CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 31 of 54 - CIA Live

November 8, 2019
CIA_Live_Logo_New2.jpg
2min13260

કોલેજ-યુનિવર્સિટીમાં પ્રોફેસર બનવા માટેનો પહેલો એન્ટ્રીગેટ એટલે જીસેટ (GSET પરીક્ષા) : રજિ. શરૂ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોલેજ અથવા યુનિવર્સિટી જેવી ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં અધ્યાપક હોવું એ ગર્વની વાતની સાથે હવે અર્થોપાર્જન માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ ગણાય છે. પહેલા લોકોમાં એવી માન્યતા હતી કે બેંક કે સરકારી નોકરી સૌથી શ્રેષ્ઠ ગણાય પણ હવે એવી માન્યતા છે કે સૌથી શ્રેષ્ઠ અધ્યાપક તરીકેની નોકરી ગણાય. ખેર આ તો માન્યતા છે પણ લખનાર એક કરિયર કાઉન્સિલર છે અને અભ્યાસ બાદ એવા તારણ પર આવી શકાય કે કોલેજ-યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકેની કારકિર્દી એ કારકિર્દીના અઢળક વિકલ્પો પૈકીમાં શ્રેષ્ઠ વિકલ્પ ગણી શકાય એમાં બે મત નથી.

અહીં વાત કરવી છે ગુજરાતમાં આવેલી કોલેજો, યુનિવર્સિટીઓ કે ઉચ્ચ શિક્ષણ આપતી અનેક સંસ્થાઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું હોય તો સૌથી પહેલું પગથીયું કયું કહેવાય. આ સવાલનો જવાબ એ જ મળે કે ગુજરાત સેટ (જી-સેટ). ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ ફોર આસિસ્ટન્ટ પ્રોફેસર.

જી-સેટ પરીક્ષા હાલમાં પી.જી.ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહેલા ઉમેદવારો પણ આપી શકે

જે યુવક યુવતિઓ હાલમાં માસ્ટર ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે એ અથવા જેમણે માસ્ટર ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી વેલિડ યુનિવર્સિટીમાંથી મેળવી ચૂક્યા છે એ તમામ ગુજરાત સેટ પરીક્ષા આપી શકે છે. આ વખતે ગુજરાત સેટ (જી-સેટ)ની પરીક્ષા તા.29મી ડિસેમ્બર 2019ના રોજ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે અંગેના એપ્લિકેશન ફોર્મ ભરવાના શરૂ કરી દેવામાં આવ્યા છે.

જી-સેટ (ગુજરાત સેટ) પરીક્ષાનું સમયપત્રક

Date of Examination
પરીક્ષાની તારીખ
29 December 2019
૨૯ ડિસેમ્બર ૨૦૧૯
Starting of Fee Collection
પરીક્ષા ફી ભરવાની શરુઆત ની તારીખ
04 November 2019
૦૪ નવેમ્બર ૨૦૧૯
Last day for Fee Collection
પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ
30 November 2019
૩૦ નવેમ્બર ૨૦૧૯
Starting of Online Registration
ઓનલાઇન અરજી ફોર્મ શરુ થવાની તારીખ
04 November 2019
૦૪ નવેમ્બર ૨૦૧૯
Last day for Online Application Submission
ઓનલાઇન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
30 November 2019
૩૦ નવેમ્બર ૨૦૧૯

જી-સેટ માટે કયા કોર્સનું ક્યાં કનેકશન

ઓનલાઇન રજિસ્ટ્રેશન તેમજ બાકીની બધી માહિતી માટે નીચેની લિંક પર ક્લીક કરો

https://www.gujaratset.in/

જીસેટ પરીક્ષા માટેનું નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લીક કરો

https://www.gujaratset.in/download/info_bulletin_2019.pdf

November 8, 2019
CIA_Live_Logo_New2.jpg
1min18600

UTU કેમ્પસમાં ક્રિસમસમાં કલ્ચરલ કાર્નિવલ : માણવા જેવો સાંસ્કૃતિક જલસો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આગામી ક્રિસમસ દરમિયાન સૂરતના બારડોલી નજીક આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી, માલિબા સંકુલ ખાતે કલ્ચરલ કાર્નિવલ યોજાશે. કલ્ચરલ કાર્નિવલ એટલે કે સાંસ્કૃતિક જલસો અને આ સાંસ્કૃતિક જલસાનું અધિકૃત નામ છે. 35મો રાષ્ટ્રીય સ્તરનો યુવા મહોત્સવ જેમાં પશ્ચિમ ભારતની તમામ યુનિવર્સિટીઓની એક એકથી ચઢીયાતી પ્રતિભાઓ ઉકા તરસાડીયા યુનિવર્સિટીના મંચ પરથી પોતાની પ્રતિભા રજૂ કરશે. 34મો યુથ ફેસ્ટિવલ ચંડીગઢ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો હતો. હવે 35મો વેસ્ટર્ન યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલ સૂરત નજીકની ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે યોજવામાં આવશે.

એસોશીએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી તેમજ ભારત સરકારના ખેલ અને યુવા મંત્રાલય દ્વારા આયોજિત પશ્ચિમ ભારતના ઉચ્ચ શિક્ષણને આવરી લેતા 35માં યુવા મહોત્સવના યજમાન તરીકે સૂરરત જિલ્લાના બારડોલી મહુવા રોડ પર આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી કેમ્પસ, માલિબા સંકુલની પસંદગી કરવામાં આવી છે. પશ્ચિમ ભારતની તમામ યુનિવર્સિટીઓને આવરી લેતા આ યુથ ફેસ્ટનું આયોજન ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે તા.27થી 31મી ડિસેમ્બર 2019ના રોજ યોજાશે. ઉકા તરસાડીયા યુનિવર્સિટીની સ્થાપનાના ફક્ત 6 વર્ષમાં જ કેન્દ્ર સરકારની પશ્ચિમ ભારતની સૌથી મોટી યુનિવર્સિટી ઇવેન્ટ મળી છે.

ઉકા તરસાડીયા યુનિવર્સિટીના મનોરમ્ય સંકુલમાં આયોજિત થનારા વેસ્ટર્ન રિજિયન યુનિવર્સિટી યુથ ફેસ્ટની 5 દિવસની ઇવેન્ટમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 135 યુનિવર્સિટીઓના 3000થી વધુ વિદ્યાર્થીઓ જુદી જુદી કોમ્પિટિશન્સમાં પોતાનું કૌવત-કૌશલ, સ્કીલ વગેરેનું નિદર્શન કરશે.

કઇ કઇ પ્રતિયોગિતાઓ યોજાશે?

રાષ્ટ્રીય સ્તરના આ યુવા મહોત્સવમાં સંગીત, નૃત્યકળા, સાહિત્ય, ફાઇન આર્ટસ તેમજ નાટ્ય કળા મળીને કુલ 5 વિભાગમાં 27 સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધાઓમાં શેરી નાટક, એકાંકી સ્પર્ધા, શાસ્ત્રીય સંગીત, લોકનૃત્ય, ચિત્રકામ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, પોસ્ટર મેકીંગ કોમ્પિટીશન, વાદ-વિવાદ, ચર્ચા, ક્વીઝ વગેરેનું આયોજન કરવામાં આવશે.

પશ્ચિમ ભારતની તમામ યુનિવર્સિટીઓને આવરી લેતા આ યુથ ફેસ્ટમાં વિવિધતામાં એકતા જોવા મળશે. પશ્ચિમ ભારતની એકએકથી ચઢીયાતી વિદ્યાર્થી પ્રતિભાઓને ઉકા તરસાડીયા યુનિવર્સિટી મંચ આપશે. ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને જોવા-માણવાનો લહાવો મળશે.

ઉકા તરસાડીયા યુનિવર્સિટીના આ રાષ્ટ્રીય યુવા મહોત્સવના મૂલ્યાંકન માટે ભારત સરકારના ઉચ્ચ પદાધિકારીઓ તેમજ બાહ્ય જગતના ખ્યાતનામ કલાકારો નિર્ણાયક ભૂમિકા ભજવશે.

ઉકા તરસાડીયા યુનિવર્સિટીના વડા ડો. દિનેશ શાહ તેમજ ટ્રસ્ટી મંડળના ઉદેશને ધ્યાનમાં રાખીને આ પાંચ દિવસીય યુવા મહોત્સવને સફળતાપૂર્વક પાર પાડવા માટે તમામ વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક, બિનશૈક્ષણિક સ્ટાફ કટિબદ્ધ છે. આયોજનમાં અગ્રેસર તરીકે ડો. રોઝી પટેલ તથા તેમની ટીમને જવાબદારી સોંપવામાં આવી છે.

