CIA ALERT

Slider Archives - Page 347 of 491 - CIA Live

June 8, 2019
ambaji_accident.jpg
1min5990

અંબાજીના ત્રિશુળિયા ઘાટ પર એક ગંભીર અક્સમાત સર્જાયો હતો. જેમાં એક પેસેન્જર જીપની બ્રેક ફેઇલ થઈ જતા જીપ પલટી મારતા સ્થળ પર જ નવ મુસાફરોના મોત નિપજ્યા હતા. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાં પાંચ જેટલાની હાલત ગંભીર હતી.

અંબાજી પાસેના ત્રિશુળિયા ઘાટ પાસે 25 પેસેન્જરો ભરેલી જીપની બ્રેક અચાનક ફેઈલ થતાં પલટી મારી ગઈ હતી. જેમાં આઠથી વધુ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા. વડગામના ભલગામથી અંબાજી દર્શન કરીને તેઓ પરત ફરતાં હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. જીપકારમાં મોટાભાગના મુસાફરો વડગામના ભલગામના હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતને પગલે 108ની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને પાલનપુર અને દાંતાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

June 8, 2019
icc-vs-bcci.jpg
1min11890

મહેન્દ્રસિંહ ધોનીએ બુધવારે સાઉથ આફ્રિકા સામેની વર્લ્ડ કપની પોતાની પ્રથમ લીગ મૅચમાં આર્મીના ‘બલિદાન બેજ’ ચિહ્નવાળા વિકેટકિપિંગના લીલા રંગના ગ્લવ્ઝ પહેરીને રમ્યો એ મુદ્દે ભારતના ક્રિકેટ-વહીવટકારો અને ક્રિકેટજગતનું સંચાલન કરતી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે.

ધોની આ સ્પર્ધામાં હવે પછી આ નિશાનવાળા ગ્લવ્ઝ ન પહેરે એની તકેદારી રાખવાની જે વિનંતી આઇસીસીએ બૉર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઇ)ને કરી એને ભારતની આ સર્વોચ્ચ ક્રિકેટસંસ્થાએ નકારી કાઢી છે અને ઊલટાનું એણે આઇસીસીને કહ્યું છે કે તમે ધોનીને આ ગ્લવ્ઝ પહેરવાની પરવાનગી આપો.

કમિટી ઑફ એડ્મિનિસ્ટ્રેટર્સ (સીઓએ)ના વડા વિનોદ રાયે ભારપૂર્વક કહ્યું હતું કે આ કોઈ લશ્કરી ચિહ્ન નથી એટલે ધોની એ પહેેરવાનું ચાલુ રાખશે.

જોકે, આઇસીસી આવી કોઈ પરવાનગી આપે એવી શક્યતા નથી, કારણકે નિયમ એવો છે કે વિકેટકીપિંગ માટેના ગ્લવ્ઝ પર એક જ સ્પૉન્સરનો લોગો રાખવાની છૂટ છે. ધોનીના કિસ્સામાં તેના ગ્લવ્ઝ પર એસજી લોગો અગાઉથી જ છે અને જો તેને આર્મીના નિશાનવાળો લોગો રાખવાની છૂટ અપાય તો ક્રિકેટના સાધનો સાથેના સ્પૉન્સરશિપ કરારોનો ભંગ થયો કહેવાય.

વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામે સાઉધમ્પ્ટન ખાતે ભારતની પહેલી મેચમાં ધોનીના લીલા રંગના વિકેટકિપિંગના ગ્લવ્ઝ પર આર્મીનું ચિહ્ન હતું કે જે લશ્કરના પ્રતીકને મળતું આવતું હતું. ‘બલિદાન બેજ’ તરીકે ઓળખાતું એ ચિહ્ન પૅરા કમાન્ડો જ વાપરી શકે છે. ભારતીય સેનાનું ખાસ મિશન પૂરું પાડનારી યુનિટ પૅરા સ્પેશિયલ ફોર્સ (પીએસએફ) તરીકે ઓળખાય છે અને એ આ ચિહ્નનો ઉપયોગ કરે છે. 2016ની સાલમાં પાકિસ્તાન પર થયેલી સર્જિકલ સ્ટ્રાઇક વખતે પીએસએફના જવાનોએ સક્રિયપણે ભાગ લીધો હતો.

