દેશમાં કોરોના વાયરસના વધતાં કેસોની વચ્ચે કેન્દ્ર સરકારે વેક્સિનેશન ઝડપી બનાવ્યું છે. ૨ એપ્રિલ ૨૦૨૧ના એક જ દિવસના ૧૨ કલાકના સમયગાળામાં ૩૬,૭૧,૨૪૨ લોકોને કોરોના વેક્સિન લગાવવામાં આવી, જે એક રેકોર્ડ છે.
દેશમાં ૧ એપ્રિલ સુધી ૬,૮૭,૮૯,૧૩૮ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. આ માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આપી છે. કોરોના વિરુદ્ધ કેન્દ્ર સરકારે અભિયાન ઝડપી બનાવ્યું છે. અપ્રિલમાં સરકારી રજાઓમાં પણ દરેક સેન્ટરે કોરોનાની વેક્સિન લગાવવામાં આવશે.
કોરોના રસીની વાત કરીએ તો રસીકરણના હાલના તબક્કે ૪૫ વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવી રહી છે. દેશમાં ૪૫ વર્ષથી વધુની ઉંમરના લોકોની સંખ્યા લગભગ ૩૪ કરોડ છે. કેન્દ્રે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ વર્ગના લોકોને ૧૫ દિવસની અંદર રસી લગાવવાનું કહ્યું છે. જો કે, કેટલાક લોકોને અત્યાર સુધી રસી લાગી પણ ચૂકી છે. કેમ કે, સ્વાસ્થ્યકર્મી અને ફ્રન્ટલાઇન વર્કર્સમાં પણ આ ઉંમરના લોકો સામેલ છે.
આસામમાં જામેલા ચૂંટણી સંગ્રામ વચ્ચે કરીમગંજ જિલ્લામાં ભાજપ’ ઉમેદવારની કારમાંથી ઇવીએમ મળી આવતાં ભારે રાજકીય ઘમસાણ મચી ગયું છે. ચૂંટણીપંચે ચાર મતદાન અધિકારીઓને ફરજમોકૂફ કરી નાખ્યા છે.આ વિવાદમાં અમિત શાહે કહ્યું હતું કે તેમને કોઈ વિસ્તૃત જાણકારી નથી. તેમજ ફોન ઉપર જાણકારી મેળવશે અને ચૂંટણી પંચને એક્શન લેતા કોઈએ રોક્યું નથી તેમ પણ કહ્યું હતું.
પાથરકાંડી વિધાનસભા બેઠક પરથી લડી રહેલા કેસરિયા પક્ષના ઉમેદવાર કૃષ્ણેંદુ પાલની બોલેરો જીપકારમાંથી ઇવીએમ મળતાં કોંગ્રેસે તરત જ ભાજપ પર પ્રહારની તક ઝડપી લીધી હતી.’ કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ બોલેરોમાં ઇવીએમ મળવાની ઘટનાનો વીડિયો ટ્વિટ કરીને સવાલ ઊઠાવ્યો હતો કે જ્યારે પણ કોઇ ખાનગી ગાડીમાં ઇવીએમ મળે છે, તો તે ભાજપ નેતાની જ કેમ હોય છે ? રાજકીય ઘમસાણ સાથે બબાલ વધી જતાં ચૂંટણીપંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી સમગ્ર મામલાનો વિસ્તૃત અહેવાલ માગ્યો છે. દરમ્યાન, ચૂંટણીપંચે આખી ઘટના પર કેટલાક તર્ક આપતાં સ્પષ્ટ કર્યું હતું કે, ઇવીએમ લઇ જઇ રહેલી ગાડી ખરાબ થઇ જતાં મદદ માગી હતી અને જે બોલેરોમાં ઇવીએમ ખસેડાયું તે ભાજપ ઉમેદવારની છે, તેવી ખબર પાછળથી પડી હતી. બોલેરોને રસ્તે રોકી, મતદાન ટીમના સભ્યોને સ્થાનિક લોકોએ નીચે ઉતારી દીધા હતા અને ભીડ હિંસા પર પણ ઊતરી આવી હતી. ચૂંટણીપંચના અહેવાલમાં જણાવાયું હતું કે મળેલું ઇવીએમ સલામત છે, કોંગ્રેસ વતી પ્રિયંકા ગાંધીએ નિર્ણાયક કાર્યવાહીની માંગ કરી હતી.’
