CIA ALERT

Slider Archives - Page 156 of 486 - CIA Live

April 1, 2021
vaccine-1.jpg
1min426

જે જિલ્લાઓમાં કેસ વધ્યા છે અને જ્યાં વેક્સિનનેશન ધીમી ગતિએ થઈ રહ્યું છે ત્યાં વધુ રસીકરણ કરાવવાની વ્યૂહ રચના તૈયાર કરવા કેન્દ્ર સરકારે રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે.

પહેલી એપ્રિલથી દેશના ૪૫થી વધુ વયના તમામ લોકોને કોરોનાની રસી આપવાનું શરૂ કરતા અગાઉ કેન્દ્ર સરકારે બુધવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બેઠક યોજી હતી અને કોરોનાના નવા વધુ કેસ ન નોંધાય તે માટે જરૂરી પગલાં લેવાં જણાવ્યું હતું.

નેશનલ હૅલ્થ ઑથોરિટી (એનએચએ)ના સીઈઓ અને ઍમ્પાવર્ડ ગ્રુપ ઑન વૅક્સિનેશનના અધ્યક્ષ ડૉ. આર. એસ. શર્મા અને કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ ઉચ્ચ સ્તરીય બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું.

આ બેઠકમાં આરોગ્ય સચિવ, એનએચએમના મિશન ડિરેક્ટર અને તમામ રાજ્ય તેમ જ કેન્દ્રશાસિત પ્રદેશના ઈમ્યુનાઈઝેશન ઑફિસરોએ હાજરી આપી હતી.

વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે યોજવામાં આવેલી આ બેઠકમાં વૅક્સિનેશન ઝુંબેશની ઝડપ અને હાલની સ્થિતિ તેમ જ પહેલી એપ્રિલથી શરૂ કરવામાં આવનારી રસીકરણની ઝુંબેશની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી.

ખાનગી કોવિડ વૅક્સિનેશન સેન્ટરની ક્ષમતાના યોગ્ય ઉપયોગની નિયમિતપણે સમીક્ષા કરવાનું પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જણાવી દેવામાં આવ્યું છે.

વૅક્સિનના જથ્થાની નિયમિત રીતે સમીક્ષા કરવાનું તેમ જ વૅક્સિનની અછતને કારણે વૅક્સિનેશનમાં કાપ મુકવાની ફરજ ન પડે તેની કાળજી રાખવાનું, વૅક્સિનનો વૅસ્ટેજ દર એક ટકાથી ઓછો રહે તેનું ધ્યાન રાખવાનું તેમ જ વૅક્સિનની મુદત પૂરી થઈ જાય તે અગાઉ સમયસર તેનો ઉપયોગ કરવાની કાળજી લેવાનું પણ તેમને જણાવવામાં આવ્યું છે.

March 31, 2021
TRAI.png
9min679

ટેલિકોમ રેગ્યુલેટરીઓથોરિટી ઓફ ઈન્ડિયા એ ગઇ તા.૨૦મી માર્ચ ૨૦૨૧ના રોજ ભારતની 40 કંપનીઓ, બેંકો વગેરેનું એક લિસ્ટ બહાર પાડ્યું છે જે ભારતમાં લાગુ કરવામાં આવેલા SMSના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે. ટ્રાઇના ડિફોલ્ટર્સ લિસ્ટમાં SBI, HDFC બેંક, ICICI બેંક ઉપરાંત LIC, એક્સિસ બેંક, IDBI બેંક, એન્જલ બ્રોકિંગ, બંધન બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ફેડરલ બેંક, ફ્લિપકાર્ટ, દિલ્હી, આઈડીએફસી ફર્સ્ટનો સમાવેશ થાય છે. યુનિયન બેંક જેવી બેંક મુખ્ય સંસ્થાઓ પણ આ લિસ્ટમાં શામેલ છે.

ટ્રાઇએ કહ્યું કે આ સંસ્થાઓ કન્ટેન્ટ ટેમ્પલેટ આઈડી, પીઈઆઈડી વગેરે જેવા ફરજિયાત પરિમાણોનું પાલન કરી રહી નથી, તેથી તેમને તા.૧લી એપ્રિલ ૨૦૨૧થી બલ્ક મેસેજિંગની છૂટ આપી શકાય તેમ નથી. જો આ કંપનીઓ તા.૩૧મી માર્ચ પહેલા કોઈ ઈમરજન્સી પગલાં ભરી નહીં શકે તો તેમના ગ્રાહકોને નોંધાયેલા મોબાઈલ નંબર અથવા ઇમેઇલ પર ઓટીપી લેવાનું બંધ થઈ શકે છે.

