CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 52 of 54 - CIA Live

June 4, 2018
neet1.jpg
1min15110

દેશભરમાં આવેલી મેડીકલ કોલેજાે તેમજ ડેન્ટલ કોલેજાેના પહેલા વર્ષમાં પ્રવેશ માટેની રાષ્ટ્રવ્યાપી એક માત્ર પ્રવેશ પરીક્ષા નીટ 2018નું પરીણામ આજે સીબીએસઇએ નિર્ધારિત સમયથી એક દિવસ વહેલા વેબસાઇટ પર ઘોષિત કરી દીધું હતું. નીટનું પરીણામ જાહેર થયાનું જાણતા જ સમગ્ર દેશમાંથી નીટ સીબીએસઇની વેબસાઇટ પર વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાનું પરીણામ જાણવા માટે મચી પડ્યા હતા અને તેને કારણે પરીણામ જાહેર થયાની ગણતરીની મિનિટોમાં જ સીબીએસઇની વેબસાઇટ ક્રેશ થઇ જવા પામી હતી.

વધુમાં નીટના સુરતના એકંદર પરીણામની વાત કરીએ તો ચાર વિદ્યાર્થીઓ નેશનલ ટોપ-100 વિદ્યાર્થીઓમાં સ્થાન પામ્યા છે જેમાં 15માં ક્રમે સાહિલ શાહ, 18માં ક્રમે તનુઝ પ્રેસવાલા, 40માં ક્રમે વિશ્વા જીનવાલા અને 61માં ક્રમે પાર્થ ધામેલિયાનો સમાવેશ થાય છે.

ઓવરઓલ કટઓફની વાત કરીએ તો આ વર્ષે જનરલ કેટેગરીમાં 119 જ્યારે બાકીની તમામ કેટેગરીમાં કટઓફ માર્ક 720માંથી 118-96 નિર્ધારિત કરાયા છે. જે નીચે મુજબના કોષ્ટક પરથી જાણી શકાય છે.

June 1, 2018
gseb.png
1min12570

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઇ તા.28મી મે ના રોજ જાહેર કરેયાલા ધો.10ના પરીણામમાં પરીક્ષકો એટલે કે ઉત્તરવહીઓ ચકાસવા ગયેલા શિક્ષકોએ મોટી સંખ્યા એટલે કે 40 હજાર જેટલી ભૂલો ગણિતના વિષયની ઉત્તરવહીઓની ચકાસણીમાં કરી હોવાની બાબત સપાટી પર આવતા બોર્ડના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. ધો.10ની ઉત્તરવહીઓમાં થયેલી આવી ભૂલો મોટા ભાગે પ્રશ્નોના ગુણોના સરવાળામાં થઇ હોવાનું જાણવા મળે છે.

પેપર તપાસવામાં વધતી જતી શિક્ષકોની ભૂલો ચિંતાનું કારણ છે. જ્યારે ફાઈનલ રિઝલ્ટ બનાવાય છે ત્યારે ડેટા એન્ટ્રી કરતી વખતે ક્રોસ ટોટલિંગ કરવામાં આવે છે. ગયા વર્ષે 10 માર્ક કે તેનાથી વધારે માર્કની 1,237 ભૂલો પકડાઈ હતી. પેપર તપાસવામાં ઉતાવળ અને ભૂલો કરનારા શિક્ષકો પાસેથી એક ભૂલના 50 રૂપિયા લેખે 6.67 લાખનો દંડ વસૂલાયો હતો.

માર્ચ 2018ની એસ.એસ.સી.ની પરીક્ષામાં ગણિત વિષયમાં 2.5 લાખ વિદ્યાર્થીઓ ફેઇલ થયા છે. બોર્ડ દ્વારા પરિણામનું રેન્ડમ ચેકિંગ તેમજ ડિટેઇલ્ડ વેરીફિકેશન કરવામાં આવતા એવી બાબત પરથી પરદો ઉઠ્યો કે પેપર તપાસનારા પરીક્ષકોએ મૂલ્યાંકન તેમજ ગુણોના સરવાળા કરવામાં ભારે દાટ વાળ્યો છે. જુદા જુદા પ્રશ્નોમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણોના સરવાળા કરવામાં ભારે ભૂલો કરી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10નું પેપર તપાસતાં પરીક્ષકોએ ગુણોના સરવાળામાં કરેલી 40,000 ભૂલો ડિટેઇલ્ડ વેરિફકેશનમાં બહાર આવી છે. અંદાજે 3,500 કેસ એવા છે જેમાં 10 માર્ક્સ કે તેનાથી વધારે માર્ક્સની ભૂલ પરીક્ષકોએ કરી છે. પરીક્ષકોએ કરેલી ભૂલો જો સુધારવામાં આવે તો હજારો વિદ્યાર્થીઓના પરિણામ પર તો અસર પડે જ પડે પણ બોર્ડના કુલ પરિણામ ફેરવાય તેમ છે.

