CIA ALERT

Slider Archives - Page 317 of 491 - CIA Live

August 13, 2019
tanuj-1280x960.jpg
1min13850

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા દ્વારા ગત મે 2019માં લેવામાં આવેલી ફાઉન્ડેશન અને ફાઇનલ્સ પરીક્ષાના પરીણામો આજે સાંજે ઇન્ટરનેટ પરથી જાહેર કરવામાં આવ્યા હતા.

સુરતના ખ્યાતનામ સી.એ. કોચ રવિ છાવછરીયા પાસેથી કોચિંગ લઇને આજરોજ તા.13મી ઓગસ્ટ 2019ના રોજ સી.એ. બનેલા દેશના ટોચના 50 સી.એ. પૈકી ડાબેથી ચેક્સ શર્ટમાં તનુજ રૂઇઆ જેમણે લાન્સર્સ આર્મી સ્કુલમાંથી ધો.12 પાસ કર્યું હતું જ્યારે બ્લ્યુ શર્ટમાં રત્નકલાકાર પરિવારમાંથી આવતા અને આશાદીપ સ્કુલમાંથી ધો.12 પાસ કરનાર યશ છોડવડીયા દ્રશ્યમાન છે.

સુરત સી.એ.નું હબ છે, આખા દેશમાંથી વિદ્યાર્થીઓ સી.એ. બનવા માટે સુરત આવી રહ્યા છે. સુરતમાં સી.એ.નું સૌથી બેસ્ટ કોચિંગ આપતા રવિ છાવછરીયાના અનેક વિદ્યાર્થીઓ આજે સી.એ. ફાઉન્ડેશન અને ફાઇનલ્સમાં પાસ થયા છે.

સી.એ. કોચિંગ ઇન્સ્ટિટ્યુટ ચલાવતા રવિ છાવછરીયાએ જણાવ્યું હતું કે તેમની પાસે કોચિંગ મેળવનાર ઉમેદવારો પૈકી બે સી.એ. ફાઇનલ્સ અને એક સી.એ. ફાઉન્ડેશનમાં દેશના ટોચના 50 વિદ્યાર્થીઓમાં સ્થાન પામ્યા છે.

સી.એ. ફાઇનલ્સમાં રવિ છાવછરીયા પાસે કોચિંગ લેનાર તનુજ રૂઇઆએ કુલ 562 માર્કસ હાંસલ કરીને આખા ભારતમાં 15મો ક્રમ મેળવ્યો છે જ્યારે વરાછા રોડ પર રત્નકલાકાર પરિવારના વિદ્યાર્થી યશ છોડવડીયાએ સી.એ. ફાઇનલ્સમાં 535 માર્કસ મેળવીને સમગ્ર દેશમાં 24મો ક્રમ હાંસલ કર્યો છે.

તનુજ રુઇઆ લાન્સર્સ આર્મી સ્કુલ ગુજરાત બોર્ડમાંથી ધો.12 કોમર્સ પાસ થયા હતા.

યશ છોડવડીયા નાના વરાછાની આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સમાંથી ધો.12 કોમર્સ પાસ થયા હતા.

સી.એ. ફાઉન્ડેશનમાં રવિ છાવછરીયાનું કોચિંગ મેળવનાર અનેક વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી છે. આ પૈકી આદિત્ય સરાફએ 299 માર્કસ મેળવીને દેશભરમાં ટોપ 50 પૈકી 38મો ક્રમ હાંસલ કર્યો છે.

August 13, 2019
styen_amla.jpg
3min8000

૧૯૮૯ના ડિસેમ્બર મહિનામાં ઘણા ક્રિકેટરો (જેઓ પછીથી મહાન કહેવાયા)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને એમાં પણ ખાસ કરીને વન-ડે ક્રિકેટમાં સચિન તેન્ડુલકર, સનથ જયસૂર્યા તથા માર્ક ટેલરના નામ અચૂક લેવા પડે. તેઓ એ મહિનામાં કરિયરની પ્રથમ વન-ડે રમ્યા હતા અને પછી વર્ષો સુધી પોતાના દેશની ટીમ માટે આધારસ્તંભ કહેવાયા હતા. જોકે, આ લેખમાં આપણે સાગમટે થતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ-પ્રવેશની વધુ કોઈ ચર્ચા નહીં, પણ ક્રિકેટમાંથી એક સાથે લેવામાં આવતી નિવૃત્તિની વાત કરીશું. 

