Slider Archives - Page 112 of 489 - CIA Live

November 6, 2021
sameer_vankhede.jpg
1min459

આર્યન ખાન ડ્રગ્સ કેસ મામલે સમીર વાનખેડે સામે એક બાદ એક મુશ્કેલીઓ સામે આવી રહી છે. અગાઉ એનસીપી નેતા નવાબ મલિક દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવતાં વાનખેડેને પોતાની જાતિ સહિતનાં પુરાવા આપવા પડ્યા હતા. આ ઉપરાંત એનસીબીના સાક્ષી દ્વારા એફિડેવિટ દાખલ કરી વાનખેડે સામે લાંચ માગવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હવે જાણકારી સામે આવી રહી છે કે, સમીર વાનખેડેને આર્યન ખાન ડ્રગ્સ કેસ સહિત અન્ય પાંચ કેસમાંથી હટાવી દેવામાં આવ્યા છે. અને હવે આ કેસોની તપાસ દિલ્હી એનસીબીની એસઆઈટી ટીમ કરશે.

મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ બાદ સમીર વાનખેડે ચર્ચામાં આવ્યા હતા. અને આ સમયગાળા દરમિયાન તેઓને અનેક વિવાદોનો સામનો પણ કરવો પડ્યો હતો. આર્યન ખાન કેસમાં કરોડોની લાંચ માગવાના કેસમાં તેમની સામે દિલ્હી એનસીબીની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સમીર વાનખેડેને હવે હટાવી દેવામાં આવ્યા છે. અને નવી ટીમ મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસની તપાસ કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે, આર્યન ખાન કેસમાં લાંચના આરોપ બાદ એનસીબી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. એનસીબીના વેસ્ટટર્ન ડેપ્યુટી ડીજી મુથા અશોક જૈને કહ્યું કે, અમારા ઝોનના કુલ 6 કેસની તપાસ હવે દિલ્હીની એનસીબી ટીમ દ્વારા કરવામાં આવશે, જેમાં આર્યન ખાન કેસ અને અન્ય 5 કેસ સામેલ છે.

સમીર વાનખેડે આ મામલે જણાવ્યું કે, મને તપાસમાંથી હટાવવામાં આવ્યો નતી. કોર્ટમાં મારી રિટ અરજી કરી હતી કે કેસની તપાસ કોઈ સેન્ટ્રલ એજન્સી પાસેથી કરાવવામાં આવે. એટલા માટે આર્યન ખાન કેસ અને સમીર ખાન કેસની તપાસ દિલ્હી એનસીબીની એસઆઈટી કરી રહી છે. આ દિલ્હી અને મુંબઈની એનસીબી ટીમ વચ્ચે એક સમન્વય છે.

November 4, 2021
modi.png
1min450

આ વખતે 2021 પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. તે જમ્મુ-કાશ્મીરના નૌશેરા પહોંચી ગયા છે. PMએ નૌશેરામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી. તેઓ આજે સવારે જ જમ્મુ પહોંચી ગયા હતા. ત્યાંથી તેઓ રાજૌરી જવા રવાના થયા હતા.

સૈનિકોને સંબોધતા પીએમએ કહ્યું કે તેઓ દરેક વખતે સૈનિકો સાથે દિવાળી ઉજવે છે કારણ કે દેશના સૈનિકો તેમનો પરિવાર છે. તેમણે લોકોને દિવાળી પર જવાનોની બહાદુરીને સમર્પિત દીવો પ્રગટાવવાની અપીલ કરી હતી.

પીએમ બન્યા પછી આ સતત 8મું વર્ષ છે જ્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ જવાનો સાથે દિવાળી મનાવી હોય. તેમજ પીએમ મોદી એવા સમયે નૌશેરા ત્યાં પહોંચી રહ્યા છે જ્યારે પુંછમાં આતંકી પ્રવૃતિઓ વધી ગઈ છે. આ દરમિયાન દિવાળીના દિવસે વડાપ્રધાન મોદીએ દેશના લોકોને પણ શુભેચ્છા પાઠવી છે.

