Slider Archives - Page 346 of 487 - CIA Live

May 31, 2019
garba.jpg
1min10220

ગુજરાત સરકાર દ્વારા 2019માં ફરીવાર શાળા-કોલેજોમાં નવરાત્રી વેકેશન રાખવાની જાહેરાત કરવામાં આવતા શાળા સંચાલકોએ વિરોધ કર્યો છે. નવરાત્રી વેકેશન ટાળવા માટે આગામી દિવસોમાં શિક્ષણ પ્રધાનને રજૂઆત કરી તેમની રણનીતિ ઘડવા અત્યારથી શાળા સંચાલકો તૈયારીમાં લાગી ગયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે નવરાત્રીનું નવ દિવસનું વેકેશન જાહેર કર્યું હતું. જેની અમલવારી સીબીએસઈ અને આઈસીએસઈ જેવા બોર્ડની શાળાઓ માટે મરજિયાત કરાઈ હતી. જ્યારે વેકેશન નહીં રાખનાર રાજ્ય બોર્ડ સંલગ્ન શાળાઓ સામે પગલાં લેવાની તાકીદ કરાઈ હતી. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં મોટાભાગની સ્કૂલોએ સરકારની વાત માની હતી. જ્યારે સુરતમાં અનેક શાળાઓએ જાહેરનામાની ઉપરવટ જઈને સ્કૂલો ચાલુ જ રાખી હતી. ગત વર્ષના પ્રયોગ બાદ આ વર્ષે સરકાર નવરાત્રી વેકેશન નહિ રાખે તેવી અપેક્ષા વચ્ચે આ વર્ષે ફરી શિક્ષણ વિભાગ દ્વારા 30 સપ્ટેમ્બરથી સાત ઓક્ટોબર સુધી આઠ દિવસનું નવરાત્રી વેકેશન જાહેર કર્યું છે. જેની સામે દિવાળીના ર1 દિવસના વેકેશનમાંથી કાપ મૂકી 13 દિવસ રજા અપાઈ છે અને ફરી શાળાઓમાંથી વિરોધ વંટોળ ઊઠી રહ્યો છે. નવરાત્રી વેકેશનથી રાજકોટની 466 સ્કૂલના 1.7પ લાખ અને રાજ્યની 1પ હજાર જેટલી સ્કૂલો તેમજ મેડિકલથી માંડી બીએ-બીકોમ સુધીની તમામ કોલેજોના વિદ્યાર્થીઓના ભણતરનું સાતત્ય ખોરવાશે. શિક્ષણ બોર્ડે આ વેકેશન ન આપવા કરેલા ઠરાવને પણ સરકારે ધ્યાનમાં લીધો નથી. આ અંગે રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે નવરાત્રી વેકેશનથી વિદ્યાર્થીઓને નુકસાન થાય છે. ઓગસ્ટમાં જન્માષ્ટમીની પાંચ-છ દિવસની રજાઓ આવે, પછી સપ્ટેમ્બરમાં નવરાત્રી અને ઓક્ટોબરમાં દિવાળીનું વેકેશન હોય છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર વચ્ચે નવરાત્રી પછી તરત જ પરીક્ષા આવે. આ વર્ષે એનસીઈઆરટીનો અઘરો અને લાંબો કોર્સ દાખલ કરાયો છે. બાળકો અને શિક્ષકો કઈ રીતે પહોંચી શકશે ?

તેમણે વધુમાં કહ્યુ હતું કે 1ર વાગ્યા પછી ગરબી બંધ કરી દેવાતી હોય છે. હવે પહેલાની જેમ રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી ગરબા ચાલુ રહેતા નથી. આમ છતાં રાતે ઉજાગરા થતા હોવાનું લાગે તો સ્કૂલનો સમય સવારે સાતના બદલે બે કલાક મોડો કરવો જોઈએ. વેકેશન આઠ દિવસનું છે પણ તેની આગળનો એટલે કે ર9મી સપ્ટેમ્બર રવિવાર આવે છે અને આઠમી ઓક્ટોબરે દશેરા, એટલે કુલ 10 દિવસની રજા પડે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનાં હિતમાં નવરાત્રીનું વેકેશન રદ્દ કરવાની રજૂઆત કરવા શિક્ષણપ્રધાન સમક્ષ જવાના છીએ.

