સૌરાષ્ટ્ર Archives - Page 29 of 61 - CIA Live

October 24, 2020
pm_modi.jpg
1min5380

કિસાન સૂર્યોદય યોજના

કિસાન સૂર્યોદય યોજનાનું ઈ લોકાર્પણ પણ આજે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત જૂનાગઢ, દાહોદ, ગીર સોમનાથ અને પાટણ જિલ્લાના 1000થી વધુ ગામડાને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના 17.25 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સવારના 5થી રાત્રીના 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવશે. માળખાકીય સુવિધા ઉભું કરવા માટે આગામી 3 વર્ષ માટે રૂપિયા 3500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગિરનાર રોપ-વે

એશિયાનો સૌથી મોટા રોપવે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ PM નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. ગિરનાર રોપવેના ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં CM વિજય રૂપાણી સહિત અન્ય મંત્રીઓ જૂનાગઢમાં ઉપસ્થિત છે. PM નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ સાથે સાથે કિસાન સૂર્યોદય યોજનાને પણ શરૂ કરવામાં આવી છે. રોપવે દ્વારા 2.3 કિલોમીટરનુ અંતર માત્ર 8 મિનિટમાં કાપવામાં આવશે. ઉષા બ્રેકો કંપની દ્વારા 130 કરોડના ખર્ચે ગિરનાર રોપવે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે ગિરનાર રોપવેને લઇને સૌથી વધુ ઉત્સુકતા જુનાગઢવાસીઓમાં છે.

યુ.એન. મહેતા હોસ્પિટલ

યુ.એન.મહેતા હોસ્પિટલમાં હૃદયરોગ માટે નવી બિલ્ડીંગનવજાત શિશુને જન્મતાની સાથે જ જો હૃદયરોગ હશે તો અત્યાધુનિક સુવિધા પ્રાપ્ય બની શકે એ હૉસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ યુ.એન.મહેતા હૉસ્પિટલમાં આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં છે. અમદાવાદમાં યુ એન મહેતા હોસ્પિટલ (U.N. Maheta) જેમાં બાળ હૃદયરોગ હોસ્પિટલની નવી બિલ્ડીંગ તૈયાર કરવામાં આવી છે. આ બિલ્ડીંગનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇ લોકાર્પણ કરીને દર્દીઓની સારવાર માટે ખુલ્લી મુકી છે. અતિ આધુનિક ટેકનોલોજી સાથે સજ્જ કરાય છે. યુ.એન.મહેતા હોસ્પિટલ માં તાજા જન્મેલા બાળકોથી માંડી વૃદ્ધાવસ્થા સુધીની તમામ ઉંમરના હૃદયરોગના દર્દીઓની સંપૂર્ણ સારવાર થશે.

October 21, 2020
election_voting.jpg
1min4800

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની ૩જી નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણીનું ચિત્ર ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની પ્રક્રિયાને અંતે આખરે સ્પષ્ટ થયું છે. આઠ બેઠકો માટે ૮૧ ઉમેદવાર મેદાનમાં રહ્યાં છે. સૌથી વધુ લિંબડી બેઠક પર ૧૪ ઉમેદવાર ચૂંટણી લડશે.

ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આઠ બેઠકોની પેટા-ચૂંટણીઓ માટે ૩જી નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. અબડાસા, લિંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠકો પરના કોંગ્રેસના સીટીંગ ધારા સભ્યોના રાજીનામા બાદ આ બેઠકો ખાલી પડી હતી. જેની પેટા ચૂંટણી જાહેર થયા બાદ આઠ બેઠકો માટે ૧૦૨ ઉમેદવારીપત્રોમાંથી ૨૧ ફોર્મ સોમવાર સુધી પરત ખેંચાયા હતા, જેમાં ૮૧ ઉમેદવારો મેદાનમાં હતા, લિંબડીમાં સૌથી વધુ ૧૪ ઉમેદવારો છે, જ્યારે અનુસૂચિત જનજાતિ (એસટી)ના ઉમેદવારો માટે અનામત કપરાડામાં સૌથી ઓછા ચાર ઉમેદવારો છે. મોરબી અને ગઢડા બેઠકો પરના દરેક ૧૨ ઉમેદવાર મેદાનમાં છે, ત્યારબાદ ધારીમાં ૧૧, અબડાસામાં ૧૦ અને કરજણ અને ડાંગમાં નવ ઉમેદવાર છે. સત્તાધારી ભાજપ અને વિપક્ષી કોંગ્રેસના ઉમેદવારો આઠ બેઠકો પર એકબીજાની સામે છે. ભારતીય આદિજાતિ પાર્ટીએ ડાંગમાં પણ બે ઉમેદવારો ઉભા રાખ્યા છે, બહુજન મહા પાર્ટી, બહુજન મુક્તિ પાર્ટી, ભારતીય જન પરિષદ, અખિલ ભારતીય રાજય સભા, અખિલ ભારતીય મજલિશ-એ-ઇન્કલાબ-એ-મિલ્લટ, રાષ્ટ્રવાદી જન ચેતન, યુવા જન જાગૃતિ, વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, અને રાષ્ટ્રિય જનક્રાંતિ જેવા ઓછા જાણીતા પોશાક પહેરે. પાર્ટીએ કેટલીક બેઠકો પર એક કે બે ઉમેદવારો પણ ઊભા રાખ્યા છે.

જોકે આ ચૂંટણીમાં ભાજપે પ્રદ્યુમસિંહ જાડેજા (અબડાસા), કિરીટસિંહ રાણા (લિંબડી), બ્રિજેશ મેરજા (મોરબી), જે. વી. કાકડિયા (ધારી), આત્મરામ પરમાર, અક્ષય પટેલ (કરજણ), વિજય પટેલ (ડાંગ) અને જીતુભાઇ ચૌધરી (કપરાડા) મેદાનમાં ઊતર્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારોમાં શાંતિલાલ સેંધાણી (અબડાસા), ચેતન ખાચર (લિંબડી), જયંતિલાલ પટેલ (મોરબી), સુરેશ કોટડિયા (ધારી), મોહન સોલંકી (ગઢડા), કિરીટસિંહ જાડેજા (કરજણ), સૂર્યકાંત ગાવિત (ડાંગ) અને બાબુભાઈ પટેલ (કપરાડા)નો સમાવેશ થાય છે.

October 21, 2020
childlabour.jpg
1min5440

ગુજરાતમાં ખેતરોમાં સવા લાખથી વધુ બાળકો ખેત મજૂરી કરતા હોવાના ઘટસ્ફોટ એક એનજીઓ દ્વ્રારા કરવામાં આવ્યો છે. મોટાભાગે આદિવાસી, ગુજારાતમાં કપાસિયા ખેતરોમાં ગેરકાયદેસર નોકરી કરે છે, એમ એક શહેર સ્થિત એનજીઓએ દાવો કર્યો છે.

રાજ્યના મજૂર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ એનજીઓ દ્વારા નિર્દિષ્ટ વિસ્તારોમાં તેમની ટીમો મોકલશે અને જો કોઈ ગેરરીતિ જણાશે તો કાર્યવાહી કરશે.

સેન્ટર ફોર લેબર રિસર્ચ એન્ડ એક્શનના સુધિર કટિયારે સોમવારે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે બીજ કંપનીઓ દ્વારા ખેડૂતોને ઓછા ભાવો ચૂકવવામાં આવતા મુખ્ય કારણો છે કે ખેડૂતો ખેતરોમાં ક્રોસ પરાગનયન કાર્ય માટે પુખ્ત વયના બદલે બાળકોને રોજગારી આપી રહ્યા છે.”એક અધ્યયન મુજબ આદિવાસી બાળકોને એક દિવસના કામ માટે માત્ર ૧૦ રૂપિયા ચૂકવવામાં આવે છે, જેના માટે એક પુખ્ત મજૂરી કરનાર સ્થાયી થાય છે. આશરે ૧.૩૦ લાખ બાળકો કપાસના ખેતરોમાં મજૂરી કરે છે, એમ કટિયારે દાવો કર્યો હતો.

