CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 26 of 51 - CIA Live

September 26, 2020
Ukraine_Plane_Crash.jpg
1min5230

યુક્રેનમાં એક એરફોર્સનું વિમાન અકસ્માતનો ભોગ બન્યું છે. આ ઘટનામાં સૈન્ય કેડેટ્સ સહિત 22 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. યુક્રેનના એક મંત્રીએ એએફપીને જણાવ્યું હતું કે અકસ્માતમાં 2 અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વિમાનમાં 21 સૈન્ય વિદ્યાર્થીઓ સહિતના 28 લોકો હતા. મંત્રીએ કહ્યું કે આ ઘટના પાછળનું કારણ જાણી શકાયું નથી. યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડાયમર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે તેઓ શનિવારે આ ઘટના સ્થળની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિએ ફેસબુક પર લખ્યું કે અમે દુર્ઘટનાના તમામ સંજોગો અને કારણોની તપાસ માટે તાકીદે એક કમિશનની રચના કરી રહ્યા છીએ. અહેવાલો અનુસાર એન્ટોનોવ -26 પરિવહન વિમાન યુક્રેન સમય રાત્રે 8:50 (17:50 જીએમટી) , ચૂહિવ એરફોર્સ વાય બેઝથી બે કિલોમીટર દુર્ઘટનાગ્રસ્ત. અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી હતી. આગને કાબૂમાં લેવામાં એક કલાકનો સમય લાગ્યો.

ચૂહિવ શહેર ખાર્કિવથી આશરે 30 કિલોમીટર અંતરે દક્ષિણ-પૂર્વમાં અને રશિયન તરફી ભાગલાવાદીઓ સાથે ફ્રન્ટ લાઇનથી 100 કિલોમીટર પશ્ચિમમાં છે. મહત્વનું છે કે રશિયા અને યુક્રેનના સંબંધો તણાવ પર છે. અહીં રશિયા યુક્રેનના હિંસક ચળવળકર્તાઓને સપોર્ટ કરી રહ્યું છે. જેઓ ફરી એકવાર યુક્રેનને રશિયામાં ભેળવી દેવા માગે છે.

September 19, 2020
coronaworld.jpg
1min4850

કોરોના વાયરસ મહામારીને રોકવા માટે દુનિયાના તમામ દેશો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ નવા કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે દુનિયામાં કોરોના સંક્રમણનો કુલ આંક 3 કરોડને પાર પહોંચી ગયો છે. 3 કરોડમાંથી અડધાથી ઉપર કેસ અમેરિકા, ભારત અને બ્રાઝિલના છે. જ્યારે દુનિયામાં કુલ મૃત્યુઆંક 9.50 લાખથી ઉપર થયો છે. ‘તેમજ 2.20 કરોડથી વધારે લોકો રિકવર થઈ ચુક્યા છે. ભારતની વાત કરવામાં આવે તો દેશમાં કુલ કેસ 52 લાખને પાર થયા છે. તેમજ 41.25 લાખ લોકો રિકવર થયા છે. જ્યારે 84 હજાર લોકો મૃત્યુ પામ્યા છે. મંત્રાલયના કહેવા પ્રમાણે દેશ છેલ્લા 11 દિવસથી સતત 70000થી વધારે દૈનિક રિકવરી રિપોર્ટ કરી રહ્યું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે દેશના પાંચ રાજ્યોમાં સૌથી વધારે સક્રિય કેસ છે. જેમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ છે. આ રાજ્યમાં સૌથી વધારે રિકવરી પણ થઈ છે. કહેવામાં આવ્યું છે કે છેલ્લા 24 કલાકના સમયગાળામાં વિક્રમી 87472 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને આ’ સાથે દેશમાં કોરોનાથી રિકવર થનારા લોકોની સંખ્યા 4125742 થઈ છે. તેનાથી રિકવરી રેટ 78.86 ટકા સુધી પહોંચ્યો છે અને મૃત્યુદર ઘટીને 1.63 ટકા થયો છે.

