સરકારની એરલાઈન્સ કંપની એર ઈન્ડિયા પર મોટો સાયબર હુમલો થયો હતો. તેમાં એરલાઈન્સના મુસાફરોની મહત્વની માહિતીઓ ચોરવામાં આવી હતી. તેમાં પાસપોર્ટ અને ક્રેડિટ કાર્ડ સાથે સંલગ્ન માહિતી પણ સામેલ છે. એર ઈન્ડિયાએ જાણકારી આપી છે કે, તેનું SITA PSS સર્વર, જે મુસાફરી કરનારાઓની વ્યક્તિગત માહિતીઓ સ્ટોર અને પ્રોસેસ કરતું હતું, તેના પર સાયબર એટેક થયો હતો.
એર ઈન્ડિયાએ આ સાયબર હુમલાની જાણકારી હવે આપી છે. તેણે કહ્યું કે, આ હુમલો ઓગસ્ટ 2011 અને ફેબ્રુઆરી 2021 વચ્ચે કરાયો. તેમાં મુસાફરોની માહિતીની ચોરી કરવામાં આવી. તેમાં મુસાફરોના નામ, જન્મની તારીખ, કોન્ટેક્ટ સાથે જોડાયેલી માહિતી, પાસપોર્ટની જાણકારી અને ટિકિટની માહિતી સામેલ છે.
એર ઈન્ડિયાએ આ ઘટના અંગે કહ્યું કે, ‘અમને આ અંગે અમારા ડેટા પ્રોસેસર તરપથી પહેલી વખત આ વર્ષે 25 ફેબ્રુઆરીએ જાણ કરવામાં આવી હતી. અમે એ સ્પષ્ટ કરવા ઈચ્છીએ છીએ કે, આ અંગે અમારા ડેટા પ્રોસેસર તરફથી પ્રભાવિત ડેટાની જાણકારી માત્ર 25-03-2021 અને 5-04-2021એ આપવામાં આવી હતી.’
એરલાઈન્સે એમ પણ કહ્યું કે, આ અંગે તે સ્થિતિની યોગ્ય જાણકારી આપવા ઈચ્છે છે. આ જાણકારી 19 માર્ચે તેની વેબાસાઈટ પર આ અંગે અપાયેલી જાણકારી ઉપરાંતની છે. તેણે કહ્યું છે કે, આ સાયબર હુમલામાં સ્ટાર અલાયન્સ અને એર ઈન્ડિયા ફ્રિક્વન્ટ ફ્લાયર ડેટાની સાથે જ ક્રેડિટ કાર્ડના ડેટાની પણ ચોરી કરાઈ હતી.
સરકારી એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાના સર્વરને ઓગસ્ટ 2011 અને ફેબ્રુઆરી 2021 વચ્ચે નિશાન બનાવાયું હતું, આ સાયબર હુમલામાં મુસાફરોના ક્રેડિટ કાર્ડ સહિતની ઘણી મહત્વની માહિતીઓની ચોરી
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર ગ્રુપની બેઠકમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં સ્નાતક કક્ષાના મેડિકલ-પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે.’
શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રાસિંહ ચુડાસમાએ કોર કમિટીના આ નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારે આ વર્ષે કોવિડ-19 કોરોના સંક્રમણની વ્યાપક પરિસ્થિતિમાં શાળા-કોલેજોમાં શિક્ષણકાર્યને પડેલી અસરને ધ્યાનમાં લઇને આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન માત્ર આ વર્ષ પૂરતું આપવાનો નિર્ણય કર્યો છે.’
