CIA ALERT

Slider Archives - Page 175 of 486 - CIA Live

December 17, 2020
worldcup2023.jpg
1min576

ભારતમાં વન-ડે મૅચોનો વર્લ્ડ કપ ફરી ૨૦૨૩માં યોજાશે. એ સ્પર્ધાનું ૨૦૨૩ના ઑક્ટોબર-નવેમ્બરમાં આયોજન થશે. ભારત અને સુપર લીગની બીજી ટોચની સાત ટીમો આ વર્લ્ડ કપ માટે સીધી ક્વૉલિફાય થઈ છે.

દરમિયાન, ૨૦૨૩ના વિશ્ર્વકપની ક્વૉલિફાઇંગ મૅચો ઝિમ્બાબ્વેમાં આગામી ૧૮ જૂનથી ૯ જુલાઈ દરમિયાન યોજાશે, એવી જાહેરાત બુધવારે આઇસીસી દ્વારા કરાઈ હતી. આ શેડ્યુલ કોવિડ-૧૯ની મહામારીને કારણે અગાઉ મુલતવી રાખવામાં આવ્યું હતું.

સુપર લીગ વર્ગની તળિયાની પાંચ ટીમો ૨૦૨૩ના વર્લ્ડ કપ ક્વૉલિફાયરમાં ટકરાશે.

આઇસીસીએ બુધવારે વર્લ્ડ લીગ-ટૂ તથા ચૅલેન્જ લીગના સમયપત્રકની પણ જાહેરાત કરી હતી. વર્લ્ડ કપ લીગ-ટૂની વન-ડે મૅચો આવતા વર્ષે માર્ચની ૧૯મીથી ઓમાનમાં રમાશે. એમાં ઓમાન, અમેરિકા, નેપાળ વચ્ચે મૅચો રમાશે. આઇસીસી હવે નવા-નવા અને નાના દેશોને પણ ક્રિકેટ રમવા પ્રોત્સાહિત કરે છે અને એના ભાગરૂપે ચૅલેન્જ લીગ સ્પર્ધા આવતા વર્ષે ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં રમાશે. એ મૅચો કૅનેડા તથા જર્સીમાં રમાશે અને એમાં ડેન્માર્ક, મલયેશિયા, કતાર, સિંગાપોર, વાનુઆટુ, બર્મુડા, હૉંગકૉંગ, ઇટલીની ટીમો ભાગ લેશે. એમાંથી ટોચની બે ટીમો ક્વૉલિફાયર માટે લાયક ઠરશે અને પછી તેમને ૨૦૨૩ના ભારતના વર્લ્ડ કપમાં રમવાનો મોકો મળશે.

December 16, 2020
farmersprotest.jpg
1min467

છેલ્લા 20 દિવસથી દિલ્હીમાં ચાલી રહેલાં કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલન અંગે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જનહિત અરજીમાં પ્રદર્શનકારીઓને રસ્તાઓ પરથી હટાવવાની અપીલ કરવામાં આવી હતી. જેમાં તમામ દલીલો બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે ખેડૂતોનો પક્ષ પણ સાંભળવા માગે છે. સાથે જ ખેડૂત સંગઠનોને એક નોટિસ પાઠવવામાં આવી છે. કોર્ટે સરકાર, ખેડૂત અને અન્ય પક્ષોની એક કમિટી બનાવવા કહ્યું છે.

કોર્ટનું કહેવું છે કે, રાષ્ટ્રીય મુદ્દો સહમતિથી હલ થવો જોઇએ. આવામાં વહેલી તકે કમિટી બનાવીને ચર્ચા થાય. કોર્ટે ખેડૂત સંગઠનોને નોટિસ પાઠવી છે, હવે આ મામલે પહેલાં સુનાવણી થશે.

ઉપરાંત કાયદો પાછા લેવાની માગ પર અડગ ખેડૂતોએ બુધવારે ચિલ્લા બોર્ડર પર દિલ્હી-નોઈડા લિંક રોડને બ્લોક કરી દીધો હતો. આજ કારણે ત્યાં જામની સ્થિતિ બની ગઈ છે. રસ્તા પર ગાડીઓની લાંબી લાઈન લાગી છે.ખેડૂતોએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે વાતચીત પછી 13 ડિસેમ્બરની રાતે ચિલ્લા બોર્ડરને ખોલવાનો નિર્ણય કર્યો હતો.

