ઇન્ટરનેશનલ Archives - Page 17 of 51 - CIA Live

December 8, 2021
uae.jpg
1min485

યુએઇએ અત્યારના પાંચ દિવસ કામનાં સપ્તાહને ઘટાડીને ૧લી જાન્યુઆરીથી ફકત સાડા ચાર દિવસ કરવાનો નિર્ણય લીધો છે.  આ સાથે આટલા ટૂંકા સપ્તાહ માટે કામ કરાવતો એ પહેલો દેશ બન્યો છે.  કર્મચારીઓને સુગમતા રહે, ઉત્પાદનમાં વધારો થાય અને કામ તથા ખાનગી જીવન વચ્ચે સમતોલ જળવાઇ રહે એ માટે આવો નિર્ણય લેવામાં આવ્યો છે.  

યુએઇના સરકારી મીડિયાએ જણાવ્યા અનુસાર ૧લી જાન્યુઆરીથી કામનો સમય સોમવારથી ગુરુવાર સુધી સવારે ૭.૩૦ વાગ્યાથી બપોરે ૩.૩૦ વાગ્યા સુધી અને શુક્રવારે સવારે ૦૭.૩૦ વાગ્યાથી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધીનો રહેશે.  શનિવાર અને રવિવારના દિવસે આખો દિવસ માટે રજા રહેશે. કર્મચારીઓને શુક્રવારે ફ્લેક્સિબલ સમય અનુસાર અથવા ઘરેથી કામ કરવાનો પર્યાય પણ આપવામાં આવશે.  સરકારનાં આ પગલાથી અમેરિકા, યુકે અને યુરોપના કામ કરવાના સમયને અનુસરવાનું અને એ કારણે વેપારમાં વધારો થવાની આશા સેવાઇ રહી છે.

November 29, 2021
tajmahal.jpg
1min457

 કોવિડ-૧૯ના નવા પ્રકાર ઓમીક્રોનના જોખમને ધ્યાનમાં લઈ કેટલાક દેશોમાંથી ભારત આવનારા પ્રવાસીઓના ટેસ્ટિંગ માટે ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર’ (એસઓપી) રવિવારે જાહેર કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો ફરી શરૂ કરવા નિર્ણાયોની પણ સમીક્ષા કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયનાં સચિવ અજય ભલ્લાના વડપણમાં યોજાયેલી બેઠકમાં ઉપરોકત બે નિર્ણય લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં વી.કે. પોલ, સભ્ય (આરોગ્ય) નીતિ આયોગ, વડા પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવન, આરોગ્ય મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.

શુક્રવારે વડા પ્રધાન મોદીની આગેવાનીમાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો શરૂ કરવા અંગે ફેરવિચારણા કરવા મોદીએ સલાહ આપી હતી.
ઓમીક્રોન વાઈરસ અંગેની માહિતી મળ્યા પછી ઊભી થયેલી વૈશ્ર્વિક પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી અને વિવિધ ‘સાવચેતિના પગલાં’  ભરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો ફરી શરૂ કરવા અગાઉ વૈશ્ર્વિક પરિસ્થિતિ પર ધ્યાન આપવામાં આવશે તેવું ગૃહમંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું. પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના ટેસ્ટિંગ અને સર્વીલેન્સ અંગેની એસઓપીની સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવશે.

November 23, 2021
aus.jpg
1min426

ઓસ્ટ્રેલિયાએ કોરોનાને કારણે લાદેલા  પ્રવાસ પ્રતિબંધો ૧લી ડિસેમ્બરથી હળવા કરવાની જાહેરાત કરી છે. 

હવે કોવિડ-૧૯થી બચવા માટેની રસીના બંને ડોઝ લેનાર અને અધિકૃત વીઝા ધરાવતી વ્યક્તિઓ ૧લી ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કરી શકશે. આ નિર્ણયથી ભારતનાં હજારો વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે પાછા જઇ શકશે. 

