CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 51 of 54 - CIA Live

July 9, 2018
jee13.png
1min11920

જયેશ બ્રહ્મભટ્ટ

ભારતમાં એમબીબીએસ અને ડેન્ટલમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટ પરીક્ષા તેમજ એનઆઇટી, આઇઆઇટી જેવી નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી એન્જિનિયરિંગ  કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી જેઇઇ મેઇન પરીક્ષા એક કેલેન્ડર વર્ષમાં બે વખત લેવાની જાહેરાત બાદ દેશમાં ધો.11-12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલા લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગૂંચવાડાભરી સ્થિતિ સર્જાવા પામી છે. કેમકે નીટ અને જેઇઇ બે વખત લેવાથી ફાયદો કોને થશે?, જાન્યુઆરીમાં નીટ આપનારા વિદ્યાર્થીઓને પ્રવેશ ક્યારે અને કેવી રીતે મળશે? , ધો.12ની જે તે બોર્ડની પરીક્ષાઓ માર્ચમાં લેવાતી હોય ત્યારે એ પહેલા જેઇઇ કે નીટની પરીક્ષા કોણ આપશે? વગેરે સવાલોના કોઇ જવાબ કેન્દ્ર સરકાર આપી શકતી નથી. નીટ અને જેઇઇ પરીક્ષા બે વખત લેવાની જાહેરાત બાદ યોગ્ય ગાઇડન્સના અભાવે સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ઉલ્ટાની વધુ ગૂંચવાડાભરી સ્થિતિ સર્જાવા પામી છે.

વિદ્યાર્થીઓ 12મું નહીં 13મું ધોરણ ભણતા થઇ જશે

સામાન્ય રીતે ભારતમાં ધો.10 માધ્યમિક અને ધો.11-12 ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બાદ વિદ્યાર્થીઓને તેમના રસના વિષયો અનુસાર ગ્રેજ્યુએશન માટે કોલેજમાં પ્રવેશ મળે છે. પરંતુ, બે વખત નીટ અને જેઇઇ લેવાથી એક ભયસ્થાન એ પણ ઉપસ્થિત થયું છે કે વિદ્યાર્થીઓ  વધુ એક ચાન્સ મળે તેવી આશા સાથે ડિસેમ્બરની પરીક્ષા આપશે એટલે તેમનું એક વધારાનું વર્ષ શાળાકીય સ્કુલમાં વ્યતિત થશે અને એ રીતે ધો.12ની જગ્યાએ વધુ એક વર્ષ એટલે કે 13મું વર્ષ પણ ભણશે.

 

નીટ અને જેઇઇના પરીણામો જોયા પછી પણ વિદ્યાર્થીઓ સેલ્ફ એસેસમેન્ટ કરતા નથી

હકીકતમાં નીટ અને જેઇઇ પરીક્ષાનું પરીણામ જોતા હાયર મેરિટ ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને જ આઇઆઇટી કે એનઆઇટીમાં પ્રવેશ મળે છે. આ એક રિયાલિટી છે, વાસ્તવિક સ્થિતિ એવી પણ છે કે દર વર્ષે આઇઆઇટી, એનઆઇટીમાં ગુજરાતના ફક્ત 100 વિદ્યાર્થીઓ જ  પ્રવેશ પામી શકે છે, આમ છતાં હજારો વિદ્યાર્થીઓ ધો.11-12માં પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસની કરોડો રૂપિયાની ફી ચૂકવે છે અને છેલ્લે 96 ટકા વિદ્યાર્થીઓએ જીટીયુ એફિલિયેટેડ કોલેજોમાં જ ગુજકેટને આધારે પ્રવેશ લેવો પડે છે. આવું દર વર્ષે જોવા મળે છે. આમ છતાં પછીના વર્ષના વિદ્યાર્થીઓ સેલ્ફ એસેસમેન્ટ કરતા નથી અને તમામ જેઇઇ નીટની તૈયારીમાં કરોડો રૂપિયા વ્યય કરી બેસે છે.

