CIA ALERT

Slider Archives - Page 324 of 487 - CIA Live

July 17, 2019
vande_bharat_express.jpg
1min6470
હાલ દિલ્હી વારાણસી વચ્ચે દોડી રહેલી વંદેભારત ભારતની સેમિ હાઇસ્પીડ ટ્રેન, હવે દિલ્હીથી વૈષ્ણોદેવી વચ્ચે દોડાવાશે, સામાન્ય રીતે સુપરફાસ્ટ ટ્રેન દિલ્હીથી વૈષ્ણોદેવી 12 કલાકમાં પહોંચાડે છે જ્યારે વંદેભારત એક્સપ્રેસ ફક્ત 8 કલાકમાં દિલ્હીથી વૈષ્ણોદેવી પહોંચાડી દેશે

દેશની પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદેભારત એક્સપ્રેસ હવે નવી દિલ્હીથી વૈષ્ણોદેવી વચ્ચે પણ દોડાવવાની તૈયારી ચાલી રહી છે. હાલ આ ટ્રેન દિલ્હીથી વારાણસી વચ્ચે દોડે છે. હાલ દિલ્હીથી વૈષ્ણોદેવી પહોંચવામાં સુપરફાસ્ટ ટ્રેનને 12 કલાકનો સમય લાગે છે. જોકે, વંદેભારત એક્સપ્રેસ આ અંતરને માત્ર 8 કલાકમાં જ પૂરું કરી નાખશે.

આ રુટ પર પેસેન્જરોનો ટ્રાફિક પણ વધારે રહેતો હોવાથી રેલવે બોર્ડ દ્વારા વંદેભારત એક્સપ્રેસ દોડાવવા તેની પસંદગી કરવામાં આવી છે. એક ન્યૂઝ વેબસાઈટના જણાવ્યા અનુસાર, આવતા મહિનાથી જ દોડવા લાગે તેવી શક્યતા છે. શરુઆતમાં આ ટ્રેનને સપ્તાહના ત્રણ દિવસ દોડાવાશે. સોમ, ગુરુ અને શનિવારે આ ટ્રેન દિલ્હીથી વૈષ્ણોદેવી વચ્ચે દોડી શકે છે.

આ ટ્રેન દિલ્હીથી સવારે છ વાગ્યે રવાના થશે, અને બપોરે બે વાગ્યા સુધીમાં કટરા સ્ટેશન પહોંચી જશે. કટરાથી આ ટ્રેન બપોરે ત્રણ વાગ્યે પરત ફરશે, અને રાત્રે 11 વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચી જશે. દિલ્હી-કટરા રુટ પર વંદેભારત એક્સપ્રેસને 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવાઈ શકે છે. આ ટ્રેન અંબાલા, લુધિયાણા અને જમ્મુ તાવી એમ ત્રણ સ્ટેશનોએ સ્ટોપેજ કરશે. દિલ્હીથી કટરા વચ્ચેનું અતંર 630 કિલોમીટર જેટલું થાય છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ વાયા દિલ્હીથી કટરા વૈષ્ણોદેવી જતા હોય છે. આ ટ્રેન શરુ થઈ જાય ત્યારબાદ તેમને ખાસ્સી સગવડ મળી રહેશે. કટરા સ્ટેશનથી વૈષ્ણોદેવી મંદિર 18 કિલોમીટર જેટલું દૂર છે. અગાઉ ટ્રેનો જમ્મુતાવી સુધી જ જતી હતી, જોકે થોડા સમય પહેલા જ કટરા સુધી રેલવે ટ્રેક નખાયો છે.

July 17, 2019
hazif.jpg
1min9420

પાકિસ્તાનના વૈશ્વિક આતંકવાદી હાફિઝ સઇદની પાકિસ્તાનમાં જ ધરપકડ
વૈશ્વિક આતંકવાદી હાફિઝ સઇદ પાકિસ્તાનમાં પકડાયો

વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવેલા અને મુંબઇ આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ તરીકે પંકાયેલા ભારતના નંબર એક દુશ્મન, આતંકવાદી હાફિઝ સઈદની પાકિસ્તાનમાં ધરપકડ કરી લેવામાં આવી છે. કયા કારણોસર ધરપકડ કરવામાં આવી એ અંગે તરેહ તહેરના અહેવાલો સોશ્યલ મિડીયામાં ફરતા થયા છે.