આઈ. સી. સી.ના નિયમો પ્રમાણે ખેલાડીઓ ધંધાદારી, ધાર્મિક અથવા લશ્કરી પ્રતીક દર્શાવી શક્તા નથી અને રાયના કહેવા પ્રમાણે ધોનીના કિસ્સામાં કોઈ ધંધાદારી કે ધાર્મિક મુદ્દો નથી જેથી ધોનીએ કોઈ નિયમભંગ કર્યો નથી.

ધોની ટેરિટોરિયલ આર્મીની પેરેશૂટ રેજિમેન્ટમાં માનદ્ લેફટનન્ટ કર્નલ છે.

એવું જાણવા મળ્યું હતું કે બીસીસીઆઇની વિનંતીને પગલે હવે આઇસીસીની ક્રિકેટ ઑપરેશન્સ ટીમ તથા વર્લ્ડ કપની ઇવેન્ટ ટેક્નિકલ કમિટી વચ્ચે ચર્ચા થશે. યોગાનુયોગ, આ બન્ને કમિટીના અધ્યક્ષસ્થાને જ્યોફ ઍલરડાઇસ છે.

ધોનીના ગ્લવ્ઝ પરનું નિશાન લશ્કરનું પ્રતીક નથી એ બીસીસીઆઇએ સાબિત કરવું પડશે. જો ઇવેન્ટ ટેક્નિકલ કમિટી એ સાબિતીથી સંતુષ્ટ થશે તો ધોનીને ફરી એ ગ્લવ્ઝ પહેરવા દેવાશે.

June 7, 2019
premji_rishad.jpg
1min10510

આઇટી સર્વિસિસ કંપની વિપ્રો લિમિટેડના સ્થાપક અને સખાવતી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રીત કરતા અઝિમપ્રેમજી જુલાઇના અંત સુધીમાં કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિવૃત્ત થઇ જશે.

53 વર્ષ સુધી કંપનીનું સુકાન સંભાળનાર 74 વર્ષીય અઝિમ પ્રેમજી નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સ્થાપક ચેરમેન તરીકે યથાવત રહેશે તેમ કંપનીએ જણાવ્યું છે. ચીફ સ્ટ્રેટજી ઓફિસર અને બોર્ડના સભ્ય તેમજ તેમના પુત્ર રિષદ પ્રેમજીને કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેનપદનો હોદો અપાશે. કંપનીમાં નવા એમડી તરીકે સીઇઓ અબિદાલી ઝેડ નીમુચવાલાની નિમણૂક કરાશે.

આ ફેરફારો 30 જુલાઇથી અમલી બનશે રિષદની 31 જુલાઇ 2019થી 30 જુલાઇ 2024 સુધી પાંચ વર્ષ માટે ફુલ ટાઇમ ડિરેકટર તરીકે ફેરનિમણૂક કરાઇ છે. આ માટે શેરહોલ્ડરોની મંજૂરી લેવી પડશે.

અઝિમ પ્રેમજીએ જણાવ્યું છે કે, “અમે એક લાંબી અને સંતોષકારક મજલ કાપી છે. હું ભવિષ્યમાં મારી પરોપકારી ગતિવિધિઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા પર વધુ સમય આપવા માગું છું. મને રિશદના નેતૃત્વ પર ભરોસો અને વિશ્વાસ છે. તેઓ કંપનીના વિકાસમાં વધુ સહયોગ આપશે.”

ભારતીય ઉદ્યોગપતિઓમાં અઝીમ પ્રેમજી સૌથી વધારે ઉદાર દાતા રહ્યા છે. માર્ચ મહિનામાં તેમણે તેમની માલિકીના 34 ટકા જેટલા વિપ્રોના શેર અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનને દાનમાં આપ્યા હતા જે શિક્ષણ માટે સેવાકીય પ્રવૃત્તિ કરે છે. અત્યાર સુધીમાં તેમણે પોતાની 67 ટકા સંપત્તિ અથવા ₹1.45 લાખ કરોડનું દાન કર્યું છે. આ ફાઉન્ડેશન દ્વારા 2010માં અઝીમ પ્રેમજી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. પ્રેમજી પરિવાર સોફ્ટવેર નિકાસકાર કંપનીમાં 74 ટકા હિસ્સો ધરાવે છે.