મંત્રાલયના કહેવા પ્રમાણે દેશ છેલ્લા 11 દિવસથી સતત 70000થી વધારે દૈનિક રિકવરી રિપોર્ટ કરી રહ્યું છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડે, કર્ણાટક અને ઉત્તર પ્રદેશથી 59.8 ટકા સક્રિય’ મામલા સામે આવ્યા છે. આ રાજ્યોનો કુલ રિકવરી દર પણ 59.3 ટકા છે.’ મહારાષ્ટ્રમા નવો રિકવરી દર 22.31 ટકા, આંધ્રપ્રદેશમાં 12.24 ટકા, કર્ણાટકમાં 8.3 ટકા, તમિલનાડુમાં 6.31 ટકા અનજે છત્તીસગઢમાં 6 ટકા નોંધાયો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે જારી કરેલા આંકડા પ્રમાણે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 96,424 નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 1174 મૃત્યુ થયા છે. દેશમાં સક્રિય મામલાની વાત કરવામાં આવે તો આ આંકડો 10 લાખને પાર થયો છે.

September 15, 2020
isrial.jpg
1min5970

ઈઝરાયલમાં કોરોના સંક્રમણના કેસ ફરી એક વખત ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે સમગ્ર દેશમાં ત્રણ અઠવાડિયા માટે લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. લોકો પોતાના ઘરથી 500 મીટરના અંતર સુધી જ બહાર જઈ શકશે. ઈઝરાયલમાં અગાઉ પણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું પરંતુ કોરોનાના કેસમાં ઘટાડો નહીં નોંધાતા ફરી એક વખત લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી છે.

પ્રાપ્ય માહિતી અનુસાર દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવશે. જોકે, પબ્લિક સેક્ટર અને પ્રાઈવેટ સેક્ટર પર કામ ચાલુ રહેશે. પરંતુ પબ્લિક મૂવમેન્ટ પર સીમિત પ્રતિબંધો લાગુ રહેશે. લોકો પોતાના ઘરથી 500 મીટરના વિસ્તારથી બહાર નહીં જઈ શકે.

નોંધનીય છે કે, દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 28994241 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 923871 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 19624520 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 8445850 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.

September 10, 2020
trumph-1-1280x720.jpg
1min5150

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2021ના નોબલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. ઈઝરાયલ અને યુએઈ વચ્ચે ઐતિહાસિક શાંતિ વાર્તા કરાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પનું નામાંકન કરવામાં આવ્યું છે. અમેરિકી મીડિયા અનુસાર નોર્વે સંસદના ક્રિશ્ચિયન તાઇબ્રિંગ તરફથી ટ્રમ્પનું એવોર્ડ માટે નામાંકન કરવામાં આવ્યું છે.

તાઇબ્રિંગ તરફથી ટ્રમ્પની પ્રશંસા પણ કરવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે, ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયામાં શાંતિ સ્થાપિત કરવાના ઘણા પ્રયાસો કર્યા છે.

ટાઇબ્રિંગે કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પે બે દેશ વચ્ચે ચાલી આવતી લાંબી દુશ્મનીને ખતમ કરાવી છે. જે કોઈપણ પ્રકારના નોબલ પુરસ્કાર માટે પૂરતી છે. ક્રિશ્ચિયન તાઇબ્રિંગ નોર્વેની સંસદમાં ચાર વખતની સભ્ય છે અને નાટોની સંસદીય એસેમ્બલીનો પણ હિસ્સો છે.’

August 26, 2020
coronaupdate.jpg
1min4900

કોરોના મહામારી વિશ્વના મોટાભાગના દેશોને શિકાર બનાવી ચૂકી છે, પરંતુ સૌથી વધુ પ્રભાવિત દેશોની શ્રેણીમાં પ્રથમ અમેરિકા અને બ્રાઝીલ છે. વિશ્વના કુલ કેસોના 40 ટકા કેસ આ બંને દેશોમાં છે. એટલુ જ નહીં, કોરોના સંક્રમણથી કુલ મૃત્યુદરનો 36 ટકા આ દેશમાં છે. જોકે વિતેલા 24 કલાકમાં અહીં નવા કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. અમેરિકામાં 41,448 અને બ્રાઝીલમાં 21,434 નવા કેસ સામે આવ્યા જ્યારે મૃત્યુઆંક ક્રમશ 509 અને 679 રહ્યો. 

