ભારતમાં AICTE એ 49 ઓનલાઇન કોર્સ શરૂ કર્યા : કોલેજીયન, હાઉસવાઇફ, ધંધાર્થી કોઇપણ વ્યક્તિ માટે લૉકડાઉનમાં સૌથી પ્રોડક્ટીવ કામ નિવડશે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
હાલમાં લૉકડાઉન 3.0 સમગ્ર ભારતીયો માટે કંટાળાજનક પુરવાર થઇ રહ્યું છે. કોલેજીયનથી લઇને હાઉસવાઇફ તેમજ ધંધાર્થીઓ તમામ માટે સમય કેવી રીતે પસાર કરવો એ કામ હવે મહામુશ્કેલ બન્યું છે. એવા સંજોગોમાં ભારતમાં ટેકનિકલ અભ્યાસક્રમોનું સંચાલન કરતી ભારત સરકારની ઓટોનોમસ સંસ્થા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE દ્વારા લૉકડાઉનમાં મોડે મોડે પણ 49 ઓનલાઇન કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. આ 49 કોર્સ એક એકથી ચઢીયાતા છે.
કરીયર કાઉન્સિલર હોવાના નાતે લેખકે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE દ્વારા શરૂ કરવામાં આવેલા ઓનલાઇન ફ્રી કોર્સનું લિસ્ટ તેમજ સ્ટ્રક્ચરનો અભ્યાસ કર્યો છે અને આ કોર્સ હાલના લૉકડાઉનમાં સૌથી પ્રોડક્ટીવ કામ બની રહે એવા શક્તિશાળી અને સ્કીલ ડેવલપમેન્ટ કરે એવા છે.
કોલેજીયન, હાઉસવાઇફ, નોકરીયાત, ધંધાર્થી કોઇપણ જોડાઇ શકે એવા પણ કોર્સ
ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE ના ઓનલાઇન કોર્સની યાદીમાં એવા પણ કોર્સ છે જેમાં કોઇપણ વ્યક્તિ જોડાઇ શકે છે. જેમકે હાલ ડિજીટલ માર્કેટિંગનો જમાનો છે અને ડિજિટલ માર્કેટિંગ ઘરે બેઠા કે મોબાઇલ ફોનથી પણ થઇ શકે છે. કેટલીક ટેકનિકલ ટીપ્સ મળી જાય એટલે કોઇપણ વ્યક્તિ પદ્ધતિસર આ કામ કરી શકે છે. આના સમેત મશીન લર્નિંગ વગેરે કોર્સ એટલા પાવરફુલ છે કે જો રસ પડી જાય તો જીવનભર આ કોર્સ રૂપિયા રળી આપે એવી સ્કીલનું આરોપણ કરી શકે તેમ છે.
ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE જાહેર કરેલા કોર્સની યાદી માટે નીચેની લિંક ક્લીક કરો
Fresh dates for JEE, NEET might be announced on May 5
દેશના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે રવિવાર તા.3 મે ના રોજ આપેલી માહિતી મુજબ દેશના શિક્ષણ મંત્રી શ્રી રમેશચંદ્ર પોખરીયાલ તા.5મી મે 2020ના રોજ બપોરે 12 વાગ્યે વિદ્યાર્થીઓ સાથે નિશંક પ્રોગ્રામ અન્વયે લાઇવ સન્મુખ થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે કોવીડ-19ના કારણે મુલતવી રાખવામાં આવેલી મેડીકલ પ્રવેશ પરીક્ષા નીટ તેમજ એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જેઇઇ મેઇન્સ વગેરેની નવી તારીખોની ઘોષણા પણ આવતીકાલ તા.5મી મે ને મંગળવારે નિશંક લાઇવ પ્રોગ્રામમાં થઇ શકશે.
આ લાઇવ પ્રોગ્રામમાં દેશમાંથી કોઇપણ વિદ્યાર્થીઓ પોતાને મૂંઝવતા પ્રશ્નો પણ દેશના શિક્ષણ મંત્રીને પૂછીને તેમની સમસ્યાનું નિરાકરણ શોધી શકશે.
