CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 23 of 51 - CIA Live

January 20, 2021
joebiden.jpg
1min599

અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાયડન અંતે દેશની સત્તા સંભાળવાથી માત્ર એક દિવસ દૂર છે. 20મી જાન્યુઆરી એટલે કે, બુધવારે દેશની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં 46મા રાષ્ટ્રપતિપદે શપથગ્રહણ કરશે. આ સાથે જ દેશની પહેલી મહિલા અને અશ્વેત ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ શપથ લેશે. દરમ્યાન, શપથથી પહેલાં અમેરિકામાં’ હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વોશિંગ્ટન ડીસીમાં 25,000 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, બાયડને પોતાની સરકારમાં મહત્ત્વનાં પદો પર 13 મહિલાઓ સહિત ઓછામાં ઓછા 20 ભારતીય મૂળનાં અમેરિકીઓનું નામાંકન કર્યું છે.

રાષ્ટ્રપતિનો શપથ સમારોહ અમેરિકામાં દર વર્ષે ચર્ચામાં હોય છે, પરંતુ આ વર્ષે સમગ્ર દુનિયાની નજર અનેક કારણોસર તેનાં પર ટકેલી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિપદના શપથ સમારોહને ‘ઇનેગ્યુરેશન’ કહેવાય છે, જે વોશિંગ્ટન સ્થિત સંસદની ‘યુએસ કેપિટલ’ ઇમારતમાં આયોજિત કરવામાં આવે છે, આ વર્ષની થીમ છે ‘અમેરિકા યુનાઇટેડ’. આ વર્ષની શરૂઆતમાં જ 6ઠ્ઠી જાન્યુઆરીનાં સંસદની ઇમારત હિંસાનો શિકાર બની હતી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ સંસદ પર ચડાઇ કરી હતી. જેના જવાબદાર માનવામાં આવતા ટ્રમ્પની સામે મહાભિયોગ પણ લાવવામાં આવ્યો હતો.

કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે યોજાનારા આ સમારોહમાં અપેક્ષા મુજબ ઓછા લોકો પહોંચશે. જો કે, તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. 20મી જાન્યુઆરીના કાર્યક્રમ મુજબ, શપથ સમારોહ રાષ્ટ્રગીતની સાથે સવારે 11 વાગ્યાને 30 મિનિટે (ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગ્યે) શરૂ થશે. એ પછી બપોરથી પહેલાં જ કમલા હેરિસ ઉપ રાષ્ટ્રપતિ પદનાં શપથ લેશે. કમલા હેરિસને સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ સોનિયા ઓટોમેયર પદની શપથ અપાવશે. એ પછી નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાયડન અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ પદનારૂપમાં શપથ લેશે, પરંપરા મુજબ, સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટસ બાયડનને શપથ અપાવશે. એબીસી, સીબીએસ, સીએનએન સહિતની ચેનલો પ્રસારણ કરશે.

January 18, 2021
joebiden.jpg
1min548

અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાયડને તેમની સરકારમાં મહત્ત્વના પદો પર 13 મહિલા સહિત 20 ભારતીય મૂળના અમેરિકીઓની પસંદગી કરી છે, જેમાંથી કમ સે કમ 17 લોકો વ્હાઈટ હાઉસમાં ચાવીરૂપ પદો સંભાળશે.