બોર્ડના અધિકારીઓ નૈતિક રીતે સ્વીકારી રહ્યા છે કે પરીક્ષકો દ્વારા ઉત્તરવહીઓના મૂલ્યાંકનમાં રહેલી ભૂલોને જો સુધારવામાં ન આવે તો વિદ્યાર્થીઓ સાથે મોટો અન્યાય થયાનું લેખાશે.

આ વર્ષે યોજાયેલી એસએસસીની પરીક્ષામાં 11.02 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા અને તેમાંથી 2.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં ફેઇલ થયા છે. હવે રાજ્ય સરકાર નીતિ વિષયક નિર્ણય કરશે કે પરીક્ષકોએ કરેલી ભૂલનો સુધાર કેવી રીતે કરવો.

May 31, 2018
aone.jpeg
1min43714070

આજે જાહેર થયેલા ધો.12 કોમર્સના પરિણામો હાલ સમગ્ર શહેર જ નહીં રાજ્યમાં પણ ટોક ઓફ ધ ટાઉન ઇશ્યુ બન્યા છે. ગુજરાત બોર્ડ દ્વારા જ્યારથી સિટી ટોપ ટેન કે ડિસ્ટ્રીક્ટ ટોપ ટેન જાહેર કરવાની પ્રથા બંધ કરવામાં આવી ત્યારથી બેસ્ટ સ્કુલનો ક્રાઇટેરિયા, એ-વન ગ્રેડ ગેટર્સ એટલે કે એ-વન ગ્રેડ હાંસલ કરતા જે તે સ્કુલના વિદ્યાર્થીઓની સંખ્યા બની ગયો છે.

આજે તા.31મી મે 2018ના દિવસે ગુજરાત બોર્ડનું ધો.12 સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર થયું. પરિણામમાં સૌથી મહત્વના ફેક્ટર ગણાતા એ-વન ગ્રેડ ગેટર્સની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં કુલ 451 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ હાંસલ કર્યો છે. આ પૈકી ત્રીજા ભાગના એટલે કે 143 એ-વન ગ્રેડ એકલા સુરતના વિદ્યાર્થીઓએ જ હાંસલ કરી લીધા છે.

સુરત શહેર અને જિલ્લામાં 143 પૈકી કેટલા એ-વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ કઇ સ્કુલના છે એની મહત્તમ માહિતી સૌથી પહેલા આપવાનો પ્રયાસ સી.આઇ.એ. કરી રહ્યું છે. અત્રે પ્રસ્તુત છે 12.30 વાગ્યા સુધીમાં ટેલી થયેલા સુરત શહેર જિલ્લાના એ-વન ગ્રેડ ગેટર્સ વિદ્યાર્થીઓની સ્કુલ વાર સંખ્યા

આશાદીપ વિદ્યાલય-1            16

આશાદીપ વિદ્યાલય-2           03

આશાદીપ  વિદ્યાલય-3          03

આશાદીપ વિદ્યાલય-4           03

ભૂલકા ભવન શાળા                09

પી.પી. સવાણી હીરાબાગ      08

લુડ્ઝ કોન્વેન્ટ સ્કુલ                07

ટેકરાવાળા ઉ.મા.શાળા        05

લીલાબા કન્યા વિદ્યાલય        05

વીએનગોધાણી કન્યાશાળા  03

અંકુર વિદ્યાવિહાર                 02

સ્વામી નારાયણ ગુરુકુળ       02

સરસ્વતી  વિદ્યાલય               02

આ ઉપરાંત એક એક એ-વન ગ્રેડર સ્ટુડન્ટ ધરાવતી શાળાઓમાં ડી.આર. રાણા વિદ્યાસંકુલ, ડી.આર. ઉમરીગર મેમોરીયલ, એચ.એમ.બી. સરદાર ઇંગ્લિશ સ્કુલ, રૂ.સી.મા.પૂણાવાળા એક્સપેરિમેન્ટલ સ્કુલ, સંસ્કારદીપ શાળા-મોટા વરાછા, માધવબાગ વિદ્યાભવનનો સમાવેશ થાય છે. 2.30 વાગ્યા સુધીમાં અમે 143 પૈકી 72 એ-વન ગ્રેડર્સનો શોધી શક્યા છીએ.