રાજ્ય સરકારે કરેલા આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનના નિર્ણયનો લાભ સરકારી અને ખાનગી યુનિવર્સિટી તથા કોલેજોના મેડિકલ-પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમેસ્ટર ર, 4 અને જ્યાં સેમેસ્ટર 6 પણ ઇન્ટરમિડીયેટ હોય તેવા વિદ્યાર્થીઓને મળશે. આવા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા અંદાજે 9.50 લાખ જેટલી થવા જાય છે એમ તેમણે ઉમેર્યુ હતું’
ચૂડાસમાએ ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને અપાનારા મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનની પદ્ધતિ અંગે વિસ્તૃત સમજ આપતાં જણાવ્યું કે, આ હેતુસર માર્કસની ગણતરી માટે પ0 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકનના આધારે અને બાકીના પ0 ટકા ગુણ તૂરતના અગાઉના-પ્રિવીયસ-સેમિસ્ટરના આધારે આપવામાં આવશે. જોકે સાથે તેમણે’ પણ સ્પષ્ટતા કરી હતી કે જો યુનિવર્સિટી-કોલેજો દ્વારા પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવી નહી હોય તો ત્યાં પ0 ટકા ગુણ આંતરિક મુલ્યાંકનના આધારે અને બાકીના પ0 ટકા ગુણ તુરતના’ અગાઉના પ્રિવીયસ સેમેસ્ટરના આધારે ગણાશે. જે કિસ્સાઓમાં પ્રાયોગિક પરીક્ષા લેવાઇ હશે તેવા કિસ્સામાં પરીક્ષામાં મેળવેલ ખરેખર ગુણ ધ્યાને લેવાશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના ગઢચિરોલીના જંગલમાં મહારાષ્ટ્ર પોલીસના C60 કમાન્ડો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી, જેમાં ૧૩ નક્સલીઓ માર્યા ગયા છે. ન્યૂઝ એજન્સી એએનઆઇએ ગઢચિરોલીના ડીઆઇજી સંદીપ પાટિલના હવાલાથી આ જાણકારી આપી છે.
ગઢચિરોલી જિલ્લાના એટાપલ્લીના જંગલ વિસ્તારમાં શુક્રવારે લગભગ ૧૩ નક્સલીઓના શબ મળ્યા હતા, જ્યાં મહારાષ્ટ્ર પોલીસના C60 કમાન્ડો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી. ડીઆઇજી સંદીપ પાટિલ અનુસાર, ઓપરેશન મહારાષ્ટ્ર પોલીસ માટે એક મોટી સફળતા છે અને શક્યતા છે કે અથડામણમાં વધુ નક્સલીઓનો સફાયો થાય.
પાટિલે કહ્યું કે, માહિતીના આધારે પોલીસે જંગલમાં શોધખોળ શરૂ કરી હતી. જેની જાણ નક્સલીઓને થતાં તેમણે પોલીસ પર ગોળીબાર કર્યો હતો. ગઢચિરોલીના એસપી અંકિત ગોયલે જણાવ્યું કે, અથડામણ લગભગ એક કલાક ચાલી હતી, જે બાદ બાકીના નક્સલી જંગલમાં ભાગી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, ૧૪ મેના રોજ છત્તીસગઢમાં નક્સલીઓના ગઢ દંતેવાડા વિસ્તારમાં અથડામણ થઇ હતી. પોલીસ જવાનો અને નક્સલીઓ વચ્ચે લગભગ એક કલાક અથડામણ ચાલી હતી, જેમાં એક નક્સલી માર્યો ગયો હતો.
એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં બે ગુજરાતી ભારતીયો પહેલા અને બીજા ક્રમે જાહેર થયા છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી પહેલેથી જ પહેલા નંબરે હતા અને હવે ગુજ્જુ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આ યાદીમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે.
બ્લૂમબર્ગે જાહેર કરેલી વૈશ્વિક અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણી 13મા જ્યારે ગૌતમ અદાણી 14મા સ્થાને છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સના અહેવાલ અનુસાર પોર્ટથી લઈને એફએમસીજી સહિતના ક્ષેત્રોમાં વ્યવસાય ધરાવતા ગૌતમ અદાણીએ ચીનના અબજોપતિ બિઝનેસમેન ઝોન્ગ શાનશાનને પાછળ કરીને આ સ્થાન મેળવ્યું છે. આ ઈન્ડેક્સ પ્રમાણે અદાણી ગ્રૂપના અધ્યક્ષ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 66.5 અબજ ડોલર નોંધાઈ છે, જ્યારે ઝોન્ગ શાનશાનની સંપત્તિ 63.6 અબજ ડોલર નોંધાઈ હતી.
ફેબ્રુઆરી, 2021માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ શાનશાનને પાછળ છોડી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનું ટોચનું સ્થાન મેળવ્યુ હતું. ભારતના સૌથી ધનિક વ્યક્તિઓની વાત કરીએ તો, આ યાદીમાં પણ મુકેશ અંબાણીનું નામ સૌથી મોખરે છે.
નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે વ્યક્તિગત આવકવેરા રિટર્ન્સ ભરવાની મુદતમાં સરકારે ગુરુવારે બે મહિનાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. હવે રિટર્ન્સ ૩૦મી સપ્ટેમ્બર સુધી ભરી શકાશે.
