CIA ALERT

Slider Archives - Page 346 of 491 - CIA Live

June 9, 2019
world_cup_logo.png
1min5720

ઇંગ્લૅન્ડમાં ચાલી રહેલા વન-ડેના વર્લ્ડ કપમાં આજે વર્લ્ડ નંબર-ટૂ ભારતનો મુકાબલો ગયા વખતના વિશ્ર્વવિજેતા ઑસ્ટ્રેલિયા સાથે (ભારતીય સમય મુજબ બપોરે 3.00થી) થશે. બન્ને દેશો વચ્ચે વર્લ્ડ કપમાં કુલ 11 મૅચ રમાઈ છે જેમાં ઑસ્ટ્રેલિયા 8-3ના વિજયી માર્જિનથી આગળ છે એટલે આજે પણ જીતવા ફેવરિટ છે, પરંતુ સાઉથ આફ્રિકા સામેના જ્વલંત વિજયને પગલે વિરાટ કોહલી ઍન્ડ કંપનીનો જુસ્સો બુલંદ છે.

ભારતે પાંચમી જૂને સાઉથ આફ્રિકાને યુઝવેન્દ્ર ચહલની ચાર વિકેટના તરખાટ તથા રોહિત શર્માના 122 રનની મદદથી 6 વિકેટના માર્જિનથી હરાવ્યું હતું. બીજી તરફ, ઑસ્ટ્રેલિયાએ પહેલી જૂને અફઘાનિસ્તાનની લડત બાદ એને 7 વિકેટે હરાવ્યું હતું, જ્યારે છઠ્ઠી જૂને વેસ્ટ ઇન્ડિઝને નૅથન કૉલ્ટર-નાઇલના 92 રનની મદદથી 15 રનના માર્જિન સાથે પરાજિત કર્યું હતું.

કાંગારુંઓ બે મૅચ જીતીને આજે ભારત સામે રમવા આવી રહ્યા છે, પરંતુ ભારતીયો બૅટિંગ અને બોલિંગ, બન્ને રીતે ઑસ્ટ્રેલિયાથી થોડા ચડિયાતા હોવાથી આજે ભારત પણ સતત બીજો વિજય નોંધાવે તો નવાઈ નહીં.

મહેન્દ્રસિંહ ધોનીનો ‘બલિદાન બેજ’વાળા આર્મીના ગ્લવ્ઝવાળા લોગોનો વિવાદ શમી રહ્યો છે, પરંતુ ભારતીય ટીમ આ વિવાદને ભુલાવી દેવા આજે ઑસ્ટ્રેલિયનો પર તૂટી પડશે તો પણ કોઈ આશ્ર્ચર્ય નહીં થાય.

June 8, 2019
keral_rain.jpg
1min8730

સમગ્ર દેશવાસીઓ જેની રાહ જોઇ રહ્યા છે એ ચોમાસાએ ભારતના દક્ષિણ પશ્ચિમ કાંઠે એટલે કે કેરળમાં સત્તાવાર આગમન કરી લીધું છે. કેરળમાં આજે સવારથી મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે અને ઠીકઠીક પ્રમાણમાં વરસાદે કેરળને તરબોળ કરી દીધું છે.

બીજી તરફ IMD (ઈન્ડિયા મિટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ)એ પણ સત્તાવાર જાહેરાત બુલેટીનમાં જણાવ્યું છે કે આજે તા.8મી જુન 2019ના રોજ ચોમાસુ કેરળ પહોંચી ગયું છે. આજે સવારથી જ કેરળના મોટ ભાગના વિસ્તારોમાં ઝરમરીયો વરસાદ શરૂ થઇ ચૂક્યો છે.

હવામાન ખાતા દ્વારા કેરળના સાત જિલ્લામાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

June 8, 2019
modi-kerala-pti.jpg
1min7700

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે તા.8મી જુન 2019ને શનિવારે કેરળના જાણીતા ગુરુવાયૂર કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા.

modi in kerala માટે છબી પરિણામ

કેરળના મંદિરમાં વડાપ્રધાન શ્રી મોદીનો તુલાભાર વિધિ દ્વારા કરવામાં આવ્યો હતો. એવી જ રીતે ભાજપાના પાર્ટી સિમ્બોલ કમળના ફૂલોથી પણ તેમની તુલા કરવામાં આવી હતી.