તા.૨ એપ્રિલ ૨૦૨૧ના રોજ ગુજરાતમાં અગાઉ ક્યારેય નહીં નોંધાયા હતા એટલા દૈનિક કેસ મળી આવ્યા છે. તા.૨ એપ્રિલ ૨૦૨૧ની રાત્રે ૮ કલાકે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ગુજરાતમાંથી વધુ 2640 કેસો મળી આવ્યા છે.
આ જ સમયગાળા દરમિયાન કોવિડ-19ના કારણે વધુ 11 દર્દીના મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોનાએ છેલ્લા 12 દિવસમાં 9 વખત દૈનિક વધુ કેસ નોંધાવવાનો રેકોર્ડ સર્જયો છે.
છેલ્લા 8 દિવસમાં રાજ્યમાં કોરોનાના 2 હજારથી વધુ કેસ નોંધાયા છે, જેમાં 2200થી વધુ 4 વખત 2400થી વધુ 1 વખત અને આજે તમામ રેકોર્ડ તોડીને 2600 ઉપર કેસ નોંધાવા પામ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 7,12,797એ પહોંચી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 4539 વ્યક્તિઓને કોરોના ભરખી ગયો છે. જો કે, આજે 2066 દર્દી કોરોનાને મહાત આપવામાં સફળ થતા કોરોનામાંથી ડીસ્ચાજ ઍ દર્દીનો આંક 2,94,650 પર પહોંચ્યો છે. કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા જેટ ગતિએ વધીને 13,559 થઇ છે, જેમાં 158 વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં આજે નોંધાયેલા સર્વોચ્ચ 2640 કેસમાં સુરત સૌથી મોખરે છે. સુરતમાં 644, અમદાવાદમાં 629, વડોદરામાં 376, રાજકોટમાં 307 આમ સૌપ્રથમવાર રાજકોટમાં 307 સર્વોચ્ચ કેસ નોંધાવા પામ્યા છે. જ્યારે ચાર મહાનગરોમાં જ 1956 કેસ નોંધાયા છે. આમ કુલ કેસના 74 ટકા માત્ર ચાર મહાનગરોમાં નોંધાયા છે. જ્યારે જામનગર અને ભાવનગરમાં 60-60, ગાંધીનગરમાં 55, મહેસાણામાં 43, પાટણમાં 42, મહીસાગરમાં 38, ખેડામાં 32, બનાસકાંઠામાં 30 તેમજ અન્ય જિલ્લાઓમાં 30થી ઓછા કેસ નોંધાવા પામ્યા છે. સરકાર દ્વારા અપાયેલા સત્તાવાર મૃત્યુના આંક મુજબ અમદાવાદ, રાજકોટ અને સુરતમાં 3-3 જ્યારે ભરૂચ અને વડોદરામાં 1-1 મૃત્યુ નોંધાવા પામ્યા છે.
વિજ્ઞાનીઓએ ચોક્કસ ગણતરી કરીને દાવો કર્યો હતો કે દેશમાં કોરોનાની બીજી લહેર એપ્રિલના મધ્યમાં સર્વોચ્ચ શિખરે હશે, પરંતુ મેના અંત સુધીમાં તેમાં ઘટાડો થવાની શક્યતા છે.
અગાઉ, દેશમાં કોરોનાની પ્રથમ લહેર ફેલાઇ હતી ત્યારે ચોક્કસ ગણતરીના આધારે આગાહી કરાઇ હતી કે કોરોનાની લહેર સપ્ટેમ્બરમાં સર્વોચ્ચ શિખરે હશે અને ૨૦૨૧ના ફેબ્રુઆરીમાં તેમાં ઘટાડો થશે.
કાનપુરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (આઇઆઇટી)ના મનિન્દ્ર અગ્રવાલ સહિતના વિજ્ઞાનીઓએ કોરોનાના દરરોજ વધી રહેલા દરદીઓના આંકડાની ગણતરી કરીને આગાહી કરી હતી કે કોરોનાની બીજી લહેર એપ્રિલના મધ્યમાં સર્વોચ્ચ શિખરે હશે. અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં ૧૫થી ૨૦ એપ્રિલની વચ્ચે કોરોનાના દરદીઓની સંખ્યા ઘણી વધી શકે છે.
આમ છતાં, ૧૫થી ૨૦ એપ્રિલ દરમિયાન કોરોનાના દૈનિક નવા દરદીઓની સંખ્યા લગભગ એક લાખ જેટલી રહેશે.
વિજ્ઞાનીઓએ કરેલી ધારણા મુજબ દેશમાં કોરોનાની હાલની લહેર પંજાબમાં અને ત્યાર બાદ મહારાષ્ટ્રમાં ઝડપી બનશે.
કેન્દ્રના નાણાં મંત્રાલયે ગુરુવારે Dt 1/4/21 જાહેર કર્યું હતું કે માલ અને સેવા વેરા (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ની માર્ચમાં આવક રૂપિયા ૧,૨૩,૯૦૨ કરોડ થઇ હતી. આ રકમ ગયા વર્ષના માર્ચની સરખામણીમાં ૨૭ ટકા વધુ છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનાથી જીએસટીની માસિક આવક રૂપિયા એક લાખ કરોડથી વધુ થઇ રહી છે.
તેણે જણાવ્યું હતું કે અમે જીએસટી, આવકવેરા, કસ્ટમ્સ, આઇટી સિસ્ટમ્સ સહિતના વિવિધ સ્રોત પાસેથી સંબંધિત માહિતી ભેગી કરીએ છીએ અને બનાવટી બિલના કૌભાંડને પકડી પાડીએ છીએ.
નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે જીએસટીની માર્ચમાં થયેલી રૂપિયા ૧,૨૩,૯૦૨ કરોડની આવકમાંથી કેન્દ્રીય જીએસટીના રૂપિયા ૨૨,૯૭૩ કરોડ, રાજ્યના જીએસટીના રૂપિયા ૨૯,૩૨૯ કરોડ, (આયાત કરાયેલા માલસામાન પર વસૂલાયેલા રૂપિયા ૩૧,૦૯૭ કરોડ સહિત) ઇન્ટિગ્રૅટૅડ જીએસટીના રૂપિયા ૬૨,૮૪૨ કરોડ અને (આયાત કરાયેલા માલસામાન પરના રૂપિયા ૯૩૫ કરોડના સૅસ સાથે) રૂપિયા ૮,૭૫૭ કરોડનો સૅસ છે.
તેણે જણાવ્યું હતું કે જીએસટીના અમલ બાદ ૨૦૨૧ના માર્ચમાં ભેગી થયેલી અત્યાર સુધીની સૌથી વધુ રકમ હતી.
કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાનને ઝડપી બનાવવાનો નિર્ણય લીધો છે. જે હેઠળ દેશભરમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાનને આખો મહિનો એપ્રિલ માસના તમામ ત્રીસે ત્રીસ દિવસ સતત ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે, આ દરમિયાન સરકારી સહિત રજાઓમાં પણ રસીકરણની કામગીરી ચાલુ રહેશે.
આ અંગે કેન્દ્રિય આરોગ્ય વિભાગે કહ્યું કે, કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ગુરુવારે એક પત્ર લખી રસીકરણ અભિયાનને સતત ચલાવવા માટે જરુરી વ્યવસ્થા કરવા જણાવ્યું છે. આરોગ્ય વિભાગનું કહેવુ હતું કે દેશમાં કોરોના રસીકરણની ઝડપ અને કવરેજ વધારવા માટે 31 માર્ચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બેઠકમાં નિર્ણય લેવાયો હતો. જે હેઠળ દેશભરમાં એપ્રિલમાં આવતી તમામ જાહેર અને શનિવાર-રવિવારની રજાઓને રદ કરીને રસી આપવાની કામગીરી સતત ચાલશે.
