CIA ALERT

Slider Archives - Page 317 of 487 - CIA Live

August 5, 2019
dhara_370_jk_.jpg
1min15910

ગૃહ મંત્રી અમિત શાહે આજે સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની દરખાસ્ત રજૂ કરી હતી. દરખાસ્તની સાથે અમીત શાહે જમ્મુ કાશ્મીર રાજ્યનું પુનર્ગઠન કરવાનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો છે.

ગૃહપ્રધાને રજૂ કરેલા સુધારા બિલમાં 370 કલમમાંથી પેટાલ કલમ 1 સિવાય તમામ પેટાકલમો દૂર કરવાની ભલામણ કરવામાં આવી. જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ 2019 પણ રજૂ કરવામાં આવ્યું. 370(3) અંતર્ગત ભારતના રાષ્ટ્રપિત ખંડ(1) સાથે રાષ્ટ્રપતિ સંસદની ભલામણ સાથે આ ઘોષણા કરે છે કે કલમ 370(1) સિવાય અન્ય તમામ પેટાકલમો લાગુ નહીં પડે.

જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ અંતર્ગત રાજ્યના ભાગલા પાડવામાં આવ્યા છે. જેમાં લદ્દાને જમ્મુ કાશ્મીરથી અલગ પાડીને વિધાનસભા વગરનું કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે જમ્મુ કાશ્મીરને વિધાનસભા સાથે કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેથી જમ્મુ-કાશ્મીર હવે અલગ રાજ્ય નહીં રહે.

અમીત શાહએ દરખાસ્ત રજૂ કરતા જ રાજ્યસભામાં ભારે હોબાળો શરૂ થઈ ગયો હતો અને રાજ્યસભાના અચોક્કસ મુદત માટે સ્થગિત કરી દેવી પડી હતી. 

અમિતશાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના પ્રસ્તાવને રજૂ કર્યો હતો જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. બંધારણ (જમ્મુ-કાશ્મીરમાં લાગુ) આદેશ 2019ને રાષ્ટ્રપતિ દ્વારા લાગુ કરી દેવામાં આવ્યું છે. 

અમિત શાહે પ્રસ્તાવ રજૂ ક્રયા બાદ રાજ્યસભામાં જબરજસ્ત હોબાળો શરૂ થઈ રહ્યો છે.

August 5, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7010
5 August 2019 પહેલા કલાકમાં સેન્સેક્સ 600 પોઇન્ટ ડાઉન

શેરબજાર ઉંધા માથે, શરુઆતના 1 કલાકમાં જ સેન્સેક્સમાં 600 પોઈન્ટ્સનો કડાકો

કાશ્મીરમાં કાર્યવાહી થતાં થશે પરંતુ, કાશ્મીરના ડેવલપમેન્ટે ભારતીય શેર બજારને લોહીલૂહાણ કરી મૂક્યું હતું. આજે વધુ 500 પોઇન્ટના કડાકા સાથે માર્કેટ ખૂલતા શેરબજારના લોકો નાહી ઉઠ્યા હતા. આમેય ભારતીય શેરબજાર છેલ્લા કેટલાય દિવસોથી ડાઉનફોલમાં છે અને તેમાં કાશ્મીરના મુદ્દાએ આજે સાર્વત્રિક રેડ ઝોનમાં ફેરવી નાંખ્યો હતો.

શુક્રવારે સામાન્ય રિકવરી સાથે બંધ થયેલું બજાર આજે તા.5મી ઓગસ્ટને સોમવાર, સપ્તાહારંભે જ માર્કેટ શરૂ થયના પહેલા જ કલાકમાં 620 સેન્સેક્સમાં 600  પોઈન્ટ્સથી વધુનો કડાકો બોલી ગયો હતો.

સેન્સેક્સ-30માં લગભગ તમામ શેર્સના ભાવ ઘટી જતા માર્કેટમાં ભારે અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. સવારે 10 વાગ્યે 627 પોઈન્ટ્સના ઘટાડા સાથે સેન્સેક્સ 36,490 પર ટ્રેડ કરી રહ્યો હતો.