Students, Education Minister of India, @DrRPNishank will be hosting a webinar exclusively for you via his Twitter(@DrRPNishank) & Facebook (@cmnishank) pages. Join him: ???? 5th May 2020 ???? 12 noon Till then keep sharing your concerns with him using #EducationMinisterGoesLive. pic.twitter.com/KI9x4xfYuk
The HRD ministry on Sunday said fresh dates for competitive exams –JEE and NEET– will be announced on May 5.
The exams were postponed due to nationwide lockdown announced to contain the Covid-19 spread.
“The fresh dates will be announced by HRD Minsiter Ramesh Pokhriyal ‘Nishank’ on May 5. This will put an end to uncertainty for the aspirants. The minister will also interact with students online the same day,” a senior ministry official said.
While Joint Entrance Exam-Mains (JEE-MAINS) is conducted for admission to engineering colleges across the country, the National Eligibility cum Entrance Test (NEET) is conducted for medical colleges.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો માર્ચ ૨૦૨૦ને અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં એનર્જી અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસની નબળી કામગીરીને કારણે ચોખ્ખો નફો ૩૭ ટકા ઘટીને ૬,૩૪૮ કરોડ નોંધાયો હતો. કંપનીનો જાન્યુઆરી-માર્ચ ૨૦૧૯ના ગાળામાં ચોખ્ખો નફો ૧૦,૩૬૨ કરોડનો હતો. વધુમાં કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરોએ રાઇટ્સ ઇસ્યૂને મંજૂરી આપી હતી જે દરેક ૧૫ શેરે એક શેરના ધોરણે (૧૫:૧ના રેશિયો) ઓફર કરાશે અને તેની કિંમત શેરદીઠ ૧,૨૫૭ રહેશે.
કંપની રાઇટ્સ ઇસ્યૂ દ્વારા ૫૩,૧૨૫ કરોડ ઊભા કરવાનો લંક્ષ્યાક રાખે છે. દરમિયાન કંપનીની ચોથા ત્રિમાસિક ગાળામાં રેવેન્યૂ ૨.૫ ટકા ઘટીને ૧૫૧,૨૦૯ કરોડની થઈ હતી જે આગલા વર્ષના સમાન ગાળામાં ૧૫૫,૧૫૧ કરોડ હતી.
કંપનીની રેવેન્યૂ ત્રિમાસિક ધોરણે ૧૦.૬ ટકા ઘટી હતી. ત્રિમાસિક ગાળામાં ઇબીઆઇટીડીએ ૭.૬ ટકા વધીને ૨૫,૮૮૬ કરોડની રહી હતી. જ્યારે કરવેરા પૂર્વેનો નફો ૨.૭ ટકા ઘટીને ૧૩,૪૯૦ કરોડનો રહ્યો હતો. આ ગાળામાં કેશ નફો ૧૨.૮ ટકા વધીને ૧૮,૮૧૩ કરોડનો થયો હતો.
કંપનીનો પૂરા થયેલા નાણાં વર્ષ દરમિયાન ચોખ્ખો નફો ૦.૧ ટકા વધીને ૩૯,૮૮૦ કરોડનો થયો હતો જે આગલા વર્ષે ૩૯,૮૩૭ કરોડ હતો. જ્યારે વર્ષ દરમિયાન રેવેન્યૂ ૫.૪ ટકા વધીને ૬૫૯,૨૦૫ કરોડની થઈ હતી જે આગલા વર્ષના સમાન ગાળામાં ૬૨૫,૨૦૫ કરોડ હતી.