મંદિરમાં પૂજા-અર્ચના માટે એક મુસ્લિમ ખેડૂત પરિવાર પાસેથી 112 કિલો કમળના ફૂલ ખરીદાયા હતા. ત્રિશૂરનું ગુરુવાયૂર મંદિર કેરળના સૌથી જાણીતા મંદિરોમાંથી એક છે.

 

એ પૂર્વે શ્રી મોદી કેરળ એરપોર્ટ ખાતે ઉતાર્યા હતા ત્યારે કેરળના ઉચ્ચાધિકારીઓ તેમજ સરકારના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

 

June 8, 2019
mbbs.jpg
1min15970

જયેશ બ્રહ્મભટ્ટ

ધો.12 સાયન્સ બાયોલોજી સાથે 50 પર્સન્ટાઇલથી વધુ માર્કસ સાથે પાસ થયેલા અને નીટ 2019માં સારો સ્કોર કરીને હાલમાં એમ.બી.બી.એસ. (મેડીકલ)માં પ્રવેશની રાહ જોઇ રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખુશીના સમાચાર એ છે કે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ઓપન કેટેગરીમાં આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને 10 ટકા રિઝર્વેશન (અનામત) આપવા માટે દેશભરની તમામ મેડીકલ કોલેજોમાં 25 ટકા જેટલી બેઠકો વધારવાનો નિર્ણય કર્યો છે.

મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ઓપન કેટેગરીમાં આવતા અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારના નિયમ અનુસાર 10 ટકા અનામત (રિઝર્વેશન) આપવા માટેની પ્રક્રિયાઓ મે 2019માં જ શરૂ કરી દીધી હતી અને હાલમાં દેશભરની તમામ કાર્યરત મેડીકલ કોલેજોમાં બેઠકો વધારીને પ્રવેશ આપવા માટેની સૂચનાઓ જારી કરી દીધી છે.

મેડીકલ કોલેજોમાં ઓપન કેટેગરીમાં 10 ટકા ઇડબલ્યુએસ (ઇકોનોમિકલી વિકર સેકશન) માટે બેઠકો વધારવાની હાથ ધરેલી કાર્યવાહીને પગલે હવે ગુજરાતમાં એમબીબીએસની બેઠકોની કુલ સંખ્યા વધીને 4800 થી વધુ થવા પામી છે.

મેડીકલ કોલેજોમાં 10 ટકા ઇડબલ્યુએસ ક્વોટાનો અમલ કરવા માટે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઇડલાઇન્સ આ મુજબની છે.

June 8, 2019
up.jpeg
1min17150

ઉત્તર પ્રદેશના વિભિન્ન જિલ્લામાં ધૂળની આંધી, વરસાદ અને વીજળી પડવાથી ઓછામાં ઓછા 26 લોકોનાં મોત થઈ ગયા. 6 અને 7 જૂને અહીંના અલગ-અલગ ભાગોમાં પડેલા વરસાદના કારણે બનેલી ઘટનાઓમાં અત્યાર સુધી 26 લોકોના મોત થવાની સૂચના મળી છે. આ ઉપરાંત 57 અન્ય લોકો અલગ-અલગ ઘટનાઓમાં ઘાયલ થયા છે. વરસાદના કારણે તમામ વિસ્તારોમાં નુકસાન બાદ યુપી સરકારે અધિકારીઓને રાહત કાર્યો ઝડપી કરવાનો આદેશ આપ્યો છે.

સીનિયર સરકારી અધિકારીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, મોટાભાગના લોકો દિવાલ ધરાશાયી થવાના કારણે મૃત્યુ પામ્યા. જ્યારે બે લોકો વીજળી પડવાના કારણે મર્યા.