માર્કેટ એક્સપર્ટસના કહેવા અનુસાર કાશ્મીરમાં પ્રવર્તી રહેલી અસમંસજસની સ્થિતિને પગલે શેરબજારમાં પણ જોરદાર કડાકો બોલી ગયો છે.

આજે સૌથી મોટો કડાકો યસબેંકના શેરમાં પડ્યો હતો. યસ બેંકનો શેર સવારે દસ વાગ્યે 7.30 ટકાના ઘટાડા સાથે ડાઉન ફોલમાં સૌથી ટોચ પર જોવાયો હતો.

યશબેંકનો શેર 81.85ની પોતાની 52 વીકની સૌથી નીચી સપાટીને પણ તોડી ગયો છે.

નિફ્ટી-50માં પણ આજે 177 પોઈન્ટ્સનો ઘટાડો સવારે દસ વાગ્યા સુધીમાં નોંધાયો છે.

August 5, 2019
smith.jpg
1min6750

ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની સ્ટીવન સ્મિથે બોલ ટેમ્પરિંગ મામલે એક વર્ષના પ્રતિબંધ બાદ ટેસ્ટ ક્રિકેટમાં જબરદસ્ત પુનરાગમન કર્યું છે. તેણે એશિઝ સિરિઝના પહેલા ટેસ્ટની બન્ને ઇનિંગમાં સદી ફટકારી છે. આથી ઇંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની સ્થિતિ પણ સુધરી છે અને જીતની તક બની છે. પહેલા દાવમાં લડાયક 144 રન કરનાર સ્મિથે બીજા દાવમાં પણ સદી કરી હતી અને 142 રન કર્યા હતા. એશિઝ શ્રેણીમાં તે એક ટેસ્ટના બન્ને દાવમાં સદી કરનારો પાંચમો કાંગારૂ બેટધર બન્યો હતો. આ સૂચિમાં આ પહેલા મેથ્યૂ હેડને 2002માં બ્રિસ્બેન ખાતે 197 અને 103 રનની ઇનિંગ રમી હતી. સ્ટીવ વોએ માંચેસ્ટરમાં 1997માં 108 અને 116 રન કર્યાં હતા. આર્થર મોરિસે 1947માં એડિલેડમાં 122 અને 124 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે 1909માં વોરેન બારડસર્લીએ ઓવલના મેદાન પર 136 અને 130 રન કર્યાં હતા. સ્મિથે આ સાથે એશિઝ સિરિઝમાં 43 ઇનિંગમાં 10 સદી કરી છે. આ સૂચિમાં પહેલા નંબર પર મહાન ડોન બ્રેડમેન છે. તેમણે 63 ઇનિંગમાં 19 સદી કરી છે. ઇંગ્લેન્ડના જેક હોબ્સે એશિઝની 71 ઇનિંગમાં 12 સદી કરી છે. સ્ટીવ વોએ 72 ઇનિંગ રમીને 10 સદી કરી છે.
————-
એશિઝમાં ઓસિ. ડ્રાઇવિંગ સીટ પર: સરસાઇ 350 ઉપર
મેથ્યૂ વેડે પણ સદી ફટકારી: બીજા દાવમાં ઇંગ્લેન્ડના બોલરો ધોવાયા
બર્મિંગહામ તા.4: વાપસી સાથે બન્ને ઇનિંગમાં સદી કરનાર ‘સુપ્રિમ’ સ્ટીવન સ્મિથ અને મેથ્યૂ વેડની લડાયક સદીની મદદથી એશિઝ ટ્રોફીના પહેલા ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા બાઉન્સ બેક થયું છે અને ડ્રાઇવિંગ સીટ પર આવી ગયું છે. સ્ટીવન સ્મિથે, મેથ્યૂ વેડ અને ટ્રેવિસ હેડે ઇંગ્લેન્ડના બોલરોને હંફાવીને પહેલા ટેસ્ટના ચોથા દિવસે ચાના સમય બાદ તેની ટીમ ઓસ્ટ્રેલિયા માટે જીતની તક ઉભી કરી હતી. ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં 7 વિકેટે 445 રન થયા હતા. આથી ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડથી 355 રને આગળ થયું હતું. વેડે તેની બીજી ટેસ્ટ સદી કરી હતી. તે 110 રને અને સુકાની ટિમ પેન 34 રને આઉટ થયા હતા.’ પહેલા દાવમાં 144 રન કરનાર સ્મિથે બીજા દાવમાં પણ લાજવાબ સદી કરીને 207 દડામાં 14 ચોકકાથી 142 રન કર્યાં હતા. વેડે તેની સદી 133 દડામાં 1પ ચોકકાથી બનાવી હતી. સ્મિથ અને વેડ વચ્ચે પાંચમી વિકેટમાં 126 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. જયારે સ્મિથે ટ્રેવિસ હેડના સાથમાં ચોથી વિકેટમાં 130 રનનો ઉમેરો કર્યોં હતો. આજે ઉસ્માન ખ્વાઝા 40 રન કરીને આઉટ થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી સ્ટોકસને બે અને બ્રોડ, વોકસ અને અલીને 1-1 વિકેટ મળી હતી. અનફિટ એન્ડરસન બોલિંગ કરી શકયો ન હતો. ઓસ્ટ્રેલિયાના પહેલા દાવમાં 284 રન થયા હતા. આ સામે ઇંગ્લેન્ડે પહેલા દાવમાં 374 રન કર્યાં હતા. આથી તેને 90 રનની સરસાઇ પ્રાપ્ત થઇ હતી.