ગ્રાહકોને આડેધડ મેસેજ કરતી બેંકો અને કંપનીઓનું આખું લિસ્ટ આ રહ્યું

S.No. Principal Entity Name

1 A&A DUKAAN FINANCIAL SERVICES PRIVATE LIMITED

2 Angel Broking Limited

3 AXIS BANK LIMITED

4 BAJAJ FINANCE LIMITED

5 BANDHAN BANK LIMITED

6 BANKOFBARODA

7 BANKOFINDIA

8 Canara Bank

9 Central Bank of India

10 Dakshin Haryana Bijli Vitran Nigam Limited

11 Delhivery Private Limited

12 FEDERAL BANK

13 Flipkart Internet Pvt. Ltd.

14 Freecharge Payment Technologies Private Limited

15 HDFC BANK LIMITED

16 ICICI BANK LIMITED

17 IDBI BANK LIMITED

18 IDFC FIRST BANK LIMITED

19 IndiabulIs Consumer Finance limited

20 INDIAN OVERSEAS BANK

21 INSTAKART SERVICES PRIVATE LIMITED

22 Kotak Mahindra Bank Ltd

23 Kotak Securities Limited

24 LIFE INSURANCE CORPORATION OF INDIA

25 MEDLIFE WELLNESS RETAIL PRIVATE LIMITED

26 National Stock Exchange of India Limited

27 PSI PHI GLOBAL SOLUTIONS PRIVATE LIMITED

28 PUNJAB NATIONAL BANK

29 RAJASTHAN STATE HEALTH SOCIETY

30 RBLBANKLIMITED

31 RELIANCE RETAIL LIMITED

32 SAMSUNG INDIA ELECTRONICS PRIVATE LIMITED

33 SBI Cards and Payment Services Limited

34 STATE BANK OF INDIA

35 Supermarket Grocery Supplied Private Limited

36 TATA AlA LIFE INSURANCE COMPANY LIMITED

37 UNION BANK OF INDIA

38 VEDANTU INNOVATIONS PRIVATE LIMITED

39 WOPLIN BLOCKCHAIN TECHNOLOGIES

40 Yes Bank Ltd

S.No. Defaulter Telemarketers

1 3M DIGITAL NETWORKS PVT LTD (MobTexting)

