CIA ALERT

Slider Archives - Page 132 of 489 - CIA Live

July 19, 2021
Modi-Parliament.jpg
1min474

ચોમાસુ સત્રના પહેલા જ દિવસે વિપક્ષી સાંસદોના વ્યવહારથી વડાપ્રધાન નરેન્દ્ર દુ:ખી થઈ ગયા છે. લોકસભામાં નવા સાંસદોના શપથગ્રહણ સાથે કાર્યવાહી શરુ થઈ હતી. ત્યારપછી વડાપ્રધાન મોદી ઉઠ્યા અને પોતાના મંત્રીઓનો પરિચય આપવાની શરુઆત કરી. આ દરમિયાન વિપક્ષ તરફથી હોબાળો શરુ કરવામાં આવ્યો. વડાપ્રધાને કહ્યું કે તે વિચારીને આવ્યા હતા કે સભામાં ઉત્સાહનું વાતાવરણ હશે, પરંતુ આવુ ના થયું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ જણાવ્યું કે, તેમણે પાછલા 24 વર્ષમાં આવું નથી જોયું. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ વિપક્ષને ફટકાર લગાવી.

વિપક્ષના હોબાળા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મેં વિચાર્યુ હતું કે આજે સભામાં ઉત્સાહનું વાતાવરણ હશે, કારણકે મોટી સંખ્યામાં મહિલા સાંસદ, દલિત ભાઈ, આદિવાસી, ખેડૂત પરિવારના સાંસદોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. તેમનો પરિચય કરવાનો આનંદ હશે. પરંતુ કદાચ દેશના દલિત, મહિલા, ઓબીસી, ખેડૂતોના દીકરા મંત્રી બન્યા તે વાત અમુક લોકોને રાસ ના આવી. માટે તેમનો પરિચય પણ નથી આપવા દેતા.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ વિપક્ષને ફટકાર લગાવી. તેમણે જણાવ્યું કે, પાછલા 24 વર્ષના સંસદના ઈતિહાસમાં તેમણે આવુ ક્યારેય નથી જોયું. સંસદની પરંપરાઓ તૂટી રહી છે. સ્પીકર ઓમ બિરલાએ પણ વિપક્ષી સાંસદોની તેમના વ્યવહાર માટે ટીકા કરી. વિપક્ષના સાંસદોના સતત હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

July 19, 2021
parliament.jpg
1min462

સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું હોવા વચ્ચે સરકાર અનેક ખરડા રજૂ કરવાના એજન્ડા સાથે સજ્જ છે તો વિપક્ષ ઈંધણનાં વધતા જતા ભાવ અને કોવિડ મેનેજમેન્ટને મુદ્દે સરકારને ઘેરવા તૈયાર છે.  સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર ૧૭ જેટલા નવા ખરડા રજૂ કરશે. 

સરકાર આ સત્રમાં અનેક ખરડા (વિધેયક) પસાર કરાવવાની તૈયારીમાં છે તો વિપક્ષો કોરોના ગેરવ્યવસ્થા અને પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસના ઉંચા ભાવ, મોંઘવારી જેવા મુદ્દે સરકારને ઘેરવા સજ્જ છે. મોદી સરકારે ચોમાસું સત્રમાં કુલ 17 ખરડાને રજૂ કરવા માટે ક્રમબદ્ધ કર્યા છે. જેમાં ત્રણ તાજેતરમાં જારી કરાયેલા વટહુકમના સ્થાને લાવવામાં આવશે કારણ કે નિયમ છે કે સંસદ સત્ર શરૂ થયા બાદ વટહુકમના સ્થાને ખરડાને 4ર દિવસ અથવા 6 સપ્તાહમાં પસાર કરવો જરૂરી છે.

તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા વટહુકમને રદ કરવાની ત્રણ ખરડામાં માગણી કરવામાં આવી છે. એક વખત સત્ર શરૂ થઈ ગયા બાદ વટહુકમને ૪૨ દિવસ કે છ અઠવાડિયામાં ખરડા તરીકે મંજૂર કરાવવા જરૂરી છે અન્યથા તે રદબાતલ થઈ જાય છે.