પંજાબના કાઉન્ટરર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે લાહોરથી ગુજરાંવાલા જઈ રહેલા હાફિઝની લાહોરમાંથી ધરપકડ કરી લીધી છે. ધરપકડ કર્યા બાદ તેને ન્યાયિક રિમાન્ડ પર મોકલવામાં આવશે. આ દરમિયાન તેણે કહ્યું કે હું મારી ધરપકડ મામલે કોર્ટ સુધી જઈશ.

 

July 17, 2019
jadhav_pakistan-1.jpeg
1min5650

આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે, આંતર રાષ્ટ્રીય કોર્ટમાં આ સાથે જ ભારતની બહુ મોટી જીત દર્જ થવા પામી છે.

કુલભુષણ જાધવના મામલે આજે તા.17મી જુલાઇ 2019ના રોજ આંતર રાષ્ટ્રીય કોર્ટે પોતાનો નિર્ણય આપ્યો હતો. ભારતના કટ્ટર હરીફ પાકિસ્તાને ભારતીય કુલભુષણ જાધવને મૃત્યુદંડની સજા આપી હતી.

જાધવ ભારતીય નેવીના રિટાયર્ડ અધિકારી છે. તેમને પાકિસ્તાનની સેના કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં એપ્રિલ 2017માં મોતની સજા સંભળાવી હતી. સાઉથ એશિયા તરફથી આઇસીજેમાં લીગલ એડવાઇઝર તરીકે કામ કરતા રીમા ઓમરે ટ્વીટ કરીને ચૂકાદા વિશે માહિતી આપી હતી.

આજે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જાધવનો ફેંસલો

પાકિસ્તાનમાં જાસૂસીનાં આરોપસર કેદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ સંબંધિત કેસમાં આંતરરાષ્ટ્રીય અદાલત (આઈસીજે) આજે તા.17મી જુલાઇ 2019ના રોજ પોતાનો ફેંસલો આપશે.
દબાણથી મેળવવામાં આવેલા એક કબૂલાતનામાનાં આધારે પાકિસ્તાનની સૈન્ય અદાલતે તેને મોતની સજા ફટકારી દીધી છે. જેની સામે ભારતે આઈસીજેમાં પડકાર ફેંક્યો હતો. પાક. સૈન્ય અદાલતે એપ્રિલ 2017માં બંધ બારણે કરેલી સુનાવણી પછી જાસૂસી અને આતંકવાદનાં આરોપમાં ભારતીય નૌસેનાનાં પૂર્વ અધિકારી જાધવને મૃત્યુદંડ જાહેર કરી દીધો હતો.
જેની સામે ભારતે આક્રમક વલણ અખત્યાર કર્યુ હતું. આઈસીજેનાં એક નિવેદન અનુસાર ધ હેગનાં પીસ પેલેસમાં 17મી જુલાઈએ ભારતીય સમયાનુસાર સાંજે સાડા છ કલાકે સાર્વજનિક સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં પ્રમુખ ન્યાયાધિશ અબ્દુલકાવી અહમદ યૂસુફ ચુકાદો સંભળાવશે.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે ગત સપ્તાહે જ કહ્યું હતું કે, તેનો દેશ જાધવ અંગે આઈસીજેનાં ચુકાદાનું કોઈ પૂર્વાનુમાન લગાવી શકે નહીં. જો કે પાકિસ્તાને અદાલતમાં પોતાનો પક્ષ મજબૂત રીતે રજૂ કર્યો હોવાનું પણ તેમણે કહ્યું હતું. ભારતીય જાધવ સુધી રાજદ્વારી પહોંચનો પાકિસ્તાને વારંવાર ઈનકાર કર્યા બાદ વિયેના સંધિનાં છડેચોક ઉલ્લંઘન મુદ્દે ભારત આઈસીજેનાં દ્વારે પહોંચ્યું હતું. જેમાં આઈસીજેએ જાધવનાં મૃત્યુદંડની અમલવારી સામે રોક પણ લગાવી દીધી હતી.