ચંડીગઢથી ભાજપના સાંસદ અને બોલીવુડની અભિનેત્રી કિરણ ખેર બ્લડ કેન્સરથી પીડિત હોવાની વાત ખુદ તેમના પતિ અભિનેતા અનુપમ ખેરે જાહેર કરી છે. અનુપમ ખેરે ટ્વિટ કરીને પત્નીને કેન્સર હોવાની વાતની પુષ્ટિ કરી છે. સાથે જ હેલ્થ અપડેટ આપી છે.
અનુપમ ખેરે ગુરુવારે ટ્વિટ પર એક લાંબી નોટ શેર કરી છે. જેમાં લખ્યું છે, “આ એટલા માટે જણાવી રહ્યો છું જેથી અફવાઓ વધુ ના ફેલાય. સિકંદર અને હું જણાવવા માગીએ છીએ કે કિરણને મલ્ટીપલ માયલોમા (multiple myloma)નું નિદાન થયું છે. જે બ્લડ કેન્સરનો એક પ્રકાર છે. હાલ તેની સારવાર ચાલી રહી છે અને અમને ખાતરી છે કે તે આમાંથી વધુ મજબૂત બનીને બહાર આવશે. અમે નસીબદાર છીએ કે, કિરણની સારવાર ખૂબ શ્રેષ્ઠ ડૉક્ટરોના નિરીક્ષણ હેઠળ થઈ રહી છે. તે હંમેશાથી ફાઈટર રહી છે અને લડત આપતી રહી છે. કિરણ જે કંઈ કરે છે તે દિલથી કરે છે માટે જ લોકો તેને ચાહે છે. તમારો પ્રેમ તેને મોકલતા રહો અને તેને તમારી પ્રાર્થનામાં રાખજો. તેની રિકવરી સારી રીતે થઈ રહી છે અને તમારા સૌના પ્રેમ અને સહકાર માટે આભાર.”
ગુજરાતના ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે તા.૧લી એપ્રિલ ૨૦૨૧ના રોજ ગાંધીનગર ખાતે વિધાનસભા સત્રમાં દાખલ થતા પૂર્વે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ જીવનનું મહત્વનું કામ કરવા જઇ રહ્યા છે, તેમણે ગુજરાત વિધાનસભામાં લવ જિહાદ વિરુદ્ધનો કાયદો રજૂ કરવામાં આવી રહ્યો છે એવી માહિતી પણ પત્રકારોને આપી હતી.
ગુજરાતના ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ લવ જિહાદ કાયદા અંગે શું કહ્યું સાંભળો
#लवजिहाद के खिलाफ विधानसभा में बिल पेश किया जा रहा है।
गृहराज्यमंत्री मंत्री @PradipsinhGuj ने कहा, 'जीवन में बड़ा काम करने जा रहा हूं।
हिन्दू समाज में बेटी जिगर का टुकड़ा मानी गयी है।शरीर का एक अंग है,पराई अमानत है।
દેશભરમાં પથરાયેલા કેન્દ્રીય વિદ્યાલયોમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ધોરણ ૧ માં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ઓનલાઇન નામાંકન (રજિસ્ટ્રેશન) પ્રક્રિયા આજરોજ તા.૧લી એપ્રિલ ૨૦૨૧થી શરૂ કરવામાં આવી છે. આગામી શૈક્ષણિક વર્ષ માટે ધો.૧માં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા.૧૯મી એપ્રિલ સુધી ચાલશે.
કેન્દ્રીય વિદ્યાલયો સેન્ટ્રલ બોર્ડ સાથે સંલગ્ન હોય છે અને તમામ કેન્દ્રીય વિદ્યાલયોની ફી અન્ય ખાનગી સ્કુલોની ફી કરતા ઓછી હોય છે. મોટા ભાગે સરકારી નોકરી કરતા લોકોના બાળકોને અહીં પ્રવેશ આપવામાં આવે છે અને કેન્દ્રીય વિદ્યાલયો સંપૂર્ણ પણે કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી કાર્યરત રહેતા હોય છે.
