હારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારમાં પુત્ર, પુત્રી, ભત્રીજો, ભત્રીજી બધા જ મંત્રી બની ગયા છે. સીએમ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે, શરદ પવારના ભત્રીજા અજિત પવાર, પૂર્વ સીએમ વિલાસરાવ દેશમુખના પુત્ર અમિત દેશમુખ, પૂર્વ ડિપ્ટી સીએમ અને બીજેપી નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા ધનંજન મુંડે, કોંગ્રેસ વરિષ્ઠ નેતા એકનાથ ગાયતવાડની પુત્રી વર્ષા ગાયકવાડે મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે.
આમાં અજિત પવારે રેકોર્ડ ચૌથી વાર ડિપ્ટી સીએમ પદના શપથ લીધા. કહી શકાય કે 37 દિવસમાં બે વાર ઉપમુખ્યમંત્રી પદના શપથ લેવામાં અજિત પવાર સફળ રહ્યા.
મહારાષ્ટ્ર સીએમ ઠાકરેના મંત્રીમંડળે વિસ્તરણ પછી રાજ્યના વિકાસ માટે સાથે મળીને કામ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ વિસ્તરણને હજુ કેટલાક કલાકો વિત્યા છે અને આ મુદ્દે કોંગ્રેસી નેતાઓમાં અસંતોષ દેખાઇ રહ્યો છે. મહારાષ્ટ્ર રાજકારણના સૂત્રો મુજબ કેબિનેટ વિસ્તરણથી કોંગ્રેસના અમુક નેતાઓ નાખુશ છે, તેમનું માનવુ છે કે મંત્રીમંડળ વિસ્તરણને લઇને કોંગ્રેસ હાઇકમાનને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ અસંતુષ્ટ કોંગ્રેસી નેતાઓએ આ મામલે પાર્ટી વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે મંત્રીમંડળમાં યોગ્ય અને વફાદાર ધારાસભ્યોની અવગણના કરાઇ હોવાના આરોપ લગાવ્યા હતા. માહિતી મુજબ નાખુશ નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ પણ સામેલ હતા.
વલસાડ પારડીના પારસી સ્ટ્રીટમાં આવેલા જલારામ જવેલર્સમાંથી ચોરોએ 1.5 કરોડના સોનાની ચોરી કરી ફરાર થઈ ગયા. તસ્કરોએ જ્વલર્સની સાથે માલિકના ઘરમાં પણ હાથફેરો કર્યો. માલિક પરિવાર સાથે પ્રવાસ પર ગયા હતા અને આજે પરત આવતા સમગ્ર ઘટના સામે આવી.
શોરૂમના માલિક દિલીપભાઈ પારેખ પરિવાર સાથે બહાર ગામ ગયા હતા. જોકે તેઓ નો શોરૂમ અને ઘર બંને સાથે જ છે. જ્યારે તેઓ પ્રવાસથી પરત આવ ત્યારે તેમને ખ્યલા આવ્યો કે શોરૂમમાં રાખેલ તમામ સોના ચાંદીના કિંમતી દાગીના ગાયબ હતા. સાથે જ શો રૂમની મુખ્ય તિજોરી પણ તૂટેલી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં શોરૂમ અને
તિજોરીમાંથી મળી અંદાજે સાડા પાંચ કિલોથી વધુ સોનું જેની કિંમત અંદાજે દોઢ કરોડ
જેટલી થાય છે. આમ દોઢ કરોડથી વધુની ચોરી થઇ હોવાનું જાણતા થતા ખુદ પોલીસ પણ ચોંકી
ઉઠી હતી. શોરૂમ લગાવેલા સીસીટીવી કેમેરાનું (CCTV)
ડીવીઆર પણ ગાયબ
હતું આથી. તસ્કરો ચોરી કરી સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ સાથે લઈ ફરાર થઈ ગયા.
તસ્કરો ઘરની છત પર આવેલી ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કર્યા હતા. પોલીસ આ મામલે વધુ
તપાસ હાથ ધરી છે.
