Slider Archives - Page 113 of 489 - CIA Live

November 2, 2021
ajitpawar.jpg
1min463

ગયા મહિને રાષ્ટ્રવ્યાપી દરોડા પાડયા બાદ આવકવેરા વિભાગે મંગળવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના સગાંઓની અંદાજે ૧૪૦૦ કરોડની કિંમતની મુંબઇ, નવી દિલ્હી, પુણે, ગોવા અને રાજ્યભરમાં આવેલી મિલકતો તથા બે ડઝનથી વધુ જમીનના પ્લોટ પર ટાંચ મારવાના ઔપચારિક આદેશ બહાર પાડયા હતા. 

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગના બેનામી સંપત્તિ માટેના ખાતા તરફથી બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેકશન ઍક્ટ, ૧૯૮૮ હેઠળ એનસીપીના નેતા અજિત પવાર, એના પુત્ર પાર્થ પવાર અને કુટુંબીઓની સંપત્તિ પર ટાંચ મારવાના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અજિત પવારના કુટુંબીઓને સંપત્તિ કાયદેસર પોતાની હોવાની અને કાળાં નાણાંથી ખરીદી ન હોવાની વાત પુરવાર કરવા માટે ૯૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

તપાસના સમયગાળામાં તેઓ પોતાની કોઇપણ સંપત્તિને વેચી નહીં શકે. ટાંચ મરાયેલી સંપત્તિઓમાં રૂ. ૬૦૦ કરોડની સાતારાની જારેડેશ્ર્વર સુગર ફૅક્ટરી, રૂ. ૨૫૦ કરોડના ગોવામાં આવેલા નિલયા નામના રિસોર્ટ, પાર્થ પવારની દક્ષિણ મુંબઇમાં રૂ. ૨૫ કરોડની  ઑફિસ, દક્ષિણ દિલ્હીમાં આવેલો રૂ. ૨૦ કરોડનો ફ્લેટ અને રાજ્યભરમાં અનેક સ્થળે આવેલી કુલ રૂ. ૫૦૦ કરોડની જમીનના ટુકડાઓનો સમાવેશ થાય છે. 

અત્રે નોંધપાત્ર બાબત એ છે કે રૂ. ૭૫૦ કરોડની લૉનના કૌભાંડના કેસમાં અજિત પવારના કુટુંબના સભ્યો દ્વારા સંચાલિત સાતારામાં આવેલી જારેડેશ્ર્વર સહકારી સુગર ફૅક્ટરીની ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)  તપાસ કરી રહી છે. 

November 2, 2021
t20_world.jpg
1min873

ટી-૨૦ વર્લ્ડ કપની બુધવારે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી મૅચમાં ભારત કમબૅક કરીને આબરૂ બચાવશે? એવો પ્રશ્ર્ન ચાહકો અને પ્રશંસકોના મનમાં ઊઠી રહ્યો છે. પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડ સામેના નાલેશીજનક પરાજયને કારણે ભારતીય ટીમની ગાડી પાટા પરથી ઊતરી ગઈ છે. 

ભારત માટે હજુ પણ સ્પર્ધામાં પાછા ફરવાની તક છે છતાં ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન  નિરાશાજનક જ રહ્યું છે. 

અફઘાનિસ્તાને આશ્ર્ચર્યજનક રીતે બે મૅચ જીતી છે ને તેમાં તેણે સ્કૉટલૅન્ડ અને નામિબિયાને પરાજય આપ્યો હતો. ટી-૨૦ના કૅપ્ટન તરીકે કોહલીની કદાચ આ છેલ્ લી ત્રણ મૅચ હશે. 
અશ્ર્વિન જેવા સક્ષમ બૉલરની સતત અવગણના કરી રહેલા કોહલી વિરુદ્ધ સવાલ ઊઠી રહ્યા છે. પ્રતિભા અને ક્ષમતાની દૃષ્ટિએ પણ જોવામાં આવે તો ભારતની વર્તમાન ટીમનો અન્ય કોઈ બૉલર અશ્ર્વિનની બરોબરી કરી શકે એમ નથી. 

આ બધું જાણવા છતાં અફઘાનિસ્તાન સામેની મૅચમાં પણ જો કોહલી અશ્ર્વિનની અવગણના કરશે તો અચૂક એમ માની લેવામાં આવશે કે આમાં ક્રિકેટ સિવાયનું કોઈ અન્ય કારણ છે. 

