ઇંગ્લૅન્ડમાં ચાલી રહેલા વન-ડેના વર્લ્ડ કપમાં આજે વર્લ્ડ નંબર-ટૂ ભારતનો મુકાબલો ગયા વખતના વિશ્ર્વવિજેતા ઑસ્ટ્રેલિયા સાથે (ભારતીય સમય મુજબ બપોરે 3.00થી) થશે. બન્ને દેશો વચ્ચે વર્લ્ડ કપમાં કુલ 11 મૅચ રમાઈ છે જેમાં ઑસ્ટ્રેલિયા 8-3ના વિજયી માર્જિનથી આગળ છે એટલે આજે પણ જીતવા ફેવરિટ છે, પરંતુ સાઉથ આફ્રિકા સામેના જ્વલંત વિજયને પગલે વિરાટ કોહલી ઍન્ડ કંપનીનો જુસ્સો બુલંદ છે.
ભારતે પાંચમી જૂને સાઉથ આફ્રિકાને યુઝવેન્દ્ર ચહલની ચાર વિકેટના તરખાટ તથા રોહિત શર્માના 122 રનની મદદથી 6 વિકેટના માર્જિનથી હરાવ્યું હતું. બીજી તરફ, ઑસ્ટ્રેલિયાએ પહેલી જૂને અફઘાનિસ્તાનની લડત બાદ એને 7 વિકેટે હરાવ્યું હતું, જ્યારે છઠ્ઠી જૂને વેસ્ટ ઇન્ડિઝને નૅથન કૉલ્ટર-નાઇલના 92 રનની મદદથી 15 રનના માર્જિન સાથે પરાજિત કર્યું હતું.
કાંગારુંઓ બે મૅચ જીતીને આજે ભારત સામે રમવા આવી રહ્યા છે, પરંતુ ભારતીયો બૅટિંગ અને બોલિંગ, બન્ને રીતે ઑસ્ટ્રેલિયાથી થોડા ચડિયાતા હોવાથી આજે ભારત પણ સતત બીજો વિજય નોંધાવે તો નવાઈ નહીં.
મહેન્દ્રસિંહ ધોનીનો ‘બલિદાન બેજ’વાળા આર્મીના ગ્લવ્ઝવાળા લોગોનો વિવાદ શમી રહ્યો છે, પરંતુ ભારતીય ટીમ આ વિવાદને ભુલાવી દેવા આજે ઑસ્ટ્રેલિયનો પર તૂટી પડશે તો પણ કોઈ આશ્ર્ચર્ય નહીં થાય.











સીનિયર સરકારી અધિકારીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, મોટાભાગના લોકો દિવાલ ધરાશાયી થવાના કારણે મૃત્યુ પામ્યા. જ્યારે બે લોકો વીજળી પડવાના કારણે મર્યા.