હજુ સુધી જેનું કાગળ પર પણ અસ્તિત્વ નથી એવી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)જ એનઇઇટી, જેઇઇ અને નેટના એન્ટ્રેન્સ એક્ઝામ કરાવશે. જે લોકો આ પરીક્ષા આપવા માગે છે તેમને વધુ ચાન્સ મળી રહે તેવો આશય તેમાં રહેલો છે, તેમ કેન્દ્રીય માનવ સંશાધન અને વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે શનિવારે આ અંગેની જાહેરાત કરતાં કહ્યું હતું. પરંતુ, આવી જાહેરાતને પગલે જે સવાલો ઉપસ્થિત થયા છે એ પેચીદા બન્યા છે.

સવાલ-1

ડિસેમ્બરમાં લેવાનારી નીટ કે જેઇઇની પરીક્ષા આપશે કોણ? કેમકે ધો.12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂરો કરશે કે નીટ કે જેઇઇ પરીક્ષા આપશે?

સવાલ-2

ડિસેમ્બરમાં લેવાનારી નીટ કે જેઇઇ પરીક્ષા આપ્યા બાદ જાન્યુઆરીમાં રિઝલ્ટ જાહેર થશે અને તેમાં સારો રેન્ક ધરાવનારા વિદ્યાર્થીઓને પ્રવેશ કોણ આપશે, અધવચ્ચેથી પ્રવેશ અપાશે તો સીટ્સ ક્યાંથી ઉપલબ્ધ થશે. અને જો શૈક્ષણિક વર્ષ અનુસાર જૂનમાં પ્રવેશ અપાશે તો વિદ્યાર્થીને ફાયદો શું થશે?

સવાલ-3

બે વખત નીટ કે જેઇઇ પરીક્ષા લેવાની યોજના ફક્ત એવા વિદ્યાર્થીઓ માટે અસ્તિત્વમાં લાવવામાં છે કે જેઓ ધો.12ની બોર્ડની પરીક્ષા આપી ચૂક્યા છે?

સવાલ-4

ધો.12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ બીજી વખતની નીટ કે જેઇઇની પરીક્ષામાં સારો સ્કોર લાવશે ત્યારે તેના મેરિટની ગણતરી બીજા વર્ષના ફ્રેશર્સ વિદ્યાર્થીઓની સાથે કેવી રીતે સરખામણી કરાશે?

July 5, 2018
bmef1.jpg
1min7430

જયેશ બ્રહ્મભટ્ટ

સુરતના ભરથાણા-વેસુ વિસ્તારમાં ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનના નામે ડઝનબંધ કોલેજો શરૂ કરીને રોકડી કરવાનો જ ઇરાદો રાખીને શિક્ષણની ગુણવત્તા  સાથે ચેડાં સંચાલકોની કોલેજાેને ડિગ્રી એન્જિનિયરિંગના પ્રવેશાર્થીઓએ જાકારો આપ્યો છે. વેસુ-ભરથાણા ખાતે એક જ કેમ્પસમાં ત્રણ-ત્રણ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજાેની પરવાનગી લઇ આવેલા સંચાલકોની ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશના નામે ધંધો કરવાની નેમ પર પાણી ફરી વળ્યું છે. આજે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસની દ્વારા જાહેર થયેલા ડિગ્રી એન્જિનિયરિંગ ફર્સ્ટ સેમેસ્ટરમાં પહેલા રાઉન્ડના પ્રવેશના આંકડા પર નજર કરીએ તો ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનની બે કોલેજાે પૈકીની મહાવીર સ્વામી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાં 94 ટકા બેઠકો ખાલી પડી રહી છે જ્યારે આ જ ગ્રુપની આ જ કેમ્પસમાં ચાલતી અન્ય ડિગ્રી ઇજનેરી કોલેજ ભગવાન મહાવીર કોલેજ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં 86 ટકા બેઠકો ખાલી પડી રહી છે. પ્રવેશાર્થીઓએ આ કોલેજાેને ચોઇશ ફિલિંગમાં પ્રેફરન્સ (પસંદગી) નહીં આપીને સંચાલકોની ધંધો કરવાની મુરાદ પર પાણી ફેરવી દીધું છે.