ઓસ્ટ્રેલિયાએ કરેલી જાહેરાત પ્રમાણે ફૂલ્લી વૅક્સિનેટેડ (રસીનાં બંને ડોઝ લીધેલી) વ્યક્તિએ પ્રવેશ વખતે રસીકરણનો પુરાવો અને ત્યાં જવા નીકળવાનાં ત્રણ દિવસની અંદર પીસીઆર નેગેટિવ ટૅસ્ટ રિપોર્ટ દેખાડવા પડશે. 

આ સિવાય, ત્યાં પહોંચ્યા બાદ ત્યાંના ક્વોરન્ટાઇનનાં નિયમોનું પાલન કરવાનું 
રહેશે.    

November 7, 2021
iraqi-pm.jpg
1min456

વિસ્ફોટકથી ભરેલા ડ્રોને ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કાદિમીના નિવાસસ્થાન પર હુમલો કર્યો છે. આ હુમલો Dt.7/11/21 રવિવારે સવારે થયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ઈરાકી પીએમ આ હુમલામાંથી બચી ગયા હતા. ઈરાકી સેનાએ તેને પીએમની હત્યાનો પ્રયાસ ગણાવ્યો છે. અલ અરેબિયાના સમાચાર મુજબ આ હુમલામાં કેટલાક લોકો ઘાયલ થયા છે.

ઈરાકી સૈન્ય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલો કરનારે કાદિમીના બગદાદ સ્થિત નિવાસસ્થાનના ગ્રીન ઝોનને નિશાન બનાવ્યો હતો. જોકે, હાલમાં સેના દ્વારા કોઈ વધારાની માહિતી આપવામાં આવી નથી.

અન્ય બે સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે “કાદિમીના નિવાસસ્થાન પર વિસ્ફોટક ભરેલા ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો.” બંનેએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને પણ માહિતી આપી હતી કે “વડાપ્રધાન કાદિમી આ હુમલામાંથી બચી ગયા હતા.” તે જ સમયે, કાદિમીએ હુમલા પછી ટ્વીટ કર્યું છે કે તે સુરક્ષિત છે. તેમણે લોકોને શાંતિ જાળવવાની અપીલ પણ કરી છે.

અત્યાર સુધી કોઈ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી. વડાપ્રધાનના આવાસના ગ્રીન ઝોન વિસ્તારમાં સરકારી ઈમારતો અને વિદેશી દૂતાવાસો આવેલા છે. અહીં રહેતા પશ્ચિમી રાજદૂતોએ કહ્યું કે તેમણે વિસ્ફોટ અને ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો.

તમને જણાવી દઈએ કે ઈરાન સાથે મળીને સશસ્ત્ર જૂથોએ ગયા મહિને ગ્રીન ઝોનની નજીક યોજાયેલી સંસદીય ચૂંટણીના વિરોધમાં તાજેતરના અઠવાડિયામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

November 7, 2021
sierra.jpg
1min469

સિયેરા લિયોનની રાજધાનીમાં શનિવારે ઑઇલ ટૅન્કરમાં વિસ્ફોટ થયા બાદ તેલ એકઠું કરવા ભેગા થયેલા ૯૮ લોકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયાં હતાં. 
સૂત્રોના જણાવ્યા અનુસાર વેલિંગ્ટનમાં શુક્રવારે Dated 5/11/21 સાંજે બસ સાથે ટૅન્કર અથડાયા બાદ વિસ્ફોટ થયો હતો. ઢોળાયેલા ઈંધણમાં આગ કેવી રીતે લાગી હતી તે સ્પષ્ટ થયું ન હતું, પણ પ્રચંડ વિસ્ફોટ થયો હતો, તેવું સત્તાવાળાઓએ કહ્યું હતું


હૉસ્પિટલના કર્મચારી ફોદાય મુસાએ જણાવ્યું હતું કે કનાટ હૉસ્પિટલના શબઘરમાં Dt.6/11/21 શનિવારે સવારે ૯૨ મૃતદેહ લવાયા હતા. અત્યંત દાઝી ગયેલા અન્ય ૩૦ જણના બચવાની શક્યતા ઓછી છે. 

સંયુક્ત રાષ્ટ્રસંઘની પર્યાવરણ સમિટમાં ભાગ લઇ રહેલા રાષ્ટ્રપતિ જુલિયસ માદા બીઓએ આ ગોઝારી ઘટના બદલ અફસોસ વ્યક્ત કરતા ટ્વિટર પર જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં પોતાના સ્વજન ગુમાવનાર અને દાઝી જનારા પ્રત્યે હું સહાનુભૂતિ દર્શાવું છું.  

November 3, 2021
modi_gates.jpg
1min357

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તા.2 નવેમ્બર 2021 જલવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક અને પરમાર્થ કાર્યો માટે જાણીતા બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી હતી. 

PM Narendra Modi Meets Bill Gates On Sidelines Of COP26 Climate Summit In  Glasgow

મોદી અને અમેરિકાના અરબપતિ ઉદ્યોગપતિની બેઠક ગેટ્સ દ્વારા નાના દ્વીપીય દેશોના ઢાંસાના વિકાસની પહેલ રેજિલિએન્ટ આઈલેન્ડ્સ સ્ટેટ્સ (આઈઆરઆઈએસ) શરૂ થયા બાદ થઈ છે. બિલ ગેટ્સનું ફાઉન્ડેશન મહામારી સામે લડવા માટે ઘણું લાભદાયક રહ્યું છે. 

1-11-21 સોમવારે બિલ ગેટ્સે કહ્યું હતું કે આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર જલવાયુ સંમેલનમાં મુખ્યરુપે નવીનતા પર ધ્યાન કેન્દ્ર કરવામાં આવશે. આ સાથે જ તેમણે આગળની રાહ સારી જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

બિલ ગેટ્સે ટ્વિટ કરી કહ્યું કે ` સીઓપી-26 માં દુનિયાને એક સાથે લાવી વિકાસની ગતિને ઝડપી બનાવી શકાય છે અને સ્વચ્છ ઊર્જાની સ્વીકાર્યતા પર ભાર મુકી શકાય છે.`

નોંધનીય છે કે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગ્લાસગો સમિટમાં નેપાલના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતાની નેપાલી સમકક્ષ શેર બહાદુર દેઉબા સાથે મુલાકાત કરી ઘનિષ્ઠ દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત કરવા, જલવાયુ પરિવર્તન, કોવિડ-19 સામે લડત અને મહામારીથી બચવાના ઉપાયો પર ચર્ચા કરી હતી. જૂલાઈમાં દેઉબાના નેપાલના વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી સાથે આ તેમની પહેલી મુલાકાત છે.  

October 30, 2021
flight-1.jpg
1min408

શિડયુલ્ડ આંતરરાષ્ટ્રીય કમર્શિયલ પેસેન્જર ફલાઈટ્સ પરનો પ્રતિબંધ ૩૦મી નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને શુક્રવારે આ અંગેની જાહેરાત કરી હતી. આંતરરાષ્ટ્રીય ઓલકાર્ગો ઓપરેશન્સ અને ડીજીસીએ દ્વારા મંજૂર કરાયેલી ફલાઈટ્સ પર આ નિયંત્રણો ચાલુ નહીં રહેશે તેવું ડીજીસીએએ જાહેર કરેલી નોટિસમાં જણાવવામાં આવ્યું હતું. ડીજીસીએની નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે, કેટલાક પસંદ કરાયેલા રૂટ પર ઈન્ટરનેશનલ શિડ્યુલ્ડ ફલાઈટસને કેસ-ટૂ-કેસ આધારે સક્ષમ સત્તાવાળા દ્વારા પરવાનગી આપવામાં આવશે. કોરોના વાઈરસ મહામારીના પગલે ૨૩ માર્ચ ૨૦૨૦થી શિડ્યુલ્ડ ઈન્ટરનેશનલ પેસેન્જર ફલાઈટસ બંધ કરવામાં આવી હતી.   

October 29, 2021
modi.jpg
1min414

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 16મી જી-20 સમિટ તથા વર્લ્ડ લીડર્સ સમિટ અૉફ કૉન્ફરન્સ અૉફ પાર્ટીઝ સીઓપી-26માં સહભાગી થવા માટે ઈટાલી અને યુકેની પાંચ દિવસની મુલાકાત માટે આજે રવાના થશે. તેઓ ઈટાલીના વડા પ્રધાન મારિયો ડ્રાઘીના આમંત્રણથી 30 અને 31 અૉક્ટોબરે યોજાનારી જી-20 સમિટમાં ભાગ લેવા રોમ જશે. જી-20ના સભ્ય દેશો, યુરોપિયન યુનિયન, અન્ય આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડા આ સમિટમાં ભાગ લેશે.

વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રીંગલાએ વડા પ્રધાનની વિદેશ મુલાકાત વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે વડા પ્રધાનની આ આઠમી જી-20 સમિટ હશે. આ સમિટ માટે ઈટાલી દ્વારા નક્કી કરવામાં આવેલા મહામારી, વૈશ્વિક સ્વાસ્થ્ય વ્યવસ્થાને મજબૂત કરવી, આર્થિક સુધારા, જળવાયુ પરિવર્તન અને ખાદ્યસુરક્ષા જેવા મુદ્દાને ભારત પૂર્ણપણે ટેકો આપે છે. આ સમિટમાં વડા પ્રધાન અફઘાનિસ્તાનમાં ઉદ્ભવેલી સ્થિતિનો સામનો કરવા સંગઠિત પગલાં વિશે ચર્ચા કરે તેવી શક્યતા છે. જી-20, વિશ્વના 19 દેશો અને યુરોપિયન યુનિયનનું આંતરરાષ્ટ્રીય ફોરમ છે.

વડા પ્રધાન ઈટાલીના વડા પ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. એ પછી તેઓ પહેલી અને બીજી નવેમ્બરે યોજાનારી સીઓપી-26 સમિટમાં સહભાગી થવા ગ્લાસગો જશે. 120થી વધુ દેશોના વડા આ શિખર સંમેલનમાં સહભાગી થશે. આ સમિટ 2020માં યોજાવાની હતી, પરંતુ કોવિડ-19 મહામારીને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. નરેન્દ્ર મોદી યુ.કે.ના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સાથે દ્વિપક્ષીય બેઠકો પણ યોજશે. સીઓપી-26 સમિટમાં પેરિસ સમજૂતી માર્ગદર્શિકાનું કાર્યાન્વયન, જળવાયુ પરિવર્તનના ઉપાયો, ક્લાઈમેટ ફાઈનાન્સ, ટેકનૉલૉજી વિકાસ વગેરે વિશે ચર્ચા કરવામાં આવશે. ભારત પહેલીવાર 2023માં જી-20 સમિટનું યજમાન બનવાનું છે.

October 22, 2021
breaking-1280x1035.jpg
1min931
Bitcoin's 90% flash crash on Binance US, explained
Bitcoin prices plunged nearly 90 percent on the United States trading platform Binance in a flash Thursday morning. Prices dropped to as low as $8,200 from around $65,000. The cryptocurrency exchange attributed the flash price crash to a “bug” in the trading algorithm of an institutional customer.

આજે ન્યુયોર્કના બાઇનાન્સ ક્રિપ્ટો કરન્સી એક્ષચેન્જ ખાતે ઉઘડતા બજારે જ વિશ્વની સૌથી હાઇ પ્રાઇશ ક્રિપ્ટોકરન્સી, બીટકોઇનના દરમાં 90 ટકાનું ગાબડું પડી ગયું હતું. બીટકોઇનનો દર 65,000 ડોલરથી ઘટીને 8,200 ડોલર પર આવી જતા એક તબક્કે આંતર રાષ્ટ્રીય બજારમાં ભારે સનસનાટી મચી ગઇ હતી. આ ખેલ અમૂક મિનિટો સુધી ચાલ્યો ત્યાં સુધી કોઇને સૂઝ પડી ન હતી કે બીટકોઇનના ભાવમાં જંગી કડાકો કેવી રીતે બોલી ગયો.

ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જે બિટકોઈનમાં આવેલા આ મોટા ઘટાડા માટે એક બગને જવાબદાર ઠેરવ્યો છે. આ બગ એક ઈન્સ્ટીટ્યૂશનલ કસ્ટમરના ટ્રેડિંગ અલ્ગોરિધમમાં હતો.

બાઈનાન્સના પ્રવક્તાએ કહ્યું કે, કંપની હજુ પણ આ સમગ્ર મામલાને સમજવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ ટ્રેડરે હવે બગની સમસ્યાને દૂર કરી લીધી છે અને એવું લાગે છે કે, આ મામલો ઉકેલાઈ ગયો છે. આ પહેલા ગુરુવારે બિટકોઈનની કિંમત 67,000 ડોલરના નવા રેકોર્ડ સ્તર પર પહોંચી હતી. તેણે એપ્રિલનો રેકોર્ડ તોડ્યો હતો, તે સમયે તે 65,000 ડોલર પર પહોંચી હતી. અમેરિકામાં સૌ પહેલા બિટકોઈન ઈટીએફએ ટ્રેડિંગ કર્યા બાદ તેની કિંમતમાં ઉછાળો આવ્યો હતો.

October 21, 2021
corona_india.jpg
1min414

ભારતમાં પ્રવેશી રહેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટેની સરકારે બુધવારે જાહેર કરેલી માર્ગદર્શિકા પ્રમાણે ૨૫ ઑક્ટોબરથી, વિશ્ર્વ સ્વાસ્થ્ય સંસ્થા (હુ)એ મંજૂર કરેલી કોવિડ-૧૯ની રસી માટે જે દેશો સાથે સહમતિ સધાઇ છે, તેવા દેશમાંથી આવતા અને રસી લીધેલા પ્રવાસીઓને હવાઇમથક છોડવાની પરવાનગી આપવામાં આવશે અને એમણે હૉમ ક્વોરેન્ટાઇન થવાની કે જરૂર નથી. 

જોકે, એમણે કોવિડ-૧૯ માટેનું આરટી-પીસીઆર નેગેટિવ સર્ટિફિકેટ બતાવવું પડશે. 
જો આંશિક રીતે રસી લીધી હોય અથવા તો રસી લીધી જ ન હોય એવા પ્રવાસીએ આવ્યા બાદ કોવિડ-૧૯ ટેસ્ટ માટેના સેમ્પલ્સ આપવા પડશે અને ત્યાર બાદ જ એમને હવાઇમથક છોડવાની પરવાનગી અપાશે, સાત દિવસ સુધી હૉમ ક્વોરેન્ટાઇન રહેવું પડશે, ભારતમાં આવ્યાના આઠમા દિવસે ફરીથી ટૅસ્ટ કરાવવા પડશે અને જો રિપોર્ટ નેગેટિવ આવે તો ત્યાર બાદના સાત દિવસ સુધી એમણે જાતે પોતાના સ્વાસ્થ્ય પર નજર રાખવાની રહેશે. 

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય આગમન મામલે ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૧ કે ત્યાર બાદ જાહેર કરાયેલી અન્ય કોઇપણ માર્ગદર્શિકામાં આ સુધારો ઉમેરવાનો રહેશે. 
વૈશ્ર્વિકસ્તરે વધેલા રસીકરણના કાર્યક્રમ અને રોગચાળાના બદલાયેલી સ્થિતિને ધ્યાનમાં લઇને ભારતની આંતરરાષ્ટ્રીય આગમન બાબતની માર્ગદર્શિકામાં સુધારો કરાયો હોવાની વાત મંત્રાલયે કહી હતી.