૩૦ જૂને બહાર પાડવામાં આવેલા એક વટહુકમમાં અતિઆવશ્યક સંરક્ષણ સેવા સાથે સંકળાયેલી  વ્યક્તિઓ દ્વારા આંદોલન કરવા પર અને હડતાળ પાડવા પર પ્રતિબંધ ફરમાવે છે. ઑર્ડિનન્સ ફેક્ટરી બૉર્ડ (ઓએફબી)નું કૉર્પોેરેટાઈઝન કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરવા જુલાઈના અંતમાં અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ફેડરેશન ઑફ ઑર્ડિનન્સ ફેક્ટરી બૉર્ડ દ્વારા કરવામાં આવેલી જાહેરાતને પગલે ઍસૅન્શિયલ ડિફેન્સ સર્વિસિસ ઑર્ડિનન્સ ૨૦૨૧ લાવવામાં આવ્યો હતો.

કમિશન ફૉર ઍર ક્વૉલિટી મેનેજમેન્ટની નેશનલ કૅપિટલ દિલ્હી ઍન્ડ ઍડજેસન્ટ એરિયા બિલ ૨૦૨૧ એ અન્ય એક ખરડો છે જેમાં વટહુકમને બદલવાની માગણી કરવામાં આવી છે. સોમવારથી શરૂ થતું સંસદનું ચોમાસુ સત્ર તોફાની બની રહે તેવી પૂરી શક્યતા છે. કોરોનાની ખતરનાક બીજી લહેર, વૅક્સિન પૉલિસી, ખેડૂત આંદોલન, ઈંધણનાં ભાવમાં વધારો, ફુગાવો, ભારત-ચીન સંબંધ સહિતના મુદ્દે વિપક્ષ સરકારને ચારે તરફથી ઘેરવાનો પ્રયાસ કરશે.   

July 18, 2021
ncc.png
1min471

ગુજરાતની એનસીસી કેડેટે આવી રહેલા કારગિલ વિજય દિવસ નિમિત્તે જવાનોના શૌર્ય અને બલિદાનને વખાણતા ૩૦,૦૦૦ કાર્ડ સૈનિકોને મોકલ્યા હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ૨૬ જુલાઇએ  કારગિલ વિજય દિવસ ઊજવાય છે. આ વખતે ૨૨મી સંવત્સરી ઊજવાશે.  ૪થી ૧૫ જુલાઇ દરમ્યાન ઉજવવામાં આવેલા ‘ એક મૈં સો કે લિયે’  અભિયાનના એક ભાગરૂપે ગુજરાતમાંથી આ કાર્ડ્સ મોકલવામાં આવ્યા હતા તેમ જ સોશિયલ મીડિયા પર પણ દેશના જવાનોને બિરદાવતા અનેક સંદેશાઓ વહેતા કરવામાં આવ્યા હતા.

ધ નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી) આ પ્રસંગે  અમારા અભિયાન ‘કારગિલ કે વીરો કો ગુજરાત કા આભાર’ ના પાંચમા ચરણના એક ભાગરૂપે હતો. 

‘આ કાર્ડ્સ યુવા કેડેટસ માટે શહીદોની શહાદત અને સરહદોનું રક્ષણ કરતા જવાનોનું સન્માન કરવાનું એક માધ્યમ છે.’ એમ એનસીસીએ જણાવ્યું હતું.

આ કાર્ડ્સ ઉધમપુરના નોર્ધન કમાન્ડના ચીફ લેફ્ટેનન્ટ જનરલ સુધી પહોંચે તેવી આશા અમે રાખી રહ્યા છીએ જેઓ કારગિલ યુદ્ધ વખતે લેફ્ટેનન્ટ કર્નલના હોદ્દા પર હતા અને જેમને વીરચક્ર પ્રાપ્ત થયું છે. ૨૫ જુલાઇ પહેલા કારગિલ ક્ષેત્ર પર તૈનાત સૈનિકોને સુપરત કરવામાં આવશે.

July 17, 2021
modipawar.jpg
1min411

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારની શનિવારના રોજ દિલ્હીમાં મુલાકાત થઈ. બન્ને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત ચાલી. ચોમાસું સત્ર પહેલા શરદ પવાર સાથે થયેલી આ મુલાકાતને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. સોમવારથી ચોમાસુ સત્રની શરુઆત થવાની છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી એક સર્વદળીય બેઠક બોલાવવામાં આવી છે.

