CIA ALERT

Slider Archives - Page 294 of 487 - CIA Live

October 21, 2019
maharashtra_map.jpg
1min5150

આજે મુંબઈની ૩૬ બેઠક સહિત રાજ્યની ૨૮૮ બેઠક પર મતદાન થશે ત્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈ કોને મત આપશે તે મહત્ત્વનું બની રહે છે. ભૌગોલિક અને સામાજિક દૃષ્ટિએ મહારાષ્ટ્ર કરતાં અલગ તરી આવતા મુંબઈમાં રાજકારણ પણ અલગ રંગ બતાવે છે. અહીંનો શિક્ષિત અને વિચારશીલ મતદાર કયુ બટન દબાવશે તે કળી શકાય તેમ નથી. લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસકાર્યો અને વિઝનરી તરીકેની છબિને લીધે ભાજપનો સીધો ફાયદો થયો હતો, પરંતુ વિધાનસભાની ચૂંટણીના મુદ્દા અલગ હોય છે અને મતદારોનો મૂડ પણ અલગ હોય છે. મુંબઈમાં છેલ્લા ૨૫ વર્ષથી ભાજપ-શિવસેના મહાનગરપાલિકાનું સંચાલન કરે છે. લોકો સૌથી વધારે રસ્તા પરના ખાડાની સમસ્યાથી પરેશાન છે. આ સાથે પ્રદૂષણ, આડેધડ જોવા મળતું અતિક્રમણ, પાલિકાનો ભ્રષ્ટ અને નબળો કારભાર તેમ જ જૂની ઈમારતોના ડેવલપમેન્ટ સહિત ઘણા ગંભીર પ્રશ્ર્નો છે જે આ શહેરને કનડે છે અને પાંચ વર્ષની ભાજપ-શિવસેના સરકાર તેને ઉકેલવાની દિશા તરફ આગળ વધતી હોય તેમ જણાતું નથી. આ સાથે આર્થિક મંદી અને બેરોજગારી પણ મતદાન પર અસર કરશે. માત્ર માળખાકીય પ્રોજેક્ટ્સને બાદ કરતા હાલની સરકારે મુંબઈના જનજીવનમાં કોઈ ખાસ ફરક પાડ્યો નથી. બીજી બાજુ દેશ અને રાજ્યમાં નબળી પડી ગયેલી કૉંગ્રેસ મુંબઈમાં લગભગ સાફ થઈ ગઈ છે અને એનસીપીની અહિં કોઈ હાજરી જ નથી. આ સ્થિતિમાં મતદારો મૂંઝવણ અનુભવી રહ્યા છે.

ભાજપ-શિવસેનાના રાજ્ય સરકાર તરીકેના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ઘટેલી ઘટનાઓમાં એલ્ફિન્સ્ટન બ્રિજ પર ભાગદોડમાં ૨૩ જણના થયેલા મૃત્યુ, પરેલની હોટેલમાં આગને લીધે ૧૪ જણાના મૃત્યુ, હિમાલય બ્રીજ તૂટી પડવાથી પાંચ જણના મૃત્યુ, ઘાટકોપરની સાંઈ સિદ્ધિ ઈમારત, ભીંડી બજારની હુસૈની અને કેસરબાઈ ઈમારત પડી જવાથી થયેલા મૃત્યુ, પુણેની ભીમા કોરેગાંવ હિંસાની ઘટનાને લીધે મુંબઈમાં જોવા મળેલી સજ્જડ બંધ અને લોકએ ભોગવી પડેલી હાલાકી, દર વર્ષે ચોમાસાંમાં મુંબઈગરાઓએ ભોગવવી પડતી અપાર તકલીફો, તાજેતરમાં મેટ્રો થ્રી માટે આરે કોલોનીમાં અડધી રાત્રે કાપવામાં આવેલા વૃક્ષો અને આંદોલનકારીઓની થયેલી ધરપકડ, પંજાબ મહારાષ્ટ્ર બૅંક પર પ્રતિબંધ લાગવાથી થાપણદારોની હાલાકી વગેરે ઘટનાઓ બનતી રહી અને રાજ્ય સરકાર અને પાલિકાનો રેઢિયાળ કારભાર સામે આવતો રહ્યો. આની સામે વર્ષોથી લટકેલા મેટ્રોના તમામ પ્રોજેક્ટ, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક, બુલેટ ટ્રેન, કૉસ્ટલ રોડ જેવા પ્રોજેક્ટ્સ શરૂ થઈ ગયા અને ઝડપથી આગળ વધી રહ્યા છે. જોકે પાલિકા અને રાજ્ય સરકારની નિષ્ફળતાને જનતા સામે લાવવામાં કૉંગ્રેસ-એનસીપી તદ્ન નિષ્ફળ ગઈ છે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના તરફ પણ લોકોનો કોઈ ઝુકાવ જણાતો નથી. આ અંગે પૂછવામાં આવતા સામાજિક કાર્યકર જિતેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગીમાં કોઈ પરિવર્તન કર્યું નથી. લગભગ ૫૦ ટકા ઉમેદવારો અશિક્ષિત છે અને તેમની સામે ગંભીર ગુનાઓ છે. ભાજપ પાસેથી અપેક્ષા હતી કે તેઓ ઉમેદવારની પસંદગી કરવામાં શિક્ષણ અને શહેરી વિષયોના જ્ઞાનને પ્રાથમિકતા આપશે અને નવા ચહેરાઓ જનતા સામે લાવશે, પરંતુ તેમ ન થતાં એ લોકોને જ ટિકિટ આપી છે જેમણે અત્યાર સુધી કંઈ કર્યું નથી. તેમના કહેવા અનુસાર નૉટાના વિકલ્પમાં કોઈ તર્ક દેખાતો ન હોવાથી મુંબઈમાં મતદાન ઓછું થવાની સંભાવના છે. જોકે યોગ્ય પાત્રમે ચૂંટવા માટે લોકો મોટી ંસંખ્યામાં મતદાન કરે તેવી અપીલ ચૂંટણી પંચ અને રાજ્કીય પક્ષોએ કરી છે.

