વિદેશથી આવનાર પ્રવાસીઓ માટે 7 દિવસ હોમ ક્વોરન્ટાઇન ફરજિયાત
દેશમાં કોરોનાના કેસોમાં થઇ રહેલા વધારા વચ્ચે સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે દેશમાં આગમન પછી સાત દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇનમાં રહેવું ફરજિયાત બનાવ્યું છે. તે બાદ આઠમા દિવસે તેમનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. આ નવો આદેશ 11 જાન્યુઆરી, 2022થી આગળના આદેશો સુધી માન્ય રહેશે.
બંને શ્રેણીના મુસાફરોએ ‘એર સુવિધા’ પર RT-PCR રિઝલ્ટ અપલોડ કરવાનું રહેશે. તેમણે મુસાફરી શરૂ કરવાના 72 કલાકની અંદર COVID-19 નેગેટિવ RT-PCR રિપોર્ટ પણ અપલોડ કરવાનો રહેશે. જે મુસાફરોને એરાઇવલ પર ટેસ્ટની જરૂર હોય તેમણે એર સુવિધા પોર્ટલ પર ટેસ્ટનું ઓનલાઈન પ્રી-બુકિંગ કરવું જોઈએ.
આ સિવાય એટ રિસ્કની કેટેગરીમાં આવતાં દેશોની સંખ્યા વધીને 19 થઈ ગઈ છે. આ શ્રેણીમાં 9 વધુ નવા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 1 ડિસેમ્બરથી વિદેશથી ભારત આવવા અંગેની માર્ગદર્શિકામાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવી માર્ગદર્શિકા 11 જાન્યુઆરીથી લાગુ થશે. અગાઉના યુરોપિયન દેશો મળી 11 સાથે હવે નવ દેશમાં આફ્રિકાના તાન્ઝાનિયા, ગાના, ઈથિયોપીયા, કેન્યા, નાઇજીરીયા, તુનેશિયા, ઝામ્બિયાથી આવનાર તમામ મુસાફરોનો ભારતના એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ અને ક્વોરન્ટાઈન થવું ફરજિયાત બનશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now