Sharad Pawar Raises Concerns Over New Cooperation Ministry In PM Meet

વિપક્ષ તરફથી સરકારને સંસદમાં ઘેરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. આવતીકાલે કોંગ્રેસના લોકસભા સાંસદોની પણ બેઠક બોલાવવામાં આવી છે. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી બેઠકને સંબોધિત કરશે. મોનસૂન સેશન પહેલા અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ કોંગ્રેસ તરફથી તૈયાર કરવામાં આવી રહી છે. સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે કોંગ્રેસ વિપક્ષી દળો સાથે પણ સંપર્ક સાધી રહી છે.

મહારાષ્ટ્રમાં અત્યારે ગઠબંધનની સરકાર છે, તે દરમિયાન વડાપ્રધાન અને એનસીપી ચીફ શરદ પવારની મુલાકાતથી રાજકારણના નિષ્ણાંતોમાં ચર્ચા શરુ થઈ છે. મહારાષ્ટ્રના રાજકીય ભવિષ્યને લઈને પણ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શરદ પવારને વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર બનાવવાની વાત સામે આવી હતી. પરંતુ શરદ પવારે કહ્યુ હતું કે આ ખોટી વાત છે. મને ખબર છે કે જે પાર્ટી પાસે 300થી વધારે સાંસદ હોય તે જોઈને પરિણામ શું આવશે.

July 17, 2021
adm_guide-1280x874.jpg
2min856

Jayesh Brahmbahtt 98253 44944

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ (તા.17-07-2021) જાહેર કરાયેલા ધો.12 સાયન્સના પરીણામનું એનાલિસીસ કરતા જાણવા મળે છે કે ધો.12 સાયન્સમાં એ ગ્રુપ એટલેકે એન્જિનિયરિંગ, ટેક્નોલોજીમાં જઇ શકે તેવા પાસ થયેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 43,142 છે જેની સામે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની કુલ સીટોની સંખ્યા જોઇએ તો 65,000 છે. આમ એન્જિનિયરિંગમાં તો બધા (જોકે બધા પ્રવેશ લેવાના નથી)ને પ્રવેશ અપાઇ જાય પછી પણ કુલ બેઠકોની 35 ટકા જેટલી બેઠકો ખાલી પડે તેમ છે. કેમકે એ ગ્રુપના તેજસ્વી વિદ્યાર્થીઓ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી., ત્રિપલ આઇ.ટી., ગુજરાત બહારની યુનિવર્સિટીઓ, પ્રાઇવેટ યુનિવર્સિટીનઓના આઇ.ટી., બીએસસી આઇ.ટી. કમ્પ્યુટર સાયન્સ વગેરેમાં પ્રવેશ મેળવશે.

આમ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોને છેલ્લા પાંચ વર્ષથી નડી રહેલી વિદ્યાર્થીઓનો દુકાળ આ વર્ષે 100 ટકા પરીણામ પછી પણ જારી જ રહેશે.

ધો.12 મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ માટેના વિકલ્પો

  • આઇ.આઇ.ટી., એન.આઇ.ટી., ત્રિપલ આઇ.ટી. (જેઇઇ વિન્ડોથી પ્રવેશ)
  • ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની 135 ઇજનેરી કોલેજો (ગુજકેટ વિન્ડોથી પ્રવેશ)
  • બેચલર ઓફ આર્કિટેક્ચર (નાટા સ્કોર)
  • બેચલર ઓફ ફાર્મસી ( ગુજકેટ વિન્ડો)
  • પ્રાઇવેટ યુનિવર્સિટીના બીએસસી આઇ.ટી, બી.એસસી. કમ્પ્યુટર સાયન્સના કોર્સ
  • બી.સી.એ. કોર્સમાં પ્રવેશ
  • સ્ટેટ યુનિવર્સિટીઓમાં બીએસસી મેથ્સ, બીએસસી ફિઝિક્સ, બીએસસી કેમેસ્ટ્રીના વિકલ્પો
  • બી.એસસી. નર્સિંગના વિકલ્પો
  • બી.એસસી. કન્સ્ટ્રકશન ટેક્નોલોજીનો વિકલ્પ
  • બી.એસસી. પ્લાનિંગનો વિકલ્પ