2 ACL MOBILE LIMITED

3 BBNL BharatNet NMS

4 Bhoopalam Marketing Services Pvt Ltd

5 BULKSMSGATEWAY

6 BUZIBEE TECHNOLOGIES PRIVATE LIMITED

7 Centre for development of Advanced computing

8 Christian Medical College Vellore Association

9 Cosmic Information & Technology Ltd.

10 DiGISPICE Technologies Limited

11 GreenAds Global Pvt Ltd

12 Gupshup Technology India Pvt. Ltd.

13 IMI Mobile Private Ltd

14 InfoBip

15 Infobip India Private Limited

16 INSIGHT CONSULTANCY SERVICES PRIVATE LIMITED

17 Karix MObile Pvt Ltd

18 LOTUS TRANSFORMS PRIVATE LIMITED

19 NAZI ENTERPRISES

20 NETXCELL LIMITED

21 One97 Communications Limited

22 ONEXTEL MEDIA PRIVATE LIMITED

23 Onweb Software Technologies Pvt. Ltd.

24 Parrot Infosoft Pvt Ltd

25 Pinnacle Tele services Private Limited

26 Proactive Professional Services Pvt Ltd

27 PRP SERVICES PVT. LTD.

28 RAMA INFOTECH PVT.LTD

29 Ravience Digital Pvt Ltd.

30 Ravience Digital Pvt Ltd. (Netcore)

31 ROUTE MOBILE LIMITED

32 SJS TECHCROME PRIVATE LIMITED

33 SOLUTIONS lNFlNI TECHNOLOGIES (INDIA) PVT LTD (Kaleyra)

34 Tanla

35 VALUEFIRST DIGITAL MEDIA PRIVATE LIMITED

36 VEGTER SMS SOLUTIONS PRIVATE LIMITED

37 virtuoso Netsoft Private Limited

38 VIVACONNECT PRIVATE LIMITED

39 WALKOVER WEB SOLUTIONS PRIVATE LIMITED

40 Wizhcomm Consultants and Technologies Private Limited

ટ્રાઇએ ફ્રોડ ઓછા કરવા માટે બલ્ક મેસેજિંગની આખી સિસ્ટમ બનાવી છે

ટ્રાઇએ આ સિસ્ટમ અનિચ્છનીય કોલ્સ અને એસએમએસ બંધ કરવા માટે બનાવી છે. કંપનીઓને કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને સંતોષ આપવા તેઓએ ટ્રાઇ દ્વારા સૂચવેલા ફોર્મેટમાં એસએમએસ મોકલવા જોઈએ. આની પાછળનું મુખ્ય કારણ લોકોને નકલી એસએમએસ દ્વારા ફિશિંગ જેવા સાયબર ક્રાઇમથી બચાવવું છે. ટ્રાઇ દ્વારા એસએમએસની છેતરપિંડી રોકવા માટે નવું એસએમએસ રેગ્યુલેશન રજૂ કરાયું હતું. પરંતુ આ પ્રક્રિયાને કારણે અનેક સમસ્યાઓ બહાર આવી હતી. ટ્રાઇએ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ દિશાનિર્દેશોમાં બધા ટેલિકોમ ઓપરેટરોએ ડી.એલ.ટી. પર નોંધણી કરાવવાની રહેશે. તેનો હેતુ ઓટીપી છેતરપિંડી અને સ્પામ એસએમએસને અટકાવવાનો છે.

March 31, 2021
guj_corona.jpg
1min550

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2220 કેસો નોંધાયા છે અને 1988 દર્દીઓ સાજા થયા છે. કોરોના વાયરસના કારણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 10 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 4510 પર પહોંચ્યો છે. જો કોરોનાના રસીકરણની વાત કરીએ તો આજે કુલ 1,93,968 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં કોરોનાને હરાવીને સાજા થવાનો દર 94.51 ટકા નોંધાયો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 288565 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા કુલ 12263 છે જેમાંથી 147 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 12116 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 10 દર્દીઓના મોત થયા છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 4 અને વડોદરામાં 1 દર્દીનું મોત નીપજ્યું છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કારણે મોત પામેલા દર્દીઓનો કુલ મૃત્યુઆંક 4510 પર પહોંચ્યો છે.

જો ગુજરાતના મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસોની સ્થિતિ જાણીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 606, સુરતમાં 563, વડોદરામાં 209 અને રાજકોટમાં 164 નવા દર્દીઓ નોંધાયા છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં કોરોનાના કેસોની સ્થિતિ પર નજર નાખીએ તો છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં 38, જામનગરમાં 27, ગાંધીનગરમાં 26, મહેસાણામાં 26, નર્મદામાં 37 કેસો નોંધાયા છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મહીસાગરમાં 25, ખેડામાં 24, આણંદમાં 18, સાબરકાંઠામાં 16, દાહોદમાં 22, પાટણમાં 23, બનાસકાંઠામાં 3 કેસો નોંધાયા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કોરોનાના કેસોની સ્થિતિ પર નજર નાખીએ તો છેલ્લા 24 કલાકમાં મોરબીમાં 21, અમરેલીમાં 20, જામનગરમાં 19, કચ્છમાં 17, સુરેન્દ્રનગરમાં 14, વલસાડમાં 13, દેવભૂમિ દ્વારકામાં 5, ગીર સોમનાથમાં 3 અને નવસારી-પોરબંદરમાં 2-2 કેસો નોંધાયા છે.

March 31, 2021
Rishabh-Pant-Delhi-Capitals-captain-IPL-2021.jpg
1min429

વિકેટકીપર-બેટસમેન ઋષભ પંત આઇપીએલની 14મી સિઝન માટે આજે દિલ્હી કેપિટલ્સનો કપ્તાન જાહેર થયો છે. તેણે શ્રેયસ અય્યરની જગ્યા લીધી છે. અય્યર ખભાની ઇજાને લીધે આઇપીએલની બહાર થઇ ગયો છે. 23 વર્ષીય ઋષભ પંતે આ પહેલા ઘરેલુ ક્રિકેટમાં દિલ્હીની ટીમની કેપ્ટનશીપ સંભાળી છે. આઇપીએલમાં તે પહેલીવાર સુકાની નિયુકત થયો છે. પંત 2017માં સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં દિલ્હીનો કેપ્ટન હતો.