December 16, 2020
CR_Cia.jpg
1min1064

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા પછી સગઠનાત્મક કામગીરી કરતા સી.આર. પાટીલે ભરેલા અનેક પગલાંઓ પૈકી સૌથી ઇફેક્ટીવ અભિયાન પેજ પ્રમુખનું છે. હાલમાં (Gujarat BJP) ગુજરાત ભાજપામાં પેજ પ્રમુખ બનીને પેજ સમિતિ સુપરત કરવાની પ્રક્રિયામાં શિર્ષથી લઇને અદનામાં અદના કાર્યકર સુધી હોડ જામી છે.

તા.16મી ડિસેમ્બરે સુરત ભાજપા કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં CiA Live News Web સી.આઇ.એ. લાઇવ તરફથી ભાજપાના ગુજરાત સુપ્રીમો સી.આર. પાટીલને પેજ પ્રમુખ અભિયાન અંગે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમના જવાબો ગુજરાત ભાજપાના કાર્યકરો માટે એક માર્ગદર્શન સમાન બની રહેશે.

પેજ પ્રમુખોની મુદત કાયમી છે એવા સ્ટેટમેન્ટ પછી ભાજપામાં પેજ પ્રમુખો બનવાની હોડ સર્જાય તો નવાઇ નહીં

અમે CiA Live News Web સી.આર. પાટીલને પૂછ્યું કે પેજ પ્રમુખોની મુદત કેટલી તેના પ્રત્યુત્તરમાં સી.આર. પાટીલે કહ્યું કે પેજ પ્રમુખોની મુદત કાયમી છે. અમે સી.આર. પાટીલને વધુ ડિટેઇલમાં પૂછ્યું કે હાલ મતદાર યાદીઓની સુધારણા ચાલી રહી છે અને એમાં 16થી 17 હજાર નવા મતદારો સામેલ કરવામાં આવશે. જો નવા મતદારો આવશે અને હજારોની સંખ્યામાં રદ થયેલા મતદારોના નામો કમી થશે એટલે મતદાર યાદીના પેજ પ્રમુખોનું સ્થાન જે તે પેજ પરથી અન્ય પેજ પર જશે ત્યારે એક જ પેજ પર બે થી ત્રણ પેજ પ્રમુખો પણ આવી જશે ત્યારે શું કરશો આ પ્રશ્નના ઉત્તરમાં સી.આર. પાટીલે કહ્યું કે આ ટેકનિકલ મુદ્દો છે.

તેમણે એમ પણ કહ્યું કે જે નવા મતદારો આવશે તેમાંથી જેઓ પેજ પ્રમુખ બનવા માંગશે તેમને પણ અમે સમાવી લેવાના પ્રયાસો કરીશું. આટલું કહ્યા પછી તેમણે પત્રકાર પરિષદ આટોપી લીધી હતી.

તા.1/1/21ના રોજ નવી સુધારેલી મતદાર યાદી જાહેર થશે ત્યારે પેજ પર તમામ મતદારોના સ્થાન અને પેજ બન્ને બદલાશે

સી.આઇ.એ. લાઇવ CiA Live News Web એ ભાજપાના પ્રદેશ પ્રમુખને એ પણ જણાવ્યું કે હાલમાં ગુજરાતમાં વિધાનસભા મત વિસ્તાર અનુસાર મતદાર યાદી સુધારણા અભિયાન ચાલી રહ્યું છે. તા.1લી જાન્યુઆરી 2021ના રોજ નવી મતદારયાદીઓ જાહેર થશે. હાલમાં મતદાર યાદી સુધારણા સાથે સંકળાયેલા સ્ટાફના જણાવ્યા અનુસાર નવા મતદારો હજારોની સંખ્યામાં ઉમેરાશે તેમજ કેટલાકના સ્થાન ફેર થશે, કેટલાક મતદારોના નામો કમી થશે, મૃત્યુ પામેલા મતદારોના નામ રદ થશે આમ, હાલમાં જે મતદાર યાદીઓમાં મતદારોના નામ જે તે પેજ પર છે તે અન્ય શીફ્ટ થશે જ થશે.

આમ છતાં, ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સુરત ખાતેની પત્રકાર પરિષદમાં જાહેરાત કરી છે કે પેજ પ્રમુખોની નિમણૂંક કાયમી છે.