ઉત્તર ભારતમાં પડી રહેલી હિમવર્ષાના પગલે ઠંડા પવનોની દિશા ગુજરાત તરફની હોવાથી રાજ્યમાં ઠંડીનુ જોર યથાવત જોવા મળી રહ્યું છે. આજે ગુજરાતના 6 શહેરોનું હાજા ગગડાવતું 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે.
નલિયા 6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર સ્થળ બન્યું, તો ભુજમાં 7.2 ડિગ્રી, કંડલામાં 9 ડિગ્રી, રાજકોટમાં 8.3 ડિગ્રી અને ડીસામાં 8.7 ડિગ્રી ઠંડી નોંધાઇ છે.
રાજ્યમાં પાટનગર ગાંધીનગરમાં 10.8 ડિગ્રી અને અમદાવાદમાં 12.5 ડિગ્રી ઠંડીનો અનુભવ થયો છે. સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીના સકંજામાં આવી જતા ટ્રેન અને વિમાની સેવા ઓરવાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ પણ ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે.
કાતિલ ઠંડી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. માવઠાની આશંકાને લઇ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જીરૂ, વરિયાળી, ઘઉં, એરંડા સહિતના પાકને નુકશાન થવાની ભીતિ છે.
ગુજરાતમાં કમોસમી વરસાદ પીછો છોડવાનું નામ નથી લેતો. એક તરફ હાલ રાજ્યભરમાં કાતિલ ઠંડી છે, તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે અતિ સામાન્ય છુટોછવાયો વરસાદ વરસી શકે તેવું વાતાવરણ હાલ પેદા થયું છે. દરમિયાન આજે રાજકોટમાં 8.3 ડિગ્રી તાપમાનની જનજીવન પર ભારે અસર જોવા મળી છે.
રાજકોટ સિવાય સૌરાષ્ટ્રના જામનગરમાં ચોવિસ કલાકમાં પારો ચાર ડિગ્રી નીચે ઉતરી ગયો છે અને આજે 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. ઝાલાવાડ પંથકમાં સતત ત્રીજા દિવસે તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ભાવનગરમાં આજે 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. સોરઠનું મિનિમમ તાપમાન 104 અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતુ.
એમબીબીએસ અને એમડીના વિદ્યાર્થીઓને ભણાવવા મેડિકલ કૉલેજો વિદેશમાં રહેનારા ડૉકટરો સહિત ખાનગી ડૉકટરોની નિમણૂક કરી શકશે તેવું સરકારી જાહેરનામાથી જાણવા મળ્યું છે. સંસદના નિયમ હેઠળ સ્થાપિત કરાયેલી તમામ એઈમ્સ, ચંદીગઢની પીજીઆઈ અને પુડ્ડુચેરીની જેઆઈપીએમઈઆર કૉલેજને નવા નિયમો લાગુ નહીં પડશે.
ખાનગી અને સરકારી તબીબી કૉલેજોમાં શિક્ષકોની અછત હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાર્ટટાઈમ ધોરણે ભણાવવા આવનારા શિક્ષકોને ‘વિઝિટિંગ ફેકલ્ટી’ કહેવામાં આવશે.’ વિદેશમાં રહેતા ભારતીય ડૉકટરોની પણ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે નિમણૂક કરવામાં આવશે તેવું સરકારી જાહેરનામામાં કહેવામાં આવ્યું છે. ૭૦ વર્ષની અથવા તેનાથી ઓછી વય ધરવતા ડૉકટરોની નિમણૂક કરવામાં આવશે. વિઝિટિંગ ફેકલ્ટીની સંખ્યા જે તે કૉલેજ માટે નિર્ધારિત કરાયેલી સંખ્યા કરતા અડધી જ રહેશે. તબીબી કૉલેજના ડિરેકટર/ પ્રિન્સિપાલ/ ડીનની રચાયેલી સમિતિ દ્વારા વિઝિટિંગ ફેકલ્ટીનું સિલેકશન કરવામાં આવશે.