વર્ષ દરમિયાન ઇબીઆઇટીડીએ ૧૦.૪ ટકા વધીને ૧૦૨,૨૮૦ કરોડ રહી હતી જે વર્ષ અગાઉ ૯૨,૬૫૬ કરોડ હતી. કંપનીએ માર્ચ ૨૦૨૦ને અંતે પૂરા થયેલા વર્ષ માટે ૬.૫૦ ડિવિંડડની ભલામણ કરી હતી. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, વૈશ્ર્વિક પડકારો વચ્ચે પણ કંપનીએ નાણાં વર્ષ ૨૦૧૯-૨૦માં ફરીથી સ્થિર કામગીરી દર્શાવી છે. અમે ક્ધઝુયમર બિઝનેસ અને નવા સાહસોમાં રોકાણને જાળવી રાખવા કટીબધ્ધ છીયે. અમે ભાવિ વિશાળ તકોને જોઈ રહ્યા છીયે અને રાઇટ્સ ઇસ્યૂ અને ઇક્વિટી કામકાજથી રિલાયન્સની સ્થિતિ વધુ મજબૂત થશે તેમજ અમારા રોકાણકારોની વેલ્યૂમાં નોંધપાત્ર વૃદ્ધિ કરશે.
કંપનીએ એક યાદીમાં જણાવ્યું હતું કે, ૩૧ માર્ચે પુરા થતા ત્રિમાસિક ગાળામાં રિલાયન્સ જિયોનો નેટ પ્રોફિટ ૭૨.૭ ટકા વધીને રૂ. ૨,૩૩૧ કરોડ થયો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડતેલના ભાવમાં બોલાયેલા કડાકાને પગલે સબસિડી વિનાના રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં શુક્રવારે પ્રતિ સિલિન્ડર વિક્રમજનક ₹. ૧૬૨.૫૦નો ઘટાડો કરવામાં આવ્યો હતો. સબસિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં આ સતત ત્રીજો માસિક ઘટાડો છે. આ એજ ગેસ સિલિન્ડર છે જેની સબસિડી ગ્રાહકોએ સ્વેચ્છિક રીતે જતી કરી હતી.
આ એજ ગેસ સિલિન્ડર છે જે સામાન્ય વપરાશકર્તાઓનો ૧૪.૨ કિલોગ્રામ વજનના ૧૨ સિલિંડરનો ક્વોટા પૂરો થયા બાદ તેમને આપવામાં આવે છે. કોરોનાને કારણે ફેલાયેલી મહામારીને પગલે દેશભરમાં જાહેર કરવામાં આવેલા લોકડાઉનને કારણે દેશમાં તેલની માગમાં અસાધારણ ઘટાડો થયો છે જેને લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવમાં કડાકો બોલાયો છે. ગયા મહિને ક્રૂડ તેલના ભાવ પ્રતિ બેરલ ૧૫.૯૮ ડોલર સાથે બે દાયકાના સર્વાધિક નીચલા સ્તરે પહોંચી ગયો હતો, પરંતુ શુક્રવારે ક્રૂડ તેલનો ભાવ વધીને પ્રતિ બેરલ ૨૬.૪૩ ડોલર થઈ ગયો હતો. સબસિડી વિનાના ૧૪.૨ કિલોગ્રામ વજનના ગેસ સિલિન્ડરનો ભાવ હવે દિલ્હીમાં અગાઉના ₹.૭૪૪.૦૦થી ઘટીને ₹. ૫૮૧.૫૦ થઈ ગયો છે. મુંબઈમાં આ ગેસ સિલિન્ડરનો ભાવ પ્રતિ સિલિન્ડર અગાઉના ₹. ૭૧૪.૫૦ થી ઘટીને ₹. ૫૭૯.૦૦ થઈ ગઈ છે. અગાઉ માર્ચમાં સબસિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર ₹. ૫૩.૦૦નો તો એપ્રિલમાં ₹. ૬૧.૫૦ નો ઘટાડો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવને આધારે દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ રાંધણગેસના ભાવમાં સુધારો કરે છે.
કેન્દ્ર સરકારે ૪થી મે બાદ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનમાં વધુ બે સપ્તાહનો વધારો કરવાની શુક્રવારે સાંજે જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જણાવ્યું હતું કે લૉકડાઉનની સ્થિતિની સઘન સમીક્ષા કરવામાં આવી હતી અને એના પરિણામો ઘણાં સકારાત્મક જણાયાં છે. વધુ બે સપ્તાહનું લૉકડાઉન ૪થી મેથી શરૂ થશે અને આ વખતે લૉકડાઉન દરમિયાન અનેક જિલ્લાઓમાં વધારાની છૂટ આપવામાં આવશે.