મહાવીર સ્વામી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, વેસુ-ભરથાણા સુરત ખાતેની વાત કરીએ તો અહીં કુલ 420 સીટ્સ ઉપલબ્ધ છે જેમાંથી પ્રવેશાર્થીઓએ ફક્ત 24 સીટો પર પ્રવેશ લીધો છે. મહાવીર સ્વામી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, વેસુ-ભરથાણા સુરતની કુલ 396 સીટ્સ એટલે કે કોલેજની કુલ 94 ટકા બેઠકો ખાલી પડી રહેવા પામી છે.

મહાવીર સ્વામી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, વેસુ-ભરથાણા સુરત

બ્રાન્ચ                     કુલ સીટ્સ      ખાલી પડેલી સીટ્સ

ઓટોમોબાઇલ             120               111

ઇલેક્ટ્રીકલ્સ                  60                 58

સિવિલ                          120              110

મિકેનિકલ                      60                57

મિકેનિકલ સેકન્ડ            60               60

કુલ                           420              396

 

ભગવાન મહાવીર કોલેજ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી

બ્રાન્ચ                      કુલ સીટ્સ    ખાલી સીટ્સ

ઓટોમોબાઇલ          60               44

સિવિલ                     180               32

સિવિલ-2                  60                59

ઇ.સી.                        60               54

ઇલેક્ટ્રોનિક્સ            60                56

મિકેનિકલ                 180              165

મિકેનિકલ-2              60                58

કુલ                        660             568

 

ભગવાન અરિહંત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી

બ્રાન્ચ                       કુલ સીટ          ખાલી સીટ

એરોનોટિક્સ             60                 10

કેમિકલ                      60                 03

નેનો ટેક્નોલોજી         60                 52

રોબોટિક્સ                 60                43

કુલ                            240              108

આમ, ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનની તમામ ઇજનેરી કોલેજાેને પ્રવેશાર્થીઓએ જાકારો આપ્યો હોવાનું પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં જણાય આવે છે.

June 18, 2018
sakuntla.jpg
1min14230

જયેશ બ્રહ્મભટ્ટ

માનવીના મન પાસે અપાર અને અસિમીત શક્તિઓ છે, માનવીનું મન ધારે તો કોઇપણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે એવું શાસ્ત્રોમાં તો લખાયું જ છે પણ વિજ્ઞાન પણ એવું કહે છે અને તેની પ્રતીતિ કરાવતા સાક્ષાત પરચાઓ આપણી નજર સામે આવતા-જતા રહે છે પણ 99.5 ટકા લોકો પોતાના મનનો ઉપયોગ અદ્વિતીય સિદ્ધી હાંસલ કરવા માટે કરી શક્તા નથી. અહીં એક એવી જીવતી વારતાં  રજૂ કરી રહ્યો છું કે જેને વાંચ્યા પછી કદાચ કોઇ વાચક પોતે અથવા અન્ય કોઇને કશું ક હાંસલ કરવાની પ્રેરણા આપી શકે.

 મહારાષ્ટ્ર બોર્ડના ચેરપર્સન શકુંતલા કાલે

તમે ક્યારેય વિચારી શકો કે કોઇ છોકરી જેના 14 વર્ષની ઉંમરે લગ્ન થઇ જાય અને 18 વર્ષ સુધીમાં તો બે બાળકોની માતા પણ બની જાય અને પછી એ ભણવાનું શરૂ કરીને મહારાષ્ટ્ર MPSC મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની ક્લાસ-2 ઓફિસર અને એ પછી ક્લાસ-વન ઓફિસરની પરીક્ષા પાસ કરીને આજની તારીખમાં એ ભારતના સૌથી મોટા સેકન્ડરી બોર્ડ, મહારાષ્ટ્ર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરપર્સન એટલે કે સૌથી ટોચના અધિકારી બની જાય…