વિઝિટિંગ ફેકલ્ટી પાસે પોસ્ટ ગ્રેજયુએટ ડિગ્રી હોવી જરૂરી છે અને સંબંધિત સ્પેશિયાલિટીમાં આઠ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
શિવ નાડર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ નકલી ચલણી નોટ ઓળખી શકે એવી ઈન્ક (શાહી) વિકસાવી છે.
symbolic photo
શિવ નાડર યુનિવર્સિટીના એક પ્રોફેસર દેબદાસ રેએ કહ્યું કે ‘અમારી સફેદ શાહી સસ્તા પદાર્થોથી બનેલી છે અને દિવસના તડકામાં અને અલ્ટ્રાવાયોલેટ લાઈટ હેઠળ પારખી શકાય છે.’
હાલમાં ઉપયોગમાં લેવાતી સિક્યોરિટી ઈન્કમાં વધુ પદાર્થોનો ઉપયોગ થતો હોવાથી તે મોંઘી પડે છે તેવું સંશોધનકારોએ કહ્યું હતું. સિક્યોરિટી સાઈનેજ, ઈમર્જન્સી રૂટ સાઈલેજ, ટ્રાફિક સાઈનેજ, મેડિકલ ડાયેગ્નોસિસ વગેરે માટે પણ વ્હાઈટ સિક્યોરિટી ઈન્ક ઉપયોગી નીવડી શકે છે. ફ્ક્ત ૪૫ મિનિટમાં ઈન્ક તૈયાર થઈ જતી હોય છે, તેવું તેમણે કહ્યું હતું. એક ગ્રામ ઈન્કની કિંમત પ્રતિ ગ્રામ એક હજાર રૂપિયા છે.
છેલ્લા કેટલાક દશકાથી સિક્યોરિટી ઈન્કનું મહત્ત્વ વધ્યું છે. દિવસના પ્રકાશમાં નોટ અથવા દસ્તાવેજ પર લખેલું વાંચી શકાતું નથી અને અલ્ટ્રાવાયોલેટ લાઈટ હેઠળ જ વાંચી શકાય છે.
જોકે, આ પ્રકારની ઈન્ક મોંઘી પડે છે અને તે ઝેરી હોય છે. નવી ઈન્ક પોલિવિનાઈલ આલ્કોહોલ નામના કેમિકલથી બનેલી હોય છે.
અલ્ટ્રાવાયોલેટ લાઈટ હેઠળ અને તે ન હોય તો પણ આ વ્હાઈટ ઈન્કથી લખાયેલું વાંચી શકાય છે. અત્યારે વપરાતી શાહીથી લખેલું અલ્ટ્રાવાયોલેટ લાઈટ ન હોય તો વાંચી શકાતું નથી. વ્હાઈટ ઈન્કમાં ફોલોરોસેન્સ (નેનો સેક્ધડમાં ચમકે) અને ફોસ્ફોરેસન્સ (માઈક્રો સેક્ધડથી સેક્ધડ – વધુ સમય સુધી ચમકે) એમ બંને ગુડ્સ છે. આથી તેનો ઉપયોગ વિવિધ કાર્ય માટે થઈ શકે છે.
નેશનલ એન્ટી પ્રોફિટિયરિંગ ઓથોરિટી એ જોનસન એન્ડ જોનસનને ૨૩૦.૪૧ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)માં મૂકવામાં આવેલા કાપનો યોગ્ય ફાયદો ગ્રાહકોને ન આપવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.
ઓથોરિટીના આદેશમાં કહેવામાં આવ્યું છે કે જોનસન એન્ડ જોનસને ટેક્સમાં કાપ મૂકવામાં આવ્યા બાદ પોતાની પ્રોડક્ટ્સની કિંમત નક્કી કરવાની ગણતરી ખોટી રીતે કરી. તપાસમાં જાણવા મળ્યું છે કે ૧૫ નવેમ્બર ૨૦૧૭ના રોજ કેટલીક વસ્તુઓ પર જીએસટી ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો હતો પરંતુ જોનસન એન્ડ જોનસને ગ્રાહકોને તેનો ફાયદો આપ્યો ન હતો.