પ્રેમજીએ બે વર્ષ અગાઉ વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિપ્રોની સ્થાપના મારા પિતા હશમ પ્રેમજીએ કરી હતી. મેં તેની પ્રોડક્ટ રેન્જ અને ડાઇવર્સિફિકેશનમાં યોગદાન આપ્યું છે.

અમે જે કામ ભૂતકાળમાં કરતા આવ્યા હતા તેને વધુ સારી રીતે કરવા માટે મને પ્રેરણા મળી હતી. 1996માં પ્રેમજી 21 વર્ષની વયે સ્ટેન્ફર્ડ કોલેજ છોડીને ભારત આવ્યા હતા અને પિતાના મૃત્યુ પછી વિપ્રોનો હવાલો સંભાળ્યો હતો. વિપ્રોનું અસલ નામ વેસ્ટર્ન ઇન્ડિયા વેજિટેબલ પ્રોડક્ટ લિ. હતું અને ત્યારે તે મુખ્યત્વે ખાદ્યતેલ બનાવતી કંપની હતી

June 7, 2019
pramila.jpg
1min12000

ઓડિશાથી બે લાખથી વધુ મતોની સરસાઇથી ચૂંટાયેલા પ્રમિલા બિસોઇ નામના મહિલા સાંસદની જીવન કથની કોઇ ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી છે. ઓડિશાનાં પ્રમિલા બિસોઈ આંગણવાડીમાં ભોજન બનાવવાનું કામ કરતાં હતાં, પછી તેમણે મોટાપાયે મહિલાઓને સ્વરોજગારમાં સહાયતા કરી રહ્યા હતા એ હવે 17મી લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાયાં છે.

સાડી, માથા પર ચાંદલો, સ્પષ્ટ દેખાતું સિંદૂર અને નાકમાં પારંપરિક દાણો પહેરેલાં 70 વર્ષીય મહિલા પ્રમિલા બિસોઈ બીજૂ જનતા દળ (બીજેડી)ની ટિકિટ પર ઓડિશાની અસ્કા લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યાં છે.

સ્થાનિક લોકો તેમને પ્રેમથી ‘પરી મા’ કહે છે. સ્વયં સહાયતા સમૂહનાં એક સામાન્ય મહિલાથી સાંસદ સુધીનો તેમનો પ્રવાસ એક ફિલ્મી કહાણી જેવો છે.

માત્ર પાંચ વર્ષની વયે પ્રમિલાનાં લગ્ન થઈ ગયાં હતાં. એ માટે તેઓ આગળ શિક્ષણ મેળવી શક્યાં ન હતાં.

ત્યારબાદ પ્રમિલાએ ગામમાં જ આંગણવાડીમાં રસોઈનું કામ શરૂ કરી દીધું.

પછી તેમણે ગામમાં જ એક સ્વયં સહાયતા સમૂહની શરૂઆત કરી. તેમને જલદી સફળતા મળી અને તેઓ ઓડિશાનાં પહેલા સ્વયં સહાયતા સમૂહ ‘મિશન શક્તિ’નાં પ્રતિનિધિ બની ગયાં.

બીજેડી સરકારે પ્રમિલા બિસોઈને પોતાની મહત્ત્વકાંક્ષી યોજના મિશન શક્તિનો ચહેરો બનાવ્યો છે. દાવો છે કે આ યોજનાથી 70 લાખ મહિલાઓને ફાયદો મળ્યો.

માર્ચમાં પ્રમિલા બિસોઈની ઉમેદવારીની જાહેરાત કરતા પ્રદેશના મુખ્ય મંત્રી નવીન પટનાયકે કહ્યું હતું, “આ મિશન શક્તિ સાથે જોડાયેલી લાખો મહિલાઓ માટે એક ભેટ છે.”