દિલ્હી કેપિટલ્સ ફ્રેંચાઇઝીએ આજે રાત્રે ઋષભ પંતને નવો કેપ્ટન બનાવ્યાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. પંતે કહ્યંy છે કે દિલ્હીમાં હું મોટો થયો છું. અહીં 6 વર્ષ પહેલા આઇપીએલની યાત્રા શરૂ કરી હતી. હવે આ ટીમનો કેપ્ટન બનવું સપના જેવું લાગી રહ્યંy છે. ઋષભ પંતનું હાલમાં ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન રહ્યંy છે. જેનું તેને આ ઈનામ મળ્યું છે. આઇપીએલ-14માં દિલ્હી કેપિટલ્સ તેના અભિયાનની શરૂઆત 16 એપ્રિલે ચેન્નાઇ સામે રમીને કરશે. દિલ્હીના સુકાનીની રેસમાં સ્ટીવન સ્મિથ અને આર. અશ્વિન પણ હતા.

March 31, 2021
covid_testing.jpg
1min457

દેશમાં કૂદકેભૂસકે વધી રહેલા કોરોના કેસને પગલે આજે કેન્દ્ર સરકાર દ્વારા વધુ એકવાર ચેતવણીનાં સૂરમાં કહેવામાં આવ્યું હતું કે, સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. જે ચિંતાનો વિષય છે. આ સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જ્યાં કેસમાં તીવ્ર ઉછાળો આવી રહ્યો છે તેવા રાજ્યોને ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાં સૂચના પણ આપવામાં આવી છે.

છેલ્લા એકાદ માસમાં દેશમાં કોરોનાનાં કેસમાં નિરંકુશ વધારો થયો છે. સ્વાસ્થ્ય તજજ્ઞો આને કોરોનાની બીજી લહેર ગણાવી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કોરોનાના કેસમાં ઓચિંતા ફરીથી ઉછાળો આવવાનું કારણ જણાવ્યું છે. હર્ષવર્ધને કહ્યું હતું કે, દેશમાં અનેક લોકો એવું માને છે કે કોરોનાની રસી આવી ગઈ છે એટલે હવે બધુ ઠીક થઈ ગયું છે. જેથી લોકો આને ગંભીરતાથી લેતા નથી. લોકો હવે કોરોનાને હળવાશમાં લેવા લાગ્યા છે માટે સુપર સ્પ્રેડર બનીને કોરોનાને વકરાવી રહ્યા છે.

કેન્દ્ર સરકારનાં સચિવે પણ કોરોના સંક્રમણ પર દેશવાસીઓને ચેતવણી ઉચ્ચારી હતી. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, કોરોનાના વધતા ચેપથી સ્થિતિ બદતર થઇ રહી છે અને ખાસ કરીને કેટલાક રાજ્યો માટે એ ચિંતાનો મોટો વિષય છે. સમગ્ર દેશ જોખમમાં છે, એવામાં કોઇએ બેદરકારી ન કરવી જોઇએ.

હર્ષવર્ધને કહ્યું હતું કે, રસી લીધા પછી બીજીવાર કોવિડ-19થી સંક્રમિત થવું એ દુર્લભ ઘટના કહી શકાય, તેમ છતાં જો વેક્સિન લીધા પછી કોરોના થાય તો તેમાં ખતરો નથી રહેતો.
ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ જરૂરી છે. એકવાર કેસ ટ્રેક થઈ ગયા બાદ આઈસોલેશનમાં તેની સારવાર અનિવાર્ય છે. કોરોના સામેની લડાઈમાં ભારતની તૈયારીની વાત કરતાં તેમણે ઉમેર્યુ હતું કે, દેશમાં અત્યારે 20 લાખ બેડ બનાવાયા છે. ભારત સરકાર તમામ કેસને ગંભીરતાથી લઈ રહી છે. ગત સપ્તાહે 47 જિલ્લાઓ સાથે બેઠક થઈ હતી. આજે દેશનાં 430 જિલ્લામાં 7થી લઈને 28 દિવસમાં કોઈ કેસ નોંધાયા નથી.

સચિવે કહ્યું હતું કે, કોવિડ-19થી સૌથી વધુ અસરગ્રસ્ત 10 જિલ્લામાંથી આઠ મહારાષ્ટ્રના છે અને દિલ્હી પણ એક જિલ્લાનાં રૂપમાં આ યાદીમાં સામેલ છે. આ સિવાય પુણે, મુંબઇ, નાગપુર, થાણે, નાસિક, ઔરંગાબાદ, બેંગ્લોર, નાંદેડ અને અહમદનગરનો સમાવેશ થાય છે.

