CIA ALERT

Slider Archives - Page 133 of 485 - CIA Live

June 26, 2021
delta_variant.jpg
1min444

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોરોનાની બીજી લહેરની ખતરનાક અસરો અને ભયાવહ સ્થિતિમાંથી હજુ તો માંડ બહાર નીકળ્યાનો અહેસાસ થઇ રહ્યો છે ત્યારે કોરોના વાઇરસનો જ ડેલ્ટા પ્લસ મ્યુટેન્ટ વાઇરસ અંગે વિશ્વભરમાંથી મળી રહેલી ખબરો અને તેમાં ભારતની સ્થિતિ અંગેના મળી રહેલા અહેવાલો પરથી જણાય આવે છે કે ફરી આપણે હતા ત્યાંને ત્યાં તો નથી જઇ રહ્યા ને.

કોરોનાનો જ વાઇરસ વધુ ખતરનાક બનીનો ઉભરી રહ્યો છે, જાણો ડેલ્ટા પ્લસ વેરીએન્ટ વિશે

ડેલ્ટા વેરિયન્ટ અથવા તો or B.1.617.2 ભારતમાં સૌથી પહેલાં 2020ના અંતમાં જોવા મળ્યો હતો. અને હવે તે વિશ્વના 70 દેશોમાં જોવા મળ્યો છે અને યુકેમાં અત્યારે સૌથી મોટો વેરિયન્ટ છે. તે આલ્ફા વેરિયન્ટ કરતા 40 ટકા વધુ ટ્રાન્સમિસિબલ છે, એટલે કે આલ્ફા વેરિયન્ટથી 40 ટકા વધુ ઝડપથી તે પ્રસરે છે. આ થવાનું કારણ એ હોઇ શકે કે જેને તેનો ચેપ લાગે તેમાં ACE2નું ગઠન વધુ હોય છે. હૉસ્પિટલાઇઝેશનના વધતો દર તેના પ્રસારમાં જે કરતો હોય તેમ બની શકે છે.

VoC વાઇરસ ઓફ કન્સર્ન, ચિંતાનો વાઇરસ

INSACOGના જિનોમ સિક્વન્સીંગ રિપોર્ટ મુજબ, ડેલ્ટા-પ્લસ વેરિઅન્ટ – ‘ચિંતાનો વેરિયન્ટ’ (VoC) તરીકે દર્શાવાયો છે. આ વેરિયન્ટમાં સંક્રમણતામાં વધારો થયો છે, ફેફસાની કોશિકાઓના રીસેપ્ટર્સ સાથે મજબૂત જોડાઈ શકવાની ક્ષમતા, અને એન્ટિબોડીને ચકમો આપીને તેના પ્રભાવને ઘટાડી શકવાની ક્ષમતા ધરાવે છે. અધિકારીઓએ જણાવ્યું કે નવા ડેલ્ટા-પ્લસ વેરિઅન્ટને લીધે સંક્રમણ ક્ષમતા, રોગની તીવ્રતા, ફરીથી ચેપ અને રસીઓની અસરકારકતા, દવાઓ અને ઉપલબ્ધ નિદાન પરીક્ષણો પર નજર રાખવા માટે વધુ અભ્યાસ ચાલી રહ્યો છે.

ફેફસા પર સખત રીતે ચોંટી જાય છે ડેલ્ટા વાઇરસ

કહેવાય છે કે તે જલ્દી ફેલાય છે પણ તેના કેસિઝ ઓછા છે એટલે અત્યારે કંઇ પણ કહેવું શક્ય નથી. ડેલ્ટા વેરિયન્ટ ACE2 રિસેપ્ટરમાં મજબુતાઇથી બંધાય છે અને રિસેપ્ટરમાંવધુ ભળે છે. આ કારણે જ એમ મનાય છે કે તેનો ચેપ ઝડપી હોય છે  અને તે ચેપગ્રસ્ત વ્યક્તિના નેસોફેરિંજલ અને શ્વાસ નળીના નીચેના ભાગમાં હોય છે.

ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જે ડેલ્ટા વેરિયન્ટનું એક સબ લિનિયેજ છે તે દેશના 174 જિલ્લાઓમાં આ વાઇરસ ઉપલબ્ધ હોવાનું તા.25મી જૂન 2021ના રોજની પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટીમે જણાવ્યું હતું. આ વાઇરસ ખાસ કરીને મહારાષ્ટ્ર, કેરળ અને મધ્યપ્રદેશમાં જોવા મળ્યું હોવાની જાહેરાત કરી. મહારાષ્ટ્રના સાત જિલ્લાઓમાં આ વેરિયન્ટ જોવા મળી રહ્યો છે.

કોરોનાવાઇરસની બીજી લહેરમાંથી બહાર આવી રહ્યો છે અને ત્રીજી લહેરની વકી પણ માથે તોળાઇ રહી છે ત્યાં તો ડેલ્ટા વેરિયન્ટ જે કોવિડ-19નનો ટ્રાન્સમિસિબલ સ્ટ્રેઇન છે તે ટ્રેન્ડ થવા માંડ્યો છે.  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને 85 દેશોમાં ડેલ્ટા વેરિયન્ટ જોવા મળ્યો પછી તેને ‘ડોમિનન્ટ લિનિયેજ’ તે થઇ શકે છેની ચેતવણી પણ આપી છે અને શક્યતા છે કે તે અન્ય રાષ્ટ્રોમાં પણ જોવા મળે.  WHOએ આ વાત કોવિડ-19 વિકલી એપિડેમિઓલોજિકલ અપડેટ માટે 22મી જૂને રિલીઝ કરેલ માહિતીમાં કરી હતી.

ડબલ માસ્કિંગ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ એક જ વિકલ્પ હાલ તુરત તો

ડેલ્ટા પ્લસ અને ડેલ્ટા વેરિયન્ટ સામે અત્યારે જે વેક્સિન અપાય છે તેની એફિકસી વિશે આપણને જાણ નથી અને માટે જે પગલાં અત્યારે લઇએ છીએ તે જ લેવા જરૂરી છે. ઘરમાં પણ ડબલ માસ્કિંગ કરવું, સેનિટાઇઝ કરવું અને સોશ્યલ ડિસ્ટન્સિંગ પાળવું – આ બાબતો પર જોર મૂકવું અનિવાર્ય છે. સરકારે અનલૉક પહેલાં બહુ જ તકેદારી રાખવાની જરૂર છે ને લોકોની આવન જાવન પર નિયંત્રણ પણ રાખવું જોઇએ વળી ઇન્ડોર્સ પણ ભીડ ન થાય તે અનિવાર્ય છે.

June 25, 2021
bjp_vs_congress.jpg
1min498

બધા જ સાત ઇલેક્ટોરલ ટ્રસ્ટો દ્વારા બધા પક્ષોને આપવામાં આવેલા દાનની રકમમાંથી ભાજપને રૂ. ૨૭૬.૪૫ કરોડ અથવા ૭૬.૧૭ ટકાનું અને કૉંગ્રેસને રૂ. ૫૮ કરોડ અથવા ૧૫.૯૮ ટકાનું દાન મળ્યું હોવાની માહિતી ઍસોશિયેસન ફોર ડૅમોક્રેટિક રિફોર્મ્સ) એડીઆર જૂથે જાહેર કરી હતી.

રિપોર્ટમાં જણાવાયું હતું કે અન્ય ૧૨ પક્ષ – આપ, એસએચએસ, સપ, યુવા જનજાગૃતિ પક્ષ, જનનાયક પક્ષ, જેડીયુ, જેએમએમ, એલજેપી, એસએડી, આઇએનએલડી, જેકેએનસી અને આરએલડીને સંયુક્ત રીતે કુલ રૂ. ૨૫.૪૬૫૨ કરોડ મળ્યા હતા.ઇલેક્ટોરલ ટ્રસ્ટને મળેલી કુલ રકમ અને એમણે રાજકીય પક્ષોને આપેલા દાનની વિગતનો વાર્ષિક અહેવાલ જાહેર કરવાનો આદેશ ચૂંટણીપંચે પોતાની માર્ગદર્શિકા દ્વારા પારદર્શિતા જાળવવા માટે સર્ક્યુલૅટ કર્યો હતો.

