CIA ALERT

Slider Archives - Page 355 of 487 - CIA Live

May 13, 2019
turkheda.jpg
1min7160

ગુજરાત સરકાર વિકાસના મોટા મોટા દાવા કરવામાં આવે છે ત્યારે આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ વિકાસના દાવા છોટાઉદેપુર જીલ્લાના તુરખેડા ગામમાં પોકળ પુરવાર થયા છે. ગામમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. છોટાઉદેપુરના તુરખેડા ગામમાં લોકોએ પાણી સહિતની જીવનજરૂરી વસ્તુઓ માટે ડુંગરને તોડીને રસ્તા બનાવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા વિકાસના મોટા દાવા કરવામાં આવે છે અને છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ પહોંચાડવામાં આવી છે. ગામમાં સરકારની એક પણ વિકાસ યોજનાઓ આજદીન સુધી પહોંચી નથી, પરંતુ સરકારના આ દાવા છોટાઉદેપુર જીલ્લાનું તુરખેડા ગામમાં પોકળ પુરવાર થયું છે. તુરખેડા ગામ ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની ત્રીભેટે ડુંગરની વચ્ચે બે હજાર કરતા વધુ લોકોની વસ્તી ધરાવતું ગામ છે. સરકાર દ્વારા કોઈ સુવિધા હજુ સુધી પહોંચાડવામાં આવી નથી. ૧૦ કિલોમીટરમાં ડુંગરાળ વિસ્તારની અંદર ફેલાયેલા ગામમાં ૭ જેટલા ફળિયા આવેલા છે, જેમાંથી બે ફળિયા ડુંગરની ઉપર વસેલા છે, જ્યાં તુરખેડા ગામ ડુંગરાની વચ્ચે છે. ગામમાં રસ્તો નથી. ચોમાસા દરમિયાન ગામવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગામમાં કોઈ બીમાર પડે તો તેને ઝોળી બનાવીને ઊંચકીને ત્રણ કિલોમીટર દૂર ડુંગરો ચઢી ઉતરીને નજીકના ગામ લઈ જવું પડતું હતું. ત્યાં જઈને ફોન કરો ત્યારે ૧૦૮ ની સુવિધા મળતી હતી. જેને કારણે ગ્રામજનો ગામમાં પ્રવેશવા માટેનો માર્ગ નહીં હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી કંટાળીને ગ્રામજનોએ પોતાની જાતે ફંડફાળો અને શ્રમદાન કરીને ગામમાં પ્રવેશવા માટેનો ડુંગરને ચીરીને એક મહિનાથી રસ્તો બનાવવાનું ચાલુ કર્યો હતો.

May 13, 2019
voting111.jpg
1min5330

લોકસભાની ચૂંટણીના રવિવારે યોજાયેલા છઠ્ઠા તબક્કામાં ૬૩.૩૩ ટકા મતદાન થયું હતું. આ ટકાવારીમાં થોડો વધારો થઇ શકે છે, કારણ કે ઘણી જગ્યાએ સાંજના છ વાગ્યા પછી પણ મતદારો કતારમાં ઊભા હતા.

દેશના સાત રાજ્યમાંની કુલ ૫૯ બેઠક માટે રવિવારે મતદાન થયું હતું. મધ્ય પ્રદેશની ૮, ઉત્તર પ્રદેશની ૧૪, પશ્ર્ચિમ બંગાળની ૮, દિલ્હીની ૭, બિહારની ૮, હરિયાણાની ૧૦ અને ઝારખંડમાં ૪ બેઠક માટે રવિવારે યોજાયેલું મતદાન ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના મેનકા ગાંધી, વરુણ ગાંધી, રીટા બહુગુણા જોશી, દિલીપ ઘોષ, મીનાક્ષી લેખી, કૉંગ્રેસના દિગ્વિજય સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, શીલા દીક્ષિત, અજય માકેન, ભૂપિન્દરસિંહ હૂડા, કીર્તિ આઝાદ, સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ જેવા અગ્રણી નેતાઓનું રાજકીય ભાવિ નક્કી કરશે.

દિલ્હીમાં અનેક ઠેકાણે મતદાનના ઇલેક્ટ્રૉનિક મશીનમાં ખામી સર્જાઇ હતી. સેંકડો વ્યંડળે સૌપ્રથમ વખત ‘વ્યંડળ’ તરીકે મતદાન કર્યું હતું. તેઓએ અત્યાર સુધી સ્ત્રી કે પુરુષ તરીકે મતદાન કરવું પડતું હતું. દિલ્હીમાં ૫૯.૮૮ ટકા, હરિયાણામાં ૬૨.૯૧ ટકા, મધ્ય પ્રદેશમાં ૬૦.૦૬ ટકા, ઝારખંડમાં ૬૫.૧૭ ટકા, બિહારમાં ૫૯.૩૮ ટકા અને ઉત્તર પ્રદેશમાં ૫૪.૧૨ ટકા મતદાન નોંધાયું હતું.