કોવિડ-૧૯ વિશેની નવી ગાઇડલાઇન્સ શુક્રવારે જાહેર કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધીના લૉકડાઉનનું પરિણામ ધોવાઇ ન જાય એ માટે ૩જી મે સુધી પ્રતિબંધોનું સખત રીતે પાલન કરવું જરૂરી છે. ૧૭ મે સુધી રેલવે, વિમાની અને મેટ્રો સેવા પણ બંધ રહેશે. શાળાઓ અને કોલેજો, કોચિંગ કલાસિસ, હોટલ અને રેસ્ટોરન્ટ સહિતની હોસ્પિટલિટી સર્વિસીસ, રાજકીય અને સાંસ્કૃતિક મેળાવડો, ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ, જિમખાનાઓ અને સિનેમા હોલ વિગેરે બંધ રહેશે.વિશેષ હેતુ માટે અને ગૃહ મંત્રાલયે જે હેતુ માટે પરવાનગી આપી છે તે માટે લોકોની અવરજવર વિમાની, રેલવે અને રોડ દ્વારા થઈ શકશે.
ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં 326 નવા કેસ નોંધાયા છે. જેથી હવે કોરોના વાયરસ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 4721એ પહોંચી છે.
સમગ્ર રાજ્યમાં 24 કલાકમાં કુલ 326 કેસ નોંધાયા છે. જેમાં નવા 326 કેસમાંથી અમદાવાદમાં 267, સુરતમાં 26, વડોદરામાં 19, પાટણમાં 1 કેસ, મહીસાગરમાં 6, પંચમહાલમાં 3, બનાસકાંઠા તેમજ બોટાદમાં 1-1 અને ગાંધીનગર તથા કચ્છમાં પણ 1-1 કેસ નોંધાયા છે. આ ઉપરાંત 24 કલાકમાં 22 લોકોના મોત નીપજ્યા છે. જેમાંથી 16 મૃત્યુ તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે.
રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 326 કેસ નોંધાયા છે તો 24 કલાકમાં 22 લોકો કોરોના વાયરસના સંક્રમણના કારણે મોતને પણ ભેટ્યા છે. અમદાવાદમાં નવા 267 કેસ સાથે હવે કુલ પોઝિટિવ આંકડો 3293 પહોંચ્યો છે. નોંધનીય છે કે શહેરભરમાં અત્યાર સુધીમાં 165 મોત થયા છે. આ ઉપરાંત રાજ્યમાં 644 પોઝિટિવ દર્દીઓ સાથે બીજા નંબર પર સુરત છે. જ્યાં કુલ 26 લોકો મોતને ભેટ્યા છે.
કોરોના વાયરસ રોગચાળાને કારણે વિશ્ર્વભરના શેરબજારોમાં ઘટાડા વચ્ચે ભારત વિશ્વના ટોચના ૧૦ શેર બજારોની સૂચિમાંથી બહાર નીકળી ગયું છે. વાયરસની ભારતીય અર્થવ્યવસ્થા પર ઘણી ખરાબ અસર પડી છે. આને કારણે ભારતીય શેર બજાર બીયર માર્કેટના દાયરામાં આવી ગયું છે અને ડોલરની સામે રૂપિયો નવી નીચી સપાટીએ પહોંચી ગયો છે.
શેરબજાર સર્વોચ્ચ સપાટીએથી ૨૦% કરતા વધુ નીચે આવી ગયું છે જેને બિયર માર્કેટના દાયરામાં માનવામાં આવે છે. વિશ્ર્લેષકોના જણાવ્યા અનુસાર, છેલ્લા ૩૦ વર્ષમાં આ પાંચમો વખત છે જ્યારે ભારતીય બજારમાં ૪૦% થી વધુનો ઘટાડો થયો છે. અગાઉના ચાર પ્રસંગોમાં બજારને તળિયે સ્પર્શ કરવામાં ૧૦ થી ૨૭ મહિનાનો સમય લાગ્યો હતો. જ્યારે આ વખતે બજાર ત્રણ મહિનાથી ઓછા સમયમાં તેના નીચા સ્તરે પહોંચ્યું છે.