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પ્રમિલાના પતિ ક્લાસ 4ના સરકારી કર્મચારી હતા.

તેમનાં મોટા દીકરા દિલીપ ચાની દુકાન ચલાવે છે અને નાના દીકરા રંજનની ગાડીઓની રિપેરીંગની દુકાન છે.

આ પરિવાર એક પતરાની છત ધરાવતા નાના એવા ઘરમાં રહે છે.

તેમના પાડોશી જગન્નાથ ગૌડા તેમને નાનપણથી ઓળખે છે. સ્થાનિક પત્રકાર સુબ્રત કુમારને તેઓ કહે છે, “તેમણે માત્ર ત્રીજા ધોરણ સુધી શિક્ષણ મેળવ્યું છે પણ તેમણે નજીકના ગામમાં રહેતી ગરીબ મહિલાઓનું જીવન બદલી નાખ્યું છે. તેઓ 15 વર્ષથી સક્રિય રીતે સમાજસેવા સાથે જોડાયેલાં છે. ગામમાં તેમનાં પ્રયાસથી એક ઇકો પાર્ક બન્યું છે.”

તેમની નેતૃત્વ ક્ષમતા પર જગન્નાથ જણાવે છે કે ખૂબ ઓછું શિક્ષણ મેળવ્યાં છતાં પ્રમિલા સામયિક ઘટનાઓ પર તુરંત ગીત રચવાનું હૂનર ધરાવે છે અને મહિલાઓને પ્રેરિત કરવા માટે ગીત ગાય પણ છે.

જગન્નાથ કહે છે કે પ્રમિલા પાસે એક એકરથી ઓછી જમીન છે, જેમાં કામ કરવા તેઓ પોતે પણ ઘણી વાર જાય છે.

પ્રમિલા સાથે સ્વયં સહાયતા સમૂહમાં કામ કરી ચૂકેલાં શકુંતલાએ જણાવ્યું કે તેમનાં સમૂહની મહિલાઓ પ્રમિલાને મા સમાન માને છે.

દસ વર્ષ પહેલા પ્રમિલાનાં કહેવા પર જ શકુંતલા અને ગામની 14 મહિલાઓએ મળીને એક સ્વયં સહાયતા સમૂહની શરૂઆત કરી હતી.

સમૂહની મહિલાઓએ ચર્ચા કરીને મકાઈ, મગફળી અને શાકભાજીની ખેતી કરવાનું શરૂ કર્યું અને તેનાથી આવકમાં પણ વધારો થયો.

પ્રમિલા સારી રીતે હિંદી બોલી શકતાં નથી. પરંતુ અંગ્રેજી સમાચારપત્ર ‘ધ હિંદુ’ સાથે વાતચીતમાં તેમણે એ દલીલને ફગાવી દીધી કે રાષ્ટ્રીય રાજકારણમાં માત્ર હિંદી કે અંગ્રેજી બોલતા લોકો જ સફળ થઈ શકે છે.

તેમણે કહ્યું, “હું ગર્વથી સંસદમાં મારી માતૃભાષા ઉડિયામાં જ બોલીશ.”

 

June 7, 2019
jagan1.jpg
1min7800

આંધ્ર પ્રદેશ રાજ્યમાં વિવિધ કેસોમાં તપાસ તથા દરોડા હાથ ધરવા સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ને છૂટ આપતી ‘સામાન્ય મંજૂરી’ પાછી ખેંચી લેતો જે આદેશ ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેસમ પાર્ટીની સરકારે 8મી નવેમ્બર, 2018ના દિવસે ગવર્મેન્ટ ઑર્ડર (જીઓ)ના રૂપમાં બહાર પાડ્યો હતો એને વાય. એસ. જગન મોહન રેડ્ડીની નવી સરકારે ગુરુવારે રદ કરી નાખ્યો હતો.

દેશની સર્વોચ્ચ તપાસ-સંસ્થા સીબીઆઇ પોતાની કાર્યવાહી દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટ હેઠળ કરે છે.