August 5, 2019
sensex.jpg
1min10960

સમીક્ષા હેઠળના પાછલા સપ્તાહ દરમિયાન બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૩૭,૮૮૨.૭૯ના બંધથી ૭૬૪.૫૭ (૨.૦૨ ટકા) પોઈન્ટ ઘટ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૩૮,૦૪૩.૨૨ ખૂલી તેજ દિવસે ઊંચામાં ૩૮,૦૪૩.૨૨ સુધી અને ૨ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ નીચામાં ૩૬,૬૦૭.૪૧ સુધી જઈ છેવટે ૩૭,૧૧૮.૨૨ બંધ રહ્યો હતો.

આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ. ૧૩૯.૯૮ લાખ કરોડ રહ્યું છે, જે આગલા સપ્તાહના અંતે રૂ. ૧૪૮.૦૮ લાખ કરોડ હતું. મિડકેપ ઈન્ડેક્સ ૨.૨૩ ટકા, સ્મોલ કેપ ૪.૩૨ ટકા, બીએસઈ-૧૦૦ ઈન્ડેકસ ૨.૫૨ ટકા, બીએસઈ-૨૦૦ ૨.૫૩ ટકા અને બીએસઈ-૫૦૦ ૨.૬૭ ટકા ઘટ્યા હતા. બીએસઈ આઈપીઓ ૧.૭૭ ટકા અને એસએમઈ આઈપીઓ ૩.૭૪ ટકા ઘટ્યા હતા. બીએસઈ કાર્બોનેક્સ ૨.૬૧ ટકા અને એસએન્ડપી બીએસઈ ગ્રીનેક્સ ૨.૨૭ ટકા વધ્યા હતા.

સેકટરલ ઈન્ડેક્સમાં એકમાત્ર આઈટી ૦.૫૮ ટકા વધ્યો હતો, જ્યારે ટેક ૦.૨૭ ટકા, એફએમસીજી ૧.૨૦ ટકા, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૬૪ ટકા, પાવર ૨.૭૯ ટકા, કેપિટલ ગુડ્સ ૨.૮૪ ટકા, હેલ્થકેર ૩.૧૨ ટકા, ઓટો ૩.૪૦ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૩.૪૪ ટકા, બેન્કેક્સ ૩.૬૭ ટકા, રિયલ્ટી ૪.૦૪ ટકા, પીએસયુ ૫.૫૫ ટકા અને મેટલ ૮.૯૪ ટકા ઘટ્યા હતા.

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી અધિક વધેલા પાંચ શેરો હતા: ટીસીએસ ૪.૪૧ ટકા, ભારતી એરટેલ ૨.૫૨ ટકા, એશિયન પેઈન્ટ્સ ૧.૩૩ ટકા, એચસીએલ ટેક્નોલોજીસ ૦.૯૭ ટકા અને હિન્દુસ્તાન યુનિલિવર ૦.૪૦ ટકા.