આ મહિલાનું નામ છે શકુંતલા કાલે. મહારાષ્ટ્રના ક્લાસ-વન દરજ્જાના સનદી અધિકારી છે અને 2017ના સપ્ટેમ્બરની 25મી તારીખે એમને મહારાષ્ટ્ર બોર્ડના ચેરમેન તરીકે સરકારે નિયુક્ત કર્યા ત્યારે સમગ્ર વિશ્વને એ બાબતની જાણ થઇ કે આ સનદી અધિકારીના તો 14 વર્ષની ઉંમરે લગ્ન થઇ ગયા હતા અને 18 વર્ષની ઉંમર સુધીમાં તો તેઓ બે સંતાનોના માતા બની ચૂક્યા હતા.

શકુંતલા કાલે જ્યારે 14 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. પરિવારમાં માં મજૂરી કરીને ગુજરાન ચલાવતી. એ સમયે બાળલગ્નની પ્રથા મહારાષ્ટ્રના ગામોમાં જીવંત હતી એટલે શકુંતલા નામની છોકરીના 14 વર્ષની વયે લગ્ન કરીને તેને સાસરે વળાવી દેવામાં આવી. જ્યારે બે સંતાનોને જન્મ આપી દીધો ત્યારે શકુંતલા કાલેને જીવનમાં કંઇક અદ્વિતીય કરી છૂટવાની તમન્ના જાગી અને તેમણે ડિસ્ટન્સ લર્નિંગ સંસ્થામાંથી ધો.12ની પરીક્ષા આપી અને પાસ થઇ ગયા. બસ પછી ધૂન લાગી કે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપીને સરકારી નોકરી મેળવું.

શકુંતલા કાલેએ એ સમયે પૂણા વિશ્વ વિદ્યાલય કે જે આજે સાવિત્રીબાઇ ફુલે વિશ્વવિદ્યાલયથી જાણીતી છે એ યુનિવર્સિટીમાંથી એમ.એ. મરાઠીની ડિગ્રી મેળવી. ડિગ્રી મળવાની સાથે જ તેઓ જે સ્કુલમાં ભણ્યા હતા ત્યાં ટીચર તરીકેની નોકરીમાં જોડાઇ ગયા. બસ હવે શકુંતલા કાલેનું સપનું હતું કે એમપીએસસીની પરીક્ષા આપું. એ સમયે કોઇ લાઇબ્રેરી, પુસ્તક કે કશું ન હતું પણ રેડીયો સાંભળતા અને રેડીયો પણ એટલે સાંભળતા કે ઉંઘવાનું ઓછું અને રેડીયો વધારે સાંભળવાનો કે જેથી બાહ્ય નોલેજ, જાણકારી, જનરલ અવેરનેસ મળે. પોતાની જાતને જ પ્રેરણા આપતા, સેલ્ફ મોટીવેશન થકી શકુંતલા કાલેએ ક્લાસ-ટુ ઓફીસરની પરીક્ષા પાસ કરી દીધી અને જોતજોતામાં તો ક્લાસ-વન ઓફીસર તરીકે મહારાષ્ટ્ર સરકારને સેવા આપતા થઇ ગયા.

શકુંતલા કાલે કહે છે  નો પેઇન નો ગેઇન, આજના બાળકોને સ્ટ્રગલ વાળી લાઇફ ગમતી નથી, માબાપ તેમના સંતાનોને સોફ્ટ ટાર્ગેટ, કમ્ફર્ટ ઝોનમાં ભણાવે છે. પણ પુરુષાર્થ વગર કશું નક્કર મેળવી શકાતું નથી. શકુંતલા કાલે સવારે 3 વાગ્યે ઉઠીને પીવાનું પાણી ભરવા માટે પાંચ કિલોમીટર પગપાળા જતા હતા. આજે તેઓ મહારાષ્ટ્ર બોર્ડમાં ચેરમેન તરીકે 20 લાખથી વધુ વિદ્યાર્થીઓની સર્ટિફિકેટ્સ પર તેમના ઓટોગ્રાફ આપી રહ્યા છે.