સાઉથ આફ્રિકાના અવ્વલ દરજ્જાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેન તથા ટોચના બૅટ્સમૅન હાશિમ અમલા અને ન્યૂ ઝીલૅન્ડના મોટા ગજાંના બૅટ્સમેનોમાં ગણાતા તેમ જ ફટકાબાજીના વર્તમાન બૅટિંગ-યુગમાં ઉત્કૃષ્ટ સ્થાન ધરાવતા બ્રેન્ડન મૅક્લમે ગયા સાત દિવસના અંતરમાં રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું. સ્ટેને ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી, જ્યારે અમલાએ અચાનક જ ઇન્ટરનેશનલ ક્રિકેટને ગુડબાય કરી દીધી, જ્યારે મૅક્લમે નિવૃત્તિમાં બાકી રહેલી પ્રાઇવેટ લીગનો પણ સમાવેશ કરી દીધો. મૅક્લમે આમ તો ૨૦૧૬માં જ ઇન્ટરનેશનલ ક્રિકેટને બાય-બાય કરી હતી, પણ હવે તેનામાં સ્પર્ધાત્મક સ્તરે બૅટિંગ માટેની ઇચ્છાશક્તિ જરાય નથી જેને કારણે તેણે ક્રિકેટમાંથી સંપૂર્ણપણે સંન્યાસ લઈ લીધો છે.

૨૦૧૫-’૧૬માં ક્રિકેટજગતને અને ખાસ કરીને આવો આંચકો ત્યારે લાગ્યો હતો, જ્યારે શ્રીલંકાના ત્રણ ટોચના ખેલાડીઓએ નિવૃત્તિ લીધી હતી. માહેલા જયવર્દને અને મહાન વિકેટકીપર-બૅટ્સમૅન કુમાર સંગકારાએ ૨૦૧૫ની સાલમાં અને તિલકરત્ને દિલશાને ૨૦૧૬માં ક્રિકેટનું મેદાન છોડ્યું હતું.

શ્રીલંકાની ક્રિકેટે નિવૃત્તિની એ જે હારમાળા જોવી પડી એને પગલે શ્રીલંકન ટીમ હજી સુધી પાછી બેઠી નથી થઈ શકી અને ટીમને એ ત્રણ બૅટ્સમેનોની ખોટ સતત લાગ્યા કરે છે. જોકે, તાજેતરમાં જે બની ગયું એનાથી સૌથી મોટું નુકસાન સાઉથ આફ્રિકાની ટીમને છે. સાઉથ આફ્રિકાની ટેસ્ટ ટીમ પાસે કૅગિસો રબાડા, ઍન્ડિલ ફેહલુકવાયો, લુન્જી ઍન્ગિડી અને વર્નોન ફિલૅન્ડર જેવા આગલી હરોળના ફાસ્ટ બોલરો અત્યારે છે, પરંતુ ડેલ સ્ટેનની ખોટ એને સદા વર્તાશે.

સ્ટેન વન-ડે અને ટી-ટ્વેન્ટીમાં રમવાનું ચાલુ રાખશે, પણ વર્ષમાં બહુ ઓછી રમાતી ટેસ્ટ-ક્રિકેટ કે જે અસલી ક્રિકેટ કહેવાય છે એમાં સ્ટેનની ગેરહાજરી ટીમને ઘણી નડશે. ઍલન ડોનાલ્ડે ૨૦૦૨માં, શૉન પૉલોકે ૨૦૦૮ની સાલમાં નિવૃત્તિ લીધી તેમ જ મખાયા ઍન્ટિનીએ ૨૦૧૧માં ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાનું બંધ કર્યું ત્યારે સાઉથ આફ્રિકાની ટીમને ઘણું મોટું નુકસાન થયું હતું. જોકે, જેમ ખેલાડી ડેબ્યૂ કરે એમ રિટાયરમેન્ટનો સમય પણ આવતો હોય છે.

૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં કેટલાક અવ્વલ દરજ્જાના ભારતીય ક્રિકેટરો ક્રિકેટ રમીને ધરાઈ જવા છતાં અને ફૉર્મ-ફિટનેસ ગુમાવવાને કારણે ટીમમાં ફરી સ્થાન ન મળતું હોવા છતાં નિવૃત્તિ જાહેર કરવાનું ટાળતા હતા એ વાત અલગ છે, પરંતુ હમણાં આવું નથી થતું. મોટા ભાગના ખેલાડીઓ નિવૃત્તિની જાહેરાત કરવાનું પસંદ કરે છે અને શાનથી મેદાન પરથી વિદાય લે છે.

