ઇન્ટરનેશનલ Archives - Page 16 of 51 - CIA Live

April 4, 2022
srilanka.jpg
1min514

શ્રીલંકામાં આર્થિક સંકટની(Srilanka crisis) વચ્ચે હવે રાજકારણ પણ ગરમાયું છે. શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષે સિવાય સરકારના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. તેમાં પીએમ મહિંદા રાજપક્ષેના દીકરા અને રમત ગમત મંત્રી નમલ રાજપક્ષે પણ સામેલ છે. પીએમ ઓફિસ તરફથી આ સમાચારની પૃષ્ટિ કરવામાં આવી છે. પરંતુ અત્યારે મહિંદા રાજપક્ષેએ રાજીનામું નથી આપ્યું.

મોડી રાત્રે થયેલી મીટિંગ પછી શ્રીલંકાના શિક્ષણ મંત્રી દિનેશ ગુણવર્ધને આ વાતની પૃષ્ટિ કરતાં જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ગોટબાયા રાજપક્ષે તેમજ વડાપ્રધાન મહિંદા રાજપક્ષે સિવાય તમામ 26 મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે. નમલ રાજપક્ષેએ રાજીનામાની જાહેરાત કરતાં જણાવ્યું કે, મેં પોતાના તમામ પોર્ટફોલિયો માટે તાત્કાલિક ધોરણે રાજીનામું સોંપી દીધું છે. મેં આ વાતની જાણકારી પણ આપી છે. હું દેશની જનતા, મતદારો અને પાર્ટી પ્રત્યે પ્રતિબદ્ધ રહીશ.

શ્રીલંકાની પીએમ ઓફિસ તરફથી રવિવારે સાંજે ચોખવટ કરવામાં આવી હતી કે મહિંદા રાજપક્ષેએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું નથી આપ્યું. ડેલી મિરરના રિપોર્ટ અનુસાર, સૂત્રોએ કહ્યું છે કે, એક નવા મંત્રીમંડળ દ્વારા શપથ લેવામાં આવશે, જેમાં વિપક્ષના સભ્યો હશે. રાજકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે એક નવી વચગાળાની સરકારની પસંદગી કરવામાં આવી શકે છે.

11 પાર્ટી ગઠબંધનના સભ્યો સાથેની બેઠક પછી સભ્યો દ્વારા એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો કે દેશમાં રાજકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે એક નવા વડાપ્રધાન સાથે તાત્કાલિક એક સર્વદળીય વચગાળાની સરકાર બનાવવી જોઈએ. નોંધનીય છે કે આર્થિક સંકટ અને ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે રાષ્ટ્રપ્રમુભ ગોટબાયા રાજપક્ષેના ઘરની બહાર હિંસક પ્રદર્શન થાય હતા જેના કારણે સોમવાર સુધી શ્રીલંકામાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, યૂટ્યુબ, સ્નેપચેટ, ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ સહિત લગભગ બે ડઝન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પ્રભાવિત થયા છે. ડીઝલ-પેટ્રોલથી લઈને ખાણી-પીમીની વસ્તુઓનો અભાવ છે, જેના કારણે અરાજકતાની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે.

2.2 કરોડની વસ્તી ધરાવતા શ્રીલંકામાં હાલ આર્થિક સ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે દેશના અનેક ભાગોમાં રોજ 13 કલાક સુધીનો વીજળી કાપ જાહેર કરવામાં આવ્યો છે. અખબાર છાપવા માટેનો કાગળ આવતો બંધ થઈ જતાં દેશના ઘણા અખબારોએ પ્રકાશન પણ અટકાવી દીધું છે. સરકાર પોતાની પાસે જે કંઈ વિદેશી મુદ્રા ભંડાર વધ્યો છે તેને બચાવવા માટે મથી રહી છે, જેના પરિણામ સ્વરુપે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત અટકાવી દેવાતા દેશમાં પેટ્રોલ-ડીઝલની જોરદાર તંગી સર્જાઈ છે. હાલ એવી સ્થિતિ છે કે શ્રીલંકામાં પેટ્રોલ ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તરે તો છે જ, પરંતુ તેની સાથે તેમની તંગી પણ વર્તાઈ રહી છે. અનેક પેટ્રોલપંપો ખાલી થઈ ગયા છે, અને ઘણી જગ્યાએ લાંબી-લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે.

March 31, 2022
coronaworld.jpg
1min560

૨૧ માર્ચથી ૨૮ માર્ચ સપ્તાહ દરમિયાન અગાઉના સપ્તાહની સરખામણીમાં કોરોના વાઈરસના કેસની સંખ્યામાં ૧૪%નો ઘટાડો થયો છે. આજ સમયગાળામાં મૃત્યાંકનો આંકડો લગભગ ૪૩% જેટલો વધ્યો છે તેવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (હૂ)એ બુધવારે જાહેર કરેલા સાપ્તાહિક રિપોર્ટમાં જણાવ્યું છે. સપ્તાહ દરમિયાન ૧૦ મિલિયન નવા કેસ નોંધાયા હતા જ્યારે ૪૫,૦૦૦થી વધુ દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં.