હકીકત એ પણ છે કે વિતેલા કેટલાક દિવસથી વિશ્વમાં સૌથી વધારે નવા કેસ ભારતમાં સામે આવી રહ્યા છે, જે પછી અમેરિકા અને બ્રાઝીલમાં સામે આવી રહ્યા છે. વિશ્વ સ્તરે ભારત ત્રીજો સૌથી પ્રભાવિત દેશ બની ગયો છે. 

કોરોના સંક્રમણ પર નજર રાખી રહેલી વેબસાઇટ વર્લ્ડોમીટર મુજબ અમેરિકામાં કોરોના સંક્રમણના દર્દીઓનો આંકડો 25 ઓગષ્ટે 59 લાખથી વધુ પહોંચી ગયો હતો જેમાં 1.81 લાખથી વધુ દર્દીઓ જીવ ગુમાવી બેઠા છે. બ્રાઝીલમાં કુલ કેસોનો આંક વધીને 36 લાખ પહોંચી ગયો છે, અહીં 15 હજારથી વધુ લોકોના મોત થયા છે. રિકવરી રેટની વાત કરીએ તો અમેરિકામાં અત્યાર સુધી 32.17 લાખ કોરોના દર્દીઓ હવે સ્વસ્થ્ય બની ચૂક્યા છે. આ પ્રમાણ કુલ કેસોનો 54 ટકા ભાગ છે. અહી 25 લાખથી વધુ સક્રિય કેસ છે. બ્રાઝીલમાં રિકવરી રેટ 77 ટકા છે, અહીં 27 લાખથી વધુ લોકો સ્વસ્થ્ય બની ચૂક્યા છે.  

કોરોના મહામારીની શરુઆત ભયાનક હતી અને આજે પણ મોટાભાગના દેશો પ્રભાવિત છે, જોકે આ મુદ્દે દુનિયાના કેટલાક વિજ્ઞાનીઓ દાવો કરી રહ્યા છે કે વાયરસ ઝડપથી નબળો પડી રહ્યો છે અને શરુઆતમાં જેટલો ઘાતક હતો એટલો રહ્યો નથી. 

August 23, 2020
cialive_delhi_to_london.jpg
8min10720

દિલ્હીથી લંડન બાય બસ – એવા સમાચારનું શીર્ષક પ્રવાસપ્રેમીને કઈ રીતે અને કયારે તે જાણવા બેશક પ્રેરે. તેનો જવાબ છે એ છે કે એડવેન્ચર ઓવરલેન્ડ નામની કંપનીએ 21ના વર્ષમાં આવી ટુરના આયોજનની જાહેરાત ઈન્સ્ટાગ્રામમાં કરી છે.

કંપનીએ બસ ટુ લંડન નામની પોસ્ટમાં મૂકેલી વિગત મુજબ નવી દિલ્હી, ભારતથી લંડન, યુકે વચ્ચે આવી સૌપ્રથમ હોપ-ઓન/હોપ-ઓફફ બસ સર્વિસ હાથ ધરાશે.’તેના પ્રવાસીઓ 70 દિવસમાં 20 હજાર કિમી આવરી લે તેવો 18 દિવસનો પ્રવાસ’ કરશે. જે 16 દેશોમાંથી આ બસ પસાર થશે તે આ મુજબ છે: મ્યાંમાર, થાઈલેન્ડ, લાઓસ, ચીન, કિર્ઘિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકસ્તાન, રશિયા, લેટવિયા, લિથુઆનિયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ અને ફ્રાન્સ.

આ ટ્રિપ જવા માટે 10 દેશોના વિઝાની જરૂર પડશે. આ તમામ પ્રોસેસ કંપની દ્વારા જ કરવામાં આવશે. અલગ-અલગ દેશોની યાત્રા કરવા માંગતા લોકો માટે આ ખુબ સારી તક છે. ટ્રિપ પર જનારા લોકોને રહેવા માટે 4 સ્ટાર અને 5 સ્ટાર હોટલમાં વ્યવસ્થા કરવામાં આવશે.