કેટલાક નામાંકિત સૂચકાંકો મુજબ ભારતીય મંદી હજુ ઘટાડના નીચા સ્તરે પહોંચી નથી.આ વર્ષમાં ભારતીય બજારના માર્કેટ કેપમાં ૨૭.૩૧%નો ઘટાડો થયો છે.
બ્લૂમબર્ગના આંકડા મુજબ, ભારતીય શેર બજારમાં સૂચિબદ્ધ શેરોના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં આ વર્ષની શરૂઆતની સ્થિતિની તુલનામાં ડોલરના મૂલ્યમાં ૨૭.૩૧ ટકાનો ઘટાડો થયો છે. ભારત હવે બે લાખ કરોડ ડોલર માર્કેટ કેપિટલાઇઝેશન વાળા બજારોની યાદીમાં નથી. ૧.૫૭ લાખ કરોડ ડોલર સાથે ભારત હવે ૧૧માં સ્થાને છે.
આ વર્ષે જાન્યુઆરીમાં, ભારતીય બજાર ૨.૧૬ લાખ કરોડ ડોલરના માર્કેટ કેપ સાથે ૧૦માં સ્થાને રહ્યું છે. આ અગાઉ જાન્યુઆરી ૨૦૧૯માં પણ, ૨.૦૮ લાખ કરોડ ડોલરના માર્કેટ કેપ સાથે ભારત વિશ્વમાં સાતમાં સ્થાને રહ્યું હતું.
૨૩ માર્ચે ભારત ટોપ -૧૦ ક્લબમાંથી બહાર નીકળી ગયું હતું. તે દિવસે સેન્સેક્સમાં ૧૩.૧૫%નો ઘટાડો નોંધાયો હતો, જે સેન્સેક્સનો સૌથી મોટો ઘટાડો હતો. તે દિવસે ભારતીય શેરોનો કુલ માર્કેટ કેપ ૧.૩૧ લાખ કરોડ ડોલર અથવા રૂ. ૧૦૧.૮૭ લાખ કરોડ હતું. ભારતીય બજારમાં સૂચિબદ્ધ તમામ કંપનીઓનો કુલ માર્કેટ કેપ આ વર્ષના ઉપરના સ્તર રૂ. ૧૫૫.૫૪ લાખ કરોડથી ઘટીને હાલમાં રૂ. ૧૨૧.૭૩ લાખ કરોડ પાર પહોંચ્યું છે. વિશ્ર્વના કુલ માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ૨.૧૮ ટકા છે.
દેશના મુખ્ય શેર સૂચકાંક સેન્સેક્સમાં સમાવિષ્ટ શેરોના કુલ માર્કેટ કેપ (ડોલરમાં)માં આ વર્ષે અત્યાર સુધીમાં ૨૯.૧૦ ટકાનો ઘટાડો થયો છે, જે ૨૦૧૯ માં ૧૧.૯૧ ટકા હતો. વિશ્ર્વના કુલ માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ૨.૧૮ ટકા છે. ૨૦૧૯ની શરૂઆતમાં તે ૨.૯૭ ટકા હતો.
વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું કે પાછલા ૧૦૦થી વધુ વર્ષોમાં ભારત સહિત વિશ્વભરના બજારોમાં મોટો ઘટાડો થયો છે. આવી ઘટના દર ૧૦ વર્ષે એકવાર થાય છે જયારે મુખ્ય શેર સૂચકાંકમાં ૩૫ ટકાનો ઘટાડો થાય છે.
આ પછી સામાન્ય રીતે આર્થિક મંદી આવે છે. બેરોજગારી મોટા પાયે વધે છે અને કર્મચારીઓના પગારમાં ઘટાડો કરે છે. ઐતિહાસિક રીતે ભારતમાં આવી ઘટનાઓ પછી બજારને નીચા સ્તરે પહોંચવામાં સરેરાશ ૧૨થી ૧૪ મહિનાનો સમય લાગે છે.