વડાપ્રધાન મોદીએ આજે સવારે ટ્વિટ કર્યું છે કે, દિવાળીના શુભ અવસરે દેશના લોકોને હાર્દિક શુભેચ્છા. મારી શુભેચ્છા છે કે, આ પ્રકાશ પર્વ તમારા દરેકના જીવનમાં સુખ, સંપન્નતા અને સૌભાગ્ય લઈને આવે. દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 2019 પછી પીએમ મોદી આજે બીજી વખત રાજૌરી જઈ રહ્યા છે. બે વર્ષ પહેલાં પણ તેમણે આ ડિવિઝનના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે દરેક વ્યક્તિને દેશની સેવા કરવાનો લહાવો નથી મળતો. તેમણે કહ્યું કે આપણા જવાનો ‘મા ભારતી’નું રક્ષણાત્મક કવચ છે. સૈનિકોના કારણે જ આપણા દેશના લોકો રાત્રે શાંતિથી સૂઈ શકે છે અને તહેવારો મનાવી શકે છે.

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી દરેક દિવાળી સૈનિકો સાથે મનાવી છે. 2014માં સિયાચીન, 2015માં અમૃતસર, 2016માં ચીન સરહદે હિમાચલ, 2017માં જમ્મુ-કાશ્મીરમાં ગુરેઝ, 2018માં ઉત્તરાખંડમાં હર્ષિલ, 2019માં જમ્મુ-કાશ્મીરમાં રાજૌરી, 2020માં રાજસ્થાનમાં લોંગેવાલ અને આ વખતે તેમણે જમ્મુ અને કાશ્મીર. નૌશેરામાં દિવાળીની ઉજવણી કરી રહી છે.

November 4, 2021
petrol-diesel-1.jpg
1min650

કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલમાં ક્રમશઃ 5 અને 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ છ રાજ્યોને કહેવામા આવ્યું કે, તેઓ વેટના દરમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરે

પેટ્રોલ-ડીઝલના ભાવમાં જે રીતે વધારો થયો હતો એના કારણે લોકોનું બજેટ ખોરવાયું હતું. દિવાળીના એક દિવસ પહેલાં કેન્દ્ર સરકારે આ ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યોને પણ આ મામલે અપીલ કરી હતી. તેઓએ લખ્યું કે, હવે રાજ્ય સરકારોએ પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરીને તહેવારની સિઝનમાં લોકોની મદદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એ પછી રાજ્યોએ પણ પગલા લેવાનું શરૂ કરી દીધું.

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પેટ્રોલ અને ડિઝલ પર વેટ (VAT) પર તાત્કાલિક અસરથી 7 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી છે. જ્યારે ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવે 4 નવેમ્બર (ગુરૂવાર)થી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પણ ટ્વિટ કરીને ઘટાડાની જાહેરાત કરી છે. તેમણે લખ્યું છે કે, પર્વતીય રાજ્ય હિમાચલમાં ટ્રાન્સપોર્ટના સાધન પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભર છે, તેવામાં જનતાને તેનો સીધો ફાયદો થશે. પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ (વેટ) ઓછો કરવા અંગે પ્રદેશ સરકાર ટૂંક સમયમાં સૂચના જાહેર કરશે.

ભાજપ શાસિત Gujarat, કર્ણાટક અને ગોવાની સરકારોએ પણ પોત-પોતાના રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ રાજ્યમાં પેટ્રોલ પર વેટના દરમાં પ્રતિલિટર 2 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

November 4, 2021
rahul-dravid.jpg
1min461

પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બનાવવામાં આવ્યા છે. બીસીસીઆઈએ ટ્વિટર પર આ અંગે પુષ્ટિ કરી છે. સુલક્ષણા નાઈક અને આરપી સિંહની ક્રિકેટ સલાહકાર સમિતિએ બુધવારે સર્વાનુમતે રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. ભારતના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ ન્યૂઝીલેન્ડ સામે 17 નવેમ્બરથી શરૂ થઈ રહેલી સીરિઝથી પોતાનો કાર્યભાર સંભાળશે. ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન હેડ કોચ રવિ શાસ્ત્રી ટી20 વર્લ્ડ કપ પછી પોતાની જવાબદારીમાંથી મુક્ત થશે.