July 17, 2019
rai1.jpg
1min5070

એક તરફ અડધું ગુજરાત વરસાદની કાગડોળે વાટ જોઈ રહ્યું તો બીજીબાજુ દેશનાં અનેક રાજ્યોમાં ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ દેખાઈ રહ્યું છે. ખાસ કરીને બિહાર, પૂર્વોત્તરનાં રાજ્યોમાં પૂરની સ્થિતિએ હાહાકાર મચાવી દીધો છે. અત્યાર સુધીમાં 70 લાખ જેટલા લોકો પાણીની રેલમછેલની ચપેટમાં આવી ગયા છે. ધસમસતા પ્રવાહમાં તણાવાથી લઈને વરસાદી દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 40 લોકોનાં પ્રાણ પંખેરુ ઉડી ગયા છે. આ કુદરતી કોપમાં બચાવ અને રાહત માટે એનડીઆરએફ અને એસડીઆરએફનાં દળકટકોને 24 કલાક ખડેપગે રાખવામાં આવેલા છે.
દર વર્ષની માફક આ વખતે પણ ભારે વરસાદ પછી પૂરનાં કારણે બિહારની હાલત કફોડી થઈ છે. પૂરનું તાંડવ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2પ લોકોનો ભોગ લઈ ચૂક્યું હતું. રાજ્યનાં બાર જિલ્લામાં કુલ મળીને 2પ લાખથી વધુ લોકો પૂરગ્રસ્ત હાલતમાં છે અને મોતિહારી જિલ્લામાં સૌથી વધુ 10 અને અરરિયામાં 9 લોકોનાં મોત થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં મકાનો અને માલઢોરનું પણ પારાવાર નુકસાન થયું છે.
આસામનાં કુલ મળીને 41પ7 ગામોનાં 42.87 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. રાજ્યમાં બ્રહ્મપુત્ર નદીનું જળસ્તર ખતરાની સપાટી પણ વળોટી ગયું છે. તો મિઝોરમમાં ખતલંગતુઈપુરી નદીમાં ભારે ઉફાણથી 32 ગામો કેડબૂડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અહીં એકાદ હજાર લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. તો વરસાદી દુર્ઘટનાઓમાં પાંચનાં મોત પણ થયા છે. મેઘાલયમાં છેલ્લા સાત દિવસોથી ધીંગા વરસાદે બે નદીઓને કાંઠા વળોટીને વહેતી કરી દીધી છે. જેના પાણી પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લાનાં મેદાની વિસ્તારોમાં ફરી વળ્યા છે. જેનાં હિસાબે દોઢેક લાખ લોકોને તેની માઠી અસરોનો સામનો કરવો પડી રહ્યો છે. તો ત્રિપુરામાં પૂરની સ્થિતિમાંથી થોડી રાહત દેખાઈ રહી છે. બે નદીઓનાં પાણીની સપાટી ઘટવા લાગી છે.

Floods North East
July 17, 2019
income_tax.png
1min8080

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત ઇન્કમટેક્સ વિભાગે રાજ્યના ભાજપા અને કોંગ્રેસના સંખ્યાબંધ ધારાસભ્યોને નોટિસ ફટકારીને એ બાબતની સ્પષ્ટતા કરવા જણાવ્યું છે કે 2017ની ચૂંટણી વખતે તેમણે જાહેર કરેલી આવક અને તેમના ઇન્કમટેક્સમાં જાહેર કરેલી આવક વચ્ચે વિસંગતતા કેમ છે, ઇન્કમટેકસ વિભાગે બારીકાઇથી શોધી કાઢ્યું છે કે અનેક ધારાસભ્યોની આવકની રકમમાં મોટો તફાવત છે. ભાજપા અને કોંગ્રેસ બન્નેના ધારાસભ્યોને આ પ્રકારે ઇન્કમટેક્સ વિભાગે વરુણીમાં લીધા છે.

ગુજરાતના પોલિટિકલ તખ્તે છેલ્લા કેટલાક દિવસોથી ભારે દોડધામ જોવા મળી રહી છે. મોટું માથું ગણાતા અનેક ધારાસભ્યો તેમને મળેલી ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસને રફેદફે કરવા માટે સી.એ. તેમજ અન્ય એક્સપર્ટસની કચેરીના ફેરા મારતા જોવા મળી રહ્યા છે. ઇન્કમટેક્સ વિભાગે ગુજરાત વિધાનસભાના ભાજપા અને કોંગ્રેસ બન્ને મળીને 50થી વધુ કરોડપતિ ધારાસભ્યોને આવકની વિસંગગતા બાબતે નોટિસ ફટકારી છે.

આવકવેરા વિભાગે ધારાસભ્યોને 2017 વિધાસભા ચૂંટણી વખતે ઉમેદવારો દ્વારા સબમિટ કરવામાં આવેલી અફિડેવિટમાં આવકની બાજુએ દર્શાવેલી રકમ અને એ પછી ધારાસભ્યો દ્વારા સબમિટ કરાયેલી આઈટી રિટર્નની આવકમાં મોટી રકમનો તફાવત છે અને આવું કેમ ઇન્કમટેક્સ વિભાગના આ પ્રશ્નોનો જવાબ આપવામાં અનેક ધારાસભ્યોની બેનંબરી આવક છતી થઇ જાય તેમ છે.