થોડા વર્ષો પહેલાંની વાત કરીએ તો (નિવૃત્તિની જાહેરાતના વર્ષને ઉતરતા ક્રમમાં જોઈએ તો) સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને સચિન તેન્ડુલકરે રિટાયરમેન્ટ લીધું ત્યારે ભારતીય ટીમને પણ મોટું નુકસાન થયું હતું. જોકે, મહેન્દ્રસિંહ ધોની તેમ જ વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ધરખમ ખેલાડીઓની હાજરીથી ટીમની ગાડી તરત જ પાછી પાટા પર આવી ગઈ હતી.

સાઉથ આફ્રિકાની ફરી વાત કરીએ તો એના વતી સૌથી વધુ ૪૩૯ વિકેટ લેનાર ડેલ સ્ટેનની નિવૃત્તિના ગણતરીના દિવસો બાદ ભરોસાપાત્ર બૅટ્સમૅન હાશિમ અમલાએ તત્કાળ તમામ ફૉર્મેટોમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું. (ટેસ્ટમાંથી) ડેલ સ્ટેનની અને (ત્રણેય ટીમોમાંથી) અમલાની વિદાયથી સાઉથ આફ્રિકાની ટીમમાં યુવાન ખેલાડીને ઊભરવાનો મોકો જરૂર મળશે, પણ સ્ટેન-અમલા જેવા માર્ગદર્શકની ખોટ પણ વર્તાશે. સ્ટેનની માત્ર હાજરીથી ટીમના ડ્રેસિંગ-રૂમમાં અનેરો ઉત્સાહ જળવાતો અને તેમ જ હરીફ ટીમના બૅટ્સમેનો સતર્ક થઈ જતા હતા. અમલાએ અમુક સિઝન એવી જોઈ હતી જેમાં તે વિશ્ર્વના અવ્વલ બૅટ્સમૅન તરીકે ઓળખાતો હતો એટલે સાઉથ આફ્રિકાની ટીમને એવું માન-સન્માન ફરી ક્યારે મળશે એ તો સમય જ બતાડશે. 

———————-

ત્રણેય દિગ્ગજોની કરિયર પર એક નજર

——————

બ્રેન્ડન મૅક્લમ

ૄ પૂરું નામ: બ્રેન્ડન બૅરી મૅક્લમ,

ૄ ઉંમર: ૩૭ વર્ષ, 

ૄ ટેસ્ટ-કરિયર: ૧૦૧ બૉલમાં ૯૯૮૯ બૉલનો સામનો કરીને ૧૨ સદીની મદદથી ૬૪૫૩ રન બનાવ્યા. વન-ડે કરિયર: ૨૬૦ મૅચમાં ૬૩૧૨ બૉલનો સામનો કરીને પાંચ સદીની મદદથી ૬૦૮૩ રન બનાવ્યા. ટી-ટ્વેન્ટી કરિયર: ૭૧ મૅચમાં બે સદીની મદદથી ૨૧૪૦ રન બનાવ્યા. આઇપીએલમાં: ૨૦૦૮થી ૨૦૧૮ની સાલ સુધીમાં અણનમ ૧૫૮ રનના સર્વોચ્ચ સ્કોર સહિત કુલ ૨૮૮૦ રન બનાવ્યા.

———————-

હાશિમ અમલા

ૄ પૂરું નામ: હાશિમ મોહંમદ અમલા, 

ૄ ઉંમર: ૩૬ વર્ષ, 

ૄ ટેસ્ટ-કરિયર: ૧૨૪ મૅચમાં ૧૮,૫૭૩ બૉલનો સામનો કર્યો અને ૨૮ સદીની મદદથી ૯૨૮૨ રન બનાવ્યા. વન-ડે કરિયર: 

ૄ ૧૮૧ મૅચમાં ૯૧૭૮ બૉલનો સામનો કર્યો અને ૨૭ સદીની મદદથી ૮૧૧૩ રન બનાવ્યા.

ૄ ટી-ટ્વેન્ટી કરિયર: ૪૪ મૅચમાં ૯૬૭ બૉલનો સામનો કરીને ૧૨૭૭ રન બનાવ્યા.