જોનસન એન્ડ જોનસનને ત્રણ મહિનામાં દંડની રકમ જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કંપની પાસેથી જાન્યુઆરીમાં જવાબ માગવામા આવ્યો હતો. તેણે કહ્યું હતું કે આ મામલામાં કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન્સ ન હોવાના કારણે કંપનીએ પોતાની રીતે ગણતરી કરી હતી. ઓથોરિટીએ જોકે કંપની પાસેથી મળેલી માહિતી અને આંકડાઓને અધૂરા હોવાનું જણાવીને આ દાવાને નકાર્યો હતો.
ગુજરાતમાં નવા વર્ષે હવે લાંચિયા કર્મીઓ પર આવશે તવાઈ: લાંચ રુશવત બ્યુરો બનશે કડક
ગુજરાતમાં હવે ૨૦૨૦ના નવા વર્ષેથી રાજ્યના એન્ટિ કરપ્શન બ્યૂરો તેના નવા ફોર્સ સાથે લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે આગવી ઢબે તવાઈ બોલાવશે. એસીબીના ફોર્સમાં નવા વર્ષે ખાસ તાલીમ પામેલા ૪૪ જેટલા ઇન્સ્પેક્ટરો જોતરાશે.
ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર તાજેતરમાં એસીબીના જ પોલીસ ઇન્સ્પેક્ટરની લાંચ કેસમાં ધરપકડ કરી નવું ઉદાહરણ સામે મૂકાયું છે ત્યારે નવા વર્ષમાં એસીબી પણ નવા રંગરૂપમાં જોવા મળશે. એસીબી નવા વર્ષમાં એવા વિભાગ સામે તવાહી લાવશે જે વિભાગોમાં ચાલુ વર્ષે એક પણ કેસ નથી થયો કે પછી જ્યાં ફરિયાદ ઓછી આવે છે. એસીબીએ આ કાર્ય માટે નવા ૪૪ પીઆઈને પણ ખાસ ટ્રેનિંગ આપી છે.
આ અંગે એસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર જે વિભાગની અંદર વધુ ફરિયાદ આવે છે તેમાં કઈ રીતે ફરિયાદો દૂર કરી શકીએ તેના પર કામ ચાલુ છે અને જે વિભાગોમાંથી ફરિયાદ નથી આવતી ત્યાં કઈ રીતે કાર્યવાહી કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવશે. ગુજરાત એસીબી છેલ્લા બે વર્ષમાં નવા રંગરૂપમાં જોવા મળી રહી છે અને અનેક ઉચ્ચ અધિકારીઓને જેલના સળિયા પાછળ મોકલી દીધા છે પરંતુ એસીબીની સામે એક વાત એવી આવી છે કે એવાં કેટલાક વિભાગ છે જ્યાં એક પણ કેસ થયો નથી અને એવા પણ વિભાગ છે જ્યાં એકલ-દોકલ કેસ થયો છે, ત્યારે એસીબી એ વિચારી રહી છે કે, આવા વિભાગમાંથી એસીબી પાસે કેમ કોઈ ફરિયાદ નથી આવતી? જેથી એસીબીને મળેલા નવા ૪૪ પોલીસ ઇન્સ્પેક્ટરને આ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને જે લોકો ખાનગી રાહે તપાસ કરી આવા વિભાગમાં જો ભ્રષ્ટાચાર ચાલતો હશે તો કાર્યવાહી કરશે.
એસીબીના આંકડાની વાત કરીએ તો આદિજાતિ વિકાસ, માર્ગ અને મકાન વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ, વૈજ્ઞાનિક અને સંસદીય બાબતોનો વિભાગ, વિજ્ઞાન અને પ્રાયોગિક વિભાગ અને કલાઈમેન્ટ ચેન્જ વિભાગ એવા વિભાગો છે જ્યાં એક પણ ફરિયાદ એસીબીને મળી નથી.