બોર્ડે રવિ શાસ્ત્રીના સ્થાને નવા હેડ કોચને શોધવા 26 ઓક્ટોબર સુધીમાં અરજીઓ મંગાવી હતી. બોર્ડે જણાવ્યું હતું કે હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૂણ, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર અને બેટિંગ કોચ રવિ શાસ્ત્રીને તેમના સફળ કાર્યકાળ બદલ આભિનંદન આપ્યા હતા. શાસ્ત્રીના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટમાં નંબર વન બની હતી અને ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ફાઈનલમાં પહોંચી હતી.

રાહુલ દ્રવિડ ભારતીય હેડ કોચ બનવાની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા હતા. અગાઉ આઈપીએલ ટૂર્નામેન્ટમાં બોર્ડના ટોચના હોદ્દેદારો સાથે પણ દ્રવિડે ચર્ચા કરી હતી અને ત્યારે જ તેને હેડ કોચ બનાવવા માટે મનાવી લેવાયા હતા.  

November 4, 2021
ambanihome.jpg
1min555

મુકેશ અંબાણીનો પરિવાર ઇંગ્લૅન્ડમાં બકિંગહૅમશાયરના સ્ટોક પાર્કમાંના નવા ઘરમાં દિવાળી ઊજવી રહ્યો છે : ભવિષ્યમાં તેઓ થોડો સમય મુંબઈમાં અને બાકીનો સમય લંડનના સેકન્ડ હોમમાં વિતાવે એવી પૂરેપૂરી શક્યતા છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ભવિષ્યમાં તેમનો સમય લંડન અને મુંબઈ વચ્ચે વહેંચી શકે છે એવું સૂત્રો પાસેથી ‘મિડ-ડે’ને જાણવા મળ્યું છે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે અંબાણી પરિવારે આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લૅન્ડમાં બકિંગહૅમશાયરના સ્ટોક પાર્કમાં ૫૯૨ કરોડ રૂપિયામાં ૩૦૦ એકરની જમીનમાં કન્ટ્રી ક્લબ ખરીદ્યું છે, જે ભવિષ્યમાં અંબાણી પરિવારનું મુખ્ય રહેઠાણ બનશે. ભવિષ્યમાં અંબાણી પરિવાર અડધો સમય લંડનના આ ૪૯ બેડરૂમના વૈભવી ઘરમાં અને બાકી અડધો સમય મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પરની ગગનચુંબી ઇમારત ઍન્ટિલિયામાં વિતાવશે.

સૂત્રો કહે છે કે લંડનની પ્રૉપર્ટીમાં અત્યાધુનિક મેડિકલ સુવિધા પણ ઊભી કરી દેવામાં આવી છે. ૪,૦૦,૦૦૦ ચોરસફુટના ઍન્ટિલિયામાં કોરોનાકાળ દરમ્યાન થયેલા અનુભવ બાદ અંબાણી પરિવારને બીજા ઘરની જરૂર જણાઈ હતી. લૉકડાઉન દરમિયાન પરિવારે જામનગરમાં પણ ઘણો સમય વિતાવ્યો હતો, જ્યાં તેમના ગ્રુપની રિફાઇનરી છે. આ રિફાઇનરી દુનિયાની સૌથી મોટી રિફાઇનરી પણ છે.

સૂત્રો જણાવે છે કે તેમને ચોતરફ ખુલ્લી જગ્યા હોય એવી પ્રૉપર્ટીની શોધ હતી. મુંબઈમાં છે એવી ઊંચી ઇમારતની નહીં. ગયા વરસથી જ નવા ઘરની શોધ શરૂ થઈ ગઈ હતી. સ્ટોક પાર્કનો સોદો પાર પડતાં જ ત્યાં પરિવારની જરૂર પ્રમાણે સજાવવાનું કામ ઑગસ્ટ મહિનાથી શરૂ થઈ ગયું હતું.

November 4, 2021
covaxin.jpg
1min372

વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશન (હૂ)એ ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમરજન્સી યુઝ લિસ્ટિંગ (ઈયુએલ)નો દરજ્જો આપ્યો હતો. 

સૂત્રોના જણાવ્યાનુસાર વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશનના ટૅક્નિકલ ઍડવાઈઝરી ગ્રૂપ ‘ટૅગ’એ કોવેક્સિનને ‘ઈયુએલ’નો દરજ્જો આપવાની ભલામણ કરી હતી. 