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી અધિક ઘટેલા પાંચ શેરો હતા: વેદાંતા ૧૪.૬ ટકા, ટાટા મોટર્સ ડીવીઆર ૧૩.૭૨ ટકા, ટાટા મોટર્સ ૧૨.૭૧ ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧૧.૦૧ ટકા અને ટાટા સ્ટીલ ૮.૮૫ ટકા. 

August 5, 2019
Gandhinagar-Gujarat.jpg
1min5810

રાજ્યના વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગે ૯મી ઓગસ્ટની રાત્રે આઠ કલાક પછી ત્રણ દિવસ માટે ગુજરાત સરકારની તમામ પ્રકારની ઓનલાઈન સેવાઓ, વેબસાઈટ, એપ્લિકેશન, ઈ-મેલ, ઈન્ટરનેટ બંધ કરવા તમામ વિભાગોને આદેશ કર્યો હતો. ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરમાં રિપેરિંગનું કામ શરૂ કરવાનું હોવાથી ૧૨મી ઓગસ્ટની રાત્રે ૧૧-૫૯ મિનિટ સુધી જીસ્વાન નેટવર્ક બેઝડ ડેટા સેન્ટર કનેક્ટેડ તમામ સેવાઓને શટડાઉન કરી દેવાશે. આગામી સપ્તાહમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની સરકારના ત્રણ વર્ષની ઉજવણી માટે મહાત્મા મંદિરમાં કાર્યક્રમનું આયોજન થશે તેના બીજા જ દિવસથી ગુજરાત સરકારની ઓનલાઈન સેવાઓ શટડાઉન થવાની સૂચના પછી આ કાર્યક્રમમાં જેમને સહાય આપવાની છે તેવા લાભાર્થીઓની વિગતો, ખર્ચના બીલોની પ્રક્રિયા- નોંધણી ડેટા સેન્ટર બંધ થાય તે પહેલા પૂર્ણ કરવા કૃષિ, ઊર્જા, શિક્ષણ અને શહેરી વિકાસ વિભાગમાં દોડધામ શરૂ થઈ છે.

જીસ્વાન નેટવર્કમાં ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરથી ગુજરાત સરકારની ૩૦૦થી વધુ વેબસાઈટ અને ૪૦થી વધારે એપ્લિકેશન ઓપરેટ કરવામાં આવે છે. જેના થકી રાજ્યમાં ઓનલાઈન જન્મ- મરણના પ્રમાણપત્ર, મહેસૂલી નોંધ, ખેલમહાકુંભ માટે રજિસ્ટ્રેશન, ભરતી પરીક્ષાઓના ફોર્મ, વાહન હંકારવાનું લાઈસન્સ, ઈ-ટ્રેઝરીથી લઈને શિષ્યવૃતિ સહિતની અનેક યોજનાઓ માટે ૪૦થી વધુ એપ્લિકેશનથી ઓનલાઇન સેવાઓ નાગરિકોને ઉપલબ્ધ કરાવાય છે. જે આગામી સપ્તાહે ગુરુવારની રાતથી રવિવારની મધ્યરાત્રી દરમિયાન બંધ રહેશે એવું મહેસૂલ વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું.

August 5, 2019
kashmir-news.jpg
1min12880

જમ્મુ અને કાશ્મીરમાં ઊભી થયેલી તંગદિલીને પગલે મહત્ત્વના અને સંવેદનશીલ સ્થળોએ સલામતી વ્યવસ્થા વધારી દેવાઇ છે.

અગાઉ, જમ્મુ અને કાશ્મીરના વહીવટીતંત્રે અમરનાથયાત્રામાં ભાગ લઇ રહેલા લોકોને તેઓની યાત્રા અટકાવીને પાછા ફરવાની સલાહ આપી હતી.

પર્યટકોને પણ સલામતી સામેના જોખમને ધ્યાનમાં રાખીને પાછા જતાં રહેવાની સલાહ અપાઇ હતી.

જમ્મુ એન્ડ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશને ભારતીય ટીમના ઓલ-રાઉન્ડર ઇરફાન પઠાણ સહિત અંદાજે ૧૦૦ ક્રિકેટરને કાશ્મીર છોડી જવાની સૂચના આપી હતી.