પશ્ર્ચિમ બંગાળમાં સાંજે પાંચ વાગ્યા સુધી અંદાજે ૮૦ ટકા મતદાન થયું હતું.

દરમિયાન, ભોપાળમાંથી ચૂંટણી લડી રહેલા કૉંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ રાજગઢ ખાતે મતદાન કરવા જઇ નહોતા શક્યા.

ફુલપૂર મતક્ષેત્રના મઉઆઇમામાં મદારી ગામ ખાતે સમાજવાદી પક્ષ અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ થઇ હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે રવિવારે મતદાન કર્યું હતું.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને તેમના પત્ની ઉષાએ નિર્માણભવન મતદાન કેન્દ્ર ખાતે મતદાન કર્યું હતું.

ઘાટલના ભાજપનાં ઉમેદવાર ભારતી ઘોષની કાર પિંગલા જતી હતી ત્યારે રોકાઇ હતી. તેમના અંગરક્ષકે ગોળીબાર કર્યો હોવાનો આરોપ છે. ચૂંટણી પંચે પોલીસને ભારતી ઘોષ સામે ફરિયાદ નોંધવા આદેશ આપ્યો હતો.

પશ્ર્ચિમ બંગાળના ઝારગ્રામ ગામમાં મતદારોએ પાણીની અછતને કારણે મતદાનનો બહિષ્કાર કર્યો હતો.

કેશપુરમાં ભાજપના ઉમેદવાર ભારતી ઘોષ પર હુમલો કરાયો હોવાના અહેવાલ પણ છે.

દિલ્હીમાં અંદાજે ૬૦ ટકા મતદાન થયું હતું. અગાઉ, દેશની રાજધાનીમાં ૨૦૧૪માં ૬૫ ટકા મતદાન થયું હતું.

May 13, 2019
maya_modi.jpg
1min8820

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આક્ષેપ કર્યો હતો કે બહુજન સમાજ પક્ષ (બસપ)નાં વડાં માયાવતી રાજસ્થાનના અલવરમાં થયેલા સામૂહિક બળાત્કારના સંબંધમાં ‘મગરના આંસુ પાડી’ રહ્યા છે અને તેઓ આ કિસ્સામાં ખરેખર ગંભીર હોય તો તેમના પક્ષે રાજ્યમાંની કૉંગ્રેસ સરકારને અપાયેલો ટેકો પાછો ખેંચી લેવો જોઇએ.

અલવરમાં ૨૬મી એપ્રિલે મોટરસાઇકલ પર પ્રવાસ કરી રહેલા દંપતીને આરોપીઓએ અટકાવ્યા હતા અને પતિને માર મારીને તેની સામે જ પત્ની પર સામૂહિક બળાત્કાર કરાયો હતો તેમ જ દંપતીને ખરાબ પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી આપી હતી.

પતિએ દાવો કર્યો હતો કે હું ૨૬મી એપ્રિલે રાજસ્થાન પોલીસમાં ફરિયાદ કરવા ગયો હતો, પરંતુ પોલીસે ચૂંટણીના કામમાં વ્યસ્ત હોવાનું બહાનું બતાવીને છેક બીજી મેએ પ્રથમદર્શી અહેવાલ નોંધ્યો હતો.

મોદીએ કુશીનગર અને દેવરિયામાં ચૂંટણીસભાને સંબોધતા જણાવ્યું હતું કે (માયાવતીજી) મહેરબાની કરીને ‘મગરના આંસુ’ ન પાડો. જો તમે ખરેખર આ કિસ્સામાં ગંભીર હો તો રાજસ્થાનમાંની કૉંગ્રેસની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લો.

મોદીએ જણાવ્યું હતું કે રાજ્યમાંની કૉંગ્રેસની સરકાર દલિત મહિલા પર થયેલા સામૂહિક બળાત્કારના કિસ્સાને દબાવી દેવા માગે છે અને વિચારે છે ‘હુઆ તો હુઆ’.

દરમિયાન, માયાવતીએ આક્ષેપ કર્યો હતો કે મોદીજી દલિત મહિલા પરના સામૂહિક બળાત્કારના મુદ્દે રાજકીય રમત રમી રહ્યા છે.