કઈ બેઠકો પર છે રસાકસી

મુંબઈમાં કૉંગ્રેસ અને એનસીપીનું ખાસ કંઈ જોર ન હોવાથી અને ભાજપ અને શિવસેના સાથે ચૂંટણી લડતા હોવાથી મુંબઈની અમુક બેઠકોને બાદ કરતા ખાસ કોઈ રસાકસી જોવા મળતી નથી. દક્ષિણ મુંબઈમાં જોઈએ તો મુંબાદેવી બેઠક પર બે ટર્મથી વિધાનસભ્ય રહી ચૂકેલા કૉંગ્રેસના નેતા અમિન પટેલ સામે શિવસેનાના વરિષ્ઠ કાર્યકર્તા પાંડુરંગ સકપાલ ઊભા છે. ગુજરાતી, મરાઠી અને મુસ્લિમ મત ધરાવતી આ બેઠક મહત્ત્વની છે. આ જ રીતે દક્ષિણ મુંબઈની બીજી બેઠક કોલાબામાં કૉંગ્રેસના અશોક (ભાઈ) જગતાપ અને ભાજપના રાહુલ નાર્વેકર વચ્ચે જંગ જામશે. ભાજપે રાજ પુરોહિતને બદલે આ બેઠક નાર્વેકરને આપી છે. દક્ષિણ મુંબઈની સૌથી રસાકસીવાળી બેઠક વરલીની માનવામાં આવે છે. અહીં શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે અને એનસીપીના સુરેશ માને વચ્ચે જંગ છે. આદિત્ય ઠાકરે પરિવારના પહેલા સભ્ય છે જે ચૂંટણી લડી રહ્યા છે. આદિત્ય માટે માત્ર જીત નહીં, પરંતુ વધારેમાં વધારે મતોથી જીત મહત્ત્વની છે. બાન્દ્રા પૂર્વમાં મેયર વિશ્ર્વનાથ મહાડેકર સામે શિવસેનાના બળવાખોર નેતા તૃપ્તી સાવંત અને કૉંગ્રેસના નેતા ઝીશાન સિદ્દીકી છે. ત્રણેય ઉમેદવારો સશક્ત છે. અહીં કૉંગે્રસને મુસ્લિમ મતોનો ફાયદો થઈ શકે તેમ છે. વર્સોવામાં ભાજપના ચિહ્ન પરથી શિવસંગ્રામ પક્ષની ઉમેદવાર ડૉ. ભારતી લવેકર લડી રહ્યા છે, જેમની સામે કૉંગ્રેસના બળદેવ ખોસલા અને શિવસેનાના બળવાખોર નેતા તેમ જ નગરસેવિકા રાજુલ પટેલ ઊભા છે. ચાંદીવલી વિધાનસભા પરથી ચાર વાર વિધાનસભ્ય રહી ચૂકેલા કૉંગ્રેસના નેતા નસીમ ખાન સામે શિવસેનાએ મજબૂત નેતા દિલીપ લાંડેને ઊભા કર્યા છે. આથી આ બેઠક મહત્ત્વની બની ગઈ છે. પશ્ર્ચિમ ઉપનગરમાં મલાડની બેઠક પર કૉંગ્રેસના વર્તમાન વિધાનસભ્ય અસલમ શેખ સામે ભાજપે ઉત્તર ભારતીય ઉમેદવાર રમેશ ઠાકુરને ટિકિટ આપી છે. મૂળ કાંદિવલીમાં સક્રિય ઠાકુરને છેલ્લી ઘડીએ ટિકિટ આપવામાં આવી હતી. અહીંના મુસ્લિમ મતો મહત્ત્વના સાબિત થઈ શકે તેમ છે.