કોવેક્સિનને ઈયુએલનો દરજ્જો આપવા વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ કોવેક્સિનના ક્લિનિકલ ટ્રાયલના આંકડાઓનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા આરંભી છે. કોવેક્સિનને ‘ઈયુએલ’નો દરજ્જો આપવા ‘ટૅગ’એ ૨૬ ઑક્ટોબરે કંપની પાસે વધારાની સ્પષ્ટતા માગી હતી.

‘ઈયુએલ’ પ્રક્રિયા હેઠળની કોરોનાની વૅક્સિનને તાકીદના ઉપયોગ માટે લઈ શકાય કે નહીં તે માટે ભલામણ કરતી ‘ટૅગ’ સ્વતંત્ર સલાહકાર સમિતિ છે. 

કોવેક્સિનની કોરોનાના દરદી પર અસરકારકતા ૭૭.૮ ટકા અને કોરોનાના નવા વૅરિયન્ટ સામે રક્ષણ આપવાની અસરકારકતા ૬૫.૨ ટકા હોવાનું જણાઈ આવ્યું હતું.

November 4, 2021
Electric-Vehicle-Charging-Station.jpg
1min441

દેશની સૌથી મોટી કંપની ઇન્ડિયન ઓઇલના ચેરમેન શ્રીકાંત વૈદ્યે બુધવારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે  કંપની ઇલેક્ટ્રિક વાહનો માટે આગામી ત્રણ વર્ષમાં ૧૦,૦૦૦ ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરશે. 

દુનિયામાં ભારત કાર્બનઉત્સર્જન કરનારો ત્રીજો મોટો દેશ છે. ૨૦૭૦માં આ ઉત્સર્જન નેટ જીરો સુધી પહોંચે એવી વડાપ્રધાને સોમવારે અપીલ કરી હતી. 

આજે પેટ્રોલ અને ડીઝલ જ ભારતના વાહનોમાં ઇંધણ તરીકે મહત્ત્વનો ભાગ ભજવે છે ત્યારે ભવિષ્યમાં વાહન ઉત્પાદકોને  ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન કરવા અંગે  વિશ્ર્વાસ બેસે એ રીતનું માળખું કંપની તૈયાર કરી રહી છે. 

દેશમાં ઇંધણની જરૂરિયાત વધતી જાય છે અને તેને પહોંચી વળવા બધી જ જાતના ઇંધણો વિકસાવવા પડશે. કંપની દરેક ૨૫ કિમી.ના અંતરે ૫૦ કિલોવૉટ અને ૧૦૦ કિમી.ના અંતરે ૧૦૦ કિલોવૉટની ક્ષમતાવાળા ચાર્જિંગ સ્ટેશન ઊભા કરશે. હાલના પેટ્રોલ પંપ પર આ સ્ટેશનો તો ઊભા કરાશે જ ઉપરાંત નવા સ્ટેશનો પણ ઊભા કરાશે. 

હાલમાં ૨૮ કરોડ વાહનો દેશમાં દોડી રહ્યા છે અને દર વર્ષે ૨.૫ કરોડ વાહનો ઉમેરાતા જાય છે જેથી પેટ્રોલ-ડીઝલની માગ પણ વધતી જાય છે. 

ઇલેક્ટ્રિેક વાહનો હજી ઘણા ઓછા વપરાય છે. આવા વાહનોમાં ટુ-વ્હીલરનું પ્રમાણ ૧ ટકો, ફોર-વહીલરનું પ્રમાણ ૦.૨ ટકા અને થ્રી વ્હીલરનું પ્રમાણ ૨૫ ટકા જેટલું છે. 

વૈદ્યે વધુમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ સોમવારે જે જાહેરાત કરી છે એ દિશામાં આગળ વધતી  કંપનીનું આ પ્રથમ પગલું છે. આ કાર્ય માટે  વાહન ઉત્પાદકો અને વીજળી સપ્લાય કરતી કંપનીઓ સાથે પણ ચર્ચાવિચારણા કરતી રહેશે.       