——————

હાશિમ અમલા

ૄ પૂરું નામ: હાશિમ મોહંમદ અમલા, 

ૄ ઉંમર: ૩૬ વર્ષ, 

ૄ ટેસ્ટ-કરિયર: ૧૨૪ મૅચમાં ૧૮,૫૭૩ બૉલનો સામનો કર્યો અને ૨૮ સદીની મદદથી ૯૨૮૨ રન બનાવ્યા. વન-ડે કરિયર: 

ૄ ૧૮૧ મૅચમાં ૯૧૭૮ બૉલનો સામનો કર્યો અને ૨૭ સદીની મદદથી ૮૧૧૩ રન બનાવ્યા.

ૄ ટી-ટ્વેન્ટી કરિયર: ૪૪ મૅચમાં ૯૬૭ બૉલનો સામનો કરીને ૧૨૭૭ રન બનાવ્યા.

——————–

ડેલ સ્ટેન

ૄ પૂરું નામ: ડેલ વિલિયમ સ્ટેન, 

ૄ ઉંમર: ૩૬ વર્ષ, 

ૄ ટેસ્ટ-કરિયર: ૯૩ મૅચમાં ૧૮,૬૦૮ બૉલ ફેંક્યા અને ૧૦,૦૭૭ રનના ખર્ચે કુલ ૪૩૯ વિકેટ લીધી, પ્રથમ ટેસ્ટ: 

ૄ ૨૦૦૪માં અને આખરી ટેસ્ટ ૨૦૧૯માં. (વન-ડે અને ટી-ટ્વેન્ટીમાં રમવાનું હજી ચાલુ રાખશે)

August 13, 2019
evehicle_charge.jpg
1min8700

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને ગતિ મળે તે માટે મહાવિતરણ, ટાટા પાવર જેવી કંપનીઓ મુંબઇ સહિત ચાર મહત્ત્વનાં શહેરોમાં ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે. પર્યાવરણને થતા નુકસાનમાં ઘટાડો થાય અને ઇંધણની પણ બચત થાય તે માટે ઇલેક્ટ્રિક વાહનોના વપરાશ માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોવાનું સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું. મહાવિતરણ ૫૦૦ અને ટાટા કંપની દ્વારા ૩૦૦ વેહિકલ ચાર્જિંગ સ્ટેશન બનાવશે. પર્યાવરણને હાનિ ન પહોંચે અને ઇંધણની પણ બચત થાય તે માટે ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો થાય તે માટે આ પગલું ઉઠાવવામાં આવી રહ્યું છે.

આવતા વર્ષના અંત સુધી વેગવાન ચાર્જિંગની સુવિધા આપનારા ૩૦૦ ચાર્જિંગ સ્ટેશન મુંબઇ સહિત પુણે, બૅંગ્લોર, દિલ્હી અને હૈદરાબાદ જેવાં પાંચ મહત્ત્વના શહેરોમાં ઊભાં કરાશે. પુણેમાં સાત સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યાં બાદ વધુ ૪૫ સ્ટેશનો બાંધવામાં આવશે. મુંબઇમાં હાલમાં ૪૨ ઇલેક્ટ્રિક વેહિકલ સુવિધાનાં કેન્દ્રો આવેલાં છે.

મહાવિતરણના ૫૦૦ સ્ટેશનના પ્રસ્તાવને મંજૂરી મળી હોવાથી મુંબઇમાં ચાર, થાણેમાં છ, નવી મુંબઇમાં ચાર, પનવેલમાં ચાર, મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવેમાં ૧૨ એમ અન્ય સેન્ટર માટેના ઓર્ડર કૉન્ટ્રાક્ટરને આપવામાં આવ્યા છે. મહાવિતરણ આ પ્રકલ્પ માટે ૨.૫૦ લાખ રૂપિયાનો ખર્ચ કરશે. ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જ કરવા માટે ૪૫ મિનિટથી એક કલાક જેટલો સમય લાગે છે.

ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશનના દર પ્રતિ યુનિટ છ રૂપિયાના ભાવે આકરવામાં આવે છે. તેમ જ રાત્રે ૧૦થી સવારે છ વાગ્યાના સમયગાળા દરમિયાન આ દરમાં એક રૂપિયા સુધીની વિશેષ છૂટ આપવામાં આવે છે.