સૂરતમાં વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં સૂરતના પૂણા વિસ્તારમાં દિલ્હી અને સૂરત પોલીસ બેડાના આઇ.બી. ડિપાર્ટમેન્ટ અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બાળમજૂરી માટે ગોંધી રાખવામાં આવેલા 135 જેટલા બાળકોને છોડાવવામાં આવ્યા હતા. દિલ્હીના એક એન.જી.ઓ. જેનું નામ બચપન છે, એની ચોક્કસ બાતમીના આધારે દિલ્હી અને રાજસ્થાન પોલીસની ટીમો સૂરત આવી પહોંચી હતી અને બાળકોને બચાવવાનું અભિયાન હાથ ધરીને એક મસમોટા રેકેટનો પણ પર્દાફાશ કર્યો હતો. સવારે પાંચ વાગ્યાના અરસામાં બહુલ સૌરાષ્ટ્રવાસી વસતિ ધરાવતા સૂરત શહેરના પૂણા વિસ્તારમાં પોલીસને જોઇને લોકોમાં કંઇક અજુગતું થયાની ભીંતી પ્રવર્તી રહી હતી. જોકે, અફવાઓ ઉડે એ પહેલા સોશ્યલ મિડીયામાં માનવ તસ્કરી અંગેના સમાચારો વહેતા થયા હતા.
રાજસ્થાનથી માનવ તસ્કરી કરી સુરતમાં લવાયેલા 135થી વધુ બાળકોને ઘરમાંથી મુક્ત કરાવ્યા છે. પુણાની સીતારામ સોસાયટી પોલીસ છાવણીમાં ફેરવાઈ છે. બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવતું હતું. આ બાળકોનો કબજો મેળવી પોલીસે આરોપી શખ્સો વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સાડીઓમાં વેલ્યુ એડિશન માટે બાળમજૂરો સૌથી સસ્તા લેબર
Symbolic Photo
સૂરતમાં ફૂલીફાલી રહેલા ટેક્સટાઇલ ઉદ્યોગમાં હાલ સાડીઓ પર વેલ્યુ એડિશન કરાવવા માટે જરદોષી વર્ક, આર્ટીકલ સ્ટીચીંગ વગેરે કરાવવાનો ટ્રેન્ડ છે જેથી સાડીની કિંમત બેથી ત્રણ ઘણી વધી જાય છે. આ કામ માટે પ્રોફેશનલ કારીગરોનો ચાર્જ પણ તોતિંગ હોય છે એટલે કેટલાક જોબવર્કર્સ દ્વારા બાળમજૂરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાળમજૂરો પાસે ટેક્સટાઇલમાં ખાસ કરીને સાડી અને ડ્રેસ મટિરીયલ પર વર્ક કરાવવામાં આવે છે. સાડીની વેલ્યુ વધારવા માટે ઓછા લેબર ચૂકવવા માટે બાળમજૂરી કરાવવામાં આવી રહી હતી. આ બાળકોને દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે જેવા રાજ્યોમાંથી બાળમજૂરી માટે લવાયા હોવાનું કહેવાય છે.
સૂરતના પૂણા વિસ્તારમાંથી વહેલી સવારે
દિલ્હી, રાજસ્થાન અને સૂરત પોલીસે હાથ સવાસો જેટલા બાળકોને છોડાવવાની ઘટના સાથે જ
માનવ તસ્કરી રેકેટનો સૌથી મોટા રેકેટનો પણ પર્દાફાશ થયો છે.
સુરતના પુણા વિસ્તારમાં આવેલ સીતારામ
સોસાયટીમાં સવારે પાંચ વાગ્યે દિલ્હી અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ
દરોડા પાડ્યા હતા. આ દરોડા બાદ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે. આ
દરોડામાં સુરત પોલીસ અને સેન્ટ્રલ આઈબીની ટીમો પણ સાથે હતી.
સ્થાનિક લેબર વિભાગની જવાબદારી ફિક્સ કરવાનો વખત
સૂરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સમેત એવા અનેક ધંધા રોજગાર છે જ્યાં દેખિતી રીતે જ બાળકો પાસેથી કામ લેવામાં આવે છે. ઓછો પગાર આપીને તેમનું શોષણ કરવામાં આવતું હોવાના પ્રથમદર્શી પુરાવાઓ જોવા જાણવા મળે છે આમ છતાં સૂરતના લેબર વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આ વિભાગ સામે હવે જવાબદારી ફિક્સ કરવાનો વખત આવી ચૂક્યો છે.