અમેરિકાની કુલ વસતીના માત્ર એક ટકા ભારતીયો છે. આટલા નાના સમુદાયમાંથી અમેરિકી સરકારમાં આટલી મોટી સંખ્યામાં લોકો નિયુક્ત કરાશે તેવો પ્રથમ પ્રસંગ છે. બાયડન 20મી જાન્યુઆરીના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે. તેમની સાથે શપથ લેનારા’ કમલા હેરીસ અમેરિકામાં ભારતીય મૂળના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બનશે. સૌથી ટોચના પદો જોઈએ તો વ્હાઈટ હાઉસમાં વ્યવસ્થા અને બજેટ નિર્દેશક તરીકે નીરા ટંડન અને ડો. વિવેક મૂર્તિને અમેરિકાના સર્જન જનરલ બનાવાયા છે. વનીતા ગુપ્તાને કાયદા મંત્રાલયના એસોસિયેટ એટોર્ની જનરલ બનાવાયા છે. વ્હાઈટ હાઉસે પહેલીવાર એવા બે ભારતીય – અમેરિકીને સ્થાન આપ્યું છે જે મૂળે કાશ્મીરના છે. આયશા શાહને પાર્ટનરશિપ મેનેજર અને સમીરા ફાજલીને અમેરિકી રાષ્ટ્રીય આર્થિક પરિષદના ઉપનિર્દેશક બનાવાયા છે, આ બન્ને કાશ્મીરી છે. ત્રણ ભારતીયને વ્હાઈટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં સ્થાન અપાયું છે. વિનય રેડ્ડીને બાયડનના ભાષણ નિર્દેશક, વેદાંત પટેલને રાષ્ટ્રપતિના સહાયક પ્રેસમંત્રીનાં પદ સોંપાયાં છે.

શપથગ્રહણની શરૂઆત ભારતીય રંગોળીથી થશે : સુરક્ષા કારણોસર આ વખતે પ્રત્યક્ષને બદલે ઓનલાઇન રંગોળી ઇવેન્ટ

અમેરિકામાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનાં શપથગ્રહણ સમારોહની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. ર1 જાન્યુઆરીના ઓનલાઇન શપથગ્રહણ સમારોહની શરૂઆત પરંપરાગત ભારતીય રંગોળી સાથે થશે.
રંગોળી બનાવવાની એક ઓનલાઇન પહેલ માટે ભારત અને અમેરિકામાંથી આશરે 1800 લોકોએ ભાગ લીધો હતો. આ ઝૂંબેશમાં સામેલ થનારા મલ્ટીમીડિયા કલાકાર શાંતિ ચંદ્રશેખરે કહ્યંy કે કોલમ (તમિલનાડુમાં રંગોળીને કોલમ કહે છે) સકારાત્મક ઊર્જા અને નવી શરૂઆતનું પ્રતીક છે.

શરૂઆતમાં રંગોળી વ્હાઇટ હાઉસ બહાર બનાવવામાં આવનાર હતી. બાદમાં કેપિટલ હિલ બહાર બનાવવા મંજૂરી આપવામાં આવી હતી પરંતુ વોશિંગ્ટન ડીસીમાં અભૂતભૂર્વ સુરક્ષાને કારણે આ મંજૂરી રદ્દ કરી નાખવામાં આવી છે. એટલે બાઇડન અને હેરિસનું સ્વાગત કરવા એક વીડિયો સાથે હજારો રંગોળીઓને જોડવામાં આવશે. ‘

January 6, 2021
boris.jpeg
1min470

વૈશ્વિક મહામારીના સંકટને લીધે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનનો ભારત પ્રવાસ રદ કરી દેવાયો છે. તેઓ પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ રુપે સામેલ થવાના હતા. 

માહિતી મુજબ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને મંગળવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરતાં ભારત આવવા તેમની અસર્થતા વ્યક્ત કરી હતી. બ્રિટિશ વડાપ્રધાને પોતાનો ભારત પ્રવાસ રદ કરવા પર દુખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદી સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે આગામી છ મહિનામાં ભારત પ્રવાસ કરી શકે એવી આશા વ્યક્ત કરી હતી.

નોંધનીય છે કે કોરોના વાયરસના ખતરનાક સ્ટ્રેનને લીધે બ્રિટનમાં લોકડાઉન લાગૂ કરાયુ હતું. વાયરસના નવા પ્રકારને લીધે બ્રિટનમાં ગંભીર સ્થિતિ પેદા થઇ ચૂકી હતી. અહીં સુધી કે બ્રિટિશ પ્રશાસને પણ આ મુદ્દે એકવાર કહી દીધુ હતું કે નવા સ્ટ્રેનનું સંક્રમણ બેકાબૂ છે અને આવતા સમયમાં સ્થિતિ ગંભીર બનશે. બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાયરસના નવા પ્રકારના સંક્રમણથી દુનિયાભરમાં ખતરો વધી રહ્યો છે. નવા વેરિયન્ટના સંક્રમણના કેસ ભારત સહિત અનેક દેશોમાં મળી આવતા હવે દેશોની સરકારો આ અંગે કડક નિયમો-પ્રતિબંધો લાગૂ કરી છે. જેથી સંક્રમણને રોકી શકાય. 