November 4, 2019
work_place.png
1min5020

કાઇઝાલા એપ્લિકેશન બાદ શિક્ષણ વિભાગે શિક્ષકો એક મંચ પર આવે તે માટે ફેસબુકની વર્કપ્લેસ એપ્લિકેશનનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. અત્યાર સુધી રાજ્યની સ્કૂલોના ૬૦ હજાર કરતાં વધુ શિક્ષકો વર્કપ્લેસ એપ્લિકેશન પર જોડાયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક જિલ્લાના શિક્ષકો વર્કપ્લેસ પર ઓનલાઇન ઓગમેન્ટેડ રિયાલિટી શીખી રહ્યાં છે અને અન્ય બીજા શિક્ષકોને શીખવી રહ્યાં છે, જેનો ફાયદો વિદ્યાર્થીઓને થાય છે. વિજ્ઞાન જેવા અઘરા વિષયોમાં વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે તે માટે ઓગમેન્ટેડ રિયાલિટીની મદદ શિક્ષકો લઇ રહ્યાં છે. જેથી અઘરા મુદ્દાઓને બહુ સરળતાથી વિદ્યાર્થીઓ શીખે છે. આ માટે શિક્ષકો પ્લેટફોર્મ પર પોતે તૈયાર કરેલા વિડિયો પણ એકબીજાને શેર કરી રહ્યાં છે. અત્યાર સુધી ૬૦ હજાર કરતાં વધુ શિક્ષકો વર્કપ્લેસ એપ્લિકેશનથી જોડાયા છે. આ પ્લેટફોર્મ પર શિક્ષકો પોતાના ક્રિએટિવ આઇડિયાની આપ-લે કરે છે. શહેરી વિસ્તારના શિક્ષકો અને છેવાડાના ગામની સ્કૂલોમાં અભ્યાસ કરાવતા શિક્ષકો પોતાની સ્કૂલની સારા અને મુશ્કેલ મુદ્દાઓ એકબીજાને જણાવી રહ્યાં છે.

November 2, 2019
FMGE_logo.jpeg
2min11260

વિદેશમાં મેડીકલ ભણવા જનારા વિદ્યાર્થીઓ માટે ‘શિક્ષણ સર્વદા’ એ રજૂ કરી ઉપયોગી માહિતી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભારતમાં, ગુજરાતમાં મેડીકલ કોલેજોની અપૂરતી સગવડને કારણે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ધો.12 બાયોલોજી ગ્રુપ પાસ કર્યા બાદ ડોક્ટર બનવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે વિદેશોમાં ખાસ કરીને ચીન, રશીયા, ફિલિપાઇન્સ, કઝાકિસ્તાન, વેસ્ટ ઇન્ડીઝ, નેપાળ, જ્યોર્જિયા વગેરે દેશોમાં આવેલી મેડીકલ કોલેજોમાં પ્રવેશ લઇને ભણવા માંડે છે. આ પ્રકારે વર્ષે દહાડો 200 કરોડથી વધુ ભારતીય ચલણ ફોરેનમાં ઘસડાય જઇ રહ્યું છે. ખેર અહીં મુદ્દો એ નથી પણ અહીં એક અગત્યની વાત પર દિશા નિર્દેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે વિદેશની યુનિવર્સિટીમાં સસ્તુ છે એટલે, સારું છે એટલે મળ્યું એટલે પ્રવેશ લઇ લેવાની મનોવૃતિ છોડીને વિદેશની કઇ યુનિવર્સિટીના મેડીકલ ગ્રેજ્યુએટ ભારતમાં ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટ એક્ઝામ પાસ કરી શકે છે એ જોઇને પ્રવેશ લેવો જોઇએ.

ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટ એક્ઝામ

ભારતમાં મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ નિયમ બનાવ્યો છે કે ફોરેનમાં અમેરિકા, યુ.કે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ અને કેનેડા દેશમાંથી મેડીકલ ગ્રેજ્યુએટ કરીને આવેલા હોય એવા ઉમેદવારો સિવાય બાકીના કોઇપણ દેશમાંથી મેડીકલ ગ્રેજ્યુએશન કર્યા બાદ ભારતમાં તબીબી પ્રેક્ટીસ કે પોસ્ટ ગ્રેજ્યુએશન સ્ટડી કરવા ઇચ્છતા ઉમેદવારોએ ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટ એકઝામ આપવી ફરજિયાત છે. રશીયા, ચાઇના, ફિલિપાઇન્સ, કઝાકિસ્તાન, નેપાળ, વેસ્ટ ઇન્ડીઝ વગેરેથી મેડીકલ ગ્રેજ્યુએશન કરીને આવેલા તબીબો માટે આ પરીક્ષા પાસ કરવી એટલે લોઢાના ચણા ચાવવા બરાબર કહેવાય છે.

2015-2018 સુધીમાં કેટલા FMGE પાસ કરી શક્યા? વાંચો અહીં

ભારતમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામ NBE (એન.બી.ઇ.) દ્વારા FMGE એફ.એમ.જી.ઇ. પરીક્ષા લેવામાં આવે છે અને આ એફ.એમ.જી.ઇ. પરીક્ષામાં ગત 2015થી લઇને 2018 એટલે કે ગયા વર્ષ સુધી ફિલિપાઇન્સ, રશીયા, ચાઇના અને કઝાકિસ્તાનની કઇ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ બેઠા હતા? અને તેમાંથી કેટલા પાસ થયા? તેની સઘળી માહિતી અહીં રજૂ કરવામાં આવી છે. આગામી વર્ષોમાં મેડીકલ ભણવા માટે ફોરેન જવાનું પ્લાનિંગ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ ઉપયોગી ડેટા સાબિત થશે જે નિર્ણય લેવામાં પણ સહાયભૂત નિવડશે.