June 18, 2018
sudixa-copy.jpg
1min14150

જયેશ બ્રહ્મભટ્ટ

આજકાલ ગરીબ અને મિડલ ક્લાસ પરિવારોના સંતાનોમાં નહીં ભણવા માટેનું જો કોઇ સોલિડ કારણ હોય તો એ પરિવારની આર્થિક સ્થિતિ છે, મા-બાપને ફી પોષાય તેમ નથી. આવી બહાનાબાજીથી ઉપર ઉઠીને ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની એક અત્યંત ગરીબ પરિવારની દિકરી સુદીક્ષા ભાટીએ જે કરી બતાવ્યું છે એ કોઇપણ કરી શકે છે, પણ કરવા માટેની શુદ્ધ દાનત હોવી જોઇએ. અત્યંત ગરીબ પરિવારમાંથી આવતી સુદીક્ષાએ અમેરિકામાં ભણવું હતું અને તેને ખબર હતી કે જો તે અવ્વલ દરજ્જા સાથે ધો.12 પાસ થશે તો સેંકડો સ્કોલરશીપ્સ એવી છે કે એ જાત મહેનતથી મેળવીને અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે. સુદીક્ષાએ પોતાના આ ઇમેજિનેશનને રિયાલિટીમાં કન્વર્ટ કરતા ધો.12 સેન્ટ્રલ બોર્ડમાં 98 ટકા સાથે પાસ કરીને અમેરિકાની પ્રસિદ્ધ બોબસન કોલેજમાં પ્રવેશ અરજી કરી હતી, પરીક્ષા આપી હતી અને સૌના આશ્ચર્ય વચ્ચે સુદીક્ષાને બોબસન કોલેજની ભણવાની પૂરેપૂરી ફીની રકમ એટલે કે ભારતીય ચલણ મુજબ રૂ.3.8 કરોડની સ્કોલરશીપ મળી છે.

સુદીક્ષા ભાટી જેણે સીબીએસઇમાં ધો.12 98 ટકા લાવીને અમેરિકાની કોલેજની રૂ.3.8 કરોડની સ્કોલરશીપ મેળવી

ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં રહેતી સુદીક્ષા ભાટીને અમેરિકાની પ્રતિષ્ઠિત બોબસન કોલેજમાં અભ્યાસ માટે સંપૂર્ણ ફીની સ્કોલરશિપ મળી હોવાના સમાચાર સમગ્ર ભારતમાં વાઇરલ થઇ રહ્યા છે. અત્યંત સામાન્ય પરિવાર એટલે કે સુદીક્ષાના પપ્પા ચાની લારી ચલાવીને પરિવારનું પેટીયું રળે છે એવા પરિવારમાંથી આવીને . 12માં સીબીએસઈમાં 98% માર્ક મેળવનાર તેમજ બુલંદ જિલ્લામાં પ્રથમ ક્રમે ઉત્તિર્ણ થનાર સુદીક્ષા માટે આ પરીક્ષા બિલકુલ સરળ નહતી.

સુદીક્ષાનો પ્લસ પોઇન્ટ શું

સુદીક્ષાનો પ્લસ પોઇન્ટ એ જ છે કે  પરિવારની આર્થિક સ્થિતિ અને સામાજિક બાબતોને કોરાણે મુકીને સુદીક્ષાએ અભ્યાસમાં મન પરોવાયેલું રાખ્યું એટલું જ નહીં પરંતુ હવે તે યુએસની નામાંકિત કોલેજમાં અભ્યાસ માટે જઈને પોતાનું સપનું સાકાર કરી રહી છે.