રાહત કમિશનરની ઓફિસ દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ મૈનપુરી જિલ્લામાં સૌથી વધારે 6 લોકોના મોત થયા, જ્યારે ઈટા અને કાસગંજમાં 3-3 લોકો, ફારુખાબાદ અને બારાબંકીમાં 2-2 લોકો તથા મોરાદાબાદ, બાદૌન, પીલીભીત, મથુરા, કનૌજ, સંભાલ, ગાઝીયાબાદ, અમરોહા અને મહોબામાં 1-1 લોકોના માત થયા છે.
ઉત્તરપ્રદેશના વિભિન્ન ભાગોમાં આંધી-તોફાન અને આકાશી વીજળી ત્રાટકવાના બનાવોમાં ઓછામાં ઓછા 19નાં મોત થયાં હતાં. પ્રદેશના રાહત કમિશનર કાર્યાલયે આજે આ જાણકારી આપતાં જણાવ્યું હતું કે મૈનપુરીમાં સૌથી વધુ નુકસાન થયું હતું.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાહત અને બચાવ કાર્યની જાણકારી લેવા માટે 6 પ્રભારી મંત્રીને નિર્દેશ આપ્યા છે. મૈનપુરીમાં સૌથી વધુ 6 જણનાં મોત થયાં હતાં. એટા અને કાસગંજમાં ત્રણ-ત્રણ જણનાં મૃત્યુના અહેવાલ હતા. મુરાદાબાદમાં એક વ્યક્તિનું વીજળી પડવાથી મૃત્યુ થયું હતું.
બદાયું, પીલીભીત, મથુરા, કન્નૌજ, સંભલ અને ગાઝિયાબાદમાં પણ એક-એક વ્યક્તિના મૃત્યુ થયા હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ગઈકાલે મોડી સાંજે આંધી-તોફાન આવ્યું હતું. અનેક જગ્યાએ વૃક્ષો તૂટીને પડી ગયાં હતાં.
June 8, 2019
gst.jpg
1min5900
227 કરોડના ઇ-વે બિલ બાદ વધુ 35 કરોડનું કૌભાંડ ઝડપાતા આંક $ 262 કરોડે પહોંચ્યો

જુનાગઢમાં નાના વેપારીઓ અને ધંધાર્થીઓને લોન અપાવી દેવાની લાલચ આપી તેમના પાનકાર્ડ મેળવી પેઢી ઉભી કર્યા બાદ ઇ-વે બિલ જનરેટ કરી રૂ.227 કરોડનું કૌભાંડ આચરવાનાં પ્રકરણમાં એસજીએસટી તંત્રએ જુનાગઢના બે શખસોની ધરપકડ કરી હતી. દરમિયાન જુનાગઢની પાંચ પેઢીમાં તપાસ દરમિયાન વધુ 35 કરોડની કરચોરી થયાનું અને તે પણ જુનાગઢના જ આ બન્ને શખસોએ કરી હોવાનું બહાર આવતા વધુ તપાસ હાથ ધરાઇ છે.

ગઇ તા.ત્રણ અને ચાર જુનના કમિશનર વી.એન. ગુર્જરના માર્ગદર્શન હેઠળ ટીમે જુનાગઢમાં સ્થિત પાંચ વેપારી પેઢીમાં તપાસની કામગીરી હાથ ધરી હતી. જેમાં આ ઇ-વે બિલ જનરેટ કરી ગુજરાત રાજય બહાર ખાદ્યતેલીયા મોકલીને કરચોરી કર્યાનું બહાર આવ્યું હતું. આ પેઢીમાં મે. પ્રમય એન્ટરપ્રાઇઝ દ્વારા રૂ.9.31 કરોડ, મે.યુનિક ટ્રેડર્સ દ્વારા રૂ.9.40 કરોડ, મે.ચિત્રાક્ષ ટ્રેડર્સ દ્વારા 3.75 કરોડ, મે.ભકિત એન્ટરપ્રાઇઝ દ્વારા રૂ.10.16 અને અંજની એન્ટરપ્રાઇઝ દ્વારા રૂ.2.34 કરોડ મળી કુલ રૂ.35 કરોડની કરચોરી કર્યાનું ખુલ્યું હતું.
જીએસટી તંત્ર દ્વારા પેઢીઓના માલિકની પુછપરછ કરતા તેમણે જણાવ્યું કે તેમના દસ્તાવેજોનો દુરઉપયોગ કરી અગાઉ રૂ.227 કરોડના ઇ-વે બિલ કૌભાંડમાં પકડાઇ ચુકેલા અને જેલ હવાલે કરાયેલા મુળ જુનાગઢના દિલીપ સેજપાલ અને મિતેષ સેજપાલ દ્વારા જીએસટી નંબર મેળવીને આ કૌભાંડ આચર્યુ હોવાનું જણાવ્યું હતું.
દિલીપ સેજપાલ અને મિતેષ સેજપાલે જુનાગઢમાં 14 પેઢી અને ગુજરાત રાજય બહાર અલગ અલગ રાજયમાં કુલ 16 પેઢીઓ મળી 30 જેટલી પેઢીઓ ઉભી કરી રૂ.262 કરોડના ઇ-વે બિલો દ્વારા કરચોરી કરાઇ છે. હાલ આ અંગે વધુ તપાસ જારી રખાઇ છે.
June 8, 2019
world_cup_logo.png
1min6450

પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ગઈ કાલે અહીં વર્લ્ડ કપની મહત્ત્વની લીગ મૅચ રમાવાની હતી, પરંતુ વરસાદને કારણે મૅચ રમી જ નહોતી શકાઇ અને બન્ને ટીમને એક-એક પૉઇન્ટ મળ્યો છે. આ એક પૉઇન્ટ તેમને સ્પર્ધાના લીગ તબક્કાના છેવટના ભાગમાં ફાયદારૂપ બની શકે અથવા નુકસાનકારક પણ બની શકે.

વરસાદ અટકી ગયા બાદ વાદળિયા હવામાન વચ્ચે એવી સંભાવના જાગી હતી કે બન્ને ટીમ વચ્ચે કદાચ ૨૦-૨૦ એાવરની મૅચ રમાશે. જોકે, એ પણ નહોતી રમી શકાઈ. પાકિસ્તાને વેસ્ટ ઇન્ડિઝ સામેના પરાજય પછી ઇંગ્લૅન્ડને હરાવ્યું હતું, જ્યારે શ્રીલંકા ન્યૂ ઝીલૅન્ડ સામે હાર્યા બાદ અફઘાનિસ્તાન સામે જીત્યું હતું.

June 8, 2019
npa-1280x720.jpg
1min8450

સર્વોચ્ચ અદાલતે એપ્રિલમાં આરબીઆઇના એનપીએના ધારાધોરણો રદ્દ જાહેર કર્યા ત્યારપછી આજે શુક્રવારે, રિઝર્વ બેન્કે બેડ લોન્સ જાહેર કરવા માટેનું નવું કાર્યમાળખું જાહેર કર્યું છે., જેમાં અગાઉ ડિફોલ્ટર્સ જાહેર કરવા માટેની જે મુદ્દત એક દિવસની હતી તે વધારીને 30 દિવસની કરવામાં આવી છે.

રિઝર્વ બેન્કે બેડ લોનના ઉપાયરૂપે 12મી ફેબ્રુઆરી, 2018ના રોજ જાહેર કરેલા કડક નિયમનોને સર્વોચ્ચ અદાલતે બીજી એપ્રિલે રદ્ જાહેર કર્યા હતા, જેમાં આરબીઆઇએ એવો આદેશ આપ્યો હતો કે જો કંપની પુન:ચુકવણીમાં એક દિવસનો પણ વિલંબ કરે તો તેને ડિફોલ્ટર જાહેર કરી દેવી અને બેન્કઓ આ સંભવિત બેડ લોન માટે 180 દિવસની અંદર રેજોલ્યુશન શોધી કાઢવું અન્યથા મામલો બેન્કરપ્સી કોર્ટમાં લઇ જવો.

નવા ધોરણો અગાઉના તમામ રેઝોલ્યુશન્સ પ્લાનનું તાત્કાલિક ધોરણે અમલ થાય એ પ્રમાણે સ્થાન લેશે, જેમાં ડિસ્ટ્રેસ એસેટ રિવાઇટલાઇઝિંગ ફ્રેેમવર્ક, કોપોૌ4રેટ ડેટ રિસ્ટ્રકચરિંગ સ્કીમ્સ, લાંબા ગાળાના પ્રોજેક્ટમાટેની વર્તમાન લોન માટે ફ્લેક્સિબલ સ્ટ્રકચરિંગ, સ્ટ્રેટેજિક ડેટ રિસ્ટ્રકચરિંગ સ્કીમ્સ (એસડીઆર), એસડીઆરની બહાર માલિકીમાં ફેરફાર અને સ્ટ્રેસ્ડ એસેટ્સના ટકાુ સ્ટ્રકચરિંગ માટેની યોજના તથા જોઇન્ટસ લેન્ડર્સ ફોરમનો સમાવેશ થાય છે.

નવા પરિપત્રમાં બેડ લોનની વહેલી ઓળખ, રિપોર્ટીંગ માટેનું કાર્યમાળખું અને બેડ લોન્સ માટે સમયબદ્ધ રેજોલ્યુનની વિગતો આપવામાં આવી છે. આરબીઆઇએ કહ્યું છે કે લેન્ડરે લોન અકાઉન્ટમાં સ્ટ્રેસ પારખીને ડિફોલ્ટની શંકા જાય તો આવી એસેટને સ્પોશિયલ મેન્શન અકાઉન્ટ (એસએમએ) તરીકે વર્ગીકૃત કરવી. રિઝર્વ બેન્કની યોજના પ્રમાણે ડિફોલ્ટ થતાં પહેલા જ ધિરાણદાતાએ રિજોલ્યુશન પ્લાન અમલમાં મૂકવાની તૈયારી કરી લેવાની રહેશે.

કોઇપણ લેન્ડર, બેન્ક, એનબીએફસી કે સ્મોલ ફાઇનાન્સ બેન્ક અથવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુટે ડિફોલ્ટર તરીકે કોિ બોરોઅરને જાહેર કર્યો હોય તે પછી ડિફોલ્ટના 30 દિવસની અંદર બોરોઅરની સમીક્ષા કરી લેવી. આ પછી જોઇન્ટ લેન્ડર ફોરમની રચના કરવી.

June 8, 2019
ENGINEERNG-ADMISSION-BANNER.jpg
1min7580

ગુજરાતમાં ચાલુ વર્ષે ડિગ્રી ઇજનેરી ક્ષેત્રે પ્રવેશ માટે 34 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, જેથી હવે એડ્મિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્શિશ દ્વારા પ્રવેશની આગળની કાર્યવાહી હાથ ધરવાનું શરૂ થશે. ફાર્મસી ક્ષેત્રે 7 હજાર જગ્યાઓ સામે 16 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. કોમ્પ્યુટર, મિકેનિકલમાં વિદ્યાર્થીઓને વધુ રસ પડયો.

એન્જિનિયરીંગમાં ર0 સરકારી અને બાકીની સ્વનિર્ભર મળી કુલ 137 કૉલેજો છે ગયા વર્ષે 30 હજાર જેટલી જગ્યાઓ ખાલી રહી હતી. આ વખતે પ્રથમ વખત આર્થિક અનામતનો માપદંડ લાગુ પડતા બેઠકોની સંખ્યા વધીને 73 હજાર થઇ ગઇ છે, જેમાં 34 હજાર વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા તે તમામ પ્રવેશ મેળવી લ્યે તો પણ 39 હજાર જેટલી જગ્યાઓ ખાલી રહેશે. બે વર્ષથી ઈજનેર ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની રૂચી ઓછી થઈ હોય તેમ પ્રવેશ લેવામાં ઘસારો ઓછો થયો છે, જે ઈજનેર અભ્યાસ માટે ચોંકાવનારું પરિણામ શિક્ષણ તજજ્ઞો માની રહ્યા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચાલુ વર્ષે રાજ્ય સરકારે 10 ટકા ઈબીસી કોટામાં વધારો કરતાં ઈજનેર ક્ષેત્રે બેઠકની સંખ્યા વધીને 72 હજાર જઈ હતી, જેમાં 34 હજાર જેટલા ફોમ ભરાયા હતા. ત્યારે હવે તા.12 જૂને કામચલાઉ મેરિટ લિસ્ટ બહાર પડશે તે જ દિવસથી તા. 16 સુધી મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ એટલે કે, કૉલેજ પસંદગી કરી શકાશે. તા. 19મીએ મોક રાઉન્ડનું પરિણામ જાહરે થશે તેજ દિવસે ફાઇનલ મેરિટ લીસ્ટ જાહેર થશે