આ ઉપરાંત, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને હૉસ્ટેલમાંના વિદ્યાર્થીઓને પણ પરત જવાની સૂચના અપાઇ હતી.

કાશ્મીરના ખીણવિસ્તારમાં ગયા અઠવાડિયે આવી પહોંચેલા વધારાના લશ્કરી દળો ગોઠવાઇ ગયા છે.

ઉનાળા વખતના જમ્મુ અને કાશ્મીરના પાટનગર શ્રીનગરના સીમાડે અને અન્ય મહત્ત્વના રસ્તા પર બેરિકેડ્સ ઊભા કરાયા હતા. સુરક્ષા દળોએ રમખાણ રોકવા માટેના વાહનો પણ તૈયાર રાખ્યા છે.

કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રવિવારે બોલાવેલી બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ, કેન્દ્રના ગૃહસચિવ રાજીવ ગૌબા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ભારતીય લશ્કરે પાકિસ્તાનના સૈન્યના મારા ‘બેટ’ના સાત સૈનિકને શનિવારે હણી નાખ્યા હતા.

જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ એસ. પી. મલિકે જનતાને અફવા પર ધ્યાન નહિ આપવાની સલાહ આપી હતી.

જમ્મુ અને કાશ્મીરમાંથી પર્યટકો, અમરનાથયાત્રીઓ, અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને બીજા લોકો પાછા ફરી રહ્યા હોવાથી અનેક એરવેઝે ભાડાં વધારી દીધા હોવાનો આક્ષેપ કરાય છે. ટેક્સીવાળાઓ દ્વારા પણ પ્રવાસીઓ પાસેથી બેફામ ભાડાં લેવાતા હોવાનું કહેવાય છે.

નેશનલ કોન્ફરન્સની રાજકીય બાબતોને લગતી સમિતિએ રાજ્યમાંની પરિસ્થિતિ અંગે ચર્ચાવિચારણા કરી હતી.

August 5, 2019
Kashmir-situation-2.jpg
1min13900

જમ્મુ અને કાશ્મીરમાં શું થવાનું છે તે અંગે રવિવારે પણ અનિશ્ર્ચિતતા ચાલુ રહી હતી. એક બાજુ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જ્યારે બીજી બાજુ રાજ્યના પ્રાદેશિક પક્ષોએ એક બેઠક યોજીને રાજ્યનો બંધારણમાંનો ખાસ દરજ્જો રદ કરવાની અથવા રાજ્યનું ત્રણ ભાગમાં વિભાજન કરવાની સરકારની સંભવિત હિલચાલનો વિરોધ કરવાનો નિર્ણય લીધો હતો. ભાજપ પ્રમુખ અમિત શાહે સંસદ ભવનમાં સુરક્ષાના મુદ્દા પર બેઠક બોલાવી હતી જેમાં નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજીત ડોભાલ, ગૃહસચિવ રાજીવ ગાબા સહિત કેટલાક ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. બેઠકમાં અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓને અને પ્રવાસીઓને પાછા બોલાવવાના તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સંસદનું સત્ર પૂરું થયા પછી અમિત શાહ જમ્મુ-કાશ્મીર રાજ્યની મુલાકાત લઈ શકે છે. તેવું સ્રોતો દ્વારા જાણવા મળ્યું છે. સરકારને જાસૂસી માહિતી મળી હતી કે પાકિસ્તાન તરફથી ઘૂસણખોરોને ઘૂસાડવાની તૈયારી ચાલી રહી છે. તે સંદર્ભમાં સરકાર તકેદારીના તમામ પગલાં ભરી રહી છે. કાશ્મીરમાંથી અન્ય રાજ્યોના લોકો પોતાના વતન પાછા ફરી શકે તે માટે વિમાની ભાડાઓ પર ટોચમર્યાદા અને ટ્રેન ટિકિટ લઈ જવાનું રહી જાય તો તેમાં થોડી હળવાશ દાખવવાની જેવા પગલાં પણ ભરવામાં આવ્યા છે. સોમવારે સંસદની બેઠક મળશે તેમાં વિપક્ષી નેતાઓ વડા પ્રધાન મોદી નિવેદન કરે તેવી માગ કરી શકે છે તેવું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સોમવારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર અનામત (બીજો સુધારો) ખરડો ૨૦૧૯ રજૂ કરશે. તેવું જાણવા મળ્યું છે. પહેલી જુલાઈએ આ ખરડો લોકસભામાં પસાર થયો હતો. રાજ્યસભામાં આ ખરડો પસાર થશે તો રાજ્યમાં આર્થિક રીતે પછાત વર્ગ (ઈડબ્લ્યુએસ-ઈકોનોમિક બેકવર્ડ ક્લાસોને, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં ૧૦ ટકા અનામત મળશે. 

