મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટની બેઠકમાં મહા વાવાઝોડું અને અકુદરતી વરસાદને કારણે ખેડૂતોને ખેતીમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કૃષિપ્રધાન આર.સી ફળદુએ જણાવ્યું હતું કે, આજે કેબિનેટમાં થયેલી ચર્ચા પ્રમાણે ચારેય વીમા કંપનીઓએ 10 દિવસમાં સર્વેની કામગીરી પૂરી કરવાની રહશે. પછીના 15 દિવસમાં ગણતરી કરીને ખેડૂતોને વળતર ચૂકવવાનું થશે. ગુજરાતના અમુક ભાગમાં ખેડૂતોએ વીમો નથી લીધો. આવા ખેડૂતોના પાકને 33 ટકાથી વધારે નુકસાન થયું હશે તો તેમને કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે વળતર ચૂકવવામાં આવશે.
ફળદુએ કહ્યું કે, ચોમાસામાં 144 ટકા વરસાદ થયો હતો. માવઠાને કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાનીનો સામનો કરવો પડયો છે. વીમા કંપનીઓ સાથે બેઠક કરી ખેડૂતોને નુકસાનીનો સર્વે કરવાની કામગીરી ચાલી રહી છે પરંતુ વીમા કંપનીના ફોન લાગતા ન હોવાની ખેડૂતોની ફરિયાદ છે. જેને અનુલક્ષીને ચારેય કંપનીઓને 10 દિવસમાં સર્વે કરી 15 દિવસમાં વળતર ચૂકવવા જણાવવામાં આવ્યું છે.
કૃષિપ્રધાને કમોસમી વરસાદને કારણે ખેતીને થયેલા નુકસાનના અંદાજિત આંકડા આપતા કહ્યું કે, અત્યાર સુધી સરકારને ખેડૂતો પાસેથી 1.57 લાખ અરજી મળી છે. જે પ્રમાણે 2.92 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતીના પાકને નુકસાન થયું હોવાનું કહી શકાય.
અમરેલી જિલ્લામાં ખેડૂતો પાસે સર્વેની કામગીરી માટે પૈસા લેવાનો વીડિયો વાયરલ થવા અંગે ફળદુએ કહ્યું કે, સરકારે અમરેલી જિલ્લાના અધિકારીઓને તેની સામે પગલાં લેવાની સૂચના આપી દીધી છે. એજન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’ તેમણે મગફળી સહિત ટેકાના ભાવે ખરીદી 15મી નવેમ્બરથી રાજ્યમાં શરૂ કરવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું.’
રાજકોટમાં આજરોજ તા.7મી નવેમ્બર 2019ના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-20 મેચોની શ્રેણીની બીજી મેચ રમાશે. એક તરફ વરસાદનું વિધ્ન આવ્યું છે, અને બીજી તરફ ભારત આ મેચ માટે દબાવમાં છે.ૉ
રાજકોટમાં મહા વાવાઝોડાની ઇફેક્ટસને લીધે બુધવારે રાત્રે વરસાદ પડતા ગ્રાઉન્ડમાં પાણી ભરાય જવા પામ્યા છે. રોહિત શર્માનાં નેતૃત્વમાં ભારતીય ટીમે પ્રથમ ટ્વેન્ટી મેચ દિલ્હી ખાતે ગુમાવી દીધા બાદ ભારતીય ચાહકો તરફથી ટીમ પર ભારે દબાણ છે.