મુંબઈ ઉપરાંત નાલાસોપારામાં ક્ષિતિજ ઠાકુર સામે પોલીસ અધિકારી પ્રદીપ શર્માની બેઠકના પરિણામ પર સૌની નજર રહેશે. આ ઉપરાંત નાગપુર દક્ષિણમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સામે કૉંગ્રેસના આશિષ દેશમુખ ટક્કર આપશે. આ ઉપરાંત કરાડમાંં કૉંગ્રેસના ઉમેદવાર અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ સામે ભાજપે આનંદરાવ પાટીલને ઉમેદવારી આપી છે, જે એક સમયે ચવ્હાણના નજીકના વ્યક્તિ માનવામાં આવતા હતા. કૉંગ્રેસના નેતા અશોક ચવ્હાણ (ભોકર), ચંદ્રકાન્તદાદા પાટીલ (કોથરૂડ), એનસીપીના નેતા અજિત પવાર (બારામતી), ભાજપના નેતા પંકજા મુંડે અને તેમની સામે એનસીપીના નેતા ધનંજય મુંડે (પરલી) વગેરેની બેઠકો પરના મતદાન અને પરિણામ પર સૌની નજર રહેશે.

રાજ્યના કુલ ૮,૮૯,૩૯,૬૦૦ કરોડ મતદાર આજે ૩૨૩૭ ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં સીલ કરશે. રાજ્યની ૨૮૮ બેઠકનું મતદાન એક જ તબક્કામાં પાર પડવાનું છે અને આ માટે ચૂંટણી પંચે ૬.૫ લાખ કર્મચારીને મતદાતાની સુવિધાઓ માટે તહેનાત રાખ્યા છે.

——-

પંકજા પર વિવાદાસ્પદ નિવેદન: ધનંજય મુંડે સામે ફરિયાદ

મુંબઈ: એકબીજા પરના ઉગ્ર શાબ્દિક આક્ષેપો અને પ્રત્યાક્ષેપોથી રંગાયેલા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો છેલ્લો દિવસ વિવાદાસ્પદ ઘટનાથી પૂરું થયો હતો. રાજ્યના કેબિનેટ પ્રધાન અને પરલીથી વિધાનસભાની ચૂંટણી લડી રહેલા પંકજા મુંડે શનિવારે પ્રચાર દરમિયાન સ્ટેજ પર પડી ગયાં હતાં અને થોડી વાર માટે બેહોશ થઈ ગયાં હતાં. આ ઘટના બાદ પરલીના એનસીપીના ઉમેદવાર અને વિરોધપક્ષના નેતા ધનંજય મુંડેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં ધનંજય મુંડેએ પંકજા મામલે અણછાજતી ટિપ્પણી કરી હતી. આ વીડિયોએ ભારે વિવાદ જગાડ્યો હતો અને પરલી ખાતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ સાથે મહારાષ્ટ્ર

મહિલા આયોગે પણ મુંડેને નોટિસ મોકલાવી હતી.

બીજી બાજુ ધનંજય મુંડેએ એક વીડિયો દ્વારા સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે અમુક દિવસ પહેલાના તેમના ભાષણને એડિટ કરી ઈરાદાપૂર્વક વાયરલ કરવામાં આવી રહ્યું છે. તેમણે રડતા સ્વરે જણાવ્યું હતું કે હું પણ ત્રણ દીકરીનો બાપ છું અને બહેન માટે આવી ટિપ્પણી હું ક્યારેય ન કરી શકું. તેમણે આ વીડિયોને ફોરેન્સિક લૅબમાં મોકલી તપાસવા જણાવ્યું હતું અને જો તેમના પરના આક્ષેપો સાબિત થશે તો જીવ દઈ દઈશ, તેમ વીડિયોમાં કહ્યું હતું. હાલમાં હું મરું કે જીવું તે સમજાતું નથી. બે ભાઈ-બહેન વચ્ચે નવો ભાઈ આવી ગયો હોવાનો ટોણો પણ તેમણે માર્યો હતો. તેમનો ઈશારો સદાભાઉ ખોત અને સુરેશ ધસ સામે હતો.

