દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટની વર્ષ ર0ર1ની રેન્કિંગમાં જાપાન ટોચ પર રહ્યં છે. સિંગાપુર બીજા અને જર્મની તથા દક્ષિણ કોરિયાએ સંયુક્ત રીતે ત્રીજું સ્થાન મેળવ્યું છે. ભારત 6 સ્થાન નીચે આવ્યું છે. ભારતીય પાસપોર્ટ ધારકને હાલ 58 દેશ વિઝા ફ્રી પ્રવેશ આપે છે.
સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ચીન (68મા ક્રમે) અને સંયુક્ત અરબ અમીરાતે જોરદાર છલાંગ (15મા ક્રમે) લગાવી છે. તો સૌથી ખરાબ પાસપોર્ટની શ્રેણીમાં અફઘાનિસ્તાન (116મો ક્રમ, તળીયે), સીરિયા, ઈરાક અને પાકિસ્તાન (113મો ક્રમ)નો સમાવેશ થયો છે.’ ભારત પણ આ પ્રતિષ્ઠિત યાદીમાં ગબડીને (2020માં 84મો ક્રમ) 90મા સ્થાને પહોંચી ગયું છે. જો પાસપોર્ટનો ઓલિમ્પિક યોજવામાં આવે તો જાપાનનો ડંકો વાગી જાય.
દર વર્ષે યાત્રાના હિસાબે વર્ષ ર006થી સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી જાહેર કરનાર હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર જાપાને ફરી એકવાર દુનિયામાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. જાપાની પાસપોર્ટધારકને દુનિયાના 193 દેશમાં વિઝા ફ્રી અથવા વિઝા ઓન અરાઇવલની સુવિધા ઉપલબ્ધ છે. સિંગાપુરના પાસપોર્ટ ધારકને 19ર દેશોમાં એક્સેસની સુવિધા છે. અમેરિકા અને બ્રિટન 7મા સ્થાને છે. ચીને રર ક્રમનો સુધારો નોંધાવ્યો છે. યુએઈ અગાઉ 68મા સ્થાને હતું જ્યાંથી તે સીધું 1પમા સ્થાને આવી ગયું છે.
અફઘાનિસ્તાનમાંથી અમેરિકાનું લશ્કર હટશે એ સાથે જ ફરી તાલિબાન ચડી બેસશે એવો અંદેશો સાચો પડવા માંડ્યો છે. અમેરિકાના નવાસવા પ્રમુખ જો બાઈડને ગાદી સંભાળ્યાના ત્રણ મહિનામાં જ તાલિબાન સાથે સમજૂતી કરીને અફઘાનિસ્તાનમાંથી લશ્કર પાછું ખેંચવાનું એલાન કરી દીધેલું ને એપ્રિલ મહિનાથી અમેરિકાના લશ્કરે બિસ્તરાં-પોટલાં બાંધીને ઉચાળા ભરવાનું શરૂ પણ કરી દીધેલું. ત્રણ મહિનાથી આ કાર્યક્રમ ચાલે છે ને હવે અમેરિકાના લશ્કરની વાપસીનો કાર્યક્રમ અંતિમ તબક્કામાં છે ત્યારે જ તાલિબાને માથું ઉંચક્યું છે. તાલિબાને એક પછી એક વિસ્તારો કબજે કરવા માંડ્યા છે ને રવિવારે સમાચાર આવ્યા કે કંદહાર પાસેનો પંજવાઈ જિલ્લો પણ હવે તાલિબાનોના કબજામાં છે.