ગત વર્ષે 15 ડિસેમ્બરે બ્રિટનના વિદેશ મંત્રીના પ્રવક્તાઓ માહિતી આપી હતી કે અમારા વડાપ્રધાન બોરિસ જોનસને ભારતના પ્રજાસત્તાક દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ બનવાના આમંત્રણને સ્વીકારી લીધુ છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 નવેમ્બરે ટેલિફોન પર વાતચીત દરમિયાન બ્રિટિશ વડાપ્રધાનને ઔપચારિક રીતે આમંત્રણ આપ્યું હતું. ભારતમાં કોઇપણ બ્રિટિશ વડાપ્રધાનને પ્રજાસત્તાક દિવસના પર્વે લાંબા સમય બાદ આમંત્રિત કરવામાં આવ્યા હતા. છેલ્લી વાર 1993માં બ્રિટનના પીએમ જોન મેજર ભારતના પ્રજાસત્તાક દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ બન્યા હતા. 

January 3, 2021
ukflights.jpg
1min520

ભારતથી યુકે જનારી ફ્લાઇટ છઠ્ઠી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે અને યુકેથી ભારત આવતી ફ્લાઇટ આઠમી જાન્યુઆરીથી શરૂ થશે, એવું કેન્દ્રના ઉડ્ડયન ખાતાના પ્રધાન હરદીપ સિંહ સુરીએ જણાવ્યું હતું. દરેક સપ્તાહમાં ભારતથી ૧૫ ફ્લાઇટ યુકે જશે અને યુકેથી ૧૫ ફ્લાઇટ ભારત આવશે. આમ એક અઠવાડિયામાં ભારત-યુકે વચ્ચે કુલ ૩૦ ફ્લાઇટ ઉડાન ભરશે, એવી પુરીએ માહિતી આપી હતી.

કોરોનાનો નવો યુકે વેરિએન્ટ મળી આવ્યા બાદ ૨૩ ડિસેમ્બરથી ૭ જાન્યુઆરી સુધી ભારતે બંને દેશો વચ્ચેની વિમાની સેવા સસ્પેન્ડ કરી હતી.

December 30, 2020
astra_zeneca-1280x720.jpg
1min478
UK Approves Oxford-AstraZeneca COVID-19 Vaccine, Rollout To Begin Next Week

બ્રિટને ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની oxford astrazeneca vaccine કોરોના વેક્સિનના ઈમર્જન્સી સપ્લાય માટે મંજૂરી આપી દીધી છે. અગાઉ યુકેએ ફાઈઝરની કોરોના વેક્સિનને સૌપ્રથમ મંજૂરી આપી હતી. ત્યારબાદ હવે ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકાની કોરોનાની રસીને માનવ વપરાશ માટે નિયમનકારે મંજૂરી આપી છે. મેડિસીન એન્ડ હેલ્થકેર પ્રોડ્ક્ટ્સ રેગ્યુલેટર એજન્સી (MHRA)એ આ વેક્સિનને મંજૂરી આપી હોવાથી તે સુરક્ષિત અને અસરકારક હોવાનું પ્રમાણિત થયું છે.

યુકે નેશનલ હેલ્થ સર્વિસ (NHS) દ્વારા દેશવ્યાપી રસીકરણ અભિયાન માટે હજારો આરોગ્યકર્મીઓ અને સ્વયંસેવકોને ખડેપગે રાખ્યા છે. આ વેક્સિન માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે પણ જોડાણ કરાયું છે. ગત સોમવારે યુકે સરકારને સોંપાયેલા આ રસીના ફાઈનલ ડેટાનું વિશ્લેષણ નિયમનકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.  