દરમિયાન ધનંજય સામે પરલી સહિત રાજ્યભરમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમનું પૂતળું પણ બાળવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત ઘણા નેતાઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો

October 21, 2019
raining.jpg
1min8770

તળાજા શહેર અને ખાસ કરીને અલંગ પંથકના ગામડાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું, જેમાં તળાજા યાર્ડમાં પડેલી મગફળીની ગૂણો પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. તો ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ જતા દિવાળી પર્વને ઝાંખપ લાગશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર તળાજા શહેર અને અલંગ, મણાર, ભાખલ, બપાડા, સથરા, ત્રાપજ વિસ્તારમાં મૌસમે રૂખ બદલ્યો હતો જેમાં ભારે ગાજવીજ સાથે તળાજામાં પાંચ મિ.મી વરસાદ વરસ્યો હતો. જ્યારે ઉપરોક્ત ગામડાઓમાં ભારે પવન સાથે એક ઇંંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. તળાજા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ગૂણો પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન મગફળીના માલિકોને થયું હતું.

ભાખલ ગામના ખેડૂતે જણાવ્યું હતું કે મગફળી ખેંચેલી વાડી ખેતરમાં પડી હતી. જે વરસાદના કારણે તરવા લાગી હતી જેનાથી મગફળી તો સાવ ખરાબ થઈ અને પશુને નિરણ માટેનું ચારોલુ ખરાબ થઈ ગયું હતું. કપાસના પાકની પહેલો વિણ નિષ્ફળ ગયો હતો. વરસાદ થતાં કપાસના પાકને પણ મોટું નુકસાન થયું હતું. ખેડૂતોએ દિવાળીના બદલે હોળી થયાની વેદના વ્યક્ત કરી હતી.

મહીસાગરમાં વાતાવરણમાં પલટો: તોફાની વરસાદ પડતા ખેડૂતોને નુકસાનની આશંકા

મહીસાગર જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવી ગયો હતો. આજે બપોર સુધી સામાન્ય વાતાવરણ હતું અને તડકો પણ નીકળ્યો હતો ત્યારે અચાનક જ વાદળો ગોરંભાવા લાગ્યા અને થોડા જ સમયમાં કડાકા-ભડાકા સાથે પહેલા ઝરમર વરસાદ ચાલુ થયો હતો. વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવી રહ્યા છે. ગુજરાતમાં ચાલુ સિઝનમાં સમય કરતા વધારે લાંબા સમય સુધી ચોમાસુ ચાલ્યું છે. ચાલુ વર્ષે ગુજરાતમાં સિઝનનો ૧૩૯ ટકા વરસાદ પડી ગયો છે જેના કારણે ખેડૂતો અગાઉ જ લીલા દુષ્કાળનો સામનો કરી રહ્યા હતા ત્યારે દિવાળી નજીક આવી પહોંચી છે અને લણણીનો ટાઇમ નજીક આવ્યો તેમ છતાં પણ વરસાદ વરસતા ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે. ખેડૂતો હવે વરસાદ ન પડે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા ત્યાં અચાનક આજે આકાશ ગોરંભાયું અને વરસાદ ખાબક્યો હતો