અમેરિકાનું લશ્કર હટવા માંડ્યું ત્યારે જ ધીરે ધીરે તાલિબાન આગળ વધવા માંડેલા પણ રાજધાની કાબુલથી દૂર હતા. કાબુલ પાસે આવેલા બગરામ એરબેઝ પર અમેરિકાનાં ફાઈટર જેટ અને એરફોર્સના સૈનિકો હાજર હતા તેથી તેમને સળી કરવાથી તાલિબાન દૂર રહ્યા હતા. બે દિવસ પહેલાં અમેરિકાના એરફોર્સે બગરામ એરબેઝ ખાલી કર્યો એ સાથે જ તાલિબાને રાજધાની કાબુલ તરફ કૂચ શરૂ કરી ને પંજવાઈ પર કબજો કરી લીધો છે. પંજવાઈ અને કાબુલ વચ્ચે ઝાઝું અંતર નથી ને તાલિબાનો આવી રહ્યા છે એ સાંભળીને અફઘાનિસ્તાનનું લશ્કર પોબારા ગણી ગયું છે એ જોતાં કાબુલ પડીને પાધર થાય એ દિવસો દૂર નથી. અફઘાનિસ્તાનના ૪૨૧ જિલ્લા છે ને તેમાંથી ૧૦૦ જિલ્લા પર હવે તાલિબાનનો કબજો છે એ જોતાં અફઘાનિસ્તાન પર ફરી તાલિબાનનું રાજ હશે એ શક્યતા હવે બહુ જલદી વાસ્તવિકતામાં પલટાઈ જશે. ભારત માટે તાલિબાનનો વધતો પ્રભાવ ખતરાની ઘંટડી નહીં પણ ઘંટ છે એ કહેવાની જરૂર નથી. અમેરિકાએ પોતાના સ્વાર્થને માટે અફઘાન પ્રજાને પાછી સાતમી સદીની માનસિકતા ધરાવતા જંગલી તાલિબાનને હવાલે કરી દીધા તેની કિંમત અફઘાન પ્રજા તો સૌથી વધારે ચૂકવવાની જ છે.
તાલિબાન પાછા એ જ જૂના કાયદા લાવીને મહિલાઓને દબાવવા ને તેમના પર અત્યાચાર કરવાના ખેલ શરૂ થઈ કરી દેશે તેના કારણે અફઘાન પ્રજાનું તો આવી જ બનશે. અફઘાન પ્રજાએ છેલ્લાં કેટલાંક વરસોમાં ભોગવેલી આઝાદી છિનવાઈ જશે ને ફરી ગુલામીના દિવસો શરૂ થશે. એ રીતે અફઘાન પ્રજા તો બહુ આકરી કિંમત ચૂકવશે પણ દુનિયાના બીજા દેશો પણ વત્તેઓછે અંશે કિંમત ચૂકવશે જ ને તેમાં આપણે પણ આવી ગયા. બલ્કે આપણી હાલત વધારે બગડશે કેમ કે અત્યારે અફઘાનિસ્તાન સાથે ભારતનાં વ્યાપક હિતો સંકળાયેલાં છે. તાલિબાન મજબૂત થતાં જ ભારતમાં આર્થિક હિતો સામે જોખમ ઉભું થઈ જ જવાનું છે.
ભારત અફઘાનિસ્તાનમાં સંખ્યાબંધ પ્રોજેક્ટમાં સામેલ છે અને જંગી રોકાણ કરીને બેસી ગયું છે. અફઘાનિસ્તાનની સંસદને પણ ભારતના સહયોગથી બનાવાઈ છે ને બીજા ઘણા પ્રોજેક્ટ ભારતે હાથ ધર્યા છે. તાલિબાન ફરી સત્તામાં આવે તો એ બધું ખોરવાઈ જશે તેમાં શંકા નથી. તાલિબાનનો ઝુકાવ પાકિસ્તાન તરફ વધારે છે તેથી પાકિસ્તાનના ઈશારે ભારત-અફઘાનિસ્તાનના વ્યાપારને રોકી દે એવું બને. ભારતનાં આર્થિક હિતોને એ રીતે મોટો ફટકો પડે. તાલિબાન અત્યારે ડાહી ડાહી વાતો કરીને બધાં સાથે સારા સંબધોની રેકર્ડ વગાડે છે પણ માંહ્યલા ગુણ એમ થોડા જાય? તાલિબાનની માનસિકતા ભારત વિરોધી છે એ જોતાં ભારત તરફી બની જ ના શકે. તાલિબાન પહેલેથી ભારત વિરોધી છે ને તેના કારણે તેમની દુકાન ચાલે છે તેથી ભારત વિરોધી જ રહેવાના છે.