100% પરીણામ છતાં મેથ્સ ગ્રુપના એકેએક વિદ્યાર્થીઓને પ્રવેશ મળી જશે

ધો.12 સાયન્સની ઓફલાઇન પરીક્ષાના અભાવે આ વખતે 100 ટકા પરીણામ આવ્યું હોવા છતાં આ વખતે પ્રવેશની કોઇ જ સમસ્યા નહીં સર્જાય. મેથ્સ ગ્રુપ સાથે પાસ થયેલા એકેએક વિદ્યાર્થીઓને પસંદગીના વિકલ્પોમાં પ્રવેશ મળી શકશે. પ્રશ્ન ફક્ત સિલેક્ટેડ ટોપ-10 કોલેજોનો આવે. જે વિદ્યાર્થીઓના ધો.12 અને ગુજકેટના માર્કસ ઓછા આવશે તેમના માટે પસંદગીની કોલેજ નહીં મળે પણ પ્રવેશ મળશે જ તેની ગેરેન્ટી અત્યારથી જ જોવા મળી રહી છે.

July 17, 2021
gseb-1280x720.jpg
1min927

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આજરોજ જાહેર કરેલા ધો.12 સાયન્સના ઔપચારિક પરીણામની વિગતો અત્રે પ્રસ્તુત છે. બોર્ડ દ્વાર ઓફલાઇન પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી તેમજ ધો.10, ધો.11 અને ધો.12ના પરીણામોના આધાર પર મૂલ્યાંકન કરવા માટે શાળાઓને કહેવાયું હતું. શાળાઓએ જે પરીણામ આપ્યું એ બોર્ડે જાહેર કર્યું છે.

બધા વિષયોનું 100 ટકા પરીણામ

બધા જિલ્લાઓનું 100 ટકા પરીણામ રાજકોટના સૌથી વધુ વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં કુલ 829

July 16, 2021
1111.jpg
1min413

સતત ત્રણ જીત બાદ વેસ્ટ ઇન્ડિઝની આ વિજય યાત્રા પર આખરે ઓસ્ટ્રેલિયાએ બ્રેક લગાવીને ચોથા ટી-20 મેચમાં 4 રને રોમાંચક જીત મેળવી છે અને શ્રેણી હારનું અંતર ઘટાડીને 1-3 કર્યું છે. આ મેચમાં આખરી ઓવરમાં વેસ્ટ ઇન્ડિઝને જીત માટે 11 રન કરવાના હતા પણ કાંગારુ ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે ટી-20 ક્રિકેટની તેની અત્યાર સુધીની શ્રેષ્ઠ બોલિંગ કરીને કેરેબિયન ફટકાબાદ આંદ્રે રસેલને છેલ્લે સુધી બાંધી રાખ્યો હતો.

સ્ટાર્કે આખરી ઓવરના પ્રથમ ચાર દડામાં રસેલને એક પણ રન કરવા દીધો ન હતો. પાંચમા દડે બે અને આખરી દડે ચાર રન આપ્યા હતા. આથી ઓસ્ટ્રેલિયાનો 4 રને વિજય થયો હતો. એક સમયે વિન્ડિઝને આખરી ત્રણ ઓવરમાં 47 રનની જરૂર હતી ત્યારે રસેલ અને ફેબિયન એલેને જોરદાર ફટકાબાજી કરીને વિન્ડિઝને જીતની નજીક લાવી દીધું હતું પણ સ્ટાર્કે આખરી ઓવરમાં 11 રનના બદલે ફકત 6 રન જ થવા દેતા જીત ઓસિ.ની થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 6 વિકેટે 189 રનનો મજબૂત સ્કોર કર્યો હતો.

જવાબમાં વેસ્ટ ઇન્ડિઝના 6 વિકેટે 18પ રન થયા હતા. ઓલરાઉન્ડ દેખાવ કરનાર મિચેલ માર્શ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.

ઓસ્ટ્રેલિયાએ મિચેલ માર્શના 44 દડામાં 4 ચોક્કા-6 છક્કાથી 7પ રન અને સુકાની એરોન ફિંચના પ3 રનથી 6 વિકેટે 189 રન કર્યા હતા. વિન્ડિઝ સ્પિનર હેડન વોલ્શે 27 રનમાં 3 વિકેટ લીધી હતી. જવાબમાં વિન્ડિઝની શરૂઆત સારી રહી હતી. ઓપનર લેન્ડલ સિમન્સે 48 દડામાં 10 ચોક્કા-2 છક્કાથી 72 અને લૂઇસે 31 રન કર્યા હતા. આ પછી ગેલ (1) સહિતના મીડલઓર્ડર બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. આખરમાં ફેબિયન એલન 14 દડામાં 2 ચોક્કા અને 3 છક્કાથી 29 રને આઉટ થયો હતો જ્યારે રસેલ 13 દડામાં 3 છક્કાથી 23 રને નોટઆઉટ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શે 24 રનમાં 3 વિકેટ લીધી હતી. ઝમ્પાને બે વિકેટ મળી હતી.

