CIA ALERT

Slider Archives - Page 287 of 491 - CIA Live

November 22, 2019
traffic_police_memo-1280x720.jpg
1min6070

ટ્રાફિક મેમો ફાડીને દંડ વસૂલવામાં ગુજરાત પોલીસ 101 કરોડની વસૂલાત સાથે દેશમાં બીજા ક્રમે

નવો મોટર વેહીકલ એક્ટ લાગુ થયા બાદ અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ મળીને પ77 કરોડથી વધુ રૂપિયાનાં મેમો ફાટયા હોવાનું તા.21મી નવેમ્બર 2019ના રોજ કેન્દ્રના પરિવહન મંત્રાલય દ્વારા લોકસભામાં આધિકારીક રીતે જણાવવામાં આવ્યું હતું.

આ વાસ્તવિક દંડ વસૂલાત ન હોવાનું પણ મંત્રાલયે જણાવ્યું હતું. કારણ કે કેટલાક ચલણોમાં કેશ રૂપિયા વસૂલ થયા છે તો કેટલાક ચલણો આર.ટી.ઓ.માં તો કેટલાક ચલણને અદાલતોમાં મોકલવામાં આવી રહ્યા છે. ભાજપ સાંસદ જગદંબિકા પાલે લોકસભામાં પૂછેલા સવાલનો ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ જવાબ આપ્યો હતો.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં કુલ 38 લાખ લોકોનાં મેમો ફાડવામાં આવ્યા છે. તામિળનાડુમાં સૌથી વધુ 14.13 લાખ લોકોનાં ચલણ નીકળ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ટ્રાફિક પોલીસ દ્વારા દંડનીય વસૂલાત રૂ.101 કરોડની કરી દેવામાં આવી છે. દંડ વસૂલ કરવામાં ગુજરાત સમગ્ર ભારતમાં ઉત્તર પ્રદેશ (પહેલા ક્રમ) પછી બીજા ક્રમે આવે છે.

ક્યાં કેટલી રકમના મેમો ફાટ્યા રકમ રૂ.માં

ચંદિગઢ’ 5,58 કરોડ
આસામ’ 12.45 લાખ
છત્તીસગઢ””””” 14.81 લાખ
ઉત્તરપ્રદેશ””””” 201.91 કરોડ
દિલ્હી”’ 34.15 કરોડ
રાજસ્થાન””””” 5.56 કરોડ
બિહાર”’ 78.37 કરોડ
પંજાબ”’ 85.64 લાખ
ઉત્તરાખંડ”””””’ 3.05 કરોડ
ગુજરાત’ 101.27 કરોડ
મહારાષ્ટ્ર’ 4.16 કરોડ
હરિયાણા 72.18 કરોડ

નવો કાયદો લાગુ કરવામાં આવ્યા બાદ દેશમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું કહેવામાં આવ્યું છે. જો કે તેમાં ફક્ત નવ રાજ્યોની જાણકારી જ મૂકવામાં આવી છે. ગતવર્ષનાં સપ્ટેમ્બર-ઓક્ટબરની તુલનામાં ક્યાં કેટલો ઘટાડો નોંધાયો તેનું વિવરણ સંસદમાં આપવામાં આવ્યું હતું. જો કે છત્તીસગઢમાં અકસ્માતોમાં 4.1 ટકાનો વધારો નોંધાયો હોવાનું પણ તેમાં ટાંકવામાં આવેલું છે.

રાજ્ય”’ અકસ્માતમાં ઘટાડો
કેરળ””’ 2.1 ટકા
યુપી””” 9.8 ટકા
બિહાર”’ 10.પ ટકા
ગુજરાત’ 13.8 ટકા
ઉત્તરાખંડ”””””’ 21.8 ટકા
હરિયાણા 11.8 ટકા
પુડ્ડુચેરી 30.7 ટકા
ચંદિગઢ’ 7પ ટકા

November 22, 2019
pink_ball_test_CIALIVE_news.jpg
1min5750

ભારત અને બંગલાદેશ વચ્ચે શુક્રવારથી ભારતમાંની સૌપ્રથમ દિવસ – રાતની ટેસ્ટ રમાવાની છે અને તેમાં ગુલાબી બૉલ વાપરવામાં આવશે. બંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના પણ ઇડન ગાર્ડન્સ ખાતેની આ સૌપ્રથમ દિવસ – રાતની ટેસ્ટ જોવા આવવાના છે.