પહેલી વખત એવું જણાય રહ્યું છે કે ઇન્કમ ટેક્સ વિભાગ ગુજરાત સર્કલ દ્વારા પોલિટિકલ લેવલ પર 50થી વધુ ધારાસભ્યોને ઇન્કમટેક્સ અંગે નોટિસ આપીને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે.

એવી પણ માહિતી મળી છે કે ચૂંટણી પંચે ઇન્કમ ટેક્સ વિભાગને કેટલીક માહિતી તેમજ માર્ગદર્શન આપ્યું છે કે ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલી તેમની આવક સાથે ઇન્કમ ટેક્સ રિટર્નની આવકની બાજુ મેચ થાય છે કે કેમ, ઇન્કમટેક્સ વિભાગે એ પછી હાથ ધરેલી કાર્યવાહીમાં મોટા ગજાના અનેક ધારાસભ્યોની આવકમાં વિસંગગતા સપાટી પર આવી છે.

July 17, 2019
bangladesh.jpg
1min5270

બાંગ્લાદેશથી થતી વસ્ત્રોની આયાતમાં પાછલા વર્ષ સામે 82 ટકાનો ઉછાળો નોંધાયો છે અને તે 36.50 કરોડ ડોલરના સ્તરે પહોંચી છે.

જો આ રીતે આયાત ચાલુ રહેશે તો 2024-25 સુધીમાં તે 3.6 અબજ ડોલર સુધી પહોંચી જશે એવી આશંકા ક્લોધીંગ મેન્યુફેકચરર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ દેશના સૌથી મોટા બિઝનેસ ટુ બિઝનેસ નેશનલ ગાર્મેન્ટ ફેર અંગે માહિતી આપતી વખતે વ્યક્ત કરી હતી,

દેશભરના 50,000 રિટેલર્સ અને મુલાકાતી એકત્ર થવાની અને ચાર દિવસમાં અંદાજે રૂ. 800 કરોડના બિઝનેસની અપેક્ષા છે. પ્રવકતા અનુસાર બાંગ્લાદેશ સાથે કરાર હોવાથી ત્યાંથી જકાતમુક્ત આયાત થાય છે જ્યારે ભારતને ત્યાં નિકાસ માટે 125 ટકા જેટલી જકાત ચૂકવવી પડે છે. દેશના વસ્ત્રોદ્યોગ માટે આ મોટી સમસ્યા છે.

July 17, 2019
gir.jpg
1min10920

રાજ્યમાં સિંહની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. તે અન્વયે રાજ્યમાં સિંહોની છેલ્લી વસ્તી ગણતરી મે-2015માં કરવામાં આવેલી જેમાં 109 સિંહ, 201 સિંહણ, 140 સિંહબાળ અને 73 પાઠડા સહિત કુલ 523 સિંહની વસ્તી હતી.

તા. 1-6-2017થી તા. 31-5-2019 સુધીમાં છેલ્લા બે વર્ષમાં અનુક્રમે 52 સિંહ, 74 સિંહણ, 90 સિંહબાળ અને 6 વ.ઓ. એમ કુલ 222 સિંહોના મૃત્યુ થયા છે. આ મૃત્યુ પૈકી 43 સિંહ, 65 સિંહણ, 85 સિંહબાળ અને 6 પાઠડાના કુદરતી અને 9 સિંહ, 9 સિંહણ અને 5 સિંહબાળના અકુદરતી મૃત્યુ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 40 ટકા સિંહોનું કુદરતી-અકુદરતી રીતે મૃત્યુ નોંધાયા છે એવું વિધાનસભાના કોંગે્રસ પક્ષના ઉપ નેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું. શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, સિંહ એ ગુજરાતની ઓળખ છે.

સમગ્ર ભારત દેશ અને એશિયા ખંડમાં સિંહ ફક્ત ગુજરાત રાજ્યમાં જ છે ત્યારે ગુજરાતની શાન સમા સિંહોની સુરક્ષાની જવાબદારી રાજ્ય સરકારની છે. છેલ્લી વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં સિંહોની કુલ 523ની સંખ્યા સામે 222 સિંહોના મૃત્યુ નોંધાયા છે.

