CBI : 3 વર્ષમાં સરકારી બાબુઓ અને નેતાઓ સામે ૧૬૦ કેસ દાખલ
સીબીઆઇએ પાછલાં ત્રણ વર્ષમાં જોઇન્ટ સેક્રેટરીથી ઉપરના અધિકારીઓ, બૅંકો અને પીએસયુના બૉર્ડ કક્ષાના અધિકારીઓ અને રાજકીય નેતાઓ સામે ૧૬૦ કેસ દાખલ કર્યા હોવાની વાત રાજ્યસભાને જણાવાઇ હતી.
રાજ્ય કક્ષાના પર્સોનેલ પ્રધાન જિતેન્દ્રસિંહે એક સવાલના લેખિત જવાબમાં વધુમાં જણાવ્યું હતું કે ૨૦૧૬, ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯ (૩૧ ઑક્ટોબર સુધી) નોંધવામાં આવેલા ૧૬૦ કેસમાંથી ૫૪ કેસ જોઇન્ટ સેક્રેટરી કે એથી ઉપર પદના અધિકારીઓ સામે, બૅંકો અને પીએસયુના બૉર્ડ કક્ષાના અધિકારીઓ સામે ૫૦ કેસ અને રાજકીય નેતાઓ સામે ૫૬ કેસ દાખલ કર્યા હતા. (પીટીઆઇ)
ગોટાળા પકડવા નવતર ઉપાય શોધો
કેગના ઑડિટરોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી ખાતામાં થતાં ગોટાળા પકડવા નવતર ઉપાય શોધવાની અને એ રીતે ભારતને પાંચ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવામાં મદદ કરવાની સલાહ આપી હતી.
એમણે એક સમારંભને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે સરકાર ૨૦૨૨ સુધીમાં પુરાવા આધારિત નીતિ ઘડવા માગે છે અને થિંક ટેન્ક બનીને અને બિગ ડેટાનું સર્વેક્ષણ કરીને કેગ પોતાનો ભાગ ભજવી શકે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now