August 13, 2019
icai_logo.jpeg
4min8210

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયાએ તેની વેબસાઇટ પર જાહેર કર્યું છે કે સી.એ. ફાઇનલ્સ જુનો અને નવો કોર્સ બન્ને તેમજ સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષાનું પરીણામ તા.13મી ઓગસ્ટ મંગળવારે સાંજે અથવા તો મોડામાં મોડું તા.14મી ઓગસ્ટ 2019ના રોજ જાહેર કરી દેવામાં આવશે.

પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને તેમનું વ્યક્તિગત પરીણામ ઇમેલ, વ્હોટ્સએપ, એસ.એસ.એસ. વગેરેથી મળી શકશે. આઇ.સી.એ.આઇ.ની બે વેબસાઇટ્સ પરથી પણ પરીણામો જાણી શકાશે.

The Institute of Chartered Accountants of India (ICAI) is likely to declare the Chartered Accountants Final Examination (Old course &  New Course) and Foundation Examination results either on Tuesday evening (August 13, 2019) or on Wednesday (August 14, 2019).

Along with the CA final and foundation results, the ICAI will also release

the All India merit (up to the 50th Rank), which can be accessed by candidates on the official websites – icaiexam.icai.org, caresults.icai.org and icai.nic.in.

For accessing the result at the above mentioned websites the candidate will have to enter his/her registration no. or PIN no. along with his/her roll number.

The Final Examination (Old course & New Course) and Foundation Examination were held in May-June 2019.

Candidates will also get the CA final and foundation results on their registered e-mail IDs. To register their request, candidates should visit the official website – icaiexam.icai.org. All those registering their requests will be provided their results through email on the e-mail addresses immediately after the declaration of the result.

Candidates can also pull in their Final Examination (Old course & New Course) and Foundation Examination May-June 2019 results with marks through SMS.

For getting results through SMS candidates should type:

i) For Final Examination result the following:-

Final Examination (Old Course)

CAFNLOLD (space) XXXXXX (Where XXXXXX is the six digit Final examination roll number of the candidate), e.g. CAFNLOLD

000128

Final Examination (New Course)

CAFNLNEW (space) XXXXXX (Where XXXXXX is the six digit Final examination roll number of the candidate), e.g. CAFNLNEW

000128

ii) For Foundation Examination result the following:-

CAFND (Space) XXXXXX (where XXXXXX is the six digit Foundation Examination roll number of the candidate), e.g. CAFND

000171 and send the message to: 58888 – for all mobile services.

August 13, 2019
Babita-Phogat.jpg
1min7850

કુસ્તીબાજ બબિતા ફોગાટ અને તેના પિતા મહાવીરસિંહ ફોગાટ સોમવારે ભાજપમાં જોડાયા હતા. નવી દિલ્હીમાં કેસરિયા પક્ષના વડામથકે કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુની હાજરીમાં બન્નેને પક્ષમાં સામેલ કરાયા હતા.

ભાજપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ સમાચારને સમર્થન અપાયું હતું. રિજીજુએ કહ્યું હતું કે, ફોગાટ પિતા-પુત્રીના જોડાવાથી પક્ષ આનંદની લાગણી અનુભવે છે. મહાવીરસિંહ ફોગાટની પ્રશંસા કરતાં કેન્દ્રીય પ્રધાને તેમને સમાજ માટે રોલમોડેલ ગણાવ્યા હતા. એક નાનકડા ગામમાંથી જે રીતે તેમણે ચેમ્પિયન બનાવ્યા, હું તેમના પ્રયાસોની પ્રશંસા કરું છું, તેવું રિજીજુએ કહ્યું હતું.

August 13, 2019
gold2.jpg
1min5540

નાણાકીય વર્ષનાં પહેલા ત્રિમાસિકગાળામાં દેશની સોનાની આયાત ગત સાસના સમાનગાળાના ૮.૪૫ અબજ ડૉલર સામે ૩૫.૫ ટકાથી વધીને ૧૧.૪૫ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાથી ચાલુ ખાતાની ખાધ પણ દબાણ હેઠળ રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. 