May 31, 2019
modisworn.jpg
1min5320

modi sworn in guests માટે છબી પરિણામ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનમંડળના સભ્યોએ ગુરુવારે દેશ-વિદેશના નેતાઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ મળીને અંદાજે 8,000 મહેમાનની હાજરીમાં હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.

રાષ્ટ્રપતિભવનના ફોર કૉર્ટ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 68 વર્ષીય મોદી અને પ્રધાનોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. મોદીએ બીજી વખત આ સ્થળે શપથ લીધા હતા.

અહીં યોજાયેલા ભવ્ય સમારંભમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, અનેક રાજ્યના મુખ્ય પ્રધાન, વિદેશી મહાનુભાવો, ફિલ્મ અને રમતગમત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો મહેમાન તરીકે હાજર રહ્યા હતા. શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલ સિરીસેના અને ભુતાનના વડા પ્રધાન લોટય ત્શેરિંગ આ કાર્યક્રમમાં હાજર રહેવા ગુરુવારે આવ્યા હતા, જ્યારે બંગલાદેશના પ્રમુખ અબ્દુલ હમીદ બુધવારની રાતે જ આવી ગયા હતા.

મોરિશસના વડા પ્રધાન પ્રવિંદકુમાર જગન્નાથ ગુરુવારે સવારે ભારતની રાજધાનીમાં આવ્યા હતા. ભુતાનના વડા પ્રધાન લોટય ત્શેરિંગ દિલ્હી આવ્યા ત્યારે વિદેશ સચિવ વિજય ગોખલેએ તેમનું સ્વાગત કર્યું હતું.

થાઇલેન્ડના ખાસ દૂત તરીકે ત્યાંના પ્રધાન ગ્રીસદા બૂનરાચનું ગુરુવારે સવારે રાજધાનીમાં આગમન થયું હતું.

સ્પૉટર્સ ક્ષેત્રના રાહુલ દ્રવિડ, સાઇના નેહવાલ, પી. ટી. ઉષા, અનિલ કુંબલે, જવાગલ શ્રીનાથ, પુલેલ્લા ગોપીચંદ, દીપા કરમાકર, ફિલ્મ ક્ષેત્રના બોની કપૂર, સુશાંતસિંહ રાજપૂત, રાજકુમાર હીરાની, રજનીકાંત, શાહરુખ ખાન, કંગના રનોટ, સંજય ભણસાલી, કરણ જોહર, ઉદ્યોગપતિઓમાં રતન તાતા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, અજય પિરામલ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના અધ્યક્ષ ક્રિશ્ર્ચિયન લેગાર્ડ, અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ગેટ્સને આ સમારંભમાં આમંત્રણ અપાયું હતું.

રાષ્ટ્રપતિભવનના પ્રવક્તા અશોક મલિકે જણાવ્યું હતું કે ગુરુવારે રાતે 7 થી 8.30 વાગ્યા સુધી યોજાયેલા શપથવિધિ સમારંભમાં આટલી મોટી સંખ્યામાં કદાચ સૌપ્રથમ વખત મહેમાનો હાજર રહ્યા હતા. ભોજન સમારંભ રાતે 9 વાગ્યે શરૂ કરાયો હતો અને તેની પહેલાં નાસ્તો પણ અપાયો હતો.

કિર્ગીઝસ્તાનના પ્રમુખ સૂરોનબય જીનબેકોવ, નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી અને મ્યાનમારના પ્રમુખ યુ. વિન મિન્ટ પણ હાજર રહ્યા હતા.

શપથવિધિ સમારંભ આશરે 90 મિનિટ ચાલ્યો હતો અને તે પછી મહેમાનોને રાત્રિભોજન પીરસાયું હતું.

રાષ્ટ્રપતિભવનમાં રાષ્ટ્રપતિ દ્વારા યોજાયેલા ભોજન સમારંભમાં ‘દાળ રાયસીના’, પનીર ટીક્કા, રાજભોગ, લેમન ટાર્ટ સહિત અનેક વાનગીઓ હતી. ભોજનની પહેલાં નાસ્તો પણ અપાયો હતો. દાળ રાયસીનાની મુખ્ય સામગ્રી લખનઊથી લવાઇ હતી.

અગાઉ, ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક અને પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ મોદીના શપથવિધિ સમારંભમાં ગેરહાજર રહેવાની જાહેરાત કરી હતી.

