CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 22 of 51 - CIA Live

April 1, 2021
france_lockdown.jpg
1min511

ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોને તા.૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે ફ્રાન્સમાં ત્રીજુ દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવાની જરૂરીયાત આવી ઉભી છે. કોરોનાના પુષ્કળ કેસોને પગલે ફ્રાન્સની હોસ્પિટલમાં ધસારો વધ્યો છે આવામાં આગામી ત્રણ અઠવાડિયા સુધી સ્કૂલો પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાના કારણે આ આકરો નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કોરોનાના કારણે થતાં મૃત્યુઆંકમાં ઉછાળો આવવાના કારણે આખરે અર્થતંત્રને વેગવંતુ રાખવા માટે દેશને મુક્ત રાખવાનો નિર્ણય બદલવો પડ્યો છે. તેમણે દેશને જણાવ્યું છે કે, “જો આપણે અત્યારે નિર્ણય નહીં લઈએ તો આપણે કાબૂ ગુમાવવી દઈશું.”

પેરિસમાં અઠવાડિયા સુધી લોકોની અવર-જવર પર પાબંદીઓ લગાવી દેવામાં આવી હતી અને દેશના દક્ષિણ ભાગમાં પણ નિયમો લાગુ કરાયા હતા. પરંતુ હવે શનિવારથી આખા દેશમાં એક મહિના સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કડક પગલા ભરવાનો સમય આવી ગયો છે

ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ એમ્યુનલ મેક્રોને કહ્યું કે લોકડાઉન દરમિયાન કોરોના રસીકરણનું કામ ઝડપથી કરવામાં આવશે અને ગરમી પતે ત્યાં સુધીમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોનાની રસી લગાવી દેવાનું લક્ષ્ય છે. રાષ્ટ્રપ્રમુખ મેક્રોન આખા દેશમાં 4 અઠવાડિયા માટે લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. બુધવારે દેશવ્યાપી લોકડાઉન લગાવવાનો નિર્ણ લીધો છે.

મેક્રોને કહ્યું કે, આ નિર્ણય લેવામાં મોડું થાય તે માટેના તમામ પ્રયાસો કર્યા પરંતુ હવે સમય આવી ગયો છે કે કડક રીતે આ પ્રકારના નિર્ણય લેવા જરુરી બન્યા છે.

જરુરી સામાનની દુકાનો ખુલ્લી રહેશે
https://23a11688aaa46c192002820cbd6b0f7c.safeframe.googlesyndication.com/safeframe/1-0-38/html/container.html
ફ્રાન્સમાં કોરોનાની ત્રીજી લહેર આવતા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવામાં રાષ્ટ્રપ્રમુખ મેક્રોએ જણાવ્યું છે કે, સ્થિતિ પ્રમાણે લોકડાઉન જરુરી છે. ફ્રાન્સમાં દેશવ્યાપી લોકડાઉન દરમિયાન માત્ર જરુરી સામાનની દુકાનો ખુલ્લી રહેશે. ઓફિસ જવાના બદલે વર્ક ફ્રોમ હોમ કરી શકાશે. આ દરમિયાન 10 કિલોમીટર કરતા વધારે દૂર જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ફ્રાન્સમાં અત્યાર સુધીમાં 46 લાખથી વધુ કેસ નોંધાયા

આપને જણાવી દઈએ કે ફ્રાન્સમાં 46 લાખ કરતા વધુ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગી ચુક્યો છે અને હાલ ત્રીજી લહેરમાં કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના કારણે 95,502 લોકોના મોત થઈ ગયા છે. હાલના દિવસોમાં બ્રિટનના નવા વેરિયન્ટ કોરોના વાયરસના કારણે સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. WHO મુજબ 31 માર્ચે અહીં એક દિવસમાં 29,575 નવા કેસ નોંધાયા છે.