December 15, 2020
CIA_Live_Logo_New2.jpg
3min1753

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. જેઇઇ મેઇન્સ 2021 ફર્સ્ટ ફેઝમાં જે ફેબ્રુઆરીમાં લેવામાં આવનાર છે, તેનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આજરોજ તા.15મી ડિસેમ્બર 2020થી જેઇઇ મેઇન્સ ફેબ્રુઆરી 2021ની પરીક્ષાના રજિસ્ટ્રેશન પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. તા.15મી જાન્યુઆરી 2021 સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. તા.22થી 25 ફેબ્રુઆરી દરમિયાન જેઇઇ મેઇન્સ પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે. ફેબ્રુઆર 2021ની પરીક્ષાનું સમયપત્રક નીચે મુજબ છે.

EE Main 2021 Exam Schedule for February cycle

EventDate
Application process begins15.12.2020
Last date to apply15.01.2021
Last date to pay fee16.01.2021
Correction in particulars18.01.2021 to
21.01.2021
Admit card releaseFebruary first
week 2021
Exam dateFebruary 22 to 25

વધુ માહિતી માટે નીચેની વેબસાઇટ પર ક્લીક કરો

jeemain.nta.nic.in

The National Testing Agency on Tuesday released the notification for the JEE Main 2021 on its official portal. The candidates who wish to apply for JEE Main 2021 can visit the official website of JEE Main — jeemain.nta.nic.in — to check and download the notification.

As per the schedule issued on the JEE Main’s website, the registration process for JEE Main 2021 will commence today i.e., December 15. The last date to apply for JEE main 2021 is January 15, 2021. Candidates can submit the application fee of JEE Main 2021 till January 16. Candidates can make the corrections in their particulars from January 18 to January 21.

December 15, 2020
CIA_Live_Logo_New2.jpg
1min497
Is student-on-teacher violence on the rise in Ontario? | TVO.org
ઇતિહાસમાં પહેલી વખત ખાલી ક્‍લાસે બોર્ડના વિદ્યાર્થીઓનો સિલેબસ પૂરી થઇ ગયો. વર્ચ્‍યુઅલ દુનિયા માટે આ સૌથી મોટી જીત કહેવાય રહી છે પણ વિદ્યાર્થીઓની કારકિર્દીને નહીં ભરપાઇ થઇ શકે તેવું નુકસાન પહોંચ્‍યું છે. કોરોનાકાળમાં વાલીઓએ થોડી હિંમત દર્શાવી હોત તો બાળકોને પ્રત્‍યક્ષ શિક્ષણ ભલે 30-30 ટકાની સ્‍ટ્રેન્‍થ પર મળ્‍યું હોત તો એ લેખે લાગત. કોરોનાના ભયમાં હવે બાળકો   પ્રત્‍યક્ષ રીતે પરીક્ષા આપશે, પણ પ્રત્‍યક્ષ શિક્ષણ લીધા વગર.

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ડિસેમ્‍બરની 15મી તારીખ પૂરી થતાં જ ગુજરાતની મોટા ભાગની માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં દર વર્ષની જેમ રાબેતા મુજબ ધો.10 અને ધો.12માં પાઠયક્રમના તમામ ચેપ્‍ટર પૂર્ણ થઇ ગયાની જાહેરાતો સંભળાવા માંડી. કેટલીક સ્‍કુલોમાં 20 અને બાકીની બધી સ્‍કુલોમાં તા.25મી ડિસેમ્‍બર સુધીમાં કોર્સ પૂરો કરી દેવાશે એવા અહેવાલો મળ્‍યા, આヘર્યની વાત એ છે કે 2020-2021ના વર્ષમાં એક પણ દિવસ સ્‍કુલો ગયા વગર વિદ્યાર્થીઓનો કોર્સ ઘરે બેઠા ઓનલાઇન પૂરી થઇ ગયો છે. વાલીઓ, માબાપ ભલે માને કે બાળકો ઓનલાઇન અભ્‍યાસ કર્યો પરંતુ, તેમની કારકિર્દીને આ પ્રકારના અભ્‍યાસથી નહીં ભરપાઇ થઇ શકે તેવું નુકસાન પહોંચ્‍યું છે. ધો.10-12 અભ્‍યાસના મહત્‍વના પડાવ છે, શાળાકીય પ્રત્‍યક્ષ શિક્ષણ વગર બોર્ડનો સિલેબસ પાર કરી દેવાયો એ એક આશ્વાસનથી વિશેષ કંઇ નથી. જે વિદ્યાર્થીઓ મૌલિક રીતે અભ્‍યાસ કરે છે તેઓ આ નુકસાનીને રિકવર કરી લેશે પરંતુ, જે વિદ્યાર્થીઓ એવરેજ છે, છેવાડાના વિદ્યાર્થીઓ ધો.10 અને ધો.12માં કશું ભણ્‍યા જ નથી તેવી સ્‍થિતિ છે, હવે સીધી બોર્ડની પરીક્ષામાં બેસશે.

