CIA ALERT

My World Archives - Page 5 of 32 - CIA Live

November 2, 2023
umeria.jpeg
1min447

મુદ્રા ડાન્સિંગ એકેડેમીના કલાગુરુ શ્રીમતી કાશ્મીરા જયકુમાર પટેલની ત્રણ શિષ્યાઓ શ્રીમતી વૈશાલી મિતેષ ઉમરીયા, શ્રીમતી તન્વી બકુલેશ ચૌધરી અને હેનાલી સુરેશચંદ્ર પરવટીયાએ અરંગેત્રલની સંપૂર્ણ તાલિમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આગામી તા.4 નવેમ્બરને શનિવારના રોજ સાંજે 4થી 7 કલાક દરમિયાન નાનપુરા સ્થિત જીવનભારતી સંકુલના રંગભવન ખાતે ત્રણેય શિષ્યાઓ પોતાની ક્લાસિકલ ડાન્સિંગની કલા અરંગેત્રલમાં રજૂ કરશે.

આ પ્રસંગે વૈશાલીબેનના પિતા મિતેષ ઉમરીયા તેમજ પરીવારના સભ્ય હિતેષ ઉમરીયાએ જણાવ્યું હતું કે ઉમરીયા પરિવાર માટે આ એક અત્યંત ખુશીનો અવસર છે.

હિતેષભાઇ ઉમરીયાએ જણાવ્યું કે શાસ્ત્રીય નૃત્યમાં તાલીમ તથા સાધનાની ફલશ્રુતિ રૂપે યોજાતો દીક્ષા સમારંભ એટલે અરંગેત્રલ. સૌપ્રથમ વાર રંગમંચ પર જાહેરમાં નૃત્યકારનું પદાર્પણ તે વખતે થાય છે. તમિળ ભાષામાં ‘આરંગુ’ એટલે રંગમંચ અને ‘એત્રલ’ એટલે આરૂઢ થવું. મૂળ ક્રિયાપદ ‘અરંગેત્રલ’ ઉપરથી નામ ‘આરંગેત્રમ્’. આરંગેત્રમ્ માટેની નૃત્યકારની પાત્રતા તેણે નૃત્યની તાલીમ પાછળ ગાળેલાં વર્ષોને આધારે નહિ, પરંતુ નૃત્યકાર તરીકેની તેની નિપુણતા તથા ગુણવત્તા પર જ આધારિત હોય છે. પ્રાચીન સમયમાં શિષ્યો ગુરુકુળમાં રહીને નૃત્યસાધના કરતા હતા એ પરંપરા સદીો પછી પણ આજે અકબંધ છે. વર્ષોની કઠોર સાધના તથા પરિશ્રમને અંતે નૃત્યકારે પ્રાપ્ત કરેલ પરિપક્વતાની ફલશ્રુતિ રૂપે આરંગેત્રમનો મંગલ પ્રસંગ, ગામના મંદિરના પટાંગણમાં ભગવાનના આશીર્વાદ સાથે, વિદ્વજ્જનોની ઉપસ્થિતિમાં ઊજવાય છે.

શું છે અરંગેત્રલનો ઇતિહાસ

ભારતની શાસ્ત્રીય નૃત્યકલામાં દક્ષિણ ભારતની નૃત્યકલાનું વિશિષ્ટ પ્રદાન છે, જેનો પ્રારંભ આજથી આશરે 5,000  વર્ષ પહેલાં થયો હતો અને આશરે 2,000 વર્ષ પૂર્વે તે પૂર્ણત્વ પામી હતી તેવું માનવામાં આવે છે. તે સમયથી ભારતની બધી શાસ્ત્રીય નૃત્યશૈલીમાં આરંગેત્રમ્ દીક્ષાન્ત સમારોહ ઊજવાતો આવે છે. વિદ્વાનો તથા તજજ્ઞોની હાજરીમાં કલાકાર પોતાની નિપુણતા પ્રસ્તુત કરે છે તથા પરંપરાથી નિર્ધારિત થયેલા ક્રમમાં તે નૃત્યનાં વિવિધ અંગોમાંથી કેટલાંક રજૂ કરે છે. ઉત્કટ સાધના રૂપે સૈકાઓથી સચવાઈ રહેલી ભારતીય શાસ્ત્રીય નૃત્યોની શૈલીઓમાં ભરતનાટ્યમનું સ્થાન મોખરે છે અને તેમાં મંદિરની દેવદાસીઓ અને નટુવંગમ્ વગાડનાર નટુવનાર એટલે કે નૃત્ય-આચાર્યોનું મુખ્ય પ્રદાન હોય છે. યુવાન દેવદાસી મંદિરમાં જ્યારે પ્રથમ વાર નર્તકી તરીકે નૃત્ય કરે છે ત્યારે તે પોતાની જાતને નટરાજને સમર્પિત કરે છે. આ પ્રસંગમાંથી આરંગેત્રમનો ઉદભવ થયો છે. ભરતનાટ્યમ્ નૃત્યશૈલીનાં સુવિખ્યાત નૃત્યકાર મૃણાલિની સારાભાઈએ આરંગેત્રમ્ માટે ‘આરાધના’ પર્યાય આપ્યો છે.