બાંગ્લાદેશ સામે ભારતે અગાઉ ક્યારેય કોઇ મેચ ગુમાવી ન હતી. જો કે દિલ્હીની મેચ હારી જતા હવે ટીમ ઇન્ડિયા પર ભારે દબાણ છે. રાજકોટમાં સ્થાનિક ચાહકો રોહિત શર્મા સહિત તમામ સ્ટાર ખેલાડીઓ પાસેથી ધરખમ દેખાવની અપેક્ષા રાખી રહ્યા છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચને લઇને કરોડો ક્રિકેટ ચાહકો ભારે ઉત્સુક છે. આ વખતે ટીમ ઇન્ડિયાના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તે ટ્વેન્ટી શ્રેણીમાં રમનાર નથી.’ તેની જગ્યાએ રોહિત શર્મા જ કેપ્ટન તરીકે મેદાનમાં છે. કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા પર બાટિંગની સાથે સાથે કેપ્ટન તરીકેની પણ જવાબદારી રહેલી છે. સાથે સાથે તે હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આફ્રિકા સામે તાજેતરમાં જ રમાયેલી શ્રેણીમાં તેનો દેખાવ જોરદાર રહ્યો હતો. બીજી બાજુ પીચને લઇને ટીમ ઇન્ડિયા ખુશ દેખાઈ રહી છે. ટીમ ઇન્ડિયાના કોચ અને ખેલાડી રાજકોટ સ્ટેડિયમની પીચને લઇને સંતુષ્ટ છે. તમામ લોકો જાણે છે, વિતેલાં વર્ષોમાં અહીંની વિકેટ ઉછાળનાં કારણે હંમેશાં ચર્ચામાં રહી છે. બોલ બાટિંગ કરનાર બેટ્સમેનોને હેરાન કરનાર તરીકે હોય છે. મેચનું પ્રસારણ સાંજે સાત વાગ્યાથી થશે.
રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોની પડખે ઉભી રહેવાના દાવા સાથે સરકારે કિસાનોની નુકસાની અંગે સર્વેક્ષણની મુદ્દત વધારીને ટોલ ફ્રી નંબર જાહેર કર્યો હતો. પરંતુ આ નંબર પર ફોન ન લાગવો અને લાગે તો રીસીવ ન થવાની અનેક ફરિયાદ ઉઠી રહી છે. રાજકોટ જિલ્લામાં આ અંગે 22 હજાર જેટલી અરજી મળી છે. પરંતુ અમુક ખેડૂતો ફોન ન લાગવાના કારણે હજુ પાક નુકસાની મુદ્દે ચિંતિત છે. માવઠું એ ખેડૂતો માટે શ્રાપ સમાન બની રહે છે. પરંતુ સરકારની પધ્ધતિ ખેડૂતો સાથે મજાક’ સમાન હોવાનો રોષ પ્રવર્તી રહ્યો છે.
symbolic photo
પાક વિમો આપવામાં સરકારની રીતિ અને નીતિ ખોટી હોવાના આક્ષેપ સાથે રાજકોટ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાએ જણાવ્યું હતુ કે, સરકાર દ્વારા સર્વેક્ષણ માટે જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબરની” વ્યવસ્થા ગેરવ્યાજબી છે. કારણ કે, ટૂંકા સમયમાં આ પધ્ધતિમાં અનેક ખેડૂતો પોતાની રજૂઆત કરી શકતા નથી અને અંતે તેઓ પાક વિમાથી વંચિત રહેવાની શક્યતા છે. સરકાર ખરેખર ખેડૂતોની ચિંતા કરતી હોય તો તાલુકા અને ગ્રામ્ય કક્ષાના તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, મામલતદાર તથા વિસ્તરણ અધિકારીઓ પાસે સર્વે કરાવે તો સચોટ સર્વે થાય તેમજ સાચી મહિતી મળે અને ખેડૂતોને નિષ્ફળ પાકનું પુરૂ વળતર મળી રહે.
રાજ્યમાં હાલ ૧૫ ટીમ તહેનાત છે અને વધુ ૧પ ટીમ આવી રહી છે. હાલના તબક્કે આપણી પ્રાથમિકતા દરિયામાં માછીમારી માટે ગયેલી ફિશિંગ બોટ પરત આવે તેની છે. કુલ ૧૨,૬૦૦ બોટ સમુદ્રમાં માછીમારી માટે ગયેલી છે, તેમાંથી ૧ર હજાર જેટલી તો પરત આવી ગઇ છે અને સોમવાર સાંજ સુધીમાં અન્ય બોટ પણ પરત આવી જશે, એમ મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યમાં સંભવિત ‘મહા’ વાવાઝોડાની આફતની સ્થિતિ અંગે વહીવટીતંત્રની સજ્જતા અને સર્તકતાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ બેઠક બાદ સંભવિત ‘મહા’ વાવાઝોડાની સ્થિતિની વિગતો સબબ મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું કે, હાલની સ્થિતિમાં આ ‘મહા’ વાવાઝોડું તા. છ નવેમ્બર થી સાત નવેમ્બર વચ્ચે રાજ્યના દિવ-પોરબંદર નજીક લૅન્ડફોલ થવાની સંભાવના છે. આ વાવાઝોડાંની હાલની તીવ્રતા ઇન્ટેન્સિટી દિન-પ્રતિદિન ઘટી રહી છે અને કલાકના ૮૦ થી ૯૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.