આમ છતાં, સચિન તેન્ડુલકર સહિત કેટલાક ખેલાડીએ દિવસ રાતની ટેસ્ટ માટે ચિંતા વ્યક્ત કરી હતી.

અમુક ક્રિકેટરે જણાવ્યું હતું કે ઝાકળને લીધે બૉલ ભીનો થઇ જશે અને તેનાથી બૉલરો માટે તેને સ્વિંગ કરવો મુશ્કેલ બનશે.

બંગલાદેશની ટીમ ભારત રમવા આવે તે પહેલાં ભારતીય ક્રિકેટ બૉર્ડ (બીસીસીઆઇ)ના નવા વડા સૌરવ ગાંગુલી બંગલાદેશ ક્રિકેટ બૉર્ડને દિવસ રાતની આ ટેસ્ટ રમવા સમજાવવામાં સફળ થયા હતા.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે દિવસ રાતની ટેસ્ટ માટે સાત વર્ષ પહેલાં પરવાનગી આપી હતી અને અત્યાર સુધીમાં આવી ૧૧ ટેસ્ટ રમાઇ હતી. ચાર વર્ષ પહેલાં એડેલેઇડ ખાતે ન્યૂ ઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ૨૦૧૫ના ડિસેમ્બરમાં સૌપ્રથમ દિવસ રાતની ટેસ્ટ રમાઇ હતી. સૂર્યાસ્ત પછી ગુલાબી બૉલ જોવામાં મુશ્કેલી પડવાનો ભય પણ વ્યક્ત કરાઇ રહ્યો છે.

ભારતીય સુકાની વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે ગુલાબી બૉલથી રમવું પડકારરૂપ રહેશે, કારણ કે તે હોકીના બૉલ જેવો વજનદાર છે. ફિલ્ડિંગ અને બૉલિંગમાં પણ તે મુશ્કેલી સર્જી શકે છે.

તેણે જણાવ્યું હતું કે સાંજના ઝાંખા પ્રકાશમાં પણ ગુલાબી બૉલ ફિલ્ડરો માટે પડકારરૂપ રહેશે. ટ્વેન્ટી-૨૦ અને પચાસ ઓવરની મૅચમાં લોકોને વધુ રસ છે ત્યારે ટેસ્ટ ક્રિકેટ પ્રત્યે વધુ લોકોને આકર્ષવા માટે દિવસ રાતની ટેસ્ટના પ્રયોગ થઇ રહ્યા છે.

ભૂતપૂર્વ પ્રારંભિક બૅટ્સમેન ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે ગુલાબી બૉલ ઝડપી બૉલરોને વધુ લાભદાયક સાબિત થશે.

બંગલાદેશના સુકાની મોમિનુલ હકે ગુલાબી બૉલથી રમવાના પૂરતા અનુભવના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતીય ટીમનું બંગલાદેશ સામે પલડું ભારે જ રહ્યું છે.

ટીમ: ભારત: વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, મયંક અગરવાલ, ચેતેશ્ર્વર પુજારા, અજિંક્ય રહાણે, વૃદ્ધિમાન સહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્ર્વિન, રવીન્દ્ર જાડેજા, ઋષભ પંત, મહંમદ શમી, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, હનુમા વિહારી, કુલદીપ યાદવ અને શુભમન ગિલ.

બંગલાદેશ: મોમિનુલ હક (સુકાની), લિન્ટન દાસ (વિકેટકીપર), મેહિદી હસન, નઈમ હસન, અલ-અમીન હુસેન, અબાડોટ હુસેન, મોસ્સાદેક હુસેન, શદમન ઇસ્લામ, તૈજુલ ઇસ્લામ, અબુ જાયેદ, ઇમરુલ કાયેસ, મહમુદુલ્લાહ, મહંમદ મિથુન, મુશફિકાર રહિમ, મુશ્તફિઝુર રહમાન.