સમીક્ષા હેઠળના સમયગાળામાં ચાલુ ખાતાની ખાધ અર્થાત્ નિકાસ અને આયાત વચ્ચેનો તફાવત જીડીપીના ૨.૧ ટકા અથવા તો ૫૭.૨ અબજ ડૉલરના સ્તરે રહી હતી. જે ગત સાલના સમાનગાળામાં જીડીપીના ૧.૮ ટકા અથવા તો ૪૮.૭ અબજ ડૉલરના સ્તરે રહી હતી. સોનાની આયાતમાં વધારો થતાં આ સમય દરમિયાન દેશની વેપારી ખાધ ગત સાલના સમાનગાળાના ૪૪.૯૪ અબજ ડૉલર સામે વધીને ૪૫.૯૬ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. ગત જાન્યુઆરીથી જૂન સુધીમાં એકમાત્ર ફેબ્રુઆરી મહિનામાં સોનાની આયાતમાં અંદાજે ૧૧ ટકાનો ઘટાડો થયો હતો, આ સિવાય આયાતમાં દ્વિઅંકી સંખ્યામાં જ વૃદ્ધિ જોવા મળી છે. દેશમાં જ્વેલરી ઉદ્યોગની માગ સંતોષવા માટે વર્ષે અંદાજે ૮૦૦થી ૯૦૦ ટન સોનાની આયાત થાય છે. સોનાની આયાતની વેપારી ખાધ તેમ જ ચાલુ ખાતાની ખાધ પર નકારાત્મક અસર પડતી હોવાથી સરકારે આયાત નિયંત્રણમાં રાખવા માટે આ વર્ષનાં અંદાજપત્રમાં સોના પરની આયાત જકાત જે ૧૦ ટકા હતી તે વધારીને ૧૨.૫૦ ટકા કરી હતી. ઉદ્યોગનાં નિષ્ણાતોના મતાનુસાર ઊંચી આયાત જકાતને કારણે આ ક્ષેત્રનાં વેપારીઓ તેનાં ઉત્પાદનના એકમો પાડોશી દેશોમાં ખસેડે તેવી શક્યતા પ્રબળ બની છે. જોકે, જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે પણ આયાત જકાતમાં થયેલા વધારા સામે નારાજગી વ્યક્ત કરી છે. ગત નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં દેશની સોનાની આયાત મૂલ્યની દૃષ્ટિએ ત્રણ ટકા ઘટીને ૩.૨૮ અબજ ડૉલરની સપાટીએ રહી હતી.

August 13, 2019
Gujarat-Police.jpg
1min5110

ગુજરાતમાં સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના તહેવારો-ઉત્સવો આવતા હોવાથી પોલીસની જવાબદારીમાં વધારો થયો હતો. કાશ્મીરમાં કલમ-૩૭૦ હટાવ્યા બાદની પરિસ્થિતિને ધ્યાને રાખી તહેવારોમાં સમગ્ર રાજ્યમાં પોલીસને ઍલર્ટ રહેવા આદેશ આપ્યા હતા.

રાજ્યના મુખ્ય સચિવે રાજ્ય પોલીસ વડા, ચાર શહેરના કમિશનર તમામ રેન્જ, જિલ્લા એસપી સહિત કલેકટર અને ડીડીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા, જેમાં પોલીસને આગામી તહેવારો નિમિતે ઍલર્ટ રહેવા તથા કલેકટર અને ડીડીઓને વરસાદ બાબતે સૂચનો કર્યા હતા.

મુખ્ય સચિવે જિલ્લા પોલીસ વડા, અમદાવાદ-સુરત-રાજકોટ અને વડોદરાના કમિશનર, નવ રેન્જના આઈજી, જિલ્લાના એસપીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. કાશ્મીર મુદ્દે કોઇ જગ્યાએ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે તકેદારી રાખવા સૂચનો કર્યા હતા.

તા.૧૫મી ઑગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન અને જન્માષ્ટમી, સાતમ આઠમ સહિતના તહેવારો અલગ અલગ જગ્યાએ ઉજવણીને લઇને ચર્ચા કરી હતી. પોલીસને સતત ઍલર્ટ રહી ચેકિંગ અને પેટ્રોલિંગ કરવા આદેશ કર્યા હતા.

બહારથી આવતા લોકો તથા હૉટેલોમાં રોકાતા લોકોના ચેકિંગ તેમ જ અમુક ચોક્કસ શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે ઍલર્ટ રહેવા સૂચના આપી હતી. 

August 13, 2019
CHandrayaan2.jpg
1min9750

ભારતનું બીજું ચંદ્ર અભિયાન ‘ચંદ્રયાન-ટૂ’ ૨૦ ઑગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચશે અને ૭ સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરે તેવી શક્યતા છે, એમ ઈન્યિન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન-ઈસરોના અધ્યક્ષ ડૉ. કે. સિવને સોમવારે કહ્યું હતું. 