જાણીતાં ગુજરાતી લેખિકા કુન્દનિકા કાપડિયાનું ગુરુવારે અવસાન થયું હતું. તેઓ ૯૩ વર્ષનાં હતાં. ખાસ કરીને ‘સાત પગલાં આકાશમાં’ નવલકથા માટે જાણીતાં કુન્દનિકાબેને વલસાડ જિલ્લામાં નંદીગ્રામ આશ્રમ ખાતેના નિવાસસ્થાને ગુરુવારે સવારે અંતિમ શ્ર્વાસ લીધા હતા.૨૦૧૮માં તેમણે આંતરડાના કૅન્સરની સારવાર કરાવી હતી અને ત્યાર બાદ સ્વસ્થતાપૂર્વક રાબેતા મુજબનું જીવન જીવી રહ્યાં હતાં. જોકે, છેલ્લાં થોડા દિવસોથી તેમની તબિયત બગડી ગઈ હતી, એમ તેમના આશ્રમ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું.કુન્દનિકાબેન અને જાણીતા કવિ મકરંદ દવેએ સમાજના નબળા વર્ગોના લોકોની સહાય માટે તેમ જ આધ્યાત્મિક જીવન ગાળવાના આશયથી ૧૯૫૯માં નંદીગ્રામ આશ્રમની સ્થાપના કરી હતી.
કોરોના કહેર વચ્ચે દેશભરમાં લોકડાઉનના અમલથી ફસાઇ ગયેલા ગુજરાતીઓને પરત વતન લાવવા માટે ગુજરાત સરકારે કવાયત શરૂ કરી છે. તેમને પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં ફસાઇ ગયેલા પરપ્રાંતિયોને પણ તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
રાજ્યના મુખ્ય પ્રધાનના સચિવ અશ્ર્વિની કુમારે જણાવ્યું હતું કે, રાજ્યના અનેક જિલ્લાઓમાં પરપ્રાંતીઓ ફસાયેલા છે. કેન્દ્રની ગાઈડલાન પ્રમાણે આ પરપ્રાંતીઓને તેમના વતન પરત મોકલવામાં આવશે. જે પરપ્રાંતી સંપૂર્ણ સ્વસ્થ હશે તેને જ પરત મોકલવામાં આવશે. આ માટે આઠ આઇપીએસ અને આઇએએસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. અલગ-અલગ રાજ્ય માટે અલગ-અલગ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત ગુજરાતના જે લોકો બહાર ફસાયેલા છે તેમને પણ રાજ્યમાં પરત લાવવામાં આવશે. આ માટે સાંજ સુધીમાં અરજી કરવા માટે પોર્ટલ તૈયાર કરવામાં આવશે.
ગુજરાત બહાર રહેતા લોકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં વાહનની વિગત પણ ભરવાની રહેશે.આગામી ૧૦-૧૫ દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. દરમિયાન આગમી ત્રીજી મેએ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થઇ રહ્યો છે. જો કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં નહીં આવે તો રાજ્યમાં ચાર મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે છે. જેમાં તમામ ગ્રીન ઝોન સંપૂર્ણ ખોલવામાં આવી શકે છે. ઓરેન્જ ઝોનમાં અમુક છૂટછાટ આપવામાં આવશે જ્યારે રેડ ઝોનને સંપૂર્ણ બંધ રાખવામાં આવી શકે છે.
પીઢ અભિનેતા, ત્રણ દાયકા સુધી બૉલીવૂડના અવ્વલ દરજ્જાના રૉમેન્ટિક હીરો તરીકેની પ્રતિભા ધરાવતા તેમ જ ફિલ્મ કરિયરના છેલ્લા વર્ષોમાં ચરિત્ર અભિનેતાના રોલમાં જોવા મળેલા રિશી કપૂર લ્યૂકેમિયા સામેની બે વર્ષની લડતમાં છેવટે હારી ગયા. ગુરુવારે તેમનું ૬૭ વર્ષની વયે અવસાન થયું હતું.