આ સમારોહમાં નૃત્યકાર નૃત્યનાં વિવિધ અંગોમાંથી ખાસ પસંદ કરેલાં કેટલાંક રજૂ કરે છે. મંગલાચરણમાં તેમજ સમારોહની સમાપ્તિ પહેલાં નટરાજવંદના, ગુરુવંદના તથા સભાવંદનાનો સમાવેશ થાય છે. મંગલાચરણ પછી અલારિપ્પુ, જતિસ્વરમ્, શબ્દમ્, વર્ણમ્, પદમ્, તિલ્લાના, શ્લોકમ્ અને મંગલમ્ રજૂ કરવામાં આવે છે. અલારિપ્પુ એટલે કે કુમુદના પુષ્પની માફક ખીલતું. આ એક પુષ્પાંજલિની વિધિ છે, જેમાં નર્તિકા ઉચ્ચ ગ્રીવા રાખી ઈશ્વરને, સન્મુખ ઊભેલા ગુરુને તથા પ્રેક્ષકગણને વંદન કરે છે અને આશીર્વાદ આપવા માટે એ બધાનું આહવાન કરે છે. જતિસ્વરમ્ એટલે કે તાલબદ્ધ નૃત્ય અને નિશ્ચિત રાગમાં ગવાતી સ્વરાવલીનું સુંદર આયોજન. શબ્દમ્ એટલે અભિનય સાથે રજૂ થતું દેવનું યશોગાન, જે દરમિયાન નર્તકી તાલબદ્ધતામાંથી અભિનયમાં સરે છે. અલારિપ્પુ અને જતિસ્વરમની તુલનામાં શબ્દમમાં ભાવપ્રદર્શનનું પ્રાધાન્ય હોય છે. નર્તિકા પ્રેક્ષકગણને રામ, કૃષ્ણ કે શિવની કથા આદર અને અર્થનિષ્પત્તિ સહિત સમજાવે છે. વર્ણમમાં નર્તકીએ શીખેલા આડવુ(steps)ના સ્રોતમાંથી ગ્રહણ કરેલા વૈવિધ્યપૂર્ણ આડવુની ચઢતા ક્રમમાં ભવ્ય રંગભરી રજૂઆત થાય છે. તેમાં દેવનું સ્તુતિગાન હોય છે. પદમ્ અત્યંત મૃદુ રીતે રજૂ થતો નૃત્યપ્રકાર છે, જેમાં આડવુ કરતાં અભિનયનો ભાગ વધારે હોય છે અને તેથી એમાં વિવિધ નાયિકાલક્ષણો દર્શાવવાની તક રહે છે. આ પદમ્ ગુજરાતી ગીત સાથે પણ રજૂ થાય છે. તિલ્લાના ઉત્તર ભારતના તરાનાને મળતી કૃતિ છે, જેમાં વિલંબિત, મધ્ય અને દ્રુત – આ ત્રણેય લયોનો આવિષ્કાર હોવાથી તાલનું વૈવિધ્ય હોય છે. શ્લોકમમાં ઈશ્વરને ઉદ્દેશીને રચાયેલા સંસ્કૃત, તમિળ કે તેલુગુ શ્લોક પર નૃત્ય અને અભિનયની રજૂઆત થાય છે.

આરંગેત્રમ્ પ્રસંગે ગુરુ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શિષ્ય તેને પુષ્પ, ફળ તથા ગુરુદક્ષિણા અર્પણ કરે છે તથા ગાયકવૃંદનું અભિવાદન કરે છે.

આરંગેત્રમ્ બાદ જ શિષ્ય નૃત્યકાર તરીકે પોતાની કલા જાહેરમાં રજૂ કરવા માટે લાયક ગણાય છે.

October 5, 2023
kanji_bhalala_cialive.jpg
1min2251

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ હોય કે વરાછા કો.ઓ. બેંક હોય કે પછી સ્વયંભુ નાગરીક અભિયાન હોય, દરેક સકારાત્મક બાબતોના પ્રણેતા કાનજીભાઇ ભાલાળાને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પ્રોફેસર ઓફ પ્રેક્ટીસનું બહુમાન એનાયત કર્યું છે. પ્રોફેસર ઓફ પ્રેક્ટીસ એટલે એવા નિવડેલા વ્યક્તિ કે જેને કોલેજના વર્ગખંડમાં જઇને શિક્ષણ કાર્ય કરાવવું હોય તો કોઇ ડિગ્રીની જરૂર નથી. એ વ્યક્તિત્વ સ્વયંભુ અધ્યાપકનું વ્યક્તિત્વ ધરાવતો હોય છે. આ પ્રકારની પદવી માટે કાનજીભાઇ ભાલાળાના નામની ભલામણ વરાછાની ધારુકાવાલા કોલેજ તરફથી કરવામાં આવી હતી જેને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મંજૂર રાખવામાં આવી છે.

કાનજીભાઇ ભાલાળા હવે વીર નર્મદ યુનિવર્સિટીની કોલેજમાં જઇને કોલેજીયન યુવક યુવતિઓને દુનિયાદારીના પાઠ ભણાવી શકશે.

September 1, 2023
TT-4.jpg
1min1286

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સમાજ ધડતરના નવતર કાર્યક્રમમાં દર ગુરુવારે નવા વિચારનું વાવેતર કરવામાં આવે છે. તા. ૧૬/૦૩/૨૦૨૩ ના રોજથી શરૂ થયેલ થર્સ-ડે થોટ્સ ના તા.31મી ઓગસ્ટ 2023ના રોજ ૨૫માં કાર્યક્રમમાં હેલ્થ, વેલ્થ અને હેપીનેસ વિશે વક્તાઓ એ નુતન વિચાર સાથે માર્ગદર્શન આપ્યું હતું.

શહેરના જાણીતા કાડીયોલોજીસ્ટ ડૉ.સંજયભાઈ વાઘાણીએ હાર્ટ એટેક ના વધતા બનાવો અને કારણો અંગે માહિતી આપી
જણાવ્યું હતું કે, ખાંડ એટલે કે ગળપણ… આરોગ્ય માટે સૌથી મોટી દુશ્મન છે.

ઇન્ફેકશન અંગે ખુબ જાણીતા ડૉ. પ્રતિક સાવજે શરીરએ માણસની મુલ્યવાન સંપતિ ગણાવી તેને સાચવવા અનુરોધ કર્યો હતો.

વર્તમાન સમયે ઘણા દર્દીઓને કોઈ રોગ ન હોય તોય બીમાર હોય છે. તેનું કારણ ,માનસિક પ્રશ્નો , શહેરના જાણીતા મનોચિકિત્સક ડૉ. જય કુમાર કુંભાણી એ જણાવ્યું હતુ કે તન, મન ની સુખાકારી માટે ખુશ રહેવું ખુબ જરૂરી છે.

આજે થર્સ-ડે થોટ્સમાં ૨૫ મો વિચાર ના અનુસંધાનમાં કાપડ ઉદ્યોગના આઇકોન શ્રી દીપકભાઈ શેટાએ જણાવ્યું હતું કે સતત નવું શિખતા રહેવું અને માનવીય સંવેદના સાથે નવું કરતા રહેવું તેજ ખરી પ્રગતિ છે. પોતાના બિઝનેશ જર્ની વિષે ખુબ પ્રભાવક શૈલીમાં જણાવ્યું હતું કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી. તેમ છતાં ઇનોવેશન અને સદભાવના એ પ્રગતિ માટે જરૂરી છે. શહેરના સૌથી મોટા ટેક્ષ પેયર બનવાના સંકલન સાથે તે સતત પ્રગતિ કરી રહ્યો છે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઈ આર. ભાલાળાએ અત્યાર સુધીના ૨૪ અઠવાડિયાની ફલશ્રુતિ જણાવી હતી. શહેરના જાણીતા સર્જન ડૉ. અમુલખ સવાણીને થર્સ-ડે થોટ્સ કાર્યક્રમના બ્રાંડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા હતા. પ્રગતિશીલ રહેવા માટે નવીનતા – ઇનોવેશન અને સદભાવના જરૂરી ગણાવી હતી. કોણ ૧(એક) અને કોણ ૦(શૂન્ય) એ ખબર નથી પરંતુ બંને સાથે મળે તો ૧૦(દસ) થાય તે ખબર છે. આ વાત સાથે વિચારને વધુ સ્પષ્ટ કર્યો હતો.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી નિર્માણાધીન જમનાબા ભવન અને કિરણ મહિલા ભવન માટે ડૉ.સંજયભાઈ વાઘાણી, શ્રી દીપકભાઈ શેટા તથા શ્રી મધુસુદનભાઈ દોંગા દાતા ટ્રસ્ટી બન્યા હતા. ૩૦૦ થી વધુ લોકો સ્વયંભુ દર ગુરુવારે નવા વિચાર માટે ઉત્સાહ સાથે આવી જાય છે. પટેલ સમાજની યુવા ટીમ તથા ટીમ ૧૦૦ ના યુવામિત્રો એ ઉત્સાહભેર આ કાર્યક્રમની કાળજી લઈ રહ્યા છે.

August 20, 2023
Cia_business_news-1280x936.jpg
1min545

મેન્યુફેકચરીંગ યુનિટમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી જુદી–જુદી ચીજવસ્તુઓના પ્રોડકશન અને પેકિંગ સહિતની પ્રક્રિયા વિષે જાણકારી મેળવી

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગે શુક્રવાર, તા. ૧૮ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ ઇચ્છાપોર જીઆઇડીસી ખાતે આવેલા યુરો ફુડ્‌સની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લીધી હતી. જેમાં લેડીઝ વીંગના ચેરપર્સન મનિષા બોડાવાલા, કો–ચેરપર્સન ગીતા વઘાસિયા અને સેક્રેટરી પ્લવનમી દવે સહિત ૪૦ જેટલી મહિલા સાહસિકોએ યુરો ફુડ્‌સના પ્રોડકશન યુનિટની મુલાકાત લઇ વિવિધ પ્રોડકટના મેન્યુફેકચરીંગ અને પેકિંગ વિષે જાણકારી મેળવી હતી. યુરો ફુડ્‌સના સપના સાસપરાએ લેડીઝ વીંગને આવકારી પ્રોડકશન યુનિટની વિઝીટ કરાવી હતી.

ઇન્ડસ્ટ્રીયલ વિઝીટની શરૂઆત કવોલિટી ચેક રૂમથી થઇ હતી. જ્યાં પ્રોડકટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઓઇલમાં પ્રોટીન અને ફેટની તપાસ કરવામાં આવે છે. યુરો ફુડ્‌સના યુનિટમાં મુગ દાલ, ચના દાલ, ભાકર વડી, ચીપ્સ, ગાઠીયા અને ચીકી તેમજ લીચી, ગઉવા વિગેરે જ્યુસ બનાવવાની સમગ્ર પ્રક્રિયાને નિહાળી હતી અને તેનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો.

પ્રોડકશન યુનિટમાં ચીપ્સ બનાવવા માટે બટાકાની કવોલિટી તપાસવાથી લઇને તેની સફાઇ અને ત્યારબાદ તેના પેકિંગ સુધીની સમગ્ર પ્રક્રિયાનો લેડીઝ વીંગની મહિલા સાહસિકોએ અભ્યાસ કર્યો હતો. ખાસ કરીને જ્યુસની બોટલ પણ યુરો ફુડ્‌સના યુનિટમાં જ બને છે અને ત્યાં જ તેનું પેકિંગ થાય છે. આ યુનિટમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી જુદી–જુદી પ્રોડકટ બનાવવામાં આવે છે, જેના વિષે મહિલા સાહસિકોએ માહિતી મેળવી હતી.

August 19, 2023
WhatsApp-Image-2023-08-18-at-21.32.58-1280x853.jpeg
1min543

SJMA સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશન અને WICCI વુમન્સ ઇન્ડીયન ચેમ્બર ઓફ કોમર્સ સુરત દ્વારા તા.18મી ઓગસ્ટના રોજ વરાછા રોડ સ્થિત સરદાર સ્મૃતિ ભવન ખાતે મહિલાઓ માટે અભિલાષા નામથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ મહિલાઓને વ્યાવસાયિક કારકિર્દીના ઘડતર માટે યોજવામાં આવી હતો.

અભિલાષા કાર્યક્રમમાં મહિલાઓને નોકરીની અને સ્કીલ ડેલપમેન્ટની તકોથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

SJMA સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશન અને WICCI વુમન્સ ઇન્ડીયન ચેમ્બર ઓફ કોમર્સ સુરતની અભિલાષા ઇવેન્ટને સફળ બનાવવા માટે જે ટીમે કામ કર્યું એ ટીમ મેમ્બર્સની સમૂહ તસ્વીર

SJMA સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રેસિડેન્ટ જયંતિ સાવલિયા અને WICCI વુમન્સ ઇન્ડીયન ચેમ્બર ઓફ કોમર્સ સુરતના ડો.રિંકલ જરીવાલાએ સમારોહના મુખ્ય મહેમાન અને નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલનું મંચ પર અભિવાદન કર્યું હતું.

August 7, 2023
societynews-1280x1040.jpg
1min516

ભારત દેશના વરિષ્ઠ નાગરિકોને પણ અન્ય દેશોની જેમ આરોગ્યલક્ષી સોશ્યલ સિક્યુરિટી મળશે.

અખંડ ભારત અખંડ હેલ્થકેર ફાઉન્ડેશન (ABAH) ની પબ્લિકલી ફંડેડ હેલ્થકેર સિસ્ટમ,
સોશ્યલ સિક્યુરિટી ફોર સિનિયર સિટીઝન (S.S) તથા મિશન મેડિસીન રિવોલ્યુશન (M.M.R.)

અખંડ ભારત અખંડ હેલ્થકેર ફાઉન્ડેશનના નેજા હેઠળ દેશ ની વિવિધ સંસ્થાઓ,સમાજો તથા ટ્રસ્ટો,પરસ્પર સહકાર અને સહયોગથી મર્યાદિત સંશાધનો (Resources) સાથે આરોગ્યલક્ષી અનેક પ્રવૃતિઓ ખુબ જ અસરકારક રીતે પાર પાડવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. સામાજીક-સહકારી સંસ્થાઓ, સમાજો તથા ટ્રસ્ટોને સામાન્ય વ્યક્તિઓ સાથે સંકલન સાધવામાં સરળતા રહે તે માટેનું છત્ર (Umbrella) અને મંચ (Platform) એ બંને ABAH પૂરા પાડે છે.

ABAH ના સંસ્થાપક અને પ્રમુખ ડો.મિલિંદ ઘાએલ,ઉપપ્રમુખ નિરવ મિસ્ત્રી તથા અન્ય હોદેદારો દ્રારા ABAH ફાઉન્ડેશનના પરિચય સાથે મિશન અને વિઝન વિશે ઉપસ્થિત સૌને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.

ABAH નુ નીતિવાક્ય (Slogan) છે “No citizen in India should be deprived of health due to the cost of medicine“ જન આરોગ્યને લગતા આ લક્ષ્યની સિધ્ધી માટેનુ ABAH નુ પ્રથમ સોપાન (Step) છે,”સોશ્યલ સિક્યુરિટી ફોર સિનિયર સિટિઝન“ તથા “મિશન મેડિસિન રિવોલ્યુશન“.

વયપ્રાપ્ત નિવૃત્તિ ભારતના વરિષ્ઠ નાગરિકો માટે સહજ આનંદના નહીં પણ અનેક પ્રકારની લાચારીના દિવસો લાવતી હોય છે. એમા સૌથી મોટી લાચારી બનતી હોય છે. નિરંતર દવા લેવી પડે તેવી ડાયાબીટીસ, બી.પી., થાયરોઈડ, અલ્ઝાઇમર, પ્રોસ્ટેટ, અસ્થમા જેવી અનેક પ્રકારની શારીરિક, માનસિક, કાયમી બિમારીઓ, સંતાન ન હોવું કે સંતાનની ટુંકી આવક આ લાચારી અનેક ગણી વધારી દેતી હોય છે. સુસંસ્કૃત સમાજ કે રાષ્ટ્ર તેને જ કેહવાય જ વરિષ્ઠ નાગરિકોની આ લાચારી નિવારવા યોગ્ય ઉપાયો કરે અને જીવનના છેલ્લા તબક્કામાં વરિષ્ઠ નાગરિકોને આનંદમય રાખે.

આ માટે વ્યકિતગત રીતે કે સંસ્થાઓ મારફત એકલ-ડોકલ, નાના મોટા પ્રયત્નો થતા હશે, પણ આને સમસ્યા ગણી એનાં કાયમી નિવારણ માટે “અખંડ ભારત અખંડ હેલ્થકેર ફાઉન્ડેશન“ ના સંસ્થાપક અને પ્રમુખ ડો. મિલિંદ ઘાએલ, ઉપપ્રમુખ નિરવ મિસ્ત્રી અને ABAH ના તમામ જિલ્લાઓની ટીમે છેલ્લા ૬ વર્ષ દરમિયાન અંદાજીત ૧૨૦૦૦ થી વધુ ઘરો તથા ૩૦૦૦ થી વધુ સંસ્થાઓ જે આરોગ્ય ક્ષેત્રે કામ કરી રહી છે, તેમનું રિસર્ચ કરી વરિષ્ઠ નાગરિક તથા યુવાઓને આ લાચારીથી મુક્ત કરવા ટુકી આવક ઘરાવતા તેમના સંતાનોને આર્થિક ટેકો આપવા એક વ્યવસ્થાનુ આયોજન કર્યુ છે.જે નવસારી જીલ્લામાં છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે. જે અંતર્ગત વરિષ્ઠ નાગરિકો તથા યુવાઓને એમના ડોક્ટરો દ્વારા સુચિત (પ્રિસ્કાઈબ્ડ) કરેલી કાયમી દવાઓ દર મહિને એમના ઘરે હાથોહાથ પહોંચાડવામાં આવે છે.

અખંડ ભારત અખંડ હેલ્થકેર ફાઉન્ડેશન હાલ 5100થી વઘુ વ્યક્તિઓને દર મહિને દવા પહોંચાડીએ છીએ. ABAH ની પબ્લિકલી ફંડેડ હેલ્થકેર સિસ્ટમ થકી અત્યાર સુઘી વરિષ્ઠ નાગરિકો પ્રત્યેનુ ઋણ અદા કરવા તથા યુવાઓનુ આર્થીક પીઠબળ બનવાનાં આ એક નમ્ર પ્રયાસ હેઠળ અમો એ લોકોના 2.1 કરોડ રૂપિયા બચાવ્યા છે.

“સોશિયલ સિક્યુરીટી ફોર સિનિયર સિટીઝન “હેઠળ આર્થિક રીતે અસક્ષમ વરિષ્ઠ નાગરિકો કે જેમનુ લાઈટ બીલ 1200/- થી ઓછુ હોય (સોલર વઞર) એમને એમના ડોક્ટરો દ્વારા સુચિત (પ્રિસ્કાઈબ્ડ) કરેલી કાયમી દવાઓ દર મહિને એમના ધરે નિઃશુલ્ક કુરિયર દ્રારા હાથો હાથ મળે છે.

“મિશન મેડિસિન રિવોલ્યૂશન” હેઠળ સક્ષમ વરિષ્ઠ નાગરિકો, યુવાઓ,બાળકો-તમામ ઉંમરના નાગરિકોને કોઈ પણ જાતના લાઈટબીલ ના ક્રાઈટેરિયા વગર એમને એમના ડોક્ટર દ્રારા સુચિત (પિસ્કાવદ)કરેલી કાયમી દવા ઓ દર મહિને એમના ધરે 50% સબસીડાઇઝ રેટ/રાહત દરે કુરીયર દ્રારા મળે છે.
વધુમાં અમોને જણાવતા હર્ષની લાગણી થાય છે અને ઞર્વની વાત છે કે હાલ મા જ ડૉ.દિનેશ ભાઇ કે.જોશી કે જેઓ બિકોન ઞૃપ ઓફ કંપનીના ચેરમેન અને એમ.ડી છે તેમણે એક મિસાલ કાયમ કરી છે. બિકોન ઞૃપ ઓફ કંપનીઝ એ સાઉથ ગુજરાતની પ્રથમ એવી કંપની છે કે જેણે ABAH ફાઉન્ડેશન સાથે એસોસિયેટ થઈ પોતાના તમામ ઈમપ્લોઈઝ અને તેમના પરિવારના સભ્યો માટે ABAHની સિસ્ટમનો બેનિફિટ આપ્યો છે .
તારીખ 6 ઓગષ્ટ 2023થી એટલે કે આજથી, S.S અને M.M.Rમાં લોકો નોંધણી કરાવી શકે તે માટે સુરત જિલ્લા માટે અનાવિલ સમાજ, રાંદરે અડાજણ, સુરત ના સહયોગ થી(સરનામુ- 8,પહેલા માળે અન્નાપુણા શોપિંગ સેન્ટર, ધનમોરા કોમ્પ્લેક્ષ સામે,અડાજણ પાટીયા ,રાંદેર રોડ) સુરત ખાતે કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. આ રજીસ્ટ્રેશન સેન્ટર પર M.B.B.S કે તેનાથી ઉચી ડીઞી ધરાવતા ડોક્ટરના પ્રિસ્ક્રીપશનની ઝેરોક્ષ, આધાર કાર્ડની ઝેરોક્ષ, છેલ્લા લાઈટબીલ ની ઝેરોક્ષ (S.Sમાટે) તથા સંસ્થા એ નક્કી કરેલ નજીવો વહીવટી ખર્ચ આપી નોંધણી કરાવવાની રહેશે.
ABAH ની પબ્લિકલી ફંડેડ હેલ્થ કેર સિસ્ટમની જરૂરી પૂર્વભૂમિકા બાદ ડો. મિલિંદ ઘાએલ દ્વારા જનઆરોગ્ય ક્ષેત્રમાં કાર્યરત એવી સમગ્ર ગુજરાત રાજ્યની સંસ્થાઓ સમાજના અગ્રણીઓ, કંપનીઓને આહવાન કરવામાં આવેલ કે તેઓ સૌ મળીને સમાજના સન્માનિત વરિષ્ઠ નાગરિકોને માનસિક શાંતિ અને યુવાનોનું આર્થિક પરિબળ બનાવી આ સિસ્ટમને પોતાના મહત્તમ યોગદાન તથા પ્રચંડ સહયોગથી સંપૂર્ણ સફળ બનાવે. ડો. મિલિંદે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અત્યારના વરિષ્ઠ નાગરિકો માટે આજના યુવાનો એક ઉત્તમ પ્રણાલી (system)નો પાયો નાખશે જેના લાભાર્થીઓ ભવિષ્યમાં પોતે બનશે અને આમ તેમના પછીની પેઢી માટે એક અનોખું ઉદાહરણ પ્રસ્થાપિત કરશે.

July 22, 2023
cia_edu-1280x925.jpg
2min497

MANLIBNET RURAL LIBRARY PROJECT- One more feather in the MANLIBNET’s Hat

“Simalthu Rural Library”

Launching a Rural Library, under the umbrella of MANLIBNET RURAL LIBRARY PROJECT, is a momentous endeavor that brings with it the promise of transforming communities and empowering individuals through the magic of Literature. In the heart of beautiful rural landscapes, where access to educational resources may be limited, this library aims to bridge the knowledge gap and cultivate a love for reading among the local population. With shelves adorned with a diverse array of books spanning genres, age groups and languages.

The grand opening of “Simalthu Gramin Library”, by the chief guest of the function Dr. Ami Yagnik is a joyous occasion, bringing people together of all ages and backgrounds, igniting a passion for life long learning and fostering a sense of unity within the community. As the pages of these books open, so do the doors to a brighter, more informed future for the rural dwellers, where knowledge no boundaries, and every soul can explore the world through the magic of reading.

July 18, 2023
meeta_rathod.png
5min506

Mudita’s Reflection by Dr. Meeta Rathod Vansadia

Dr. Meeta Rathod Vansadia

Ph. D. in Library and Information Science

Email: meetarathod@gmail.com Co. No. 9725039802

Dt: 18th July, 2023

“Simalthu Gramya Pustakalay” 

(MANLIBNET Rural Library Project)

Rural Library, the “Gramya Pustakalay” is a new initiative by MANLIBNET (Management Libraries Network). The Inauguration of the first library is scheduled on 21st July, 2023 at 04.30 PM. 

The primary goal of this project is to provide Reading resources and Space to the village communities. However, the objectives of Rural Library project include the following:

  • Access to Information: One of the primary objectives of a rural library is to provide access to information and knowledge resources for individuals who may not have easy access to books, computers, or the internet. It seeks to reconcile the digital divide and ensure rural residents have equal access to education, learning, and personal development.
  • Promoting Literacy and Education: Rural libraries place an emphasis on promoting literacy and education in the community. They could provide reading programmes, workshops, and educational materials to help students improve their reading abilities, language competency, and academic performance.
  • Community Engagement: Rural libraries frequently serve as community centres, providing a space for people to congregate, communicate, and interact.  
  • Life Long Learning: Rural libraries strive to support lifelong learning by offering resources and programs for people of all ages. By facilitating opportunities for lifelong learning, rural libraries enable individuals to acquire new skills and knowledge throughout their lifetimes. 
  • Preserving Local History and Culture: Rural libraries play a crucial role in preserving the community’s history and culture. They may collect and maintain regionally-related archives, documents, photographs, and oral histories. By preserving and distributing these resources, rural libraries contribute to the community’s cultural identity and sense of pride.
  • Digital Inclusion: As technology becomes increasingly prevalent, rural libraries aim to bridge the digital divide by providing access to Computers, the internet and digital resources. 
  • Support for Small Business and Entrepreneurs: Rural libraries often serve as resources for small businesses and entrepreneurs within the community. By offering support and resources, rural libraries contribute to the economic development and sustainability of the local area. 

The above objectives highlight the multifaceted roles that rural libraries play in supporting education, community development, and access to information in the rural areas.

Management Libraries Network (MANLIBNET), was registered as a society under the Societies Registration Act, 1860 in the year 2002 with broad objectives of providing a common forum to the library professionals and to develop understanding and co-operation  particularly among business & management libraries and library professionals. MANLIBNET is engaged in promoting, nurturing and enhancing the profession of librarianship in the country through networking, conferences, workshops, seminars, research, consultancy, mentorship and publications.

July 17, 2023
WhatsApp-Image-2023-07-16-at-15.25.33.jpeg
1min417

તારીખ 16. 7. 2023 ને રવિવારના રોજ કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલ ખાતે સુરત, બારડોલી, નવસારી ,વલસાડ, વાપીના રેડીયોલોજીસ્ટ ડોક્ટરો માટે કાયદાકીય વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે વધુ માહિતી આપતા રેડિયોલોજીકલ એન્ડ ઇમેજિંગ એસોસિએશન સુરતના પ્રમુખ ડો.ઉદય સુરાનાએ જણાવ્યું હતું કે ડોક્ટરો અને હોસ્પિટલો ને લગતા ઘણા બધા કાયદાઓ હાલ અમલમાં છે, ત્યારે ડોક્ટરોને આ અંગે વિશેષ માહિતી મળે અને ડોક્ટરો તથા હોસ્પિટલો આ બાબતે જાગૃત થાય એ માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે મુંબઇના ખ્યાતનામ વકીલ ડો.હિતેશ ભટ્ટ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને પીસી પીએનડીટી એક્ટ( ગર્ભ ના જાતિ પરીક્ષણ કાયદા) અંગે વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. તદુપરાંત સોનોગ્રાફી કરતા ડોક્ટરો દ્વારા ફોર્મ ભરવામાં જે ખામીઓ રહી જાય છે તે અંગે અને આ કાયદા હેઠળ શું શું જોગવાઈઓ છે તે અંગે વિસ્તૃત માહિતીથી તબીબોને વાકેફ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ઇન્સ્યોરન્સ સેક્ટર અને નેગલીજન્સ અંગે પણ કાયદાકીય આંટી ઘૂંટીઓ અને તેના નિવારણ અને ચોકસાઈ અંગે માહિતી આપવામાં આવી હતી. સમગ્ર સેમિનારનું આયોજન એસોસિએશનના સેક્રેટરી ડો. પ્રજ્ઞેશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડો. ધારા શાહ અને ડો.હિતેશ લુખી દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ટેકનિકલ બાબત અને વ્યવસ્થા માટે ડો એન્ડ્રુ જોન્સ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સેમીનારમાં સીનીયર રેડીયોલોજીસ્ટ ડૉ ઉમેશ ઉદાપુડી, ડો.નવીન પટેલ, ડો કુમાર વકીલ, ડો. જગદીશ વઘાસિયા, તેમજ વાપી, વલસાડ, નવસારી અને બારડોલી ના સો કરતા વધારે રેડિયોલોજીસ્ટ ડોક્ટરો એ લાભ લીધો હતો.