ભારત માટે બીજો મોટો ખતરો અલ કાયદા અને કાશ્મીરી આતંકવાદી સંગઠનોનો છે. તાલિબાન પાછા સત્તામાં આવે ને તાકતવર બને તેના કારણે અલ કાયદા પણ મજબૂત બનશે કેમ કે અલ કાયદા અને તાલિબાન એક સિક્કાની બે બાજુ છે. આપણે ત્યાં બહુ ઓછા લોકોને યાદ છે પણ હજુ ગયા વરસે વૈશ્ર્વિક આતંકવાદી સંગઠન અલ કાયદા ઈન આરબ પેનિન્સુલા (એક્યુએપી)એ ભારતના મુસ્લિમોને ભારત સામે જિહાદ છેડવા હાકલ કરી હતી. અલ કાયદાનો દાવો હતો કે, ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ થાય છે અને મુસ્લિમોની હત્યાઓ થાય છે એ જોતાં મુસ્લિમોએ હથિયાર ઉઠાવીને ભારત સામે જિહાદ છેડવાની જરૂર છે જ. અલ કાયદાએ તેના નિવેદનમાં સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નો ઉલ્લેખ પણ કર્યો હતો. અલ કાયદાએ ભારતના મુસ્લિમ વિદ્વાનોને પણ આ જિહાદમાં જોડાવા હાકલ કરી હતી.
જો કે એ વખતે અલ કાયદાની હાકલને કોઈએ ગંભીરતાથી નહોતી લીધી કેમ કે અલ કાયદાનો ત્યારે એવો પ્રભાવ નહોતો. અલ કાયદા એક સમયે વિશ્ર્વમાં સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન ગણાતું હતું. ઓસામા બિન લાદેન તેનો કર્તાહર્તા હતો ત્યારે અલ કાયદાના નામથી આખી દુનિયા થરથરતી હતી. અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરાવીને લાદેને આખી દુનિયામાં જે ખૌફ ઊભો કર્યો એવો ખૌફ બીજા કોઈ આતંકવાદીએ કર્યો નથી. લાદેન જેવો આતંકવાદી ભવિષ્યમાં કોઈ આવશે કે નહીં એ ખબર નથી પણ અત્યાર લગી તો આવ્યો નથી. જો કે લાદેને અમેરિકાને છંછેડવાની ભૂલ કરીને પોતાની કબર ખોદી નાંખી. ઓસામા બિન લાદેને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરાવીને કાળો કેર વર્તાવ્યો પછી અમેરિકાએ તેનો બદલો લેવા અફઘાનિસ્તાન પર હુમલો કરીને કાળો કેર વર્તાવેલો. ઓસામા માટે અફઘાનિસ્તાનના તાલિબાન સૌથી મોટા આશ્રયદાતા હતા પણ અમેરિકાએ તેમની એવી બજાવી કે, મુલ્લા ઉમરની આગેવાની હેઠળના તાલિબાને ભાગવું પડ્યું. લાદેન પણ સંતાતો ફરતો થઈ ગયેલો પણ અમેરિકાએ તેને પાકિસ્તાનના અબોટાબાદમાંથી શોધી કાઢીને પતાવી દીધો.
લાદેન પત્યો પછી તેનાં વાઉચરોએ અમેરિકા સામે લડવાનું ચાલુ રાખ્યું પણ અમેરિકાએ એક પછી એક ફટકા મારી મારીને તેને એવું અધમૂઉં કરી નાંખ્યું કે, અલ કાયદા સાવ પતી ગયું. લાદેનના વખતમાં અલ કાયદા એક જ હતું પણ લાદેન ગયો પછી તેનાં કેટલાંય ફાડિયાં થઈ ગયાં. એક્યુએપી તેમાંથી એક છે ને અલ કાયદામાંથી અલગ અલગ થયેલા સંગઠનોમાં સૌથી મોટું ગણાય છે પણ તેનો કોઈ પ્રભાવ કે ડર એ વખતે નહોતો. યમન અને સાઉદી અરેબિયામાં આ સંગઠન સક્રિય છે પણ તેના નામે એવું કશું બોલતું નથી કે જેના કારણે લોકોમાં ખૌફ પેદા થાય.
હવે તાલિબાન પાછા મજબૂત થશે તેથી અલ કાયદા પણ મજબૂત થશે. અમેરિકા અને પશ્ર્ચિમના દેશોએ તાલિબાનની બે દાયકા લગી બરાબર બજાવી છે તેથી હમણાં એ અમેરિકા સામે બાખડી ના બાંધે તેથી પોતાનો ડર પેદા કરવા ભારતમાં હુમલા કરાવે એ ખતરો છે. પાકિસ્તાન અને તાલિબાન પણ એક જ છે તેથી તાલિબાન મજબૂત થાય તેના કારણે કાશ્મીરમાં પણ તકલીફ વધશે.
પાકિસ્તાન અફઘાન આતંકીઓનો ઉપયોગ કાશ્મીરમાં કરી શકે છે. તાલિબન અંતે તો પાકિસ્તાને પોષેલું જ પાપ છે તેથી એ પાકિસ્તાનના ઈશારે જ નાચશે. અમેરિકા સામે લડવાનું રહ્યું નહીં એટલે તાલિબાનને પાકિસ્તાન કાશ્મીરમાં આપણી મેથી મારવા માંડે એ ખતરો છે. અલ કાયદાનો અત્યાર લગી ભારતમાં પ્રભાવ નથી થયો પણ તાલિબાન મજબૂત થાય તો એ પણ થાય. અલ કાયદાનો કટ્ટરવાદી મુસ્લિમો પર ભારે પ્રભાવ છે. આ વાતને પણ નજરઅંદાજ ના કરી શકાય. એક અહેવાલ પ્રમાણે ભારત સરકારની એજન્સીઓએ ગયા વરસે લગભગ ૨૮૦૦ જેટલાં એવાં ટ્વિટર એકાઉન્ટ શોધી કાઢ્યાં હતાં કે જે ભારતના મુસ્લિમોને ભડકાવીને જિહાદ માટે ઉશ્કેરવા માટે પૂરી તાકાત લગાવી રહ્યાં છે. આ બધાં એકાઉન્ટ અત્યારે પાકિસ્તાનથી ઓપરેટ થાય છે તેથી આપણી એજન્સીઓની નજરે ચડી ગયાં પણ અલ કાયદાનો પ્રભાવ વિશ્ર્વના ઘણા દેશોમાં છે. તેના કારણે આપણી સામે બીજાં દેશોમાંથી ઝેરીલો પ્રચાર શરૂ થાય એ પણ ખતરો છે. તેને રોકવા આપણે તાકાત તો લગાવવી જ પડે. અલ કાયદા પાસે તાલીમબદ્ધ આતંકવાદીઓ છે ને તેમને ભારતમાં ઘૂસાડીને પણ પાકિસ્તાન આપણને નુકસાન તો કરી જ શકે. આતંકવાદનો એ સીધો ખતરો પણ તાલિબાન મજબૂત થતાં વધી જશે. ભારત આતંકવાદના ખતરાને પહોંચી વળવા સક્ષમ છે તેમાં શંકા નથી પણ આપણે આપણી તાકાત વિકાસ કરવામાં લગાવવાના બદલે આતંકવાદ સામે લડવામાં લગાવવી પડે એ નુકસાન તો છે જ
વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ ૨૨મી જૂને બહાર પાડેલા આંકડા મુજબ ડેલ્ટા પ્રકારના કોરોનાવાઇરસ દુનિયાના ૮૫ દેશમાં ફેલાઇ ગયા છે.
તેણે જણાવ્યું હતું કે કોવિડ-૧૯નો આલ્ફા પ્રકાર ૧૭૦ દેશમાં, બીટા પ્રકાર ૧૧૯ દેશમાં, ગામા ૭૧ દેશમાં અને ડેલ્ટા ૮૫ દેશમાં ફેલાઇ ગયો છે.
વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે દુનિયાના વધુ ૧૧ દેશમાં ડેલ્ટા પ્રકારનો કોવિડ-૧૯ જોવા મળતા આવા દેશોની સંખ્યા વધીને ૮૫ થઇ છે.
તેણે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના સૌથી વધુ નવા દરદીઓ ભારતમાં નોંધાયા હતા. આમ છતાં, ભારતમાં આવા દરદીઓની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી હોવાનો દાવો કરાય છે.
અગ્નિ એશિયામાં તાજેતરમાં કોરોનાવાઇરસના નવા છ લાખ દરદી નોંધાયા હતા, જ્યારે વધુ અંદાજે ૧૯,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. આ વિસ્તારમાં નવા દરદીઓની સંખ્યામાં ૨૧ ટકા અને મરણાંકમાં ૨૬ ટકાનો ઘટાડો થયો હતો.
સિંગાપોરે કોરોના પ્રેરિત નિયંત્રણો હળવાં કરવાની શુક્રવારે જાહેરાત કરી હતી.
આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે બે વ્યક્તિ હવે સાથે ભોજન લઇ શકશે. જોકે, એક જ ઘરની બેથી વધુ વ્યક્તિને પણ ઘર બહાર સાથે ભોજન લેવાની મંજૂરી નથી. તે ઉપરાંત ફિટનેસની ઇનડોર પ્રવૃત્તિમાં પણ માસ્ક વિના બે વ્યક્તિનું જૂથ ભાગ લઇ શકશે.
ભીડ ટાળવા કામધંધે જનારા લોકોના કામકાજના કલાકોમાં ફેરફાર કરવામાં આવશે. ઑફિસોમાં કામ સંબંધી કાર્યક્રમોમાં ખાણીપીણીને મંજૂરી આપવામાં આવી નથી. ૧૪ જૂનના સિંગાપોર ફેઝ-૩ના પ્રથમ તબક્કામાં ગયું છે, પરંતુ કોરોના સંક્રમણ ફેલાવાને કારણે હાલમાં બધી પ્રવૃત્તિઓને ચાલુ કરવાની મંજૂરી આપવામાં નથી આવી.
Leader of the Israeli Yemina party, Naftali Bennett, delivers a political statement at the Knesset, the Israeli Parliament, in Jerusalem, on May 30, 2021. – Nationalist hardliner Naftali Bennett said today he would join a governing coalition that could end the rule of the country’s longest-serving leader, Prime Minister Benjamin Netanyahu. (Photo by YONATAN SINDEL / POOL / AFP)
દક્ષિણપંથી યામિના ( યુનાઈટેડ રાઈટ) પાર્ટીના નેતા નફ્તાલી બેનેટે રવિવારે ઈઝરાયલના નવા વડાપ્રધાન તરીકે શપશ લીધી છે. આ સાથે જ બેંઝામિન નેતન્યાહુના 12 વર્ષથી ચાલી રહેલા શાસન સમાપ્ત થયું છે. મળતી માહિતી અનુસાર બેનેટ અને સેન્ટ્રિસ્ટ યેશ એટિડ (ફ્યુચર) પાર્ટીના નેતા યાયર લૈપિડની આગેવાની હેઠળની નવી ગઠબંધનની સરકારને સંસદ દ્વારા વિશ્વાસના મતથી મંજૂરી આપવામાં આવી હતી.
આ અગાઉ સંસદમાં યોજાયેલા વિશ્વાસ મતમાં 120 સદસ્યોના ગૃહના 60 સાંસદોએ નવી સરકારની તરફેણમાં મત આપ્યા હતા જ્યારે 59 એ અન્ય પાર્ટીમાં મતદાન કર્યુ હતું. બેનેટ અને લૈપિડે સંસદમાં ગઠબંધનની બેઠકો પર તેમની નવી બેઠકો પર જીત મેળવી છે જ્યારે ઇઝરાઇલના લાંબા સમય સુધી કાર્યરત વડા પ્રધાન નેતન્યાહુએ હારનો સામનો કરવો પડ્યો હતો.
નવી સરકાર હેઠળ 27 નવા મંત્રીઓએ પણ શપથ લીધા હતા. બેનેટ અને લૈપિડ દર બે વર્ષે વડા પ્રધાન બનશે. બેનેટ પ્રથમ વડા પ્રધાન બન્યા છે અને આ આધારે 2023 માં લેપિડ વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે. હાલ લૈપિડ ઇઝરાઇલના વૈકલ્પિક વડા પ્રધાન અને વિદેશ પ્રધાન તરીકે સેવા આપશે.
બ્રિટનમાં યોજાયેલા જી7 શિખર સંમેલનથી ચીનના ભવાં ચઢી ગયા છે. પેટમાં ચૂક ઉપડી હોય તેમ મહાસત્તાઓને ધમકી આપી છે કે આવા નાના સમૂહો દુનિયા પર રાજ કરે એ દિવસો ગયા. ઈંગ્લેન્ડના કાર્બિસ બેમાં વિશ્વની 7 આર્થિક મહાસત્તાઓ (અમેરિકા, બ્રિટન, કેનેડા, જર્મની, ફ્રાંસ, ઈટાલી, જાપાન)ના વડા એકઠા થયા છે. આ દેશોની બેઠકને પોતાના વિરૂદ્ધ જૂથબંધી ગણાવતાં ચીને ખુલ્લેઆમ ધમકી ઉચ્ચારી કે એ દિવસો હવે ખત્મ થયા છે જ્યારે દેશોના નાના જૂથ દુનિયાના ભાગ્યનો ફેંસલો કરતા હતા. લંડનમાં ચીની દૂતાવાસના પ્રવકતાએ કહ્યુ કે અમે હંમેશા માનીએ છીએ કે નાના કે મોટા, નબળા કે મજબૂત, ગરીબ કે ધનિક દરેક દેશ બરાબર છે. વૈશ્વિક મુદ્દે દરેક દેશો સાથે પરામર્શ કર્યા બાદ નિર્ણયો લેવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે ગ્રુપ ઓફ સેવન તરીકે જાણીતા નેતાઓ આ સંમેલનમાં ચીનને દાબમાં રાખવાની રણનીતિ ઘડી રહ્યા છે. આ ધનિક દેશોનું માનવુ છે કે છેલ્લા 40 વર્ષમાં ચીનની આર્થિક અને સૈન્ય વૃદ્ધિ શાનદાર રહ્યા બાદ રાષ્ટ્રપતિ શી જિનપિંગની દ્રઢતા વધી રહી છે. જેના પર રોક લગાવવા આ 7 દેશો સંયુક્ત રણનીતિ બનાવી રહ્યા છે. જેના ભાગ રૂપે જિનપિંગના ડ્રીમ પ્રોજેકટ વન બેલ્ટ વન રોડ વિરૂદ્ધ યોજના શરૂ કરવા નિર્ણય લેવાયો છે. જી7 દેશોના આ પગલાંથી ચીનને હજારો કરોડ ડોલરનો આર્થિક ફટકો પડશે. ચીન લોનના બહાને નાના દેશોને આર્થિક ગુલામ બનાવી રહ્યુ છે જેને જી7 દેશો રોકશે.’
ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનને ઝટકો લાગ્યો છે. અમેરિકાએ આ વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવા ઇનકાર કર્યો છે. કહેવાઇ રહ્યું છે કે, સંપૂર્ણ ડેટા ન હોવાને લીધે આ નિર્ણય લેવાયો છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ તેના અમેરિકી પાર્ટનર ઓક્યૂઝેન ઇંકને સલાહ આપી છે કે, તે ભારતીય વેક્સિનના ઉપયોગની મંજૂરી મેળવવા માટે વધુ ડેટા સાથે બાયોલોજિક્સ લાયસન્સ એપ્લીકેશન્સ (BLA) હેઠળ ફરી અરજી કરે.
ઓક્યૂઝેનને કહ્યું કે, એફડીએની સલાહ અનુસાર કોવેક્સિન માટે બીએલએ દાખલ કરશે. બીએલએ, એફડીએની વ્યવસ્થા છે, જે હેઠળ દવાઓ અને રસીની મંજૂરી અપાય છે. આવામાં કોવેક્સિનને અમેરિકમાં મંજૂરી મળવામાં થોડો સમય લાગી શકે છે.
અમેરિકામાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી ન મળવાનો અર્થ એ નથી કે વેક્સિનમાં કોઇ ખામી છે. પરંતુ અમેરિકાની એફડીએ વેક્સિન ટ્રાયલના કેટલાક વધુ પરિણામો જોવા માગે છે. એફડીએ તે જાણવા માગે છે કે, આ વેક્સિન કેટલી સુરક્ષિત અને કારગર છે. ઉલ્લેખનીય છે કે, કોવેક્સિનને WHO દ્વારા પણ હાલ મંજૂરી મળી નથી.
ઓક્યૂઝેનના મુખ્ય કાર્યકારી અધિકારી અને સહ-સંસ્થાપક શંકર મુસુનુરીએ કહ્યું કે, અમે ઇયુએ અરજીને અંતિમ રૂપ આપવાની ખૂબ જ નજીક હતાં, પરંતુ FDAએ અમને બીએલએ દ્વારા અનુરોધ કરવાની સલાહ આપી છે. આનાથી વધુ સમય લાગશે, પરંતુ અમે કોવેક્સિનને અમેરિકામાં લાવવા માટે પ્રતિબદ્ધ છે.
ફિફા વર્લ્ડ કપ પછીની ફૂટબોલ જગતની સૌથી વધુ લોકપ્રિય ટૂર્નામેન્ટ યૂએફા (યૂરોપીયન ફૂટબોલ ચેમ્પિયનશિપ) યૂરો કપ ટૂર્નામેન્ટનો પ્રારંભ આવતીકાલ તા. 11 જૂનથી થશે. પહેલા મેચમાં તૂર્કિની ટક્કર ઇટાલી સામે થશે. જે ભારતીય સમય અનુસાર તા.12મીએ રાત્રે 12-30 વાગ્યાથી શરૂ થશે. આ વખતે યૂરો કપમાં 24 ટીમ આમને-સામને હશે. જેમાં ચાર-ચારના છ ગ્રુપમાં રાખવામાં આવી છે. ફાઇનલ મુકાબલો 11 જુલાઇએ થશે. કોરોના મહામારીને લીધે યૂરો કપ એક વર્ષ સ્થગિત થયા બાદ હવે આ વર્ષે રમાઇ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ વખતે યૂરો કપના મેચ 11 દેશના 11 શહેરમાં રમાશે.
જેમાં અઝરબેજાનનું શહેર બાકૂ, ડેનમાર્કનું કેપનહોગન, ઇંગ્લેન્ડનું લંડન, જર્મીનનું મ્યુનિચ, હંગેરીનું બુડાપોસ્ટ, ઇટાલીનું રોમ, નેધરલેન્ડસનું એમ્સટરડેમ, રોમાનિયાનું બુખારેસ્ટ, રશિયાનું સેંટ પીટર્સબર્ગ, સ્કોટલેન્ડનું ગ્લાસ્ગો અને સ્પેનનું શહેર સેવિલ સામેલ છે.
અત્યાર સુધીમાં 1પ યૂરો કપમાં 10 દેશ ચેમ્પિયન બન્યા છે. જર્મની અને સ્પેન સૌથી વધુ ત્રણ-ત્રણ વખત વિજેતા બન્યા છે. ફ્રાંસના નામે બે યૂરો કપ ટાઇટલ છે. જ્યારે સોવિયત યૂનિયન, ઇટાલી ચેકોસ્લોવેકિયા, નેધરલેન્ડસ, ડેનમાર્ક, ગ્રીસ અને પોર્ટૂગલ એક-એક વખત ચેમ્પિયન બન્યા છે. 24 ટીમ 6 ગ્રુપમાં છે. દરેક ગ્રુપની ટોચની બે ટીમ પ્રી કવાર્ટર ફાઇનલ રાઉન્ડમાં પહોંચશે.
જ્યારે દરેક ગ્રુપની ત્રીજા નંબરની ટીમોમાંથી ટોચની ચાર ટીમને રાઉન્ડ-16માં એન્ટ્રી મળશે. પ્રી કવાર્ટર બાદ કવાર્ટર, સેમિ અને પછી ફાઇનલ જંગ ખેલાશે. આખરી ત્રણ મેચ લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે આવતીકાલે પહેલો મેચ રોમ ખાતે રમાશે.
મધ્ય અમેરિકી ક્ષેત્રના દેશ અલ સાલ્વાડોરના પ્રેસિડેન્ટ નયી બુકેલેએ આજરોજ તા.9મી જૂન 2021ના રોજ એવી ઘોષણા કરીને સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધા હતા કે વિશ્વમાં ક્રિપ્ટોકરન્સી બીટકોઇનને સત્તાવાર ચલણ તરીકે માન્યતા આપનાર સૌપ્રથમ દેશ બન્યો છે અલસાલ્વાડોર. અલસાલ્વાડોરની સંસદમાં બીટ કોઇનને સત્તાવાર માન્યતા આપવાની દરખાસ્ત પર આજરોજ તા.9મી જૂન 2021ના રોજ વોટિંગ થયું હતું અને તેમાં દરખાસ્તને 84માંથી 62 વોટ તરફેણમાં મળ્યા હતા. પરીણામે હવે અલ સાલ્વાડોરમાં બીટકોઇન સત્તાવાર ચલણ તરીકે કામ કરતું થઇ જશે.
1 Bitcoin = 25,11,049.44 Indian Rupee
Lawmakers in the Central American country’s Congress voted by a “supermajority” in favor of the Bitcoin Law, receiving 62 out of 84 of the legislature’s vote. CiA Live news web
અલ સાલ્વાડોરના પ્રેસિડેન્ટએ આ ટ્વીટ કરીને માહિતી આપી
The #BitcoinLaw has been approved by a supermajority in the Salvadoran Congress.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.