હવે સ્કુલો શરૂ થશે તો પણ રિવિઝન કરાવવું પડશે, દસેક ટકા સ્કુલોએ ગંભીરતાથી ઓનલાઇન અભ્યાસ કરાવ્યો, બાકી બધે વિડીયોએ ભણાવ્યા

માની શકાય કે કોરોના કાળને કારણે શાળાઓ શરૂ થઇ શકી નથી પરંતુ, જો વાલીઓ સજાગ હોત તો શાળાઓમાં 30-30 ટકાની સ્‍ટ્રેન્‍થથી જે પ્રત્‍યક્ષ અભ્‍યાસ કરવાનું મળ્‍યું હોત તો એ લેખે લાગત. પરંતુ, કોરોના કાળમાં વાલીઓનો અભિગમ એવો રહ્યો કે કોરોના બાળકોને થઇ જશે એટલે મોટા ભાગના વાલીઓએ નનૈયો ભણી દીધો. કેટલાક જાગૃત વાલીઓ ફક્‍ત એવો અભિપ્રાય વ્‍યક્‍ત કરતા રહ્યા કે બાળકોમાં કોરોનાના કેસો સાવ ઓછા જોવા મળ્‍યા છે, પરંતુ, તેઓ જાહેરમાં આવીને લિડરશીપ લઇ શક્‍યા નહીં. કેટલાક વાલીઓએ તો પૂરેપૂરી ફી ભરવાની થાય એ નિવારવા માટે સ્‍કુલો નહીં શરૂ કરવી જોઇએ એવા અભિયાનમાં જોડાઇ ગયા.

બીજી તરફ સરકાર અને સ્‍કુલ સંચાલકોને તો જોઇતું જ હતું કે વાલીઓ મગનું નામ મરી પાડે. વાલીઓના અભિગમથી વાકેફ સરકારે પણ સ્‍કુલો શરૂ કરવાની ના પાડી દીધી અને પરીણામ એ આવ્‍યું કે બોર્ડના વિદ્યાર્થીઓનું આખું વર્ષ પૂラરું થઇ ગયું અને એ પણ ઘરે બેઠા.

ડિસેમ્બર અડધો મહિનો પૂરો થતાં જ શાળાઓએ પેરેન્ટ મિટીંગમાં કોર્સ પૂરો થયાની ઘોષણાઓ કરવા માંડી

શહેરની એક ખ્યાતનામ સ્કુલના ટ્રસ્ટીએ જણાવ્યું કે આમેય જાન્યુઆરી માસમાં ધો.12 સાયન્સમાં જેઇઇ મેઇન્સ પરીક્ષા લેવાનું પ્રી શિડ્યુલ હતું જ, એટલે ઉચ્ચતર માધ્યમિક સાયન્સની શાળાઓમાં ધો.11નો કોર્સ ડિસેમ્બર જાન્યુઆરીમાં પૂરો કરીને ધો.12નો અભ્યાસ ફેબ્રુઆરી માર્ચમાં જ શરૂ કરી દેવાતો હોય છે. સ્વાભાવિક છે કે ડિસેમ્બરમાં મોટા ભાગની સ્કુલોમાં કોરોનાકાળ ન હોત તો પણ અભ્યાસક્રમ તો પૂરો થઇ જ જતો હોય છે. આગામી જાન્યુઆરી માસમાં મોટા ભાગની શાળાઓમાં પ્રીલિમનરી પરીક્ષાઓ લેવાનું આયોજન પણ કરી દેવામાં આવ્યું છે.

December 14, 2020
epf.jpg
1min418

દેશના 6 કરોડ કર્મચારીઓ માટે ખુશખબર આવી છે. ઈપીએફઓ આ મહિને એકસાથે 8.પ ટકા વ્યાજ ખાતામાં જમા આપી શકે છે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) એ નાણાંકીય વર્ષ ર019-ર0 માટે આશરે 6 કરોડ કર્મચારીઓના ઈપીએફ ખાતામાં ડિસેમ્બરના અંત સુધીમાં એકસાથે 8.પ ટકા વ્યાજ જમા કરાવશે.આ પહેલા સપ્ટે.માં શ્રમ મંત્રી સંતોષ ગંગવારની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં ઈપીએફઓને વ્યાજને 8.1પ ટકા અને 0.3પ ટકા એક બે હપ્તામાં જમા કરાવવાનો નિર્ણય લેવાયો હતો.