નરેન્દ્ર મોદીની વડા પ્રધાનપદની 30મી મેએ યોજાયેલી શપથવિધિમાં બંગલાદેશ, ભુતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઇલેન્ડનો સમાવેશ કરતા સંગઠન – બૅ ઑફ બંગાળ ઇનિશિયેટિવ ફૉર મલ્ટિ-સૅક્ટરલ ટૅક્નિકલ એન્ડ ઇકૉનૉમિક કૉઑપરેશન (બીઆઇએમએસટીઇસી)ના સભ્ય દેશના વડાઓ, શાંઘાઇ કૉઑપરેશન ઑર્ગેનાઇઝેશનના હાલના વડા કિર્ગીસ્તાનના પ્રમુખ અને મોરિશસના વડા પ્રધાન સહિત વિદેશના અનેક મહાનુભાવને આમંત્રણ અપાયું હતું, પરંતુ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને આમંત્રણ નહોતું અપાયું.

બંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના આ સમય દરમિયાન અન્ય ત્રણ વિદેશની યાત્રાએ ગયા હોવાથી તેઓ મોદીના શપથવિધિ સમારંભમાં હાજર રહી નહોતા શક્યા.

બંગલાદેશના મુક્તિસંગ્રામને લગતી બાબતોના પ્રધાન એ. કે. એમ. મોઝામ્મેલ હક મોદીના શપથવિધિ સમારંભમાં બંગલાદેશ સરકારના પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા હતા.

modi sworn in માટે છબી પરિણામ

 

 

May 31, 2019
modi_govt.jpg
1min6340

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૬૮ વર્ષીય નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદની બીજી મુદત માટે ગુરુવારે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. મોદીની સાથેે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના પ્રમુખ અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારામન, નીતિન ગડકરી સહિત અનેક પ્રધાને પણ શપથ લીધા હતા.

મોદીના પ્રધાનમંડળમાં ૨૪ કેબિનેટ કક્ષાના છે, જ્યારે એટલા જ પ્રધાન રાજ્ય કક્ષાના છે. રાજ્ય કક્ષાના નવ પ્રધાનને સ્વતંત્ર અખત્યાર અપાયો છે.

ભૂતપૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરનો પ્રધાનમંડળમાં સમાવેશ થતાં કેટલાકને આશ્ર્ચર્ય થયું હતું.

નવા કેન્દ્રીય પ્રધાનમંડળમાં ડી. વી. સદાનંદ ગોવડા અને રામ વિલાસ પાસવાનનો પણ સમાવેશ થાય છે.

અગાઉની મોદી સરકારમાંના કેન્દ્રીય પ્રધાનો સુષમા સ્વરાજ, રાજ્યવર્ધનસિંહ રાઠોડ અને મેનકા ગાંધીને નવા પ્રધાનમંડળમાંથી હાલમાં બાકાત રખાયા છે.

મોદી પોતાના પ્રધાનમંડળમાં કુલ ૮૦ પ્રધાન રાખી શકે છે. બંધારણમાંની જોગવાઇ મુજબ વડા પ્રધાન સહિત કેન્દ્રીય પ્રધાનમંડળમાંના પ્રધાનોની કુલ સંખ્યા લોકસભાના કુલ (૫૪૩) સભ્યમાંના ૧૫ ટકા સુધી રાખી શકાય છે.

નવા કેન્દ્રીય પ્રધાનમંડળના સભ્ય તરીકે શપથ લેનારા અન્ય નેતાઓમાં નરેન્દ્રસિંહ તોમર, રવિશંકર પ્રસાદ, હરસિમરતકૌર બાદલ, થાવરચંદ ગેહલોત, રમેશ પોખરિયાલ, અર્જુન મુંડા, સ્મૃતિ ઇરાની, હર્ષવર્ધન, પ્રકાશ જાવડેકર, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, મુખ્તાર અબ્બાસ નક્વી, પ્રહ્લાદ જોશી, મહેન્દ્રનાથ પાણ્ડેય અને ગિરિરાજ સિંહનો સમાવેશ થાય છે.

મોદીના પ્રધાનમંડળમાંના નવ રાજ્ય કક્ષાના પ્રધાનને સ્વતંત્ર અખત્યાર અપાયો છે.