તા.૨૩મી એપ્રિલ ૨૦૨૧ના રોજ પ્રોવિઝનલ એડમિશન લિસ્ટ જારી કરવામાં આવશે.
દેશભરમાં આવેલા કેન્દ્રીય વિદ્યાલયોમાં ધો.૧માં પ્રવેશ નોંધણી માટે નીચેની લિંક પર ક્લીક કરો
Self Declaration distance between school and residence
Service Certificate Central Govt
Service Certificate State Govt
Affidavit for single girl child
Died in harness certificate
Transfer certificate
Date of Birth
Kendriya Vidyalaya Sangathan (KVS) admission process for Class 1 pupils would begin from April 01, 2021, 10.00 AM onwards. The KVS Admission 2021 window will remain open for over 19 days. The last date to submit online application form for KVS Admission 2021 is April 19.
Once the registration process ends, KVS will release a provisional selection and waitlist of the registered candidates. As per the admission schedule released by the KVS, the first provisional admission list will be out on April 23, followed by the second list on April 30. If at all there are seats left after the second list, then a third list will be issued on May 5. In case an insufficient number of applications are received online, a second notification will be issued for registrations on May 10.
કેન્દ્ર સરકારે તા.૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં અડધાથી એક ટકાનો ઘટાડો કરવાની કરેલી જાહેરાતને ગણતરીના કલાકોમાં જ પરત ખેંચીને અગાઉના વ્યાજના દર યથાવત રાખવામાં આવશે એવી જાહેરાત કરી છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે તા.૧લી એપ્રિલ ૨૦૨૧ની સવારે ૭.૫૪ મિનિટે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે નાની બચતની યોજનાઓ પર વ્યાજના દરો માર્ચ ૨૦૨૧ની અસરથી (એટલે કે જુના દર અનુુુુુસાર) ચાલુ રહેશે.
વ્યાજદરોમાં ઘટાડો કરવાની જાહેરાતને પગલે સમગ્ર દેશમાં નાનાબચતકારોમાં ભારે અસંતોષ વ્યાપી ઉઠ્યો હતો. કોરોના કાળમાં આમેય રોજગાર પર અસર પડી છે ત્યારે નાનીબચત યોજનાઓના વ્યાજદર ઘટવાની જાહેરાતે સમગ્ર દેશમાં કચવાટ ફેલાવી દીધો હતો. ખાસ કરીને સિનિયર સિટીઝન્સ માટે તો આ એકમાત્ર આવકનું સાધન ગણાય છે. દેશમાં વ્યાપેલા રોષને પગલે કેન્દ્ર સરકારે રાતોરાત પોતાનો નિર્ણય ફેરવવો પડ્યો હોવાનું જણાય આવે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે Tweet કરીને જાણકારી આપી
Interest rates of small savings schemes of GoI shall continue to be at the rates which existed in the last quarter of 2020-2021, ie, rates that prevailed as of March 2021. Orders issued by oversight shall be withdrawn. @FinMinIndia@PIB_India
The government on Thursday decided to withdraw interest rate cut order on small savings schemes. “Interest rates of small savings schemes of GoI (government of India) shall continue to be at the rates which existed in the last quarter of 2020-2021, ie, rates that prevailed as of March 2021. Orders issued by oversight shall be withdrawn,” Union finance minister Nirmala Sitharaman wrote on Twitter.