August 4, 2019
ausi-flood6.jpg
1min5030

ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૩ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૫૨ ટકા વરસાદ વરસ્યો હતો જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૪૨ જળાશયો ૨૫થી ૫૦ ટકા વચ્ચે ભરાયા હતા. જ્યારે ૪ જળાશયો ૧૦૦ ટકા એટલે કે સંપૂર્ણ, ૭ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા તેમજ ૧૫ જળાશયો ૫૦થી ૭૦ ટકા વચ્ચે ભરાયા હતા. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૫૭.૦૮ ટકા ભરાયું હતું તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું હતું.

રાજ્યમાં હાલમાં ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૨૪,૪૩૮, દમણગંગામાં ૧,૬૫,૯૪૫, ઉકાઇમાં ૪૪,૯૩૭, શેત્રુંજીમાં ૧૮,૮૨૮, કરજણમાં ૫,૮૫૦, ઓઝત-વીઅર(વંથલી)માં ૫,૦૪૩, ઓઝત-વીઅરમાં ૩,૯૯૦, કડાણામાં ૧,૭૧૫, ઝુજમાં ૧,૫૬૭, વણાકબોરીમાં ૧,૫૦૦, વેર- ૨માં ૧,૪૫૦, આજી-૨માં ૧,૪૪૯, ઓઝત-૨માં ૧,૨૮૮ અને આજી-૩માં ૧,૧૯૪ ક્યુસેકનો સમાવેશ થાય છે. 

ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૫.૭૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૪.૨૮ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૩૫.૮૪ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૮૮ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૧૮.૯૫ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૩૧.૫૭ ટકા એટલે ૧,૭૫,૭૬૯.૮૨ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું હતું.

August 4, 2019
CIA_Live_Logo_New2.jpg
3min10440

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત શહેર જિલ્લાની અંદાજે એક કરોડની વસતિ માટે પીવાના પાણીનો એકમાત્ર સ્ત્રોત ઉકાઇ ડેમમાં પાણીની સપાટી સડસડાટ વધી રહી છે. આજે રવિવારે બપોરે 1 વાગ્યાના અરસામાં ઉકાઇ ડેમની સપાટી વધીને 311.06 ફૂટને પાર કરી ગઇ હોવાની અધિકૃત માહિતી સાંપડી છે. હજુ રૂલ લેવલ 335 ફૂટથી આજની 310 ફૂટની પાણીની સપાટી 25 ફૂટ ઓછી રહી છે. પરંતુ, જે રીતે હાલમાં ઉકાઇ ડેમમાં પાણીનો આવરો થઇ રહ્યો છે તે જોતા આ વખતે ઓગસ્ટ મહિનામાં જ રૂલ લેવલ અને વોટર લેવલ બન્ને સમાંતર પહોંચી જાય તેમ છે.

ડેમમાં પોણાચાર લાખ ક્યુસેક્સ પાણીનો આવરો

તંત્રવાહકો કહે છે કે એ તો ચાલુ ચોમાસાની સીઝન જ દર્શાવશે કે ડેમમાં કેટલું પાણી આવશે અને પાણીની કેટલી સપાટી થશે, હાલ તુરત કોઇ ભયજનક સ્થિતિ નથી.

તા.4 ઓગસ્ટ બપોરે સાડાબાર વાગ્યે ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 3 લાખ 88 હજાર ક્યુસેક્સ જેટલો નોંધાયો હતો. ડેમાં જંગી માત્રામાં પાણીનો આવરો થઇ રહ્યો હોઇ ઉકાઇ ડેમમાં પાણીની સપાટી ઝડપભેર વધી રહી છે.