ભારતની ટીમ: 
વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા (વાઈસ કૅપ્ટન), કે. એલ. રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિસાન, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શામી, શાર્દૂલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્ર્વરકુમાર, રાહુલ ચહર, વરુણ ચક્રવર્તી, રવીચંદ્રન અશ્ર્વિન. 

અફઘાનિસ્તાનની ટીમ: 
મોહમ્મદ નબી (કૅપ્ટન), હઝરતુલ્લા ઝાઝઈ, અહમદ શાહઝાદ, ગુલબદીન નઈબ, નવીન ઉલ હક, રાશીદ ખામ, હમીદ હસન, રહેમાનુ લા ગુરબેઝ, નજીબુલ્લા ઝદરન, કરીમ જનત, મુજીબ ઉર રહેમાન, હસમતુલ્લા શાહીદી, ઉસ્માન ઘાની.

November 2, 2021
anil-desh.jpeg
1min444

મુંબઇની અદાલતે મંગળવારે Dt.2/11/21 મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને છઠ્ઠી નવેમ્બર સુધી ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. 

રાજ્યના પોલીસ વિભાગ મારફત કથિત રીતે ખંડણી ઉઘરાવવા સાથે સંકળાયેલ નાણાં કૌભાંડના કેસને મામલે ૧૨ કલાકથી વધુ પૂછતાછ કર્યા બાદ ઇડીએ સોમવારે મોડી રાતે દેશમુખની ધરપકડ કરી હતી. 

ઇડીએ મંગળવારે Dt.2/11/21 સવારે દેશમુખને અતિરિક્ત સેશન્સ જજ પી. બી. જાધવની ખંડપીઠ સમક્ષ રજૂ કર્યા હતા. સ્પેશિયલ હોલિડે કોર્ટની અધ્યક્ષતા જાધવે કરી હતી. 
કોર્ટમાં રજૂ કરવા અગાઉ ઇડી દેશમુખને સરકારી જે.જે. હૉસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે લઇ ગઇ હતી. 

ભ્રષ્ટાચાર અને સત્તાના દુરૂપયોગના આરોપસર સીબીઆઇએ એનસીપીના ભૂતપૂર્વ પ્રધાન દેશમુખ સામે ૨૧મી એપ્રિલે એફઆઇઆર દાખલ કર્યા બાદ ઇડીએ પોતાની તપાસ શરૂ કરી હતી. 

દેશમુખે રાજ્યના ગૃહ પ્રધાનપદના હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાનો અને બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચીન વાઝે મારફત મુંબઇના વિવિધ બાર્સ અને રૅસ્ટોરન્ટ પાસેથી રૂ. ૪.૭૦ કરોડની ખંડણી ઉઘરાવી હોવાનો આરોપ ઇડીએ દેશમુખ સામે ઘડયો છે. 

આ મામલે ઇડીએ અન્ય બે વ્યક્તિ સંજીવ પાલાન્ડે (અતિરિક્ત કલેક્ટરની કક્ષાનો અધિકારી, જે દેશમુખના ખાનગી સચિવ તરીકે કામ કરતો હતો) અને કુંદન શિંદે (દેશમુખનો પર્સનલ આસિસ્ટન્ટ)ની પણ ધરપકડ કરી હતી.

November 2, 2021
cia_multi-1280x1045.jpg
2min877

Jayesh Brahmbhatt 98253 44944

એલ.એન્ડ ટી.માં અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રવિણ ટાઢાણી અને હાઉસવાઇફ અસ્મિતા ટાઢાણીના પુત્ર તરંગ ટાઢાણીએ આજે નીટ-2021માં સુરત ફર્સ્ટ આવીને ઇતિહાસ સર્જ્યો છે. મૂળ રાજકોટના ટાઢાણી પરિવારના તરંગ ટાઢાણીએ મેડીકલ-ડેન્ટલમાં સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજીમાં કુલ 720 માર્કસની પરીક્ષામાં 702 માર્કસ મેળવીને સુરતના તમામ વિદ્યાર્થીઓમાં સર્વપ્રથમ ક્રમ મેળવ્યો છે.

તરંગ ટાઢાણી નીટમાં 702 માર્કસ

તરંગ ટાઢાણીનો ઓલ ઇન્ડિયા રેન્ક 107 મેળવ્યો છે અને તેની સફળતા પાછળ તેની માતા અસ્મિતા ટાઢાણીનો સિંહફાળો રહ્યો છે.