ચીનની કઇ યુનિ.ના કેટલા ભારતીય વિદ્યાર્થીઓ FMGE પાસ કરી શક્યા વાંચો અહીં

રશીયાની કઇ યુનિ.ના કેટલા ભારતીય વિદ્યાર્થીઓ FMGE પાસ કરી શક્યા વાંચો અહીં

ફિલિપાઇન્સની કઇ યુનિ.ના કેટલા ભારતીય વિદ્યાર્થીઓ FMGE પાસ કરી શક્યા વાંચો અહીં


વિદેશ અભ્યાસ કે ભારતમાં કોર્સ, યુનિવર્સિટી સંબંધી અગર કારર્કિદી માર્ગદર્શન માટે મળી શકાય, અમે સૂરતમાં મળી શકીએ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 98253 44944

November 1, 2019
cmat.jpg
2min8330

MBA કરવા ઇચ્છતા કોઇપણ કોલેજના છેલ્લા વર્ષમાં ભણતા ઉમેદવારોએ CMAT આપવી અનિવાર્ય

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોઇપણ કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા એવા યુવક યુવતિઓ કે જેઓ મેનેજમેન્ટ કોલેજ, બી સ્કુલ્સમાંથી એમ.બી.એ. કરવાની ઇચ્છા ધરાવે છે એમના માટે એક માત્ર અને અમૂલ્ય તક આવી ગઇ છે.

ગુજરાતની એમ.બી.એ. કોલેજ સમેત સમગ્ર દેશની મોટી ભાગની બી સ્કુલ્સના એમ.બી.એ.માં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે CMAT પ્રવેશ પરીક્ષાનો સ્કોર જરૂરી છે. CMATના સ્કોરના આધારે મેરીટ લિસ્ટ બને છે અને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવે છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ CMAT 2020નું સમયપત્રક જાહેર કરી દીધું છે અને CMAT 2020 માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યા છે.

CMAT 2020 માટેની લાયકાત શું

હાલમાં ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા કોઇપણ કોલેજના વિદ્યાર્થીઓ CMAT 2020 માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. CMAT માટે ઉંમરનો કોઇ બાધ નથી. ભૂતકાળમાં કોઇપણ વર્ષે ગ્રેજ્યુએટ થયા હોય એવા ઉમેદવારો પણ જો ઇચ્છે તો CMAT 2020 પરીક્ષા આપી શકે છે.

CMAT 2020 નું પ્રોસ્પેક્ટસ નીચેની લિંક ક્લીક કરીને ડાઉનલોડ કરી શકો

https://cmat.nta.nic.in/WebInfo/Handler/FileHandler.ashx?i=File&ii=99&iii=Y

October 23, 2019
qs.jpg
1min4310

આઇઆઇટી-બૉમ્બેને ભારતની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાની યાદીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત થયું હોવાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ હતી. ક્યુએસ (ક્વેક્વેરેલ સાયમન્ડસ) ઇન્ડિયા યુનિવર્સિટી રેન્કિંગની ૨૦૨૦ની યાદી મંગળવારે જાહેર કરવામાં આવી હતી, તેમાં આઇઆઇટી બૉમ્બે પહેલા ક્રમાંકે, આઇઆઇએસસી (ઇન્ડિયન ઇસ્ટિટ્યૂટ ઓફ સાયન્સ) બૅંગ્લોરબીજા અને આઇઆઇટી દિલ્હી ત્રીજા, આઇઆઇટી મદ્રાસ ચોથા, આઇઆઇટી ખડગપુર પાંચમા અને આઇઆઇટી કાનપુર છઠ્ઠા સ્થાને હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. તાજેતરમાં વિદ્યાર્થીઓને અપાતા રોજગારની દૃષ્ટિએ પણ આઇઆઇટી બૉમ્બેએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ભારતીય સંસ્થાઓ માટે ક્યુએસ રૅન્કિંગની બીજી આવૃત્તિ મંગળવારે જાહેર કરવામાં આવી હતી.

October 19, 2019
CIA_Live_Logo_New2.jpg
2min18510

એડમિશન કમિટીને ભાજીમૂળા સમજતી પારુલ યુનિવર્સિટી હાઇકોર્ટનો તમાચો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જે યુનિવર્સિટીના પ્રમોટર સામે રેપ કેસ ચાલી રહ્યો છે પારુલ યુનિવર્સિટીના સંચાલકો ખોટું કરવા માટે ટેવાયેલા હોય તેવું જણાય આવે છે. 2017-18માં પારુલ યુનિવર્સિટીએ મેડીકલ એડમિશન કમિટીને પૂછ્યા મૂક્યા વગર એમ.બી.બી.એસ.માં 15 વિદ્યાર્થીઓને મનસ્વી રીતે (કેવા વ્યવહારો કર્યા હશે એ તો પારુલના સંચાલકો જ જાણે) પ્રવેશ ફાળવી દીધા હતા. એમ.બી.બી.એસ. જેવા ભારતના સૌથી ડીમાન્ડેડ અને મહત્વના કોર્સમાં એડમિશન કમિટીની ઉપરવટ જઇને આપેલા પ્રવેશ મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્કેનરમાં આવી ગયા હતા અને પહેલા જ વર્ષે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોએ મનસ્વી રીતે, ગુજરાતની એડમિશન કમિટીની જાણ બહાર આપેલા 15 પ્રવેશને અમાન્ય ગણીને તેમને માન્યતા આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