November 22, 2019
cotton.jpg
1min5700

ભારતીય કપાસ નિગમ દ્વારા સૌરાષ્ટ્રના કુલ ૪૧ કેન્દ્રોમાંથી હાલ ૧૧ કેન્દ્રો પર ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જ્યારે રાજકોટ જિલ્લામાં કુલ ૧૦ કેન્દ્રોમાંથી હાલ બે કેન્દ્રો પર કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. આઠ ટકા ભેજનું પ્રમાણ હોય તેવા કપાસની મણે ૧૧૦૦ રૂપિયામાં ખરીદી કરવામાં આવી રહી હતી.

સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. તેમ જ ચાલુ વર્ષે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પાક ઉતારા સમયે થયેલા માવઠાને કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. અમુક જિલ્લામાં ખેડૂતોએ પોતાનો પાક વરસાદથી ખરાબ ન થાય તે માટે જિલ્લાના માર્કેટ યાર્ડોમાં મૂકી દીધો હતો.

માવઠાનું ગ્રહણ દૂર થતાં જ કપાસની ભરપૂર આવકની અસર માર્કેટમાં જોવા મળી રહી છે. સતત બીજા દિવસે કપાસિયા તેલમાં ડબાએ ૧૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. એક તરફ માર્કેટ યાર્ડમાં ભરપૂર આવક છે અને બીજી તરફ હજુ આવક થવાની સંભાવના છે ત્યારે ભાવમાં ઘટાડો થયો છે. હાલ કપાસિયા તેલનો ડબાનો ભાવ ૧૨૯૦થી ૧૩૨૦ પર પહોંચ્યો હતો.

November 22, 2019
CBI.png
1min4900

સીબીઆઇએ પાછલાં ત્રણ વર્ષમાં જોઇન્ટ સેક્રેટરીથી ઉપરના અધિકારીઓ, બૅંકો અને પીએસયુના બૉર્ડ કક્ષાના અધિકારીઓ અને રાજકીય નેતાઓ સામે ૧૬૦ કેસ દાખલ કર્યા હોવાની વાત રાજ્યસભાને જણાવાઇ હતી.

રાજ્ય કક્ષાના પર્સોનેલ પ્રધાન જિતેન્દ્રસિંહે એક સવાલના લેખિત જવાબમાં વધુમાં જણાવ્યું હતું કે ૨૦૧૬, ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯ (૩૧ ઑક્ટોબર સુધી) નોંધવામાં આવેલા ૧૬૦ કેસમાંથી ૫૪ કેસ જોઇન્ટ સેક્રેટરી કે એથી ઉપર પદના અધિકારીઓ સામે, બૅંકો અને પીએસયુના બૉર્ડ કક્ષાના અધિકારીઓ સામે ૫૦ કેસ અને રાજકીય નેતાઓ સામે ૫૬ કેસ દાખલ કર્યા હતા. (પીટીઆઇ)

ગોટાળા પકડવા નવતર ઉપાય શોધો

કેગના ઑડિટરોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી ખાતામાં થતાં ગોટાળા પકડવા નવતર ઉપાય શોધવાની અને એ રીતે ભારતને પાંચ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવામાં મદદ કરવાની સલાહ આપી હતી.

એમણે એક સમારંભને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે સરકાર ૨૦૨૨ સુધીમાં પુરાવા આધારિત નીતિ ઘડવા માગે છે અને થિંક ટેન્ક બનીને અને બિગ ડેટાનું સર્વેક્ષણ કરીને કેગ પોતાનો ભાગ ભજવી શકે છે.

November 22, 2019
fastag.png
1min5340

નેશનલ હાઈવે પરના ટોલ પ્લાઝાઓની ફાસ્ટેગ લેનમાંથી ટેગ વગર પસાર થનારા વાહનો પાસેથી બમણી રકમ વસૂલવામાં આવશે તેવું નીતીન ગડકરીએ ગુરુવારે કહ્યું હતું. ટોલ નાકા પર એક હાઈબ્રિડ લેન રહેશે જયાંથી ટેગ વગરના વાહનો રાબેતા મુજબનો ટોલ ભરી શકશે.

રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન ગડકરીએ કહ્યું હતું કે દેશમાં ૫૩૭ ટોલ પ્લાઝા પર સો ટકા ઈલેક્ટ્રિક ટોલ કલેકશન કરી શકાશે. ફાસ્ટેગ એવા પ્રિપેઈડ ટેગને કહેવામાં આવે છે જે વાહનના વીન્ડ સ્ક્રીન પર લગાવેલું હોય છે. ટોલ ચાર્જિસની રકમ આપોઆપ બાદ થઈ જતી હોય છે, રોકડ રકમ આપ્યા વગર વાહન ટોલ પ્લાઝામાંથી પસાર થઈ શકે છે.

ટોલ પ્લાઝા પર એક લેન રાખવામાં આવશે જ્યાંથી ફાસ્ટેગ ધરાવતા વાહનો અને અન્ય રીતે પેમેન્ટ આપનારા વાહનો પસાર થઈ શકશે. પહેલી ડિસેમ્બર સુધી નેશનલ હાઈવેઝ ઑથોરિટી ઑફ ઈન્ડિયા નિશુલ્ક આપશે, જેને વાહન માલિકે જરૂરી રકમથી ચાર્જ કરવાનું રહેશે.

November 21, 2019
census2011.jpg
1min5390

ભારતની વસતી ગણતરી ૨૦૨૧ના પડઘમ વાગવાનો શુભારંભ થઇ ગયો છે. વસતી ગણતરી સન ૨૦૨૧ એ સન ૧૮૭૨થી સળંગ શૃંખલામાં ૧૬મી અને આઝાદી પછીની ૮મી વસતી ગણતરી છે.

ગુજરાતમાં આ વસતી ગણતરીનો શુભારંભનો પ્રથમ તબક્કો મે-જૂન, ૨૦૨૦થી શરૂ થશે અને સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ચાલશે. રાજ્યના ૩૩ જિલ્લાના ૨૫૧ તાલુકાઓમાં વસતી ગણતરીની કામગીરી હાથ ધરાશે.

ગુજરાતમાં સૌ પ્રથમવાર વસતી ગણતરી માટે મોબાઇલ ઍપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવશે. વસતી ગણતરી કચેરીના નાયબ નિયામક ડૉ. સંચિતા સરકારે જણાવ્યું હતું કે, ભારતની વસતી ગણતરી વિશ્ર્વની એકમાત્ર વિશાળ વહીવટી કવાયત છે. ભારતની વસતી ગણતરી અંતરાય વિના અવિરતપણે દર દસ વર્ષે નિર્ધારિત સમયપત્રક અનુસાર સંપન્ન કરવામાં આવે છે, એટલું જ નહીં પૂર, રોગચાળો, કુદરતી આફતો, રાજકીય અશાંતિ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ અંતરાય વિના વસતી ગણતરીની કામગીરી સફળ રીતે પૂર્ણ કરવામાં આવે છે અને તે રીતે પૂર્ણ થઈ પણ છે.

આગામી વર્ષ ૨૦૨૧ની વસતી ગણતરીમાં આ વખતે પ્રથમ વખત માહિતી એકત્રિત કરવા મોબાઇલ ઍપ્લિકેશનનો ઉપયોગ કરાશે. વસતી ગણતરીના પ્રથમ તબક્કામાં ઘર-યાદીકરણની સાથે રાષ્ટ્રીય વસતી પત્રકની માહિતી અદ્યતન કરવાની ક્ષેત્રિય કામગીરી પણ કરાશે. વસતી ગણતરી ૨૦૨૧ની ક્ષેત્રિય કામગીરીનું સંચાલન, દેખરેખ પર સેન્સસ ૨૦૨૧ના પોર્ટલ દ્વારા કરાશે.