March 30, 2021
iima.jpg
1min437

અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM-A) કોરોના હોટસ્પોટ બની ગઇ છે. અહીં ૯ વિદ્યાર્થી સહિત વધુ ૧૦ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM-A) કેમ્પસમાંથી મળી આવેલા કુલ કોરોના પોઝિટિવની સંખ્યા ૭૦ને પાર કરી ગઇ છે. અમદાવાદ મહાનગરપાલિકાએ (IIM-A) કેમ્પસને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને અહીં કામ કરતા, અભ્યાસ કરતા તમામનું સ્ક્રિનિંગ કર્યું છે.

Corona blast in IIM Ahmedabad IIT Gandhinagar 65 students professors  infected | Corona Outbreaks: IIM अहमदाबाद और IIT गांधीनगर में कोरोना  विस्फोट, 65 स्टूडेंट्स-प्रोफेसर संक्रमित ।

સૌથી ચોંકાવનારી વિગત તો એ પણ છે કે 1 સપ્ટેમ્બર 2020થી 27 માર્ચ 2021 સુધીમાં IIMAમાં કુલ 190 જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ડો. મેહુલ આચાર્યના જણાવ્યા અનુસાર અમદાવાદ IIMમાં અત્યાર સુધી કુલ કેસનો આંકડો 70 પર પહોંચ્યો છે. અહીં છેલ્લા 15 દિવસમાં 70 લોકો કોરોનાની ઝપેટમાં આવતા સારવાર હેઠળ છે. જ્યારે IIM-A દ્વારા કોરોનાના કેસો અંગેની જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ IIM-Aમાં 28 માર્ચે પણ 100થી વધુના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 10નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કોરોનાના કેસ વધતા અમદાવાદ ફરી હોટસ્પોટ બન્યું છે. હોળી-ધૂળેટીના દિવસે IIMમાં 116થી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 16 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. ભારત-ઇંગ્લેન્ડની મેચ જોવા ગયેલા 5 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા બાદ અત્યાર સુધી 70 જેટલા લોકો વાયરસની ઝપટમાં આવી ચૂક્યા છે.

 

March 30, 2021
corona_india.jpg
1min404

ભારતમાં કોરોના કેસોની સંખ્યા 1.20 કરોડના આંકડાને પાર કરી ગઇ છે એવી જ રીતે ભારતમાં વેક્સીન લેનારા લોકોની સંખ્યા પણ ૬ કરોડના આંકડાને પાર કરી ગઇ છે.

29/3/21 સોમવારે ભારતમાં 68,020 નવા કેસ નોંધાયા છે, આ પાછલા વર્ષે ઓક્ટોબર પછી એક દિવસમાં સૌથી વધુ નોંધાયેલા કેસ છે. દેશમાં કુલ કોરોના કેસનો આંકડો 1,20,00,000 ને પાર થઈ ગયા છે.

હાલ દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની લહેર પાછલા વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આવેલી લહેર કરતા વધારે ઝડપી છે, આ વખતે વધુ ઝડપથી નવા કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પહેલી લહેર દરમિયાન 32 દિવસમાં 18,000 કેસથી 50,000 કેસ થયા હતા.

મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત, કેરળ, તમિળનાડુ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ એમ દેશના આઠ રાજ્યમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અને સાથોસાથ ભારતમાં કોરોના કેસોની સંખ્યા પણ કૂદકેને ભૂસકે વધી રહી છે.

Image
March 29, 2021
guj_corona.jpg
1min959

ગુજરાત રાજ્યમાં હોળી દહન થઇ રહ્યું હતું ત્યારે જ જાહેર થયેલા કોરોનાના નવા કેસોની વિગતોમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 2270 કેસો નોંધાયા છે અને 1605 દર્દીઓ સાજા થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના કારણે વધુ 8 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 4492 પર પહોંચ્યો છે.

રાજ્યમાં જ્યાં એકબાજુ કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યાં બીજી બાજુ આજે કુલ 1,36,737 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 284846 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા કુલ 11528 છે, જેમાં 152 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 11376 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 8 દર્દીઓના મોત થયા છે જેમાં અમદાવાદ કોર્પોરેશનના 2, રાજકોટ કોર્પોરેશનના 2, સુરત કોર્પોરેશનના 2, સુરત ગ્રામ્યમાં 1 અને વડોદરા કોર્પોરેશનના 1 દર્દીનું મોત થયું છે.