આ ધારાની કલમ 6 હેઠળ રાજ્ય સરકાર સીબીઆઇને રાજ્યમાં પોતાની સત્તાના ઉપયોગ માટેની રાબેતામુજબ મંજૂરી આપતી હોય છે અને આંધ્ર પ્રદેશ સરકારે પણ સમયાંતરે આવી મંજૂરીઓ આપી હતી. જોકે, નાયડુએ ગયા વર્ષે માર્ચમાં જ્યારથી નરેન્દ્ર મોદી સરકારની આગેવાની હેઠળની એનડીએ સરકાર સાથેના સંબંધો કાપી નાખ્યા હતા ત્યારથી આક્ષેપો કર્યા હતા કે કેન્દ્ર સરકાર રાજકીય હરીફોને લક્ષ્યાંક બનાવવા સીબીઆઇ જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરી રહી છે.

રાજ્યમાં એ સમયની શાસક તેલુગુ દેસમ પાર્ટીની નજીકની માલિકીના કેટલાક ધંધાકીય સંસ્થાનો પર આવકવેરા સત્તાધીશોએ પાડેલા દરોડાને પગલે નાયડુ રાતા-પીળા થઈ ગયા હતા. એને પગલે તેમણે જાહેરાત કરી હતી કે તેમની રાજ્ય સરકાર આ દરોડા પાડવા માટે આવકવેરા અધિકારીઓને સલામતીનું કવચ પૂરું નહીં પાડે.

June 7, 2019
monsoon.jpg
1min8310

અનુકૂળ વાતાવરણને કારણે આંદામાનમાંથી મંગળવારે શ્રીલંકામાં દાખલ થયેલું ચોમાસુ આગામી 48થી 72 કલાકમાં એટલે કે આઠમી જૂન સુધી કેરળમાં દાખલ થશે, એવી આગાહી હવામાન વિભાગ અને સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે.

સામાન્ય રીતે 25મી મે સુધી શ્રીલંકામાં ચોમાસુ બેસી જતું હોય છે, પરંતુ આ વખતે તે અંદાજે આઠથી નવ દિવસ મોડું છે. કેરળમાં ચોમાસુ બેસવાના સંકેત મળ્યા ભલે હોય, પરંતુ હવામાનમાં થઇ રહેલા પરિવર્તનને કારણે કર્ણાટક સહિત આંધ્ર પ્રદેશમાં શરૂઆતમાં પૂરતો વરસાદ પડશે નહીં, આગામી 24 કલાકમાં વિદર્ભમાં વરસાદ પડવાની શક્યતા છે. અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ તથા ત્રિપુરામાં મૉન્સૂન પહેલા જ સારો વરસાદ પડી રહ્યો છે.

આ દરમિયાન કણકવલી શહેર તથા વાગદે વિસ્તારમાં સવારે જોરદાર વરસાદ પડવાનો શરૂ થયો હતો જેને કારણે હાઇવે પર માટીનો ભરાવો થઇ ગયો હતો અને ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. હાઇવે નજીકનાં ઘરોમાં પાણી ભરાઇ ગયાં હતાં. સત્તાવાળાઓ દ્વારા હાઇવે પર ચોમાસા પહેલાના દરેક કામ પૂરા કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો છતાં કૉન્ટ્રેક્ટરોની બેજવાબદારીને કારણે લોકોને હેરાનગતિ સહન કરવી પડી હતી.

સિંધુદુર્ગમાં પણ ગુરુવાર સવારથી જોરદાર વરસાદ પડવાનો શરૂ થયો હતો. વીજળીના કડાકા, જોરદાર પવનો સાથે વરસાદનું આગમન થયું હતું. અડધો કલાક સુધી સતત પડેલા વરસાદને કારણે અમુક વિસ્તારોમાં નુકસાન પણ થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

સાવંતવાડી સહિત અન્ય વિસ્તારોમાં ગુરુવારે વીજળીના કડાકા સાથે સવારથી જ વરસાદ પડવાનો શરૂ થઇ ગયો હતો. મુંબઈ-ગોવા માર્ગ પર ગાળુ વિસ્તારમાં મોટાં મોટાં વૃક્ષો તૂટી પડ્યાં હતાં. વૃક્ષો તૂટી પડવાને કારણે સાવંતવાડીથી કુડાળ તરફ આવનારા-જનારા માર્ગો પર ટ્રાફિક જામ થયો હતો.