November 20, 2019
pakistan-1280x720.jpg
1min6090

કાંગારુંઓની ભૂમિ પર એક વિરલ વિજય પ્રાપ્ત કરવાના પ્રયાસમાં પાકિસ્તાન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર જેવા પીઢ ખેલાડીઓ સાથેની ઑસ્ટ્રેલિયાની ટીમ સામે ગુરુવારથી આરંભાતી નવી ક્રિકેટ શ્રેણીમાં બ્રિસ્બેન ખાતે ગબ્બાના મેદાન પરની પહેલી ટેસ્ટ મેચમાં રમવા ઊતરશે.

પાકિસ્તાને અગાઉ ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી ડ્રો કરી છે, પણ ક્યારેય કોઈ સિરીઝ જીતી નથી અને તેનો છેલ્લો ટેસ્ટ વિજય ૧૯૯૫માં સિડની ખાતે થયો હતો.

નવો કેપ્ટન અઝર અલી, બાબર આઝમ અને હાલ પોતાના સારા ફોર્મમાં રહેતો અસાદ શફિક ૨૦૧૬-૧૭માં પાકિસ્તાનની ટીમના સભ્ય હતા કે જ્યારે પ્રવાસી ટીમનો ૩-૦થી પરાજય થયો હતો. પણ, તે વેળાના સુકાની અને હાલ ટીમના વડા કોચ મિસ્બાહ-ઉલ-હસને કહ્યું હતું કે ઑસ્ટ્રેલિયામાં પાકિસ્તાનનો અગાઉનો દેખાવ ખેલાડીઓ પર માનસિક દબાણ મૂકશે નહીં.

મિસ્બાહે કહ્યું હતું કે યુવા ખેલાડીઓ સાથે પાકિસ્તાનની વર્તમાન ટીમને સફળતાની ભૂખ છે અને પડકાર ઉપાડવા તૈયાર છે.

આઝામ અને શફિકે ત્રણ વર્ષ અગાઉ બ્રિસ્બેનમાં સદી ફટકારી હતી અને પાકિસ્તાન તેઓ પાસેથી ફરી સારા દેખાવની આશા કરે છે. શફિકે આ વેળા ટેસ્ટ શ્રેણીની તૈયારીમાં ઑસ્ટ્રેલિયા-એ ટીમ સામેની મેચમાં અણનમ ૧૧૯ રન ફટકાર્યા હતા અને ત્યાર પછી, ક્રિકેટ ઑસ્ટ્રેલિયા ઈલેવન વિરુદ્ધ અણનમ ૧૦૧ રન કર્યા હતા.

ઑસ્ટ્રેલિયાની ટીમે તાજેતરમાં આયોજક ઈંગ્લેન્ડ સામે સિરીઝ ૨-૨થી ડ્રો કરી એશિઝ પોતાની પાસે જાળવી રાખી હતી અને તાજેતરમાં ટી-૨૦ શ્રેણીમાં પાકિસ્તાનને ૨-૦થી હરાવ્યું હતું.

પ્રણાલીકા પ્રમાણે ઝડપી ગોલંદાજોને મદદકર્તા બનતી અહીં ગબ્બાની પિચ પર બૉલરો કેવો દેખાવ કરશે તે જોવાનું રહે છે.

ઑસ્ટ્રેલિયા પાસે પેટ કમીન્સ, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવૂડ જેવા અનુભવી બૉલરો છે, પણ તેને જેમ્સ પેટીનસનની ગેરહાજરી સાલશે જેને ખેલાડીને ગાળાગાળી કરવા બદલ આ અઠવાડિયે સસ્પેન્ડ કરાયો હતો.

જોકે, વોર્નરનો એશિશ સિરીઝમાં દેખાવ નબળો રહ્યો હતો જેમાં તેણે ૯.૫ રનની બૅટિંગ સરેરાશ સાથે કુલ ફક્ત ૯૫ રન કર્યા હતા, પણ ત્યાર પછી તેણે પોતાનું ફોર્મ પાછું પ્રાપ્ત કરી લીધું છે.

સ્મિથે ઈંગ્લેન્ડમાંની શ્રેણીમાં પોતાના સાત દાવમાં કુલ ૭૭૪ રન નોંધાવ્યા હતા તથા પોતાની ટીમના બે વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

સંજોગવાર, સ્મિથે બંને રાષ્ટ્ર વચ્ચે ૨૦૧૬માં બ્રિસ્બેન ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. બીજી અને આખરી ટેસ્ટ એડિલેઈડમાં દિવસ-રાતે રમાનાર છે.