November 3, 2021
cia_multi-1280x1045.jpg
1min1287

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નીટ 2021 પરીક્ષાનું પરીણામ જાહેર થયા બાદ ટૂંક સમયમાં જ ગુજરાતમાં મેડીકલ, પેરામેડીકલ, આયુર્વેદિક અને હોમીયોપેથી કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થશે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અન્ડર ગ્રેજ્યુએટ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડીકલ એજ્યુકેશન કોર્સીસ દ્વારા ધો.12 પછી મેડીકલ પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ લેવાની ઇચ્છા રાખનારા વિદ્યાર્થીઓએ કયા ડોક્યુમેન્ટસ હાથવગા રાખવા પડશે તેની વિગતો પ્રકાશિત કરી છે.

એક મહત્વના મુદ્દા બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે ડોમિસાઇલ સર્ટિફિકેટ ફક્ત ગુજરાત બહાર જન્મેલા વિદ્યાર્થીઓ માટે જ ફરજિયાત છે. જેમનો જન્મ ગુજરાતમાં થયો છે એવા વિદ્યાર્થીઓએ ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવાની કોઇ જ જરૂરીયાત નથી. હાલમાં દરેક વિદ્યાર્થીઓ ડોમિસાઇલ કઢાવવા માટે ધક્કા ખાય રહ્યા છે. તેમણે આ બાબત ધ્યાનમાં લેવી.

નીચે પ્રમાણેના ડોક્યુમેન્ટ મેડીકલ પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓએ હાથવગા રાખવા.

November 3, 2021
cia_gst.jpg
1min373

ભારતીય અર્થવ્યવસ્થામાં રિકવરીના સંકેત સતત સ્પષ્ટ થઈ રહ્યા છે. ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન રૂ. 1.3 લાખ કરોડને વટાવી ગયું છે. GST લાગુ થયા પછી એક મહિનામાં નોંધાયેલો આ બીજો સૌથી વધુ કલેક્શન છે. GST કલેક્શન પાછલા મહિના કરતાં 24 ટકા અને વર્ષ 2019-20 દરમિયાન ઓક્ટોબર કલેક્શન કરતાં 36 ટકા વધુ છે. આ સતત ચોથો મહિનો છે જ્યારે જીએસટી કલેક્શન રૂ. 1 લાખ કરોડથી વધુ રહ્યું છે.

નાણા મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ઓક્ટોબર 2021માં GST કલેક્શન 1,30,127 કરોડ રૂપિયા રહ્યું છે. આમાં CGST રૂ. 23,861 કરોડ, SGST રૂ. 30,421 કરોડ, IGST રૂ. 67,361 કરોડ (માલની આયાત પર વસૂલાયેલા રૂ. 32,998 કરોડ સામેલ છે) અને રૂ. 8,484 કરોડ સેસ (સામાનની આયાત પર વસૂલાયેલા રૂ. 699 કરોડ સહિત)નો સમાવેશ થાય છે. સેટલમેન્ટ પછી ઓક્ટોબર માટે CGST 51171 કરોડ રૂપિયા અને SGST 52815 કરોડ રૂપિયા રહ્યું છે.

ઓક્ટોબરમાં GST કલેક્શન જીએસટી લાગુ થયા પછી બીજા નંબરનું સૌથી વધુ કલેક્શન છે. અગાઉ એપ્રિલ 2021માં સૌથી વધુ કલેક્શન નોંધાયું હતું. નાણા મંત્રાલયના નિવેદન અનુસાર, આ દર્શાવે છે કે સ્થાનિક અર્થવ્યવસ્થામાં સતત રિકવરી થઈ રહી છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો ચિપની અછતને કારણે ઓટો સેક્ટરના સપ્લાય પર અસર ન થઈ હોત તો કમાણી વધુ થઈ શકી હોત.

November 2, 2021
muhurat.jpg
1min627

દિવાળી પર શેરબજાર બંધ હોવા છતાં સાંજે એક કલાક ટ્રેડિંગ કરવામાં આવે છે. આ વખતે દિવાળીના દિવસે એનએસઇ અને બીએસઇમાં સાંજે 6.15થી 7.15 સુધી મુહૂર્ત ટ્રેડિંગના સોદા થશે. મુહૂર્ત ટ્રેડિંગની પ્રથા ઘણા વર્ષોથી ચાલી આવે છે. બીએસઇ પર 1957માં અને એનએસઇ પર 1992માં પ્રથમ વાર મુહૂર્ત ટ્રેડિંગ કરવામાં આવ્યું હતું.