June 25, 2021
night_curfew.jpg
1min441

ગુજરાતમાં ૧૦મી જુલાઈ સુધી વેપારીઓ, વ્યવસાયીઓ અને તમામ સ્ટાફે ૧૦મી જુલાઈ સુધીમાં ફરજિયાત રીતે કોરોનાની રસી લેવી પડશે. જોકે અમદાવાદ સહિત ૧૮ શહેરોમાં ૩૦મી જૂન સુધી રસી લેવાની રહેશે.

રાજ્યની અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર સહિત આઠ મહાનગરપાલિકા તેમજ વાપી, અંકલેશ્ર્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર સહિત કુલ ૧૮ શહેરોમાં રાત્રી કરફ્યૂ સહિતનાં નિયંત્રણો ચાલુ રહેશે. આ ૧૮ શહેરોમાં રાત્રી કરફયૂનો સમય એક કલાક ઘટાડીને રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીનો કરાયો છે. રાજ્યના કુલ ૩૬માંથી ૧૮ શહેરોમાં કરફ્યૂ મુક્તિનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ-સોમનાથ, છોટા ઉદેપુર, વીરમગામ, બોટાદ, પોરબંદર, પાલનપુર, હિંમતનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, આણંદ, નડિયાદ અને ગોધરાનો સમાવેશ થાય છે.

તેમજ રાજ્યનાં સિનેમાઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ ૫૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. તેમજ લગ્ન પ્રસંગમાં ૧૦૦ લોકો સુધી ઉપસ્થિત રહી શકશે.

આ ૧૮ શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૩૦મી જૂન સુધીમાં વૅક્સિન ફરજિયાત લેવાની રહેશે. રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૧૦ મી જુલાઇ સુધીમાં વૅક્સિન ફરજિયાત લેવાની રહેશે.

આ શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે ૯ વાગ્યા સુધી ૬૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલિવરી રાત્રે ૧૨ કલાક સુધી ચાલુ રાખી શકાશે. આ ૧૮ શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રીના ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

June 24, 2021
cg-copy.jpg
3min1476

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આગામી જુલાઇ 2021માં જાહેર થનારા ધો.12ના પરીણામ બાદ વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ, કોલેજ પ્રવેશ માટે દક્ષિણ ગુજરાતની 5 યુનિવર્સિટીઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પાંચ યુનિવર્સિટીઓ

  • વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
  • ઉકા તરસાડીયા યુનિવર્સિટી, બારડોલી-મહુવા રોડ, સુરત
  • પી.પી. સવાણી યુનિવર્સિટી, અંકલેશ્વર
  • સાર્વજનિક યુનિવર્સિટી, અઠવાલાઇન્સ, સુરત
  • વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી, અઠવા લાઇન્સ, સુરત

આજે તા.24 જુન 2021ના રોજના સ્ટેટસ અનુસાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવિસર્ટીને બાદ કરતા બાકીની ઉપરોક્ત તમામ યુનિવર્સિટીઓએ ધો.12 પછી જુદા જુદા અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરી દીધી છે.

કઇ યુનિવર્સિટીમાં કયા અભ્યાસક્રમો ઉપલબ્ધ

વીર નર્મદ યુનિવર્સિટી 82 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવશે, જેના અભ્યાક્રમો તથા તેમાં ઉપલબ્ધ બેઠકોની માહિતી નીચે દર્શાવવામાં આવી છે

Academic Year : 2021-22
Total Seats
Sr.NoProgramme NameTotal Seats
1B.Sc. *13925
2 B.Sc. (Computer Science)825
3B.Com. & B.Com. (Honrs)31875
4B.A.25102
5B.B.A.3750
6B.C.A.4725
7B.R.S.375
8B.Com. LL.B.150
9M.Sc. Integrated Biotechnology *75
10M.Sc. IT150
115 Year Integrated Programme in Sustainable Development 75
12Bachelor of Fine Arts100
13Bachelor of Interior Design88
 Total81215