November 20, 2019
england-test-770x433.jpg
1min502

આયોજક ન્યૂ ઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ તાજેતરમાં રમાયેલ મર્યાદિત ઓવરની મેચોની શ્રેણીમાં લગભગ સમાન પુરવાર થયા પછી, બંને રાષ્ટ્ર વચ્ચે ટેસ્ટ ક્રિકેટની હરીફાઈનો ગુરુવારથી પ્રારંભ થશે.

ઈંગ્લેન્ડે ગયા જુલાઈમાં આઈ. સી. સી. વર્લ્ડ કપની ફાઈનલ મેચ જીત્યા પછી આ મહિને ન્યૂ ઝીલેન્ડને રસાકસીભરી ટ્વેન્ટી-૨૦ શ્રેણીમાં ૩-૨ના નજીકના તફાવતે હરાવ્યું હતું.

વન-ડે અને ટી-૨૦ મેચોની બંને શ્રેણીનું પરિણામ નક્કી કરવા ટાઈ-બ્રેકરની જરૂર પડી હતી અને હવે બંને રાષ્ટ્ર વચ્ચે ગુરુવારથી અહીં પહેલી ટેસ્ટ મેચ રમાનાર છે.

કાગળ પર પણ બંને વચ્ચે બહુ ઓછો તફાવત જોવા મળે છે જેમાં આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના ટેસ્ટ રેન્કિંગમાં ન્યૂ ઝીલેન્ડ બીજું અને ઈંગ્લેન્ડ ત્રીજું સ્થાન ધરાવે છે.

પણ, ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને યાદ છે કે ગયા વર્ષે આયોજક ન્યૂ ઝીલેન્ડ સામે તેની ટીમ બે ટેસ્ટભરી શ્રેણી હારી ગઈ હતી. ઝડપી ગોલંદાજો ટ્રેન્ટ બોલ્ટ અને ટીમ સાઉધીએ પ્રવાસી ટીમનો આરંભિક ટેસ્ટમાં પહેલો દાવ માત્ર ૫૮ રનમાં સમાપ્ત કરાવી દીધો હતો.

રૂટે કહ્યું હતું કે આ વેળા તેની ટીમ સંભાળપૂવર્ક રમશે અને બેટ્સમેનો પોતાની વિકેટ જાળવી રાખવામાં વધુ ભાર આપશે.

શ્રેણી આઈ. સી. સી.ની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુ. ટી. સી.)ના હિસ્સા તરીકે ન રમાશે જેથી અંગ્રેજ ટીમના નવા કોચ ક્રિસ સિલ્વરવૂડને તેમની પ્રથમ શ્રેણીમાં થોડી અજમાયશ કરવાનો મોકો મળી રહેશે.

પોતાનો અસલ કેપ્ટન કેન વિલિયમસન પાછો ફરતા ન્યૂ ઝીલેન્ડની ટીમના જુસ્સામાં વધારો થવા પામશે જે ઈજાના કારણે ટી-૨૦ મેચોમાં રમ્યો ન હતો.

માઉન્ટ મોન્ગેન્યુમાં બેય ઓવલના મેદાન પર આ પ્રથમ વાર ટેસ્ટ મેચનું આયોજન કરાશે કે જ્યાં ૨૦૧૪થી મર્યાદિત ઓવરની આંતરરાષ્ટ્રીય મેચો રમાતી આવી છે.

November 20, 2019
seismograph.jpg
1min6360

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં પાંચ જેટલા નાના-મોટા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજ્યમાં ૧લી નવેમ્બરથી ૧૯મી નવેમ્બર સુધી ૯૬ ભૂકંપના આંચકા આવ્યા હતા. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ૪૦ આંચકા આવ્યા છે જ્યારે કચ્છમાં ૩૨ આંચકા અનુભવાયા હતા જેમાં સોમવારે ૪થી વધુ તીવ્રતાનો એક આંચકો નોંધાયો હતો. ચાલુ વર્ષે ચારથી વધુ તીવ્રતાના ૫ાંચ આંચકા અનુભવાયા છે.