બહુજન સમાજ પક્ષનાં વડાંએ દલિતો પર થયેલા અત્યાચારને મુદ્દે મોદીજીના રાજીનામાની માગણી કરી હતી.

May 13, 2019
mi_ipl2019.jpg
1min5980

મુંબઈ ઇન્ડિયન્સે  ચેન્નઈ સુપર કિંગ્સને આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની ૧૨મી સિઝનની દિલધડક ફાઇનલના છેલ્લા બૉલ પર એક રનના માર્જિનથી હરાવીને ચોથી વાર વિજેતાપદ મેળવ્યું હતું. આઇપીએલના ૧૨ વર્ષના ઇતિહાસમાં આ નવો વિક્રમ છે. મુંબઈએ ચોથા ચૅમ્પિયનપદ સાથે અગાઉ ત્રણ વિજેતાપદ મેળવનાર ચેન્નઈને બીજા નંબર પર ધકેલી દીધું હતું. ચારેય વિજેતાપદ રોહિત શર્માના સુકાનમાં મળ્યા છે.

ફક્ત બે કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલો લસિથ મલિન્ગા (૪-૦-૪૯-૧) સુપર-બોલર સાબિત થયો હતો. તેણે સ્પર્ધાની છેલ્લી ઓવરમાં ચેન્નઈને જરૂરી ૯ રન નહોતા થવા દીધા. ફાઇનલના અંતિમ બૉલમાં શાર્દુલ ઠાકુરે ચેન્નઈને જિતાડવા બે રન બનાવવાના હતા, પણ મલિન્ગાના સ્લો, યૉર્કર અને લેગ સ્ટમ્પ પરના બૉલમાં ઠાકુર એલબીડબ્લ્યુ થઈ ગયો હતો અને મુંબઈનો એક રનથી રોમાંચક વિજય થયો હતો.

મુંબઈએ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૯ રન બનાવીને આપેલા ૧૫૦ રનના લક્ષ્યાંક સામે ચેન્નઈ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૪૮ રન બનાવી શક્યું હતું.

૪ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલા ફાઇનલના સ્પેશિયાલિસ્ટ ખેલાડી શેન વૉટ્સન (૮૦ રન, ૫૯ બૉલ, ચાર સિક્સર, આઠ ફોર)ની બધી મહેનત પાણીમાં ગઈ હતી. ગયા વર્ષની સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની આઇપીએલ ફાઇનલમાં વૉટ્સને ૮ સિક્સર, ૧૧ ફોરની મદદથી અણનમ ૧૧૭ રન બનાવીને ચેન્નઈને ચૅમ્પિયન બનાવ્યું હતું, પણ ગઈ કાલે તે ત્રણ જીવતદાન મળવા છતાં છેવટે કૃણાલ પંડ્યાના થ્રો બાદ વિકેટકીપર ડી’કૉકના હાથે રનઆઉટ થઈ ગયો હતો.

આ વખતની આઇપીએલમાં મુંબઈએ ત્રણેય વાર ચેન્નઈને હરાવ્યું હતું જેનો બદલો ધોની ઍન્ડ કંપનીએ ફાઇનલના વિજય સાથે મેળવી લેવાનો હતો, પણ આ ચોથા મુકાબલામાં પણ ચેન્નઈએ હાર જોવી પડી હતી. ડ્વેઇન બ્રાવો ૧૫ રન, ઓપનર ફૅફ ડુ પ્લેસી ૨૬ રન અને કૅપ્ટન ધોની બે રન બનાવી શક્યો હતો. મુંબઈ વતી બુમરાહે બે તેમ જ રાહુલ ચહર, મલિન્ગા અને કૃણાલ પંડ્યાએ એક-એક વિકેટ લીધી હતી. મિચલ મૅક્લેનઍગન તથા હાર્દિકને વિકેટ નહોતી મળી.

કૅપ્શન રોહિત શર્માએ ગઈ કાલે બોલિંગમાં થોડી ભૂલો કરી હતી. હાર્દિક પંડ્યાની એક ઓવરમાં ફક્ત ત્રણ રન બન્યા છતાં રોહિતે તેને વધુ ઓવર ન આપીને મલિન્ગા પર ભરોસો રાખ્યો હતો અને વૉટ્સન સામે અગાઉ તે નિષ્ફળ રહ્યો હોવા છતાં તેને વધુ એક ઓવર આપી હતી જેમાં વૉટ્સને બે સિક્સર, બે ફોર સહિત ૨૦ રન ઝૂડી કાઢ્યા હતા. એ ઓવરે ચેન્નઈની તરફેણમાં બાજી લાવી દીધી હતી. પછીથી કૃણાલ પંડ્યાની ૧૮મી ઓવરમાં વૉટ્સને હૅટ-ટ્રિક સિક્સર ફટકારતાં એ ઓવરમાં પણ ૨૦ રન બન્યા હતા. જોકે, છેલ્લી ઓવરમાં મલિન્ગાએ કૅપ્ટન રોહિત શર્માએ પોતાના પર મૂકેલા વિશ્ર્વાસને સાર્થક ઠરાવ્યો હતો.