આશરે ૧૦ વર્ષ પહેલા ઉત્તર ગુજરાતના પ્રદેશમાં આવા ખેતરોમાં બાળ મજૂરી વિરુદ્ધ રાજ્ય સરકારની કડક કાર્યવાહી બાદ, કપાસિયા ઉદ્યોગ ઉત્પાદને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી ખેતરોમાં ખસેડ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું. કટિયારે જણાવ્યું હતું કે, જોકે બદલીને કારણે દક્ષિણ રાજસ્થાનથી સ્થળાંતર અને બાળકોના ટ્રાફિકિંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, કપાસિયા ઉદ્યોગમાં બાળ મજૂરી ચાલુ છે, કારણ કે સ્થાનિક આદિજાતિ બાળકો હવે ખેતમજૂરો તરીકે રોકાયેલા છે. આ ગેરકાયદેસર પ્રથાને રોકવા માટે, બીજ કંપનીઓએ કપાસિયા ઊપજ માટે ખેડૂતોને વધુ સારા ભાવ આપવાનું વિચારવું જોઇએ, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અમે સરકારને વિનંતી પણ કરીએ છીએ કે ઉદ્યોગમાં બદલાયેલી રીતની નોંધ લે અને બાળ મજૂરી રોકવા માટે નવી રણનીતિ ઘડીએ.

રાજ્યના નાયબ શ્રમ આયુક્ત એમ. સી. કારિયાએ આ અંગે જણાવ્યું હતું કે તેઓ કટિયારે ઊભા કરેલા મુદ્દાની નોંધ લીધી છે અને જરૂર પડ્યે કાર્યવાહી કરવામાં આવશે.

અધિકારીએ જણાવ્યું હતું, “અમારા વિભાગે અગાઉ ઉત્તર ગુજરાતના પ્રદેશમાં બાળ મજૂરી અને હેરાફેરીની આખી ચેઇન તોડી નાખી હતી. આ પ્રવૃત્તિ પર નજર રાખવા માટે અમે નિયમિતપણે ડ્રાઇવ ચલાવીએ છીએ,” અધિકારીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું, “હું આ વિસ્તારોમાં ટીમો મોકલીશ અને જો કોઈ ગેરરીતિ મળી આવે તો કાર્યવાહી કરીશ.

October 16, 2020
aarti.jpg
1min6700

15 ઓક્ટોબરની સરકારી જાહેરાત સામે ભારે લોકરોષ ઉઠ્યો હતો

આવતીકાલથી નવરાત્રી શરુ થઈ રહી છે, ત્યારે રાજ્ય સરકારે માતાજીની પૂજા-આરતીની પરમિશન લેવા અંગે એક મહત્વની જાહેરાત કરી છે. સરકારના જણાવ્યા અનુસાર, ફ્લેટ કે સોસાયટીના પ્રિમાઈસિસમાં માતાજીની સ્થાપના કરી પૂજા કે આરતી કરવા માટે પોલીસની પરમિશન લેવાની જરુર નથી. માત્ર જાહેર અને સાર્વજનિક સ્થળો, તેમજ રસ્તા પર આરતી કે પૂજા કરવા માટે પોલીસની મંજૂરી લેવી આવશ્યક છે.

સરકારે જાહેર કરેલી SOPને કારણે પોલીસ સ્ટેશનોમાં વિવિધ સોસાયટી અને ફ્લેટોના પ્રતિનિધિઓએ મંજૂરી લેવા માટે લાઈનો લગાવી હતી. સરકારના આ નિર્ણય સામે કચવાટ પણ જોવા મળી રહ્યો હતો. તેવામાં આજે આ નિયમમાંથી સોસાયટી અને ફ્લેટોને બાકાત કરવામાં આવ્યા છે. જોકે, આ છૂટ માત્ર આરતી અને પૂજા પૂરતી જ છે. ગરબા નહીં યોજી શકાય તેવો નિયમ યથાવત છે.

15 ઓક્ટોબરે સરકારે આ જાહેરાત કરી હતી

ગુજરાતમાં નવરાત્રિમાં આરતી-પૂજા માટે પણ પોલીસ પરમિશન લેવી પડશે

આગામી શનિવારથી ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. કોરોના મહામારીને લઈ આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગરબાને પરમિશન આપવામાં આવી નથી. એક કલાક માટે માત્ર પૂજા અને આરતી કરી શકાશે, જેના માટે પોલીસની પરવાનગી લેવી ફરજિયાત કરવામાં આવી છે. એક કલાકની આરતી અને પૂજાના કાર્યક્રમમાં પણ સોસાયટી અને ફ્લેટમાં સોશિયલ ડિસ્ટન્સ માટે માર્કિંગ ફરજિયાત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગરબાની પરમિશન આપવામાં આવી નથી.