કપૂર કુટુંબની ત્રીજી પેઢીના મહાન કલાકાર રિશી કપૂરે અભિનયને નવો વળાંક અને ઓપ આપ્યા હતા. તેમના પરિવારમાં પત્ની નીતુ, ઍક્ટર રણબીર અને પુત્રી રિદ્ધિમા કપૂર-સાહનીનો સમાવેશ છે. રિશીના મોટા ભાઈ રણધીર કપૂરે પીટીઆઇને જણાવ્યું હતું કે ‘મારો ભાઈ રિશી હવે આપણી વચ્ચે નથી. તેનું નિધન થયું છે.’
બુધવારે ગિરગામ ખાતેની એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ગુરુવારે સવારે ૮.૪૫ વાગ્યે તેમણે છેલ્લાં શ્ર્વાસ લીધા હતા. કોવિડ-૧૯ને કારણે લાગુ કરાયેલા લૉકડાઉનના નિયમોને પગલે રિશી કપૂરનું પાર્થિવ શરીર હૉસ્પિટલમાંથી સીધું કાલબાદેવી ખાતેના ચંદનવાડી સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યું હતું.
રિશી કપૂરના પાર્થિવ શરીરને ગુરુવારે બપોરે ૩.૪૫ વાગ્યે ઍમ્બ્યુલન્સમાં પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ચંદનવાડી સ્મશાનગૃહ ખાતે લાવવામાં આવ્યું હતું. સાંજે ૪.૦૦ વાગ્યા પછી કરવામાં આવેલા તેમના અગ્નિસંસ્કાર વખતે હાજર પત્ની નીતુ, પુત્ર રણબીર તેમ જ તેમના નજીકના પરિવારજનોમાં મોટા ભાઈ રણધીર, કરીના કપૂર ખાન અને તેના પતિ સૈફ અલી ખાન, અભિનેતા અભિષેક બચ્ચન અને રણબીરની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ તેમ જ અનિલ અંબાણીનો સમાવેશ હતો.
ગુરુવારે સવારે રિશી કપૂરના નિધનના સમાચાર બહાર આવતાં જ બૉલીવૂડમાં તેમ જ રિશીના ચાહકોમાં શોકનું વાતાવરણ ફેલાયું હતું. સોશિયલ મીડિયામાં તેમ જ ટીવી ચૅનલો પર લાડલા રિશીને અંજલિ આપતા અસંખ્ય સંદેશા આવવા લાગ્યા હતા.
કપૂર પરિવારે રિશીને અંજલિ આપવા સંબંધમાં તેમના ચાહકોને તેમ જ મિત્રોને લૉકડાઉનને લગતા નિયંત્રણોને લક્ષમાં રાખવાની વિનંતી કરી હતી. રિશીના ‘ડી-ડે’ ફિલ્મના સહ-અભિનેતા ઇરફાન ખાનનું બુધવારે કૅન્સરની બીમારી સામે ઝઝૂમ્યા બાદ નિધન થયું હતું અને ગુરુવારે રિશીનું લ્યૂકેમિયા સામેની લડતમાં અવસાન થયું. ત્રણ મહિના પહેલાં તેમના બહેન રિતુ નંદાનું આ જ બીમારીના કારણસર મૃત્યુ થયું હતું.
હૉસ્પિટલ ખાતેના ડૉક્ટરો અને સ્ટાફે જણાવ્યું હતું કે ‘રિશી કપૂર જીવ્યા ત્યાં સુધી બધાનું મનોરંજન કરતા રહ્યા હતા. આ જાણકારી કપૂર પરિવારે એક નિવેદનમાં આપી હતી. નિવેદનમાં જણાવાયું હતું કે ‘રિશી રમૂજી સ્વભાવના હતા અને છેક સુધી એવા જ રહ્યા. તેમણે બીમારીના બે વર્ષ દરમિયાન અને સારવાર માટે ખેડેલા બે ઉપખંડના પ્રવાસ દરમિયાન પણ જિંદગી ખૂબ માણી હતી. ફૅમિલી, ફ્રેન્ડ્સ, ફૂડ અને ફિલ્મ પર છેક સુધી તેમનું ધ્યાન રહ્યું હતું. જે કોઈ અમને મળતું એ કહેતું કે ગંભીર બીમારીમાં હોવા છતાં એની પીડા વ્યક્ત ન કરવાની અદ્ભુત શક્તિ રિશીમાં જોવા મળી. રિશીના જવાથી અમારા પરિવારને તો મોટી ખોટ પડી જ છે, આખું વિશ્ર્વ અત્યારે (કોરોના વાઇરસને કારણે) ગંભીર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે એ બાબતથી પણ અમે બધા ચિંતિત છીએ. અમે રિશીના ચાહકો અને અમારા પરિવારના શુભેચ્છકો-મિત્રોને વિનંતી કરીએ છીએ કે લૉકડાઉનને લગતા કાનૂનોનું ચુસ્તપણે પાલન કરજો. ખુદ રિશી પણ આ નિયમોના પાલનમાં માનતા હતા અને એવા પાલન માટે અમે બધાને અરજ કરીએ છીએ.’