October 21, 2019
hariyana_election.jpg
1min4910

હરિયાણામાં શાસક પક્ષ ભાજપ, કૉંગ્રેસ અને જનનાયક જનતા પાર્ટી વચ્ચે હરિયાણા વિધાનસભાની ૯૦ બેઠક માટે આજે મતદાન થશે. વિવિધ રાજકીય પક્ષોના ૧૧૬૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ભાજપે ૭૫ બેઠકનું લક્ષ્ય રાખ્યું છે. હાલમાં ભાજપ ૪૮ વિધાનસભ્ય ધરાવે છે. દુષ્યંત ચૌટાલાના નેતૃત્વમાં જનનાયક જનતા પાર્ટી (જેજેપી) પણ લોકસભામાં મળેલી પછડાટ પછી તેની તકમાં સુધારો થશે એવી આશા રાખી ઝુકાવ્યું છે. હરિયાણાના ચીફ ઇલેક્ટોરલ ઑફિસર અનુરાગ અગરવાલે કહ્યું કે સવારના સાત કલાકથી સાંજના છ કલાક સુધી ૧૯,૫૭૮ મતદાન મથક પર મતદાન થશે. ૭૫ હજારથી વધુ સુરક્ષા કર્મચારીઓને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત માટે તહેનાત કરાયા છે તેવું ડીજીપી મનોજ યાદવે શનિવારે જણાવ્યું હતું. કુલ ૧.૮૩ કરોડ મતદાર મતદાન માટે પાત્ર છે, જેમાં ૮૫ લાખ મહિલા અને ૨૫૨ ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. લગભગ ૨૭,૬૧૧ વોટર વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેઇલ (વીવીપીએટી) મશીનનો ઉપયોગ કરવામાં આવશે.

બસપા, આપ, આઇએનએલડી-એસએડી જોડાણ, સ્વરાજ ઇન્ડિયા અને લોકતંત્ર સુરક્ષા પાર્ટી જેવા કેટલાક પક્ષોએ પણ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે, જેઓ કેટલીક બેઠકો પર લડી રહ્યા છે. મુખ્ય પ્રધાન ખટ્ટર (કર્નાલ), ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા ભુપેન્દ્ર સિંહ હુડા, રણદીપ સિંહ સુરજેવાલા, કિરણ ચૌધરી અને કુલદીપ બિશ્ર્નોઇ વગેરે જાણીતા નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે. બબીતા ફોગટ, યોગેશ્ર્વર દત્ત, સંદીપ સિંહ, ટીકટૉક આર્ટિસ્ટ સોનાલી ફોગટ જેવા સેલિબ્રિટીઓએ ભાજપ તરફથી ઉમેદવારી કરી છે.

ચૂંટણી પ્રચારમાં ભાજપ તરફથી વડા પ્રધાન મોદી અને કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, રાજનાથ સિંહ અને સ્મૃતિ ઇરાનીએ રેલીઓ કરી હતી જ્યારે કૉંગ્રેસ માટે રાહુલ ગાંધી, ગુલામ નબી આઝાદ અને અશોક ગેહલોતે રેલીઓ કરી હતી. વર્તમાન વિધાનસભામાં ભાજપના ૪૮, આઇએનએલડીના ૧૯, કૉંગ્રેસના ૧૭, બસપાના ૧, શિરોમણિ અકાલી દળના ૧ અને ૫ અપક્ષ વિધાનસભ્ય હતા.

October 21, 2019
voting.jpg
1min4710

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી થશે. જ્યારે પંજાબ, બિહાર, ઉત્તર પ્રદેશમાં આજે આસામમાં ચાર બેઠક, હિમાચલ પ્રદેશમાં બે તથા તામિલનાડુમાં બે બેઠક, કેરલ પાંચ, સિક્ક્મિ ૩ બેઠક. રાજસ્થાનમાં બે બેઠક તથા અરૂણાચલપ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડીસા, છત્તીસગઢ, પુડ્ડુચેરી, મેઘાલય, તેલંગણામાં એક બેઠક માટે પેટાચૂંટણી છે. ગુજરાતમાં છ બેઠકમાં પેટાચૂંટણી છે.

મહારાષ્ટ્ર-હરિયાણમાં વિધાનસભાની ચૂંટણી છે. બે રાજ્ય વિધાનસભાની ચૂંટણી ઉપરાંત ૧૭ રાજ્યોમાં પેટાચૂંટણી છે.

October 20, 2019
shera_shivsena.jpg
1min6300

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના 36 કલાક અગાઉ તા.19મીની રાત્રે મુંબઇ ખાતે સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ શિવસેનામાં સત્તાવાર રીતે જોઇન થવાની વિધી પૂરી કરી હતી. શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેએ ઔપચારિક રીતે શેરા ને શિવસેનામાં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે શેરાને તલવાર અને ભગવા રંગની શાલ ઓઢાડીને શિવસેનામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

સલમાન ખાનનો બોડી ગાર્ડ હોવા છતાં શેરા એક સેલિબ્રીટી મનાય છે અને શેરાએ શિવસેના જોઇન કર્યાના સમાચારો વિશ્વભરમાં ચમક્યા હતા.