July 16, 2021
whatsapp.jpg
1min913

લોકપ્રિયતા એ વિશ્ર્વસનીયતાનો માપદંડ ન હોઈ શકે એમ જણાવી સુપ્રીમ કૉર્ટે વૉટ્સઍપ પરના મૅસેજને પુરાવા તરીકે સ્વીકારવાનું ગુરુવારે નકારી કાઢ્યું હતું. 

વૉટ્સએપ પર કરવામાં આવેલા મેસેજનું પુરાવા તરીકે કોઈ મૂલ્ય કે મહત્વ નથી હોતું અને એટલે જ બિઝનેસમાં બે ભાગીદાર વચ્ચે મેસેજની આપલેને પુરાવાનો આધાર ન ગણી શકાય. 
દેશના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રામન્ના, ન્યાયાધીશ એ. એસ. બોપાના અને હૃષીકેશ રોયની બનેલી ખંડપીઠે કહ્યું હતું કે આજના સમયમાં વોટ્સેપના મેસેજનું પુરાવા તરીકે મૂલ્ય કેટલું? સોશિયલ મીડિયા પર આજની તારીખે કંઈપણ ઊભું અને નાબૂદ કરી શકાય છે. વોટ્સએપના મેસેજને અમે કોઈ મહત્ત્વ નથી આપતા.

કચરો એકઠો કરી તેનું વહન અને નિકાલ કરવા અંગેના સાઉથ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એસડીએમસી), એટૂઝેડ ઈન્ફ્રા સર્વિસિસ અને અન્ય સાથેના ૨ ડિસેમ્બર ૨૦૧૬ના કરાર સંબંધિત કેસને મામલે સુપ્રીમ કૉર્ટે ઉપરોક્ત નિવેદન કર્યું હતું. 

વર્ષ ૨૦૧૭માં એટૂઝેડ ઈન્ફ્રા સર્વિસિસે તેણે લીધેલા કોન્ટ્રાક્ટના અમુક હિસ્સાના કામ માટે ક્વિપ્પો ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કરાર કર્યા હતા. 

એટૂઝેડ ઈન્ફ્રા એસ્ક્રો અકાઉન્ટ (થર્ડ પાર્ટી એકાઉન્ટ)માં રૂપિયા જમા કરાવશે અને એ રકમનો ઉપયોગ અન્ય પાર્ટીઓને ચુકવણી કરવા માટે કરવામાં આવશે એવી સહમતી કરારમાં સાધવામાં આવી હતી. 

ક્વિપ્પો ઈન્ફ્રાએ કોલકાતા હાઈ કૉર્ટના દ્વાર ખટખટાવતા વર્ષ ૨૦૨૦માં એટૂઝેડ ફ્રન્ફ્રાએ કરાર રદ કર્યો હતો. ક્વિપ્પોએ એટૂઝેડ પાસેથી રૂ. ૮.૧૮ કરોડ લેવાના નીકળતા હોવાને લગતો વોટ્સએપ મેસેજ હાઈ કોર્ટને દેખાડ્યો હતો.  એટૂઝેડએ આ મેસેજ બનાવટી અને ઉપજાવી કાઢેલો હોવાનું જણાવ્યું હતું. 

જોકે, હાઈ કોર્ટે કંપનીને એસ્ક્રો એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવા જણાવ્યું હતું. 
ગયા વર્ષની ૨૮મી મેેએ એટૂઝેડ ઈન્ફ્રાએ કરાર રદ કર્યા હતા અને ક્વિપ્પોએ લવાદની નિમણૂક કરવાની માગણી સાથે ૧૪ સપ્ટેમ્બરે હાઈ કૉર્ટનો આશરો લીધો હતો. 
આ વર્ષની ૧૪ જાન્યુઆરીએ બંને પક્ષ લવાદની નિમણૂક માટે સહમત થયા હતા. 