વર્ષ 2021માં દિલ્હીથી લંડન જનારી આ ટ્રિપમાં માત્ર 20 મુસાફરો જ બુકિંગ કરાવી શકશે. આ બસની તમામ સીટો બિઝનેસ ક્લાસની હશે. બસમાં 20 યાત્રીઓ ઉપરાંત એક ડ્રાઈવર અને એક સહાયક ડ્રાઈવર, ઓર્ગેનાઈઝર કંપનીનો એજન્ટ અને એક ગાઈડ હશે.

Travel From Delhi To London In A Bus In 2021

Adventures Overland has officially launched a dream bus titled Bus to London.  This covers the longest bus route in the world, spanning 18 countries in 2 continents,  in 70 days spanning a distance of 20,000km. This  Delhi to London, dream bus shall recreate history with utmost comfort and luxury.  From exploring the pagodas in Myanmar, hiking the Great Wall of China, visiting the historic city of Tashkent, touring European Frankfurt to finally soaking in the London vibes, this truly is the journey of a lifetime. So, adventure enthusiasts, you can tour 18 countries in 70 days in one luxurious bus journey of a lifetime. The 18 countries you can tour are- India, Myanmar, Thailand, Laos, China, Kyrgyzstan, Uzbekistan, Kazakhstan, Russia, Latvia, Lithuania, Poland, Czech Republic, Germany, Netherlands, Belgium, France, UK.

This Bus Journey Has 4 Legs Spanning 18 Countries In 2 Continents

This bus journey of a lifetime has 4 legs that span 18 countries in 2 continents. Upon reaching London the bus shall return back in the same route. This is a hop on hop off bus. So you don’t have to finish the entire journey from Delhi to London or vice-versa. You can opt for the leg-wise journeys instead. Fly to a destination of your choice then hop on the bus and finish the leg-wise journey. The price of these bus journeys is on request. Here are the 4 legs of this bus journey.

 Leg 1: India, Myanmar, Thailand ( 11 Nights & 12 Days)

This bus shall flag off in Delhi. From there it will embark on a tour around beautiful Indian cities like Lucknow, Muzaffarpur, Siliguri, Guwahati, Kohima and Imphal. It will then cross international borders to enter Myanmar where you can visit the beauty of the pagodas of Bagan.  The journey then continues as you find yourself crossing the border of Myanmar into Thailand. Enjoy the vibrancy of the Thai capital of Bangkok as you cross the Mekong River into Laos and finish the first leg of your journey as you enter China.

Leg 2: China ( 15 Nights, 16 Days)

The second leg of your mesmerising journey begins at Chengdu in China. Witness cute pandas at Chengdu, the historical relics of the great wall and the Mogao Caves in the cities of Jiayuguan and Dunhuang in Gansu Province. You can then explore the distinctive topography of Gobi Desert, snow-capped mountains and glaciers of China.  And finally, end the second leg of your journey by relishing the beauty of fascinating towns like Turpan and Kashgar amidst others.

Leg 3:  Kyrgyzstan, Uzbekistan, Kazakhstan, Russia ( 21 Nights & 22 Days)

The third leg of this epic journey begins with the Silk Orad era city of Bishkek in Kyrgyzstan. Stroll along lively bazaars, gorge on delicious samsas and breathe in the aromas of fresh spices. After which the bus takes you to the beautiful country of Uzbekistan. Explore the stunning city of Tashkent and historical wonders of Samarkand, Bukhara and Khiva. Post Uzbekistan, next pass through Kazakhstan and finally enter monumental Russia. Feast your eyes on the kaleidoscopic wonder of Moscow and let the World Heritage sites enthral you, as you finish the third leg of your journey.

Leg 4:  Latvia, Lithuania, Poland, Czech Republic, Germany, Netherlands, Belgium, France, United Kingdom( 15 Nights & 16 Days)

The final leg of your journey begins with the magnanimity of the Baltic countries of Latvia and Lithuania.  Let the serenity and elegance of the UNESCO certified Old Town charm you. Venture out to the largest city in Poland, the Czech capital of Prague to the German metropolis of Frankfurt. Gorge on delectable chocolates and exclusive brews of Brussels and finally step into London. Look back at your exhilarating journey with pride as you would have truly experienced something out of the ordinary.

Inclusions In This Trip

This trip includes the following facilities so you can have a comfortable and luxurious road trip from Delhi to London.