ભૂકંપના આંચકા મોન્સૂન રિલેટેડ હોય છે. જ્યારે પણ સૌરાષ્ટ્રમાં વરસાદ એવરેજથી વધુ થાય છે ત્યારે વધુ ભૂકંપ અનુભવાય છે. જામનગર અને ગીર જંગલમાં તલાલા ખાતે પથ્થર હાઈલી ફ્રેક્ચર્ડ છે. વરસાદ વધુ થાય તો પાણી નીચે સરક્યુલેટ થાય છે. તેનાથી પથ્થર પર દબાણ વધે છે. તેનાથી નાના નાના ભૂકંપ આવે છે. આવા ભૂકંપ વરસાદના ત્રણ-ચાર મહિના રહે છે. પછી આવતા નથી.

સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર કચ્છમાં ઝોન-૫, સૌરાષ્ટ્ર ઝોન-૩માં આવે છે. ઉત્તર ગુજરાત અને દાહોદ ઝોન-૨માં આવે છે. ઝોન-૫ વિસ્તારમાં ભૂકંપની એક્ટિવિટી તો રહે જ છે. કચ્છમાં આંચકા આવવા નોર્મલ છે. અમે કચ્છને મોનિટર કરીએ છીએ, તો દર વર્ષે ૪ મેગ્નિટ્યૂડના ત્રણ-ચાર આંચકા વર્ષે આવે છે તેમ જ ૬-૭ વર્ષના અંતરમાં પાંચની મેગ્નિટ્યૂડનો આંચકો પણ આવે છે. પાંચની મેગ્નિટ્યૂડનો આંચકો છેલ્લે ૨૦૧૨માં આવ્યો હતો.

૨૦૧૮માં ૪.૮નો આંચકો આવ્યો હતો. આ ૨૦૧૯ના વર્ષની વાત કરીએ તો, ગુજરાતમાં અત્યાર સુધી પાંચ ભૂકંપ આવ્યા છે, જેની તીવ્રતા ચારથી પાંચની વચ્ચે રહી છે. ઝોન મુજબ જોઈએ તો આ નોર્મલ એક્ટિવિટી છે. આવા નાના-મોટા આંચકા આ રિજનમાં આવતા રહે છે. સૌરાષ્ટ્રમાં જે ભૂકંપ આવે છે, તે મોન્સૂન રિલેટેડ હોય છે. આવા ભૂકંપ વરસાદના ત્રણ-ચાર મહિના રહે છે.

જામનગરમાં હજુ જાન્યુઆરી મહિના સુધીમાં નાના ભૂકંપના આંચકા આવતા રહેશે. ગુજરાતમાં વર્ષે સરેરાશ ૬૦૦ જેટલા ભૂકંપના નાના-મોટા આંચકા આવે છે.

November 20, 2019
isro.jpg
1min5530

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)એ ૨૫મી નવેમ્બરે પોતાના કારટોસેટ-૩ ઉપગ્રહ સાથે અમેરિકાના ૧૩ નેનો કમર્શિયલ સેટેલાઇટ લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ૧૪ ઉપગ્રહ ભારતના પીએસએલવી-સી૪૭ મારફત આંધ્ર પ્રદેશમાં આવેલા શ્રીહરિકોટા ખાતેના સતિશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી છોડવામાં આવશે.

૨૫મી નવેમ્બરે સવારે ૦૯.૨૮ વાગ્યે ઉપગ્રહોને છોડવામાં આવશે. પૃથ્વીના ફોટા પાડવા માટેની ઉચ્ચ ગુણવત્તાની ક્ષમતા ધરાવતો કારટોસેટ-૩ ઉપગ્રહ ત્રીજી પેઢીનો અત્યંત આધુનિક ઉપગ્રહ છે. આ ઉપગ્રહને પૃથ્વીની ૫૦૯ કિ. મી. ની ભ્રમણ કક્ષામાં તરતો મૂકવામાં આવશે.