તરંગ ટાઢાણી હવે દિલ્હી એઇમ્સ અથવા તો પછી મૌલાના આઝાદ મેડીકલ કોલેજ નવી દિલ્હીમાંથી એમ.બી.બી.એસ. કરવાનું આયોજન ધરાવે છે.

સુરત કેન્દ્રમાંથી નીટમાં ઝળહળતો દેખાવ કરનાર વિદ્યાર્થીઓની યાદી

  • તરંગ ટાઢાણી 702-720 એલ.પી.સવાણી ઇન્ટરનેશનલ
  • આદર્શ મંડલ 701-720 શ્રી સરસ્વતિ વિદ્યાલય
  • અંશ ડોડીયા 700-720
  • નવનીત અણઘણ 695-720 પી.પી.સવાણી સ્કુલ, વરાછા
  • લખાણી શ્રીલ 682-720 સરસ્વતિ વિદ્યાલ, એકે રોડ
  • પ્રતિક નાયક 680-720 શ્રીશ્રી રવિશંકર વિદ્યામંદિર
  • દિયા સંઘાણી 670-720 મિલેનિયમ સ્કુલ, સુરત
  • હડીયા જયદીપ 670-720 પી.પી.સવાણી સ્કુલ, વરાછા
  • દેસાઇ કર્ણવી 666-720 ટેકરાવાળા ઇન્ટીગ્રેટેડ સ્કુલ
  • ગાંગાણી કશ્યપ 665-720 પી.પી.સવાણી સ્કુલ, વરાછા
  • કિર્તન નસીત 663–720 આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ
  • ધ્રુવિન અંકોલિયા 659-720 આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ
  • જસાણી પરિ 654–720 એસ્પાયર સ્કુલ
  • મૌલિક માણીયા 652–720 એસ્પાયર સ્કુલ
  • સાહિલ કથીરીયા 651–720 આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ
  • જીગર ભટવાર 642-720 સંસ્કારભારતી વિદ્યાલય
  • અંટાળા હર્ષિત 635–720 કૌશલ વિદ્યાભવન
  • ચાહોડીયા દિપ 611– 720 શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ, વેડરોડ
  • કેરીવાલા નંદિની દિવ્યપ્રકાશ 559–720 ભૂલકાભવન સ્કુલ
  • મુસ્કાન પટેલ 543-720 એમયુએસ ઇંગ્લિશ મિડીયમ સ્કુલ
  • નિખિલ પટેલ 523–720 વિદ્યામંગલ કામરેજ, સુરત

અહીં અમને જે સંસ્થાઓએ માહિતી મોકલી છે તેના આધારે આ યાદી તૈયાર કરવામાં આવી છે, આપની સંસ્થામાં જો કોઇ વિદ્યાર્થીએ ઉપરોક્ત રેન્જમાં માર્કસ મેળવ્યા હોય તો અમને 98253 44944 પર જાણ કરશો જેથી યાદીને અદ્યતન બનાવી શકાય

November 2, 2021
cia_multi-1280x1045.jpg
2min794

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તા.1લી નવેમ્બરની રાત્રે જાહેર કરાયેલા નીટ યુજીના પરીણાનું એનાલિસીસ કરતા રસપ્રદ વિગતો સપાટી પર આવી રહી છે. 2021માં તા.12મી સપ્ટેમ્બરે લેવાયેલી નીટ પરીક્ષા દેશ અને દુનિયાભરમાંથી કુલ 15 લાખ 44 હજાર 275 વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી કુલ 56.34 ટકા પરીક્ષાર્થીઓને મેડીકલ, પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે ક્વોલિફાય (લાયકાતપાત્ર) જાહેર કરવામાં આવ્યા છે.