છેલ્લા 24 કલાકમાં સુરતમાં 611, અમદાવાદમાં 607, વડોદરામાં 202 અને રાજકોટમાં 159 દર્દીઓ નોંધાયા છે. જો ઉત્તર ગુજરાતમાં કોરોનાના કેસોની સ્થિતિ જોઈએ તો છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરમાં 22, સાબરકાંઠામાં 11, બનાસકાંઠામાં 8, પાટણમાં 23, મહેસાણામાં 26, અરવલ્લીમાં 10 કેસો નોંધાયા છે.

જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગરમાં 24, કચ્છમાં 23, સુરેન્દ્રનગરમાં 10, જુનાગઢમાં 8, ગીર સોમનાથમાં 7 અને બોટાદમાં 3 તેમજ પોરબંદરમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં દાહોદમાં 22, ખેડામાં 22, પંચમહાલમાં 19, આણંદમાં 17, નર્મદામાં 17, ભરૂચમાં 16, વલસાડમાં 13, નવસારીમાં 12 અને છોટા ઉદેપુરમાં 5 કેસો નોંધાયા છે.

March 29, 2021
maharashtra_taj.jpg
1min416

દેશમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર વધી રહ્યો છે અને સાથે જ રાજ્યના આંકડાઓ પણ ચિંતામાં વધારો કરી રહ્યાં છે. ગત વર્ષના માર્ચ મહિનાની સરખામણીએ ગઈ કાલે એટલે કે રવિવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. એટલે મહારાષ્ટ્ર આ અઠવાડિયે લૉકડાઉન લાદવાનું વિચારી રહ્યું છે. જોકે, રાજ્યના કેટલાક શહેરોમાં નાઈટ કર્ફ્યુ પહેલેથી જ અમલમાં મુકવામાં આવ્યો છે.

રવિવારે મહારાષ્ટ્રમાં 40,414 કેસ નોંધાયા હતા. જે રાષ્ટ્રમાં નોંધાયેલા કુલ કેસના લગભગ બે-તૃતીયાંશ કેસ જેટલા છે. રાજ્યમાં નોંધાયેલા 40,414 કેસમાંથી મુંબઈમાં 6,923 કેસ નોંધાયા હતા. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની કચેરીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, રવિવારે યોજાયેલી કોવિડ-19 ટાસ્ક ફોર્સની બેઠકમાં સૂચવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં જે પ્રમાણે કેસ વધી રહ્યાં છે તે જોતા કડક લૉકડાઉન જેવા પગલા લાદવા જોઈએ. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, લૉકડાઉન આગામી દિવસોમાં અસરકારક થઈ શકે છે. કારણકે અધિકારીઓને તબક્કાવાર રીતે તેનો અમલ કરવાની તૈયારી કરવા જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે (Rajesh Tope)અને અન્ય અધિકારીઓ સાથેની બેઠકમાં રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ડો. પ્રદીપ વ્યાસ (Dr. Pradeep Vyas)એ જણાવ્યું હતું કે, જો કેસ આમને આમ વધતા રહેશે તો હૉસ્પિટલ બૅડ, ઓક્સિજન સપ્લાય અને વેન્ટિલટરની ઉપલબ્ધાતની અછત વર્તાશે. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ કોવિડ -19 દર્દીઓની સારવાર માટે રાજ્યમાં કોવિડ -19 દર્દીઓની સારવાર માટે પથારી, દવાઓ અને ઓક્સિજનની ઉપલબ્ધિ સહિત આરોગ્ય સંબંધિત અન્ય તૈયારીઓની સમીક્ષા કરી હતી.

પછી ટાસ્ક ફોર્સે ભલામણ કરી હતી કે, રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ અટકાવવા માટે લૉકડાઉન જેવા કડક પગલાં લેવા જરૂરી છે. ત્યારબાદ મુખ્યપ્રધાને અધિકારીઓને  તાકીદ કરી છે કે, લૉકડાઉનના અમલીકરણ અંગે આ પ્રકારની વિગતવાર યોજના તૈયાર કરવામાં જેથી તે અર્થવ્યવસ્થાને ઓછામાં ઓછી અસર કરે.

March 27, 2021
Sachin-Tendulkar.jpg
1min534

ભારતના વિશ્વ વિખ્યાત ક્રિકેટર સચિન તેંદુલકરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની જાણકારી તેમણે ખુદ ટ્વીટ કરીને આપી છે.

સચિન તેંદુલકરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે માઇલ્ડ સિન્ટમ્સ સાથે તેઓ કોરોના પોઝીટીવ છે અને સાવચેતીપૂર્વક તકેદારી રાખી રહ્યા છે.