સીબીડીટીએ કંપનીઓ માટે પણ આવકવેરા રિટર્ન્સ ભરવાની મુદતમાં એક મહિનાનો વધારો જાહેર કર્યો છે. કંપનીઓ હવે પોતાના રિટર્ન્સ ૩૦મી નવેમ્બર સુધી ભરી શકશે.
સામાન્ય રીતે જે લોકો આઈટીઆર-૧ અથવા આઇટીઆર-૪ ભરતા હોય એમણે ૩૧મી જુલાઇ સુધીમાં રિટર્ન્સ ભરી દેવાના હોય છે. કંપનીઓ કે અન્યો કે જેમના અકાઉન્ટનું ઑડિટ થવાનું હોય, એમણે ૩૧મી ઑક્ટોબર સુધીમાં રિટર્ન્સ ભરવાના હોય છે.
સીબીડીટીએ જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું છે કે કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને કરધારકોને રિટર્ન્સ ભરવા માટેનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે.
નાણાકીય સંસ્થાઓ માટે એસએફટી રિપોર્ટ રજૂ કરવાની તારીખ ૩૧મી મેથી એક મહિનો લંબાવીને ૩૦મી જૂન ૨૦૨૧ કરવામાં આવી છે.
સીબીડીટીએ ૧લી એપ્રિલે આઇટીઆર માટેના નવા ફોર્મ જાહેર કર્યા હતા. કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને ફોર્મમાં ખાસ ફેરફાર નથી કરાયો, પણ નવા ફોર્મમાં શું કરદાતા નવી કરપ્રણાલી અપનાવવા માગે છે, એવો સવાલ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા.21 મે થી 27 મે 2021 સુધી ગુજરાતમાં વેપાર-ધંધા એટલે કે નાની મોટી દુકાનો શરૂ કરવાની છૂટ આપતી જાહેરાત આજરોજ તા.20મી મેએ સાંજે 6 વાગ્યે કરી છે. મિની લોકડાઉન ધરાવતા ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર પહેલેથી જ શરૂ છે, ત્યાં બંધ કે પ્રતિબંધ લદાયો ન હતો, હવે જે સેક્ટર બંધ હતું એ વેપાર ધંધાને આંશિક છૂટ આપવામાં આવી છે.
ગુજરાતમાં 21 મેથી એટલે કે આવતીકાલથી નિયંત્રણો ધરાવતા 36 શહેરોમાં સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે.
કોરોના વાયરસની બીજી લહેરમાં ગુજરાતની હાલત કફોડી બની ગઈ હતી. જેના કારણે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અને નિયંત્રણો રાખવામાં આવ્યા હતા. હવે પરિસ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે અને કેસની તથા મૃત્યુની સંખ્યા પણ સતત ઘટી રહી છે. જેને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે આ નિયંત્રણોમાં છૂટછાટ આપી છે.
ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે તા.19મી મે 2021ના રોજ મહત્વની જાહેરાતમાં જણાવ્યું હતું કે કોરોના ટેસ્ટીંગને વધુ વ્યાપક અને છેવાડા સુધી પહોંચાડવા માટે ટૂંક સમયમાં ભારતમાં હોમ (ગૃહ) બેઝ્ડ રેપિડ એન્ટીજન ટેસ્ટ શક્ય બનશે. કોરોનાના કોઇપણ લક્ષણ ધરાવતી વ્યક્તિ મેડીકલ સ્ટોર પરથી રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ ખરીદીને પોતાનો ટેસ્ટ જાતે કરી શકશે અને તેનું રિપોર્ટિંગ નિર્ધારિત મોબાઇલ એપ્લિકેશન મારફતે થઇ શકશે. ગ્રામિણ વિસ્તારોમાં કે જ્યાં હજુ સુધી કોરોના ટેસ્ટિંગની સુવિધા નથી અગર તો વિલંબથી ટેસ્ટીંગ રિપોર્ટ મળી રહ્યા છે ત્યાં આ પદ્ધતિ મારફતે ઘનિષ્ટ ટેસ્ટીંગ થઇ શકે તેમ હોવાથી આઇ.સી.એમ.આર.એ ભારતમાં હોમબેઝ્ડ રેપિડ એન્ટિજન ટેસ્ટને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.