તા.19 થી ર3 જૂન એડમિશનના પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા થશે તા. ર6મીએ કૉલેજ ફાળવણીની પ્રથમ યાદી જાહેર થશે. આ.સી.પી.સી.ની યાદી જણાવે છે કે ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રવેશ વર્ષ-ર019 માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા તા.4 ના રોજ પૂર્ણ થઇ છે. જે ઉમેદવારોએ વેરિફિકેશન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઉપર મુજબની સમય મર્યાદામાં પૂર્ણ કરી છે અને આવા ઉમેદવારોએ જો રજિસ્ટ્રેશન દરમ્યાન જાતિ અંગેના પ્રમાણ પત્રો તથા ટયૂશન ફી માફી યોજના માટે આવકનું પ્રમાણ પત્ર રજૂ કર્યું ન હોય તો તેવા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો ઉપલબ્ધ થયે કેટેગરીમાં સુધારો, તેમ જ ટયૂશન ફી માફી યોજના માટે સુધારા કરાવવા હોય તો તેને લાગતા દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલ તથા રજિસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ આઉટ સાથે નજીકના હેલ્પ સેન્ટર ખાતે જઇ ને ફોર્મ ભરી તા. 8/6/ર019ના સાંજે પ કલાક સુધીમાં રૂબરૂ જમાં કરાવવા જણાવવામાં આવે છે.

June 8, 2019
vijay-rupani-and-jitu-vaghani-1280x720.jpg
1min6780

ગુજરાતમાં ચાયનાની અનેક અગ્રગણ્ય ઉદ્યોગ કંપનીઓએ પોતાના પ્લાન્ટસ અને કારોબાર શરૂ કરીને ગુજરાતને સેક્ધડ હોમ બનાવ્યું છે, એવું ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

અમદાવાદમાં ચાયના ઈન્ડિયા-ગુજરાત ઇકોનોમિક એન્ડ ટ્રેડ કો-ઓપરેશન કોન્ફરન્સ-ર019નો પ્રારંભ કરાવતા તેમણે વધુમાં કહ્યું હતું કે, આ બધી જ બાબતો અને પરસ્પર સહભાગીતાની ઉત્સુકતા એ વાતની પરિચાયક છે કે ગુજરાત અને ચીન ખાસ કરીને ગુઆન્ગડોંગ પ્રાંત સાથે સામાજિક અને આર્થિક વિકાસની મજબૂત ભાગીદારી સ્થાપિત થઇ છે.

ભારતની કુલ વસ્તીના પાંચ ટકા વસ્તી ધરાવતા ગુજરાતનો જીડીપીમાં 8 ટકા, નિકાસમાં રર ટકા ફાળો છે. એટલું જ નહીં, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં પણ ગુજરાત વિશ્ર્વમાં ચોથા ક્રમે છે. આટઆટલી વિશેષતાઓ સાથે ગુજરાત ભારતમાં અન્ય રાજ્યોની તુલનાએ વિદેશી રાજ્યો-રાષ્ટ્રો સાથેના સંબંધોમાં અગ્રેસર રહ્યું છે તે જ રીતે ગુજરાતનું સીસ્ટર સ્ટેટ ચાયનાનું ગુઆન્ગડોંગ પણ ચીનનું આર્થિક અને ઔદ્યોગિક વિકાસનું પાવર હાઉસ માનવામાં આવે છે.

આ પ્રસંગે મેમ્બર ઓફ ધ પોલિટિકલ બ્યુરો ઑફ ધ સીપીસી સેન્ટ્રલ કમિટી, પાર્ટી સેક્રેટરી ઓફ ગુઆંગડોંગ સીપીસી કમિટીના શ્રીયુત લી ક્ષીએ જણાવ્યું કે, ભારત અને ચીન વચ્ચે મહત્ત્વપૂર્ણ વ્યાપાર-વાણિજ્યિક સંબંધો વર્ષોથી રહ્યા છે. ગુઆન્ગડોંગ પ્રાંત અને ગુજરાત વચ્ચે થયેલા એમ.ઓ.યુ. અંતર્ગત અનેક પ્રોજેક્ટ્સ ગુજરાતમાં સફળતાપૂર્વક કાર્યાન્વિત થયા છે. અમે ગુજરાત સાથે વધુને વધુ વ્યાપારિક સંબંધો વિકસાવવા માટે આતુર છીએ.