  • Hotel stays on a twin basis
  • Meal as per the leg-wise package
  • Special luxury bus transportation
  • Bus driver and helper
  • CPR certified experienced coordinator
  • Local English speaking guide in every country
  • Visas and standard tourist fee
  •  Border crossing assistance
  • Ministry approvals, customs, immigration clearance, inner line permits
  • Fuel, servicing, toll taxes and parking fees
  • Third-party insurance for the bus for every country
  • Route planning and research
  • Airport transfers in Imphal
  • Sightseeing and walking tours at various locations
  • Entrance fee at sightseeing points
  • Activities
  • Stock of  water snacks, chocolates and soft beverages throughout the journey
  • Adventures Overland merchandise for each passenger
  • Road book for each passenger

August 13, 2020
1min5950

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેને મંગળવારના રોજ ભારતીય મૂળના કેલિફોર્નિયા સીનેટર કમલા હૈરિસને ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઈડેને ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. 

જો બાઈડેને પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, આ અંગે જણાવતા મને ખૂબ ગર્વ થઈ રહ્યો છે કે કમલા હૈરિસની મેં પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. બાઈડેને કમલાને એક બહાદુર યોદ્ધા અને અમેરિકાના સૌથી શ્રેષ્ઠ અમલદારશાહીમાંથી એક ગણાવ્યા છે. 

તેમણે વધુ એક ટ્વીટ કરીને કહ્યું કે, જ્યારે કમલા હૈરિસ કેલિફોર્નિયાના અટોર્ની જનરલ હતા ત્યારથી હું તેમને કામ કરતો જોઈ રહ્યો છું. મેં જોયું છે કે કેવી રીતે તેઓએ મોટી-મોટી બેંકોને પડકારી છે, કામ કરનારા લોકોની મદદ કરી અને મહિલાઓ અને બાળકોને શોષણમાંથી બચાવ્યા છે. હું ત્યારે પણ ગર્વ અનુભવતો હતો અને આજે પણ ગર્વ અનુભવું છું જ્યારે તેઓ આ અભિયાનમાં મારા સહયોગી રહેશે. 

ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર તરીકે તેમની પસંદગી કરવા પર કમલા હૈરિસે ટ્વીટ કરીને બાઈડેનનો આભાર વ્યક્ત કર્યો. હેરિસે પોતાના ટ્વીટમાં કહ્યું કે, બાઈડેન અમેરિકી લોકોને એક કરી શકે છે કારણ કે તેમણે અમારા જેવા લોકો માટે લડતા-લડતા પોતાનું પૂરું જીવન ખર્ચી નાખ્યું છે. રાષ્ટ્રપતિ તરીકે તેઓ એક એવું અમેરિકા બનાવશે કે જે અમારા આદર્શો પર ખરું ઉતરશે. તેમને પોતાના કમાન્ડર ઈન ચીફ બનાવવા માટે મારે જે પણ કરવું પડશે તે હું કરીશ.

August 11, 2020
sputnikv.jpg
1min8840

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.11મી ઓગસ્ટ 2020ના રોજ રશીયાના વડાપ્રધાન વાલ્દીમીર પુટીને વિશ્વની પહેલી કોરોના વેક્સિન રજિસ્ટર્ડ થયાના સમાચાર દુનિયાને આપ્યા. રશીયાની કોરોના વેક્સિન રસીના સમાચારો વિશ્વમાં વાયુવેગે પ્રસર્યા. પહેલી કોરોના રસીના આ સમાચારોમાં એક મહત્વની વાત એ પણ ઢંકાઇ ગઇ કે રશીયાએ વિશ્વની પહેલી રજિસ્ટર્ડ કોરોના વેક્સિનનું નામ પણ આપ્યું છે.

સ્પુટનિક-5 નામથી ઓળખાય છે રશીયાની રજિસ્ટર્ડ કોરોના વેક્સિન. કોરોના વેક્સિનને સ્પુટનિક-5 નામ આપવા પાછળ રશીયાએ પોતાની સ્પેશ સિદ્ધીનું અનુસંધાન ટાંક્યું છે. હકીકતમાં વિશ્વમાં સૌથી પહેલી વખત અંતરીક્ષમાં સેટેલાઇટ લોંચ કરવાનું શ્રેય પણ રશીયાના શિરે લખાયેલું છે. વિશ્વના પહેલા સેટેલાઇટનું નામ સ્પુટનિક રાખવામાં આવ્યું હતું. એ સિદ્ધિ વિશ્વના પહેલા સેટેલાઇટને લોંચ કરવાની હતી અને એ જ રીતે આજે દુનિયાભરના દેશોને કનડી રહેલા કોરોનાની પહેલી રજિસ્ટર્ડ વેક્સિનનું નામ પણ રશીયાએ સ્પુટનિક-5 રાખ્યું છે.