વધુ ડિટેઇલમાં પર્સનલ કાઉન્સેલિંગ માટે અહીં સંપર્ક કરો 98253 44944

June 24, 2021
wtc.jpg
1min395
WTC final: New Zealand crowned champs with 8-wicket win over India |  Cricket - Hindustan Times

ન્યૂ ઝીલેન્ડે પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ટાઇટલ અત્રે છઠ્ઠા અને છેલ્લા દિવસે બુધવારે સરળતાથી જીતી લીધું હતું. ૧૩૯ રનના લક્ષ્ય સાથે રમવા ઉતરેલી ન્યૂ ઝીલેન્ડની ટીમે ફક્ત બે વિકેટ ગુમાવી ૧૪૦ રન કર્યા હતાં. રોસ ટેલર અને કેન વિલિયમ્સને ત્રીજી વિકેટ માટે ૯૬ રનની અણનમ ભાગીદારી કરી હતી.

રોઝ ટેઈલર ૪૭ રન અને કેન વિલિયમ્સન ૪૬ રન બનાવ્યા હતા. ભારતનો બીજો દાવ ફક્ત ૧૭૦ રનમાં સમેટાઈ ગયો હતો. તે પછી ભારતીય પ્રશંસકોમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું. ઓફસ્પીનર આર. અશ્ર્વિને શરુઆતમાં બે વિકેટ લેતાં ભારતીય પ્રશંસકોને થોડી આશા જાગી હતી પણ વિલિયમ્સન અને ટેલરે ધીરજપૂર્વક ચિત્ર બદલી નાખ્યું હતું.

ભારત તરફથી ઇશાંત શર્મા, મહંમદ શમી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા કોઈપણ વિકેટ મેળવવામાં નિષ્ફળ ગયા હતા.

અગાઉ બુધવારે ભારતે ૬૪/૨ના સ્કોરથી રમવાની શરૂઆત કરી હતી. જો કે ભારતનો કોઈ બેટ્સમેન ઝાઝુ ટકી શક્યો નહોતો અને ભારતની ટીમ ૧૭૦ રને તંબૂ ભેગી થઈ ગઈ હતી. જેમાં રિષભ પંત ૪૧ રન સાથે ટોપસ્કોરર હતો. રોહિત શર્મા ૩૦, વિરાટ કોહલી ૧૩, ચેતેશ્ર્વર પૂજારા અને અજિંક્ય રહાણેએ ૧૫-૧૫ રન બનાવ્યા હતાં. ન્યૂ ઝીલેન્ડ વતી ટીમ સાઉધીએ ૪૮ રનમાં ચાર વિકેટ લીધી હતી.

ટૂંકો સ્કોર:

ભારત: ૨૧૭ અને ૧૭૦

ન્યૂ ઝીલેન્ડ: ૨૪૯ અને ૧૪૦-૨.

June 22, 2021
CIA_Live_Logo_New2.jpg
1min538

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સેન્ટ્રલ બોર્ડ તેમજ અધર બોર્ડની સ્કુલોની વધી ગયેલી સંખ્યાને જોતા તેમજ દર વર્ષે પ્રવેશ વંચિત રહેતા અન્ય બોર્ડના વિદ્યાર્થીઓની સંખ્યાને જોતા હવેથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસક્રમોમાં ગુજરાત બોર્ડ સિવાયના બોડ જેવા કે CBSE/CISCE/IB વગેરેના પ્રવેશાર્થીઓ માટે 20 ટકા ક્વોટા રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગત વર્ષ સુધી 10 ટકા ક્વોટા હતો જે વધારીને 20 ટકા કરાયો, એક તરફ યુનિવર્સિટીમાં સીટો ખાલી પડે અને બીજી તરફ ક્વોટા ઓછો હોઇ, અધર બોર્ડના વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત રહેતા હતા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડીકેટ અધિકારમંડળની આજે મળેલી બેઠકમાં લેવાયેલા મહત્વના અને મુખ્ય નિર્ણય એવો છે કે ચાલુ શૈક્ષણિક વર્ષથી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની પ્રવેશ પ્રક્રિયામાં ગુજરાત બોર્ડ સિવાયના વિદ્યાર્થીઓ માટે 10ને બદલે 20 ટકા ક્વોટા કરવામાં આવ્યો છે. આવું કરવા પાછળ રહેલા અનેક કારણો પૈકી બે કારણ એ છે કે