મહેસૂલ અધિક મુખ્ય સચિવે રાજ્યના નાગરિકોને ખાસ અનુરોધ કર્યો કે આ વાવાઝોડાની તીવ્રતા ઘટી રહી છે તેથી ભયભીત થવાની કોઇ જરૂરિયાત નથી. રાજ્ય પ્રશાસન આ સંભવિત આપદાને પહોંચી વળવા પૂર્ણત: સજ્જ છે અને ભારતીય હવામાન વિભાગ તરફથી મળતી સૂચનાઓ તેમ જ વાવાઝોડાંની ગતિવિધિ પ્રત્યે સંપૂર્ણ ચોકસાઇથી કાર્યરત છે.
આગાહીઓને ધ્યાનમાં રાખી વખતોવખત આગોતરી તૈયારીઓ પણ કરવામાં આવી જ રહી છે. દરમિયાન રાજ્ય સરકારે વાવાઝોડાના સંભવિત ખતરાને પહોંચી વળવા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી છે. રાજ્યમાં એનડીઆરએફની ૧૫ ટીમો ફરજ પર છે.
વાવાઝોડા સામે રેસ્ક્યૂ અને બચાવ કાર્ય માટે પંજાબથી અને મહારાષ્ટ્રથી પાંચ-પાંચ ટીમો બોલાવાશે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા માછીમારોને આગામી આઠમી નવેમ્બર સુધી દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે. તેમ છતાં વાવાઝોડા દરમિયાન કે ભારે વરસાદ દરમિયાન કોઈ જરૂરિયાત જણાય તો તેને માટે કોસ્ટગાર્ડના સાત જહાજ અને બે વિમાન સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
દેશના મુખ્ય નવ મુખ્ય શહેરોમાં કરવામાં આવેલા સરવે દરમિયાન એવી વિગતો બહાર આવી છે કે ગત જુલાઈ-સપ્ટેમ્બર દરમ્યાન રહેણાંકના આવાસો, ઘરોનું વેચાણ ૯.૫ ટકા ઘટયું છે. ઈકોનોમિક સ્લોડાઉનની અસરરૂપે માંગ ઓછી રહી છે. કેશ લિક્વીડિટીની પણ મોટી કટોકટી પણ છે. ખરીદનારા ઘટયા છે એમ પ્રોપ ઈક્વિટીના અહેવાલમાં જણાવાયું છે. ઘર ખરીદનારા હાલ ખરીદવાનો નિર્ણય પાછળ ઠેલી રહ્યા છે. બજારમાં પ્રવાહિતાની સ્થિતિ રહી છે. મોટાભાગના ગ્રાહકો તૈયાર મિલકત ખરીદવાને પ્રાધાન્યતા આપી રહ્યા છે. બીજું હવે ગ્રાહકો સારો ટ્રેક રેકોર્ડ ધરાવતા બિલ્ડરો-ડેવલપરને જ પસંદ કરે છે.
હાઉસિંગ વેચાણમાં ઘટાડો દર્શાવતો આ ચોથો રિપોર્ટ છે. હાઉસિંગ ક્ષેત્રની મોટી બ્રોકરેજ કંપનીના અહેવાલમાં જણાવાયું છે કે જુલાઈ-સપ્ટેમ્બરમાં ઘરોનું વેચાણ ૨૫ ટકા જેટલું ઘટયું છે. રીયલ એસ્ટેટ ક્ધસલ્ટન્ટના અહેવાલમાં પણ વેચાણ ઘટયું હોવાનું નોંધ્યું છે.
પ્રોપ ઈક્વિટીના રિપોર્ટમાં જણાવાયું છે કે નવ મુખ્ય શહેરોમાં ઘરોનું વેચાણ ઘટીને ૫૨૮૫૫ યુનિટનું રહ્યું છે જે અગાઉના વર્ષે ૫૮૪૬૧ યુનિટ હતું.