પત્રકારોને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે ચંદ્રયાન-ટૂ બે દિવસ બાદ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડી દેવા તૈયાર થઈ ગયું છે. ભારતના અવકાશ કાર્યક્રમના પિતા લેખાતા ડૉ. વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દીની ઉજવણી કરવા અમદાવાદ આવેલા સિવને કહ્યું હતું કે ૨૨ જુલાઈએ છોડવામાં આવેલું ૩૮૫૦ કિલો વજન અને ઑબ્રિટર, લૅન્ડર તેમ જ રૉવર એમ ત્રણ મૉડ્યુલનું બનેલું ચંદ્રયાન-ટૂ અવકાશયાન ૭ સપ્ટેમ્બરે ચંદ્ર પર ઉતરાણ કરશે. 

તેમણે કહ્યું હતું કે બાવીસ જુલાઈએ ચંદ્રયાન-ટૂને લૉન્ચ કર્યા બાદ અમે જુદા જુદા પાંચ વ્યૂહ બનાવ્યા હતા. 

ચંદ્રયાન-ટૂ હાલ પૃથ્વીની પરિક્રમા કરી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું. બુધવારે સવારે હવે પછીનો મહત્ત્વના વ્યૂહની જાણ થશે. 

૧૪મી ઑગસ્ટે વહેલી સવારે ૩:૩૦ વાગ્યે ચંદ્રયાન-ટૂ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્ર તરફ આગળ વધશે અને ૨૦મી ઑગસ્ટે તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ૭ સપ્ટેમ્બરે ચંદ્રયાન-ટૂ ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં ઉતરાણ કરશે. 

હાલ, ચંદ્રયાન-ટૂ અને તેની તમામ યંત્રણા યોગ્ય કામગીરી બજાવી રહી છે, એમ તેમણે કહ્યું હતું

August 12, 2019
CIA_Live_Logo_New2.jpg
1min16980

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી એ આજરોજ તા.12મી ઓગસ્ટના રોજ જીઓ ગીગાફાઇબરના ટેરીફની ઘોષણા કરી અને કેટલાક મિડીયા હાઉસીસોએ એટલા ગુણગાન ગાઇ નાંખ્યા કે રિલાયન્સ ગીગાફાઇબર મફતમાં સેવા આપવાનું છે અને વહેલો તે પહેલો, છેલ્લો આવ્યો તે રહી ગયો એમ સામાન્ય લોકોમાં એક હાઇપ ઉભી કરી દીધી છે.

જીઓની મોબાઇલ સર્વિસ જ્યારે લોંચ થઇ ત્યારે પણ મુકેશ અંબાણી અને કંપનીના અધિકારીઓએ ગ્રાહકોને જણાવ્યું હતું કે સૌથી સસ્તી સેવા અને સૌથી ઝડપી ઇન્ટરનેટ સુવિધા હશે. પરંતુ, સુરત સમેત સમગ્ર દેશમાંથી ઉઠી રહેલી ફરીયાદો, જીઓ કસ્ટમર કેર ના ઇમેલ્સ અને મેસેજ બોક્સીસ તપાસીએ તો ખબર પડશે કે લાખો લોકો જીઓ મોબાઇલ સર્વિસ લઇને પસ્તાયા છે. હકીકતમાં જીયો ઇન્ટરનેટ સર્વિસે ગ્રાહકોને એ વાતની ખબર પાડી દીધી છે કે સસ્તું હોય એ બધું સારું હોતું નથી.

હકીકતમાં જીઓ મોબાઇલએ ફોર જી સ્પીડ આપવાની કરેલી જાહેરાત સાવ પોકળ અને બોગસ હોવાનું જણાય આવે છે અને તેના ગ્રાહકો દેશભરમાંથી આવી ફરીયાદો કરી રહ્યા છે. અન્ય મોબાઇલ સર્વિસ છોડીને જીઓને અપનાવનારા લોકો પસ્તાય રહ્યા છે કેમકે જીઓ ઇન્ટરનેટ કનેક્ટીવીટીનો કોઇ ભરોસો નથી. એવી ફરીયાદો મળી છે કે જ્યારે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરવામાં આવે ત્યારે જ જીઓની કહેવાતી ફોર જી નેટ સુવિધા ખોટકાઇ જાય છે અને ગ્રાહકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જીઓની મોબાઇલ સર્વિસ અને નેટ યુઝર્સે તો ત્યાં સુધી ફરીયાદ કરી છે કે ફોર જી નેટના નામે ગ્રાહકોને જીઓ કંપની રીતસર ઉલ્લું બનાવવાના ધંધા કરી રહી છે. કસ્ટમર કેર પર ફરીયાદ કરવામાં આવે તો સ્ટીરીયોટાઇપ જવાબ આપવામાં આવે છે કે તમારા મોબાઇલમાં ખામી છે કે તમારા એરીયામાં ખામી છે.