૩૭ વર્ષનો શેન વૉટ્સન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો છે. ગઈ કાલે યાદગાર ઇનિંગ્સમાં તેનો ત્રણ વખત કૅચ છૂટ્યો હતો. ૯મી ઓવરમાં તે ૩૩ રને હતો ત્યારે મલિન્ગાએ તેનો ઊંચો કૅચ પડતો મૂક્યો હતો. વૉટ્સન ૧૪મી ઓવરમાં ૪૨ રને હતો ત્યારે બોલર ખુદ રાહુલ ચહેર તેનો કૅચ નહોતો પકડી શક્યો. ૧૭મી ઓવર બુમરાહે કરી હતી જેમાં રાહુલ ફરી વૉટ્સનનો ઊંચો કૅચ હાથમાં આવી ગયા બાદ છોડ્યો હતો.

કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના રનઆઉટનો વિવાદ થયો હતો. અનેક વખત રિપ્લે બતાવાયા બાદ છેવટે થર્ડ અમ્પાયર નાઇજેલ લૉન્ગે ધોનીને આઉટ આપ્યો હતો. અગાઉ ઇશાન કિશને તેને રનઆઉટ કરવાનો મોકો ગુમાવ્યો હતો, પણ આ વખતે તેને રનઆઉટ કરવાની તક ઝડપી લીધી હતી.

એ પહેલાં, મુંબઈએ જે ૮ વિકેટે જે ૧૪૯ રન બનાવ્યા હતા એમાં પોલાર્ડના અણનમ ૪૧ રન અને ડી’કૉકના ૨૯ રન, ઇશાન કિશનના ૨૩ રન, હાર્દિકના ૧૬ રન, રેાહિત તથા સૂર્યકુમારના ૧૫-૧૫ રનનો સમાવેશ હતો. ચેન્નઈના બોલરોમાંથી દીપક ચહરે ત્રણ, શાર્દુલે બે અને ઇમરાન તાહિરે બે વિકેટ લીધી હતી.

ઇમરાન તાહિરે સ્પર્ધામાં સૌથી ૨૬ વિકેટ લીધી હોવાથી તેને પર્પલ કૅપ મળી હતી. બૅટ્સમેનોમાં વૉર્નર (૬૯૨ રન)ને ઑરેન્જ કૅપનો વિજેતા જાહેર કરાયો હતો.

May 12, 2019
kamali.jpg
5min12290

તામિલનાડુના નાનકડા ગામમાં જન્મેલી પણ સર્ફિંગની ગજબ આવડત ધરાવતી કમલી મૂર્તિ પર એક શાોર્ટ ફિલ્મ બની છે જેમાં તેની સિંગલ મધરની દીકરીને ઉછેરવાની સંઘર્ષ ગાથા વણી લેવાઈ છે. ભારતીયો માટે ગર્વની વાત એ છે કે આ ફિલ્મ આખી દુનિયામાં વખણાઈ છે. એટલાન્ટા ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મના ભારે વખાણ થયા હતા. મહાબલિપુરમમાં શૂટ થયેલી આ ફિલ્મને ઓસ્કાર્સ 2020 માટે નોમિનેટ કરવામાં આવી છે.

આ ફિલ્મમાં સુગંથિ નામની એક યુવતીની વાત છે જે કમલીની સિંગલ મધર છે. તે માછલી વેચીને ગુજરાન ચલાવે છે અને તે સ્ત્રી શક્તિનો પર્યાય છે. દીકરીને ઉછેરવા અને તેનું સ્કેટબોર્ડિંગ ચેમ્પિયન બનવાનું સપનુ પૂરુ કરવા માટે તે અનેક અડચણોનો સામનો કરવા તૈયાર થઈ જાય છે. કમલી મૂર્તિની માતા તેનો સૌથી મોટો આધાર છે.