હાલમાં આ દરો અનુસાર વ્યાજની ગણતરી કરવામાં આવે છે
Interest rates on small savings schemes
Instruments
Rates
Compounding frequency
Savings deposit
4.00%
Annually
1-year
5.50%
Quarterly
2-year
5.50%
Quarterly
3-year
5.50%
Quarterly
5-year
6.70%
Quarterly
5-year Recurring Deposit
5.80%
Quarterly
Senior Citizens Saving Scheme
7.40%
Quarterly and paid
Monthly income account
6.60%
Monthly and paid
National Savings Certificate
6.80%
Annually
PPF
7.10%
Annually
Kisan Vikas Patra
6.90%
Annually
Sukanya Samriddhi Account Scheme
7.60%
Annually
Source: * Kisan Vikas Patra’s maturity has been revised from 124 months to 138 months. (મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ)
આ પહેલા તા.૩૧-૩-૨૧ ની સાંજે સરકારે આ પ્રમાણે સ્મોલ સેવીંગ્સ સ્કીમ્સના વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત કરી હતી
નિશ્ચિત આવક આપતી તમામ નાની બચત સ્કિમોના વ્યાજદર મોરચે પણ જબરજસ્ત ફટકો સરકારે માર્યો છે. ઘટતા જતા વ્યાજદરની નીતિ સરકારે ચાલુ રાખતા નાણાકીય વર્ષના અંતિમ દિવસે વ્યાજદરમાં તોતીંગ ઘટાડો કર્યો છે. વ્યાજની આવક પર જીવતા અને કોરોનાકાળમાં વ્યાજથી થોડી ઘણી કમાણી કરતા લોકોને મોટી ખોટ હવે જશે. કારણકે અર્ધાથી એક ટકા સુધીનો ઘટાડો એપ્રિલથી જૂન સુધીના સમયગાળા માટે કરવામાં આવ્યો છે.
હવે વ્યાજદર ઘટાડો લાગૂ નહીં પડે
પીપીએફ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, સુકન્યા સમૃધ્ધિ યોજના, સિનીયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ વગેરે તમામના વ્યાજદર ઘટી ગયા છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડના વ્યાજદર 6.4 ટકા ત્રણ માસ માટે કરી દેવામાં આવ્યા છે. જે 7.1 ટકા અત્યાર સુધી હતા.
સેવિંગ્સ ડિપોઝીટનું વાર્ષિક વ્યાજ હવે4 ટકાથી ઘટાડીને 3.5 ટકા કરાયું છે. એક વર્ષની ટાઇમ ડિપોઝીટના દર5.5થી ઘટાડીને 4.4 ટકા, બે વર્ષના 5.5માંથી 5 ટકા, ત્રણ વર્ષના 5.5માંથી 5.1 ટકા અને પાંચ વર્ષની ટાઇમ ડિપોઝીટના દર 6.7માંથી 5.8 ટકા કરી નાંખવામાં આવ્યા છે. પાંચ વર્ષની રિકરીંગ ડિપોઝીટ સ્કિમના દર 5.8 ટકામાંથી 5.3 ટકા કરી નાંખવામાં આવ્યા છે. સિનીયર સિટીઝનને થતી આવકને સરકારે મોટો ફટકો માર્યો છે.
મોટાંભાગના સિનીયર સિટીઝન જે સ્કીમમાં પૈસા રોકે છે તે સેવિંગ સ્કિમમાં 7.4 ટકાનો દર હતો તે સીધો 6.5 ટકા કરી નાંખવામાં આવ્યો છે.
માસિક આવક યોજનાનું વ્યાજ હવે 5.7 ટકા મળશે. જે અગાઉ 6.6 ટકા હતુ. નેશનલ સેવિંગ્સ સર્ટીફિકેટ પર 6.8 ટકા વ્યાજ મળતું હતુ તે હવે ફક્ત 5.9 ટકા મળશે. સુકન્યા સમૃધ્ધિ યોજનામાં હવે 6.9 ટકા વ્યાજ મળશે. જે અત્યાર સુધી 7.6 ટકા મળતું હતુ. જેની ગણતરી વાર્ષિક ધોરણે કરવામાં આવે છે. કિસાન વિકાસપત્ર પર 6.9ને બદલે 6.2 ટકા વ્યાજદર મળશે. આમ 124 મહિને પાકતું સર્ટિફિકેટ હવે 138 મહિને પાકશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.