રિશી કપૂર અમેરિકામાં કૅન્સરની સારવાર કરાવ્યા બાદ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત પાછા આવ્યા હતા. તેઓ લગભગ એક વર્ષ સુધી અમેરિકામાં રહ્યા હતા. ફેબ્રુઆરીમાં બે વાર તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. પહેલાં તેઓ જ્યારે દિલ્હીમાં એક ફૅમિલી-ફંક્શનમાં હાજરી આપવા ગયા હતા ત્યારે એક ‘ઇન્ફેક્શન’ને કારણે તેમણે હૉસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. મુંબઈ પાછા આવ્યા પછી વાઇરલ ફીવરને લીધે તેમને હૉસ્પિટલમાં લઈ જવાયા હતા અને થોડા જ દિવસમાં રજા આપી દેવામાં આવી હતી.
રિશી કપૂર રૉમેન્ટિક અભિનયના બેતાજ બાદશાહ તરીકે જાણીતા હતા જ, તેઓ કોઈ પણ પ્રકારનો અભિનય બખૂબી નિભાવી જાણીતા હતા. તેમના જેવા વર્સેટાઇલ ઍક્ટર બૉલીવૂડને ભાગ્યે જ મળ્યા છે. ઘણી પેઢીઓના ફિલ્મપ્રેમીઓના તેઓ મનપસંદ અભિનેતા હતા. સદ્ગત પિતા રાજ કપૂરની ‘શ્રી ૪૨૦’ ફિલ્મમાં ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ…’ ગીતમાં તેમણે બાળ કલાકારની ભૂમિકામાં ફિલ્મના પડદે પદાર્પણ કર્યું હતું. ત્યાર બાદ ૧૦૭૦માં ‘મેરા નામ જોકર’ ફિલ્મમાં પણ તેમનો અભિનય હતો, પરંતુ ૧૯૭૩માં રાજ કપૂરની જ ‘બૉબી’ ફિલ્મમાંના અભિનય સાથે તેમણે રૉમેન્ટિક હીરો તરીકેની ખ્યાતિ મેળવવાની શરૂઆત કરી હતી.
અસંખ્ય ફિલ્મોમાં અભિનય કરનાર રિશી કપૂરની અન્ય જાણીતી ફિલ્મોમાં ‘રફૂ ચક્કર’, ‘ખેલ ખેલ મેં’, ‘લૈલા મજનૂ’, ‘કભી કભી’, ‘કર્ઝ’, ‘યે વાદા રહા’, ‘ચાંદની’, ‘હીના’, ‘સાગર’, ‘અમર અકબર એન્થની’, ‘હમ કિસી સે કમ નહીં’, ‘નસીબ’ વગેરેનો સમાવેશ હતો. એ ઉપરાંત, તેમણે ચરિત્ર અભિનેતા તરીકેના અભિનય પણ આપ્યા હતા જેમાં પત્ની નીતુ સાથેની ફિલ્મ ‘દો દૂની ચાર’ તથા ‘અગ્નિપથ’ અને ‘કપૂર ઍન્ડ સન્સ’નો સમાવેશ હતો. અમિતાભ બચ્ચન સાથે તેમણે ઘણી ફિલ્મો કરી હતી અને ‘૧૦૨ નૉટઆઉટ’ તેમની સાથેની આખરી ફિલ્મ હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.