 

May 31, 2018
language.jpg
1min16340

આજે જાહેર થયેલા ધો.12 કોમર્સના પરીણામો પર નજર કરીએ તો ગુજરાતી વિદ્યાર્થીઓ ખાસ કરીને ગુજરાતી માધ્યમની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી ધો.12 કોમર્સ ભણીને બોર્ડની માર્ચ 2018ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓનું આજે જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે એક વિકનેસ (નબળાઇ) પણ સપાટી પર આવી. ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓની એ વિકનેસ હતી ઇંગ્લિશ.

ગુજરાતી માધ્યમની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઇંગ્લિશ વિષયને સેકન્ડ લેંગ્વેજ તરીકે ભણાવવામાં આવે છે અને ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી વિષયવાર પરીક્ષાઓના પરીણામમાં સૌથી ઓછું પરીણામ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ કે જે ગુજરાતી માધ્યમની શાળાઓમાં જ ભણાવવામાં આવે છે. ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનું પરીણામ અન્ય તમામ વિષયો કરતા ઓછું 64.53 ટકા આવ્યું છે. ગુજરાતી માધ્યમની ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી પરીક્ષા આપનારા કુલ 4.03 લાખ વિદ્યાર્થીઓ પૈકી 1.43 લાખ વિદ્યાર્થીઓ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં નાપાસ થયા છે.

ગુજરાત બોર્ડની જ ઇંગ્લિશ મિડીયમની સ્કુલ્સ કે જ્યાં ઇંગ્લિશ વિષય ફર્સ્ટ લેંગ્વેજ તરીકે ભણાવવામાં આવે છે. આ વિષયનું પરીણામ 94.25 ટકા જેટલું તોતિંગ આવ્યું છે.

ઇંગ્લિશ લેંગ્વેજ પહેલેથી જ ગુજ્જુઓની નબળાઇ રહી છે. અગાઉ સાયન્સ સ્ટ્રીમમાં પણ જેઇઇ, નીટ જેવી પ્રવેશ પરીક્ષાઓ ગુજરાતી ભાષામાં લેવા માટે ગુજરાતમાં વાલીઓએ આંદોલન કરવા પડી રહ્યા હતા.

May 31, 2018
gseb.png
1min16190

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ તા.31 મે 2018ના દિવસે સવારે ધો.12 સામાન્ય પ્રવાહોની ગત માર્ચ 2018માં લેવાયેલી રાજ્યવ્યાપી પરીક્ષાઓના પરીણામોની ઘોષણા કરવામાં આવી હતી. આ પરીણામોને જોતા ધો.12 કોમર્સનું સમગ્ર રાજ્યનું ઓવરઓલ પરીણામ ફક્ત 55.55 ટકા જેટલું એવરેજ આવ્યું હતું. આટલું નીચું પરીણામ બોર્ડના ખાનગી વિદ્યાર્થીઓ એટલે કે એક્સ સ્ટુડન્ટ, ઘરે બેસીને પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધુ પડતા વિદ્યાર્થીઓ નાપાસ થતાં પરીણામ નીચું આવ્યું હતું. પરીણામની માહિતી બોર્ડની આ બુકલેટ આધારે મળી શકે છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 2,31,876 વિદ્યર્થીઓ પાસ થયા છે. ધોરણ 12નાં સામાન્ય પ્રવાહમાં ચાર લાખ વિદ્યાર્થીઓએ નોંધાયા હતા. જેમનાં ભવિષ્યનો નિર્ણય આજે થવાનો છે. સૌથી વધુ 100% પરિણામ ધરાવતું કેન્દ્ર સુરતનું નાનપુર બ્લાઈન્ડ અને મહિસાગરનું લુણાવાડા કેન્દ્ર 11.74% સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છે. આ સાથે આહવા ડાંગ જિલ્લો 77.32% સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો છે. તો છોટાઉદેપુર 31.54% સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો જાહેર થયો છે.

આ વર્ષે કુલ 206 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર થયું છે. તો 76 શાળાઓનું 10% કરતાં ઓછું પરિણામ નોંધાયું છે. પરિણામ મુજબ 451 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 8245 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, 30306 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ અને 63241 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. આ સાથે અંગ્રેજી માધ્યમની ટકાવારી 73.77% અને ગુજરાતી માધ્યમની ટકાવારી 54.03% જાહેર થઇ છે.