ઉચ્ચ અધિકારી સૂત્રોએ જણાવ્યું કે શ્રમ મંત્રાલયે વર્ષ ર019-ર0 માટે ઈપીએફમાં એકસાથે 8.પ ટકા વ્યાજ જમા કરાવવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. જેના પર થોડા જ દિવસમાં નાણા મંત્રાલયની મંજૂરી મળી જવાની સંભાવના છે. જેથી ઈપીએફ ખાતેદારોના ખાતામાં આ મહિને જ વ્યાજ જમા કરવામાં આવી શકે છે. નાણાં મંત્રાલયે ગત નાણાંકીય વર્ષ માટે કેટલીક સ્પષ્ટતાઓ માગી હતી જે આપી દેવામાં આવી છે. શ્રમ મંત્રીની આગેવાનીમાં બેઠક મળી ચૂકી છે અને સીબીટીએ પણ 8.પ ટકા વ્યાજને મંજૂરી આપી દીધી છે.

December 14, 2020
modi-1280x720.jpg
1min410

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે મોટા પ્રકલ્પોના ખાતમુહૂર્ત આખરે આગામી ૧૫મી ડિસેમ્બરના મંગળવારે સરહદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઇને પ્રારંભિક કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં હજુ થોડા ફેરફાર થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

મોદી મંગળવારે સવારે ૧૧.૨૦ કલાકે દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પરથી હવાઇ માર્ગે નીકળ્યા બાદ બપોરે ૧.૨૦ કલાકે ભુજ એરપોર્ટ પર પહોંચી આવશે અને ત્યાંથી હેલિકોપ્ટરથી ૨ વાગ્યે ભાતીગળ પ્રદેશ સમા ધોરડો ખાતેના વીવીઆઇપી ટેન્ટમાં રહેશે. ત્યારબાદ ૨.૩૦ કલાકે ડિસેલીનેશન પ્લાન્ટ માંડવી, રિન્યૂએબલ એનર્જી પાર્કનું ભૂમિપૂજન કરશે. વડા પ્રધાન ડિસેલીનેશન પ્લાન્ટના ખાતમુહૂર્ત માટે માંડવી તાલુકાના ગુંદિયાળી નહીં જાય પરંતુ બંને પ્રોજેક્ટનું ધોરડો ખાતેથી ડિજિટલ માધ્યમથી ભૂમિપૂજન કરશે. ૩.૪૫ કલાકે વીવીઆઇપી ટેન્ટમાં પરત ફરશે. ત્યારબાદ વડા પ્રધાન ૩.૫૫થી ૪.૪૦ વાગ્યા દરમ્યાન ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં લાંબા સમયથી બની રહેલા ધરતીકંપમાં માર્યા ગયેલાઓની યાદ માટે બની રહેલા સ્મૃતિ વન મેમોરિયલ પ્રોજેક્ટની પ્રગતિનો અહેવાલ સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવશે. સાંજે ૫.૩૦થી ૬.૩૦ વાગ્યા દરમ્યાન સફેદ રણમાં યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે. ૬.૫૫ કલાકે ધોરડોથી હેલિકોપ્ટરમાં પરત સાંજે ૭.૨૫ કલાકે ભુજ એરપોર્ટ પર આવશે. રાત્રે ૭.૩૦ કલાકે ભુજ એરપોર્ટથી નીકળ્યા બાદ ૯.૨૫ કલાકે દિલ્હી પહોંચી જશે.

December 13, 2020
crpatil.jpg
1min529

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપાની ચિંતન બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત દરમિયાન તા.13મી ડિસેમ્બર 2020ના રોજ ભાજપાના સુપ્રીમો સી.આર. પાટીલે એક વાત સાફ કરી દીધી હતી કે ગુજરાતમાં મહાનગરપાલિકાઓ સમેત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોજાનારી આગામી ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગીમાં નો રિપીટેશનની ફોર્મ્યુલા લાગૂ કરી શકાય નહીં. તેમણે આ મુદ્દે ઉમેરતા કહ્યું કે કેટલાક ચોક્કસ ધોરણો લાગૂ થશે જેમકે કોઇ સભ્યની વય વધુ હોય અગર તો વોર્ડ સીમાંકનમાં પ્રતિનિધિત્વ નીકળી જતું હોય તો તેવા ક્રાઇટેરિયા લાગૂ કરવામાં આવશે એવો તેમનો સાફ સંકેત હતો.