March 29, 2021
banladesh.jpg
1min406

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બંગલાદેશ પ્રવાસ પુરો થતાની સાથે જ બંગલાદેશમાં હિન્દુ મંદિરો ઉપર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. પૂર્વી બંગલાદેશમાં રવિવારે કટ્ટર ઈસ્લામિક જુથના લોકોએ હુમલો કર્યે હતો. સ્થાનિક પત્રકારો અને પોલીસના કહેવા પ્રમાણે પીએમ મોદીના પ્રવાસ સાથે જ હિંસક પ્રદર્શન શરૂ થયા હતા. આ દરમિયાન ઓછામાં ઓછા 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. પ્રવાસ પુરો થતા જ મૃત્યુઆંકને લઈને લોકો વધુ ઉશ્કેરાયા હતા. જેમાં એક ટ્રેનને પણ નિશાન બનાવવામાં આવી હતી.

બંગલાદેશની આઝાદીના 50 વર્ષના કાર્યક્રમમાં સામેલ થવા માટે પીએમ મોદી શુક્રવારે બે દિવસના બંગલાદેશના પ્રવાસે પહોંચ્યા હતા. ત્યાર બાદ શનિવારે ભારત માટે રવાના થયા હતા. પાડોસી દેશમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં કટ્ટર ઈસ્લામિક જુથો આરોપ મુકી રહ્યા છે કે ભારતમાં અલ્પસંખ્યકો સાથે ભેદભાવ થઈ રહ્યો છે. પ્રદર્શનકારીઓએ ટ્રેન ઉપર પણ હુમલો કર્યો હતો અને એન્જીન રૂમ તેમજ તમામ કોચને ઘણું નુકશાન પહોંચાડયું હતું. ઘણી સરકારી કચેરીઓને આગને હવાલે કરવામાં આવી હતી.

પ્રેસ ક્લબ ઉપર પણ હુમલો થયો હતો.

સ્થાનિક પત્રકાર જાવેદ રહિમના કહેવા પ્રમાણે ઘણા હિન્દુ મંદિરો ઉપર હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે વેસ્ટર્ન જીલ્લામાં પણ કથિત રૂપે બે બસને આગ ચાંપવામાં આવી હતી. પ્રદર્શન દરમિયાન પોલીસ ઉપર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. જ્યારે રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા.

March 24, 2021
colorado.jpg
1min524

અમેરિકાના કોલોરાડોના બોલ્ડરમાં સુપરમાર્કેટમાં એક શખ્સે અંધાધૂંધ ગોળીબાર કરતા પોલીસ અધિકારી સહિત 10 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. પોલીસે એક સંદિગ્ધની ધરપકડ કરી લીધી છે. જો કે આ શખ્સે ગોળીબાર શા માટે કર્યો તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બોલ્ડર પોલીસે ટ્વીટ કરીને ગોળીબારની ઘટના અંગે પુષ્ટી કરી હતી.

સોમવારે રાત્રે બનેલી આ ઘટનાથી અમેરિકાનું ગન કલ્ચર ફરી માથાનો દુઃખાવો બની ગયું છે. પોલીસે સુપરમાર્કેટમાંથી એક સંદિગ્ધ શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સને પગમાંથી લોહી નીકળી રહ્યું હતું અને તેણે ફક્ટ શોર્ટ્સ પહેરી હતી. પોલીસે ગોળીબારની ઘટના બાદ તેને હથકડી પહેરાવી ધરપકડ કરી લીધી છે.  

મૃત પોલીસ અધિકારી સાત વર્ષના બાળકનો પિતા

બોલ્ડર પોલીસના જણાવ્યા મુજબ આ ગોળીબારમાં મૃત્યુ પામનાર એક પોલીસ અધિકારી પણ છે. પોલીસ અધિકારીની ઓળખ એરિક ટેલી (51) તરીકે થઈ છે. તે 2010થી બોલ્ડર પોલીસમાં સેવા આપી રહ્યા હતા. તે એક સાત વર્ષના બાળકના પિતા પણ છે. આ દુઃખદ છે કે એરિકે જ સૌપ્રથમ હુમલાખોર સામે બાથ ભીડી હતી અને તેનું કમનસીબે ગોળી વાગતા મોત થયું હતું.

