કાલથી ગુજરાતમાં કેરોસીન યુગનો અંત
APL કાર્ડધારકોને 1લી ઓગસ્ટથી કેરોસીન નહીં
જયેશ બ્રહ્મભટ્ટ
જ્યારથી ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું એ પહેલાથી ગુજરાતમાં સરકાર દ્વારા રાહત દરનું કેરોસીન વિતરણ કરવામાં આવતું હતું. ગુજરાત સરકારની આ કેરોસીન વિતરણની પ્રથાથી લાખો નહીં કરોડો પરિવારોનું બે ટંકનું ભોજન રંધાતું હતું. ટૂંકમાં કહીએ તો રાંધણનો મુખ્ય પરિબળ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતું કેરોસીન હતું, હવે એ આખો યુગ આથમી જશે. તા.1લી ઓગસ્ટથી ગુજરાતમાં રેશનિંગ કાર્ડ થકી કેરોસીન વિતરણ બિલકુલ નહીંવત બની જશે. કેરોસીન યુગના અંતની સાથે જ કેરોસીનના કાળાબજારીયાઓના ધંધા પણ બંધ થઇ જશે. લાખો લોકોને જ્યારે કેરોસીન વિતરણ રાહત દરે કરવામાં આવતું હતું ત્યારે સ્વાભાવિક છે કે તેમાં પણ કટકીબાજોનું દૂષણ ફેલાય અને કરોડોનો ભ્રષ્ટાચારનું પ્રતિક ગુજરાતનું રાહત દરનું કેરોસીન બની ગયું હતું. આ બધું જ તા.1લી ઓગસ્ટથી સમાપ્ત થઇ જશે. ગુજરાતમાં અગાઉ શહેરોમાં રેશનિંગનું રાહત દરનું કેરોસીન બંધ કરાયું હતું, હવે આવતીકાલ તા.1લી ઓગસ્ટ 2019થી ગામડાઓ સમેત તમામ સ્થળો કે જ્યાં એપીએલ કાર્ડ ધારકોને રાહતદરનું કેરોસીન આપવામાં આવતું હતું એ બંધ કરવામાં આવશે.
શહેરોમાં રેશનિંગનું કેરોસીન બંધ કર્યા બાદ હવે ગામડાઓમાં પણ કેરોસીન વિતરણ બંધ કરાશે
એ.પી.એલ. એટલે કે એબોવ પોવર્ટી લાઇન રેશન કાર્ડ ધરાવતા ગુજરાતના પરિવારોને તા.૧ ઓગસ્ટ 2019 થી રેશનિંગની દુકાનો પરથી વિતરી કરવામાં આવતું રાહત દરનું કેરોસિન આપવાનું બંધ કરવાના નિર્ણયનો અમલ શરૂ થઇ જશે. કેરોસીનના વિકલ્પ રૂપે સરકારે એલ.પી.જી. ગેસ બોટલ મેળવી લેવા માટે અગાઉ તમામ કાર્ડ ધારકોને સૂચના આપી દીધી હતી.
ગુજરાત સરકારના અન્ન,નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં તા.1લી ઓગસ્ટ 2019થી તમામ એ.પી.એલ.કેરોસિન કાર્ડધારકોને જાહેર વિતરણ વ્યવસ્થાના કેરોસિનનું વિતરણ કરવામાં આવશે નહીં.જે બી.પી.એલ.અને એ.એ.વાય. કેરોસીન કાર્ડધારકોને ગેસ જોડાણ નથી મળ્યા તેમને જાહેર વિતરણ વ્યવસ્થાના કેરોસિનનું વિતરણ ચાલુ રહેશે.
ગુજરાતના નાગરીકોને કેરોસિનના બદલે સ્વચ્છ ઇંધણ મળે તે હેતુથી પી.એન.જી. – એલ.પી.જી. ગેસ કનેકશન ના ધરાવતાં હોય તેવા એ.પી.એલ.કેરોસિન કાર્ડધારકો સ્વૈચ્છિક રીતે અને સ્વખર્ચે પી.એન.જી. – એલ.પી.જી. ગેસ કનેકશન મેળવી લે તે માટે ૧૦-૫-૨૦૧૮માં પરિપત્ર કરી નિર્ણય કરી તબક્કાવાર મ્યુનિસિપલ કોર્પોરેશન્સ અને ત્યારબાદ જીલ્લા મથકોમાં એ.પી.એલ.કેરોસિન કાર્ડધારકોને કેરોસિન આપવાનું બંધ કરવા નિર્ણય કર્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now