ઉકાઇ ડેમના સત્તાધીશોએ આપેલી સત્તાવાર માહિતી આ મુજબ છે.

Ukai Dam. Dt.04.08.19. Hr: 12.00 hrs.

Rule Level : 335.00 ft.

Present Water Level : 311.06 ft.

Inflow: 387968 cusecs.

G.S. : 2700.89 MCM

Percentage filling: 36.43 %

Increase in qty: 1827.16

MCM (w.r.t to mini storage of this yr)

Hathnur Level: 209.53 mt.

Outflow: 18743.08 Cusecs

ઉકાઇ ડેમમાં હાલ આ વિસ્તારોમાં પડી રહેલા વરસાદનું પાણી આવી રહ્યું છે.

Nandurbar Dist. Rainfall.

(Taluka H.Q.) Dt. 04/08/2019 (Progressive)

Nandurbar – 52 (488)

Navapur – 100 (985)

Taloda – 76 (625)

Akkalkuva – 161 (658)

Shahada – 58 (528)

Akarani – 185 (633)

Total today – 632 mm

Average today – 105.34 (652.83

August 3, 2019
posts.jpg
1min7060

કેન્દ્રમાં મોદી સરકાર 2.0એ ઇન્ડિયન પોસ્ટને સ્મોલ ફાયનાન્સ બેન્કનું લાયસન્સ આપવાનો નિર્ણય કર્યો છે જેથી હવે પોસ્ટ (ટપાલ) ઓફિસ બેન્કોની જેમ જ લોન પણ આપતી થઇ જશે. આ નિર્ણયને પગલે ગ્રાહકોને નાની લોન મળી શકશે.

પોસ્ટ વિભાગ કઇ કઇ બેંકિંગ ફેસેલિટી આપશે

પોસ્ટ ઓફિસ પેમેન્ટ બેન્ક (આઈપીપીબી)માં હવે તમામ બચત ખાતા, કરન્ટ એકાઉન્ટ ખોલી શકવા, ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ, બિલ ચૂકવણી અને રિચાર્જ, રેમિટેંસેજ એન્ડ ફંડ ટ્રાન્સફર, ડોરસ્ટેપ બેન્કિંગ,’ ડીઓપી પ્રોડક્ટ પેમેન્ટ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સુવિધા છે. પોસ્ટ ઓફિસ હવે’ બચત ખાતા અને ફિક્સ ડિપોઝિટ જેવી બેન્ક સેવાઓ આપી રહી છે.

આ ઉપરાંત આ પેમેન્ટ બેન્કમાં નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, એસએમએસ બેન્કિંગ, મિસ્ડ કોલ બેન્કિંગ, ફોન બેન્કિંગ અને ક્યૂઆર કોડથી બેન્કિંગની સુવિધા પણ મળી રહી છે.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ખુલ્યા બાદ પોસ્ટ ઓફિસે ઓનલાઈન બેન્કિંગની સુવિધા પણ શરૂ કરી છે. આઈપીપીબી ખાતાને પોસ્ટ ઓફિસના બચત ખાતાં સાથે જોડી શકાય છે. પરંતુ પેમેન્ટ બેન્ક પોસ્ટ ઓફિસ લોન આપી શકતી નથી. જોકે તે પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવેલા આરડી એકાઉન્ટના બદલામાં લોન આપી શકે છે. આ ઉપરાંત આઈપીપીબી સુકન્યા સમૃદ્ધિ ખાતું, પીપીએફ અને આરડી એકાઉન્ટમાં પોતાના એકાઉન્ટ દ્વારા ઓનલાઈન ચૂકવણી’ કે ફંડ ટ્રાન્સફરની સુવિધાઓ પણ આપે છે.

દેશમાં મોજૂદ સ્મોલ ફાયનાન્સ બેન્ક બચત ખાતું, કરંટ ખાતું, એફડી, આરડી, લોન, મ્યુચ્યુઅલ ફંડ, વીમો જેવી સેવાઓ આપે છે. હાલમાં દેશમાં 10 સ્મોલ ફાયનાન્સ બેન્ક કાર્યરત છે.