સુદીક્ષા માતા-પિતા સાથે

વંચિતો માટેની શાળામાં ભણી સુદીક્ષા

સુદીક્ષાએ કહ્યું કે, ‘પહેલા મારા માટે અભ્યાસનું સપનું સાકાર કરવાનું સરળ નહતું. 2011માં મને વિદ્યાજ્ઞાન લીડરશિપ એકેડમી સ્કૂલમાં એડમિશન મળ્યું. આ શાળામાં મોટેભાગે વંચિત સમુદાયના બાળકો ભણે છે અને મને પણ ત્યાં ભણવાની તક મળી હતી. શરૂઆતમાં મારા પરિવાર અને સંબંધિઓને વાંધો હતો, પરંતુ મારા માતા-પિતાએ અભ્યાસ ચાલુ રાખવા પ્રોત્સાહન આપ્યું હતું.’

વિદ્યાવાન સ્કોલશિપ એકેડમીની સ્થાપના 2009માં શિવ નાડાર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. તે વખતે બુલંદશહેર અને સીતાપુરમાંથી 1900થી વધુ પરિવારના બાળકો આ કાર્યક્રમ હેઠળ પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવી શક્યા હતા. સુદીક્ષા બીજા બાળકોને એટલું કહેવા માંગે છે કે કોઈપણ પોતાના સપનાને સાકાર કરી શકે છે બસ માત્ર મહેનત કરવાનું બંધ ના કરવું જોઈએ.

June 12, 2018
ramresp.png
1min15400

મુલુંડના નવભારત નૂતન વિદ્યાલયમાં ૪૨ વર્ષ સેવા આપનાર પ્યુન મૂળ નેપાળના રામસિંહ રાઉતનું સ્કૂલના પરિસરમાં જ મૃત્યું થયું એ પછી તેમને માનભેર આપવામાં આવી અાખરી વિદાય

 

૧૯૭૫માં નેપાલથી આવીને મુંબઇના મુલુંડ વેસ્ટ ખાતે આવેલા નવભારત નૂતન વિદ્યાલયમાં પહેલાં પ્રાઇવેટ પ્યુન તરીકે નોકરી શરૂ કરનાર રામસિંહ રાઉતે 42 વર્ષ સુધી શાળાન નિષ્ઠાપૂર્વક ફરજ તો બજાવી પણ નિવૃતિ પછી પણ શાળાની કામગીરીમાં જોતરાયેલા રહ્યા અને જીંદગીનો આખરી શ્વાસ પણ શાળા પરિસરમા ંજ લીધો હતો, તેમની આવી સેવાની કદર રૂપે શાળા પરિવારે રામસિંહ રાઉતની સ્મશાનયાત્રા પણ શાળા પરિસરમાંથી જ કાઢવાનો નિર્ણય લીધો હતો.

૪૨ વર્ષ સુધી ઈમાનદારીથી મુલુંડ (વેસ્ટ)ની નવભારત નૂતન વિદ્યાલય સ્કૂલમાં સેવા આપનાર ૬૮ વર્ષના રામસિંહનું સ્કૂલના પરિસરમાં મૃત્યુ થયા બાદ તેમની અંતિમયાત્રા સ્કૂલમાંથી જ માનભેર નીકળી હતી. આ અંતિમયાત્રામાં સ્કૂલના ટ્રસ્ટીઓ, ટીચરો, સ્ટાફ અને સ્ટુડન્ટ્સે મોટી સંખ્યામાં હાજરી આપી હતી એટલું જ નહીં, સ્કૂલના મૅનેજમેન્ટ અને સ્ટાફે રામસિંહના મૃતદેહને કાંધ પણ આપી હતી. કોઈ પ્યુનને સ્કૂલ તરફથી આટલી માનભેર અને ભાવભરી વિદાય અપાઈ હોય એવી કદાચ મુંબઈની સ્કૂલોની આ પહેલી ઘટના છે.