એક ફાઇલ તસ્વીરમાં શિવસેનાના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરે સાથે શેરા દ્રશ્યમાન છે. અત્યાર સુધી શેરા શિવસેનાના શુભેચ્છક હતા હવે સત્તાવાર રીતે કાર્યકર અને નેતા બન્યા છે.

October 20, 2019
modimetfilmstar.jpg
1min9360

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ વર્ષને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કળા અન સિનેમા જગતની દિગ્ગજ હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. પીએમ આવાસ પર યોજાયેલા આ કાર્યક્રમમાં અભિનેતા આમીર ખાન, શાહરુખ ખાન સહિત બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓ સામેલ થઇ હતી. 


પીએમ મોદીના ઘરે આમિર, શાહરુખ, કંગના સહિત ફિલ્મી હસ્તીઓનો જમાવડો, ગાંધી વિચારો પર ચર્ચા

આ કાર્યક્રમમાં ખાસ મહેમાનોને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે, ગાંધીના વિચાર સાદગીના પર્યાય છે. તેમના વિચાર વ્યાપક છે. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ફિલ્મ જગતની હસ્તીઓને દાંડીમાં નિર્માણ પામેલા ગાંધી મ્યૂઝિયમની મૂલાકાત લેવા અપીલ કરી હતી. આ સાથે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે અપીલ કરી હતી. કાર્યક્રમ સાથે જોડાયેલી તમામ માહિતી પીએમઓના ટ્વિટર પર શેર કરવામાં આવી હતી.  

કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે મહાત્મા ગાંધીના વિચારોનો પ્રચાર કરવા માટે ફિલ્મ અને ટેલિવિઝન જગતના તમામ શાનદાર કામ કરી રહ્યા છે. 


પીએમ મોદીના ઘરે આમિર, શાહરુખ, કંગના સહિત ફિલ્મી હસ્તીઓનો જમાવડો, ગાંધી વિચારો પર ચર્ચા

ફિલ્મ એક્ટર આમિર ખાને જણાવ્યું કે બાપુના વિચોરોનો પ્રચાર કરવા માટે પીએમ મોદીના પ્રયત્નોની હું કદર કરું છું. ક્રિએટીવ લોકો તરીકે આપણ ઘણુ બધુ કરી શકીએ છીએ. હું પીએમ મોદીને ભરોસો અપાવું છું કે, અમે આ દિશામાં પ્રયત્ન કરીશું.

શાહરુખ ખાને આ ખાસ કાર્યક્રમ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, મહાત્મા ગાંધીના વિચારોને લઇને અમને બધાને એક મંચ પર લાવવા માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરું છું. મારુ માનવું છે કે આપણે ગાંધીના વિચારોને ફરી એકવાર વિશ્વ અને દેશને પરિચિત કરાવવા જોઇએ.

આ સિવાય પીએમઓએ તેના ટ્વિટર એકાઉન્ટ પર બંને દિગ્ગજ અભિનેતાઓનો એક વિડીયો શેર કર્યો હતો જેમાં બંને અભિનેતાઓ પીએમ મોદીની પહેલની પ્રશંસા કરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાના પરદાની દિગ્ગજ હસ્તી એક્તા કપૂર અને અભિનેત્રી કંગના રનૌતે પણ વિડીયો દ્વારા પીએમ મોદીની પહેલની પ્રશંસા કરી હતી. કંગનાએ જણાવ્યું કે આવા પહેલા પીએમ છે, જેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આ પ્રકારનું મહત્વ આપ્યું છે. 

આ કાર્યક્રમમાં દિગ્ગજ ડિરેક્ટર આનંદ એલ રાય, રાજકુમાર હિરાણી સહિત વિખ્યાત હસ્તીઓએ ભાગ લીધો હતો.

October 20, 2019
Gandhinagar-Gujarat.jpg
1min4990

ગુજરાતની રાધનપુર, ખેરાલુ, થરાદ, બાયડ, લુણાવાડા અને અમરાઇવાડી એમ છ ખાલી પડેલી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી સોમવારે ૨૧મી ઓક્ટોબરે સવારે યોજાશે. શનિવાર સાંજથી અહીં પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. આ છ બેઠકો પર હવે ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે. ચૂંટણી પંચે મતદાન માટેની તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે.