  • એક તરફ બીકોમ, બીબીએ, બીસીએ વગેરે અભ્યાસક્રમોમાં સીટો ખાલી પડતી હોય છે અને
  • બીજી તરફ અધર ધેન ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનો ક્વોટા ઓછો હોઇ, વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત રહેતા હતા. આ ઉપરાંત શહેરમાં હવે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ યુનિવર્સિટીની વિદ્યાર્થી સંખ્યામાં ભાગ પડાવશે પરીણામે આ નિર્ણયથી યુનિવર્સિટીને ફાયદો જ થવાનો છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડીકેટ અધિકાર મંડળી બેઠકમાં લેવાયેલા આ નિર્ણય અંગે મળતી વધુ માહિતી મુજબ દક્ષિણ ગુજરાતમાં સેન્ટ્રલ બોર્ડ, આઇસીએસઇ બોર્ડ, આઇ.બી. બોર્ડ તેમજ એન.આઇ.ઓ.એસ. (નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) વગેરેમાંથી ધો.12 પાસ કરીને કોલેજ પ્રવેશ માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ખાસ્સી વધી છે. આ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ચાલતા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અરજી કરતા હોય છે. ગત વર્ષ સુધી ગુજરાત બોર્ડ સિવાયના કોઇપણ બોર્ડના વિદ્યાર્થીઓ મળીને તેમના માટે કુલ સીટો પૈકી 10 ટકા સીટો રિઝર્વ રાખવામાં આવતી હતી. ગુજરાત સિવાયના બોર્ડના સેંકડો પ્રવેશાર્થીઓએ પ્રવેશ વંચિત રહેવું પડતું હતું.

બીજી તરફ યુનિવર્સિટીની છેવાડાની અનેક કોલેજોમાં બેઠકો ખાલી પડતી હતી. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને કન્ફર્મ પ્રવેશ મળતો હોવા છતાં તેઓ સુરત ફરતેના વિસ્તારોમાં આવેલી કોલેજોમાં પ્રવેશ લેવાનો ઇન્કાર કરતા અને તેના કારણે સીટો ખાલી પડતી હતી. ગુજરાત સિવાયના બોર્ડના વિદ્યાર્થીઓનો ફક્ત 10 ટકા ક્વોટા હોઇ, બેઠકો ખાલી પડતી હોવા છતાં પણ તેમને એ બેઠકો પર પ્રવેશ આપી શકાતો ન હતો. પરંતુ, આજરોજ સિન્ડીકેટ અધિકાર મંડળે જુદા જુદા કારણોને ધ્યાનમાં લઇને ગુજરાત સિવાયના બોર્ડના વિદ્યાર્થીઓને 10ને બદલે 20 ટકા ક્વોટા કરવાનો નિર્ણય લીધો છે.

June 22, 2021
pawar_pk.jpg
1min449

વર્ષ 2024માં થનારી લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સામે મજબૂત જંગ માટે તેમ જ આવતા વર્ષે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ સામે વિપક્ષોની એકતાની શક્યતા તપાસવા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારે તા.22 જૂને યશવંત સિંહાના રાષ્ટ્રીય મંચના બેનર તળે વિપક્ષોની એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકનું નક્કી થયું એ અગાઉ 21 જૂન 2021ની સવારે ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોર પવારને મળ્યા હતા.

પખવાડિયામાં કિશોર સાથે પવારની આ બીજી બેઠક થઇ એ મહત્ત્વની મનાય છે. આ પહેલા 11 જૂને કિશોર મુંબઈમાં પવારના નિવાસસ્થાને મળવા આવ્યા હતા.