ગઇ તા.9મી જૂનને શનિવારે સાંજે રામસિંહને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. સ્કૂલની સામે જ એક પ્રાઇવેટ ડૉક્ટરે રામસિંહને ઇન્જેક્શન અને દવા આપ્યાં હતાં. ત્યારે તેમને રાહત લાગી હતી. જોકે થોડા સમય પછી રામસિંહ સ્કૂલના ઓટલા પર બેઠા ત્યારે તેમને ઊલટી થઈ હતી અને છાતીમાં સખત દુખાવો ઊપડ્યો હતો. રામસિંહને હૉસ્પિટલમાં લઈ જવામાં આવે એ પહેલાં જ તેમનું સ્કૂલના પરિસરમાં જ મૃત્યુ થયું હતું.

રામસિંહ તેમના પ્રેમાળ સ્વભાવને કારણે અને રાઉન્ડ ધ ક્લૉક સ્કૂલને સેવા આપતા હોવાથી ટીચરો, સ્ટાફ અને સ્ટુન્ડટ્સમાં લોકપ્રિય હતા. તેમની સ્કૂલ અને કામ પ્રત્યેની વફાદારી અને ઈમાનદારીને કારણે મેનેજમેન્ટે તેમને નિવૃત્તિ પછી પણ પ્રાઇવેટ પ્યુન તરીકે નોકરીમાં રાખ્યા હતા એટલું જ નહીં, સ્કૂલના જ પાછળના ભાગમાં રહેવાની જગ્યા પણ આપી હતી. ત્યાં રામસિંહ તેમની પત્ની સાથે રહેતા હતા. તેમના બે પુત્રો નેપાલમાં જ રહે છે અને કામ કરે છે.

 

June 4, 2018
mbbs_1.jpg
2min20740

નીટમાં મિનીમમ કેટલા પર્સન્ટાઇલ જોઇએ

 

 

મેડીકલ, પેરામેડિકલમાં પ્રવેશ કાર્યવાહીની વિગતો

IIT, NIT, IITમાં જોસા www.josaa.nic.in થકી થતી પ્રવેશ કાર્યવાહીનું શિડ્યુલ

રાજ્યમાં આવેલી બી.આર્કિટેક્ચર કોલેજમાં પ્રવેશ કાર્યવાહીની જાહેરાત

 

 

આજરોજ તા.4 જૂન 2018એ સીબીએસઇ દ્વારા નીટ-2018ના પરિણામો જાહેર કરવાની સાથે જ ગુજરાત સરકારે રચેલી મેડીકલ એડમિશન કમિટી દ્વારા રાજ્યમાં આવેલી મેડીકલ, ડેન્ટલ તેમજ પેરામેડિકલ કોલેજોમાં પ્રવેશ કાર્યવાહીની જાહેરાત કરી હતી. સી.આઇ.એ. લાઇવ દ્વારા આ વિગતો વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે.

આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ એન.આર.આઇ. ક્વોટામાં પ્રવેશ મેળવવા ઇચ્છે છે તેમના માટે પણ પ્રવેશ કાર્યવાહીની જાહેરાત કરવામાં આવી છે. અહીં પી.ડી.એફ. ફોર્મેટ લિંક ક્લીક કરશો એટલે ફાઇલ ઓપન થશે.

mbbs_nri

June 4, 2018
neet1.jpg
1min23740

44 વિદ્યાર્થીઓના નીટમાં 400થી વધુ માર્કસ, આશાદીપ શાળાએ જ નીટના કોચિંગની પણ વ્યવસ્થા કરી હતી

ગુજરાત બોર્ડના ધો.12 સાયન્સના પરીણામો હોય, કોમર્સના હોય કે ધો.10ના પરીણામો હોય સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પરીણામ અને એ-વન રેન્કર્સ જેણે આપ્યા છે એ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓએ આજે નીટ-2018ના પરિણામમાં પણ ઝળહળતો દેખાવ કર્યો છે.

