
ગૃહ મંત્રી અમિત શાહે આજે સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની દરખાસ્ત રજૂ કરી હતી. દરખાસ્તની સાથે અમીત શાહે જમ્મુ કાશ્મીર રાજ્યનું પુનર્ગઠન કરવાનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો છે.
ગૃહપ્રધાને રજૂ કરેલા સુધારા બિલમાં 370 કલમમાંથી પેટાલ કલમ 1 સિવાય તમામ પેટાકલમો દૂર કરવાની ભલામણ કરવામાં આવી. જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ 2019 પણ રજૂ કરવામાં આવ્યું. 370(3) અંતર્ગત ભારતના રાષ્ટ્રપિત ખંડ(1) સાથે રાષ્ટ્રપતિ સંસદની ભલામણ સાથે આ ઘોષણા કરે છે કે કલમ 370(1) સિવાય અન્ય તમામ પેટાકલમો લાગુ નહીં પડે.
જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ અંતર્ગત રાજ્યના ભાગલા પાડવામાં આવ્યા છે. જેમાં લદ્દાને જમ્મુ કાશ્મીરથી અલગ પાડીને વિધાનસભા વગરનું કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે જમ્મુ કાશ્મીરને વિધાનસભા સાથે કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેથી જમ્મુ-કાશ્મીર હવે અલગ રાજ્ય નહીં રહે.
અમીત શાહએ દરખાસ્ત રજૂ કરતા જ રાજ્યસભામાં ભારે હોબાળો શરૂ થઈ ગયો હતો અને રાજ્યસભાના અચોક્કસ મુદત માટે સ્થગિત કરી દેવી પડી હતી.
અમિતશાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના પ્રસ્તાવને રજૂ કર્યો હતો જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. બંધારણ (જમ્મુ-કાશ્મીરમાં લાગુ) આદેશ 2019ને રાષ્ટ્રપતિ દ્વારા લાગુ કરી દેવામાં આવ્યું છે.
અમિત શાહે પ્રસ્તાવ રજૂ ક્રયા બાદ રાજ્યસભામાં જબરજસ્ત હોબાળો શરૂ થઈ રહ્યો છે.
