અટલ સરકારમાં નાણા પ્રધાન અને વિદેશ પ્રધાન રહી ચૂકેલા યશવંત સિંહાએ વર્ષ 2018માં ભાજપને રામ રામ કરીને રાષ્ટ્ર મંચની સ્થાપના કરી હતી અને મોદી સરકારની નીતિઓના વિરોધમાં તાજેતરમાં બંગાળની ચૂંટણી પહેલા સિંહા મમતા બેનરજીના તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાયા હતા.

સિંહાના રાષ્ટ્ર મંચના બેનર તળે પહેલી વાર પવારે પોતાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને સાંજે ચાર વાગ્યે વિપક્ષોની બેઠક બોલાવી છે. શરદ પવાર અને મમતા દીદી તરફથી સિંહાએ વિપક્ષોને આ બેઠકમાં બોલાવ્યા છે તેને કેવો પ્રતિભાવ મળે છે અને કોણ હાજરી આપશે એના પર સૌની નજર રહેશે. પવાર અને મમતા દીદી આ બેઠકના માધ્યમથી એ તપાસવા માગે છે કે વિપક્ષોની એકતા કેટલી છે અને કઇ પાર્ટી પોતાના કયા ગજાના નેતાને આ બેઠકમાં હાજરી આપવા મોકલે છે તેના પરથી આ વિપક્ષી એકતાનો અંદાજ બાંધવામાં આવે એવી શક્યતા છે.
પવાર અને સિંહા વતી રાષ્ટ્રીય મંચ તરફથી કેટલીક પાર્ટીને પાઠવેલા નિમંત્રણમાં જણાવાયું છે કે હાલમાં દેશની રાજકીય પરિસ્થિતિ વિશે શરદ પવાર અને યશવંત સિંહા સાથે આ બેઠકમાં ચર્ચા વિચારણા થશે. આ બેઠકમાં હાજર રહેવા તમને નિમંત્રણ છે.

‘કોરોના પ્રૉટોકોલ વચ્ચે વિપક્ષોની આ બેઠક અૉનલાઇન નહીં પરંતુ પવારના ધરે રૂબરૂમાં મળશે અને આ બેઠકમાં 15 જેટલા વિપક્ષી પાર્ટીના નેતાઓ હાજર રહેવાની ધારણા છે. હાલમાં આ કોઇ રાજકીય મોરચો નથી પરંતુ ભવિષ્યમાં ત્રીજો મોરચો આકાર લઇ શકે છે. કૉંગ્રેસને સત્તાવાર નિમંત્રણ મોકલાયું છે કે તેના તરફથી કોઇ આ બેઠકમાં હાજર રહેશે કે કેમ એની માહિતી મોડી સાંજ સુધી મળી નહોતી.

લાલુ પ્રસાદ યાદવની રાષ્ટ્રીય જનતા દળના (આરજેડી)ના નેતા મનોજ ઝા, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ અને કૉંગ્રેસના નેતા વિવેક તણખા સહિતના કેટલાક નેતાઓને આ નિમંત્રણ પાઠવાયા છે, જેઓ અગાઉ પણ રાષ્ટ્ર મંચના કાર્યક્રમોમાં હાજરી આપી ચૂક્યા છે. તામિલનાડુમાં સત્તાધીશ દ્રવિડ મુનેત્ર કડ્ઝગમ (ડીએમકે) તરફથી જણાવાયું હતું કે તેમને નિમંત્રણ નથી મળ્યું અને આ બેઠક વિશે કોઇ જાણકારી નથી.
આજે દિલ્હીમાં કિશોરની પવાર સાથે બેઠક બાદ વિપક્ષોની થનારી આ બેઠકની વિગતો બહાર આવી હતી. વર્ષ 2024માં થનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપના વડપણ હેઠળના નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) અને મોદી સામે મજબૂત જંગ માટે આ બેઠકોના દોર ચાલી રહ્યાની અટકળો ચાલી રહી છે. દસ દિવસ પહેલા જ 11 જૂને મુંબઈમાં પવારના નિવાસસ્થાન સિલ્વર અૉકમાં કિશોર-પવાર વચ્ચે લગભગ ત્રણ કલાક સુધી બેઠક થઇ હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં મિશન 2024 અંતર્ગત મોદી સામે વિપક્ષના ચહેરાની ચર્ચા થશે ઉપરાંત ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર સામે હાલમાં જણાતા અસંતોષની ચર્ચા થશે અને યુપીમાં આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે મજબૂત વિકલ્પની શક્યતા પણ તપાસાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિલ્હી આવેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વડા પ્રધાન મોદીને પણ મળ્યા હતા અને બાદમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં શિવસેના-ભાજપ’ રાજકીય રીતે એક નથી પરંતુ વડા પ્રધાન સાથેના સંબંધો યથાવત્ છે. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની મહા વિકાસ આઘાડીની સહિયારી સરકાર છે અને સમયાંતરે તેમાં મતભેદો પણ બહાર આવે છે. શિવસેનાએ એક વાર એમ પણ કહ્યું હતું કે અમારા દરવાજા ભાજપ માટે બંધ નથી. રાજકારણમાં કોઇ કાયમી શત્રુ કે મિત્ર નથી હોતા. પવારે જાહેર સભામાં શિવસેનાને તેની વફાદારીની યાદ પણ અપાવી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંગાળમાં મમતા દીદીને પ્રચંડ બહુમતીથી જીતાડનારા કિશોર હવે દીદીને ભાજપ વિરોધી ત્રીજા મોરચાના ચહેરા તરીકે આગળ કરવાના પ્રયાસોમાં છે. પવાર આ ત્રીજા મોરચાના સંયોજકની ભૂમિકા નિભાવી શકે છે.