 

જેઇઇ અને નીટ એ બે નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ છે, સેન્ટ્રલ બોર્ડ દ્વારે તેનું સંચાલન કરવામાં આવે છે અને સુરતની આશાદીપ સાયન્સ સ્કુલના વિદ્યાર્થીઓ ન સિર્ફ બોર્ડ પરીક્ષામાં પણ આ નેશનલ એકઝામ્સમાં પણ જબરદસ્ત પરફોર્મન્સ આપી રહ્યા છે. આજે નીટની પરીક્ષાના જાહેર થયેલા પરીણામમાં આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીએ હાઇએસ્ટ 574 માર્કસ હાંસલ કર્યા છે.

આશાદીપના ટ્રસ્ટી શ્રી મહેશભાઇ રામાણીએ સી.આઇ.એ. લાઇવને માહિતી આપતા જણાવ્યું હતું કે આશાદીપના કુલ 13 વિદ્યાર્થીઓએ નીટમાં 500 કે તેનાથી વધુ સ્કોર કર્યો છે. એવી જ રીતે 44 વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે નીટમાં 400 કે તેનાથી વધુ સ્કોર કર્યો છે. આમ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓએ નીટમાં પણ પોતાનું ઓલરાઉન્ડ પરફોમર્ન્સ જાળવી રાખ્યું છે.

સૌથી મહત્વની વાત એ છે કે જેઇઇ હોય કે નીટ હોય, મોટાભાગની શાળાઓ પ્રવેશ પરીક્ષાના કોચિંગ આપવામાંથી હાથ ઉંચા કરી દેતી હોય છે પરંતુ, આશાદીપ વિદ્યાલય કે જેણે હંમેશા અલગ ભાત પાડી છે ત્યાં નીટ હોય કે જેઇઇ, પ્રવેશ પરીક્ષાનું કોચિંગ પણ શાળામાં જ આપવામાં આવે છે. આજે નીટમાં જે ટોપટેન આવ્યા છે એ મોટા ભાગે એક જ બ્રાન્ડેડ પ્રાઇવેટ કોચિંગ ક્લાસના આવ્યા છે, જે તોતિંગ ફી લઇને કોચિંગ આપે છે જ્યારે આશાદીપ સાયન્સ સ્કુલમાં વિદ્યાર્થીઓને શાળા દ્વારા જ એફોર્ડેબલ ફી માં તમામ પ્રવેશ પરીક્ષાનું કોચિંગ આપવામાં આવે છે.

June 4, 2018
neet1.jpg
1min21090

મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવાતી નીટ પરીક્ષા સામે 2011થી ગુજરાતીઓને વાંધો હતો. 2011, 2013, 2016માં નીટ સામે છેક સુપ્રીમ સુધી લડેલા ગુજરાતી પેરેન્ટ્સને આખરે એક સફળતા મળી કે નીટ ગુજરાતી ભાષામાં લેવાશે. એ પછી પણ નીટની સમસ્યાથી ગુજરાતીઓને છુટકારો મળ્યો નથી.

આજે જાહેર થયેલા નીટ-2018ના પરીણામ સાથે જ ફરી વખત ગુજરાતી વિદ્યાર્થીઓનો નીટમાં રકાસ થયેલો જોવા મળે છે. નીટ 2018માં કુલ 74115 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. આ પૈકી 72351 વિદ્યાર્થીઓએ નીટ 2018 આપી હતી. આજે જાહેર થયેલા પરીણામ બાદ ગુજરાતના ફક્ત 32625 વિદ્યાર્થીઓને નીટમાં ક્વોલિફાય થયેલા જાહેર કરાયા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે નીટ 2018ને ફક્ત મેડીકલ અને ડેન્ટલ માટે કેન્દ્ર સરકારે ફરજિયાત બનાવી હતી. પરંતુ, ગુજરાત સરકારે ગયા વર્ષથી પેરામેડીકલ કોર્સ જેવા કે આયુર્વેદિક અને હોમિયોપેથી અભ્યાસક્રમોમાં પણ નીટનો જ સ્કોર ફરજિયાત બનાવી દીધો છે.

નીટ-2018 રિલેટેડ અન્ય ઝીણવટભરી વિગતો અત્રે પ્રસ્તુત છે.