July 17, 2019
airindia-1.jpg
1min5180

ઍર ઇન્ડિયા વિશ્ર્વ પર્યટન દિવસની ઉજવણીરૂપે 27મી સપ્ટેમ્બરથી દિલ્હીથી ટોરન્ટો સુધીની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરશે.

ઍર ઇન્ડિયાના ચેરમેન અને સીએમડી અશ્ર્વિની લોહાનીએ વધુમાં જણાવ્યું હતું કે આફ્રિકામાં પ્રચૂર શક્યતાઓને ધ્યાનમાં લઇને તેઓ ઑક્ટોબરથી નૈરોબી, કેન્યા સુધીની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાની યોજના પણ ઘડી રહ્યા છે.

ઍર ઇન્ડિયાને માથે અંદાજે રૂ. 60,000 કરોડનું દેવું છે અને એના ખાનગીકરણની ચર્ચા ચાલી રહી હોવા છતાં લોહાનીનો જુસ્સો પ્રબળ છે અને તેઓ ઑપરેટિંગ કોસ્ટ શક્ય એટલી ઘટાડીને કંપનીનો નફો વધારવા પ્રયત્ન કરી રહ્યા છે.

લોકોની માગણીને ધ્યાનમાં રાખીને ઑક્ટોબરમાં ભોપાલ-બૅંગલોર ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવશે.

આ સાથે દેશના સૌથી સ્વચ્છ શહેર ઇંદોરથી દુબઇની ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવશે. અહીંથી ઍર ઇન્ડિયા 162 બેઠકવાળુ એ320 વિમાન સપ્તાહમાં ત્રણ દિવસ સોમવાર, બુધવાર અને શનિવારે ઉપડશે તથા દુબઇથી મંગળવાર, શુક્રવાર અને રવિવારે ઇંદોર આવશે.

આ સિવાય, 10મી ઑક્ટોબરથી કોલકતા, હૈદરાબાદ, કુન્નુર અને કોચીથી નવી ફ્લાઇટો શરૂ કરવામાં આવશે.

July 17, 2019
posts.jpg
1min5220

ટપાલીઓની ભરતી માટે 14 જુલાઈએ યોજાયેલી પરીક્ષા રદ કરવામાં આવી છે અને સ્થાનિક ભાષાઓમાં પરીક્ષા હવે પછી રાખવામાં આવશે તેવું કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું હતું. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં કહ્યું કે “તમિળ સહિતની સ્થાનિક ભાષાઓમાં પરીક્ષા રાખવામાં આવશે. અન્નાડીએમકેની આગેવાનીમાં તમિળ પક્ષોએ કરેલી માગનો સરકારે સ્વીકાર કર્યો હતો.

રવિવારે યોજાયેલી પરીક્ષાના પ્રશ્ર્નપત્ર ફક્ત અંગ્રેજી અથવા હિંદીમાં હોવાથી તમિળ પક્ષોએ મંગળવારે રાજ્યસભામાં ધાંધલધમાલ કરી હતી. લન્ચ અગાઉના સમયગાળામાં ત્રણ વાર અને બપોરના બે વાગે પછી ગૃહ જ્યારે ફરી શરૂ થયું હતું ત્યારે ફરી અડધો કલાક માટે એમ ચાર વાર કાર્યવાહી ખોરવાઈ હતી. કાર્યવાહી જ્યારે શરૂ થઈ ત્યારે લૉ જસ્ટિસ, કમ્યુનિકેશન્સ, ઈલેક્ટ્રોનિક્સ, આઈટીના કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે “તમિળનાડુના મારા મિત્રો સહિત સભ્યોએ ગૃહમાં કેટલાક મુદ્દા ઉપસ્થિત કર્યા હતા. મેં આ બાબતની આજે જ ચકાસણી કરી છે અને 14-07-2019 તારીખે યોજાયેલી પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે.

July 17, 2019
mumbai_building_collapse.jpg
1min6260

2013માં 101 જણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 183 જણ ઇજા પામ્યા હતા.

2014માં 21 જણના મૃત્યુ, જ્યારે 121 જણ ઘવાયા હતા.

2015માં 15 જણનાં મૃત્યુ, જ્યારે 120 જણ ઘાયલ

2016માં 24 જણનાં મૃત્યુ, 171 જણ ઘાયલ

2017માં 66 જણનાં મૃત્યુ, 165 જણ ઘાયલ

2018માં 07 જણનાં મૃત્યુ, 100 જણ ઘાયલ