કુલ ૪૨ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ૨૪ ઑક્ટોબરે મતગણતરી યોજાશે. આ પેટાચૂંટણી માટે રાજ્યમાં ૧૭૮૧ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં કુલ ૧૪.૭૬ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાધનપુર બેઠક પરથી ભાજપના અલ્પેશ ઠાકોર સામે કૉંગ્રેસના રઘુ દેસાઇ, બાયડ બેઠક પર ધવલસિંગઝાલા સામે કૉંગ્રેસના જશુભાઇ પટેલ, ખેરાલુ બેઠક પર ભાજપના અજમલ ઠાકોર સામે કૉંગ્રેસના બાબુજી ઠાકોર, લુણાવાડામાં ભાજપના જીગ્નેશ સેવક સામે કૉંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ, થરાદ બેઠક પર ભાજપના જીવાભાઇ પટેલ સામે કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત ચૂંટણી લડી રહ્યા છે.

October 20, 2019
maharashtra_map.jpg
1min5380

મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યના ઉમેદવારો પર એક નજર નાખતાં જોવા મળ્યું હતું કે કુલ ૩૨૩૭ ઉમેદવારોમાંથી ફક્ત ૨૩૫ મહિલા ઉમેદવાર છે. આ કુલ ઉમેદવારીના ફક્ત ૭.૩ ટકા છે. રાજ્યના ૨૮૮ મતદારસંઘમાંથી ૧૫૨ મતદારસંઘમાં મહિલા ઉમેદવાર છે. જોકે આ વખતે મહિલાની સંખ્યામાં અગાઉ કરતાં વધારો થયો છે. મુંબઈની ૩૬ બેઠકો પર કુલ૩૩૪ ઉમેદવાર મેદાનમાં છે, તેમાંથી મહિલા ઉમેદવારોની સંખ્યા ફક્ત ૩૧ છે. ૩૬ મતદારસંઘમાંથી કુલ ૨૧ મતદારસંઘમાં મહિલા ઉમેદવારો છે. ભાજપે ફક્ત ત્રણ અત્યારના મહિલા વિધાનસભ્યોને ઉમેદવારી આપી છે.

October 19, 2019
CIA_Live_Logo_New2.jpg
2min18580

એડમિશન કમિટીને ભાજીમૂળા સમજતી પારુલ યુનિવર્સિટી હાઇકોર્ટનો તમાચો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જે યુનિવર્સિટીના પ્રમોટર સામે રેપ કેસ ચાલી રહ્યો છે પારુલ યુનિવર્સિટીના સંચાલકો ખોટું કરવા માટે ટેવાયેલા હોય તેવું જણાય આવે છે. 2017-18માં પારુલ યુનિવર્સિટીએ મેડીકલ એડમિશન કમિટીને પૂછ્યા મૂક્યા વગર એમ.બી.બી.એસ.માં 15 વિદ્યાર્થીઓને મનસ્વી રીતે (કેવા વ્યવહારો કર્યા હશે એ તો પારુલના સંચાલકો જ જાણે) પ્રવેશ ફાળવી દીધા હતા. એમ.બી.બી.એસ. જેવા ભારતના સૌથી ડીમાન્ડેડ અને મહત્વના કોર્સમાં એડમિશન કમિટીની ઉપરવટ જઇને આપેલા પ્રવેશ મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્કેનરમાં આવી ગયા હતા અને પહેલા જ વર્ષે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોએ મનસ્વી રીતે, ગુજરાતની એડમિશન કમિટીની જાણ બહાર આપેલા 15 પ્રવેશને અમાન્ય ગણીને તેમને માન્યતા આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

પારુલ યુનિવર્સિટીમાં પ્રવેશ લેતા પહેલા વિચારવા જેવું

15 વિદ્યાર્થીઓનું ભવિષ્ય, વિદ્યાર્થી હિતને આગળ ધરીને પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોએ 15 વિદ્યાર્થીઓના પ્રવેશને કાયદેસર કરી આપવે સબબની એક પીટીશન ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી. ગુજરાત હાઇકોર્ટે આ પીટીશનના હિયરીંગમાં પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોની આકરી ટીકા કરતા ટાંક્યું હતું કે વિદ્યાર્થી હિત આગળ ધરીને ગેરકાનૂની રીતે અપાયેલા પ્રવેશ કેવી રીતે રેગ્યુલરાઇઝ કરી શકાય.