નીટ ક્વોલિફિકેશન ગયા વર્ષ કરતા 5થી 9 માર્ક નીચું ગયું, કટ ઓફ મેરીટ પણ નીચું જશે

ગુજરાતમાં નીટથી પ્રવેશ મળે તેવી કુલ સીટો કરતા ત્રણ ગણા વધુ (42હજાર ઉપરાંત) ક્વોલિફાય થયા

ગુજરાત રાજ્યમાંથી કુલ 75 હજાર જેટલા વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષા આપી હતી. આ પૈકી ક્વોલિફાય થવાની નેશનલ એવરેજ 56 ટકા પ્રમાણે અંદાજ મૂકાય તો ગુજરાતમાંથી કુલ 42000 ઉપરાંત વિદ્યાર્થીઓ મેડીકલ, પેરામેડીકલ કોર્સ માટે ક્વોલિફાય થયા છે. ગુજરાતમાં મેડીકલની 5508 અને ડેન્ટલની 1255 આયુર્વેદિકની 2242 અને હોમિયોપેથી કોલેજોની કુલ 3710 સીટ મળીને નીટના સ્કોરથી પ્રવેશ મળે તેવી રાજ્યમાં કુલ સીટોની સંખ્યા 12715ની છે. આટલી સીટોની સામે નીટ ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 42000 ઉપરાંત છે. આમ ગુજરાતમાં જેટલી સીટો ઉપલબ્ધ છે તેના કરતા સવા ત્રણ ગણા વધુ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે.

છોકરાઓ કરતા 1.19 લાખ છોકરીઓ વધુ ક્વોલિફાય થઇ

છેલ્લા ત્રણ વર્ષથી ચાલી આવતો ગર્લ્સ (કન્યા) ઉમેદવારો હાવી રહેવાનો ટ્રેન્ડ આ વખતે પણ જારી રહ્યો છે. આ વર્ષે પણ નીટ ક્વોલીફાઇ કરનારા બોયઝની સંખ્યા કરતા ગર્લ્સની સંખ્યા 1.19 લાખ વધારે છે.

n all, 8,70,074 (56.34%) of the 15,44,275 candidates who appeared for the test qualified. In continuation of the trend in the past, the number of female candidates who qualified is 1.19 lakh higher than male candidates.

Reported @ 10pm 1/11/2021

ગત 12 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી મેડીકલ પેરામેડિકલ કોર્સમાં સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ, નીટ 2021નું પરીણામ નેશનલ ટેસ્ટીંગ એજન્સી(એનટીએ)એ તા.1લી નવેમ્બર 2021ના રોજ જાહેર કરી દીધું હતું. પરીણામના થોડા કલાકો સુધી ફક્ત ઇમેલથી જ પરીણામ મેળવી શકાયાના અહેવાલો મળ્યા હતા, બાદમાં નીટની પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા તમામ વિદ્યાર્થી ઉમેદવારો નીટની સત્તાવાર વેબસાઇટ ઉપર પોતાનું રિઝલ્ટ જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. 

જો કે એનટીએ દ્વારા તમામ ઉમેદવારોને તેઓના રજિસટર્ડ ઇ-મેઇલ ઉપર પરિણામ મોકલી આપવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે એનટીએએ તમામ ઉમેદવારોને વ્યક્તિગત ધોરણે રિઝલ્ટ મોકલી આપીને સૌને ચોંકાવી દીધા હતા.

November 1, 2021
indian-flag.png
1min467

 ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે OTPની જરુર

ગેસ સિલિન્ડર બુક કરવાની પદ્ધતિ પણ આવતા મહિને એટલે કે 1લી નવેમ્બરથી બદલાશે. નવા નિયમ અનુસાર ગેસ બુકિંગ માટે ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. ગેસ સિલિન્ડર ઘરે પહોંચાડનાર ડિલિવરી બોયને આ OTP જણાવવો પડશે. નવા સિલિન્ડરની ડિલિવરી પોલિસી હેઠળ ખોટા એડ્રેસ અને મોબાઈલ નંબર આપનાર ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

BOB બેંક ઓફ બરોડાના ગ્રાહકોએ આપવો પડશે વધુ ચાર્જ

જો તમે બેંક ઓફ બરોડાના ગ્રાહક છો તો તમારી પાસેથી 1લી નવેમ્બરથી વિશેષ ચાર્જ લેવામાં આવશે. આવતા મહિનાથી, તમારે બેંકમાં પૈસા જમા કરવા અથવા ઉપાડવા માટે ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ મર્યાદાથી વધુ રકમ ઉપાડવા અથવા જમા કરાવવા પર લાગુ થશે. ગ્રાહકો 3 વખત સુધી ફ્રીમાં પૈસા જમા કરાવી શકશે, પરંતુ તે પછી તેમણે 40 રૂપિયા ચૂકવવા પડશે. તેમજ આ નિયમ જનધન ખાતા ધારકો પર લાગુ થશે નહીં. આ સિવાય પૈસા ઉપાડવા પર 100 રૂપિયા આપવા પડશે.