પારુલ યુનિવર્સિટીમાં પ્રવેશ લેતા પહેલા વિચારવા જેવું

15 વિદ્યાર્થીઓનું ભવિષ્ય, વિદ્યાર્થી હિતને આગળ ધરીને પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોએ 15 વિદ્યાર્થીઓના પ્રવેશને કાયદેસર કરી આપવે સબબની એક પીટીશન ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી. ગુજરાત હાઇકોર્ટે આ પીટીશનના હિયરીંગમાં પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોની આકરી ટીકા કરતા ટાંક્યું હતું કે વિદ્યાર્થી હિત આગળ ધરીને ગેરકાનૂની રીતે અપાયેલા પ્રવેશ કેવી રીતે રેગ્યુલરાઇઝ કરી શકાય.

ગુજરાતમાં મેડીકલ એડમિશન ઓનલાઇન સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમથી હાથ ધરાય છે, ગુજરાત સરકારની કમિટી આ કામ કરે છે, ગમે તેવા સંજોગો ઉપસ્થિત થાય, એડમિશન કમિટીએ ફાળવેલા વિદ્યાર્થીઓને જ કોલેજોએ પ્રવેશ ફાળવવા પડે છે. પારુલ યુનિવર્સિટીમાં 15 જગ્યા ખાલી પડી હોય તેથી શું થયું, એડમિશન કમિટીની જાણ બહાર મનસ્વી રીતે, મેરીટ લિસ્ટની અવગણના કરીને પારુલ યુનિવર્સિટીએ આપેલા પ્રવેશને વિદ્યાર્થી હિત આગળ ધરીને રેગ્યુલરાઇઝ કરી આપવાનો હાઇકોર્ટે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.

બે વર્ષથી પારુલ યુનિવર્સિટીમાં એમબીબીએસ ભણતા 15 વિદ્યાર્થીઓને પારુલ યુનિવર્સિટીના સંચાલકોએ જ રઝળાવી માર્યા

આ સાથે જ છેલ્લા 2 વર્ષથી પારુલ યુનિવર્સિટીની મેડીકલ કોલેજમાં અભ્યાસ કરનારા 15 વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડવાના ધંધા પારુલ યુનિવર્સિટીએ કર્યા એની જવાબદારી કોની, આ વિદ્યાર્થીઓનું હવે શું થશે, પારુલ યુનિવર્સિટીએ 2018માં આ પ્રવેશ આપવાના બદલામાં કેવા વ્યવહારો કર્યા એ બધી જ વિગતો હવે તપાસનો વિષય બની છે.

પારુલ યુનિ.એ બારોબાર આપેલા પ્રવેશમાં નીટની લાયકાત હશે કે કેમ એ પણ શંકા

પારુલ યુનિવર્સિટીએ જે 15 વિદ્યાર્થીઓને મેડીકલમાં પ્રવેશ આપ્યા હતા, તેમના નામો મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેરીટ લિસ્ટમાં પણ ઉપલબ્ધ ન હતા, જેનો અર્થ એ પણ કાઢી શકાય કે પ્રવેશાર્થીઓએ નીટનું ક્વોલિફિકેશન પણ મેળવ્યું હશે કે કેમ એ સવાલ છે. પારુલ યુનિવર્સિટીએ એવી દલીલ કરી હતી કે પ્રવેશ સમિતિએ ફાળવેલા વિદ્યાર્થીઓ પૈકી 15 વિદ્યાર્થીઓએ મેડીકલમાં પ્રવેશ કેન્સલ કરાવ્યા હતા, એથી તેમની 15 બેઠકો ખાલી પડી રહી હતી. 15 ખાલી બેઠકો પર પ્રવેશાર્થી ફાળવવા માટે પારુલ યુનિવર્સિટીએ એડમિશન કમિટીને એપ્રોચ કર્યો હતો પરંતુ, એડમિશન કમિટીએ રિસ્પોન્સ નહીં આપતા બારોબાર પ્રવેશ આપવા પડ્યા હતા, આ પ્રકારની કેફિયત પારુલ યુનિવર્સિટી દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.

