવવાની જાહેરાતો કરી છે, ધો.11-12ની સ્કુલ ટ્યુશનની એવરેજ ફી રૂ.1 લાખ જેટલી થાય છે ત્યારે 1009 એ-વન ગ્રેડવાળા વિદ્યાર્થીઓને ભણાવવાનો ટોટલ ખર્ચો રૂ.10 કરોડને આંબી જશે

આમ સુરતના એ-વન ટોપર્સની વાત કરીએ તો તેમણે ઝળહળતું પરીણામ મેળવીને ધંધાદારી ટ્યુશન ક્લાસીસો, સંચાલકોને કુલ રૂ.10 કરોડ જેટલી જંગી રકમના ઇનામો જીતી લીધા છે અને હવે સંચાલકોએ અગાઉથી કરેલી જાહેરાતો મુજબ આ વિદ્યાર્થીઓેને મફતમાં ભણાવવા પડશે.

આમ સુરતના 1009 એ વન વિદ્યાર્થીઓએ કુલ રૂ.10 કરોડ ઉપરાંતની રકમ ઇનામ રૂપે જીતી લીધી છે અને મોટા ભાગના એ-વન ગ્રેડના વિદ્યાર્થીઓ અત્યાર સુધી જ્યાં ભણ્યા છે ત્યાં ફ્રીમાં જ ભણ્યા છે. હવે આ વખતે 1009ની ઉપર એવન ગ્રેડ આવ્યા હોઇ સંચાલકો આવતા વર્ષથી એવન ગ્રેડને ફ્રીમાં ભણાવવાની જાહેરાત કરતા પહેલા સો વખત વિચાર કરશે.

એ-વન ગ્રેડવાળાને ફ્રીમાં ભણાવવાની ઇનામી યોજનાને પગલે ટ્યુશનો અને સ્કુલોમાં સંભવ છે કે આખેઆખા ક્લાસ ફ્રી ભણશે. બહુ મોટી અને અસામાન્ય સંખ્યામાં એ-વન ગ્રેડ આ વખતના ધો.10ના પરીણામમાં આપવામાં આવ્યા છે.

વાંચો અહીં ધો.10નું પરીણામની સઘળી વિગતો

આખા રાજ્યના પરીણામ પર નજર

સુરત સમેત સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓનું પરીણામ

May 19, 2019
ahmedabad-rubber-stamp-vector-11776070.jpg
1min7110

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરોના ગૂંગળામણથી મોત નિપજ્યાના સમાચારોએ અમદાવાતમાં અરેરાટી ફેલાવી દીધી છે. કોઇપણ પ્રકારના પ્રોટેકશન વગર મજૂરોને ગટર સાફ કરવા માટે ઉતારવામાં આવ્યા હતા.

અમદાવાદના ઓઢવના અંબિકાનગર પમ્પિંગ સ્ટેશનમાં ચાર મજૂર ગટર સાફ કરવા માટે ઉતર્યા હતા.  ઘટનાસ્થળેથી મળતી માહિતી ગટરમાં ચોક્કસ પ્રકારના ગેસ ને કારણે તેમાં ઉતરેલા મજૂરોનો શ્વાસ રૂંધાયો હતો. ગટરમાં જ મોત થતા તેમના મૃતદેહ ગટરમાંથી બહાર કઢાયા હતા અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિપુલ મહેતાએ ઘટના બાદ જણાવ્યું હતું કે પ્રિમોન્સુનની કામગીરીના ભાગરુપે સફાઈ કરાઈ રહી હતી ત્યારે આ ઘટના બની છે. બેજવાબદાર કોન્ટ્રાકરો સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.

રાજ્યના નાયબ પ્રધાન નીતિન પટેલે આ દુર્ધટના વિશે શોક વ્યક્ત કર્યો હતો. તંત્રએ કાયદાકીય પગલા લેવા આદેશ આપ્યા છે. આ સાથે મૃતકોના પરિવારોને તાત્કાલિક આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી

May 19, 2019
eci_officers.jpg
1min7120
મોદીને કલીનચીટથી નારાજ ચૂંટણી કમિશનર લવાસાએ પંચમાં ભિન્ન અભિપ્રાય રેકોર્ડમાં રાખવાની માગ કરી
સી.ઇ.સી. અરોડાએ કહ્યું, દરેક સભ્યનો સમાન સૂર જરૂરી નથી: આ હેવાલો ઘૃણાસ્પદ: કોંગ્રેસનું મોદી પર નિશાન
લોકસભા ચૂંટણી અંતિમ પડાવ ભણી છે ત્યારે જ ચૂંટણીપંચમાં પણ મતભેદો સપાટી પર આવી જતાં રાજકીય ગરમી પણ વધી’ ગઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી કમિશનર અશોક લવાસાએ મુખ્ય ચૂંટણી કમિશનર (સી.ઈ.સી.)સુનીલ અરોડાને પત્ર લખીને એવી માંગ કરી છે કે પંચના નિર્ણયોમાં કમિશનરો વચ્ચેના મતભેદોને પણ સત્તાવાર રેકોર્ડમાં સામેલ કરવામાં આવે. અને જ્યાં સુધી આ રીતની વ્યવસ્થા અમલી નહીં બને ત્યાં સુધી તેઓ ચૂંટણીપંચની બેઠકોમાં સામેલ થશે નહીં. લવાસાના પત્ર બાદ ચૂંટણી પંચમાં મતભેદને લઈને મંગળવારે એક બેઠક બોલાવવામાં આવી છે.
લવાસા આચારસંહિતા ઉલ્લંઘનના મામલાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહને સીધી અને સતત ક્લીનચીટ તથા વિપક્ષી નેતાઓને નોટિસોની વિરુદ્ધ છે. દરમ્યાન સી.ઈ.સી.એ આજે એક નિવેદન જારી કરીને આ હેવાલોને ઘૃણાજનક અને ટાળી શકાય એવા ગણાવીને કહ્યું હતું કે એ જરૂરી નથી કે આયોગના’ દરેક સભ્યનો વિચાર સમાન હોય. તેમને જાહેર ચર્ચાનો ક્યારેય વાંધો નથી પણ દરેક બાબતનો એક સમય હોય છે.
આ પત્રને લઇને કોંગ્રેસે પણ મોદી સરકાર પર હુમલો કરવાની તક ઝડપી લીધી. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે, ચૂંટણીપંચ નરેન્દ્ર મોદીના ‘પીઠૂ’ ની જેમ કામ કરે છે.
અરોડાએ જણાવ્યું હતું કે પંચની 14મી મેના મળેલી છેલ્લી બેઠકમાં સર્વાનુમતે એવો નિર્ણય લેવાયો હતો કે લોકસભા ચૂંટણીમાં આચારસંહિતાને લઈને ઉદ્ભવેલા મુદ્ઓની ચર્ચાવિચારણા માટે જૂથો રચવામાં આવશે. ચૂંટણીપંચ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા અને મતગણતરી માટે તૈયાર થઈ રહ્યું છે ત્યારે જ આચારસંહિતાને લગતી બાબતોમાં ભાગ નહીં લેવાના લવાસાના નિર્ણયના હેવાલો બહાર આવ્યા છે.
કેન્દ્રીય ચૂંટણીપંચના સભ્યો એક જ સૂર દર્શાવે એ જરૂરી નથી અને ભૂતકાળમાં પણ ચૂંટણી આયોગમાં મતભેદો કે વિચારોમાં વૈવિધ્ય જોવા મળ્યું છે અને એવું થવું પણ જોઈએ. પણ એ સભ્યના અલગ અભિપ્રાયનો મામલો’ તેની નિવૃત્તિ સુધી પંચની અંદર જ રહે છે.
લવાસાએ પત્રમાં લખ્યું છે કે કોઈ કમિશનર અલગ અભિપ્રાય આપે તો સુપ્રીમ કોર્ટની જેમ તેને પણ સત્તાવાર રેકોર્ડમાં રાખવામાં આવે. સૂત્રોને ટાંકીને મીડિયા હેવાલોમાં જણાવાયું છે કે ચૂંટણીપંચ દ્વારા વડાપ્રધાનને સીધેસીધી અને સતત ક્લીનચીટ આપવાને લઈને લવાસા નારાજ છે. મોદી અને અમિત શાહ પર પોતાના પ્રવચનોમાં સેનાની સર્જિકલ સ્ટ્રાઈક સહિતના મુદ્ઓ ઊઠાવીને આચારસંહિતા ભંગ કરવાના આરોપો છે.