ક્લિનિકલ ટ્રાયલમાં 100% સફળતાનો દાવો

આ અગાઉ રશિયાએ કહ્યું હતું કે, તેની કોરોના વાયરસની વેક્સીન ક્લિનિકલ ટ્રાયલમાં 100% સફળ છે. આ વેક્સીનને રશિયન સંરક્ષણ મંત્રાલય અને ગમલેયા રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવી છે. રશિયાએ કહ્યું કે ક્લિનિકલ ટ્રાયલમાં આ કોરોના વેક્સીન મેળવનારા તમામ લોકોને SARS-CoV-2ની પ્રતિરોધક ક્ષમતા હોવાનું જણાયું છે.

આ ટ્રાયલ 42 દિવસ પહેલા શરૂ થયો હતો. તે સમયે, વોલેન્ટિયર્સનો મોસ્કોની બર્ડેન્કો લશ્કરી હોસ્પિટલમાં કોરોના વેક્સીન દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. આ લોકો સોમવારે ફરીથી હોસ્પિટલમાં આવ્યા હતા અને સઘન તપાસ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન જાણવા મળ્યું કે બધા લોકોમાં કોરોના વાયરસ સામે પ્રતિરોધક ક્ષમતા ઉભી થઈ છે. આ તપાસના પરિણામ બાદ સરકારે રશિયન વેક્સીનની પ્રશંસા કરી છે.

રશિયા બુધવારે તા.11 ઓગસ્ટ 2020ના રોજ પોતાની કોરોના વેક્સીન લોન્ચ કરી છે. સ્પુટનિક-5 દુનિયાની પહેલી રજિસ્ટર્ડ કોરોના વેક્સીન બની છે, પરંતુ, રશિયાના આ દાવા પર WHO સહિત સમગ્ર દુનિયાના ઘણા જાણકારોને શંકા કરી રહ્યા છે

વેક્સીન બનવામાં સામાન્ય રીતે વર્ષો કે દાયકાઓ લાગતા હોય છે. પરંતુ, દુનિયાભરમાં કોરોનાની ભયાનક મહામારીના કારણે તબીબી જગત ઉતાવળમાં છે, પરંતુ રશિયા આટલી જલદી લોન્ચ કરવાની સ્થિતિમાં આવી ગયું એ વાત ગળે ઉતરતી નથી.

આ વેક્સીનની ક્લિનિકલ ટ્રાયલ પૂરી થયાનો દાવો કરનારી ઈન્સ્ટિટ્યૂટે હજુ સુધી બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલના આંકડા જાહેર કર્યા નથી. આ બંને ફેઝ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે કે વેક્સીન કેટલી સુરક્ષિત અને સફળ છે. ડબલ્યુએચઓએ પણ કહ્યું કે, તેની પાસે રશિયાની વેક્સીનના માત્ર ફેઝ વનના આંકડા છે. ડબલ્યુએચઓએ રશિયાને આગ્રહ કર્યો છે કે તે બધા માપદંડોનું પાલન કરે.

August 8, 2020
vacrus.jpg
1min5380
FILE PHOTO: A small bottle labeled with a “Vaccine” sticker is held near a medical syringe in front of displayed “Coronavirus COVID-19” words in this illustration taken April 10, 2020. REUTERS/Dado Ruvic/Illustration/File Photo

કોરોના મહામારીને તાબે થઇ ચૂકેલી દુનિયા લાંબા સમયથી કોરોના વેક્સીનની આશા બાંધી બેઠી છે, જે હવે પૂરી થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. રશિયા આગામી અઠવાડિયે વિશ્વની પહેલી કોરોના વેક્સીનની નોંધણી કરવાની તૈયારી કરી રહ્યુ હોવાના અહેવાલ છે. આ અંગે માહિતી આપતા રશિયાના ઉપ-સ્વાસ્થમંત્રી આલેગ ગ્રિડનેવે જણાવ્યુ કે કોરોના વેક્સીન ટ્રાયલ તેના ત્રીજા અને અંતિમ તબક્કામાં છે અને 12 ઓગસ્ટે રશિયા કોરોના વિરુદ્ધ તેની પહેલી વેક્સીન રજિસ્ટર કરાવશે.  