અરવિંદ સાવંત અને ગજેન્દ્રસિંહ શેખાવતનો કેન્દ્રીય પ્રધાનમંડળમાં સમાવેશ કરાયો હતો.

નિત્યાનંદ રાય, રતનલાલ કટારિયા, વી. મુરલીધરન, રેણુકાસિંહ સરુતા અને સોમ પ્રકાશે રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.

મોદી સરકારમાં ૨૪ કેબિનેટ પ્રધાન છે.

સંતોષ ગંગવાર, રાવ ઇન્દ્રજિત, શ્રીપાદ નાયક અને જિતેન્દ્ર સિંહને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર અખત્યાર અપાયો છે.

કિરણ રિજીજુ, પ્રહ્લાદસિંહ પટેલ, આર. કે. સિંહ, હરદીપસિંહ પુરી અને મનસુખલાલ માંડવિયાને પણ સ્વતંત્ર અખત્યાર અપાયો છે.

ફાગણસિંહ કુલહસ્તે, અશ્ર્વિની ચૌબે, અર્જુન મેઘવાલ, વી. કે. સિંહને રાજ્ય કક્ષાના પ્રધાન બનાવાયા છે.

કૃષ્ણપાલ ગુર્જર, રાવસાહેબ દાનવે, જી. કૃષ્ણ રેડ્ડી, પુરુષોત્તમ રૂપાલા અને રામદાસ આઠવલે પણ રાજ્ય કક્ષાના પ્રધાન છે.

નિરંજન જ્યોતિ, બાબુલ સુપ્રિયો, સંજીવ બલયાન, સંજય ધોત્રે, અનુરાગ ઠાકુર અને સુરેશ આંગડીએ પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.

રામેશ્ર્વર તેલી, પ્રતાપચંદ્ર સારંગી, કૈલાસ ચૌધરી અને દેવશ્રી ચૌધરીને રાજ્ય કક્ષાના પ્રધાન બનાવાયા છે.

May 30, 2019
modirajghat.jpg
1min9800

આજે સાંજે સાત વાગ્યે વડાપ્રધાન પદ માટે શપથ ગ્રહણ એ પૂર્વે ઐતિહાસિક દિવસે સવારે નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર જઇને સ્વ. રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીની સમાધિ પર જઈને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. એ પછી તેઓ અટલ બિહારી વાજપેયીની સમાધિ ‘સદૈવ અટલ’ પર જઈને તેમને શદ્ધાંજલિ આપી.

ભાજપાના અનેક મોટા નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધી બાપૂ અને વાજપેયીને શ્રદ્ધાંજલી આપ્યા બાદ વડાપ્રધાન મોદી નેશનલ વૉર મેમોરિયલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર શહીદોને પ્રણામ કર્યા હતા. આ દરમિયાન તેમની સાથે રક્ષા મંત્રી નિર્મલા સીતારમન અને ત્રણેય સેનાઓના વડાઓ પણ હાજર રહ્યા હતા.

May 30, 2019
rtgs-facilitation.jpg
1min16220

આરબીઆઈએ આપેલી માહિતીમાં RTGSમાં ગ્રાહકોનો સમય સાંજે 4:30 થી વધારીને સાંજે 6:00 વાગ્યા સુધી કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી RTGS દ્વારા સાંજે 4.30 સુધી જ લેવડ-દેવડ થઈ શકતી હતી. 1 જૂનથી બધા જ ગ્રાહકો સાંજે 6.00 વાગ્યા સુધી RTGS કરી શકશે.

RTGS સિસ્ટમના માધ્યમથી દેશના કોઈપણ ખુણે પૈસા ટ્રાન્સફર કરવા માટે આરબીઆઈ તરફથી ખાસ સુવિધા આપવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેન્ક હવે RTGS એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટના સમયમાં ફેરફાર કર્યો છે. આરબીઆઈએ RTGSનો સમય દોઢ કલાક વધારીને સાંજે 6 વાગ્યા સુધી કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય 1 જૂનથી અમલમાં આવશે. આ વિશે RBI દ્વારા માહિતી આપવામા આવી હતી.