ક્વિપ્પોના વકીલે કોલકાતા હાઈ કૉર્ટને ૧૯ માર્ચ ૨૦૨૦ના એ જાણ કરતા મેસેજ અંગે જણાવ્યું હતું જેમાં એટૂઝેડ ઈન્ફ્રાએ ક્વિપ્પોને રૂ. ૮.૧૮ કરોડ આપવાના બાકી નીકળતા હોવાની કબૂલાત કરી હતી. 

ક્વિપ્પોએ વર્ષ ૨૦૧૮નો એ જાણ કરતો ઈમેલ પણ દર્શાવ્યો હતો જોમાં એટૂઝેડ ઈન્ફ્રાએ એસડીએમસી પાસેથી મળનારી રકમ એસ્ક્રો અકાઉન્ટમાં જમા કરાવવા સહમતી દર્શાવી હતી. 
જોકે, એટૂઝેડ ઈન્ફ્રાએ મેસેજ બનાવટી અને ઉપજાવી કાઢેલો હોવાનું હાઈ કોર્ટને જણાવ્યું હતું, પરંતુ હાઈ કોર્ટે એટૂઝેડ ઈન્ફ્રાને ભવિષ્યમાં એસડીએમસી પાસેથી કોન્ટ્રાક્ટ અને કામને લગતાં મળનારાં તમામ નાણાં એસ્ક્રો અકાઉન્ટમાં જમા કરાવવા જણાવ્યું હતું.  

બુધવારે સુપ્રીમ કૉર્ટમાં ઉપસ્થિત રહેલા એટૂઝેડના વકીલ રણજિતકુમારે કહ્યું હતું કે કરાર રદ કરવામાં આવ્યા છે અને વિવાદના ઉકેલ માટે લવાદની નિમણૂક કરવામાં આવી છે તેવા સમયે ભવિષ્યમાં એસડીએમસી પાસેથી કોન્ટ્રાક્ટ અને કામને લગતાં મળનારાં તમામ નાણાં એસ્ક્રો અકાઉન્ટમાં જમા કરાવવાનો હાઈ કોર્ટનો આદેશ અયોગ્ય છે કેમ કે એવા સંજોગોમાં અમે કચરો ઊપાડવાના અને તેનું વહન કરી તેનો નિકાલ કરવામાં રોકાયેલા કામદારોને પગારની ચુકવણી નહીં કરી શકીએ. 

જોકે મુખ્ય ન્યાયાધીશ રામન્નાના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે આ વિવાદનો ઉકેલ લાવવા લવાદની નિમણૂક કરવામાં આવ્યા બાદ કરાર રદ કરનાર પાર્ટી એસડીએમસી પાસેથી મળનારી રકમ શા માટે એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવે? 

પ્રથમદર્શી રીતે અમે એસ્ક્રોના ખાતામાં રૂપિયા જમા કરાવવાના હાઈ કૉર્ટના આદેશથી સંતુષ્ટ નથી, એમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. 

જો આ મોડું ન હોય તો તમે લવાદ પાસે જાઓ અને લવાદનો ચુકાદો બંને પક્ષને બંધનકર્તા હશે, એમ ખંડપીઠે કહ્યું હતું.

July 16, 2021
gandhinagar.jpg
1min676

આજે 16/7/2021 સાંજે 4 વાગ્યે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પાટનગરના ગાંધીનગર ખાતે પુનઃનિર્મિત ‘ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન’ તેમજ પંચતારક હોટલ સાથે આઠ જેટલાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું નવી દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવાના છે.

માહિતી મુજ્બ કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલવે સ્ટેશનમાં 3 પ્લેટફોર્મ્સનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે જેમાં 3 પ્લેટફોર્મ, 2 એસ્કેલેટર્સ, 3 એલિવેટર્સ, 2 પેડેસ્ટ્રિયન સબ-વે સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.

July 15, 2021
GUJCET-2021.png
1min831

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાતમ માધ્યમિક શિક્ષણ બોર્ડે કરેલી જાહેરાત અનુસાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આગામી તા.6 ઓગસ્ટના રોજ લેવામાં આવશે.

ગુજરાતમાં એન્જિનિયરિંગ, ફાર્મસી અને એગ્રિકલ્ચર અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટ પરીક્ષાનો સ્કોર જરૂરી છે.

આ વખતે ગુજકેટનુ મેરીટમાં ભારણ વધારીને 50 ટકા કરવામાં આવ્યું છે.