રાજ્ય માટેનો અંદાજ સાતમી જૂન: વિદર્ભમાં અમુક જગ્યાએ વીજળીના કડાકા સાથે જોરદાર પવન ફૂંકાશે, જ્યારે અમુક ઠેકાણે ગરમી કાયમ રહેશે.

આઠમી અને નવમી જૂન: વિદર્ભમાં અમુક જગ્યાએ વીજળીના કડાકા અને જોરદાર પવનો ફૂંકાશે. મરાઠવાડા અને વિદર્ભના અમુક જગ્યાએ ગરમી રહેશે

June 6, 2019
guj_gov_logo.png
1min9110

નવરાત્રિ વેકેશનના મામલે ગુજરાતની ભાજપા સરકારે વણજોઇતી બદનામી વ્હોરી લીધી છે. અગાઉ ગુજરાત બોર્ડે નવરાત્રિ વેકેશનને રદ કરવાનો ઠરાવ કરતા રાજ્યની ભાજપા સરકારનો અહમ ઘવાયો હતો. ગુજરાત બોર્ડના ઠરાવની ઉપરવટ જઇને સરકારે નવરાત્રિ વેકેશ ચાલુ રાખવાની ઘોષણા કરી દીધી હતી.

વણજોઇતા વેકેશનને પગલે રાજ્યભરની સ્કુલોએ હોબાળો મચાવતા કેટલાક ભાજપાના નેતાઓની શાન ઠેકાણે આવી હતી અને ભાજપા સરકારની ઇમેજને હાની પહોંચે એ પહેલા સરકારે વણજોઇતા નવરાત્રિ વેકેશનને ફરીથી રદ કરવાની જાહેરાત આજરોજ તા.6 જુન 2019ના રોજ કરી છે.

ગુરુવારે બપોરે આખરે નવરાત્રિના વણજોઇતા વેકેશનને રદ્દ કરવાની શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે સ્કૂલોમાં સરકાર નવરાત્રિમાં વેકેશન નહીં આપે.

 

June 6, 2019
sensex_down.jpg
1min5310

તા.6 જુન 2019ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં બેઝીસ પોઇન્ટનો ઘટાડો કર્યાના નકારાત્મક પ્રત્યાઘાત શેરબજાર પર વર્તાયા હતા. બપોરે શેરબજારના ઇન્ડેક્ષ એવા ગગડ્યા હતા કે સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. IT શેરોને બાદ કરતાં તમામ સ્કેટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

રિઝર્વ બેંકે ભરેલા પગલાં શેરબજારને અનુકૂળ રહ્યા નહીં અને ગુરુવાર તા.6 જુન 2019ના રોજ બપોરે શેરબજારમાં ઓઈલ-ગેસ, રિયલ્ટી, કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.

RBIએ રેપો રેટમાં કરેલો 0.25 ટકાનો ઘટાડો અપૂરતો લાગતાં શેરબજારમાં નિરાશા જોવા મળી હતી. રોકાણકારો નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓના વધુ એક ડિફોલ્ટને કારણે ભારે વ્યથિત થયા છે.

તા.6 જુન 2019ને ગુરુવારે બપોરે સવા બે વાગ્યે BSE સેન્સેક્સ 528.10 પોઈન્ટ્સ ગગડીને 39,555.44 પોઈન્ટ્સ નોંધાયો હતો. એવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 174.50 પોઈન્ટ્સના ઘટાડા સાથે 11847.15 પોઈન્ટ્સની સપાટી સતત નેગેટીવ ટ્રેન્ડ કરી રહ્યો હતો. BSE મિ઼ડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.66 ટકા અને 1.53 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

June 6, 2019
Gandhinagar-Gujarat.jpg
1min6470

લોકસભા ચૂંટણી 2019 માં વિજયી થનારા ભાજપના ચાર ધારાસભ્યોએ આજરોજ તા.6 જુન 2019ના રોજ ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલીના મેમ્બર પદેથી પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ ને સુપરત કર્યું છે. ધારાસભ્ય અને સંસદ સભ્ય પૈકી કોઇ એક સભ્ય તરીકે રહી શકાય એવા નિયમ અંતર્ગત ધારાસભ્ય પદેથી ભાજપના ચારેય નેતાએ રાજીનામું આપી દેતા હવે ગુજરાત વિધાનસભામાં ભાજપાનું સંખ્યાબળ 100નું થયું છે.