ગ્રિડનેવના જણાવ્યા મુજબ કોરોના વેક્સીનની અસરનુ મુલ્યાંકન ત્યારે જ લઇ શકાશે જ્યારે મોટાભાગની વસતી રોગપ્રતિકારક શક્તિ વિકસિત કરી ચૂકી હશે. રશિયામાં ગામાલેયા રિસર્ચ સેન્ટર અને રશિયા રક્ષા મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે કોરોનાની વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે. 

જોકે વિશ્વ સ્વાસ્થ સંગઠને રશિયાની કોરોના વેક્સીનને લઇને ચેતવણી જાહેર કરી છે કારણ કે સંગઠનનુ કહેવુ છે કે રશિયા દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોરોના વેક્સીનને લઇને તેની પાસે કોઇ સત્તાવાર જાણકારી નથી. જ્યારે રશિયન સરકાર હવે ટીકાકરણની તૈયારીઓમાં લાગી ગઇ છે. 

August 6, 2020
beirut-lebanon-explosions-1227910278.jpg
1min6120

લેબનાના પાટનગર બેરુતમાં મંગળવારે થયેલા ભીષણ વિસ્ફોટમાં લગભગ 78 લોકોના મોત થયા છે અને 3,700થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. લેબનાનની હેલ્થ મિનિસ્ટ્રીએ લગભગ 78 લોકોના મોતની પુષ્ટિ કરી છે. સ્વાસ્થ્ય મંત્રી હમદ હસે આ ભીષણ દુર્ઘટનાને દેશ માટે ઈમરજન્સી જાહેર કરી છ અને ચેતવણી આપી છે કે મૃત્યુઆંક વધી શકે છે. 

TOPSHOT – EDITORS NOTE: Graphic content / This picture taken on August 4, 2020 shows a general view of the scene of an explosion at the port of Lebanon’s capital Beirut. – Two huge explosion rocked the Lebanese capital Beirut, wounding dozens of people, shaking buildings and sending huge plumes of smoke billowing into the sky. Lebanese media carried images of people trapped under rubble, some bloodied, after the massive explosions, the cause of which was not immediately known. (Photo by STR / AFP) (Photo by STR/AFP via Getty Images)

સ્વાસ્થ્ય મંત્રી હસને જણાવ્યું છે કે, બેરુત પોર્ટના એક વેર હાઉસમાં થયેલા વિસ્ફોટમાં એટલા વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે કે હોસ્પિટલમાં હવે જગ્યા નથી. આ વિસ્ફોટમાં જે લોકો માર્યા ગયા છે તેમાં તેમની પાર્ટીના મહાસચિવ નિજાર નજરિયાન પણ સામેલ છે. ધ નેશનલ કાઉન્સિલ ફોર સાયન્ટિફિટ રિસર્ચે જણાવ્યું છે કે, આ ભીષણ વિસ્ફોટ એમોનિયમ નાઈટ્રેટને કારણ થયું છે જે એક વેર હાઉસમાં રાખવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, વિસ્ફોટનો અવાજ સમગ્ર દેશમાં સાંભળવા મળ્યો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે, વેર હાઉસની અંદર 6 વર્ષથી 2,750 ટન એમોનિયમ નાઈટ્રેટ રાખેલું હતું. તેનો ઉપયોગ ખાતર બનાવવા માટે કરવામાં આવતો હતો. લેબનાનના રાષ્ટ્રપતિ માઈકલ આઉને ટ્વીટ કરીને જણાવ્યું છે કે, સુરક્ષાની વ્યવસ્થા વગર 2,750 ટન એમોનિયમ નાઈટ્રેટ રાખનારા લોકોની સામે કડક કાર્યવાહી કરાશે.