નવા હાઉસિંગ પ્રોજેક્ટમાં ૨૪ ટકાનો ઘટાડો જોવાયો છે. વેચાયા વિનાના ઘરોની સંખ્યા છ લાખથી વધુ છે. નવ શહેર પૈકી ૭માં ઘરોનું વેચાણ ઘટયું છે. ફક્ત બે શહેરમાં સાધારણ વધ્યું છે. ચેન્નઈમાં સૌથી વધુ અસર થઈ છે. ત્યાં ઘરોનું વેચાણ ૨૫ ટકા ઘટયું છે. મુંબઈમાં ૨૨ ટકા, હૈદરાબાદ ૧૬ ટકા, કોલકાતા ૧૨ ટકા, નોઈડામાં ૧૧ ટકા, બેંગલુરુમાં ૯ ટકા અને થાણેમાં ૯ ટકા ઘટયું છે. પુણેમાં એક ટકા અને ગુરુગ્રામમાં ૭ ટકા વેચાણ વધ્યું છે.
લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન (એલઆઈસી)એ પૉલિસીધારકોને તેમની બે વર્ષથી વધુ સમય અગાઉ લેપ્સ (પ્રીમિયમ નહીં ભરવાથી રદ થયેલી) થયેલી પૉલિસી રિવાઈવ કરવાની છૂટ આપી છે. જે પૉલિસી બે વર્ષથી વધુ સમય અગાઉ લેપ્સ થઈ ગઈ હતી જેને અગાઉ ફરી શરૂ કરવાની છૂટ ન હતી તેવી પૉલિસી પણ હવે પુનર્જીવિત થઈ શકશે તેવું એલઆઈસીએ સોમવારે એક નિવેદનમાં કહ્યું હતું.
પહેલી જાન્યુઆરી ૨૦૧૪ પછી જેમણે પૉલિસી લીધી હતી તેવી યુનિટ-લિન્કડ પૉલિસી ત્રણ વર્ષમાં અને યુનિટ લિન્ક નહીં હોય તેવી પૉલિસી પાંચ વર્ષમાં પુનર્જીવિત કરી શકાશે. એલઆઈસીના મેનેજિંગ ડિરેકટર વિપિન આનંદે કહ્યું હતું કે કોઈ કારણવશ પ્રીમિયમ નહીં ભરી શકાયું હોય અને પૉલિસી રદ થઈ જતી હોય તો તે પૉલિસી રિન્યૂ કરવાની છૂટ મળે તે સારી બાબત છે. તેમણે કહ્યું કે જીવન વીમા પૉલિસી લેવાનો નિર્ણય જીવનના સારા નિર્ણયોમાંથી એક છે. અમે અમારા દરેક પૉલિસીધારકની કદર કરીએ છીએ અને જીવન વીમા છત્ર અમારી સાથે ચાલુ રાખવાની તેમની ઈચ્છાને અમે સન્માન આપવા માગીએ છીએ.
ભૂતકાળમાં જે પૉલિસીઓ રિન્યૂ નહીં કરી શકાય હતી પણ હવે કરી શકાય છે તે એક પૉલિસીધારકો માટે સારી તક છે તેવું તેમણે કહ્યું હતું.
RCEP સામેની સ્થાનિક ચળવળો રાષ્ટ્રીય સ્વરુપ પકડે એ પહેલા મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
RCEP રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ નામના 16 દેશો વચ્ચે થનારા સૂચિત ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ સામે ભારતમાં ઉઠેલી ચળવળ રાષ્ટ્રીય સ્વરૂપ પકડે એ પહેલા જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે ભારત RCEPમાં જોડાય તેવી કોઇ શક્યતા હાલ નથી. ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટમાં જોડાવા અંગેનો સવાલ જ ઉપસ્થિત થતો નથી.
RCEP સામે સૂરતમાં ટેક્સટાઇલ કારખાનેદારો ખાસ કરીને વિવર્સ, ટ્રેડર્સ, પ્રોસેસર્સ વગેરેએ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ એક સુનિયોજિત લડતના મંડાણ કર્યા હતા. સૂરતના ટેક્સટાઇલ ઉદ્યોગની સાથે મુંબઇ, ભીવંડી, અમદાવાદ વગેરેના પણ કારખાનેદારો, વેપારીઓ જોડાયા હતા. એ રીતે દિલ્હી, હૈદરાબાદ, રાજસ્થાન વગેરેથી પણ RCEP સામે મૂવમેન્ટ વેગ પકડી રહી હતી. આ સ્થાનિક ચળવળો મોટું સ્વરૂપ પકડે એ પહેલા જ મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક મારીને RCEP માં જોડાવા અંગે હાલ તો પૂર્ણ વિરામ લગાડી દીધું છે.