May 29, 2018
cbse1.jpg
1min11130
આ વર્ષે 16 લાખ વિદ્યાર્થીઓએ CBSE 10 Std. પરીક્ષા આપી હતી. CBSE 10માં ધોરણની બોર્ડની પરીક્ષામાં 86.70 ટકા પાસ પર્સેન્ટેજ છે. પ્રખર મિત્તલ, રિમઝિમ અગ્રવાલ, નંદિની ગર્ગ અને શ્રીલક્ષ્મી 500માંથી 499 અંક સાથે પ્રથમ આવ્યા છે.
વિસ્તાર પ્રમાણે પરીણામની વાત કરીએ તો આ વર્ષે ત્રિવેંદ્રમ 99.60 ટકા સાથે પ્રથમ, 97.73 ટકા સાથે ચેન્નાઇ બીજા અને 91.86 ટકા સાથે અજમેર ત્રીજા ક્રમ પર છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં આ વર્ષે દિવ્યાંગ છાત્રોમાં 489 અંક સાથે અનુષ્કા અને સાન્યા ગાંધી પ્રથમ સ્થાન પર તો સૌમ્યદીપ પ્રધાન 484 અંક સાથે ત્રાીજા સ્થાન પર છે.
બોર્ડમાં ટોપ કરવાવાળા 4 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીનીઓનો સમાવેશ છે. ડીપીએસ ગુડગાંવના પ્રખર મિત્તલ, આરપી પબ્લિક સ્કૂલ- બિઝનૌરની રિમઝિમ અગ્રવાલ, સ્કોટિશ ઇન્ટરનેશનલ સ્કૂલ-શામલની નંદિની ગર્ગ અને ભવાની વિદ્યાલય કોચિનની શ્રીલક્ષ્મીએ ધો.10ની પરીક્ષામાં ટોપ કર્યું છે. આ તમામ વિદ્યાર્થીઓએ 500માંથી 499 માર્ક્સ મેળવ્યા છે. ધો.10ની પરીક્ષા આ વર્ષે 5 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન દેશભરમાં 4453 પરીક્ષા કેન્દ્રો પર લેવાઇ હતી. વિદેશમાં ધો.10ના કુલ 78 પરીક્ષા કેન્દ્ર હતા. આ વર્ષે કુલ 16,38,428 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાં 6,71,103 છોકરીઓ અને 9,67,325 છોકરાઓનો સમાવેશ હતો.
May 29, 2018
free-textbook.jpg
1min12650

ધો.12 પછી વ્યવસાયલક્ષી પ્રવાહના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવતી પ્રવેશ પરીક્ષાઓનું માધ્યમ અંગ્રેજી હોવા ઉપરાંત આર્ટસને બાદ કરતા મોટા ભાગના કોલેજ-યુનિવર્સિટી ખાતેના અભ્યાસક્રમોમાં મિડીયમ ઓફ ટીચીંગ અંગ્રેજી  જ હોવાના કારણે રાજ્યમાં હાલ અંગ્રેજી માધ્યમમાં ભણવાનો ક્રેઝ વધતો જાય છે. દરેક માતા-પિતા પોતાના બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે એવી અદમ્ય ઇચ્છા ધરાવતા હોય છે.

સુરતમાં દર વર્ષે નવરાત્રીથી જાન્યુઆરી સુધીના સમયગાળામાં બાળમંદિરોમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ત્યારે સામાન્યમાં સામાન્ય પરિવારમાંથી આવતા માબાપ પોતાના સંતાનને સી.બી.એસ.સી. (સેન્ટ્રલ બોર્ડ) અગર તો ગુજરાત બોર્ડની અંગ્રેજી મિડીયમની શાળામાં પ્રવેશ અપાવવા માટે દોડધામ મચાવી મૂકતા જોવા મળે છે. અંગ્રેજી માધ્યમની શાળાઓની વધેલી માગને લીધે જ અંગ્રેજી માધ્યમની સ્વનિર્ભર શાળાઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