ટ્રેનોના ટાઈમ ટેબલમાં થશે મોટો ફેરફાર

ભારતીય રેલ્વેએ 1લી નવેમ્બરથી દેશભરની ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફાર કરવાનો નિર્ણય હકીકતમાં પહેલા જ કરી લેવામાં આવ્યો હતો. અગાઉ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 1 ઓક્ટોબરથી દેશભરની ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવશે, પરંતુ બાદમાં તેને વધારીને 1 નવેમ્બર કરવામાં આવ્યો હતો. લગભગ 13 હજાર પેસેન્જર ટ્રેનો અને 7 હજાર ગુડ્સ ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં દેશની લગભગ 30 રાજધાની ટ્રેનોના સમયમાં પણ ફેરફાર થશે.

November 1, 2021
t20_world.jpg
1min580

પહેલા પાકિસ્તાન અને હવે ન્યૂઝીલેન્ડ સામે હારીને વિરાટ કોહલીની ટીમ ICC T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાની સ્થિતિ પર પહોંચી ગઈ છે. પહેલી મેચમાં ભારતીય ટીમ 10 વિકેટથી હારી હતી, ન્યૂઝીલેન્ડ સામે જીતની આશા હતી પરંતુ તેમા પણ આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ટીમના કેપ્ટન કોહલીની કેપ્ટનશિપ પર સવાલ ઉઠ્યા છે.

બંને મેચમાં હારથી વિરાટ કોહલી દુઃખી છે. વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘આ અજીબ છે. મને નથી લાગતું કે અમે બેટિંગ અથવા બોલિંગથી અમારું સાહસ દેખાડી શક્યા. અમે વધારે રન નહોતા બનાવ્યા પરંતુ તેને બચાવવા માટે પણ સાહસની સાથે મેદાનમાં ઉતર્યા નહોતા’.

કોહલીએ આગળ કહ્યું હતું કે ‘જ્યારે તમે ભારતીય ક્રિકટ ટીમ સાથે રમો છો ત્યારે માત્ર ફેન્સ નહીં પરંતુ બાકીના પ્લેયર્સની પણ ઘણી અપેક્ષાઓ હોય છે. અપેક્ષા હંમેશા રહેશે અને આટલા વર્ષોથી અમે તેનો સામનો કરતા આવ્યા છીએ. ભારત માટે રમતા દરેક ખેલાડીને તેનો સામનો કરવો પડે છે’.

‘જ્યારે તમે એક ટીમ તરીકે રમો છો ત્યારે અપેક્ષાનું દબાણ નથી પડતું પરંતુ છેલ્લી બે મેચમાં અમે તેમ કરી શક્યા નહીં’, તેમ કોહલીએ ઉમેર્યું હતું. આ ટુર્નામેન્ટ બાદ ટી-20 ટીમની કેપ્ટનશિપ છોડી રહેલા કોહલીએ કહ્યું હતું કે ‘તમે ભારતીય ટીમ છો અને તમારા પાસેથી અપેક્ષા છે એટલે તમે એલગ રીતે ન રમી શકો. અમે ઠીક છીએ અને હજી આગળ ઘણી ક્રિકેટ મેચ રમવાની છે’.

October 31, 2021
kutchh.jpg
1min473

ગુજરાતના કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેર નજીક એક ગામમાં એક મંદિરમાં પ્રવેશવાની બાબતે દલિત પરિવારના છ લોકોને 20 જેટલા લોકોએ ઢોર માર માર્યો હોવાની ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. પોલીસે શુક્રવારે આ ઘટના અંગે માહિતી આપી હતી. પોલીસ નાયબ અધિક્ષક કિશોરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે કથિત બનાવ મંગળવાર (26/10/21)ના ભચાઉ સ્ટેશનની હદના નેરગામમાં બન્યો હતો, પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.