કેફી દ્રવ્યોના વ્યવસના કારણે પંજાબ ઉડતા પંજાબ તરીકે બદનામ થયું હવે સૌરાષ્ટ્ર થઇ રહ્યું છે. ગાંજાના વધતા વાવેતરના કારણે સૌરાષ્ટ્રને ઉડતા સૌરાષ્ટ્ર જેવી ટીકા થવા લાગી છે. સૌરાષ્ટ્ર ગાંજાના ઉત્પાદનનું હબ બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અવારનવાર સૌરાષ્ટ્રમાંથી ગાંજાનું વાવેતર પકડાતું રહે છે.
માદક પદાર્થના વાવતેર અને વ્યસનના કારણે પંજાબનું યુવાધન બરબાદીની ગર્તામાં ધકેલાઇ ગયું હોય તેના પરથી ઉડતા પંજાબ નામની ફિલ્મ બની હતી. પંજાબની અસર ગુજરાતને પણ થઇ હોય તેવી હાલત છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લગભગ દરરોજ મોટી માત્રામાં દારૂનો જથ્થો’ પકડાતો રહે છે. નશો કરવા માટે દારૂ ઉપરાંત ગાંજો, ચરસ, હેરોઇન, બ્રાઉન સ્યુગર, એમ.ડી.મ્યાઉં જેવા માદક પદાર્થનો ઉપયોગ થતો રહે છે.’ કોલેજિયન અને યુવાધનમાં એમ.ડી અને મ્યાઉં નામનો માદક પદાર્થ બહુ પ્રખ્યાત છે. ગાંજો, ચરસ, બ્રાઉન સ્યુગર અને અફીણ જેવા માદક પદાર્થ પણ કુખ્યાત છે. ગાંજો પીનારને ગંજેરી, ચરસ પીનારને ચરસી, બ્રાઉન સ્યુગર પીનારને પાવડરિયો જેવા નામને ઓળખાય છે.
મોજશોખ અને સંગદોષના કારણે યુવાનો સહિતના લોકો વ્યસની બની જાય છે. વ્યસનીઓના કારણે લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુના પણ બનતા રહે છે.
સૌરાષ્ટ્રમાં હાલમાં માદક પદાર્થ ગાંજાનું વાવેતર ચર્ચામાં છે. છેલ્લા એક વર્ષના ગાળામાં અમરેલી જિલ્લામાંથી જ ત્રણ હજાર કિલો જેટલું ગાંજાનું વાવેતર પકડાયું છે. ત્રણ દિવસ પહેલા અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના’ નીલવડા ગામેથી ગાંજાનું વાવેતર પકડાયું હતું. ગાંજાના 246 કિલો જેટલા છોડ કબજે’ થયાં હતાં. નવેમ્બર મહિનામાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાંથી બે હજાર કિલો જેટલો ગાંજાનો જથ્થો પકડાયો હતો. રાજકોટ શહેર અને જિલ્લામાં કુવાડવા પંથકમાંથી 700 કિલો જેટલું ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. તાજેતરમાં ચાર દિવસ પહેલા’ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોટીચણોલ ગામેથી ગાંજાનું વાવેતર પકડાયું હતું. અંદાજે” રૂ. બે લાખની કિંમતના 40 કિલો જેટલા ગાંજાના છોડ કબજે કરાયા હતાં. સુરેન્દ્રનગરના મુળી તાલુકામાંથી ગાંજાનું વાવેતર ઝડપી લેવાયું હતું. અંદાજે રૂ. પાંચ લાખની કિંમતના એકસો કિલો જેટલા ગાંજાના છોડ કબજે થયા હતાં. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના રામપર ગામેથી’ ગાંજાનું વાવેરત પકડીને 72 કિલો જેટલો ગાંજો કબજે કરાયો હતો.’ બે દિવસ પહેલા બોટાદ જિલ્લાના મોટીકુંડલ ગામેથી ગાંજો પકડાયો હતો. આ રીતે સૌરાષ્ટ્ર ગાંજાના ઉત્પાદનનું હબ બની ગયું છે. ગાંજાનું વાવેતર મોટા ભાગે ખેતર, વાડીના શેઢા પર કરવામાં આવે છે. વાવેતર કરનાર મોટાભાગના શખસો બંઘાણી હોય છે કે કોઇના કહેવાથી છાનાખૂણે ગાંજાનું વાવેતર કરીને કમાઇ લેવા માટે કરે છે. ગાંજાના વાવેતર માટે ગુજરાતનું હવામાન માફક નથી આમ છતાં બિહાર, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશની જેમ હવે ગાંજાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરની વાત કરીએ તો શહેરના જંગલેશ્વર વિસ્તારમાં 350 કિલો જેટલો ગાંજાનો જથ્થો પકડાયો હતો. આ ગાંજાનું પગેરૂ આંધ્રપ્રદેશ વાયા સુરત નિકળ્યું હતું.