Media Reports on Parul University Medical Admission issue

https://ahmedabadmirror.indiatimes.com/ahmedabad/education/hc-turns-down-plea-to-regularise-admissions-of-15-mbbs-students/articleshow/71621984.cms

Gujarat Guardian Dt. 19/10/2019

October 11, 2019
vacant.png
1min5220

વર્ષ ૨૦૨૦ના સત્રમાં દેશમાં કોઇ નવી એન્જિનિયરિંગ કૉલેજ નહીં ખૂલે અને બીટૅકના કોઇ પણ કોર્સમાં કોઇ સીટ પણ નહીં વધે. ખરાબ પ્રદર્શન અને નિયમોનું ઉલ્લંઘન કરવાવાળી કૉલેજ બંધ થશે. કેન્દ્ર સરકારે તેમની ગઠિત વર્કીંગ કમિટીની ભલામણોને મંજૂરી આપી દીધી છે. આ બધું ગુણવત્તાવાળા એન્જિનિયર પેદા કરવા માટે નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એન્જિનિયરોની ઘટતી માગના બહાને કરવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટૅક્નિકલ એજ્યુકેશન (એઆઇસીટીઇ) શૈક્ષણિક સત્ર ૨૦૨૦-૨૧માં નવી એન્જિનિયરિંગ કૉલેજોને માન્યતા નહીં આપવામાં આવે. રાજ્યોને પણ આ સંબંધે સૂચના જારી કરવામાં આવશે. આ ઉપરાંત કોઇ પણ એન્જિનિયરિંગ કૉલેજ અને બીટૅકના કોઇ પણ કોર્સમાં કોઇ સીટ પણ નહીં વધે. કૉલેજોએ વિભિન્ન કોર્સમાં સ્પેશિયલાઇઝેશન પર ધ્યાન આપવું પડશે જેમ કે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઑફ થિંકિંગ વગેરે.

૨૦૧૮માં સરકારે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય માર્કેટમાં એન્જિનિયરની માગ પરખવા માટે આઇઆઇટી હૈદરાબાદના બૉર્ડ ઑફ ગવર્નરના ચેરમેન પ્રો. બીવીઆર મોહન રેડ્ડીની અધ્યક્ષતામાં આઠ સભ્યની સમિતિનું ગઠન કર્યું હતું. એમાં આઇઆઇટી, ફિક્કી, નૅસકૉમ, એસોચેમ વગેરેના વિશેષજ્ઞો સામેલ હતા. સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષથી એન્જિનિયરિંગના કોર્સની ૫૦ ટકા બેઠક ખાલી છે. માત્ર બાવન ટકા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળી રહ્યું છે.

સમિતિએ ૨૦૨૦માં નવી એન્જિનિયરિંગ કૉલેજ નહીં ખોલવાની ભલામણ કરી હતી. એઆઇસીટીઇની કૉલેજોમાં ૨૦૨૦થી એઆઇ અને ડેટા સાયન્સ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ) કોર્સ શીખવવામાં આવશે. જોકે, આ કોર્સ એ સંસ્થાનોમાં જ શરૂ થશે, જે એનઆઇઆરએફ રેન્કિંગમાં સો અને એનબીએ એક્રિડિટેશનમાં ૭૫ ટકાથી વધારે અંક લાવ્યા હોય.

October 10, 2019
uceed1.jpg
4min10990

આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ પણ IITમાં ભણી શકે : વાંચો કેવી રીતે?

શિર્ષક વાંચીને ઘણાં કહેવાતા શિક્ષણશાસ્ત્રીઓના ભવાં ચઢી જશે. કારકિર્દી માર્ગદર્શનના નામે સાવ અધૂરા ઘડાં જેવા શિક્ષણશાસ્ત્રીઓ એવા વક્તા બની બેઠા છે કે જેઓ વિદ્યાર્થીઓને કયા રસ્તે જવું એ તો દિશાનિર્દેશ કરી શક્તા નથી બલ્કે ખોટી માહિતીઓથી ગેરમાર્ગે દોરાતાં વિદ્યાર્થીઓને એ બાબતનું ભાન થાય ત્યારે કારકિર્દી ઘડતરનો મહત્વનો સમય પૂરો થઇ ચૂક્યો હોય છે. શિક્ષણ સર્વદા, સૂરતની ટીમ આ મુદ્દે અત્યંત ચોકસાઇ અને ચિવટાઇ રાખીને છેલ્લા 15 વર્ષથી કારકિર્દી ઘડતરનું કાર્ય કરી રહી છે.

શિક્ષણ સર્વદા અને સી.આઇ.એ. લાઇવ વિદ્યાર્થીઓને સતત ઉપયોગી સમચારો પ્રકાશિત કરીને માર્ગદર્શિત કરવાનું કામ કરી રહ્યા છે.