રતનસિંહ ચૌહાણ પંચમહાલ બેઠક પરથી, હસમુખ પટેલ અમદાવાદ પશ્ચિમ, પરબત પટેલ બનાસકાંઠા અને ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી વિજય બનતા તેમણે પોતાની વિધાનસભા બેઠકો  ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા ભાજપાના નેતાઓમાં પરબત પટેલ, હસમુખ પટેલ, રતનસિંહ રાઠોડ અને ભરતસિંહ ડાભીનો સમાવેશ થાય છે.

હવે ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે અને એ પછી રાજ્યસભાના સાંસદની બેઠક માટેની ચૂંટણીઓ યોજાશે.

 

June 6, 2019
rbi.jpeg
1min18660

વિશ્વની સૌથી મોટી કેશલેસ ઇકોનોમી બની રહેલા ભારતના બેંકીંગ ગ્રાહકોને સૌથી મોટો ફાયદો થવા જઇ રહ્યો છે. ગુરુવાર તા.6 જુન 2019ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એવો નિર્ણય કર્યો છે કે આર.ટી.જી.એસ. RTGS (Real Time Gross Settlement System) અને નેફ્ટ NEFT (National Electronic Funds Transfer) જેવા ઓનલાઇન ટ્રાન્સફરના વ્યવહારો પરનો ચાર્જ કાઢીને આ સેવાઓ બિલકુલ નિશુલ્ક કરી દેવામાં આવે. ભારતની તમામ બેંકોએ આ ફાયદો તેમના ગ્રાહકોને સીધો જ આપવો પડશે. આગામી દિવસોમાં આ અંગે રિઝર્વ બેંક બેંકોને સીધી સૂચના આપશે.

ભારતીય ગ્રાહકો બેંકીંગ વ્યવહારો ખાસ કરીને ફંડ ટ્રાન્સફરનો વધુને વધુ ઉપયોગ કરતા થાય એ હેતુથી રિઝર્વ બેંકે એ નિર્ણય લીધો છે.

આ ઉપરાંત રિઝર્વ બેંક દ્વારા એ.ટી.એમ. ATM (Automated Teller Machines) ના વ્યવહારોમાં ઇન્ટરચેન્જ ફી સ્ટ્રક્ચરને રિવ્યુ કરવા માટેની પણ કમિટીની રચના કરવામાં આવી છે. ભારતમાં ATM (Automated Teller Machines)ની સેવાઓનો વ્યાપ વિસ્તાર વધ્યો છે. ગ્રાહકો સંતોષકારક રીતે અને પહેલા કરતા વધુ પ્રમાણમાં આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે, પરીણામે બેંકોના કામના ભારણમાં પણ ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં એ.ટી.એમ. ATM (Automated Teller Machines)ના ચાર્જિસ અને ફીના પ્રવર્તમાન દરોને રિવ્યુ કરવા ખાસ કરીને ઘટાડવા માટે નિર્ણય લેવાય તે માટે કમિટી બનાવવામાં આવી છે.

રિઝર્વ બેંક દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં ત્રીજી વખત રેપો રેટમાં કપાત કરવામાં આવતા હવે પછીના દિવસોમાં તેની અસર રૂપે બેંક ધિરાણ સસ્તા દરે મળવાના શરૂ થશે. રિઝર્વ બેંકએ આે તા.6 જુન 2019ના રોજ રેપો રેટમાં 25 બેઝીસ પોઇન્ટનો ઘટાડો કરીને દર 5.75 પહોંચાડ્યો છે.