ઉમેદવારોની પસંદગીને સમતોલ બનાવાશે એવી હીંટ આપતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે ઉમેદવારોની પસંદગીમાં દરેક જ્ઞાતિ, સમાજને વસતિને અનુરૂપ પ્રાધાન્ય મળે તેવા હરએક પ્રયાસો કરવામાં આવશે.

BJP સુપ્રીમો સી.આર. પાટીલે શું કહ્યું સાંભળો અહીં

કેન્દ્ર અને રાજ્ય સરકારના કામોને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો વ્યૂહ

સી.આર. પાટીલે કહ્યું કે કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદીની સરકાર અને ગુજરાતમાં વિજયભાઇ રૂપાણીની સરકારે એટલી બધી યોજનાઓ લાગૂ કરી છે કે એ લોકો સુધી પહોંચાડીશું એટલે જ ભાજપાનો વિજય નિશ્ચિત બની જશે. બન્ને સરકારોએ સામાનય લોકો માટે સેંકડો યોજનાઓ અમલમાં મૂકી છે.

December 13, 2020
CIA_Live_Logo_New2.jpg
1min557

શંકરસિંહ વાઘેલા સરકારમાં ગુજરાતના ગૃહમંત્રી રહી ચૂકેલા અને મહેસાણા ડેરીના ચેરમેન વિપુલ ચૌધરીની કરોડો રૂપિયાના નાણાકીય ગેરરીતિના મામલે આજરોજ તા.13મી ડિસેમ્બર 2020ના રોજ સી.આઇ.ડી. ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

પોલીસ ફરીયાદમાં જણાવાયા મુજબ વિપુલ ચૌધરી ઉપરાંત અનેક લોકો આ નાણાંકીય ગેરરીતિ સબબના કેસમાં સંડોવાયેલા હોવાનું જણાય આવે છે.

પોલીસની સત્તાવાર યાદી આ મુજબ છે.

વિપુલ ચૌધરીએ આ ખુલાસો કર્યો

December 13, 2020
weather-forecast.jpg
1min477

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ત્રીજા દિવસે કેટલાક ઠેકાણે ટાઢોડું છવાયું હતું તેમજ શનિવારે સવારથી બપોર સુધી સમગ્ર રાજયમાં ધુમ્મસની ચાદર છવાઇ ગઇ હતી.

રાજ્યમાં ત્રણ દિવસના વાતાવરણમાં પલટાની આગાહી વચ્ચે સવાર સુધીમાં રાજ્યના ૨૮ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં નવસારીના વાંસદામાં સૌથી વધુ ૧.૫ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ડાંગના વઘઈમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બીજી તરફ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૨ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ સુરતના ઉમરપાડા વિસ્તારમાં નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના પાંચ તાલુકામાં દોઢ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૨૧ તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. નવસારીના વાસદામાં સૌથી વધુ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

હવામાન ખાતાની આગાહી મુજબ, ગુજરાતમાં ૧૦ થી ૧૨મી ડિસેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વાતાવરણમાં પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સક્રિય થયું હોવાથી ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા છે. શુક્રવારે ગુજરાતના ૧૩૬ તાલુકામાં માવઠું પડ્યું હતું. હવે બે દિવસ બાદ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. બે દિવસ પછી ૩થી ૪ ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે. હજુ બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હજુ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાનના પલટાની સીધી અસર ખેડૂતો પર પડી છે. ખેતરોમાં ઊભો પાક અને યાર્ડમાં પડેલો માલ પલળતાં ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. દરમિયાન અમદાવાદમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સવારથી જોવા મળી રહી છે. સમગ્ર અમદાવાદના વાતાવરણમાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે. સવારથી જ ધુમ્મસભર્યા વાતાવરણથી લોકોને મુશ્કેલી સર્જાઈ છે. ૫૦૦ મીટરના અંતરે પણ સામેનું વાહન જોવામાં ચાલકોને મુશ્કેલી પડી રહી છે. લાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવું પડે તેવી સ્થિતિ ઉદ્ભવી છે. વાતાવરણ ઠંડું બનતા શહેરમાં ઠંડીનો ચમકારો પણ વધ્યો છે. સામાન્ય દિવસો કરતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ગાઢ ધુમ્મસ પણ જોવા મળ્યો હતો. જેને લઈને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ માવઠાંના કારણે માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રહેલી મગફળી અને કપાસને પાકના નુકસાન થયું છે.