પોલીસ નયાબ અધિક્ષકના જણાવ્યા મુજબ આ બાબતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ગોવિંદ વાઘેલા અને તેના પિતા જગભાઈ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બન્નેએ દાવો કર્યો છે કે લગભગ 20 જેટલા લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. આરોપીઓને પકડવા માટે આઠ જુદી જુદી ટીમની રચના કરવામાં આવી હોવાનું પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

કાના આહીર, રાજેશ મહારાજ, કેસરા રબાઈ, પાબા રબારી અને કાના કોળી સહિત 20 જેટલા શખ્સોના ટોળા વિરુદ્ધ હત્યાના પ્રયાસ, લૂંટ, મારપીટ અને એસસી/એસટી કાયદા સંલગ્ન કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

એફઆઈઆર મુજબ ફરિયાદી ગોવિંદ વાઘેલા અને તેનો પરિવાર 20 ઓક્ટોબરના નેરગામના રામ મંદિરમાં પૂજા કરવા ગયો હતો જેનાથી આરોપીઓએ તેમને અપમાનજનક શબ્દો કહી મારપીટ કરી હતી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી તેઓ દર્શન કરવા ગયા હતા. 26 ઓક્ટોબરના ગોવિંદ તેની દુકાને હતો ત્યારે કેટલાક લોકોએ તેના ખેતરમાં ઢોર છોડી દીધા હતા અને ઉભા પાકને નષ્ટ કર્યો હતો. 

જ્યારે ફરિયાદી અને તેના કાકા ગણેશ વાઘેલા ખેતરમાં પહોંચ્યા ત્યારે આરોપીઓએ તેમના પર પાઈપ, લાકડીઓ તેમજ ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો. આરોપીઓએ એક મોબાઈલ ફોન પણ ચોરી લીધો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ઉપરાંત ફરિયાદીની રિક્ષાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. 

આરોપીઓએ ફરિયાદીની માતા, મોટાબહેન, પિતા જગભાઈ અને અન્ય બે સંબંધીઓ ઉપર પણ હુમલો કર્યો હતો. હુમલામાં છ લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

October 31, 2021
t20_world.jpg
1min1049

ક્રિકેટના ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતે સેમિ-ફાઈનલમાં પ્રવેશવું હોય તો ન્યૂ ઝીલેન્ડ સામે ૩૧ ઑક્ટોબર, રવિવારે રાતે ૭-૩૦ વાગ્યે રમાનારી મૅચમાં જીત મેળવવી જરૂરી છે. ન્યૂ ઝીલેન્ડ સામેની આ મૅચ મહત્ત્વની છે અને તે ભારત માટે ‘કરો યા મરો’નો જંગ કહી શકાય. હાલમાં સ્થિતિ એવી છે કે ભારત સેમિ-ફાઈનલમાં પહોંચશે કે કેમ એ અંગે પણ સવાલ થઇ રહ્યો છે. ભારતે ન્યૂ ઝીલેન્ડ સામેની મૅચ મોટા રન રૅટથી અને ભારે તફાવતથી જીતવી જરૂરી છે. સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) અને ઓમાનમાં રમાઈ રહેલા ટી-૨૦ વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે શરમજનક હાર પછી ટીમ ઈન્ડિયા હવે ન્યૂ ઝીલેન્ડ સામેની મૅચ જીતવા કમર-કસશે. રવિવારે આયોજિત આ મેચ વિરાટસેનાની વર્લ્ડકપમાંની આગળની સફર નક્કી કરશે. કોહલી ઍન્ડ કંપનીને સેમિ-ફાઇનલમાં પહોંચવા માટે હવે પછીની દરેક મેચ જીતવી જ પડશે અને જો તેમ નહિ થાય તો તેણે અન્ય અગ્રણી ટીમના સંભવિત પરાજયની રાહ જોવી પડશે.

ભારતની ત્રીજી નવેમ્બરે આબુધાબીમાં અફઘાનિસ્તાનની સામે મૅચ છે. તે પછી પાંચમી નવેમ્બરે દુબઇમાં ‘બી-૧’ ટીમ સામે અને આઠમી નવેમ્બરે દુબઇમાં ‘એ-ટૂ’ ટીમ સામે મૅચ છે. ભારતની બધી મૅચ રાતે ૭-૩૦ વાગ્યે રમાવાની છે.

ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડકપથી લઈને આ વર્ષે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ સુધીની ઈવેન્ટ્સની કુલ ૭ મૅચ રમાઈ હતી. જેમાંથી ન્યૂ ઝીલેન્ડની ટીમ ૬ મેચ જીતી હતી, જ્યારે એક મૅચમાં વરસાદના કારણે કોઈ પણ પ્રકારનો નિર્ણય નહોતો થયો.
ટી-૨૦ વર્લ્ડકપમાં ભારત બે વખત ન્યૂ ઝીલેન્ડ સામે ટકરાયું હતું અને આ બન્ને મેચમાં ન્યૂ ઝીલેન્ડની ટીમ જીતી હતી. ન્યૂ ઝીલેન્ડે ૨૦૦૭માં ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતને ૧૦ રન અને ૨૦૧૬ના ટી-૨૦ વર્લ્ડકપમાં ૪૭ રનથી હરાવ્યું હતું.