ફક્ત કોરોનાના નિર્ધારિત લક્ષણો પૈકી કોઇ એક લક્ષણ ધરાવતા વ્યક્તિઓ હોમબેઝ્ડ રેપિડ એન્ટિજન ટેસ્ટ કરી શકશે. તદુપરાંત કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકો માટે આ ટેસ્ટ આશીર્વાદ રૂપ બની શકે છે.
ઘરે કોરોનાની ટેસ્ટિંગ માટે રેપિડ એન્ટિજન કિટ કોવિસેલ્ફ ટીએમ (CoviSelfTM)- પેથોકેચ બનાવવામાં આવી છે. આને પુણે સ્થિત માઇલેબ ડિસ્કવરી સૉલ્યૂશન નામની કંપનીએ તૈયાર કરી છે. આ કિટના ઘરે ઉપયોગને લઈને એક એપ પણ બનાવવામાં આવી છે, જેના પ્રયોગની રીત જાણી શકાય. જો કે, આઇસીએમઆરે આના અંધાધુંધ ઉપયોગને લઈને ચેતવણી આપી છે.
આઇસીએમઆરે કહ્યું કે ટેસ્ટ કિટ સાથે મોબાઇલ એપ પરીક્ષણને લઈને સંપૂર્ણ માહિતી આપે છે. આના દરેક યૂઝરને સલાહ છે કે તે ટેસ્ટ પૂરી કર્યા પછી આવેલા પરિણામનો એક ફોટો મોબાઇલ પર લેવો અને એપ પર અપલોડ કરવો. જેથી ફોનમાં રહેલ ડેટા કેન્દ્રના સુરક્ષિત સર્વરમાં એકઠો થશે અને આઇસીએમઆરના કોવિડ-19 ટેસ્ટિંગ પોર્ટલમાં પણ ટેસ્ટની માહિતી પહોંચી જશે. આઇસીએમઆરે કહ્યું કે તેમની પાસે દર્દીઓની માહિતી સંપૂર્ણ ગુપ્ત રહેશે.
ICMRએ કહ્યું – જેમનો ટેસ્ટ પૉઝિટીવ આવે, તે પોતાને સંક્રમિત માને- ICMRએ ટેસ્ટ કિટ્સના દુરુપયોગને અટકાવવા માટે કહ્યું કે તે આનો ઉપયોગ એવા લોકો કરે, જેમને કોવિડ-19ના લક્ષણ છે અથવા તે કોઇ એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા જેઓ કોરોના સંક્રમિત છે. આના અંધાધુંધ ટેસ્ટિંગની સલાહ આપવામાં આવતી નથી. જેટલા પણ લોકોનો ટેસ્ટ રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો છે, તે ખરેખર પૉઝિટીવ માનવામાં આવે અને વારંવાર ટેસ્ટિંગની કોઇ જરૂર નથી.
કેટલી હશે ટેસ્ટની કિંમત મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, આ ટેસ્ટ કિટ બનાવનારી કંપની માઇલેબે પણ આની કિંમત નક્કી કરી છે. પાંચ મહિનામાં તૈયાર થયા પછી લૉન્ચિંગના સમયે આના લોકોને 250 રૂપિયા પ્રતિ કિટ પ્રમાણે ચૂકવવાના રહેશે. કંપનીના એમડી પ્રમાણે, આ ટેસ્ટ કિટ આવતા અઠવાડિયે માર્કેટમાં આવી શકે છે.
15 મિનિટમાં આવશે પરિણામ કહેવામાં આવ્યું છે કે આની મદદથી ટેસ્ટ રિઝલ્ટ જાણવામાં વધારેથી વધારે 15 મિનિટનો સમય લાગશે. પૉઝિટીવ પરિણામ ફક્ત પાંચથી 7 મિનિટમાં જ ખબર પડી જશે, જ્યારે નેગેટિવ રિઝલ્ટ વિશ વધુમા વધુ 15 મિનિટ લાગશે. આ સિવાય ટેસ્ટ કરનાર વ્યક્તિએ પોતાના ફોનમાં માયલેબ કોવેસેલ્ફ એપ ડાઉનલોડ કરવાની રહેશે.
News In English
Here is all you need to know about the home-based rapid antigen testing kit for Covid-19:
1) The home-based rapid antigen testing kit manufactured by Mylab Discovery Solutions Ltd, Pune, has been validated and approved by the ICMR.
2) Only a nasal swab will be required for this rapid antigen testing.
3) The name of the kit is CoviSelfTM(PathoCatch) COVID-19 OTC Antigen LF device.