RTGS સિસ્ટમ દ્વારા કોઈ પણ વ્યક્તિ રિયલ ટાઈમ એટલે કે પૈસા મોકલતાની સાથે જ બેનિફિશયરી પાર્ટીને મળી જાય છે. RTGSનો ઉપયોગ મોટા ટ્રાન્ઝેક્શન માટે કરવામાં આવતો હોય છે. RTGSમાટે ઓછામાં ઓછી રકમ 2,00,000 રુપિયા છે. 2,00,000થી ઓછી રકમના ટ્રાન્સફરને NEFT કહેવાય છે. જેની ટાઈમ લિમિટ પહેલાથી જ સાંજે 6.00 વાગ્યા સુધીની છે. RTGSમાં મની ટ્રાન્સફરની કોઈ લિમિટ નથી. 2,00,000થી ઉપર ગમે તેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય છે.

May 30, 2019
gst.jpg
1min12310

જીએસટી રિટર્ન વિનામૂલ્યે ફાઇલ થઇ શકે તેવું સોફ્ટવેર પોર્ટલ www.gst.gov.in પરથી વેપારીઓ મફતમાં ડાઉનલોડ કરી શક્શે

તા.29મી મે 2019ના રોજ ભારતના વેપારીઓ માટે રાહતભર્યા સમાચારની જાહેરાત કરતા GSTN નેટવર્કે રૂપિયા 1.50 કરોડ સુધીનો વાર્ષિક વેપાર ધરાવતા માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસને મફતમાં એકાઉન્ટિંગ તથા બિલિંગ અંગેનું સોફ્ટવેર આપવામાં આવશે.

બિલિંગ સોફ્ટવેરને કારણે અંદાજે 80 લાખ જેટલા નાના વેપારીઓને એ ફાયદો થશે કે જીએસટી રિટર્ન બિલકુલ વિનામૂલ્યે ફાઈલ કરી શક્શે. આ પહેલા પણ GSTની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા અને તેમાં ઝડપ લાવવા માટે નાણા મંત્રાલય દ્વારા GST રિફંડની મંજૂરી અને પ્રોસેસિંગ બંને કામ એક જ નિગમ પાસે કરાવાનો નિર્ણય લેવાયો હતો.

GSTN દ્વારા જાહેરાત કરાઈ છે કે,’ આ સોફ્ટવેરના કારણે કંપનીઓને બિલ અને જમા-ઉધારની વિગતો તૈયાર કરવામાં, ગોડાઉનમાં રહેલા માલ-સામાનની વિગતો તૈયાર રાખવામાં અને જીએસટી રિટર્ન તૈયાર કરવામાં મદદ મળશે. આ સોફ્ટવેર પોર્ટલ www.gst.gov.in પરથી વેપારીઓ મફતમાં ડાઉનલોડ કરી શક્શે’

આ સોફ્ટવેર ફ્રીમાં આપવા માટે GSTNદ્વારા નાણાકિય વર્ષમાં રૂ.1.50 કરોડથી ઓછો વેપાર ધરાવતા MSMEને સોફ્ટવેર ઉપલબ્ધ કરાવવા માટે બિલ અને એકાઉન્ટિંગ સોફ્ટવેર વિક્રેતાઓ સાથે કરાર કરવામાં આવ્યો છે. તેના માટે કરદાતાઓએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.” GSTNએ આપેલી માહિતી પ્રમામે દેશમાં લગભગ 80 લાખ MSME એવા છે, જેનો વાર્ષિક વેપાર રૂ.1.50 કરોડથી ઓછો છે.

May 30, 2019
Gandhinagar-Gujarat.jpg
1min12130

લોકસભાની અમેઠી બેઠક પર સ્મૃતિ ઈરાની અને ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચૂંટણી જીતી જતાં હવે રાજ્યસભાની બે બેઠકો પર રાજીનામું આપવું પડશે જેથી રાજ્યસભાની બે બેઠકો પર ફરી ચૂંટણી યોજાશે. આ બેઠકો પર 60 ધારાસભ્યો મળીને એક સાંસદ ચૂટી શકે એમ હોઈ ત્યારે ફરી આ બે બેઠકો જાળવી રાખવા ભાજપે કોંગ્રેસના 8થી 11 ધારાસભ્યો પાસે ક્રોસ વોટીંગ કરાવવા તખતો તૈયાર કરી દીધો હોવાનું બિનસત્તાવાર સૂત્રો જણાવી રહ્યા હતા. રાજ્યસભાની ચૂંટણીને લઈ રાજકીય મહોલ ફરી ગરમાયો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપે રાજયસભાની બંને બેઠકો કબ્જે કરવા કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાના રાજકીય કૂટનીતિ શરૂ કરી દીધી હતી. રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપમાં ભાજપે બંને બેઠકો જીતવા માટે રાજકીય ઓપરેશન શરૂ કરી દીધુ છે.