ભારતે ૨૦૦૩ વર્લ્ડકપમાં ન્યૂ ઝીલેન્ડને હરાવ્યું હતું. ભારતે આ મૅચ સાત વિકેટે જીતી લીધી હતી. ૨૦૧૯ વર્લ્ડકપની સેમિ-ફાઇનલમાં ન્યૂ ઝીલેન્ડની ટીમે ભારતને હરાવ્યું અને વિશ્ર્વકપ જીતવાનું દેશનું સ્વપ્ન તોડી નાખ્યું હતું. વરસાદને કારણે બે દિવસ સુધી રમાયેલી સેમિ-ફાઇનલ મૅચમાં ભારતને ૧૮ રને હરાવ્યું હતું. ન્યૂ ઝીલેન્ડની ટીમે આ વર્ષે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પણ ૮ વિકેટથી ભારતને હરાવ્યું હતું. 

ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે ટી-૨૦ ક્રિકેટમાં કુલ ૧૬ મેચ રમાઈ હતી અને તેમાં પણ કિવી ટીમ સૌથી વધુ ૮ મેચ જીતવામાં સફળ રહી હતી, જ્યારે ભારત માત્ર ૬ મેચ જીતી શક્યું હતું અને ૨ મૅચ ટાઈ રહી હતી.

વર્લ્ડકપની શરૂઆતમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીતવા માટે દાવેદાર ગણવામાં આવતી હતી. ક્રિકેટના ચાહકોને આશા હતી કે વિરાટસેના પાકિસ્તાન વિરુદ્ધની પહેલી મૅચમાં જીત મેળવીને વર્લ્ડ કપની શરૂઆત વિજય સાથે કરશે, પરંતુ કરોડો ક્રિકેટ-રસિયાઓની આશા પર ૨૪ ઑક્ટોબરે પાણી ફરી વળ્યું હતું. પાકિસ્તાન સામે ભારતનો કારમો પરાજય થયો હતો.
ભારતની ટીમ હાલમાં આકરી પ્રેક્ટિસ કરી રહી છે.

ન્યૂ ઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી મૅચ માટેની ભારતીય ટીમમાં વધુ અનુભવી બૉલરને સ્થાન મળવાની શક્યતા છે.

ભારતની ટીમ: 
વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા, કે. એલ. રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિ.કી.), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્ર્વરકુમાર, મોહમ્મદ શામી, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, શાર્દૂલ ઠાકુર, રવીચંદ્રન અશ્ર્વિન, ઈશાન કિસાન, રાહુલ ચહર. 

ન્યૂ ઝીલૅન્ડની ટીમ: 
કૅન વિલિયમ્સન (કૅપ્ટન), માર્ટિન ગપ્ટીલ, ડૅરીલ મિશૅલ, ડૅવોન કૉન્વે, ટીમ સૅફર્ટ (વિ.કી.), જૅમ્સ નૅશામ, ગ્લૅન ફિલિપ્સ, મિશૅલ સન્તનર, ઈશ સોઢી, ટ્રૅન્ટ બૉલ્ટ, ટીમ સઉધી, માર્ક ચૅપમૅન, આદમ મિલ્ને, કાયલે જૅમીસન, ટૉડ ઍસ્લે. 

October 30, 2021
cia_multi-1280x1045.jpg
6min953

એક સોલાર તોફાન geomagnetic storm ખૂબ જ ઝડપથી અંતરીક્ષમાંથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. આ તોફાન આગામી થોડા કલાકોમાં પૃથ્વીના વાતાવરણ સાથે અથડાશે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ તોફાન સૂર્યની સપાટી પર વિસ્ફોટ બાદ પેદા થયું છે અને તેની ઝડપ ખૂબ જ તેજ છે. વૈજ્ઞાનિકોના મતે આ તોફાનથી સેટેલાઈટ સિગ્નલ્સમાં અડચણ આવી શકે છે. આ કારણે વિમાનોની ઉડાન, રેડિયો સિગ્નલ, કોમ્યુનિકેશન અને હવામાન પર પણ તેની અસર જોવા મળી શકે છે. 