એક કલાકના કાર્યક્રમમાં સોસાયટી અને ફ્લેટમાં જ્યારે લોકો આરતી-પૂજા માટે ભેગા થાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. આરતીના સ્થળ પર સોશિયલ ડિસ્ટન્સ માટે ૬ ફૂટના અંતરનું માર્કિંગ ફરજિયાત છે. માસ્ક અને કોરોનાની અન્ય ગાઈડલાઈન્સનું લોકોએ પાલન કરવું પડશે. નવરાત્રિને લઈ આ વર્ષે ગરબાનું આયોજન નથી, પરંતુ દરેક સોસાયટી અને ફ્લેટમાં આરતી અને પૂજાના એક કલાકના કાર્યક્રમ માટે પોલીસ પરમિશન ફરજિયાત છે, જેના માટે સોસાયટીના લેટરપેડ પર સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ પરમિશન લેવી પડશે.

સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ અરજી કરવી પડશે.પોલીસ દ્વારા ગાઈડલાઈન્સ પણ આપવામાં આવશે. આજથી આ પરમિશન આપવાની કામગીરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં શરૂ થઈ ગઈ છે. જે સોસાયટીએ એક કલાકના આરતી અને પૂજાના કાર્યક્રમ માટે પરમિશન નથી લીધી તેમની સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.

October 15, 2020
prasad.jpg
1min5720

રાજ્યના મંદિરોમાં પ્રસાદ વિતરણને લઇને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામા ંઆવ્યો છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેર કર્યું હતું કે, રાજ્યમાં મંદિરોમાં હવેથી બંધ પેકેટમાં પ્રસાદી આપી શકશે અને જે મંદિરો આ પ્રમાણે ભક્તોને પ્રસાદ આપવા માગતા હોય તે પ્રસાદ આપી શકે છે. પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, 7 જૂન 2020થી રાજ્ય સરકાર’ નક્કી કર્યું હતું કે, નિશ્ચિત માર્ગદર્શક સૂચનાના આધાર પર રાજ્યના મંદિરો દર્શન માટે ખોલવામાં આવે. રાજ્ય સરકારે કોઇ પણ મંદિર દર્શન માટે બંધ કર્યા નથી. કેટલી જગ્યા પર નવરાત્રિના સમયમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ અને દર્શનાર્થીઓ આવતા હોવાથી તેમજ કેટલીક જગ્યાએ ધર્મસ્થાનોમાં પૂરતી જગ્યા ન હોવાના કારણે અને કેટલાક મંદિર પર્વતની ટોચ પર હોવાના કારણે લાખો લોકો આવે તો ત્યાં સંક્રમણની શક્યતા વધી શકે છે. તેવા સંજોગોમાં જે તે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા આ અંગેનો જરૂરી નિર્ણય લેવામાં આવ્યા છે. મંદિરમાં પરંપરાગત પૂજા, અર્ચના, આરતી અને હવનની પરંપરાઓ ચાલુ રહેવાની છે પરંતુ મંદિર સુધીના માર્ગ પર ઓછામાં ઓછા લોકો દાખલ થઇ શકે તેવી વ્યવસ્થા આ પરિસ્થિતિ વચ્ચે કરવામાં આવી છે અને રસ્તાની વચ્ચેના ભાગમાં એલઇડીની વ્યવસ્થા કરીને દર્શનાર્થીઓને દર્શન થાય તેના માટેની સુવિધા ઊભી કરી છે.