2012-13ના શૈક્ષણિક વર્ષથી અત્યાર સુધીમાં રાજ્યમાં અંગ્રેજી માધ્યમની 1226 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી હતી તેની સામે સરકારી અંગ્રેજી માધ્યમની માત્ર 32 શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. આથી મધ્યમ પરિવારના બાળકોને પણ ઊંચી ફી આપીને ખાનગી શાળાઓમાં ભણાવવાની ફરજ પડી રહી છે. ટૂંકમાં, કહીએ તો ગુજરાત રાજ્યમાં અંગ્રેજીમાં ભણવું હોય તો મોટા ભાગે ખાનગી, સેલ્ફફાઇનાન્સ સ્કુલોના શરણે જ જવું પડે છે. રાજ્ય સરકાર અંગ્રેજી માધ્યમની સ્કુલોને પ્રોત્સાહન આપતી નથી. એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કે રાજ્યમાં અંગ્રેજી માધ્યમમાં ભણવું હોય તો રાજ્ય સરકારે કોઇ માળખાગત સુવિધા કે ઢાંચો તૈયાર કર્યો નથી. મોટા ભાગે અંગ્રેજી માધ્યમની સ્કુલોનો ઇજારો ખાનગી ધંધાદારી સંચાલકોને સોંપી દેવામાં આવ્યો છે.

લમાં અંગ્રેજી શિક્ષણની માગ દિવસેને દિવસે વધતી જાય છે ત્યારે અંગ્રેજીથી ગરીબ બાળકો વંચિત રહે તેના માટે અંગ્રેજી માધ્યમની સરકારી સ્કૂલો ખોલવામાં સરકારની ભારે ઉદાસીનતા જોવા મળી છે.

રાજ્યની પ્રાથમિક શાળાઓનો સિનારીયો શું બયાં કરે છે

ગુજરાત રાજ્યમાં 33,788 સરકારી પ્રાથમિક શાળાઓ કાર્યરત છે જેમાં 33,281 પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમની છે, જ્યારે અંગ્રેજી માધ્યમની માત્ર 120 પ્રાથમિક શાળાઓ આવેલી છે તેમજ અન્ય માધ્યમની 387 શાળાઓ કાર્યરત છે.

રાજ્યમાં ખાનગી પ્રાથમિક શાળાઓ 10,579 જેમાં 6,974 શાળાઓ ગુજરાતી માધ્યમની છે જ્યારે 3,098 શાળાઓ અંગ્રેજી માધ્યમની છે તથા અન્ય માધ્યમની ખાનગી પ્રાથમિક શાળાઓ 507 કાર્યરત છે. આમ રાજ્ય સરકાર ખુદ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ ન કરી ખાનગી સ્કૂલોને પ્રાત્સાહિત કરે છે.

સૌથી મહત્ત્વની વાત તો એ છે કે, સીબીએસઈ બોર્ડ સાથે સંલગ્ન કેન્દ્રીય વિદ્યાલયો અને સરકારી સ્કૂલોનું બોર્ડની પરીક્ષાઓના પરિણામમાં ખાનગી સ્કૂલોની સરખામણીમાં પર્ફોર્મન્સ ટોપ પર હોય છે. જ્યારે ગુજરાત બોર્ડમાં સરકારી સ્કૂલોનું જ પર્ફોર્મન્સ નબળું જોવા મળે છે. આમ બોર્ડનાં પરિણામો પરથી જ સીધો ભેદ જોવા મળે છે અને રાજ્યનો શિક્ષણ વિભાગ સરકારી સ્કૂલોના શિક્ષણને સુધારવામાં નબળું પુરવાર થાય છે.

ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતીમાં પણ પરફોર્મન્સ આપી શક્તા નથી

એ પણ એક વરવી વાસ્તવિક્તા છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં પણ પરફોર્મન્સ આપી શક્તા નથી. માર્ચ 2018માં લેવાયેલી ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષાના પરીણામમાં ગુજરાતી વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 1.07 લાખની છે.

ગુજરાતી માધ્યમ કરતા અંગ્રેજી માધ્યમનું પરીણામ 25 ટકા ઉંચુ

ધો.10ના પરીણામમાંથી એ બાબત પણ ઉડીને આંખે વળગે તેવી છે કે ગુજરાત બોર્ડના ધો.10ના પરીણામમાં ગુજરાતી માધ્યમની શાળાઓનું ઓવરઓલ પરીણામ 65.16 ટકા જ્યારે અંગ્રેજી માધ્યમની શાળાઓનું પરીણામ 90.69 ટકા આવ્યું છે. આ જોતા રાજ્યમાં અંગ્રેજી માધ્યમનો ક્રેઝ તો વધ્યો છે પણ ત્યાં માહોલ પણ ભણવા માટેનો યોગ્ય હોવાનું પુરવાર થઇ રહ્યું છે.