June 22, 2021
hubard.jpg
1min759

લોરેન હબર્ડ 185 કિલોગ્રામ વજન ઊંચકીને ટોકયો ઓલિમ્પિકમાં મહિલા સુપર હેવી વેઇટ વર્ગ માટે ટિકીટ પાકી કરી લેતાં ઓલિમ્પિક માટે કવોલિફાઇ થનાર પ્રથમ ટ્રાંસજેંડર ખેલાડી બની ગઇ છે. આઠ વરસ પહેલાં પુરૂષમાંથી મહિલા બનેલી હર્બડ એ ખેલાડીઓમાં સામેલ છે, જેમની સોમવારે ન્યૂઝિલેન્ડની ટોકયો જનારી ટીમમાં પસંદગી કરાઇ છે.

ખાસ ઉલ્લેખનીય છે કે, 43 વર્ષીય લોરેલ વેઇટલિફટીંગમાં સૌથી મોટી વયની રમતવીર હશે. સમોઆમાં 2019માં પ્રશાંત ક્ષેત્રિય રમતોમાં સુવર્ણચંદ્રક જીતનાર હબર્ડે કહ્યું હતું કે, ન્યૂઝિલેન્ડના લોકો તરફથી મળેલાં સમમર્થન બદલ હું સૌની આભારી છું.

June 21, 2021
pm_modi.jpg
1min521

ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા દેશને સંબોધિત કરીને વડાપ્રધાન મોદીએ કહ્યું, “દુનિયાના ઘણાં દેશો માટે યોગ દિવસ સદીઓ જૂનો સાંસ્કૃતિક પર્વ નથી. આ મુશ્કેલ સમયમાં લોકો તેને ભૂલી શક્યા હોત, તેની ઉપેક્ષા કરી શક્યા હોત. પરંતુ તેનાથી અલગ, લોકોમાં યોગ પ્રત્યે ઉત્સાહ વધ્યો છે, યોગથી પ્રેમ વધ્યો છે.”

આજે દુનિયાભરમાં 7મા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યો છે. વડાપ્રધાને કહ્યું- “આજે જ્યારે આખો દેશ કોરોના સામે લડી રહ્યો છે, તો યોગ આશાનું કિરણ બની રહ્યો છે.” બે વર્ષથી ભલે દુનિયામાં અને ભારતમાં સાર્વજનિક રીતે કાર્યક્રમ આયોજિત ના કરાતો હોય, પરંતુ યોગ દિવસ પ્રત્યેનો ઉત્સાહ ઓછો નથી થયો.