સ્કેટર ટોની હોકે તેનો સ્કેટ શોટ શેર કર્યો પછી કમલીની સંઘર્ષ ગાથા લાખો લોકો સુધી ઈન્ટરનેટના માધ્યમથી પહોંચી હતી. આ છોકરીએ કોઈ ટ્રેડિશનલ સ્કેટર ગિયર પણ નહતું પહેર્યું, તે ફ્રોક પહેરીને સ્કેટિંગ કરી રહી હતી. તેના પગ ખૂલ્લા હતા અને વાળ છૂટ્ટા હતા. છતાંય તેના ચહેરા પરની એકાગ્રતા તેના પેશનની ચાડી ખાતી હતી. આ તસવીરે આખી દુનિયાના લોકોના દિલ જીતી લીધા હતા.

આ ફોટો જેઈમી થોમસ દ્વારા ક્લિક કરાયો હતો. જેઈમી પોતે સ્કેટર, સર્ફ બોર્ડર અને જાણીતો ફોટોગ્રાફર છે. મહાબલિપુરમના પ્રવાસ દરમિયાન તેણે આ ફોટો ક્લિક કર્યો હતો અને ટોની હૉકનું ધ્યાન ખેંચ્યું હતું. કમલીના ભારતીય સ્ત્રીઓના સશક્તિકરણના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે. કમલી પર બનેલી 24 મિનિટની શોર્ટ ફિલ્મ ન્યુઝીલેન્ડની સાશા રેઈનબો દ્વારા ડિરેક્ટ કરાઈ છે. આ ફિલ્મનું ટાઈટલ કમલી છે. આ ફિલ્મ મુંબઈ ઈન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ 2018માં બેસ્ટ ડિરેક્ટર એવોર્ડ જીતી ચૂકી છે.

કમલી મૂર્તિ પર બનેલી ફિલ્મનું ટ્રેલર અહીં જુઓ

Young Skateboarder Kamali Murthy, Muse For The Film ‘Kamali’, Boards The Train To Fame

It was one fateful day for little Kamali Moorthy when she was spotted by photographer, skater, and surfboarder Jamie Thomas. He clicked the contrasting image of a barefoot Kamali, with her hair going awry, clad in a white cotton frock, skating with the expressions of a seasoned skateboarder, everything about which spelled rebellion.

Skating icon and superstar Tony Hawk then shared Kamali’s picture with the caption “new favourite skate shot” on Instagram and soon the little skateboarder from Mahabalipuram went viral. In almost no time the six-year-old emerged out as a symbol of empowerment for Indian women.

Soon after in December 2016 a filming crew found their way to Bangalore to trace and film “burgeoning female skate movement for a music video for Wild Beasts’ single, Alpha Female.” The video gained immense popularity as everyone got intrigued and bombarded the crew with questions about the “skating sari girls.” The response inspired the crew to narrate the story of these girls and how skateboarding altered their lives and thus Kamali became the eponymous muse for the film Kamali.

You’d be surprised to know that besides the traditional fishing, Mahabalipuram boasts of a strong surfing culture. While the residents of the Fisherman’s Colony where Kamli resides are mostly into fishing, some of them have embraced the sea to surf as well. Kamali’s is an eccentric story as she was taught surfing by Áine Edwards who introduced her to Jamie, her skateboard was later sponsored by someone who spotted her surfing and later Jamie gifted her his own skateboard which she cherishes more than her own life.

Suganthi, Kamali’s mother, believes that letting Kamali follow her dreams will empower her to break free from the vicious cycle of poetry that they entrapped into. She has made up her mind to support her and will do it even if her family objects to it. “Kamali is becoming a symbol of hope for the future of women in India,” as the movie website says and her mother is determined to give her all the access to education and independence that she couldn’t have any access to.

The movie is aiming to be a story of empowerment and its proceeds will go to Kamali’s education and inspire more girls from the area to take up skateboarding. “In India, a female skateboarder is a symbol;  a symbol of going against the grain, standing boldly in front of society and taking ownership of one’s life.” The image of Kamali in her white frock is all of that and more. The shooting of the movie is over and we can hardly wait for it to hit the screens.

May 12, 2019
mi-vs-csk-15th-match.jpg
1min13670

હૈદરાબાદના ગ્રાઉન્ડ ખાતે આજે તા.12મી મે 2019ની સાંજે ઇન્ડીયન પ્રિમીયર ક્રિકેટ લીગ 2019ની ફાઇનલ મેચ મહેન્દ્રસિંહ ધોનની ચેન્નઇ સુપર કિંગ્સ અને રોહિત શર્માની મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે.

દેશમાં લોકસભા અને આઈપીએલની ગરમાગરમી એક સાથે શરુ થઈ હતી. દેશવાસીઓએ લોકોસભાની ચૂંટણીના પરિમાણ માટે રાહ જોવી પડશે પણ આઈપીએલ 12ની સિઝનમાં બાદશાહ કોણ બનશે તેનો ફેંસલો આજે આવી જશે.