What is a solar flare? Warning as geomagnetic storm forecast to hit Earth  today - Daily Star

નિષ્ણાંતોના મતે આ સૌર તોફાનની સ્પીડ 1,260 કિમી પ્રતિ સેકન્ડની છે. વૈજ્ઞાનિકોના મતે આ સૌર તોફાન શનિવારે તા.30 ઓક્ટોબર 2021 કે રવિવારે તા.31મી ઓક્ટોબરે કોઈ પણ સમયે પૃથ્વી સાથે અથડાઈ શકે છે. તોફાન ધરતી પર પહોંચે તે પહેલા જ અમેરિકાના એક હિસ્સામાં કામચલાઉ રીતે રેડિયો સિગ્નલ બ્લેકઆઉટ થઈ ગયા છે. 

આ સૌર તોફાન તેમની રીતના સૌથી શક્તિશાળી x1-ક્લાસ Solar Flair તરીકે ઓળખાય છે. નાસાના અધિકારીઓેએ તેને મહત્વપૂર્ણ સોલર ફ્લેયર ઠેરવ્યું છે. આ સૌર તોફાનને અંતરિક્ષ એજન્સીના સોલાર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીના રિયલ ટાઈમ વીડિયોમાં પણ કેપ્ચર કરવામાં આવ્યું છે. 

સોલાર ફ્લેયરની સૌથી શક્તિશાળી શ્રેણી એક્સ ક્લાસ તરીકે ઓળખાય છે. ત્યાર બાદ તાકાતના ઘટતા ક્રમમાં તે એમ, સી, બી અને એ ક્લાસના નામથી ઓળખાય છે. આ સૌર તોફાનના કારણે 30 ઓક્ટોબરના રોજ અમેરિકામાં ઉજવાતા હેલોવીન તહેવારને અસર પડી શકે છે. 

In English

A geomagnetic storm is set to hit Earth on Saturday after the Sun blasted out millions of tons of ionised gas from one of five sun-spot clusters late on Thursday and may affect GPS signals, satellites and the electricity grid. The solar storm could also touch off geomagnetic activity that could make the Northern Lights visible as far south as the Hudson Valley New York.

The Solar Dynamics Observatory of the National Aeronautics and Space Administration (Nasa) captured a “significant solar flare” erupting from the Sun. The US space agency said on Friday that the Sun on Thursday emitted an X1-class flare. “POW! The sun just served up a powerful flare,” Nasa tweeted.

Nasa says X-class denotes the most intense flares, while the number provides more information about its strength—an X2 is twice as intense as an X1, an X3 is three times as intense, etc.

When the solar flare— powerful bursts of radiation—erupted on Thursday, it caused a strong radio blackout storm, which can disrupt some high-frequency radio broadcasts and low-frequency navigation.

Spaceweather.com reported that the flare originated from a sunspot called AR2887 currently positioned in the centre of the Sun and facing the Earth, based on its location.

The US Space Weather Prediction Center (SWPC) said the X1-class flare caused a temporary, yet strong radio blackout across the sunlit side of Earth-centered on South America.

William Murtagh, SWPC director, said that of the five sunspot clusters, those large magnetic storms that appear darker than the rest of the sun, only two are likely to cause the Earth any trouble. According to Nasa, the X1-flare is also likely to hit Earth’s magnetic field on Saturday.

The harmful radiation from a solar flare cannot pass through Earth’s atmosphere to affect humans but they can disturb the atmosphere in the layer where GPS and communications signals travel.

When these intense flares are aimed directly at Earth, they can also be accompanied by a massive eruption of solar particles, called a coronal mass ejection. The SWPC said that the impulsive X1-class flare on Thursday also “appeared to have coronal mass ejection related signatures”.

The wave of solar energy may also deliver a celestial show for sky-watchers in the Northern Hemisphere when it hits. However, for observers along the Eastern Seaboard the potential for weekend rain may dampen viewing opportunities.

When a wave of solar energy hits Earth’s magnetic field it will often create an aurora at the poles—in the Northern Hemisphere this is often called the Northern Lights and can appear as colourful ribbons in the sky or just flickering.

“We think the initial impact will happen during the daylight hours, so for aurora enthusiasts in the US, we are looking at overnight of the 30th into 31st for the best chance to see the aurora,” Murtagh was quoted as saying by Bloomberg.

The solar storm is rated as G3 on the five-step scale for ranking such events, lower than the level where power grid operators become concerned.