કોરોના મહામારીનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું કે, “જ્યારે કોરોનાના અદૃષ્ય વાયરસે દુનિયામાં એન્ટ્રી કરી હતી, ત્યારે કોઈ દેશ, સાધનો, સામર્થ્યથી અને માનિસિક અવસ્થાથી, તેના માટે તૈયાર નહોતો. આપણે સૌએ જોયું કે આવા કઠીન સમયમાં યોગ આત્મબળનું એક મોટું માધ્યમ બન્યું.” વડાપ્રધાને કહ્યું કે, “ભારતના ઋષિયોએ, ભારતે જ્યારે પણ સ્વાસ્થ્યની વાત કરી છે, તો તેનો મતલબ માત્ર શારીરિક સ્વાસ્થ્ય નથી થતો. માટે યોગમાં ફિઝિકલ હેલ્થની સાથે-સાથે મેન્ટલ હેલ્થ પર પણ ભાર આપવામાં આવ્યો છે. યોગ આપણને સ્ટ્રેસથી સ્ટ્રેંથ અને નેગેટિવિટીથી ક્રિએટિવિટી તરફનો રસ્તો બતાવે છે. યોગ આપણને અવસાદથી ઉમંગ અને પ્રમાદથી પ્રસાદ તરફ લઈ જાય છે.”

યોગ દિવસ પર પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, “જ્યારે ભારતે યુનાઈટેડ નેશનમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસ નો પ્રસ્તાવ રાખ્યો હતો, તો તેની પાછળ એ જ ભાવના હતી, કે આ યોગ દુનિયા માટે ફાયદાકારક છે. આજે આ દિશામાં ભારતે યુનાઈટડ નેશન, WHO સાથે મળીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે દુનિયાને M-Yoga એપની શક્તિ મળવા જઈ રહી છે. આ એપમાં કોમન યોગ પ્રોટોકોલ પર યોગ પ્રશિક્ષણની ઘણા વિડીયો દુનિયાની અલગ-અલગ ભાષામાં ઉપલબ્ધ હશે.”

June 21, 2021
guj_corona.jpg
1min638

કોવિડ મહામારીને નાથવા માટે વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા આજે તા.21મી જૂન 2021ને સોમવારથી રાજ્યવ્યાપી વેક્સિનેશન મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની જાહેરાત અનુસાર રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકા વિસ્તારના 1025 રસીકરણ કેન્દ્ર પર મંત્રીઓ, આગેવાનો, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં 21મી જૂને સવારે 9 વાગ્યે વેક્સિન ઉત્સવના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા.

મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી ગાંધીનગરના સેક્ટર-8ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા વેક્સિન ઉત્સવમાં ભાગ લીધો હતો.

મુખ્યપ્રધાને કહ્યું કે, 18થી 44 વર્ષની વય જૂથના યુવાનોના વેક્સિનેશન માટે પણ રાજ્ય સરકારે પૂરતું આયોજન કર્યું છે. 21મી જૂનથી યુવાનોને વેક્સિનેશન માટે અગાઉથી રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે. હવેથી દરેક વ્યક્તિ વોક-ઇન વેક્સિન લઈ શકશે. રાજ્યમાં દરેક નાગરિકોને ઘરઆંગણે આસાનીથી વેક્સિન ઉપલબ્ધ કરાવી શકાય એ માટે રાજ્યમાં વેક્સિનેશન બૂથની સંખ્યા પણ વધારીને 5,000 કરવામાં આવી છે.

વેક્સિનેશનમાં તા.20મી જૂન સુધીમાં 2 કરોડ 20 લાખ ડોઝ સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. ફ્રન્ટલાઇન વોરિયર્સ અને 44થી વધુ વયના લોકોના વેક્સિનેશનમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં અગ્રેસર છે. એટલું જ નહીં પ્રતિ મિલિયન વ્યક્તિનો વેક્સિનેશન રેશિયોમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 45 વર્ષથી વધુ વયના નાગરિકોને વેક્સિનેશનના 1,38,12,595 ડોઝ અપાયા છે જ્યારે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વોરિયર્સને 30,75,163 વેક્સિન ડોઝ અપાયા છે.