આશા અનુરુપ ચૈન્નાઈ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો ફાઈનલમાં પહોંચી છે. ચેન્નાઈ 8મી વખત ફાઈલનમાં પહોંચ્યું છે તો મુંબઈ ચોથી વખત ફાઈનલમાં જગ્યા બનાવી છે. બન્ને આ વખતે ત્રણ વખત જીત હાંસલ કરી છે. હવે જોવાનું એ છે કે, ચોથી વખત મેચ પર કોણ કબ્જો મેળવે છે.

May 12, 2019
cash.jpg
1min7720

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી હાલ ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2019 દરમિયાન અત્યાર સુધી એટલે કે 6ઠ્ઠા તબક્કા અગાઉ સુધી રૂ. 812 કરોડની રોકડ ઉપરાંત દારૂ, ડ્રગ્સ, કિંમતી ધાતુ સહિત કુલ 3,370 કરોડની સંપત્તિ જપ્ત દેશ જુદા જુદા રાજયોમાંથી ચૂંટણી પંચ અને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. 2014 કરતાં રોકડ અને સંપત્તિની જપ્તી 2019ની ચૂંટણીમાં ડબલ થઈ છે.

પાંચ વર્ષ અગાઉ 2014ની લોકસભાની ચૂંટણી દરમિયાન જપ્ત કરવામાં આવેલી રોકડ અંગે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે 2014ની ચૂંટણીમાં 303.86 કરોડની રોકડ ઝડપાઈ હતી અને તે પૈકીની મોટાભાગની રકમ આધારભૂત પુરાવાઓ રજૂ કરાતાં એક મહિના બાદ પરત કરી દેવામાં આવી હતી. 2019ની ચૂંટણીમાં આ વખતે રોકડ, દારૂ, ડ્રગ્સ, સોના સહિતની કિંમતી ધાતુઓ અને અન્ય વસ્તુઓ સાથે કુલ 25 બિલિયનની સંપત્તિ જપ્ત થઈ છે જે 2014 કરતાં ડબલ છે.

2014માં ચૂંટણી સમયે અનેક કેસો કરવામાં આવ્યા હતા પરંતુ, એ પૈકી ફક્ત 3 કેસમાં વ્યકિતની ધરપકડ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એન વી રમણ અને એમ એમ શાંતનાગૌદરની બૅન્ચે આ મામલે આઘાત વ્યક્ત કરતા કહ્યું હતું કે મતલબ તમે એવું કહેવા માગો છો કે સરકારે એ રકમ એક મહિનો સુરક્ષિત રાખી અને પછી પરત કરી દીધી

 

 

 