બોલ્ડર ડિસ્ટ્રિક્ટ એટર્ની માઈકલ ડોઘર્ટીના જણાવ્યા મુજબ, મૃતકોના પરિવારજનોની ઓળખ કરવામાં આવી રહી છે જેથી હજી સુધી નામ જાહેર કરવામાં નથી આવ્યા. હુમલાખોરે કિંગ્સ સુપર્સ સ્ટોરમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

ગોળીબારની ઘટનાને પગલે ઝડપથી પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી નાકાબંધી કરી દીધી હતી. સ્વોટ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી તેમજ ત્રણ હેલીકોપ્ટર પણ પહોંચ્યા હતા. સ્ટોરના આગળની બારીનો કેટલોક ભાગ તૂટી ગયો હતો.4

સુપરમાર્કેટમાંથી એક મહિલા તેના પુત્ર સાથે ખરીદી કરીને બહાર આવ્યા બાદ તેણે જણાવ્યું કે, ધડાકાનો અવાજ સાંભળવા મળ્યો હતો. પાર્કિંગમાં તેમજ સ્ટોર બહાર એક-એક શખ્સને ગોળી વાગતા તેમનું મોત થયું હતું. તેણે તેના દીકરાને નીચે ઝુકી જવા માટે જણાવ્યું હતું. સુપરમાર્કેટમાં ગોળીબાર થતાં અંદર નાસભાગ મચી ગઈ હતી. યુવાનો દ્વારા વૃદ્ધિ લોકોને ઝડપથી બહાર નિકળવામાં મદદ કરી રહ્યા હતા. અંદર ધાણીફૂટ ગોળીબાર થવા લાગ્યો હતો અને જોતજોતામાં 10 લોકોનાં મોત થયા હતા.  

March 17, 2021
VIRUSOUTBREAKCHINA.jpg
1min679

ચીનની એલચી કચેરીએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ સામે ચીનમાં બનેલી રસી લેનારા પર્યટકો પાસે જો સંબંધિત પ્રમાણપત્ર હશે તો જ તેઓને વિઝા આપીશું.

તેણે જણાવ્યું હતું કે નોકરીનો કૉન્ટ્રેક્ટ પૂરો કરવા, કામ શરૂ કરવા અથવા અન્ય સંબંધિત કામકાજ માટે લોકો પાછા ચીન જઇ શકે છે.

ચીનની એલચી કચેરીએ જણાવ્યું હતું કે ભારતમાંની ચીનની ઍમ્બસી અને કૉન્સ્યુલેટ્સ કોવિડ-૧૯ની સામે ચીનમાં બનેલી રસી લીધી હોવાનું પ્રમાણપત્ર ધરાવનારને વિઝા આપશે.

તેણે જણાવ્યું હતું કે એશિયા પેસિફિક ઇકૉનૉમિક કૉઑપરેશન બિઝનેસ ટ્રાવેલ કાર્ડ ધરાવતા વિદેશીઓ બિઝનેસ વિઝા માટે અરજી કરી શકશે.

March 16, 2021
astrazeneca.jpg
1min624

ડેન્માર્ક, આયર્લેન્ડ અને થાઇલેન્ડ સહિતના કેટલાક દેશે કોરોના સામેની રસી એસ્ટ્રાઝેનેકાનો ઉપયોગ કામચલાઉ અટકાવ્યો છે.

એસ્ટ્રાઝેનેકા રસીથી લોહી ગંઠાઇ જતું હોવાના કોઇ પુરાવા નહિ હોવા છતાં કેટલાક દેશે તેનો વપરાશ હાલમાં અટકાવ્યો છે.

યુરોપિયન મેડિસિન્સ ઍજન્સી અને વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઇઝેશન)એ જણાવ્યું હતું કે એસ્ટ્રાઝેનેકા રસી લેવાથી લોહી ગંઠાઇ જતું હોવાના અહેવાલ પુરાવા વિનાના છે.

ડેન્માર્કમાં એસ્ટ્રાઝેનેકા રસીનો પ્રથમ ડૉઝ લીધા બાદ એક વ્યક્તિમાં લોહી અનેક સ્થળે ગંઠાઇ ગયું હોવાનો આક્ષેપ કરાયો હતો અને દસ દિવસ પછી તેનું મૃત્યુ થયું હતું.

ડેન્માર્કના આરોગ્ય વિભાગે પણ કબૂલ કર્યું હતું કે રસી અને લોહી ગંઠાઇ જવાની બાબત એકબીજા સાથે સંબંધિત હોવાનું સાબિત કરતા કોઇ પુરાવા હજી સુધી નથી મળ્યા.ઉ

નોર્વે, આઇસલેન્ડ, બલ્ગેરિયા, થાઇલેન્ડ અને કોંગોએ પણ આ રસીનો વપરાશ કામચલાઉ અટકાવી દીધો છે.

નેધરલેન્ડ્સના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે અમે તકેદારીના પગલાં તરીકે આ રસીનો વપરાશ કામચલાઉ અટકાવ્યો છે.

March 7, 2021
maryland-1280x839.jpg
1min471

મૂળ સુરતના ભરથાણાના રહેવાસી અને અમેરિકાના મેરીલેન્ડમાં છેલ્લા 20 વર્ષથી સ્થાયી થયેલા પટેલ દંપતી પર ગોળીબારની ઘટનામાં પત્નીનું કરૂણ મોત નીપજ્યું છે જ્યારે પતિ ગંભીર થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું મીડિયા રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકામાં હોટલ બિઝનેસ સાથે સંકળાયેલા અને મૂળ સુરતના ભરથાણાનો પટેલ પરિવાર છેલ્લા 20 વર્ષથી અમેરિકાના મેરિલેન્ડમાં સ્થાયી થયો હતો અને અહીંયા મોટેલનો બિઝનેસ ધરાવતા હતા. પત્ની ઉષાબેન અને પતિ દિલીપભાઈ શુક્રવારે હોટલ પર હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને લૂંટના ઈરાદે દંપતી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં ઉષાબેન અને દિલીપભાઈને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઉષાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે દિલીપભાઈ હજી સારવાર હેઠળ છે.

March 3, 2021
musk_ambani.jpg
1min494
Elon Musk beats Mukesh Ambani to become fifth richest billionaire, for a  while

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દુનિયાના 8મા સૌથી ધનિક ઉદ્યોગપતિ બન્યા છે. હુરૂનના ગ્લોબલ રિચ લિસ્ટ ર0ર1 મુજબ છેલ્લા એક વર્ષમાં મુકેશ અંબાણીની મિલકત ર4 ટકા વધી છે. તેઓ 83 અબજ ડોલરની સંપતિના માલિક છે. જે ભારતીય મુદ્રામાં 6.09 લાખ કરોડ જેટલા થાય છે.

દુનિયાના સૌથી ધનિક તરીકે ટેસ્લા કંપનીના એલન મસ્કે સ્થાન મેળવ્યુ છે જેમની સંપતિ 3ર8 ટકા વધી 197 અબજ ડોલર થઈ છે. એક વર્ષમાં એલન મસ્કની સંપતિમાં 1પ1 અબજ ડોલરનો વધારો થયો છે. ચીનના ઉદ્યોગપતિ અલીબાબા ગ્રુપના જેક મા ચોથા ક્રમે છે. રિચ લિસ્ટમાં અન્ય ભારતીયોમાં ગૌતમ અદાણી અને પરિવાર ર.34 લાખ કરોડની સંપતિ સાથે 48મા ક્રમે, શિવ નાદર તથા પરિવાર 1.94 લાખ કરોડની સંપતિ સાથે પ8મા ક્રમે, લક્ષ્મી એન મિતલ 1.40 લાખ કરોડની સંપતિ સાથે 104મા ક્રમે તથા સાઈરસ પૂનાવાલા 1.3પ લાખ કરોડની સંપતિ સાથે 113મા ક્રમે સ્થાન મેળવ્યું છે.

નવી યાદી અનુસાર ભારતમાં ર09 અબજપતિ છે જેમાં 177 ભારતમાં રહે છે. અમેરિકામાં અબજપતિઓની સંખ્યા 689 થઈ છે. ભારતમાં ગત વર્ષ પ0 અબજપતિઓ ઉમેરાયા હતા. સંપતિમાં ર71 ટકાના ઉછાળા સાથે ઝેસ્કાલરના જય ચૌધરીની સંપતિ 96000 કરોડ અને અદાણી ગ્રુપના વિનોદ શાંતિલાલ અદાણીની સંપતિ 1ર8 ટકા વધી 7ર000 કરોડ થઈ હતી.

February 24, 2021
buffett-musk-1280x853.jpg
1min525

ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓ એલન મસ્ક હવે દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ રહ્યાં નથી. તેમની જગ્યા અમેરિકી ઇ-કોમર્સ કંપની અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસે લઇ લીધી છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સ અનુસાર, જેફ બેજોસ હવે દુનિયાના સૌથી પૌસાદાર કારોબારી બની ગયા છે. એક ટ્વિટના કારણે એલન મસ્ક બીજા સ્થાને પહોંચી ગયા છે.

ટેસ્લામાં સૌથી વધુ કડાકો સપ્ટેમ્બર બાદ જોવા મળ્યો. તેમની કંપનીના શેરોમાં કડાકો તેમણે બિટકોઇન અંગે કરેલી કમેન્ટ બાદ આવ્યો. એલન મસ્કે કહ્યું હતું કે, બિટકોઇનની કિંમતો વધુ છે. તે બાદ સોમવારે ટેસ્લાના શેરોમાં પણ ૮.૫ ટકાનો કડાકો જોવા મળ્યો. આનાથી એલન મસ્કની સંપત્તિમાં ૧૫ બિલિયન ડોલરનો ઘટાડો થયો.

મસ્ક બે વખત જેફ બેજોસને પછાડીને સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. જેફ બેજોસ ૧૮૬ અરબ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના ધનાઢ્યની યાદીમાં સૌથી ઉપર પહોંચી ગયા છે. મસ્કની કંપની ટેસ્લાના શેરો સોમવારે ૮.૫૫ ટકા ગગડ્યાં. જેનાથી એલન મસ્કની નેટવર્થમાં ૧૫.૨ અરબ ડોલરનો ઘટાડો થયો અને તે ૧૮૩ અરબ ડોલર નેટવર્થ સાથે બીજા સ્થાને આવી ગયા.

ઉપરાંત ભારતના સૌથી ધનાઢ્ય મુકેશ અંબાણી આ યાદીમાં એક સ્થાન નીચ ઉતર્યા છે. તેઓ ૧૨માં સ્થાને પહોંચી ગયા છે. તેમની નેટવર્થ ૭૮.૩ અરબ ડોલર છે. આ વર્ષે તેમની નેટવર્થમાં ૧.૫૫ અરબ ડોલરનો વધારો થયો છે. 

February 10, 2021
who.jpg
1min443

કોરોના વાઈરસ પ્રાણીમાંથી માનવીમાં દાખલ થયો હોય શકે તેવી સંભાવના ડબ્લ્યૂએચઓ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના નિષ્ણાતોએ મંગળવારે વ્યક્ત કરી હતી.

વૂહાનની લેબોરેટરીમાંથી વાઈરસ ભૂલથી અથવા જાણીબૂઝીને લીક થયો હતો તેવી થિયરીને હૂની ટીમે નકારી કાઢી છે. ચીનના અને હૂના વૈજ્ઞાનિકોની એક ટીમ દ્વારા ૨૬ દિવસની વૂહાનની મુલાકાત પછી આવું તારણ આપ્યું હતું.

વિશ્ર્વ આરોગ્ય સંગઠન (વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઇઝેશન)ના નિષ્ણાતોએ મંગળવારે જણાવ્યું હતું કે કોરોના વાઇરસ ચીનની પ્રયોગશાળામાંથી નહિ, પણ પ્રાણીમાંથી માનવોમાં ફેલાયો હોવાની શક્યતા છે.

વિશ્ર્વ આરોગ્ય સંગઠનના અન્ન સુરક્ષા અને પ્રાણીઓના રોગોને લગતા નિષ્ણાત પીટર બેન એમ્બારેકે મધ્ય ચીનના શહેર વુહાનની મુલાકાત બાદ આ સંભાવના વ્યક્ત કરી હતી. વિજ્ઞાનીઓની ટુકડી વુહાન શહેરમાં કોરોના વાઇરસના ઉદ્ગમસ્થાનની તપાસ કરી રહી છે.

ચીનના વુહાન શહેરમાં ૨૦૧૯ના ડિસેમ્બરમાં કોરોના વાઇરસનો પ્રથમ દરદી નોંધાયો હોવાનું કહેવાય છે.

વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલોજીએ વાઇરસના નમૂના ભેગા કર્યા હોવાથી આ પ્રયોગશાળામાંથી કોરોના વાઇરસ ફેલાયો હોવાના સમાચાર ફેલાયા હતા.

નિષ્ણાત પીટર બેન એમ્બારેકે જણાવ્યું હતું કે અમને પ્રાથમિક અભ્યાસમાં કોરોના વાઇરસ કોઇ પ્રાણીમાંથી માનવોમાં ફેલાયા હોવાનું લાગે છે. થીજવેલા ખોરાકમાંથી કોરોના વાઇરસ માનવોમાં ફેલાયો હોવાની શક્યતા વધુ છે.

ચીનના કેટલાક સ્થળે વાંસમાં જોવા મળતા ઉંદરો અને કીડીઓ ખાતું ભીંગડાવાળું પ્રાણી પેન્ગોલિન જેવા પ્રાણીઓ ખોરાક તરીકે વપરાતા હોવાથી તેઓમાંથી કોરોના વાઇરસ માનવોમાં ફેલાયા હોવાની સંભાવનાની તપાસ થઇ રહી છે.

February 2, 2021
bhavya.jpg
1min538

ભારતીય-અમેરિકન ભવ્યા લાલને સોમવારે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) દ્વારા કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. ભવ્યા લાલ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા નાસામાં ફેરફાર સંબંધી સમીક્ષા દળની સભ્ય પણ છે અને બાઈડેન તંત્રમાં એજન્સીમાં પરિવર્તન સંલગ્ન કામગીરી પર દેખરેખ રાખે છે.

અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભવ્યા પાસે એન્જીનિયરિંગ અને સ્પેસ ટેક્નોલોજીનો બહોળો અનુભવ છે. તે સ્પેસ ટેક્નોલોજી અને પોલીસી સોસાયટીની સક્રિય સભ્ય પણ છે. નાસાએ એક નિવેદનમાં કહ્યું કે, નાસાએ વરિષ્ઠ એજન્સી હોદ્દાઓ માટે નિમણૂક અંગે કેટલાક નામો આપ્યા છે. ભવ્યા લાલ એજન્સીમાં કાર્યકારી પ્રમુખ તરીકે જોડાયા છે. ફિલિપ થોમ્પસન વ્હાઈટ હાઉસના સંપર્ક તરીકે કામ કરશે. એલિસિયા બ્રાઉન વિધાનસભા તેમજ આંતર સરકારી મામલાઓના કાર્યાલયના સાહાયક સંચાલક તરીકે કામ કરશે અને માર્ક એટાઈકની એજન્સીના સંચાર કાર્યાલયના સહાયક સંચાલક તરીકેની જવાબદારી  રહેશે.

ભવ્યા લાલ પાસે 2005થી 2020 સુધી ઈન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ એનાલિસિસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસી ઈન્સ્ટિટ્યૂટમાં સંશોધન સ્ટાફના સભ્ય તરીકે કામ કરવા ઉપરાંત એન્જીનિયરિંગ અને સ્પેસ ટેક્નોલોજીનો વ્યાપક અનુભવ ધરાવે છે.