અમરેલીમાં નારણ કાછડિયાને મદદ કરનાર અમરીશ ડેર, વિક્રમ માડમ, અલ્પેશ ઠાકોર, શિવલાલ ભૂરિયા, ભરત ઠાકોર, ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાઈ શકે છે. નીતિન પટેલને કોંગ્રેસના ચોટીલાના ધારાસભ્ય ઋત્વિજ મકવાણા અને મહુધાના ધારાસભ્ય ઈન્દ્રજીત ઠાકોર પણ મળ્યા હતા જોકે, બન્ને નેતાઓએ નીતિન પટેલને મળ્યા બાદ ભાજપમાં જોડાવવા અંગે ઈન્કાર કર્યો હતો. નોંધનીય છે કે, છેલ્લા બે દિવસમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યો નીતિન પટેલને મળ્યા હતા. ભાજપને રાજ્યસભાની બે બેઠકો ફરી મેળવવા ભાજપે કોંગ્રેસના 11 જેટલા ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવો તખતો તૈયાર કર્યાનું બિન સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા હતા.

જો ગુજરાતની બે રાજ્યસભા બેઠકોનું ગણિત સમજીએ તો, ભાજપના બે નેતાઓ લોકસભા ચૂંટણી જીત્યા હોવાથી રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપે તો ખાલી બેઠકો સામે ભાજપના બે અને કોંગ્રેસના બે ઉમેદવારો ઊતરે તો તેવી સ્થિતિમાં ભાજપના સભ્યોને બે ઉમેદવાર પૈકી એકની સામે એકડો ઘૂંટવા પડે, જ્યારે બાકીના ધારાસભ્યોને બીજા ઉમેદવાર માટે બગડો ઘૂંટવો પડે તેમ છે. પેટાચૂંટણી બાદ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 105 થયું છે, જ્યારે કોંગ્રેસ 72 ધારાસભ્યો ધરાવે છે તેવી સ્થિતિમાં ચાર ધારાસભ્યો લોકસભામાં ચૂંટાતા તેમના રાજીનામાથી ભાજપના ધારાસભ્યો ઘટીને ફરીથી 99 થશે. અત્રે મહત્ત્વનું છે કે, કોંગ્રેસના સાથી એવા બીટીપીના બે અને એનસીપીના એક ધારાસભ્ય છે,

લોકસભાની ચૂંટણીમાં ભલે અત્યારે આ બે નાના પક્ષો સાથે ગઠબંધન થયું નથી. છેલ્લે રાજ્યસભાની ચૂંટણીમાં બીટીપીના કારણે કોંગ્રેસને જીત મળી હતી. ઉલ્લેખનીય છે કે, લોકસભામાં ચૂંટાતા અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની રાજ્યસભાની બે બેઠક ખાલી પડી છે અને બંને બેઠકો ભાજપને પાછી મેળવવી હોય તો કોંગ્રેસના 11 ધારાસભ્યોના મત ઓછા કરવા પડે. આથી રાજ્યમાં હવે રાજકીય નિષ્ણાતો દ્વારા રાજનીતિ પોતાની ચરમસીમાએ પહોંચશે તેવી શકયતા રાજકીય અગ્રણીઓ જણાવી રહ્યા છે.

May 30, 2019
hardikjig.jpg
1min4840

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન નેતા હાર્દિક પટેલ અને દલિત આગેવાન અને વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની કાબેલીયત લોકસભાની ચૂંટણીમાં ગુજરાત કૉંગ્રેસને એકે બેઠક અપાવી શકી નથી. ભાજપ વિરોધી વલણ માટે જાણીતા આ બંને આંદોલનકારીઓમાં હાર્દિકને તો કૉંગ્રેસે સ્ટાર પ્રચારક બનાવીને રાહુલ ગાંધીની અમેઠી બેઠકમાં પણ પ્રચાર માટે મોકલ્યો હતો અને ગુજરાત સિવાયના રાજ્યોમાં પ્રચાર માટે હેલિકોપ્ટર પણ ફાળવ્યું હતું,