May 12, 2019
CEMENT.jpg
1min9470
  • રૂ.260નો ભાવ એક માસમાં વધી 365-370 થઇ ગયો
  • એક જ મહિનામાં સિમેન્ટના ભાવ 30થી 35 ટકા વધી ગયા
  • સમગ્ર ભારતમાં સૌથી વધુ સિમેન્ટ વપરાશ કરતા સુરત અને દક્ષિણ ગુજરાતમાં બાંધકામ ઉદ્યોગને મોટો ફટકો પડે તેવી સ્થિતિ, હજુ પણ ભાવ વધવાની શક્યતા
વિકાસનું માપદંડ ગણાતી સિમેન્ટના ભાવ આ વખતે છેલ્લા બે દાયકાની હાઇએસ્ટ સપાટીએ પહોંચી ચૂક્યા છે. હજુ એપ્રિલમાં રૂ.260 પ્રતિ ગુણે મળતી સિમેન્ટના ભાવ વિતેલા સપ્તાહે રૂ.360થી રૂ.370 સુધી પહોંચી ચૂક્યા હતા અને હજુ કહેવાય છે કે ચાલુ માસાંત સુધીમાં હજુ 10 ટકા જેટલો જંગી વધારો સિમેન્ટના ભાવમાં થાય છે. સમગ્ર ભારતમાં દક્ષિણ ગુજરાત ઝોન એવો છે જ્યાં હાલ સિમેન્ટનો સૌથી વધુ વપરાશ થઇ રહ્યો છે ત્યારે સિમેન્ટના ભાવમાં આવેલા આ તોતિંગ વધારાને કારણે બાંધકામ ઉદ્યોગને માઠી અસર પહોંચે તેમ છે. જે બિલ્ડરોએ બુકિંગ  કરી દીધા છે તેઓ કફોડી સ્થિતિમાં મૂકાય ગયા છે ક્યાં તો માર્જિન ઓછું થશે અગર તો તેમણે બાંધકામ થોડા સમય બંધ કરી દેવાની નોબત આવીને ઉભી છે.
બિલ્ડરો ક્યાં તો બુકિંગ ધારકો પાસે સિમેન્ટ ભાવ વધારો માંગશે ક્યાં તો બુકિંગ રદ કરી દેશે, બુકિંગ ધારકો પાસે પણ લડવા સિવાય કોઇ વિકલ્પ નહીં રહે, સિમેન્ટ ભાવ નજીકના ભવિષ્યમાં કાબૂમાં આવે તેવી પણ કોઇ સ્થિતિ દેખાતી નથી
ચૂંટણી પૂરી થયા પછી ગુજરાતમાં અચાનક લોકસમસ્યાઓ સપાટી પર આવી જવા પામી છે. પાણીની તંગીની તીવ્ર પરિસ્થિતિ એકાએક ચૂંટણી પછી ડોકાય અને હવે સિમેન્ટ કંપનીઓએ અભૂતપૂર્વ ભાવ વધારો ઝીકી દીધો છે. બિલ્ડર અગ્રણીઓનું કહેવું છે કે મોટા ભાગે હવે બિલ્ડરો થોડો સમય માટે બાંધકામ બંધ કરી દે તો નવાઇ નહીં કેમકે આમેય ઓછા માર્જિનથી બુકિંગ કર્યું હોય અને એમાં પણ સિમેન્ટના ભાવ એક જ મહિનામાં ત્રીસ-પાંત્રીસ ટકા જેટલા વધી જતાં બિલ્ડરો, બાંધકામ કરનારાઓની સ્થિતિ કફોડી થવા પામી છે.
સિમેન્ટના ભાવ વધારાને કારણે બિલ્ડરો અને બુકિંગ ધારકો વચ્ચે આગામી દિવસોમાં મોટી તકરાર જોવા મળે તેમ છે. મોટા ભાગની બાંધકામ સાઇટ્સ પર બિલ્ડરોએ બુકિંગ ધારકોને તેડાવવાનું શરૂ કરીને તેમને સિમેન્ટના ભાવથી વાકેફ કર્યા છે અને હવે બિલ્ડરો સિમેન્ટના ભાવ વધારો આપવા માટે બુકિંગ ધારકોને જણાવી રહ્યા છે. બીજી તરફ, બુકિંગ ધારકો એક પણ રૂપિયાનો વધારો આપવા સંમત નથી આવી સ્થિતિમાં ઘર્ષણ થવાની શક્યતાઓ નકારી શકાતી નથી. ક્યાં તો બિલ્ડર્સ સોદો ફોક કરી દેશે ક્યાં તો ગ્રાહકો તેની સામે કોર્ટમાં જાય તો નવાઇ નહીં.
રાજકોટ બિલ્ડર એસોસીએશન સિમેન્ટ કંપનીઓ સામે લડશે
સિમેન્ટ કંપનીઓ દ્વારા કરાયેલા આ ધરખમ ભાવ વધારા અંગે રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશભાઇ ગજેરાએ મિડીયાકર્મીઓને કહ્યું હતું કે, ગુજરાત કક્ષાએ બિલ્ડર એસોસિએશન દ્વારા ગેરવ્યાજબી ભાવવધારા મુદ્દે મેઈલ મારફત જાણ કરવામાં આવી રહી છે. સિમેન્ટ કંપનીઓ દ્વારા મે મહિનાના અંત સુધીમાં ભાવ ઘટાડવામાં નહી આવે તો બિલ્ડર એસોસિએશન સિમેન્ટ કંપનીઓ સામે લડશે.
May 12, 2019
voting.jpg
1min5490