આઇ.આઇ.ટી. એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી એટલે મોટા ભાગના લોકોના માનસમાં એવો જ ખ્યાલ કે અહીં ધો.12 સાયન્સમાં મેથ્સ પાસ કરનારા વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળે છે. ના. એવું નથી. ધો.12 સાયન્સ મેથ્સ ઉપરાંત બાયોલોજી ધરાવતા વિદ્યાર્થીઓ તેમજ આર્ટસ, કોમર્સ અન્ય પ્રવાહ હોય તો એવા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ પાત્ર બને છે એવા પણ અનેક કોર્સ આઇ.આઇ.ટી.ઓમાં ચાલી રહ્યા છે.

Career Counselling : 98253 44944

અહીં વાત કરી રહ્યા છીએ ડિઝાઇનિંગના કોર્સની. સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે ભારતની 23 આઇ.આઇ.ટી. પૈકીની બોમ્બે આઇ.આઇ.ટી.

બોમ્બે આઇ.આઇ.ટી. તેમજ દેશની અન્ય પ્રતિષ્ઠિત ડિઝાઇન ઇન્સ્ટીટ્યૂટસમાં ડિઝાઇનિંગના અત્યંત મહત્વના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. જેમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. આ પ્રવેશ પરીક્ષાનું નામ છે UCEED .

UCEED નું ફુલફોર્મ થાય છે Undergraduate Common Entrance Exam for Design

2020માં આઇ.આઇ.ટી. સમેતની દેશની ટોચની ડિઝાઇન ઇન્સ્ટીટ્યૂટસમાં પ્રવેશ કાર્યવાહીમાં UCEED નું ફુલફોર્મ થાય છે Undergraduate Common Entrance Exam for Design નો સ્કોર મેરીટ તરીકે ગણવામાં આવે છે. આ UCEED-2020 ના ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યા છે.

ડિઝાઇનિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગતા ધો.12 સાયન્સ, કોમર્સ, આર્ટસ કે અન્ય પ્રવાહના હાલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ UCEED – Undergraduate Common Entrance Exam for Design 2020 પરીક્ષા આપી શકે છે.

પ્રસ્તુત છે UCEED – Undergraduate Common Entrance Exam for Design રજિસ્ટ્રેશનની સઘળી વિગતો

Indian Institute of Technology (IIT) Bombay has invited online applications for Undergraduate Common Entrance Exam for Design (UCEED) on its official website today i.e., October 9, 2019. The interested candidates can apply online for UCEED 2020 through the official website of UCEED — uceed.iitb.ac.in – from today.

The last date to submit online applications for UCEED 2020 is November 9, 2019. Candidates can also apply for UCEED 2020 from November 10 to 16, 2019 with late fees.

All national (Indian and Foreign) candidates can apply for UCEED 2020. Candidates seeking admission to the Bachelor Degree programme in Design (B. Des.) at Indian Institute of Technology Bombay (IITB), Indian Institute of Technology Guwahati (IITG), Indian Institute of Technology Hyderabad (IITH), and Indian Institute of Information Technology Design and Manufacturing Jabalpur (IIITDMJ) need to qualify in UCEED 2020.

IIT Bombay, the organising institute will conduct UCEED 2020 on January 18, 2020. UCEED 2020 will be held in the following 24 cities in India — Ahmedabad, Bengaluru, Bhopal, Bhubaneswar, Chandigarh, Chennai, Dehradun, Delhi, Ernakulam, Panaji, Guwahati, Hyderabad, Jaipur, Lucknow, Kolkata, Kozhikode, Mumbai, Nagpur, Patna, Pune, Raipur, Thiruvananthapuram, Thrissur and Visakhapatnam.

Age limit

Candidates belonging to OPEN/EWS/OBC-NCL category should have born on or after October 1, 1995. For SC, ST or PwD category, they should have been born on or after October 1, 1990.

Eligibility

The candidate should have passed the qualifying examination (Class XII or equivalent) in 2019, OR appearing in 2020. Students from all streams (Science, Commerce, and Arts & Humanities) are eligible to apply for UCEED 2020. Candidates who appeared for the first time in their qualifying examination in 2018 or earlier are not eligible.


October 10, 2019
leo4-1280x853.jpg
2min11200

Super-30ના આનંદ કુમારને તેડાવવા મોટી મોટી બ્રાન્ડેડ સ્કુલો વિફળ રહી: લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટી. સદભાગી રહ્યું

આજે એવો જમાનો છે જ્યાંથી એજ્યુકેશન પ્લસ એટલે કે શિક્ષણ ઉપરાંત અન્ય બાબતોનું એક્સપોઝર મળે એ જરૂરી છે અન્યથા વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસમાં ઉણપ રહે એ સ્વાભાવિક છે. અહીં વાત બિહારના સુપર-30 અને આનંદ કુમારની કરવી છે. ગઇ તા.6 ઓક્ટોબર 2019ના રોજ બિહારના સુપર-30ના સ્થાપક અને ઇન્ટરનેશનલ પર્સનાલિટીમાં જેઓ સ્થાન પામે છે એ આનંદ કુમાર સુરતમાં હતા.

તા.6 ઓક્ટોબર 2019ને રવિવારની બપોરે સુપર-30 ના સ્થાપક વિદ્યાર્થીઓના પ્રેરણાસ્ત્રોત સમા શ્રી આનંદ કુમારને પોતાની શાળામાં આવકારી રહેલા લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના સ્થાપક શ્રી જયસુખભાઇ કથીરીયા

આ એ જ આનંદ કુમાર છે જેના જીવન પરથી હ્રિતિક રોશન અભિનિત ફિલ્મ સુપર-30 બની છે અને હાલ દુનિયાભરમાં એ જોવાય રહી છે. વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રો સમા બિહારના આ રિયલ હીરો જ્યારે સુરતમાં હોય ત્યારે સ્વાભાવિક છે કે સૂરતની મોટી મોટી બ્રાન્ડેડ સ્કુલો તેમને સ્કુલમાં તેડાવવા માટે અનેક પ્રકારે પ્રયાસો કરી ચૂકતી હોય છે. પણ અહીં કહેવા દો કે મોટી સ્કૂલો સુપર-30ના આનંદ કુમારને મેળવી શકી નહીં અને સૂરતની મુલાકાત અત્યંત ટૂંકી હોવા છતાં ઉધના વિસ્તારમાં લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યૂશન્સનું સંચાલન કરી રહેલા જયસુખભાઇ કથીરીયાને સુપર-30ના આનંદ કુમારે પૂરો એક કલાક ફાળવ્યો હતો.

સૂરતની બ્રાન્ડેડ, મોટી મોટી શાળાઓની ઓફરો ઠુકરાવીને સુપર-30ના સંચાલક શ્રી આનંદ કુમાર ઉધનાની લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યૂટ્સમાં ધો.10ના વિદ્યાર્થીઓને સંબોધવા પહોંચ્યા હતા. લિયો ગ્રુપના સ્થાપક શ્રી જયસુખભાઇ કથિરીયા સાથે તેમની યાદગાર તસ્વીર

સુપર-30ના આનંદ કુમારે લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સમાં ઉધના મેઇન રોડ પર બીઆરસીની સામે આવેલી સનરેઝ સ્કુલના ખીચોખીચ ભરેલા ઓડીટોરીયમ ખાતે લિયો ગ્રુપના વિદ્યાર્થીઓને સંબોધતા 45 મિનિટ સુધી પ્રેરણાદાયી ટીપ્સ આપી હતી.

સમસ્ત બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટ, સૂરતના આગેવાનોની મદદથી સૂરતના ઉધના વિસ્તારમાં કાર્યરત લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સમાં સુપર-30ના સ્થાપક શ્રી આનંદ કુમારે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું એ પૂર્વે આગેવાનોએ તેમનું મોમેન્ટો અર્પણ કરીને બહુમાન કર્યું હતું

લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના ધો.10ના સેંકડો વિદ્યાર્થીઓને સંબોધતા સુપર-30ના આનંદ કુમારને દરેકે દરેક વિધાનમાં એક સંદેશો હતો, દરેક વિધાનમાં સફળતાના રહસ્યો હતા. આમેય આનંદ કુમાર જ્યારે સમગ્ર વિશ્વના બાળકો માટે પ્રેરણામૂર્તિ બની રહ્યા છે ત્યારે લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના વિદ્યાર્થીઓ માટે સુપર-30ના આનંદ કુમારની મુલાકાત અને ટીપ્સ જીવનભરનું સંભારણું અને લાઇફટાઇમ એક્સ્પોઝર સમાન બની રહી છે.

કાર્યક્રમના સમાપન બાદ સુપર-30ના આનંદ કુમારે લિયો ગ્રુપ ઓપ ઇન્સ્ટીટ્યુટ્સના વિદ્યાર્થીઓ સાથે મોકળા મને સેલ્ફી આપી હતી.

ઉધનાના લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સમાં કાર્યક્રમ બાદ સુપર-30ના સ્થાપક શ્રી આનંદ કુમાર સાથે સેલ્ફી લેવા માટે સેંકડો વિદ્યાર્થીઓ, આગેવાનોએ કતારો લગાડી દીધી હતી.

કાર્યક્રમ અંગે લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના શ્રી જયસુખભાઇ કથિરીયાએ જણાવ્યું હતું કે તેમના મિત્ર અને સામાજિક આગેવાન શ્રી અજયભાઇ ચૌધરીના પ્રયાસો થકી તેઓ સુપર-30ના આનંદ કુમારને સંસ્થાના વિદ્યાર્થીઓ માટે મેળવી શક્યા હતા. શ્રી જયસુખભાઇ કથિરીયાએ સમસ્ત બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટ, સૂરત તેમજ શ્રી અજયભાઇ ચૌધરી સમેત તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.