પરંતુ હાર્દિકની સૌરાષ્ટ્રની ચૂંટણી સભાઓ કૉંગ્રેસ માટે ડિઝાસ્ટર પુરવાર થઈ છે. કૉંગ્રેસના સમર્થનથી વડગામની બેઠક જીતેલાં અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કૉંગ્રેસના નેતાઓ સાથે મંચ ગજાવવાને બદલે એકલા જ બનાસકાંઠા અને પાટણમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં મુખ્ય પ્રધાન આનંદી પટેલના શાસનમાં બહુ જોર પકડેલ આનામત આંદોલન સમગ્ર રાજ્યમાં જોત જોતામાં ફેલાઈ ગયું હતું. જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આંદોલને જોર પકડતા રાજ્યમાં હાર્દિક પટેલનું રાજકીય વજન વધ્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2017 આવતા સમગ્ર ગુજરાતમાં પાટીદાર આંદોલનની અસર ચરમસીમાએ હોઈ ભાજપે 150થી વધુ બેઠકો મેળવવાનો સંકલ્પ કર્યો હતો જેની જગ્યાએ ફકત 99 બેઠકો આવતા હાઈકમાન્ડ ચોંકી ઊઠ્યું હતું અને ત્યાર બાદ દેશમાં આવતી લોકસભાની ચૂંટણીઓમાં આની અસર ઘટાડવા કમર કસી કૉંગ્રેસના સૌરાષ્ટ્રના વગદાર નેતાઓને અમિત શાહના ઈશારે પ્રધાનમંડળમાં સમાવવાની લાલચે ભાજપમાં લાવવાની તૈયારીઓ આરંભી દઈને અનેક કૉંગ્રેસના નેતાઓને ભાજપમાં લઈ જઈને રાજ્યની સ્થિતિ મજબુત કરી લીધી હતી.

લોકસભાની ચૂંટણી વખતે પાટીદાર હાર્દિક પટેલના કૉંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની હાજરીમાં કૉંગ્રેસમાં લાવી તૈયારીઓ જ કરતી રહી અને હાર્દિક પટેલ પણ કોગ્રેસમાં જોડાઈ પોતાના ખાસ મનાતા લોકો માટે લોકસભાની ટિકિટ માટે તૈયારીઓમાં રહ્યા અને પોતાની ઉમેદવારી કૉંગ્રેસ ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરે તે પહેલાં હાર્દિક પટેલે જામનગરની બેઠક પરથી ચૂંટણી લડવાની એકતરફી જાહેરાત કરી છતાં પ્રદેશના નેતાઓ ચૂપ રહ્યા. કાનૂની દાવપેચને કારણે હાર્દિક ચૂંટણી લડી શકે તેમ ન હોવાથી કૉંગ્રેસે હાર્દિકને રાજી રાખવા અમદાવાદ-પૂર્વની જીતી શકાય તેવી બેઠક અન્ય આંદોલનકારી ગીતા પટેલને ઉમેદવાર બનાવીને કૉંગ્રેસના જ કાર્યકરોને નારાજ કરી દીધા હતા.

આ ઉપરાંત મહેસાણામાંથી એ. કે. પટેલ તેમજ જામનગરમાંથી લલીત કગથરા જેવા હાર્દિક પટેલે ઉમેદવારો પણ લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને ફાયદો કરાવી શક્યા નહીં અને સ્થાનિક કૉંગ્રેસના કાર્યકરોના રોષનો ભોગ બન્યા હતા. બનાસકાંઠાના વડગામ બેઠક પર કૉંગ્રેસના ટેકાથી બનેલા અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો ફૂગ્ગો પણ આ પરિણામો થકી ફૂટી ગયો છે. ગુજરાતમાં કૉંગ્રેસના ટેકાથી જીતેલા મેવાણી ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના ઉમેદવારો માટે દલિત વિસ્તારોમાં ગણતરીના બે-ત્રણ દિવસને બાદ કરતા પ્રચાર કર્યો ન હતો. તે મોટાભાગે મુગલસરાયમાં કનૈયાના પ્રચારમાં રહ્યા હતા. તે કનૈયાની હાર થઈ છે. મેવાણીએ પ્રચાર દરમિયાન વડા પ્રધાન મોદી માટે અનેક વખત અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

May 30, 2019
jagan1.jpg
1min5420

આંધ્ર પ્રદેશના ભાગલા પડયા બાદ રાજ્યના બીજા મુખ્ય પ્રધાન તરીકે આજે વાયએસઆર કૉંગ્રેસના પ્રમુખ વાય એસ જગન રેડ્ડીની ગુરુવારે બપોરે 12.23 મિનિટે શપથગ્રહણ કરશે.