May 28, 2018
gseb.png
1min12920

 

કઇ સ્કુલના કેટલા વિદ્યાર્થીઓ એ-વન રેન્કમાં

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ      100

સંસ્કારભારતી અડાજણ           28

એક્સપેરિમેન્ટલ ગુજરાતી        32

ભૂલકાવિહાર શાળા                 22

ભૂલકાભવન શાળા                  28

એલ.પી.સવાણી ગ્રુપ               50

સ્વામીનારાયણ ગુરુકુળ           20

એલ.પી.ડી.શાળા, પૂણા           16

અર્ચના વિદ્યાલય                      09

સંસ્કારદીપ વિદ્યાસંકુલ             09

શારદા વિદ્યામંદિર                    07

કૌશલ વિદ્યાભવન                     30

માધવબાગ વિદ્યાભવન             04

દિપદર્શન વિદ્યાસંકુલ                06

પંચશીલ બેંક સ્કુલ                     03

કે.સી.કોઠારી સ્કુલ, વરાછા        06

સંસ્કાર વિદ્યાલય                       02

પ્રેરણા વિદ્યાલય, પૂણા              04

સરસ્વતી વિદ્યાલય,અડાજણ    01

પ્રેસિડેન્સી સ્કુલ                        01

 

May 28, 2018
gseb.png
1min16030

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના 100થી વધુ એ-વન રેન્કર્સ

સુરતના નાના વરાછા ખાતે આવેલી આશાદીપ સાયન્સ એન્ડ કોમર્સ ભવનમાં આજે સુરતના 100 જેટલા ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષા પાસ કરનાર એ-વન રેન્કર્સ એકત્રિત થતાં આ પ્રકારની ભવ્ય તસ્વીર ઉપસી આવી હતી. આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ પૈકીની આશાદીપ વિદ્યાલય-3ના 22 એ-વન રેન્કર્સ, આશાદીપ વિદ્યાલયના કુલ 22 એ-વન રેન્કર્સ, સીમાડા ખાતે આવેલા આશાદીપ વિદ્યાલયના કુલ 13 એ-વન રેન્કર્સ અને કૃષ્ણકુંજ સોસાયટી નાના વરાછા ખાતે આવેલા આશાદીપ વિદ્યાલયના કુલ 42 એ-વન રેન્કર્સ મળીને કુલ 100 જેટલા એ-વન રેન્કર્સ સાથે તસ્વીરમાં શાળાના સંચાલકો સર્વ શ્રી મહેશભાઇ રામાણી, શ્રી શૈલેષભાઇ રામાણી, શ્રી મહેશભાઇ શ્યાની વગેરે દ્રશ્યમાન છે.

 

રૂસીમા પુણાવાલા એક્સપેરિમેન્ટલ સ્કુલના રેન્કર્સનો ગ્રુપ ફોટો

શહેરના પાર્લે પોઇન્ટ સ્થિત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત રૂ.સી.મા. પૂણાવાળા એક્સપેરિમેન્ટલ સ્કુલના ધો.10ના કુલ 32 વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ 2018ની પરીક્ષામાં એ-વન રેન્ક હાંસલ કરતા શાળા સંચાલકો અને સ્ટાફ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. પરીણામના દિવસે તા.28મી મે ના રોજ શાળા ખાતે ઉપસ્થિત રેન્કર્સ સાથે શાળાના આચાર્યા શ્રીમતી મિનાક્ષીબેન વખારીયાએ સમૂહ તસ્વીર ક્લીક કરાવી હતી.

ભૂલકાવિહાર સ્કુલના 22 વિદ્યાર્થીઓ ધો.10માં એ-વન રેન્કર બન્યા

શહેરના પાલ-ભાઠા રોડ પર આવેલી ભૂલકાવિહાર શાળાના 22 વિદ્યાર્થીઓએ આજે ગુજરાત માધ્યમિક  શિક્ષણ બોર્ડના ધો.10ના પરીણામમાં એ-વન રેન્ક હાંસલ કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના ટ્રસ્ટી-પ્રિન્સીપાલ શ્રીમતી મીતાબેન વકીલે દરેક વિદ્યાર્થીઓને તેમણે કરેલી મહેનત બદલ શુભેચ્છા પાઠવી હતી.

કોસાડ રોડની માધવબાગ શાળામાંથી 4 વિદ્યાર્થીઓ ધો.10માં એ-વન રેન્કર્સ બન્યા