તેમણે કહ્યું હતું કે, જ્યારથી અનલોક 1 થયું ત્યારથી ગુજરાતના તમામે તમામ મંદિરોમાં નિશ્ચિત માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરીને તમામ જગ્યાએ દર્શન ખુલ્લા કરવામાં આવ્યા છે. નવરાત્રિ દરમિયાન અલગ-અલગ ટ્રસ્ટોએ પોતાની સગવડ અનુસાર અને સામાજિક અંતર જાળવીને જે નિર્ણયો લીધા છે. ટ્રસ્ટીઓએ પોતાની સ્થળ પરની પરિસ્થિતિ અને કોરોના સંક્રમણ વધે નહીં તેના માટે નિર્ણયો લીધા છે. સાથે-સાથે રાજ્ય સરકારે આ નવરાત્રિના સમય દરમિયાન તમામ ધર્મસ્થાનો અને મંદિરોમાં તમામ જગ્યાઓ પર કોરોના સંક્રમણ ન વધે તે ધ્યાને રાખીને ધાર્મિક શ્રધ્ધાળુઓ આસ્થા કેન્દ્રમાં આવતા લોકોને આપવામાં આવતો પ્રસાદ બંધ પેકેટમાં આપવાનો નિર્ણય લીધો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મંદિરોમાં ક્ષમતા કરતા વધારે લોકો દર્શન કરવા આવે છે. પાવાગઢના મંદિરોમાં આશરે પાંચ લાખ જેટલા લોકો દર્શન કરવા આવે છે અને તેમાં પણ નિશ્ચિત દિવસે મોટી સંખ્યામાં ભીડ હોય એટલા માટે વ્યવસ્થાના ભાગરૂપે જે તે ટ્રસ્ટના લોકોએ વ્યક્તિગત રૂપે પોતે વ્યવસ્થાની જાળવણી માટે આ નિર્ણય કર્યા છે.

ઉલ્લેખનીય છે કે પાંચ દિવસ પહેલા રાજ્ય સરકારે રાજ્યમાં કોઇપણ ગરબાનું જાહેરમાં આયોજન કરવા પ્રતિબંધ મુક્યો હતો. જેની ગાઈડલાઈન્સમાં નવરાત્રિ દરમિયાન પ્રસાદ વિતરણ ન કરવાની માટેના નિર્દેશો આપવામાં આવ્યા હતા. જો કે પ્રસાદ પરના પ્રતિબંધ સામે ભાવિક ભક્તોમાં અસંતોષની લાગણી જોવા મળી હતી. જેને પગલે આજે મળેલી રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં પ્રસાદને છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ, નવરાત્રિમાં પ્રસાદ માટેની ગાઈડલાઈનમાં ફેરફાર કરી પેકેટમાં પ્રસાદની છૂટ આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયને કારણે મીઠાઈનાં વેપારીઓને હવે નુકશાન વેઠવું નહીં પડે.

October 14, 2020
Raghavji.jpg
1min12220

ધ્રોળની સરકારી હોસ્પિટલમાં તોડફોડ કરવાના આરોપસરના કેસમાં’ જામનગર ગ્રામ્યના ભાજપના વર્તમાન ધારાસભ્ય રાઘવજી પટેલ, ત્રણ પત્રકાર સહિત પાંચને મેજીસ્ટ્રેટ એમ.જે. ઝાલાએ છ માસની કેદ અને રૂ. દસ હજારના દંડની સજા કરી હતી. બનાવના સમયે ધ્રોળના મીત્રી પરિવારના યુવાનોને અકસ્માતમાં ઇજા થઇ હતી. તેને પૂરતી સારવાર આપવામાં આવતી ન હોવાની અને જામનગર રીફર કરતી વખતે યુવાનનું રસ્તામાં મૃત્યુ થયું હોય તે બાબતે તે સમયના કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલ સહિતના લોકો હોસ્પિટલ ખાતે રજૂઆત કરવા ગયા હતાં ત્યારે પથ્થરમારો અને તોડફોડનો બનાવ બન્યો હતો.

13 વર્ષ પહેલા તા.16-7-2007ના રોજ કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય રાઘવજી પટેલ સહિતના લોકો પ્રજાકિય પ્રશ્નો અંગે ધ્રોળની સરકારી હોસ્પિટલે ગયા હતાં. આ સમયે ઉશ્કેરાયેલા લોકોએ પથ્થરમારો કરીને હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.આ અંગે પોલીસમાં ગુનો નોંધાયો હતો. પોલીસે ધારાસભ્ય રાઘવજી પટેલ, તેના ટેકેદાર નરેન્દ્રસિંહ જાડેજા, પત્રકારો જયેશ ભટ્ટ, જીતુ શ્રીમાળી, કરણસિંહ જાડેજા તથા શબ્બીર ચાવડા, પાંચા વરૂ અને લખધીરસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની ગાઇડ લાઇન પ્રમાણે ધારાસભ્ય સામેનો કેસ ઝડપથી ચલાવવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી થઇ જતાં મેજીસ્ટ્રેટ એમ.જે.ઝાલાએ જામનગર ગ્રામ્યના ભાજપના વર્તમાન ધારાસભ્ય રાઘવજી પટેલ,’ તેના ટેકેદાર અને ત્રણ પત્રકારને છ માસની કેદ અને રૂ. દસ હજારના દંડની સજા કરી હતી. જ્યારે શબ્બીર, પાંચા અને લખધીરસિંહને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવા હુકમ કર્યો હતો. અદાલતે કેદ અને દંડના હુકમ સામેની કાર્યવાહી કરવા માટે એક માસની મુદ્દત આપીને પાંચેયને જામીન પર છોડવા આદેશ કર્યો હતો.