વડાપ્રધાન મોદીએ શું કહ્યું તેમની સ્પીચમાં
* PM Modi: Our farmers, traders, professionals and industries have stakes in such decisions. Equally important are the workers and consumers, who make India a huge market and the third biggest economy in terms of purchasing power parity. When I measure the RCEP Agreement with respect to the interests of all Indians, I do not get a positive answer. Therefore, neither the Talisman of Gandhiji nor my own conscience permit me to join RCEP.
RCEPના વર્તમાન મુસદ્દામાં ભારતને હાનિ પહોંચે તેવી કેટલીક જોગવાઇઓ સામે અગાઉ ભારતે સખત વિરોધ કર્યો હતો એ બાબતે હજુ સુધી કોઇપણ પ્રકારના સુધારાઓ સૂચવાયા નથી. થાઇલેન્ડ ખાતે એશિયાઇ દેશો વચ્ચેની બેઠકમાં વડાપ્રધાન શ્રી મોદીએ સ્પષ્ટ કહ્યું કે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટની તરફેણમાં ભારત નથી.
હાલમાં જે પ્રકારે RCEP ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ ફ્રેમ કરવામાં આવી રહ્યો છે તેની સામે પણ ભારત તરફથી નેગોશીએટ કરી રહેલા એક્સપર્ટસે અનેક વાંધાઓ લેખિતમાં રજૂ કર્યા છે. જેમાં એક મુદ્દો ઇમ્પોર્ટ ડ્યૂટીની મોટી આવક ભારતે ગુમાવવી પડે તેમ છે, વિશ્વ માટે ભારત એક મોટું બજાર છે, ભારતમાં ડીમાંડ પણ હોય તેવી ચીજવસ્તુઓના ખડકલા ભારતમાં થશે જે અનેક મુશ્કેલીજનક બની રહેશે. આ અંગે RCEP કોઇ રેમેડિયલ પ્રપોઝલ મૂવ કરવામાં આવી નથી.
RCEP અન્વયે થનારા કથિત ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટમાં ભારત અન્ય દેશો માટે સૌથી મોટું માર્કેટ બનશે તેની સરખામણીમાં ભારતે એવી માગ કરી હતી કે ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપવામાં આવે. ભારતની આ માગ પરત્વે પણ કોઇ પ્રતિસાદ RCEP દ્વારા પાઠવવામાં આવ્યો નથી.
ભારતની સરખામણીમાં RCEP માં જોડાઇ રહેલા અન્ય દેશો ખુબ નાના છે, વિસ્તાર, વસતિ, ઇકોનોમીની દ્રષ્ટીએ એ દેશો અને ભારતનું મૂલ્ય સરખું આંકવાની બાબતે પણ ભારતે મોટો વાંધો નોંધાવ્યો છે.
RCEPના વર્તમાન મુસદ્દામાં ભારતના પડતર પ્રશ્નો સંદર્ભે કોઇ ઉકેલ જણાતો નથી
આ મુજબના મુદ્દાઓને પગલે RCEP માં જોડાવાની બાબતે હાલ તુરત તો પૂર્ણ વિરામ મૂકાઇ ગયું છે
The RCEP failed to addressed some of the core concerns raised by India, such as the threat of circumvention of Rules of Origin due to tariff differential, inclusion of fair agreement to address the issues of trade deficits and opening of services.
* Indian negotiators had also questioned the design of the trade agreement, which will see elimination of import duties on 80-90% of goods, along with easier services and investment rules. For India, the big concern was goods trade as domestic industry fears that lower customs duty will see a flood of imports, especially from China, with which India has a massive trade deficit.
* In its negotiations, the government had also raised the issue of unavailability of MFN (Most Favoured Nation) obligations, where it would be forced to give similar benefits to RCEP countries that it gave to others.
* India had raised a red flag over the move to use 2014 as the base year for tariff reduction. While RCEP negotiators wanted to sign the deal in 2020, the new tariff regime will kick in from 2022 and will see duties go back to 2014 levels.