4) The kit comes with a pre-filled extraction tube, a sterile nasal swab, one test card, and a biohazard bag. The person undertaking the test will have to download the Mylab coviself app on their mobile phone.
5) The home testing mobile app is available in Google play store and Apple store and must be downloaded by all users.
6) The mobile app is a comprehensive guide of the testing procedure and will provide a positive or negative test result to the patient.
7) There will be two sections on the test card—the control section and the test section.
8) If the bar shows up only at the control section ‘C’, the result is negative, and if the bar appears on both the control section and test (T) section, the test is positive.
9) According to a report in Hindustan Times, the test kit will be priced at ₹250 per kit.
10) It takes 2 minutes to conduct test & 15 minutes to get a result. It will be available by end of next week in more than 7 lakh pharmacies & our online pharmacy partners across India
The Indian Council of Medical Research (ICMR) has approved a home-based rapid antigen testing (RAT) kit for Covid-19, which will be soon available in the market and can be used for detecting positive cases in home setting.
“Home testing by RAT is advised only in symptomatic individuals and immediate contacts of laboratory confirmed positive cases,” ICMR said in an advisory issued on Wednesday.
The move is expected to make testing widely available and accessible, particularly in rural areas. Besides, home-based RAT would also mean symptomatic people will not necessarily have to step out for testing, lowering the risk of transmission.
The Council also advised against indiscriminate testing. It also said that all test positive individuals are advised to follow home isolation and care as per the ICMR protocol.
Currently, the approved kit is manufactured by Mylab Discovery Solutions and home testing should be conducted as per the procedure described by the manufacturer in the user manual. The home testing mobile App is available in Google play store and Apple store and must be downloaded by all users.
All users are advised to click a picture of the test strip after completing the test procedure with the same mobile phone which has been used for downloading the mobile app and user registration.
Data in the App of mobile phone will be centrally captured in a secure server which is connected with the ICMR Covid-19 testing portal, where all data will be eventually stored.
Manufacturer’s instructions must be strictly followed for disposal of the test kit, swab and other materials.
All individuals who test positive may be considered as true positives and no repeat testing is required, ICMR said.
કોરોના બાદ હવે મ્યુકોરમાઈકોસિસના કેસમાં નોંધપાત્ર વધારો થતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્ય સરકારોને ‘બ્લેક ફંગસ’ (મ્યુકોરમાઈકોસિસ)ને મહામારી તરીકે જાહેર કરવા માટેની તાકીદ કરી છે. આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે રાજ્યોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, તમામ સરકારી અને ખાનગી આરોગ્ય સુવિધાઓ અને મેડિકલ કોલેજોએ મ્યુકોરમાઈકોસિસના સ્ક્રિનિંગ, નિદાન અને સંચાલન માટેની માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં તમામ સરકારી અને ખાનગી આરોગ્ય સુવિધાઓ માટે તમામ શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસોની આરોગ્ય વિભાગ તથા સર્વેલન્સ સિસ્ટમને જાણ કરવા ફરજિયાત બનાવવા માટે જણાવ્યું છે.
પત્રમાં જણાવાયું છે કે, આ ફંગલ ઇન્ફેક્શનની સારવારમાં આંખના સર્જનો, ઇએનટી નિષ્ણાતો, જનરલ સર્જન, ન્યુરોસર્જન, ડેન્ટલ મેક્સિલોફેસિયલ સર્જન વગેરે અને એમ્ફોટેરીસીન બીની સંસ્થાને એન્ટિફંગલ દવા તરીકે સમાવવામાં આવતા મલ્ટિડિસિપ્લિનરી અભિગમની જરૂર છે. અત્યાર સુધીમાં, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન કર્ણાટક, ઉત્તરાખંડ, તેલંગાણા, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના વિવિધ ભાગોમાં બ્લેક ફંગસના કેસ નોંધાયા છે.