October 13, 2020
girlion.jpg
1min4770

એશિયાટીક લાયનના નિવાસસ્થાન ગીર જંગલમાં વસતા વનરાજોનું ત્રણ દિ’ બાદ વેકેશન પૂરૂ થઇ રહ્યું છે. તા.16ને શુક્રવારથી સિંહ દર્શનનો પ્રારંભ થનાર છે. ત્યારે કોવિડ-19ને ધ્યાને લઇ કડક નિયમો તૈયાર કરાયા છે તેમાં 10 વર્ષથી નીચે અને 65 વર્ષથી ઉપરનાને પ્રવેશ અપાશે નહીં. જીપ્સીમાં માત્ર 3 પ્રવાસીઓ જ બેસી શકશે.

આ અંગે વિગતો સીસીએફ દુષ્યંત વસાવડાએ જણાવ્યું કે, આગામી તા.16થી  સિંહ દર્શનનો પ્રારંભ થઇ રહ્યો છે તે પૂર્વે વન કર્મચારીઓ, જીપ્સીના ચાલકો, ગાઇડોનો કોરોના ટેસ્ટ કરાવાયો છે. વાહનોને સેનેટાઇઝ કરવામાં આવ્યા છે. કોરોના કાળમાં વન્ય પ્રાણીઓની સુરક્ષાને ધ્યાને લઇ, જંગલમાં જનાર પ્રવાસીઓને ક્યાંય ઉતરવા દેવાશે નહીં, એટલું જ નહીં સિંહ દર્શન રૂટના માર્ગોને ‘ટાયર બાફ’ કરાયા છે. જેથી કોરોનાના જીવાણુ વાહનોના ટાયર દ્વારા પણ જંગલમાં પ્રવેશી ન શકે તેમજ દરેક પ્રવાસીની થર્મલ ગનથી તપાસ  કરાશે.

તેમણે ઉમેર્યુ કે, જીપ્સીની સંખ્યામાં કોઇ ઘટાડો કરાયો નથી. જે દર  કલાકે 150 પ્રવાસીઓને લઇ જવાતા હતા તે જ રીતે દોડાવાશે માત્ર જીપ્સીમાં પ્રવાસીઓની સંખ્યા ઘટાડવામાં આવી છે. બાળકો અને વૃધ્ધો ઉપર પ્રતિબંધ લદાયો છે.

શ્રી વસાવડાએ જણાવ્યું કે કોરોનાને કારણે પ્રવાસીઓમાં સિંહ દર્શનનો ઉત્સાહ ઓસર્યો છે. અત્યાર સુધીમાં માત્ર 39 પ્રવાસીઓએ ઓનલાઇન બુકીંગ કરાવ્યું છે, આમ મહામારીની અસર પ્રવાસીઓ ઉપર પણ પડી રહી છે.