વિજયવાડા નજીક આવેલા આઇજીએમસી સ્ટેડિયમમાં એક ભવ્ય કાર્યક્રમમાં રાજ્યપાલ ઇ એસ એલ નરસિંહન રેડ્ડીને શપથ લેવડાવશે.

રાજ્યની વિધાનસભાની 175 બેઠકમાંથી વાયએસઆરને 151 બેઠક પર જબરો વિજય મેળવીને રાજ્યના મુખ્ય પ્રધાન ચન્દ્રાબાબુ નાયડુને કારમો પરાજય આપ્યો હતો. એમના પક્ષે લોકસભાની 25માંથી 22 બેઠક જીતી લીધી હતી.

પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુરુવારે ફક્ત રેડ્ડી જ શપથ લેશે અને એમના પ્રધાનોનો શપથવિધિ સમારંભ 7મી જૂને કરવામાં આવશે.

પહેલી વખત દિલ્હીમાં આવેલા આંધ્ર પ્રદેશ ભવનમાં શપથવિધિ સમારંભનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

રેસિડેન્ટ કમિશનર પ્રવિણ પ્રકાશે જણાવ્યા અનુસાર આંધ્ર પ્રદેશ ભવનમાં આ પ્રસંગને માણવા માટે વિવિધ

દેશોના રાજદૂતો, સંસ્થાઓના પ્રતિનિધિઓ, આંતરરાષ્ટ્રીય ડૉનર એજન્સીના પ્રતિનિધિઓ, ઔદ્યોગિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, બહુદેશીય કંપનીઓના પ્રતિનિધિઓ અને આંતરરાષ્ટ્રીય મીડિયાને આમંત્રણ આપવામાં આવ્યું છે.

શપથવિધિ બાદ વીડિયો લિંક દ્વારા રેડ્ડી આમંત્રીત મહેમાનોને સંબોધશે અને નવા આંધ્ર પ્રદેશના નિર્માણ માટે પોતાની યોજનાની માહિતી આપશે.

May 30, 2019
bjp_logo.png
1min4590

લઘુમતીઓના પ્રભુત્વ ધરાવતા જિલ્લામાં પણ ભાજપે સારા મત મેળવ્યા છે. યુપીએ સરકારે 2008માં લઘુમતીઓનું પ્રભુત્વ ધરાવતા 90 જિલ્લા – લોકસભાની બેઠક હોવાનું તારવ્યું હતું તે પૈકી 50 ટકાથી વધુ બેઠક ભાજપે જીતી છે. 79 મત વિસ્તાર પૈકી 41 બેઠક ભાજપે જીતી છે, જયારે કૉંગ્રેસે ફકત છ બેઠક જીતી છે જે 2014માં 12 હતી.

એનાલિસ્ટોએ જણાવ્યું હતું કે, મુસ્લિમોએ એક જ પક્ષની તરફેણમાં મત આપ્યા નથી. આ ચૂંટણીમાં 27 મુસ્લિમ ઉમેદવાર ચૂંટાયા છે. લઘુમતીનું પ્રભુત્વ ધરાવતા પ. બંગાળના અમુક જિલ્લામાં ભાજપે વધારે બેઠક મેળવી છે. 49 ટકા મુસ્લિમ વસતિ ધરાવતા રાયગંજમાં ભાજપના ઉમેદવારે ટીએમસીના ઉમેદવારને 60574 મતથી હરાવ્યા છે. એ જ પ્રમાણે જલપાઈગુડી, માલ્દામાં પણ ભાજપે જીત મેળવી હતી.

કૉંગ્રેસ ઉત્તર પ્રદેશમાં છ મુસ્લિમોને ટિકિટ આપી હતી, પરંતુ તમામ હાર્યા હતા. ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ બહુમતી ધરાવતા મત વિસ્તારમાં પણ ભાજપે સારા મત મેળવ્યા છે.