કોરોના કાળ વચ્ચે સરકારે કિસાનો માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. સરકારે ડીએપી ફર્ટિલાઈઝર ઉપર સબસિડી 140 ટકા વધારી’ છે. હવે કિસાનોને પ્રતિ બોરી 500 રૂપિયાની જગ્યાએ 1200 રૂપિયા સબસિડી મળશે. જેનાથી કિસાનોને 2400 રૂપિયા પ્રતિ બોરીની જગ્યાએ 1200 રૂપિયા કિંમત ચૂકવવી પડશે. પીએમ મોદીની’ અધ્યક્ષતામાં બુધવારના રોજ મળેલી એક ઉચ્ચસ્તરની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ડીએપી ઉપર સબસિડી વધારવાના નિર્ણયથી સરકાર ઉપર 14775 કરોડ રૂપિયાનો બોજ પડશે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાર મૂકીને કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય કિંમતમાં વધારો થવા છતાં કિસાનોને જૂના ભાવે જ ખાતર મળવું જોઈએ. ગયા વર્ષે ડીએપીની મુળ કિંમત 1700 રૂપિયા પ્રતિ બોરી હતી. તેના ઉપર કેન્દ્ર સરકાર 500 રૂપિયા સબસિડી આપતી હતી. આમ કિસાનોને પ્રતિબોરી 1200 રૂપિયા કિંમત ચૂકવવી પડતી હતી. જો કે હાલમાં ડીએપીમાં ઉપયોગમાં લેવાતા ફોસ્ફરીક એસિડ, એમોનિયા વગેરેની કિંમત 70થી 80 ટકા સુધી વધી ગઈ છે. જેના કારણે ડીએપીની એક બોરીની કિંમત 2400 રૂપિયા થઈ છે. સબસિડી ઘટાડીને કંપનીઓને 1900 રૂપિયામાં વેચાણ કરવામાં આવતું હતું. જો કે બુધવારે લેવામાં આવેલા નિર્ણય બાદ કિસાનોને ડીએપી માટે વધુ કિંમત ચૂકવવી પડશે નહી. તેમને 1200 રૂપિયામાં જ બોરી મળતી રહેશે.
કેન્દ્ર સરકાર દર વર્ષે રાસાયણીક ખાતર ઉપર સબસિડીના રૂપમાં 80000 રૂપિયા ખર્ચ કરે છે. વિપક્ષી પક્ષો ખાસ કરીને કોંગ્રેસે ડીએપી ખાદની કિંમતોમાં વધારાની આકરી ટીકા કરી હતી. એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ડીએપીની કિંમતમાં 700 રૂપિયાની વૃદ્ધિ કિસાનોને ગુલામ બનાવવાની કેન્દ્ર સરકારની સાજીશનો હિસ્સો છે. આ સાથે વધેલી કિંમત પરત ખેંચવા સરકાર સમક્ષ માગણી કરી હતી. બીજા દળોએ પણ સરકારના નિર્ણયની ટીકા કરી હતી.
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટૅક્નોલોજી મંત્રાલયે વૉટ્સએપને તેની નવી પ્રાઇવસી પૉલિસી પાછી ખેંચવા આદેશ આપ્યો છે, એવી આધારભૂત સૂત્રોએ માહિતી આપી હતી.
સરકારે નોટિસનો જવાબ આપવા માટે વૉટ્સએપને સાત દિવસની મુદત આપી છે અને જો આ સાત દિવસમાં વૉટ્સએપ પાસેથી સંતોષકારક જવાબ નહીં મળે તો કાનૂનને આધારે યોગ્ય પગલાં ભરવામાં આવશે, એમ સરકારે જણાવ્યું છે.
વૉટ્સએપની નવી પ્રાઇવસી પૉલિસી ભારતના વર્તમાન કાયદા અને નિયમોની કેટલીક જોગવાઇઓનો કેવી રીતે ભંગ કરે છે, એ અંગે કેન્દ્ર સરકારે વૉટ્સએપનું ધ્યાન દોર્યું છે. ભારતીય નાગરિકોના અધિકારો અને હિતોની રક્ષા કરવાની સાર્વભૌમ જવાબદારીના પાલન માટે કેન્દ્ર સરકાર ભારતીય કાયદા અંતર્ગત વિવિધ વિકલ્પોની સમીક્ષા કરશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ઘણાં ભારતીયો દૈનિક જીવનમાં વાતચીત કરવા માટે વૉટ્સએપ પર નિર્ભર છે. યુરોપ અને અન્ય દેશોના વપરાશકર્તાઓ માટે વૉટ્સએપની પૉલિસી અલગ છે અને ભારતીયો માટે વૉટ્સએપની નીતિ અલગ છે. ભારતીય વૉટ્સએપ વપરાશકર્તાઓ સાથે ભેદભાવ રાખી તેમની પર અન્યાયી શરતો લાદવાનું વૉટ્સએપનું પગલું સમસ્યારૂપ અને બેજવાબદાર છે, એમ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.