October 12, 2020
m2.jpg
1min5120
Peanut

સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીના તમામ વર્ષોના ઉત્પાદનોનો વિક્રમ તૂટશે. આ વર્ષે મબલખ ઉત્પાદનને પગલે ધીંગી આવક પણ શરૂ થઇ ચૂકી છે. સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે રવિવારે મગફળીની આવક ફરી શરૂ કરવામાં આવી હતી. બપોર સુધીમાં એક લાખ ગૂણી મગફળીની ગુણીની આવક થઈ હતી. મગફળીના ૨૦ કિલોના ૬૦૦થી ૧૦૦૧ સુધીના ભાવ બોલાય રહ્યાં છે. મગફળીની આવકમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આજે ૧ લાખ ગુણીની આવક થતા યાર્ડે મગફળીની આવક બંધ કરવાની ફરજ પડી હતી. ગોંડલ માર્કેટ યાર્ડના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, મગફળીને સૂકવીને લાવવાથી ભાવ પણ સારા મળશે. મગફળીનો સારો ભાવ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ મગફળીને પૂરેપૂરી સૂકવીને લાવવી જોઈએ. યાર્ડ દ્વારા ખેડુતભાઈઓનો માલ બગડે નહીં, સમયસર તોલ થઇ જાય અને માલનો વધારેમાં વધારે નિકાલ થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં આ વર્ષે સારા વરસાદના કારણે મગફળીના પાકનું પુષ્કળ ઉત્પાદન થયું છે. મગફળીના વેચાણ માટે સૌરાષ્ટ્રભરના ખેડૂતો ગોંડલ યાર્ડ આવી રહ્યા છે. ગોંડલ યાર્ડમાં સૌરાષ્ટ્રના અન્ય યાર્ડો કરતા ભાવ પણ સારા મળી રહે છે.

October 11, 2020
Morari_Bapu.jpg
1min7050

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ગિરનાર પર્વતની ટોચ પર આવેલા કમંડળ કુંડ ખાતે આગામી સપ્તાહથી શરૂ થઇ રહેલા શારદીય નવરાત્રિના પહેલા નોરતાથી રામાયણી સંત પૂ.શ્રી મોરારિબાપુની રામકથા શરૂ થશે. મોરારીબાપૂની આ રામકથા હાલ ભારે ચર્ચાસ્પદ બની છે કેમકે મોરારિબાપુની આ પહેલી એવી રામકથા હશે જેમાં એક પણ શ્રોતાજન હાજર નહીં રહે. કોવીડ-19ની સ્થિતિને કારણે પૂ. બાપૂની આ કથાનું ટીવી પ્રસારણ, વેબકાસ્ટ થશે.

મોરારિબાપુએ કહ્યું કે ‘કોરોનાકાળમાં આ ચીવટ રાખવી અનિવાર્ય છે. કથામાં માત્ર વાદ્યકારો અને ટેક્નિશ્યન જ ઉપસ્થિત રહેશે, એક પણ શ્રોતાને હાજર રહેવા દેવામાં નહીં આવે.’

ગત માર્ચ માસમાં લાગૂ કરાયેલા લૉકડાઉન પછી પહેલી વાર મોરારિબાપુ ઘરની બહાર નીકળીને કથા કરી રહ્યા છે. શ્રોતાગણ વિના તેમણે આ સમયકાળમાં અન્ય પાંચ કથા કરી હતી, પણ એ રામકથા તેમના નિવાસસ્થાનેથી થઈ હતી અને આ રામકથા માટે બાપુ તલગાજરડામાંથી પહેલી વાર બહાર આવશે.

October 9, 2020
jalarambapa.jpg
1min5210

રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા વીરપુરનું જલારામ મંદિર આઠ દિવસ માટે બંધ કરવામાં આવ્યું હતું. જે બાદ ગુરૂવારથી ભાવિકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

સરકારી ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન સાથે ભાવિકોના જલારામ બાપાનાં દર્શન શરૂ થયાં હતાં. ભાવિકોએ જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલા માનકેશ્ર્વર મંદિરની બાજુમાં રજિસ્ટ્રેશન કાર્યાલય પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ટોકન મેળવવાનું રહે છે. જે બાદ સેનિટાઈઝ ચેમ્બરમાં સેનિટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ સાથે મંદિરમાં માસ્ક બાંધવું ફરજિયાત કરવામાં આવ્યું છે. પૂજ્ય બાપાના દર્શન સવારે ૭થી બપોરના ૧ વાગ્યા સુધી અને બપોરે ૩ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી થઈ શકશે.

કોરોના સંક્રમણને કારણે મોટી સંખ્યામાં ભાવિકો એકત્ર થાય નહીં તે માટે મંદિર દ્વારા અગાઉ પણ ૩૦ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હાલ કોરોનાની પરિસ્થિતિ વધુ વણસી હોવાથી ફરી આઠ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.