અમદાવાદ અને સુરતમાં આંધ્રપ્રદેશ સહિતના’ રાજ્યોમાંથી આવતી ટ્રેનમાં ગાંજા સહિતના માદક પદાર્થની હેરાફેરી થાય છે. ટ્રેનના જનરલ ડબ્બામાં મુસાફરના સ્વાંગમાં માદક પદાર્થની હેરાફેરી થતી રહે છે. પરપ્રાંતમાંથી આવતા માદક પદાર્થનું ગુજરાતમાં વેચાણ થાય છે. કચ્છ અને ખંભાળિયા પાસેના સલાયામાંથી પકડાયેલ બ્રાઉન સ્યુગર અને હેરોઇનનું પગેરૂ વાયા ઉંઝા થઇને પંજાબ અને કાશ્મીર સુધી પહોંચ્યું હતું.
પંજાબની જેમ ગુજરાતને `ઉડતા ગુજરાત’ બનતું અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આમ છતાં દારૂ સહિતના માદક પદાર્થનું વેચાણ થતું રહે છે.
કેન્દ્ર સરકારે ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ રૂલ્સમાં ફેરફારની જાહેરાત કરી છે અને જો ઇન્વોઇસ કે ડેબીટ નોટ ફાઈલીંગમાં રીફલેક્ટ ન થાય તો ઇનપુટ ટેક્સ ક્રેડીટ 20% થી ઘટાડીને 10% કરી છે. આ ઘટાડો માન્ય ક્રેડિટને લાગુ પડશે. આની સાથોસાથ કમિશનર સુધીના સ્તરના અધિકારીઓને જો ક્રેડિટ ખોટી રીતે પ્રાપ્ત કરી હોય તો ઇનપુટ ટેક્સ ક્રેડીટની ઉપર એક વર્ષ માટે પ્રતિબંધ મુકવાની સત્તા આપી છે. જીએસટી કાઉન્સીલે તેની 18 ડીસેમ્બરની બેઠકમાં કરચોરી અટકાવવા અને બનાવટી પગલાં ટાળવા માટે આ અંગેની દરખાસ્તો મંજૂર કરી હતી.
આ નવા નિયમ 1લી જાન્યુઆરી 2020થી અમલી બનશે. જો કમિશનરને વાજબીપણે લાગે કે ઇનપુટ ટેક્સની ક્રેડીટ ખોટી રીતે લેવામાં આવી છે તો કોઇ જાતની ડેબીટના ડીસ્ચાર્જની છૂટ નહીં આપે કે કોઇ જાતના રીફંડને મંજૂર નહીં કરે.
આ ઉપરાંત જે કરદાતાઓએ તેમના ફોર્મ જીએસટીઆર-1ને બે માસ માટે કે બે ક્વાર્ટર માટે ઇ-વે બીલ ફાઈલ નહીં કર્યા હોય તે બ્લોક કરી દેવામાં આવશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.