સાત રાજ્યોમાં મેનકા, અખિલેશ સહિતનાં 979 ઉમેદવારોના ભાવિનો ફેંસલો

લોકસભા ચૂંટણીનાં છઠ્ઠા તબક્કાનું આવતીકાલે 12મી મેનાં 7 રાજ્યોની 59 બેઠકો માટે મતદાન થશે. જેમાં 10.16 કરોડ મતદાતા કુલ 797 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. આ તબક્કામાં ત્રિપુરાની 1 બેઠક ‘િત્રપુરા પશ્ચિમ’ માટે ફેરમતદાન કરવામાં આવશે. ત્રિપુરાની 29 વિધાનસભા બેઠક માટે 168 મતદાન કેન્દ્રો પર 11મી એપ્રિલનાં મતદાન થયું હતું. આ મતદાન રદ કરીને બીજીવાર કાલે
મતદાન થશે.
તા.12મી મે 2019ને આજે રવિવારે અભૂતપૂર્વ સુરક્ષા અને ભારે ઉત્સાહના માહોલમાં સવારે 7ના ટકોરે મતદાન શરૂ થયું હતું.’
છઠ્ઠા તબક્કામાં આશરે 10 કરોડ 16 લાખથી વધુ મતદારો ચૂંટણી મેદાનમાં રહેલા 979 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરી રહ્યા છે’
શાંતિપૂર્ણરીતે’ મતદાન કરવા માટે એક લાખ 13 હજારથી વધારે મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. સાથે સાથે ત્રિપુરામાં પણ 168 મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે.
આજે રવિવારે છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં બિહારમાં આઠ, ઉત્તરપ્રદેશમાં 14 સીટ પર મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થયું છે. દિલ્હીની તમામ સાતેય સીટ પર મતદાન નિર્વિધ્ને ચાલી રહ્યું છે.
બંગાળમાં આઠ સીટ પર મતદાન શરુ થયું છે. મધ્યપ્રદેશમાં આઠ સીટ પર મતદાન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું છે.
બે તબક્કામાં હવે કુલ 118 સીટ પર મતદાન બાકી છે. આજે રવિવારે દિવસે 59 સીટ પર મતદાન થયા બાદ લોકસભાની કુલ 542 સીટ પૈકી 483 સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે.
ત્યારબાદ 19મી મેના દિવસે સાતમા અને અંતિમ તબક્કામાં મતદાન થશે.
હવે લોકસભાની ચૂંટણીની લાંબી પ્રક્રિયા પણ પૂર્ણ થવા આવી છે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આવતીકાલે જે મહારથીના ભાવિનો ફેંસલો થનાર છે તેમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, કેન્દ્રિય પ્રધાન મેનકા ગાંધી, ઉત્તરપ્રદેશ સરકારના પ્રધાન રીટા બહુગુણા તેમજ ભોજપુરી સુપરસ્ટાર’ દિનેશ લાલ નિરહુઆનો સમાવેશ થાય છે.’
May 12, 2019
modi_time.jpg
1min5450

વડા પ્રધાન મોદીને ‘મુખ્ય વિભાજનકારી’ ગણાવતા ટાઇમ મેગેઝિનના લેખ સામે પ્રત્યાઘાત આપતા ભાજપે આજે કહ્યું કે લેખક મોદીની છબી ખરાબ કરીને પાકિસ્તાનની કાર્યસૂચિ અમલમાં મૂકવા પ્રયત્ન કરી રહ્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે લેખક પાકિસ્તાનનો છે અને પાકિસ્તાન પાસે કોઇ સારી અપેક્ષા રાખી શકાય નહીં. લેખને રિટ્વિટ કરનારા રાહુલ ગાંધીની ભાજપ પ્રવક્તાએ ઝાટકણી કાઢી હતી.

પાકિસ્તાનના રાજકારણી અને બિઝનેસમેન સલમાન તાસીરના પુત્ર આતિશ તાસીરે મોદીના નેતૃત્વની ટીકા કરતો લેખ લખ્યો છે. લેખકની માતા ભારતીય પત્રકાર છે.

ભાજપના પ્રવક્તાએ કહ્યું કે વડા પ્રધાન એકતાના પ્રતીક છે અને તેમની ‘સુધારાવાદી, કાર્યક્ષમ અને પરિવર્તનશીલ’ કાર્યસૂચિ હેઠળ ભારત ‘ન્યૂ ઇન્ડિયા’ ના માર્ગ પર આગળ વધી રહ્યું છે. સંબિત પાત્રાએ મોદી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. કૉંગ્રેસી નેતા નવજોત સિદ્ધુની ટીકા કરતા પાત્રાએ કહ્યું કે તે રોજ વિચિત્ર નિવેદનો કરતા હોય છે પણ સામ પિત્રોડાના ‘હુઆ તો હુઆ’ નિવેદન સામે એક પણ શબ્દ બોલ્યા નથી.

મોદી સરકારને અંગ્રેજોના શાસન સાથે સરખાવવાના પ્રયત્ન તરીકે સિદ્ધુએ એક રેલીમાં ‘કાલે અંગ્રેજો’ને હટાવવા પ્રજાને હાકલ કરી હતી. આની સામે પ્રતિભાવ આપતા પાત્રાએ કહ્યું કે કૉંગ્રેસે ઇટાલિયન રંગ પર અભિમાન કરવું જોઇએ નહીં, જે 23 મે પછી ધોવાઇ જશે.