ગુજરાતમાં મેડીકલ એડમિશન ઓનલાઇન સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમથી હાથ ધરાય છે, ગુજરાત સરકારની કમિટી આ કામ કરે છે, ગમે તેવા સંજોગો ઉપસ્થિત થાય, એડમિશન કમિટીએ ફાળવેલા વિદ્યાર્થીઓને જ કોલેજોએ પ્રવેશ ફાળવવા પડે છે. પારુલ યુનિવર્સિટીમાં 15 જગ્યા ખાલી પડી હોય તેથી શું થયું, એડમિશન કમિટીની જાણ બહાર મનસ્વી રીતે, મેરીટ લિસ્ટની અવગણના કરીને પારુલ યુનિવર્સિટીએ આપેલા પ્રવેશને વિદ્યાર્થી હિત આગળ ધરીને રેગ્યુલરાઇઝ કરી આપવાનો હાઇકોર્ટે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.

બે વર્ષથી પારુલ યુનિવર્સિટીમાં એમબીબીએસ ભણતા 15 વિદ્યાર્થીઓને પારુલ યુનિવર્સિટીના સંચાલકોએ જ રઝળાવી માર્યા

આ સાથે જ છેલ્લા 2 વર્ષથી પારુલ યુનિવર્સિટીની મેડીકલ કોલેજમાં અભ્યાસ કરનારા 15 વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડવાના ધંધા પારુલ યુનિવર્સિટીએ કર્યા એની જવાબદારી કોની, આ વિદ્યાર્થીઓનું હવે શું થશે, પારુલ યુનિવર્સિટીએ 2018માં આ પ્રવેશ આપવાના બદલામાં કેવા વ્યવહારો કર્યા એ બધી જ વિગતો હવે તપાસનો વિષય બની છે.

પારુલ યુનિ.એ બારોબાર આપેલા પ્રવેશમાં નીટની લાયકાત હશે કે કેમ એ પણ શંકા

પારુલ યુનિવર્સિટીએ જે 15 વિદ્યાર્થીઓને મેડીકલમાં પ્રવેશ આપ્યા હતા, તેમના નામો મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેરીટ લિસ્ટમાં પણ ઉપલબ્ધ ન હતા, જેનો અર્થ એ પણ કાઢી શકાય કે પ્રવેશાર્થીઓએ નીટનું ક્વોલિફિકેશન પણ મેળવ્યું હશે કે કેમ એ સવાલ છે. પારુલ યુનિવર્સિટીએ એવી દલીલ કરી હતી કે પ્રવેશ સમિતિએ ફાળવેલા વિદ્યાર્થીઓ પૈકી 15 વિદ્યાર્થીઓએ મેડીકલમાં પ્રવેશ કેન્સલ કરાવ્યા હતા, એથી તેમની 15 બેઠકો ખાલી પડી રહી હતી. 15 ખાલી બેઠકો પર પ્રવેશાર્થી ફાળવવા માટે પારુલ યુનિવર્સિટીએ એડમિશન કમિટીને એપ્રોચ કર્યો હતો પરંતુ, એડમિશન કમિટીએ રિસ્પોન્સ નહીં આપતા બારોબાર પ્રવેશ આપવા પડ્યા હતા, આ પ્રકારની કેફિયત પારુલ યુનિવર્સિટી દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.

Media Reports on Parul University Medical Admission issue

https://ahmedabadmirror.indiatimes.com/ahmedabad/education/hc-turns-down-plea-to-regularise-admissions-of-15-mbbs-students/articleshow/71621984.cms

Gujarat Guardian Dt. 19/10/2019

October 19, 2019
indiaVSSa.jpg
1min5130

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ આજરોજ તા.19મી ઓક્ટોબર 2019થી રાંચીના ઐતિહાસિક મેદાન ખાતે શરૂ થઇ રહી છે.

અગાઉની બંને ટેસ્ટ મેચ જીતી લીધા બાદ ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. શ્રેણી 3-0થી જીતી લેવા માટે ભારતીય ટીમ સજ્જ છે.

ટેસ્ટ મેચમાં ટોસ નિર્ણાયક રહેનાર છે. બીજી ટેસ્ટ મેચ પણ ભારતે જંગી અંતર સાથે જીતી હતી. ભારતે પુણે ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને એક ઇનિંગ્સ અને 137 રને હાર આપીને ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી 2-0થી જીતી લીધી હતી.’ કેપ્ટન વિરાટ કોહલીના અણનમ 254 રન બાદ ભારતીય બોલરોના શાનદાર દેખાવના પરિણામ સ્વરુપે ભારતે આ ટેસ્ટ મેચ ચોથા દિવસે જ પોતાના નામ ઉપર કરી હતી.