ઓક્સફર્ડના વરિષ્ઠ વિજ્ઞાનીએ આ રસી ખરેખર ગેમચેન્જર હોવાનું જણાવ્યું હતું. મોટાપાયે આ વેક્સિનના ડોઝ આપવાથી 2021ના મધ્ય સુધીમાં હર્ડ ઈમ્યુનિટી હાંસલ કરવામાં નોંધપાત્ર મદદ મળશે.  ફાઈઝરની રસીની તુલનાએ ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસીને સંગ્રહ કરવી વધુ સરળ છે. નિયમનકારો આગામી સપ્તાહે આ વેક્સિનને અંતિમ મંજૂરી આપે ત્યારબાદ મોટાપાયે રસીકરણ હાથ ધરાશે.   

બ્રિટને કોરોના વેક્સિનના 10 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે જે પૈકી 4 કરોડ ડોઝ માર્ચના અંત સુધીમાં મળવાની સંભાવના છે. એસ્ટ્રાઝેનેકાના વડા પાસ્કર સોરોઈટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સંશોધકોએ વેક્સિનના બે ડોઝના તારણોથી એક શ્રેષ્ઠ ફોર્મ્યુલા શોધી લીધી છે. આ રસી અંગેના અંતિમ અહેવાલ વહેલી તકે પ્રકાશિત થશે.

સૂત્રોના મતે યુકેમાં વધેલા કોરોનાના નવા સ્ટ્રેનને પગલે ઓક્સફર્ડની રસી વધુ અસરકારક હોવાથી હવે વહેલી તકે કોરોનાના નવા પ્રકારથી પણ લોકોને રક્ષણ મળવાની સંભાવના પ્રબળ બની છે.

December 26, 2020
coronavaccine-1280x720.jpeg
2min534

વિશ્વમાં કોરોના વાયરસના સતત વધી રહેલા પ્રકોપના કારણે અત્યારસુધીમાં 17.41 લાખથી વધારે લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. બીજી તરફ કોરોનાને રોકવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં હવે કોરોનાના અંતની શરૂઆત થઈ ચૂકી હોય તેવા સંકેત મળી રહ્યા છે અને દુનિયાના 11 દેશોમાં કોરોના વાયરસ સામેનું રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. રસીકરણમાં અમેરિકા-જર્મનીની કંપની ફાઈઝર-બાયોએનટેકની બનાવેલી રસીનો સોથી વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

FILE PHOTO: Vials with a sticker reading, “COVID-19 / Coronavirus vaccine / Injection only” and a medical syringe are seen in front of a displayed Pfizer logo in this illustration taken October 31, 2020. REUTERS/Dado Ruvic/Illustration/File Photo

ચીન :

છ કંપનીઓની પ્રયોગિક રસી ઘણા રાજ્યોમાં મોટાભાગના લોકોને મળી ચૂકી છે. પહેલા તબક્કામાં 15 જાન્યુઆરી સુધીમાં 2.5 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવશે.

રશિયા :

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ડિસેમ્બરની શરૂઆતે રસીકરણ અભિયાન શરૂ કરવાનું એલાન કર્યું હતું. હવે રશિયામાં ડોક્ટરો, શિક્ષકો અને સોશિયલ વર્કરોને રસી આપવામાં આવી રહી છે.

બ્રિટન :

રસીકરણ શરૂ કરનારો પહેલો યુરોપિયન દેશ બન્યો છે. સાત ડિસેમ્બરે વેક્સિનના ઉપયોગની શરૂઆત કરવામાં આવી હતી અને અત્યારસુધીમાં 6 લાખ લોકોને ફાઈઝરની રસી અપાઈ છે.

કેનેડા :

અહિંયા પણ 14 ડિસેમ્બરે ફાઈઝરની કોરોના રસી આપવાની શરૂઆત થઈ હતી. કેનેડાએ પોતાની વસ્તીથી પાંચ ગણી વધારે રસીની અગાઉથી ખરીદી કરી લીધી છે.

અમેરિકા :

14 ડિસેમ્બરના ફાઈઝર-બાયોએનટેકની કોરોના રસીના ઉપયોગની શરૂઆત થઈ હતી. પછી મોર્ડનાની રસીના ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી હતી.

ઈઝરાયલ :

અહિંયા 20 ડિસેમ્બરના તત્કાલીન વડાપ્રધાન નેતન્યાહુ, સ્વાસ્થ્ય કર્મચારીઓ અને સૈનિકોને રસી આપવામાં આવી હતી.

સ્વિત્ઝરલેન્ડ :

ફાઈઝર-બાયોએનટેકની રસીના રસીકરણની 22 ડિસેમ્બરથી શરૂઆત થઈ હતી. પહેલા તબક્કામાં સ્વાસ્થ્ય અને ઈમર્જન્સી સ્ટાફ સાથે 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી અપાઈ રહી છે.

બહેરીન :

અરબ જગતમાં રસીકરણ શરૂ કરનારો પહેલો દેશ બન્યો છે. 23 ડિસેમ્બરથી રસીકરણ શરૂ થયું હતું. બેહરીનમાં’ ફાઈઝર-બાયોએનટેકની રસી મફત અપાઈ રહી છે.

ત્રણ લેટિન અમેરિકન દેશ :

મેક્સિકો, ચિલી અને કોસ્ટારિકામાં રસીકરણની શરૂઆત થઈ ચૂકી છે.

3 દેશ ટૂંક સમયમાં શરૂ કરશે :

આર્જેન્ટિનામાં સ્પૂતનિક-વી રસીના ત્રણ લાખ ડોઝ પહોંચી ચુક્યા છે. જ્યારે આર્યલેન્ડમાં 26 ડિસેમ્બરના ડોઝ પહોંચી જશે. આ ઉપરાંત મોરોક્કોમાં સિનાફોર્મ, ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાના ડોઝ પહોંચી ચુક્યા છે.

December 23, 2020
kairn.jpeg
2min706

વિશ્વમાં પાવર જાયન્ટ કંપની ગણાતી કેઇર્ન એનર્જી સામે આંતર રાષ્ટ્રીય ટ્રીબ્યુનલમાં ચાલી રહેલા એક કેસમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે કેઇર્ન એનર્જી સામે રૂ.8000 કરોડની જંગી રકમની ટેક્સ રિકવરી કાઢી હતી. જેની સામે કેઇર્ન એનર્જીએ એક પણ રૂપિયો ભરપાઇ નહીં કરવા માટે આંતર રાષ્ટ્રીય ટ્રીબ્યુનલમાં કેસ કર્યો હતો. ભારતીય સમય પ્રમાણે તા.22મી ડિસેમ્બર 2020ની મોડી રાત્રે આવેલા ચુકાદામાં આ વર્ડીક્ટ આપ્યું હતું.

ત્રણેક મહિના અગાઉ ભારતે વોડાફોન કંપની સામે પણ કેસ હાર્યો હતો. વોડાફોન કંપની પાસેથી પણ ભારતે હજારો કરોડ રૂપિયાના ટેક્સની રિકવરી કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જેને ઇન્ટરનેશનલ ટ્રીબ્યુનલમાં ભારત હારી ગયું છે. આ બીજો મોટો કેસ ભારત હારી ગયું છે.

The tax demand by India was in respect of Cairn UK transferring shares of Cairn India Holdings to Cairn India, as part of an internal group reorganisation in 2006-07.

In a major setback, Indian government has lost arbitration to energy giant Cairn under the retrospective tax amendment to the law in a verdict that came late night on Tuesday. India has been asked to pay damages worth Rs 8,000 crore to the UK oil major. The verdict comes three months after India lost arbitration to Vodafone over the retrospective legislation.

The international arbitration tribunal has maintained that the Cairn tax issue is not a tax dispute but a tax related investment dispute. Hence, it falls under its jurisdiction. It has ruled that India’s demand in past taxes were in breach of fair treatment under a bilateral investment protection pact.

The verdict has also noted arguments by the Edinburgh-based company that the tax demand came up after Vodafone tax case, which was quashed by the Indian courts.

December 23, 2020
Antarctica.jpeg
1min542
36 Corona Positive Cases Registered In Antarctica

– એન્ટાર્કટિકામાં આવેલા ચિલીના રિસર્ચ સેન્ટરના 36 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો

દુનિયામાં કોરોના વાયરસનો ફેલાવો થયો તેને એક વર્ષ પુરુ થયું છે. ચીનમાંથી ફેલાયેલો આ વાયરસ એક વર્ષની અંદર આખી દુનિયામાં ફરી વળ્યો છે. આ વાયરસે આખી દુનિયામાં આતંક મચાવ્યો. દુનિયાએ ક્યારેય ના જોયેલા દ્રશ્યો આ વાયરસના કારણે જોયા છે. દુનિયાના લાખો લોકોએ કોરાનના કારણે જીવ ગુમાવ્યા છે. હમણા છેલ્લે સુધી દુનિયાના અમુક છેવાડાના દેશો કે જેનો દુનિયા સાથે બહુ સંપર્ક નહોતો તેઓ કોરોના વાયરસના ચેપથી બચેલા બતા, પરંતુ હવે દુનિયાનો એક પણ ભાગ એવો નથા રહ્યો કે જ્યાં કોરોના વાયરસ ના પહોંચ્યો હોય.

coronavirus infection: એન્ટાર્કટિકા પણ પહોંચ્યો કોરોના, હવે દુનિયાનો એકપણ  ખૂણો બાકી નહીં! - coronavirus infection reaches chile base in antarctica |  I am Gujarat

દુનિયાના દક્ષિણ ભાગમાં આવેલો એન્ટાર્કટિકા મહાદ્વિપ કોરોના વાયરસથી બચેલો હતો. ત્યારે હવે ત્યાં પણ કોરોના વાયરસ પહોંચી ગયો છે. એન્ટાર્કટિકામાં આવેલા ચિલીના રિસર્ચ સેન્ટરના 36 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. સોમવારે આ લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ લોકોમાં 26 લોકો સેનાના છે અને 10 લોકો મેઇન્ટેનસ વાળા છે. ચીલીની સેનાએ કહ્યું કે તેણે તમામ કોરોના પોઝિટિવ સૈનિકોને પરત બોલાવ્યા છે.

એન્ટાર્કટિકાએ આ પહેલા પ્રવાસીઓ માટે ટ્રાવેલ બેન કર્યો હતો. જેના કારણે ત્યાં કોરોનાનો ચેપ પ્રસરે નહીં. એવું માનવામાં આવી રહ્યું છે કે 27 નવેમ્બરે ચીલીથી થોડો સામાન એન્ટાર્કટિકા પહોંચ્યો હતો, તેની સાથએ કોરોના વાયરસ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે એન્ટાર્કટિકામાં ઘણા દેશોના રિસર્ચ સેન્ટર આવેલા છે. 


December 21, 2020
strict_lockdown.jpg
1min452

કોરોનાના નવા વાઇરસના વધેલા કેસને ધ્યાનમાં લઇને યુનાઇટેડ કિંગ્ડમમાં નવેસરથી કડક લૉકડાઉન લાગુ કરાયું હતું. જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચતી દુકાનો અને ઉદ્યોગો સિવાયની બધી જ દુકાનો વગેરે બંધ રાખવાના અને લોકોને ઘરમાં રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

વડા પ્રધાન બોરીસ જોહનસને શનિવારે સાંજે નવા નિયમો વિશેની જાહેરાત કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ જાહેરાતનો અર્થ એ થયો કે ક્રિસમસ માટે અગાઉ પાંચ દિવસ માટે અપાયેલી છૂટ રદ કરાઇ છે અને અગાઉ થ્રી ટાયર પ્રતિબંધો હતા, પણ હવે એમાં વધારો કરીને ફોર ટાયર પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. આ પ્રતિબંધો રોગચાળાને કાબૂમાં રાખવાના પગલાં તરીકે લાદવામાં આવ્યા છે.

જોહનસને જણાવ્યું હતું કે એવું લાગે છે કે કોરોનાનો નવો વાઇરસ ફેલાઇ રહ્યો છે. અમે આની જાણ હૂને કરીને આ નવા વાઇરસ વિશે ઉપલબ્ધ માહિતી અને એને રોકવા ક્યાં પગલાં લેવા એ વિશે માહિતી મગાવી છે.

જોકે, નવા વાઇરસથી વધુ લોકો મરણ પામતા હોવા વિશે અથવા રસી પર આડઅસર થતી હોવા વિશે કોઇ માહિતી મળી નથી.

ક્રિસમસના દિવસે લોકોને ફાઇઝરની કોરોના માટેની રસી આપવાનું નક્કી કરાયું છે અને અત્યાર સુધીમાં આખા દેશમાં એક લાખથી વધુ લોકોએ રસી મુકાવવા માટે નામ નોંધાવ્યા છે.

નવા નિયમ પ્રમાણે લોકો પોતાના ઘરમાં રહેતી વ્યક્તિ (કુટુંબીઓ) સિવાય અન્ય કોઇને મળી નહીં શકે. ક્રિસમસની ઉજવણી માટે અગાઉ પાંચ દિવસ માટે ત્રણ કુટુંબીને મળવાની પરવાનગી અપાઇ હતી, પણ હવે એ ફક્ત ક્રિસમસના દિવસ પૂરતી જ રખાઇ છે.

આ પ્રતિબંધો બે સપ્તાહ માટેના છે અને ૩૦મી ડિસેમ્બરે સમીક્ષા કર્યા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.

December 16, 2020
boris.jpeg
1min440

બ્રિટિશ વડા પ્રધાન બૉરિસ જૉન્સન પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાનારી પરેડમાં અતિથિવિશેષ તરીકે હાજર રહેશે.

Boris Johnson accepts India's invite, will be Republic Day parade chief  guest - india news - Hindustan Times

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાનારી પરેડમાં અતિથિવિશેષ તરીકે હાજર રહેવા આપેલા આમંત્રણનો બ્રિટનના વડા પ્રધાન બૉરિસ જૉન્સને સ્વીકાર કર્યો હતો.

જયશંકરે કહ્યું હતું કે જૉન્સને આમંત્રણ સ્વીકાર્યું એ દ્વિપક્ષી સંબંધોના નવા યુગનો આરંભનું પ્રતીક હશે. જૉન્સને પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવતા વરસે યુકેમાં યોજાનારી જી-૭ શિખરમંત્રણામાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. યુકેના વિદેશ પ્રધાન ડૉમનિક રાબ અને ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર વચ્ચે યોજાયેલી બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.

બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતા જયશંકરે કહ્યું હતું કે ચાર કલાક લાંબી ચાલેલી આ

બેઠકમાં દ્વિપક્ષી સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા સહિતના મુદ્દે વ્યાપક ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.

તમે જાણો જ છો કે તાજેતરના વરસોમાં વૈશ્ર્વિક રાજકારણમાં મોટું પરિવર્તન થયેલું જોવા મળી રહ્યું છે અને બંને દેશનું માનવું છે કે સાથે કામ કરવાથી બંને દેશના હિતોનું વધુ અસરકારક રીતે રક્ષણ થશે, એમ તેમણે કહ્યું હતું.

અફઘાનિસ્તાન, અખાતના દેશો અને ઈન્ડો-પેસિફિક રિજનમાં આકાર લઈ રહેલી પરિસ્થિતિ, આતંકવાદ તેમ જ કટ્ટરવાદને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિ અને ઊભા થયેલા પડકારો અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

ઈન્ડો-પૅસિફિક રિજનમાં ભારતને મહત્ત્વના અને વિશ્ર્વસનીય ભાગીદાર લેખાવતા જૉન્સને કહ્યું હતું કે હું ભારતના પ્રવાસે આવવા ઉત્સુક છું અને મારો ભારતપ્રવાસ નવા વર્ષની ઉત્સાહજનક શરૂઆત હશે.

દ્વિપક્ષી સંબંધો માટે મારી ભારત મુલાકાત ચાવીરૂપ હશે, એમ તેમણે કહ્યું હતું.

ગયા વરસે હોદ્દો સંભાળ્યા બાદ જૉન્સનની પ્રથમ મહત્વની દ્વિપક્ષી મુલાકાત અને બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી ખસી ગયા બાદ ભારતની આ પહેલી મુલાકાત હશે.

ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ જૉન્સન પ્રજાસત્તાક દિનની પરેડમાં અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેનાર બીજા બ્રિટિશ નેતા હશે.

અગાઉ વર્ષ ૧૯૯૩માં બ્રિટનના વડા પ્રધાન જૉન મૅજરે પ્રજાસત્તાક દિનની પરેડમાં હાજરી આપી હતી.