જીઓનું કહેવાતું ફોર જી નેટનો ઉપયોગ કરી રહેલા ગ્રાહકો એવી પણ ફરીયાદ કરી રહ્યા છે, જીયો ફોર જી નેટ માંડ પાંચ મિનિટ કન્ટીન્યુઅસ ચાલી શકે છે અને જો ચાર-પાંચ મિનિટમાં ખોટકાય તો એ જીયો કંપની ન કહેવાય. આટલી હદે જીઓથી લોકો કંટાળી ગયા છે ત્યારે રિલાયન્સનું ગીગાફાઇબર અને તેના પ્લાન લોંચ કરીને મુકેશ અંબાણીએ કોઇ મોટી ધાડ મારી હોય તેવી કાગારોળ મિડીયાએ મચાવી છે.

હકીકતમાં જીઓ ઇન્ટરનેટ યુઝર્સ સોશ્યલ મિડીયા પર ટ્રોલ કરી રહ્યા છે કે ફોર જી નેટની સાવ ઢંગધડા વગરની બેકાર ક્વોલિટી અને ઓછી સ્પીડની સર્વિસ જોયા પછી જીયોનું ગીગાફાઇબર અપનાવતા પહેલા સો વખત વિચાર કરવો પડશે.

કેટલાક લોકો તો એવી ફરીયાદ કરી રહ્યા છે કે સસ્તા ઇન્ટરનેટની લાલચ આપીને સમગ્ર ઇન્ડસ્ટ્રીનું સેન્ટીમેન્ટ જીઓએ બગાડી નાંખ્યું છે, બીજી કંપનીઓએ પણ જીઓના પગલે સસ્તી સેવા આપવાની ફરજ પડી છે અને એ કંપનીઓની સેવા પણ જીયોની જેમ ભંગાર થવા માંડી છે.

August 12, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7910

વડોદરામાં અચાનક પડેલા ભારે વરસાદને પગલે બગડેલા વાહનોના વીમા પાસ કરવામાં ઇન્સ્યુરન્સ કંપનીઓના બેંક બેલેન્સના તળીયા દેખાય જાય તેવી સ્થિતિ છે, અત્યાર સુધી મળેલા અહેવાલો મુજબ એકલા વડોદરામાંથી 8 હજાર ફોર વ્હીલ વ્હીકલ્સને પૂરથી થયેલી નુકસાનીના ક્લેઇમ કરવામાં આવ્યા છે. સર્વિસ સ્ટેશનો અને ગેરેજમાં ફોરવ્હીલ ગાડીઓ રીપેર કરવા માટે ખડકલો થઇને પડી છે. હજુ તો બગડેલી ગાડીઓ રોજેરોજ ખડકાઇ રહી છે.

વડોદરામાં ખાબકેલા ૨૦ ઇંચ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને આ વરસાદી પાણીમાં હજારોની સંખ્યામાં વાહનો પણ ગરકાવ થયા હતા, હવે જ્યારે વરસાદી પાણી ઓસરી રહ્યા છે ત્યારે એક શહેરમાં ૧૦ હજારથી વધારે ફોર વ્હીલર ગાડીઓ રિપેરિંગ માટે સર્વિસ સ્ટેશન કે ઓટો ગેરેજમાં લઈ જવામાં આવી હતી. અને વાહનો રીપેર થઈને વાહનચાલકોને ફરી મળે તે માટે વાહન ચાલકોને પંદર દિવસથી લઈને એક મહિના સુધી રાહ જોવી પડશે. વાહનોમાં પાણી ભરાઈ જવાને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતુ. ફોર વ્હીલરના માલિકો દ્વારા ઇન્સ્યોરન્સ કંપનીમાં ૮૦૦૦થી વધારે ક્લેમ કરવામાં આવ્યા હતા. શહેરના વિવિધ ઓટોમોબાઇલ્સના શો રૂમ ઉપર મોટી સંખ્યામાં વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે.