CIA ALERT

My World Archives - Page 31 of 32 - CIA Live

August 9, 2018
dn3-1280x853.jpg
1min17460

જીદંગીમાં શરીર અને મનને સ્વસ્થ રાખવા સમતુલન જરૂરી: ડૉ.ધવલ નાયક

સુરત : અમદાવાદની સીમ્સ હોસ્પિટલ દ્વારા સુરતમાં પ્રથમ વખત કાર્ડિયાક સર્જરી સપોર્ટ ગ્રુપના આયોજન સાથે જ હેલ્ધી લાઇફ સ્ટાઈલ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીમ્સ હોસ્પિટલ નિષ્ણાંત હાર્ટ સર્જન ડૉ.ધવલ નાયકે જીંદગીમાં શરીર અને મનને સ્વસ્થ રાખવા બધી જ વસ્તુઓનું સમતુલન જરૂરી હોવાનું જણાવ્યું હતું.

નાનપુરા સ્થિત ચેમ્બર ઓફ કોમર્સ સંચાલિત ઓડિટોરિયમ ખાતે આયોજીત કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના કાર્ડિયાક સર્જરી કરાવી ચુકેલા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરતના પ્રસિદ્ધ કવિયત્રી ઇશા દાદાવાલાએ ‘મન અને સંબધો’ પર હ્રદય સ્પર્શી વ્યાખ્યાન આપ્યું હતું. જ્યારે આજે દુનિયાભરમાં સુરત શહેરને ઓર્ગન ડોનેશન જાગૃતિ અગ્ર સ્થાને લાવવામાં ભાગીરથ પ્રયાસ કરનાર ડોનેટ લાઇફ સંસ્થાના પ્રમુખ નીલેશ માંડલેવાલાએ લોકોને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવ્યું હતું.જ્યારે શ્રેણી લાલપુરવાળા એ હ્રદય  અને શરીરને સ્વસ્થ રાખતા ખોરાક વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. આ સાથે સૌએ પૂજા વકીલ  અને નીતા સુરતીયા  સાથે મેડિટેશન અને પ્રાણાયામના સિધ્ધાંતો શિખ્યા હતા.

 

 

-x-x-x-x-

August 9, 2018
we2-1280x853.jpg
1min16180

દૃઢ વિશ્વાસ સાથે આગળ વધો સફળતા જલ્દી મળશે: નરેન્દ્ર સોમાણી

 

 

સુરત : ઔદ્યોગિકનગરી સુરતના ઉદ્યોગ સાહસિકોના સર્વાંગી વિકાસ સાથેજ દેશમાં રોજગારીની તકો ઉભી કરવા અને નવા ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદેશ્ય સાથે શહેરના ઉદ્યોગ સાહસિકોએ એક વર્લ્ડવાઈડ આંત્રપ્રિન્યોર(WE)એ આજ રોજ પોતાના પહેલા ચેપ્ટર આગાજનું પ્રી-લૉન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે ટીજીબીના નરેન્દ્ર સોમાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેરક  ઉદ્દબોધન કર્યું હતું. તેમને એક ચાની લારીથી ફાઈવસ્ટાર હોટલ સુધીની પોતાની સફર કહી હતી. વધુમાં કહ્યું હતું કે સફળતા માટે સતત નવું કરવું જોઈએ. જો દૃઢ વિશ્વાસથી આગળ વધો તો સફળતા જલ્દી મળે છે. ત્યારે કન્ફર્ટ ઝોનમાંથી બહાર આવી સાહસ કરવું જોઈએ અને હંમેશા પોઝીટીવ એટીટ્યુડ રાખવો જોઈએ.

ડુમસ રોડની ટી.જી.બી. હોટલ ખાતે આયોજિત લોન્ચિંગ સેરેમનીમાં મોટી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. WEના સ્થાપક રાજેશ માહેશ્વરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે ઉદ્યોગ સાહસિકોની જરૂર છે ત્યારે આંત્રપ્રિન્યોરોનું ગ્રુપ જો એક મંચ પર આવીને કામ કરે તો એક બીજાના નેટવર્ક થકીબધાને ફાયદો થશે. ખાસ કરીને નવા ઉદ્યમીઓને પ્લેફોર્મ મળવાથી નવા ઉદ્યોગો સ્થપાશે અને રોજગારીની તકો પણ ઉભી થશે. પરિણામે ભારતના વિકાસને પણ નવી દિશા મળી શકશે ત્યારે સુરતના ઉદ્યોગ સાહસિકોએ પણ આજ ઉદેશ્ય સાથેWEની સ્થાપના કરી છે.

 

-x-x-x-x-

August 8, 2018
white4-1280x859.jpg
3min9200

એમ, સ્ટ્રાઇક અને પોકેટ– ‘એ બેક ટુ ફિનિશસ્પર્ધા

સુરત :તમામ ઇનડોર સ્પોર્ટ્સમાં, કેરમબોર્ડ ગેમ જ એવી રમત છે જે અત્યંત પડકારજનક છે. તે કોઇ શારીરિક પ્રવૃતિના બદલે બોર્ડ ગેમ છે, તે રમતથી એકાગ્રતા અને ધીરજમાં વૃદ્ધિ થાય છે અને રમત જીતવા માટે ખેલાડીઓમાં કુશળતા અને ચપળતાને પ્રોત્સાહન મળે છે. એક અત્યંત રોમાંચક-રસપ્રદ રમત છે જે પારંગત ખેલાડીઓને ‘‘બ્રેક ટુ ફિનિશ’’થી તંદુરસ્ત માનસિક અભિગમ વિકસાવવા માટે કામે કરે છે, સામેના ખેલાડી પહેલાં રમત રમવાની તક મળે છે.

શહેરની વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં રાજ્ય કક્ષાની કેરમ ચેમ્પિયનશિપ માટે ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવા માટે પ્રિલિમિનરી ઇલિમિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શહેરની સ્કૂલે ભાગ લીધો હતો અને રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપમાં જવા માટે પોતાની સર્વશ્રૈષ્ઠ માસ્ટર સ્ટ્રાઇક લગાવી હતી. રાજ્ય સ્તરની કોમ્પિટિશન માટે વિવિધ શાળાઓની 24 છોકારાઓ અને 15 છોકરીઓની ટીમે ભાગ લીધો હતો.

રમતની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે  અને પોતાના વિદ્યાર્થીઓનો મનોબળ વધારવા માટે ભાગ લેનાર સ્કૂલોની સ્પોર્ટ્સ ફેસેલિટી પોતાના ખેલાડીઓની સાથે છે. રમતને પ્રોત્સાહન આપવું અને વ્હાઇટ લોટ્સ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રયત્નો અને સંગઠનની પ્રશંસા કરવા જિલ્લાના સ્પોર્ટ્સ ઓફિસર શ્રી દિનેશ કદમે આ કાર્યક્રમની આગેવાની લીધી હતી.

પ્રેસમાં જવાના સમયે ઇલિમિનેશનલ રાઉન્ડ પ્રગતિના પંથે હતું પરંતુ વિવિધ સ્ટ્રાઇક સ્ટાઇલ્સ પછી કોઇ હારયું ન હતું અને રમતને ફિનિશ કરવાની દરેકની જાદુ જેવી ક્ષમતાએ ઊંડી છાપ છોડી હતી !!!!

 

-x-x-x-x-

August 7, 2018
DSC_0360-1280x853.jpg
1min5670

જીદંગીમાં શરીર અને મનને સ્વસ્થ રાખવા સમતુલન જરૂરી: ડૉ.ધવલ નાયક

સુરત : અમદાવાદની સીમ્સ હોસ્પિટલ દ્વારા સુરતમાં પ્રથમ વખત કાર્ડિયાક સર્જરી સપોર્ટ ગ્રુપના આયોજન સાથે જ હેલ્ધી લાઇફ સ્ટાઈલ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીમ્સ હોસ્પિટલ નિષ્ણાંત હાર્ટ સર્જન ડૉ.ધવલ નાયકે જીંદગીમાં શરીર અને મનને સ્વસ્થ રાખવા બધી જ વસ્તુઓનું સમતુલન જરૂરી હોવાનું જણાવ્યું હતું.

નાનપુરા સ્થિત ચેમ્બર ઓફ કોમર્સ સંચાલિત ઓડિટોરિયમ ખાતે આયોજીત કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના કાર્ડિયાક સર્જરી કરાવી ચુકેલા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરતના પ્રસિદ્ધ કવિયત્રી ઇશા દાદાવાલાએ ‘મન અને સંબધો’ પર હ્રદય સ્પર્શી વ્યાખ્યાન આપ્યું હતું. જ્યારે આજે દુનિયાભરમાં સુરત શહેરને ઓર્ગન ડોનેશન જાગૃતિ અગ્ર સ્થાને લાવવામાં ભાગીરથ પ્રયાસ કરનાર ડોનેટ લાઇફ સંસ્થાના પ્રમુખ નીલેશ માંડલેવાલાએ લોકોને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવ્યું હતું.જ્યારે શ્રેણી લાલપુરવાળા એ હ્રદય  અને શરીરને સ્વસ્થ રાખતા ખોરાક વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. આ સાથે સૌએ પૂજા વકીલ  અને નીતા સુરતીયા  સાથે મેડિટેશન અને પ્રાણાયામના સિધ્ધાંતો શિખ્યા હતા.

August 5, 2018
g1-1280x798.jpg
1min6500

 @ Jayesh Brahmbhatt  98253 44944

અવેરનેસ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ત્રણ વરસથી રોગ નિરોધક આરોગ્ય સંભાળ પર સતત કાર્યક્રમો કરી રહી છે અને તે અંતર્ગત લોકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. અવેરનેસના ‘વર્લ્ડ પી.એચ.ડી.’ કોનસેપ્ટ અંતર્ગત જે આઠ આરોગ્યલક્ષી મિશનો છે તેમાના એક મહત્વના હેતુ ‘મિશન ઓક્સિજન’ હેઠળ આજ રોજ સંસ્થાએ પર્યાવરણ માટે નોંધપાત્ર કામ કરનાર શહેરની જાણીતી સંસ્થા વર્લ્ડ રેકોર્ડ્સ ફાઉન્ડેશન જોડે મળીને વિશ્વને એક અનોખો સંદેશ પાઠવ્યો છે કે ફ્રેન્ડશીપ ડેના દિવસે ઝાડને પ્રિય મિત્ર બનાવો.

આ મિશનમાં 5 વરસની નીચેના હિલ્સ નર્સરી સ્કુલ તેમજ અન્ય બાળકો મળીને કૂલ 918 ભુલકાઓએ ભાગ લઇ વીર નર્મદ યુનિવર્સીટી ખાતે તમામ ઝાડ પર એક મિનિટના સમય ગાળામાં લગભગ 2337 ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધી અનેરો વિક્રમ નોંધાવ્યો છે. આ માટે બાળકોને છેલ્લા એક અઠવાડિયાથી પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી અને હરિયાળી ધરતી શા માટે જરૂરી છે એ સમજાવવામાં આવતું હતું. આ પ્રસંગ પૂર્વે આ તમામ બાળકોએ પોતાના વાલીઓ જોડે મળીને પોતપોતાના આંગણે વૃક્ષારોપણ પણ કર્યું હતું.

આ પ્રસંગે યુનિવર્સીટી ખાતે બાળકોમાં વૃક્ષો પ્રત્યેનો ઉત્સાહ જોઈ ભાવુક થયેલા હિલ્સ નર્સરીના સ્થાપક શેહનાઝ હિલ્લુવાલાએ મીડિયાને જણાવ્યું હતું કે બાળકો તેમજ વાલીઓએ આ પ્રોજેક્ટમાં ખુબ જ સહયોગ કર્યો અને આ મિશનને સફળ બનાવ્યું. શહેરને લીલુછમ બનાવવાનું બીડુ ઝડપનાર અને ‘ગો ગ્રીન’ પર યુનિક વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર તેમજ વર્લ્ડ રેકોર્ડ્સ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ નિહાર સરસવાલાએ જણાવ્યું હતું કે બાળકોમાં પર્યાવરણને બચાવવાની વૃત્તિ જગાવવી ખુબ જ જરૂરી છે કારણકે આવનારા સમયમાં કુદરતમાં થનારા પરિવર્તનને તેઓએ ભોગવવા પડશે, તેથી તેમનામાં જાગૃતિ કેળવવી ખુબ જ જરૂરી છે. અવેરનેસ ટ્રસ્ટના ચેરમેન ડો. વિમલ રાઠીએ આ પ્રસંગે ‘તિરંગા ચેલેન્જ’ની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે ફ્રેન્ડશીપ ડેના દિવસે ફ્રેન્ડશીપ બેલ્ટની જગ્યાએ તિરંગા બેલ્ટને જો એક-બીજાને બાંધવામાં આવે તો દેશદાઝની લાગણીઓ વધારે મજબૂત થશે અને સમાજમાં એક નવો ચીલો પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટે વર્લ્ડ પી.એચ.ડી. નિમિત્તે પણ શહેરમાં અનેક સામાજિક કાર્યક્રમો થવાના છે.

August 4, 2018
id3-1280x720.jpg
1min5620

@  Jayesh Brahmbhatt 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ આયોજિત કરેલ યાર્ન એક્સ્પોના ઉદ્ઘાટન માટે સુરત પધારેલ કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીને સાંભળવા શહેરની પ્રસિદ્ધ ફેશન સંસ્થાઆઈ.ડી.ટી.ની  વિદ્યાર્થીનીઓ ઉમટી પડી હતી .કાર્યક્રમ ની સમાપ્તિની વેળાએ આઈ.ડી.ટી.ની  આ ૧૨૫ જેટલી   વિદ્યાર્થીનીઓએ પોતાની લાગણીના પ્રતીક રૂપે, તેમણે જાતે બનાવેલ ફ્રેન્ડશીપ બેલ્ટઅર્પણ કર્યો હતો  અને તે સ્વીકારવા બદલ તેમનો આભાર માન્યો હતો .

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી આઈ.ડી.ટી ના ડિરેક્ટર અનુપમ ગોયલને આ કાર્યક્રમમાં પધારવા આમંત્રણ મળયું મળ્યું હતું તે સમયે શ્રી ગોયલેવિદ્યાર્થીનીઓની મંત્રીશ્રીને  મળીને તેમને ફ્રેન્ડશીપ બેલ્ટ અર્પણ કરવાની તેમની ઈચ્છા ચેમ્બરના પદાધિકારીઓને જણાવી હતી અને તેને માટે અનુકૂળ પ્રતિસાદ મળતા. વિદ્યાર્થીનીઓનો ઉત્સાહબેવડાયો હતો અને આખરે મંત્રીશ્રીએ આ અંગે ખુશી વ્યક્ત કરીને તેમની સ્મૃતિ ભેટ – ફ્રેન્ડશીપ બેલ્ટ સ્વીકારી લેતા તેમણે ખુશી વ્યક્ત કરીને મંત્રીશ્રીનો આભાર માન્યો હતો અને તેમની સાથે સમૂહ માં તસ્વીર પડાવી હતી .

 

August 4, 2018
au8.jpg
2min5890

@ Jayesh Brahmbhatt 98253 44944

 

સુરતની અવંતિકા અને સાહિલ બન્યા ફેસ ઓફ ગુજરાત

સુરત : ઓરા એકેડેમી દ્વારા સતત બીજા વર્ષે યોજાયેલ “ફેસ ઑફ ગુજરાત”ની ગ્રાંડ ફિનાલેનું આયોજન સરસાણાના પ્લેટીનમ હોલ ખાતેકરવામાં આવ્યૂ હતું.

ગ્રાન્ડ ફિનાલેના અંતે ગર્લ્સમાં સુરતની અવંતિકા શરદ પ્રથમ જ્યારે દેવયાની સિંહ દ્વિતીય અને બીના સોની તૃતીય સ્થાને વિજેતા રહી હતી. તેમજ બોયઝમાં પણ સુરતના સાહિલ અરોરાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને સતીશ તિવારી દ્વિતીય તેમજ આર્યન કુકડિયા તૃતીય સ્થાને રહ્યા હતા.

દિપક અગ્રવાલે જણાવ્યું હતું કે આ વખતે ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં ઓડિશન રાખવામાં આવ્યા હતા. જેમાંથી 32ફાઇનલિસ્ટોનું ચયન કરવામાં આવ્યું હતું જેમાં 16પુરુષ અને 16મહિલાઓનું ગ્રુપ હતું.

-x-x-x-x-

August 4, 2018
am4-1280x853.jpg
2min8890

@ JAYESH BRAHMBHATT  98253 44944

 

  • પ્લેબેક સીંગર પૂર્વા મંત્રી અને ભાવીન શાસ્ત્રીની બેલડીએ પોતાના ગીતોથી સૌને ઝુમાવ્યા
  • અમેઝિયા ફેમિલી ક્લબના3000 મેમ્બર્સે પુલ પાર્ટી અને ફૂડ કાર્નિવલનો પણ ભરપૂર લ્હાવો માણ્યો

સુરત : ગુજરાતમાં સૌ પ્રથમ વખત અને તે પણ સુરતમાં “અમેઝિયાએક્વા લાઈવ કોન્સર્ટ”નું આજરોજ અમેઝિયા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ક્લબના સદસ્યોએ ગીત સંગીતની સાથે-સાથે પુલ પાર્ટી અને ફૂડ કાર્નિવલનો ભરપૂર લ્હાવો માણ્યો હતો.

રાજગ્રીન ગ્રુપના સંજય મોવલિયાઅને અલ્પેશ કોટડીયાએ જણાવ્યું હતું કે અમેઝિયાફેમિલી ક્લબ પોતાના મેમ્બર્સ માટે સતત આ પ્રકારના મનોરંજનથી ભરપૂર આયોજન કરતું રહે છે.ત્યારે આજરોજ અમેઝિયા ખાતે અમેઝિયા એક્વા લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુઝિક લાઈવ કોન્સર્ટ, પુલ પાર્ટી અને ફૂડ કાર્નિવલનો આનંદ અમેઝિયા ફેમિલી ક્લબના મેમ્બર્સે માણ્યા હતા. લાઈવ કોન્સર્ટમાં પ્લેબેક સીંગર પૂર્વા મંત્રી અને ભાવીન શાસ્ત્રીએ બૉલીવુડના ગીતો રજુ કરી સૌને ડોલાવી દીધા હતા. આ ઉપરાંત 3000થી વધુ મેમ્બરોએ પુલ પાર્ટી અને ફૂડ કાર્નિવલનો પણ પરિવાર સાથે ભરપૂર  લ્હાવો માણ્યો હતો.

 

-x-x-x-x-

August 4, 2018
se3-1280x856.jpg
1min7250

સુરત, 3 ઓગસ્ટ, 2018 – શેલ્બી હોસ્પિટલે સુરતની પ્રથમ મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી કરીને નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ડો. તૈયાબ લાકડાવાલા ડાયાબિટીસ અને હાઇપરટેન્શન સાથે સ્કોલિયોસીસને કારણે લાંબા સમયથી ગંભીર કમરના દુઃખાવાની સમસ્યાથી પીડીતા હતાં અને આ બિમારીને કારણે તેમના પોશ્ચર વિકૃત થઇ જતાં તેમના ડાબા પગમાં તીક્ષ્ણ પીડાની સમસ્યા સર્જાઇ હતી, જેથી તેમના ડાબા પગમાં આંશિક લકવાની અસર સર્જાઇ હતી. 67 વર્ષની ઉંમરના ડો. તૈયબ લાકડાવાલા છેલ્લાં એક વર્ષથી આ સમસ્યાથી પીડીત હતાં અને તેના કારણે તેમની હલનચલન ઘર પૂરતી મર્યાદિત થઇ ગઇ હતી અને પોતાના ક્લિનિકમાં પણ જવાનું બંધ કરી દીધું હતું. એક વર્ષ બાદ તેમણે સુરતના અડાજણ ખાતે શેલ્બી હોસ્પિટલમાં સિનિયર સ્પાઇન સર્જન ડો. ગૌરવ ખંડેલવાલની સલાહ લીધી હતી.

શેલ્બી હોસ્પિટલ ખાતે ડો. ગૌરવે દર્દીની વિકૃતિ અને નર્વ ડિકમ્પ્રેશનને સુધારવા માટે સ્પાઇન સર્જરી કરવાની સલાહ આપી હતી. સર્જરીના માત્ર 24 જ કલાકમાં ડો. લાકડાવાલા ચાલતા થયાં અને તેમની પીડામાં નોંધપાત્ર ઘટાડો પણ આવ્યો. સર્જરીના એક મહિના બાદ તેમનું જીવન એકદમ સામાન્ય થયું અને ડો. લાકડાવાલ ફરીથી પોતાના ક્લિનક જવા લાગ્યાં. હવે તેમને કોઇપણ સમસ્યા નથી.

આ સર્જરી અંગે માહિતી આપતાં ડો. ગૌરવ ખંડેલવાલે જણાવ્યું હતું કે, “છેલ્લાં કેટલાંક વર્ષોમાં સ્પાઇન સર્જરી ટેકનીકમાં બદલાવ આવ્યો છે અને પરંપરાગત ઓપન સર્જરીની જગ્યાએ મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી કરવામાં આવે છે. મિનિમલી ઇન્વેઝિવ સર્જરી સારા પરિણામો આપે છે તેમજ ખુબજ ઓછા કટ સાથે તંદુરસ્ત સ્નાયુઓને સાચવવામાં આવે છે. આ સર્જરીમાં લોહીની જરૂરી પણ ઓછી રહે છે અને અત્યંત વૃદ્ધિ દર્દીઓ ઉપર પણ શુન્ય ઇન્ફેક્શન રેટ સાથે સર્જરી કરી શકાય છે. ખુબજ ઓછા સમયમાં દર્દી સામાન્ય અને પીડામુક્ત જીવન વિતાવતા થાય છે. આ સર્જરી પરંપરાગત ઓપન સર્જરીની તુલનામાં ઓછી ખર્ચાળ છે. સ્પાઇનની સમસ્યાથી પીડીત દર્દીઓમાં ઝડપી રિકવરીને જોતાં મને ખુશી અનુભવાય છે. આ સુરતની પ્રથમ જટીલ મિનિમલ ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી છે.”

ઉલ્લેખનીય છે કે પરંપરાગત રીતે કરાતી સર્જરીમાં ઓછામાં ઓછા 10 કલાકનો સમય, 15 દિવસના હોસ્પિટલ સ્ટે, 5 લોહીના 5 યુનિટ અને સંપૂર્ણ રિકવરી માટે એક વર્ષનો સમય લાગે છે. આ ઉપરાંત તેનો ખર્ચ રૂ. 4થી5 લાખ, એક વર્ષ ફિઝિયોથેરાપી માટેનો અંદાજિત ખર્ચ રૂ. 75,000 જેટલો થવા પામે છે, એટલે કે સારવારનો કુલ ખર્ચ રૂ. 5થી6 લાખ થાય છે. જોકે, ડો. ખંડેલવાલ દ્વારા કરાયેલી મિનિમલી ઇન્વેઝિવ સર્જરીમાં 5 દિવસના હોસ્પિટલ સ્ટેની જરૂર રહે છે અને દર્દી સર્જરીના એક દિવસમાં ચાલતો થઇ જાય છે તથા માત્ર એક યુનિટ લોહીની જરૂરિયાત રહે છે. મહત્વપૂર્ણ છે કે સર્જરીનો ખર્ચ પરંપરાગત સર્જરીની સરખામણીમાં એક તૃતયાંશ ઓછો છે.

શેલ્બી હોસ્પિટલ્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી મનિષ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “સ્પાઇનના દર્દીઓ અદ્યતન ટેક્નોલોજીનો લાભ લઇને કોઇપણ પ્રકારના કોમ્પલિકેશન વિના ઝડપી રિકવર હાંસલ કરી શકે છે. સુરત ખાતે શેલ્બી હોસ્પિટલે મુંબઇમાંથી પણ સ્પાઇન સર્જરી કેસ મેળવ્યાં છે. હોસ્પિટલ પાસે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ બ્રેઇન અને સ્પાઇન સર્જનની પ્રતિબદ્ધ ટીમ છે. અમે ખુબજ ઓછા સમયમાં 200થી વધુ સ્પાઇન સર્જરી કરી છે અને સફળતાનો દર પણ ઉંચો છે. અમારા પ્રયાસોથી મોટી સંખ્યામાં દર્દીઓને લાભ થતાં જોઇ અમે ખુશી અનુભવીએ છીએ.”

August 4, 2018
b9.jpg
4min10290

@ Jayesh Brahmbhatt   98253 44944

 

અમેઝિયા-ધ ફેમિલિ ક્લબ ખાતે “બીએનઆઇ ઝુનુન 2018”નું થયું ભવ્ય આયોજન

સુરત, 29જુલાઇ, 2018:

બિઝનેસ નેટવર્કિંગ ઇન્ટરનેશનલ (બીએનઆઇ)એ શહેરના અગ્રણી અને ખ્યાતનામ સીએ ગૌરવ વી. સંધવી અને ડો. નિધિ સંધવી દ્વારા 29મી જુલાઇ 2016ના રોજ શરૂ કરાયેલા સુપરલેટિવ ટેક્નો-નેટવર્કિંગ એટલેકે “રેફરલ માર્કેટિંગ”ના બે વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યાંની જાહેરાત કરી હતી. તેઓ બીએનઆઇ સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ છે.

બીએનઆઇ સુરતે આ બે વર્ષના સમયગાળામાં કુલ 13 ચેપ્ટર્સ લોન્ચ કર્યાં છે અને હાલમાં 1,000થી પણ વધુ સભ્યો ધરાવે છે. આ ઉપરાંત બીએનઆઇ સુરત આગામી મહિનાઓમાં વધુ 7 ચેપ્ટર્સ ઉમેરીને 350થી વધુ સભ્યોને જોડવાની અપેક્ષા રાખે છે.

બીએનઆઇ સુરત દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે હાંસલ કરાયેલી સિદ્ધિઓ અંગે વાત કરતાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, અમને 3 સેન્ટેનિયલ ચેપ્ટર્સ અને વિશ્વભરમાં સૌથી વધુ એવરેજ ચેપ્ટર સાઇઝ ધરાવવાનું સન્માન મળેલું છે. 72 દેશોમાં 900થી વધુ રિજનમાં બીએનઆઇ સુરતે વિશ્વમાં પ્રથમ ક્રમના રિજન હોવાનું પણ ગૌરવ પ્રાપ્ત કરેલું છે.

સુરતના સભ્યો ગિવર્સ ગેઇનનું સુત્ર ખુબજ સારી રીતે સમજે છે, જેનો મુખ્ય સંદેશો ‘યોર નેટવર્ક ઇઝ યોર નેટવર્થ’ છે તથા આ શુભ પ્રસંગે બીએનઆઇ સુરત 29મી જુલાઇ, 2018ના રવિવારના રોજ અમેઝિયા-ધ ફેમિલિ ક્લબ ખાતે બીએનઆઇ ઝુનુનનું આયોજન કરવામાં આવ્યું હતું.

બીએનઆઇ સુરત ઝુનુન 2018માં મેમ્બર્સ ગાલા એવોર્ડ્સ નાઇટ યોજાયુ હતું, જે સુરત શહેર માટે પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ હતો અને ગત વર્ષે પણ આ કાર્યક્રમને ખુબજ સારી સફળતા પ્રાપ્ત થઇ હતી. આ વિશાળ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં ખ્યાતનામ સુરત શહેરના 1,000થી વધુ ઉચ્ચ દરજ્જાના ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ગ્રુપ અને સોલો પર્ફોર્મન્સ, મેમ્બર્સને પોતાની બ્રાન્ડ પ્રદર્શિત કરવા યુનિક મેગા ફેશન શો, એવોર્ડ ડિસ્ટ્રિબ્યુશન, વિશેષ સન્માન સહિત સંખ્યાબંધ મનોરંજન કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

 

-x-x-x-

For English Readers.

Surat :BNI Surat is honored and pleased announce that the Journey of superlative Techo – Networking (Technology enable networking organization) called “Referral Marketing “which started on 29th July 2016 by Surat’s most leading & prominent Chartered Accountant CA Gaurav V. Singhvi& Dr. NidhiSinghvi. They are Executive Directors of BNI Surat.

BNI Surat has completed successful 2 Years of its journey with the launch of total 13 Chapters with over 1000+ Members. In the coming months we are expecting 7 more Chapters to be launched which are in making with an addition of 350+ members. Talking about some of global achievements of BNI Surat Region, we have the honour of having 3 Centennial Chapters & highest Average Chapter Size all across the world. The Region is also well recognized for being the World’s No.1 Region in BNI Journey till now from out of 900+ Regions and 72 Countries.

The philosophy of Giver’s Gain is enrooted in the members of Surat and it revolved around one single statement “Your network is your net worth” and on this auspicious day BNI Surat a Giver’s platform is celebrating and organizing BNI Junoon on 29th July 2018, Sunday at Amaazia- the Family Club.

BNI SuratJunoon 2018 a Member’s Gala Award’s Night is one of the prestigious award night of the Surat City which was a huge successful event in last year. This mega event will be attended by the 1000+ elite entrepreneur of the Surat City having business in all horizons. The event comprises of Group & Solo Performances, Unique Mega Fashion Shows which is organized for the member’s only to showcase their esteemed brand during event, Awards Distribution, Special Recognition, Singing and lots of Entertainment and surprises followed up by dinner.