* In his speech at the RCEP summit, PM Modi said, “The present form of the RCEP Agreement does not fully reflect the basic spirit and the agreed guiding principles of RCEP. It also does not address satisfactorily India’s outstanding issues and concerns In such a situation, it is not possible for India to join RCEP Agreement.
* Earlier, under the UPA government, India had opened 74% of its market to Asean countries but richer countries like Indonesia opened only 50% of their markets for India. It also agreed to explore an India-China FTA in 2007 and join RCEP negotiations with China in 2011-12. However, the impact of these decisions resulted in increased trade deficit with RCEP nations – from $7 billion in 2004 to $78 billion in 2014.
તળાજા પંથકના અનેક ગામડાઓમાં છેલ્લા બે ત્રણ દિવસથી ઘેટાંઓ ટપોટપ મરી રહ્યા છે. આશરે એકાદ હજાર ઘેટાંઓ મર્યાની આશંકા વચ્ચે પશુ ડોકટરોએ લોહી અને સિરમના સેમ્પલ લઈ રાજ્યની લેબોરેટરીમાં મોકલ્યા છે. ત્યાંથી રોગનો પ્રકાર જાણવા મળ્યા બાદ વધુ સઘન કાર્યવાહી કરવામાં આવશે.
તળાજાના પાદરી(ગો)ના સરપંચ સુખુભા ગોહિલના જણાવ્યા પ્રમાણે બે દિવસમાં પાંચેક માલધારીના 164 ઘેટાંઓ એકજ ગામમાં ભેદી રોગચાળાને લઈ મરી ગયા છે. પશુ દવાખાનાના ડોકટર ભૂતના જણાવ્યા પ્રમાણે આખો દિવસ તેઓ પોતાની નીચે આવતા પીપરલા, ઇસોર, દેવલી, તરસરા, પાદરી સહિતના ગામડાઓમાં ટપોટપ ઘેટાં મરી રહ્યા છે તેને બચાવવા માટે કામગીરી કરી રહ્યા છે. કરમિયા વિરોધી દવા આપી રહ્યા છે. તેઓએ વિશેષમાં જણાવ્યું હતું કે મોટી ઉંમરના ઘેટાંજ મરી રહ્યા છે.
રોગનો પ્રકાર જાણવા માટે અલગ અલગ જૂથના 38 ઘેટાંઓના લોહી, સિરમના સેમ્પલ લઈ અમદાવાદ સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના રાજકારણનું ડહોળાયેલું ચિત્ર આજે થોડુંઘણું સ્પષ્ટ થવાના સંકેતો છે. દિલ્હી ખાતે આજે એનસીપીના વડા શરદ પવાર અને કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધી વચ્ચે બેઠક થનારી છે. આ સાથે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ આજે દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળવાના છે.
રાજ્યમાં એનસીપીને ૫૪ અને કૉંગ્રેસને ૪૪ બેઠક મળી હોવાથી આ બન્ને પક્ષ મળી સત્તા સ્થાપી શકે તેમ નથી, પરંતુ ભાજપ (૧૦૫) અને શિવસેના (૫૬) વચ્ચે સોગઠું ન ગોઠવાતા શિવસેનાને સમર્થન આપી સત્તામાં આવવાના દ્વાર બન્ને પક્ષ માટે ખુલ્યા છે અને તેથી આજની આ બેઠક પર સમગ્ર દેશની નજર છે. પવાર અને ગાંધી દેશની આર્થિક સ્થિતિની ચર્ચા કરવા આજે મળશે તેવું સત્તાવાર રીતે કહેવામાં આવે છે.
બીજી બાજુ સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ફડણવીસ રાજ્યમાં સર્જાયેલા લીલા દુકાળની સ્થિતિને પહોંચી વળવા માટે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી મદદ માટે શાહને મળી રહ્યા છે, પરંતુ સ્વાભાવિક છે કે તેઓ રાજ્યની રાજકીય સ્થિતિ અંગે શાહને અવગત કરશે. દિલ્હીમાં થઈ રહેલી આ બે મુલાકાત રાજ્યમાં નવી સરકાર અંગેના ચિત્રને સ્પષ્ટ કરે તેવી સંભાવના છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.