યુરોપ, યુએઅએ, કેનેડા સહિતના સંખ્યાબંધ દેશોમાં કોવિડ ૧૯નો ચેપ અટકાવવા મુકાયેલા નિયંત્રણો હટાવવામાં આવ્યા છે. ઓમાઈક્રોનનો સબવેરિયન્ટ બીએ-ટુના સંક્રમણથી કેસની સંખ્યા વધી રહી છે. બ્રિટનના સત્તાવાળાઓ કહે છે કે કેસની સંખ્યામાં વધારો થયો છે પણ દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવું પડે તેટલા ગંભીર લક્ષણ દર્દીઓમાં જોવા મળતા નથી. વિશ્ર્વસ્તરે કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થયો ત્યારે ચીને શાંઘહાઈ શહેરમાં કડક લોકડાઉન લાદ્યું છે. અમેરિકામાં ૫૦ વર્ષની વય ધરાવતા લોકોને બીજો બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. નિયમિતપણે ફેકમાસ્ક પહેરવાનું, ભીડભાડથી દૂર રહેવાનું અને બિનજરૂરી પ્રવાસન કરવા જેવી તકેદારીઓ ૫૦%થીઓછા લોકો લઈ રહ્યા છે તેવું એપી-એનઓઆરસીની એક મોજણીમાં જાણવા મળ્યું છે.  

March 21, 2022
chinaplane-2.jpg
1min466

ચીનનું 133 લોકોને જઈ રહેલું ચાઈના ઈસ્ટર્ન પેસેન્જર જેટ ક્રેશ થયું છે. આ વિમાન દક્ષિણ-પૂર્વ ચીનમાં ક્રેશ થયું છે. જોકે, આ ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તે અંગેનો આંકડો હજુ સુધી સામે આવ્યો નથી.

બોઈંગ 737 પ્લેન વુઝોઉ શહેર પાસે આવેલા ગ્રામ્ય વિસ્તાર ગુઆંગશીમાં તૂટી પડ્યું છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, ચીનનું વિશાળ બોઈંગ વિમાન ક્રેશ થયા બાદ પર્વત વિસ્તારમાં આગની જ્વાળાઓ અને ધૂમાડો જોવા મળ્યો હતો.

રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે કે રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ પર જવા માટે રવાના થઈ ગઈ છે. ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ 133 લોકોને લઈને જઈ રહ્યું હતું ત્યારે વુઝોઉ પાસે તૂટી પડ્યું હતું.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ ચાઈના ઈસ્ટર્ન ફ્લાઈટ MU5735 નિર્ધારિત સમય પર ગંતવ્ય સ્થાન પર ના પહોંચ્યા બાદ તપાસ શરુ કરવામાં આવી હતી, જેમાં આ દુર્ઘટના વિશે જાણ થઈ હતી. આ વિમાન કુનુમિંગથી સ્થાનિક સમય પ્રમાણે સોમવારે બપોરે 1 વાગ્યે રવાના થયું હતું પરંતુ તે નિર્ધારિત સમયે ગુઆંગઝો નહોતું પહોંચ્યું.

હજુ સુધી આ દુર્ઘટના અંગે ચીન દ્વારા સત્તાવાર માહિતી પૂરી પાડવામાં આવી નથી.

March 20, 2022
kishida.jpg
1min430

જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા (Japanese Prime Minister Fumio Kishida) શનિવારે તા.19 માર્ચ 2022ના રોજ ભારતની સંક્ષિપ્ત યાત્રા પર પહોંચ્યા હતા. શનિવારે સાંજે તેમણે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની સાથે શિખર વાર્તા કરી હતી. ટૂંકી મુલાકાત બાદ આજરોજ તા.20 માર્ચને રવિવારે સવારે 8 વાગ્યે તેઓ રવાના પણ થઇ ચૂક્યા હતા. ભારત-જાપાનની વચ્ચે ગત વાર્ષિક શિખર બેઠક ઓક્ટોબર 2018માં ટોક્યોમાં થઈ હતી. ડિસેમ્બર 2019માં નાગરિકતા સંશોધન કાનૂનને લઈને થયેલ વિરોધ-પ્રદર્શનોને કારણે પીએમ મોદી અને તત્કાલીન જાપાની પીએમ શિંજો આબેની વચ્ચે શિખર વાર્તા રદ કરી દેવામાં આવી હતી. જ્યારે 2020 અને 2021માં કોરોના મહામારીને કારણે શિખર વાર્તા યોજાