CIA ALERT

My World Archives - Page 11 of 32 - CIA Live

July 31, 2021
aashish_gujarathi-1.jpg
1min640

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

અસ્સલ સુરતી અને પોતાના મુદ્દા પર ચોક્કસ હોય છે આશિષ ગુજરાતી. આજે તા.31મી જુલાઇ 2021ની સાંજે પાંચ કલાકે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના આગામી વર્ષના પ્રેસિડેન્ટ તરીકે ચાર્જ લઇ રહ્યા છે. આશિષ ગુજરાતીને ટેક્ષટાઇલ તથા અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો અગર તો સુરતી મોઢ વણિક સમાજના લોકો ઓળખતા હશે પરંતુ, હવે તેઓ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાના પ્રેસિડેન્ટ બન્યા છે ત્યારે ઉદ્યોગ, ધંધા રોજગાર સાથે સંકળાયેલા તમામ લોકો તેમના વિશે જાણે તે જરૂરી છે.

આશિષ ગુજરાતીની અત્યાર સુધીની ઓળખની વાત કરીએ તો વીવીંગ ઇન્ડસ્ટ્રીઝ અને ઓવર ઓલ ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ટેકનિકલી સાઉન્ડ પર્સનાલિટી ગણાય. હાલમાં ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ટેક્નોલોજી અપગ્રેડેશન ચાલી રહ્યું છે આ ઇન્ડસ્ટ્રીને આ સ્ટેજ પર લાવવામાં આશિષ ગુજરાતીનું પણ કંઇ કેટલુંય યોગદાન લેખાવી શકાય.


ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનાં લાઈફ મેમ્બર તરીકે જોડાઈને છેલ્લાં ૧૬ વર્ષથી તેઓ સક્રીય કાર્યકર તરીકે સેવા આપી છે. છેલ્લાં ૧૦ વર્ષથી મેનેજિંગ કમિટીનાં સભ્ય રહી અસંખ્ય પ્રવૃત્તિઓમાં અતિ-મહત્વનું યોગદાન આપ્યું છે. વર્ષ ૨૦૨૦-૨૦૨૧નાં તેઓ ચેમ્બરનાં ઉપ-પ્રમુખ તરીકે ચૂંટાયા હતાં અને વર્ષ દરમ્યાન પ્રસંશનીય કામગીરી કરી હતી. CiALive

આશિષ ગુજરાતી, બેંગલોરથી મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી પ્રાપ્ત કરીને સુરતના ટેકસટાઈલ ઉદ્યોગમાં જોડાયા હતાં. તેઓ ટેકસટાઈલ ઉદ્યોગના ઊંડા અભ્યાસુ છે તેમજ વર્ષોથી સુરતનાં ટેકસટાઈલ ઉદ્યોગનાં પ્રાણપ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણ અર્થે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં વિવિધ સ્તરે વખતોવખત રજૂઆતો કરી ધાર્યા પરિણામો મેળવી ઉદ્યોગને લાભાન્વિત કર્યો છે. પોતાના દીર્ધ અનુભવ અને અનોખા વિઝન થકી તેમણે ઉદ્યોગમાં ભારે લોકપ્રિયતા સાથે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના લાઈફ મેમ્બર તરીકે જોડાઈને છેલ્લાં ૧૬ વર્ષથી તેઓ સક્રીય કાર્યકર તરીકે સેવા આપી રહયા છે. છેલ્લાં ૧૦ વર્ષથી મેનેજિંગ કમિટીનાં સભ્ય રહી અસંખ્ય પ્રવૃત્તિઓમાં અતિ–મહત્વનું યોગદાન આપ્યું છે. વર્ષ ર૦ર૦–ર૦ર૧ના તેઓ ચેમ્બરના ઉપ–પ્રમુખ તરીકે ચૂંટાયા હતાં અને વર્ષ દરમ્યાન પ્રસંશનીય કામગીરી કરી હતી.

આશિષ ગુજરાતી માટે ક્રિકેટ માત્ર શોખ નહીં જૂનુન છે. બાળપણથી યુવાવસ્થા દરમ્યાન ક્રિકેટમાં ખૂબજ સક્રિય ખેલાડી રહયાં છે અને આજે પણ આ શોખ યથાવત છે. આ ઉપરાંત તેઓ એડવેન્ચર સ્પોર્ટસ, રીવર રાફટીંગમાં ખૂબજ રસ ધરાવે છે. તેઓ મનાલી જેવા સ્થળોએ ૧૫ ક્.મિી. દૂર ટ્રેકીંગનાં શિડયુલ્સ પણ લીધા છે. તેઓને પેરાગ્લાઈડીંગનો ખૂબ શોખ છે અને આજે પણ વર્ષ દરમ્યાન બે ત્રણ વખત પેરાગ્લાઈડીંગ તેમજ ટ્રેકીંગ કરતાં હોય છે. આ ઉપરાંત તેમને સંગીતમાં ખાસ કરીને ભારતીય શાસ્ત્રીય સંગીત, સેમી ક્લાસીકલ, વેસ્ટર્ન સંગીત તેમજ સુગમ સંગીતનો ખૂબજ શોખ છે. 

પાંડેસરા વીવર્સ કો.ઓ. સોસાયટીના પ્રમુખ છે

છેલ્લાં ૧ર વર્ષથી કાર્યરત પાંડેસરા વિવર્સ કો–ઓપ. સોસાયટીના તેઓ પ્રમુખ છે. તેમની આગેવાનીમાં યાર્ન બેંકની સ્થાપના પછી સંસ્થાએ પ્રગતિ સાધી નવી ઉંચાઈ પ્રાપ્ત કરી વિવર્સ આલમની ખૂબ સેવા કરી છે. તેમણે જીએફઆરઆરસી, ફીઆસ્વી અને ફોગવા જેવા જાણીતા એસોસીએશનો સાથે રહીને સ્થાનિક કાપડ ઉદ્યોગનાં વિકાસ માટે પ્રસંશનીય કામગીરી કરી છે.

સરકાર સમક્ષ અનેક મુદ્દાઓ પર મુદ્દાસર, ડેટા સાથે અસરકારક રજૂઆતો કરી ચૂક્યા છે

‘ટફ’ સબસિડી, જીએસટી, મેગા પાવરલૂમ ક્લસ્ટર, આઈટીસી રીફંડ, એન્ટી ડમ્પીંગ ડયૂટી, ‘નેશનલ ટેકસટાઈલ પોલિસી ડ્રાફટ’, ‘ટેકસટાઈલ એકસલન્સ સેન્ટર’, ટેકનીકલ ટેકસટાઈલથી લઈને ઉદ્યોગનાં અનેક નાનાં મોટા પ્રશ્નોનાં નિરાકરણ માટે વિવિધ સરકારી વિભાગો, ગુજરાત સરકાર, ટેકસટાઈલ કમિશ્નર, હાઈકોર્ટ તથા કેન્દ્ર સરકારનાં મંત્રાલયો સુધી અસરકારક રજૂઆતો કરીને અનેક વખત સફળતા મેળવીને ઉદ્યોગની વિકાસલક્ષી કામગીરી કરી છે. હાલમાં ચેમ્બર ખાતે આધુનિક ટેકસટાઈલ એજ્યુકેશન સેન્ટરની શરૂઆતથી લઈને અનેક બૌદ્ધિક ચર્ચાઓ, વેબિનાર અને કાર્યશાળાઓ તેમનાં દીર્ધ અનુભવ અને દુરંદેશી દૃષ્ટિકોણની દેન છે.

આ કામ કરવાની નેમ ધરાવે છે

સુરતમાં સ્ટાર્ટ–અપ ઇકો સિસ્ટમ પ્રબળ બનાવવા તથા દેશમાં ‘પ્રથમ ચેમ્બર લીડ સ્ટાર્ટ–અપ ઇન્કયુબેટર’ બનાવવાની મંજૂરી મેળવવા માટે તેઓ પ્રયાસ કરી રહયા છે. આ ઉપરાંત સુરતને આઇ.ટી. હબ બનાવવાની જે ઝૂંબેશ હાલ ચાલી રહી છે તેને વધુ મજબુત બનાવવાની દિશામાં આગળ વધી રહયા છે.

ભારત સરકાર દ્વારા દેશમાં સાત જેટલા મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેકસટાઇલ્સ પાર્ક્‌સ (MITRA) સ્થાપવાનું નકકી કર્યું છે. એમાંથી એક પાર્ક સુરતને મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. તદુપરાંત પી.એલ.આઇ. સ્કીમની ગાઇડલાઇનમાં ટેકસટાઇલના સ્પેશ્યાલિટી યાર્ન, ટેકનીકલ ટેકસટાઇલના ફેબ્રિકનો સમાવેશ થાય તેના માટે તેઓ પ્રયત્નશીલ છે. ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા નેશનલ ટેકનીકલ ટેકસટાઇલ મીશન અંતર્ગત રૂપિયા ૧૪૮૦ કરોડની ફાળવણીની જાહેરાત કરી છે ત્યારે એનો મહત્તમ લાભ દક્ષિણ ગુજરાતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને મળે તે માટે પણ તેઓ પ્રયત્ન કરી રહયા છે.

દેશમાં ગયા માર્ચ ર૦ર૦થી શરૂ થયેલી કોરોના મહામારી દરમ્યાન કાપડ ઉદ્યોગ સહિતનાં અનેક નાના મોટા ઉદ્યોગ–ધંધાનાં કારીગરો અને જરૂરતમંદો માટે ફૂડ કીટ વિતરણ, માસ્ક વિતરણ, વેકિસનેશનથી લઈ અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓમાં તેમની ભૂમિકા સક્રિય અને સરાહનીય રહી છે. તેઓ ઈંગ્લેડ, યુરોપ, સ્વિત્ઝર્લેન્ડ, ચાઈના, ટર્કી, મલેશિયા અને સિંગાપોરની મુલાકાત પણ લઈ ચૂકયા છે.

July 25, 2021
cia_society-1280x880.jpg
1min613

મહાવીર ઇન્ટરનેશનલ એપેક્સ અને એમઆઈ સુરત મુખ્ય શાખાનો ગ્રીન અને ક્લીન ઈન્ડિયા પ્રોજેક્ટ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને પર્યાવરણ નિરીક્ષણ શ્રી બસંત ખેતાનના સહયોગથી રવિવારે તા.25 જુલાઇ 2021ના રોજ સુરત એરપોર્ટ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે એરપોર્ટના ડાયરેક્ટર અમન સૈની, મહાવીર ઈન્ટરનેશનલના આંતરરાષ્ટ્રીય સચિવ વીર અનિલ જૈન, પર્યાવરણ પ્રેમી બસંત ખેતાન, રીજિયન -૮ ના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વીર ગણપત ભણસાલી, આંતરરાષ્ટ્રીય નિયામક વીર સુરેન્દ્ર મરોઠી, વીર સંદીપ ડાંગી શાસન સમિતિના સભ્ય વીર મુકેશ જૈન, સચિવ વીર હસ્તીમલ બંઠિયા, એરપોર્ટ એન્જિનિયર સુનિલ કુમાર, એક સોચના પ્રમુખ, રીતુ રાઠી, યંગ ઈન્ડિયાની દીપિકા કલન્ત્રી ધૂત, રાજીવ કોઠારી, સમાજ સેવી સંજય જૈન ચાવત, પ્રીતમ ગોસ્વામી, રમેશ રાજપૂત વગેરે પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વીર અનિલ જૈનની ઉપસ્થિતિમાં મહાવીર ઇન્ટરનેશનલ દ્વારા સવારે સિટીલાઇટ સ્થિત શાકમાર્કેટમાં પણ વૃક્ષારોપણ કરાયું હતું, આ પ્રસંગે પર્યાવરણ નિરીક્ષક શ્રી બસંત ખેતાન સહિતના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

July 22, 2021
kanji_bhalala_cialive.jpg
2min836

નાગરીક સમિતિ સુરત તરફથી કારગીલ વિજય દિને સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. ૧૭ વીર જવાનોના પરિવારોને સન્માન સાથે આર્થિક સહયોગ એનાયત કરવામાં આવશે.

૧૯૯૯ ના કારગીલ યુદ્ધ પછી તેના વિજયના માનમાં ૨૬ જુલાઇ કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

જય જવાન નાગરીક સમિતિ સુરત અને લેઉવા પાટીદાર સમાજ અમેરીકાના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૨૬-૭-૨૦૨૧ સોમવારે સૌરાષ્ટ્ર પટેલ ભવન, વરાછા રોડ, સુરત ખાતે સાંજે ૬ કલાકે ગુજરાતના રાજયપાલશ્રી આચાય દેવવ્રતજીની ઓનલાઇન ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.

કોવિડ-૧૯ની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખી મયાદિત મહાનુભાવોની હાજરી કાયક્રમ યોજાશે અને સમગ્ર કાયક્રમનું ટી.વી. ચેનલ તથા સોશ્યલ મિડીયામાં જીવંત પ્રસારણ થશે.

દેશ માટે વીરગતિ પામેલા ૧૭ વીર જવાનો પૈકી ૬ જવાનોના પરિવારોને સુરત રૂબરૂ નિમંત્રવામાં છે. બાકીના ૧૧ જવાનોના પરિવારોને કુલ રૂા. ૧૮,૨૫,૦૦૦ લાખ રૂપિયાની સહાય પુરા સન્માન સાથે અર્પણ કરવામાં આવશે. સુરતથી કાર્યકર્તાઓની ટીમે દરેક વીર જવાનોના વતન તેમના પરિવારોની મુલાકાત લીધી છે. અને સુરતની લાગણી પહોંચાડી છે.

અત્યાર સુધીમાં કુલ ૫.૨૧ કરોડની સહાય

૧૯૯૯ ના કારગીલ યુદ્ધ સમયથી શરૂ થયેલ જય જવાન નાગરીક સમિતિ સુરત તરફથી અત્યાર સુધીમાં ૩૪૮ વીર જવાનોના પરિવારો કુલ રૂપિયા ૫.૨૧ કરોડની સહાય અર્પણ કરી દેવામાં આવી છે. છેલ્લા ૨૧ વર્ષથી આ પ્રવૃતિ અવિરત ચાલી રહી છે. જેમાં રાષ્ટ્ર પ્રેમી લોકો – શાળાઓ – બાળકો અને યુવા કાયકતાઓ મોટી સંખ્યામાં આ સંસ્થા સાથે જાેડાયેલ છે.

દેશ માટે પ્રાણનું બલીદાન આપનાર વીર જવાનોના પરિવારનું સન્માન કરવુ, આર્થિક સહાય કરવી, નાગરીકોમાં રાષ્ટ્રીય ચેતના પ્રગટાવવાના મુખ્ય ત્રણ હેતુઓ સાથે દર વર્ષે આ કાયક્રમનું આયોજન થાય છે.

૮ પોલીસ જવાનોના પરિવારોને નાણાંકીય સહાય અપાશે

કોરોનાના મહાસંર્કટમાં સુરત પોલીસે પણ નોંધનીય કામગીરી કરી છે. કોરોના કાળમાં મોતના તાંડવ વચ્ચે પણ પોલીસે ફરજ બજાવી છે. કોરોના જંગમાં સુરત પોલીસના ૮ જવાનોએ જીવ ગુમાવ્યા છે. તેમના પરિવારોનું પણ સન્માન સાથે દરેકને એક – એક લાખની સહાય અર્પણ કરવામાં આવશે. અગ્રણી શ્રી લવજીભાઇ ડી. ડાલીયા તરફથી પોલીસ જવાનોના પરિવારોને  સહાય અર્પણ થશે. આ આઠ જવાનોમાં બે મહિલા કોન્ટેબલનો સમાવેશ છે. કોરોના જંગમાં પોલીસ જવાનોને યાદ કરી તેમના પરિવારોને લોકો તરફથી સન્માન સાથે સહાય કરવાની આ પ્રથમ ઘટના છે.

મહેમાનોની રૂબરૂ તથા ઓનલાઇન હાજરી

સમારોહના અધ્યક્ષ સ્થાને રાજ્યપાલશ્રી આચાય દેવવ્રતજીની ઓનલાઇન ઉપસ્થિતિમાં યોજાનાર કાયક્રમમાં મુખ્ય મહેમાનપદે શ્રી લવજીભાઇ બાદશાહ તથા ખાસઅતિથી તરીકે મુંબઇથી હિરા ઉદ્યોગના યુવા અગ્રણી શૈલેષભાઇ પી. લુખી હાજર રહેશે. આ ઉપરાંર્ત સંસ્થાના માગદર્શક બ્રિગેડીયર બી. એસ. મહેતા, કાયક્રમના સૌજન્ય દાતાશ્રી મનહરભાઇ સાંસપરા, સેવાભાવી શ્રી ભરતભાઇ શાહ તથા સુરત જીલ્લા લેઉવા પાટીદાર સમાજના પ્રમુખશ્રી મુકેશભાઇ પટેલ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિ રહેશે.

અમેરીકાથી લેઉવા પાટીદાર સમાજ તરફથી જવાનોના પરિવારોને આથિક સહાય કરવામાં આવી છે. તેમના પ્રમુખ નયનાબેન પટેલ તથા લેફટેનન્ટ કર્નલ મુકેશભાઇ રાઠોડ કાર્યક્રમમાં ઓનલાઇન જાેડાઇ શુભેચ્છા આપશે. આ ઉપરાંત અમેરીકાથી મોટી સંખ્યામાં ગુજરાતી સમાજના પરિવારો અને દાતાઓ કાર્યક્રમ ઓનલાઇન નિહાળશે. સુરત રૂબરૂ નથી બોલાવ્યા તેવા ૧૧ જવાનોના પરિવારો ઓનલાઇન જાેડાઇને કાયક્રમમાં સહભાગી બનશે.

બે બહાદુર જવાનોની હાજરી

કારગીલ યુદ્ધમાં દુશ્મન દેશના ૨૨ સૈનિકોને ખાતમો કરનાર સુબેદાર ધર્મેન્દ્રસિંહ ખુમાણસિંહ વાળા સુરત ખાતે કાયક્રમમાં ઉપસ્થિત રહેશે તેઓ રાજકોટ જીલ્લાના ઉપલેટા નજીક ચરેલીયા ગામના વતની અને હાલ નિવૃત છે. અને બીજા બહાદુર જવાન શ્રી વલ્લભભાઇ અરજણભાઇ બલદાણીયા જેમણે ૧૯૯૨માં પાકિસ્તાનની સામેના ઓપરેશનમાં ૪૫ દુશ્મનોને ઠાર મારી દીધા હતા અને સેવા મેડલ અને સીલ્વર મેડલથી સન્માનિત થયેલા છે. તેવા શ્રી વલ્લભભાઇ બલદાણીયા અમરેલીના ખાંભાં તાલુકાના લાસા ગામે હાલ નિવૃત જીવન ગાળે છે. તેઓ પણ ખાસ સુરત કાયક્રમમાં અતિથિ છે.

લોકો-સહયોગથી કાર્યક્રમ શક્ય બને છે

જય જવાન નાગરીક સમિતિ સુરતના ટ્રસ્ટીશ્રી કાનજીભાઇ આર. ભાલાળા જણાવે છે કે શહીદ જવાનોના પરિવાર માટે લોકોએ આપેલ ફંડનો દરેક રૂપિયો પરિવારો માટે જ છે. તે ફંડમાંથી કોઇ ખર્ચ કરવામાં આવતો નથી. કાર્યકર્તાઓની ટીમ સ્વખર્ચે પરિવારોની મુલાકાત લે છે. સમર્પણ ગૌરવ સમારોહની વ્યવસ્થામાં લોકોનું સૌજન્ય પ્રાપ્ત થાય છે.

  • કાયક્રમનું સ્થળ સૌજન્ય સૌરાષ્ટ્ર પાટીદાર સોશ્યલ ટ્રસ્ટનું છે. પરિવારો માટે ઉતારા તથા ભોજન વ્યવસ્થા સૌજન્ય ઉમિયા પરિવાર ટ્રસ્ટ તરફથી છે.
  • કાર્યક્રમ હોલમાં સોફા – ખુરશી વગેરે મંડપ વ્યવસ્થા આકૃતિ મંડપ વાળા શ્રી અશ્વિનભાઇ અકબરી તરફથી થશે.
  • ફોટોગ્રાફી સૌજન્ય નવકલા સ્ટુડીયોનું છે. દરેક પરિવાર તથા મહેમાનો માટે ચાંદી સ્મૃતિમુદ્રા ધાની જ્વેલર્સના શ્રી વિજયભાઇ માંગૂકીયા આપે છે.
  • આમંત્રણ પત્રિકા તથા સન્માન વ્યવસ્થા ખર્ચ યુરો ઇન્ડિયા ફ્રેશ ફ્રુટ લી. સુરત તરફથી છે. યુરોના શ્રી મનહરભાઇ સાસપરા તથા દિનેશભાઇ સાસપરા તરફથી આ સૌજન્ય દર વર્ષે પ્રાપ્ત થાય છે.
  • આવી રાષ્ટ્ર સેવા ભાવથી કાયકતાઓ, સંર્સ્થાઓ અને દાતાઓનો સહયોગ મળે છે. વર્ષ દરમ્યાન અસંખ્ય લોકો તરફથી જવાનોના પરિવારો માટે દાન પ્રાપ્ત થાય છે. એટલુ જ નહિ આ સંસ્થા સાથે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત ડાયમંડ એસોસીયએશન, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ, શ્રી સૌરષ્ટ્ર પાટીદાર સોશ્યલ ટ્રસ્ટ, ધી વરાછા કો.ઓ.બેંક અને લોક સમર્પણ બ્લડ બેંક ૧૯૯૯થી સહયોગી તરીકે જાેડાયેલ છે. આ ઉપરાંત વ્યવસ્થા માટે અનેકવિધ સંસ્થાઓના કાર્યકર્તાઓ નિષ્ઠા અને ઉત્સાહથી રાષ્ટ્ર પ્રેમ સાથે કામ કરે છે.

કોવિડ-૧૯ ની ગાઇડ લાઇનનું પાલન સાથે કયક્રમ યોજાશે

વર્તમાન કોવિડ-૧૯ ની ગાઇડ લાઇનના પાલન સાથે સૌરાષ્ટ્ર પટેલ ભવન હોલમાં મર્યાદિત દાતા-મહાનુભાવો અને કાયકર્તાઓની હાજરીમાં કાર્યક્રમ યોજાશે. વીર જવાનોને ભાવાંજલી સાથે કાયક્રમનું જીવંત પ્રસારણ થશે. ૨૧ વર્ષમાં પહેલીવાર ભારતથી બહાર અમેરીકાની સંસ્થા અને તેના પ્રતિનિધિઓ કાર્યક્રમમાં સહભાગી બન્યા છે.

દક્ષિણ ગુજરાતના લેઉવા પાટીદાર સમાજના પરિવારો અમેરીકા સ્થાયી થયા છે. તેમણે આર્થિક સહયોગ આપ્યો છે. તે તમામ પરિવારો ઓનલાઇન આપણી સાથે જાેડાશે. લેઉવા પાટીદાર સમાજ અમેરીકાના મંત્રી ગીરીશભાઇ પટેલ જણાવે છે કે આ કાર્યક્રમ અંગે ગુજરાતીઓમાં ભારે ઉત્સાહ છે. દેશ માટે પ્રાણનું બલિદાન આપનાર માટે અમારી આ ભાવાંજલી છે. સંસ્થાના ટ્રસ્ટીશ્રી કે. ડી. વાઘાણી, શ્રી દેવચંદભાઇ જે. કાકડીયા તથા શ્રી માવજીભાઇ ડી. માવાણી વગેરેએ જણાવ્યું છે કે કાર્યક્રમના સ્થળે પ્રવેશવા પ્રવેશ પાસ જરૂરી છે. તેથી લોકોને ટી. વી. તથા સોશ્યલ મિડિયામાં કાયક્રમ નિહાળવા જાહેર અપીલ છે.

July 16, 2021
cia_society-1280x880.jpg
3min998

સુરતની એવી બહૂ જૂજ શાળાઓ છે જે શાળા જૂની, જાણિતી અને મોટી કહી શકાય. આવી સ્કુલો પૈકીની એક છે વરાછા રોડ પર આવેલી પી.પી. સવાણી વિદ્યાભવન ટ્રસ્ટની પી.પી. સવાણી સ્કુલ. આ શાળામાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને આજે સમાજના દરેક સ્તરે અગ્રગણ્ય મુકામ પર પહોંચ્યા છે. ડોક્ટર, એન્જિનિયર, સી.એ.થી લઇને કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતા ઉદ્યોગપતિઓ પી.પી.સવાણી સ્કુલમાંથી અભ્યાસ કરીને આગળ વધ્યા છે. તાજેતરમાં પી.પી. સવાણી સ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના બનેલા સંગઠનનું એક ગેટ ટુ ગેધર યોજાયું હતું. જેમાં શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ કે જેમણે કોવીડ-19માં સામાજિક સ્તરે ઉમદા કાર્ય કર્યું હતું તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.

એટલા માટે જ અહીં શિર્ષકે લખવામાં આવ્યું છે કે પીપી સવાણી સ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ખરા અર્થમાં સોશ્યલ નેટવર્કિંગને સાર્થક કરી રહ્યા છે

પી.પી.સવાણી ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિયેશનની સ્થાપના ઓક્ટોબર 2014માં કરવામાં આવી હતી પી પી સવાણી ગૃપ ઓફ સ્કૂલ માંથી લગભગ 15 હજારથી વધારે વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમાંથી લગભગ ૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ સંગઠન સાથે જોડાયેલા છે. જેમાંથી 1000 થી વધારે ડોક્ટરો 2500થી વધારે એન્જિનિયરો, વકીલાત, એકાઉન્ટ તેમજ વિવિધ ગવર્મેન્ટ શાખાઓમાં કામ કરતા આ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે

પી.પી.સવાણી ભૂતપૂર્વ વિદ્યાર્થી association માં ભારતમાં જ નહીં પણ વિદેશભર માથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ સંકળાયેલા છે. આ Association નો મુખ્ય હેતુ એકબીજાને મદદરૂપ થવા માટે તેમજ સાથે મળી સંકલિત થઇ કામ કરવા. તેમજ દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ, ક્રિકેટ ટુર્નામેન્ટ તેમજ કોરોના જેવી મહામારી માં પાંચ oxygen concentrator સૌરાષ્ટ્રમાં યોગદાન રૂપે આપ્યા તેમજ લગભગ વિવિધ Isolation Ward મા સાત દિવસ ભોજન માટેની સહાયતાની આયોજન કરવામાં આવ્યું હતું.

તેમજ વિવિધ નોકરી માર્ગદર્શન, ડોકટર contact જેવા આંગળી ચીંધ્યા ના કામો આ સંગઠન દ્વારા કરવામાં આવે છે.

પી પી સવાણી ભૂતપૂર્વ વિદ્યાર્થી અસોસિયેશન ના બેચ ૨૦૦૧ દ્વારા કોરોના મહામારીમા જેમણે અભૂતપૂર્વ કામગીરી કરી હતી તેવા કર્મ યોદ્ધા (ડો. શ્રીઓનું) અને સેવા યોદ્ધા ઓનું સન્માન કરવાનો જે અમોને મોકો પ્રાપ્ત થયો હતો તે માટે અમો ખૂબ ગૌરવ અનુભવીયે છીએ. સમાજ સેવા માટે અમારું ગ્રુપ હંમેશા કાર્યરત છે.

July 16, 2021
cia_society-1280x880.jpg
3min1031

સ્ત્રી સશકિતકરણ માટે વ્યવસાય અને ઉદ્યોગ સાહસીક બહેનોને પ્રોત્સાહિત અને પ્રગતિ માટે માર્ગદર્શન આપવા માટે ઈન્નર વ્હીલ કલબ ઓફ સુરત ઈસ્ટ તરફથી ૭૮ બહેનોનું જાહેર અભિવાદન કરવામાં આવ્યુ હતું.

May be an image of 7 people, people standing and indoor

તા.૧૪.૦૭.૨૦૨૧, બુધવારે આશાદીપ સ્કુલ ઓડીટોરીયમ ખાતે આશાદીપ નારી શકિત એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું. સમારોહના અઘ્યક્ષ સ્થાનેથી આરોગ્ય સમિતીના અઘ્યક્ષ દર્શિનીબેન કોઠીયાએ જણાવ્યુ હતું કે નારીની શકિત ઓછી નથી તમામ ક્ષેત્રો બહેનો માટે ખુલ્લા છે.

જીવનમાં માત્ર ગૃહિણી બની રહેવાને બદલે કંઈક કરવાની ઈચ્છા ખૂબ જરૂરી છે. નાના ગૃહઉદ્યોગ કરવા માટે રાજય સરકારની ઘણી યોજના મદદરૂપ થઈ શકે તેમ છે.

May be an image of 6 people and people standing

પોતાની જાત ઉપર વિશ્વાસ રાખી આગળ વધો- હેતલ વિરાણી

નારીશકિત એવોર્ડ વિતરણ સમારોહના મુખ્ય મહેમાન પદે યુવા ઉદ્યોગ સાહસીક મહિલા અને સ્પાર્કલ બ્રાંડના ફાઉન્ડર એવા હેતલબેન વિરાણીએ બહેનોને જણાવ્યુ હતુ કે પોતાની જાત ઉપર વિશ્વાસ રાખી લોકો શું કહે છે તે ઘ્યાનમાં લીધા વગર આગળ વધો. શૈક્ષણિક ડિગ્રી લીધા પછી કેળ અને બંબુમાંથી સેનેટરી પેડ બનાવવાનું સફળ સ્ટાર્ટઅપ ઉભુ કરનાર હેતલ વિરાણીએ મહિલાઓને કંઈક કરી પોતાની કમાણી કરવા માટે પ્રોત્સાહિત કરી હતી.

May be an image of 7 people and people standing

ઈન્નર વ્હીલ કલબ ઓફ સુરત ઈસ્ટના પ્રમુખ જયશ્રી ભાલાળાએ સર્વોને આવકારી બહેનોને જાગૃત અને મજબુત બનવા આહવાન કર્યુ હતું. તેમણે જણાવ્યુ હતુ કે વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેકટ અંતર્ગત આજે ૭૮ બહેનો જે જુદા જુદા વ્યવસાય અને ઉદ્યોગ સાહસીક બહેનોને સન્માનિત કરવામાં આવ્યા છે. કલબની બહેનોને પ્રોત્સાહિત કરી તેમના વ્યકિતત્વનો વિકાસ થાય તે માટેના પ્રયાસો હજુ પણ કરવામાં આવનાર છે.

આવનારો સમય ઓનલાઈન વેપારનો છે… કાનજી ભાલાળા

બહેનોને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપતા સમારોહના અતિથીશ્રી કાનજીભાઈ આર.ભાલાળાએ જણાવ્યુ હતુ કે આવનારો સમય ઓનલાઈન વેપારનો છે. ત્યારે તમારા  ગૃહઉદ્યોગની પ્રોડકટ ઓનલાઈન વેચાણ મુકવા માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે બહેનોને જીવનમાં રોટી-કપડા અને મકાન ઉપરાંત હેલ્થ-વેલ્થ અને હેપીનેસની જરૂર છે. તે વિશે સમજણ આપી હતી.

બહેનોની કલબ દ્ધારા જ બહેનોનું સન્માન એવા કાર્યક્રમમાં આશાદીપ ગૃપ ઓફ એજયુકેશનના ડિરેકટરશ્રી મહેશભાઈ રામાણી, વરાછાબેંકના ચેરમેન ભવાનભાઈ નવાપરા, લોકસર્મપ્ણ બ્લડબેંકના પ્રમુખ હરિભાઈ કથીરિયા તથા રોટરી કલબ ઓફ સુરત ઈસ્ટના પ્રમુખ મનહરભાઈ વોરા ઉપસ્થિત રહયા હતા.

ઈન્નર વ્હીલ કલબ ઓફ સુરત ઈસ્ટના પાસ્ટ પ્રેસીડેન્ટ વિણાબેન, અસ્મિતાબેન શિરોયા અને ઉષાબેન ખેની ઉપરાંત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહયા હતા. કલબના સેક્રેટરી દિવ્યાબેન મોવલીયા, ઉપપ્રમુખ ચેતનાબેન શિરોયા, માયાબેન માવાણી વગેરે બહેનોએ વ્યવસ્થા જાળવી હતી. આભારવિધી ઉર્મિલાબેન સોજીત્રાએ કરી હતી. એવોર્ડ વિતરણ સમારોહનું સફળ સંચાલન જીગ્નાશાબેન ઠકકર અને મનીષાબેન વઘાસીયાએ કર્યુ હતું.

July 14, 2021
cia_windo-1280x793.jpg
2min411

આશિષ સી. કવીશ્વર

પ્રમુખ, વીર નર્મદ દ.ગુ.યુનિવર્સિટી સલંગ્ન કોલેજોનું વહીવટી કર્મચારી મંડળ 

દક્ષિણ ગુજરાત વિસ્તારમાં આવેલી ગ્રાન્ટ–ઈન-એઈડ કોલેજોનાં કાર્યાલયોમાં ડોકીયું કરીએ તો ખ્યાલ આવશે કે સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવ્યા હોય તેવા કેટલા કર્મચારીઓ કાર્યરત છે કેટલીક કોલેજોમાં તો એક પણ સરકાર નિયુક્ત વહીવટી કર્મચારી જ નથી એડહોક કર્મચારીઓથી આ કોલેજોનું ગાડું ગબડે છે. છેલ્લા ઘણા વર્ષોથી અનુભવી કર્મચારીઓ ક્રમશઃ નિવૃત્ત થઈ રહયા છે સમયસર બઢતી પ્રક્રિયાની મંજુરી ન મળવાને કારણે આજગ્યાઓ ખાલી રહી જાય છે. અરે , છઠ્ઠા પગારપંચને લાગુ પાડતી વખતે કેટલીક કોલેજોમાં હેડકલાર્ક, એકાઉન્ટન્ટ જેવી ચાવીરૂપ જગ્યાઓ નાબુદ કરી દેવામાં આવી. આ જગ્યાઓ હવે કાયમી માટે ખાલી રહેશે. હવે બઢતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો મોટાભાગની કોલેજમાં નીચે બઢતીપાત્ર કર્મચારીઓ જ નથી જે બઢતી મેળવીને ઉપલા સ્થાન પર જઈ શકે.

કોઇપણ સંસ્થાનું કાર્યાલય એ સંસ્થાનું હૃદય હોય છે .જે હમેશા ધબકતું રહે એ જરૂરી છે. નર્જીવા  પગારમાં કામ કરતા એડહોક કર્મચારીઓ પોતાના ભવિષ્યની  ચિંતા કરશે કે કોલેજનાં  કામમાં પોતાનું ૧૦૦ ટકા યોગદાન  આપશે ? એની પાસે સમપિર્તતા કે કામની ગુણવતાની અપેક્ષા રાખવી કેટલે અંશે યોગ્ય છે ? ક્યારેક ભરતી પ્રક્રિયા શરૂ  થશે તો એમની પસંદગી થશે એ આશાએ કર્મચારીઓ જે તે કોલેજો માં કામ કરી રહયાં છે . હાલમાં દ.ગુ. વિસ્તારની  કોલેજોમાં વહીવટી કર્મચારીઓની ખાલી જગ્યાઓ વિશે સર્વ કરવામાં આવ્યો તો ચોકાવનારા પરિણામો સામે આવ્યા. ૩૫  જેટલી કોલેજો પાસે ભેગી કરવામાં આવેલ માહિતી વહીવટી કર્મચારી નીચે પ્રમાણે જગ્યાઓ ખાલી છે.

જગ્યાઓનું નામમળવાપાત્ર જગ્યાભરાયેલ જગ્યાખાલી જગ્યા
કાર્યલાય અધિક્ષક૧૭૧૪
હેડ ક્લાર્ક૨૯૨૪
એકાઉન્ટ્ન્ટ૨૫૨૦
સિનિ. ક્લાર્ક૭૨૩૧૪૧
જુનિ. ક્લાર્ક૮૮૨૧૬૯
લેબ આસી.૪૨૧૦૩૨
કુલ૨૭૩૭૫૧૯૮

બાકી રહી ગયેલી કોલેજોમાં આ જ પરિસ્થિતી હશે એવું ન માનવાને કોઈ કારણ નથી.

પટાવાળા, સફાઈ કામદાર વગેરે વર્ગ-૪નાં કર્મચારીઓની ભરતી તો કેટલાક વર્ષોથી બંધ જ કરી દેવામાં આવી છે. આજે કોલેજોમાં સરકાર નિયુક્ત વર્ગ ૪ના કર્મચારીઓ ખુબ જ ઓછી સંખ્યામાં રહી ગયા છે. તેમાના મોટાભાગના હવે નિવૃતિને આરે છે.      

        વહીવટી કર્મચારીઓને મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણનો લાભ પણ સમયસર મળતો નથી. કેટલાક કર્મચારીઓ તો આ લાભ મળવાની રાહ જોતા જોતા નિવૃત્ત થઈ ગયા. એટલો બધો અસહય વિલંબ કરવામાં આવી રહયો છે.

        વર્તમાનપત્રોમાં શિક્ષણની ચિંતા કરતા અનેક લેખો પ્રકાશિત થતા રહે છે. જેમાં શિક્ષકો અને અધ્યાપકોની ઘટ વિશે હંમેશા ચિંતા વ્યક્ત કરવામાં આવે છે. આ ચિંતા સાચી જ છે. એનો વિરોધ કરવાનો  પ્રશ્ન જ નથી. પણ વહીવટી કર્મચારીઓ એ પણ કોલેજોનું મહત્વનું પરિબળ છે. એની અવગણના ક્યાં સુધી ? એમના તરફ કેમ કોઈનું ધ્યાન જતું નથી ?

        આ બધી બાબતોની ચિંતા ફક્ત વહીવટી કર્મચારી મંડળોએ જ કરવાની સંચાલકો મંડળો, આચાર્ય મંડળો , યુનિવર્સીટીનાં  સત્તા મંડળો ,શિક્ષણશાસ્ત્રીઓ, વિદ્યાર્થીમંડળો , વાલીમંડળો કે સમાજ આ બાબતે ક્યારે વિચારશે ? કોલેજોના વહીવટ સુચારુ રૂપે ચાલે તે માટે અનુભવી અને કાયમી વહીવટી કર્મચારીઓ પુરતી સંખ્યામાં હોય તે અત્યંત જરૂરી છે. અનુભવી કર્મચારીઓનો દુષ્કાળ સર્જાય તેવી પરિસ્થિતી આકાર લઇ રહી છે ત્યારે પ્રશ્નોના ઉકેલ માટે આ તમામ સ્તરોએ  પ્રયત્નો થવા જોઈએ એવી આશા રાખીએ તો ખોટું નથી. શિક્ષણના સ્તરે ને ઉંચું લાવવાના પ્રયત્નો કરવાં હોય ત્યારે તે તમામ પાસાને અને તેની સાથે સંકળાયેલા પરિબળોને  ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો જ તે યથાયોગ્ય ગણાય.

July 12, 2021
jariwala.jpeg
3min560

સામાજિક સેવાના ધ્યેયને સમર્પિત રોટરી ઇન્ટરનેશનલના અવિભાજ્ય અંગ સમી ઇનર વ્હીલ સંસ્થાના સુરત એકમની ઇનર વ્હીલ ક્લબ ઓફ સુરતના નવા વરાયેલા પ્રમુખ અલ્પા મયુર જરીવાલા અને તેમની ટીમનો પદગ્રહણ વિધિ સમારોહ ભૂતપૂર્વ ડીસ્ટ્રીકટ ચેરમેન બીનાબેન દેસાઈની અધ્યક્ષતામાં શુક્રવાર, તા. ૯ જુલાઈ, ૨૦૨૧ના રોજ રોટરી હોલ, જીવનભારતી, નાનપુરા, સુરત ખાતે રોટરી ક્લબ ઓફ સુરતની નિયમિત સભામાં કોવીડની ચુસ્ત માર્ગદર્શિકાને આધિન યોજાયો હતો.

નવા વરાયેલા પ્રમુખ અલ્પાબેન જરીવાલાએ પદનો સ્વીકાર કરતા જણાવ્યું હતું કે “ઇનર વ્હીલ એટલે સમર્પણ” એટલે કે પોતાની જાતને સમાજને સમર્પિત કરવા માટેની માનસિકતા. “ઇનર વ્હીલ એટલે દર્પણ“ એટલે કે સમાજ પ્રત્યેના ઉત્તર દાયિત્વનું દર્પણ અને “ઇનર વ્હીલ એટલે પરિવાર“ એટલે કે આંતરરાષ્ટ્રીય માળખા સાથે તાલ મેલ રાખી શિસ્ત બદ્ધ રીતે પાંગરતી વિશ્વની મહિલાઓ માટેની સૌથી મોટી સંસ્થા અને આવી સંસ્થાનું સર્વોચ્ચ પદ મને સાંપડ્યું છે  તે મારે માટે ધન્ય ઘડી છે.

પદગ્રહણ વિધિ સમારોહને સંબોધતા ભૂતપૂર્વ ડીસ્ટ્રીકટ ચેરમેન બીનાબેન દેસાઈએ જણાવ્યું હતું કે સેવાને દરેક વ્યક્તિએ પોતાની જાત કરતા પણ ઉપર મુકવું જોઈએ અને આ વાતને જે અમલમાં મૂકે છે તેને જીવનમાં વધુ ને વધુ પ્રાપ્ત થાય છે. જીવનમાં “તારું તારું કરશો તો તરશો પણ મારું મારું કરશો તો મરી જશો, માટે પ્રભુએ આપણને માનવ ભવ આપીને જે સુંદર તક આપી છે તેનો સદુપયોગ કરતા આપણે સૌએ શીખવું જોઈએ”. કોરોનાને કારણે બધા જ લોકોની જીવનની વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે. પહેલા ઘરમાં એક વ્યક્તિ કમાતી હતી અને બાકીના ખાતા હતા પરંતુ હવે એક વ્યક્તિ કમાય તે ચાલી શકે તેમ નથી અને તેથી માત્ર ગૃહકાર્યમાં વ્યસ્ત રહેતી મહિલાઓએ પણ બહાર આવવું પડ્યું છે. તેવા સંજોગોમાં મહિલાઓને આત્મનિર્ભર કરવાના પ્રયત્નો આપણે સૌએ સાથે મળીને કરવા જોઈએ.

૨૩ નવા સભ્યોને ક્લબમાં આવકારતા ભૂતપૂર્વ ડીસ્ટ્રીકટ ચેરમેન સુચેતાબેન પંડિતે સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે આ સંસ્થામાં ગળાડૂબ થશો તો જ તમને એના સાચા આનંદની અનુભૂતિ થશે. કોઈકને માટે કંઈક કરી છૂટવું અને મારી પાસે જે કંઈ છે તેમાંથી થોડું બીજાને આપવું આવો ભાવ જીવનમાં રાખશો તો જીવન જીવવાનો આનંદ જ કંઈક ઓર હશે.

વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રમુખ શ્રી ચૌલા ગજીવાલાએ કોરોના કાળ દરમ્યાન સંસ્થાએ કરેલી પ્રવૃત્તિનો ચિતાર આપીને કોરોનાના કાર્ય કરતી વખતે સમાજના ચોક્કસ અંગોની જે વ્યથા જોઈ છે તેની સિલસિલાબંધ વિગતો પ્રસ્તુત કરી હતી અને સૌને ગદગદિત કરી દીધા હતા. વર્ષ ૨૦૨૦-૨૧ના માનદ્દ મંત્રી નીતા લેખડિયાએ સમગ્ર વર્ષ દરમ્યાન થયેલ પ્રવૃત્તિનો ચિતાર આપ્યો હતો.

પિતૃ સંસ્થા રોટરી ક્લબ ઓફ સુરતના પ્રમુખ ભીષ્મા જરીવાળાએ આ પ્રસંગે પિતૃ સંસ્થા તરફથી સહકારની ખાતરી આપી હતી અને સૌ સાથે મળીને સંયુક્ત કાર્યક્રમોનું આયોજન કરીશું તો વધુ સારા ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરી શકીશું તેમ જણાવ્યું હતું.

સમગ્ર સમારોહનું સંચાલન નેહા લોટવાલાએ કર્યું હતું. પ્રાસંગિક વિધિઓ રૂપલ ભટ્ટ, મિનાક્ષી ખન્ના, અલ્પા મદ્રાસી, અંજના બચકાનીવાલાએ કરી હતી.

વર્ષ ૨૦૨૧-૨૨ના હોદ્દેદારો નીચે મુજબ છે.

પ્રમુખ : અલ્પા જરીવાલા

તત્કાલીન નિવૃત્ત પ્રમુખ : ચૌલા ગજીવાલા

ઉપ પ્રમુખ : અંજના બચકાનીવાલા

મંત્રી : સ્મિતા જરીવાલા

ખજાનચી : પૂનમ પટવા

આઈ.એસ.ઓ. : મમતા દામાણી

મેગેઝિન સંપાદક : મોના સીતવાલા

એક્ઝીક્યુટીવ કમિટી મેમ્બર્સ :

નીશા પુરોહિત

અનિતા ગાયવાલા

રચના મણિયાર

ડૉ. ઉમા મહેતા

ડૉ. બીના શાહ

મિનાક્ષી ખન્ના

નીતા લેખડિયા

સલાહકારો :

સુચેતાબેન પંડિત

ભીષ્મા જરીવાલા

ડૉ. મીનાબેન શાહ

અલ્પા મદ્રાસી

July 9, 2021
cia_society-1280x880.jpg
2min505

Jayesh Brahmbhatt 98253 44944

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ક્રિએટીવ હાઇવ સ્ટુડીયોના સંયુકત ઉપક્રમે તા. ૯, ૧૦ અને ૧૧ જુલાઇ ર૦ર૧ના રોજ સવારે ૧૧:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યા દરમ્યાન અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે સુરત શહેરના ૭૦થી વધુ કલાકારોના પેઇન્ટીંગ એકઝીબીશન ‘RAY’નું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ‘RAY’ એટલે સારા વર્તમાન અને ભવિષ્યની આશાઓ. આ નામ પસંદ કરવા પાછળનું એકમાત્ર કારણ એ છે કે કોરોના મહામારીના આ સમયગાળા દરમ્યાન જીવનની વ્યાખ્યાઓ બદલાઇ ગઇ છે. દરેકના જીવનના સમીકરણો બદલાઇ જવાને કારણે એક એવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જેને શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે. આ એકઝીબીશનમાં ભાગ લેનારા કલાકારો કેટલાક જરૂરિયાતવાળા છે કે જેમણે કોરોનાને કારણે પોતાની આવક ગુમાવી છે. આવા કલાકારોને ફરીથી પગભર કરવા માટે આ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે કેટલાક એવા કલાકારોએ પણ એકઝીબીશનમાં ભાગ લીધો છે કે જેઓ આ પેઇન્ટીંગમાંથી થનારી કમાણીને બીજાને માટે વાપરશે.

ક્રિએટીવ હાઇવ સ્ટુડીયોના સંચાલક ચરણજીત સિંહ સાથે સંકળાયેલા કલાકારો

  • આશલ મોદી, 
  • આકાશ ખરસાડિયા, 
  • અલીશા પટેલ, 
  • અલ્પા જરીવાલા, 
  • અમી ચુડાસમા, 
  • અમિત પટેલ, 
  • અનિતા નેમાની, 
  • અંજલિ જરીવાલા, 
  • અંકિતા પટેલ, 
  • અર્ચા અગરવાલ, 
  • અવનિ દેસાઇ, 
  • આયુષી અડવાણી, 
  • ભાવેશ જોશી, 
  • ભાવિ બૈદ, 
  • ભાવિનિ ગોલવાલા, 
  • ભાવના બચકાનિવાલા, 
  • બિનલ શાહ, 
  • દીપા ધિમ્મર, 
  • દેવિકા ગુપ્તા, 
  • ધૃતિશા ઘોઘારી, 
  • ડિમ્પલ પટવા, 
  • ડો. અદિતી મિત્તલ, 
  • ડો. મીના શાહ, 
  • ગીતા સુથાર, 
  • હર્ષા રૂચંદાની, 
  • હેમ મોદી, 
  • હેનિશા કાપડીયા ગોહેલ, 
  • હેનિશા કાપડીયા, 
  • ઇશાની શાહ, 
  • ઇશિકા ગુપ્તા, 
  • કરિશ્મા પટેલ, 
  • કેશવી પટેલ, 
  • ક્રિષ્ણા જરીવાલા, 
  • મલક મહેતા, 
  • મનિષ ચૌધરી, 
  • મંજરી મહેતા, 
  • મોના દલાલ, 
  • એમ. ફૈઝાન, 
  • મુગ્ધા બાસમાટકર, 
  • મુસ્કાન બંસલ, 
  • નમિતા અરોરા, 
  • નીપા શાહ, 
  • નિધી દેસાઇ, 
  • નિકિતા જરીવાલા, 
  • નિષ્ઠા ઝાવર, 
  • નિષ્ઠા ઉપાધ્યાય, 
  • પાયલ મલ્હોત્રા, 
  • પ્રાચી જિન્દાલ, 
  • પ્રાચી અડવાણી, 
  • પ્રાચી જરીવાલા, 
  • પ્રીતિ મહેતા, 
  • પ્રેરણા શર્મા, 
  • પ્રિયા અગરવાલ, 
  • રઘુવીર સિંઘ, 
  • રાજવી શાહ, 
  • રાશિ હકીમ, 
  • રીના બિલીમોરીયા, 
  • રૂપલ દોશી, 
  • શાયના જિન્દાલ, 
  • શીખા બાફના, 
  • શિતલ ગાંધી, 
  • શ્રદ્ધા વિરાની, 
  • શ્વેતા શાહ, 
  • સ્નેહલ દલાલ, 
  • સુધા અગરવાલ, 
  • સુરભી રાઠી, 
  • તનવી ચૌહાણ, 
  • વિજય પટેલ અને
  • વિલેશ બિલીમોરીયા આ એકઝીબીશનમાં પોતાની કૃતિઓ રજૂ કરી છે.

2 બાય 2ના કેન્વાસમાં બનેલા આ ચિત્રો વેચાણ માટે ઉપલબ્ધ રહેશે અને આ તમામની વેચાણ કિંમત એક ચિત્રના રૂપિયા છ હજાર રહેશે. જેમાંથી ખર્ચાને બાદ કરીને બાકી રહેલી તમામ આવકનો ઉપયોગ કયાં તો ચેરીટી માટે થશે અથવા તો કેટલાક કલાકારોને આત્મનિર્ભર થવા માટે કરવામાં આવશે. શહેરીજનોને આ એકઝીબીશનની મુલાકાત લેવા માટે અને પેઇન્ટીંગની ખરીદી કરવા માટેનું નિમંત્રણ છે.

July 5, 2021
cia_society-1280x880.jpg
1min476

‘વિમેન્સ એમ્પાવરમેન્ટ’ અને બહેનોના
વ્યકિતત્વ વિકાસના કાર્યક્રમો યોજવા નવા પ્રેસીડન્ટ જયશ્રી ભાલાળાનું આયોજન

સેવા પ્રવૃતિઓ સાથે વ્યકિત વિકાસના ઘ્યેય સાથે ચાલતી ઈન્નર વ્હીલ કલબ ઓફ સુરત ઈસ્ટની નવી ટીમે તેનો પદભાર સંભાળી લીધો છે. ઉત્રાણ, મૌની ઈન્ટરનેશનલ સ્કુલના ઓડિટોરીયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાસ્ટ ડીસ્ટ્રીકટ પ્રેસીડન્ટ ડૉ. સુચિતા પંડીતે પદગ્રહણ વિધી કરાવી હતી.

ઈન્નર વ્હીલ કલબના ડીસ્ટ્રીકટ ચેરમેન સુષ્મા અગ્રવાલ મુખ્ય મહેમાન તરીકે ઓનલાઈન જોડાયા હતા. વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રેસીડન્ટ વીણાબેન પટેલ પાસેથી વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રેસીડન્ટ જયશ્રી ભાલાળાને કોલર અને પીન પહેરાવી પદભાર સોંપ્યો હતો. મૌની સ્કુલ્સના ડિરેકટર શ્રી જે.બી. પટેલ અને આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલના ડિરેકટર મહેશભાઈ રામાણી ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહયા હતા.

કોરોના સંકટમાં પણ ૨૦૨૦-૨૧ના વર્ષમાં વીણાબેન અને ટીમે સુંદર કામગીરી કઈ રીતે કરી હતી તેની માહિતી આપવામાં આવી હતી. આગામી વર્ષ માટે પ્રેસીડન્ટ તરીકે જયશ્રીબેન ભાલાળા અને સેક્રેટરી તરીકે દિવ્યા મોવલીયા અને ટીમની ઓળખ તથા જવાબદારીના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

આગામી વર્ષની કામગીરી અને વિઝન ૨૦૨૧-૨૨ રજુ કરતા પ્રેસીડન્ટ જયશ્રીબેન ભાલાળાએ જણાવ્યુ હતુ કે વિમેન્સ એમ્પાવરમેન્ટ તથા જય જવાન પ્રોજેકટ તથા બહેનોના વ્યકિતત્વ વિકાસના કાર્યક્રમો આ મહિનામાં યોજાનાર છે. તેમણે જણાવ્યુ હતું કે ડીસ્ટ્રીકટ ૩૦૬માં ૧૩૫ સભ્યો સાથે સૌથી મોટી કલબ બન્યાનું ગૌરવ વ્યકત કરી સર્વોનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે રોટરી કલબ ઓફ સુરત ઈસ્ટના પાસ્ટ પ્રેસીડન્ટ ડૉ. જગદીશભાઈ વઘાસીયા, પ્રેસીડન્ટ મનહરભાઈ વોરા તથા રોટ્રેકટ કલબ ઓફ સુરત ઈસ્ટ અને કર્મભુમિના હોદ્દેદારો તથા રોટરી કલબ ઓફ સુરત મેટ્રોના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ખુંટ ઉપસ્થિત રહયા હતા. આ પદગ્રહણ સમારોહમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા, વરાછાબેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા, લોકસર્મપ્ણ બ્લડબેંકના પ્રમુખશ્રી હરિભાઈ કથીરિયા તથા વિશ્વ ગુજરાતી સમાજના ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા ખાસ ઉપસ્થિત રહયા હતા.

July 3, 2021
diamond-worker-union.jpg
1min517

ડાયમંડ વર્કર યુનિયન આજે (3-7-21) કલેક્ટર અને લેબર કમિશનરને મધ્યસ્થી કરીને રત્નકલાકારોને પગાર વધારા બાબતે રજૂઆતો કરશે

કોરોના સમયે પગાર કાપ મૂકનાર હીરા ઉધોગપતિઓ હવે રત્નકલાકારોને પગાર વધારો આપે

ભાવનગરમાંથી ઉઠેલી રત્નકલાકારોના પગાર વધારાની ચળવળ સુરતમાં દેખાઇ

ભાવનગર ખાતે હીરા ઉદ્યોગમાં કાર્યરત રત્નકલાકારોએ કોરોના કાળમાં કપાત થયેલા પગારમાં હાલ પૂર્વવત સ્થિતિ અનુસાર પગાર વધારો કરવાની માગ સાથે આંદોલન ઉપાડ્યું છે અને આ આંદોલનના પ્રત્યાઘાત આજે સુરતના હીરા ઉદ્યોગમાં પણ જોવા મળ્યા હતા. સુરતની જાણીતી હીરા પેઢી મીરા જેમ્સના રત્નકલાકારોએ તા.2 જુલાઇને શુક્રવારે પગાર વધારાની માગણી સાથે રસ્તા પર ઉતરીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. 

ડાયમંડ વર્કર યુનિયનના ભાવેશભાઇના જણાવ્યા અનુસાર છેલ્લા સવા વર્ષ દરમિયાન મંદી અને કોરોના પેન્ડેમિકના કારણે હીરા ઉદ્યોગપતિઓએ રત્નકલાકારોના પગારમાં કપાત કરી દીધી હતી. એ સમયે રત્નકલાકારોએ પરિસ્થિતિ સમજીને કપાત સ્વીકારી હતી કેમકે સમગ્ર દેશમાં સ્થિતિ સારી ન હતી. પરંતુ, હવે હીરાઉધોગમાં ભારે તેજીની સ્થિતિ છે અને આમ છતાં હીરા ઉદ્યોગકારો પોતાના રત્નકલાકારોને પગાર વધારો કરી આપતા નથી આથી આજે મીરા જેમ્સના રત્નકલાકારોએ પગાર વધારાની માગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

ડાયમંડ વર્કર યુનિયને જણાવ્યું કે મોંઘવારી દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે હીરાઉધોગ ના રત્નકલાકારો નો પગાર વધવા ને બદલે ઘટી રહ્યો છે તે બાબતે સરકાર અને ઉધોગપતિઓ એ રત્નકલાકારો ની વેદના ને સમજવી જોઈએ અને તેજી નો લાભ રત્નકલાકારો ને પણ મળે એ માટે રત્નકલાકારો ના પગાર મા વધારો કરવો જોઈએ

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત છેલ્લા ઘણા સમય થી રત્નકલાકારો ના પગાર વધારા બાબતે માંગણી કરી રહ્યું છેઆવતીકાલે તા.3 જુલાઇના રોજ સુરત જિલ્લા કલેકટર અને ડેપ્યુટી લેબર કમિશનર ને આવેદનપત્ર આપીને પગાર વધારા બાબતે રજુઆત કરવામાં આવશે. બન્ને અધિકારીઓને રત્નકલાકારોના પગારવ ધારા માટે મધ્યસ્થી કરવા માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા રજુઆત કરવામાં આવશે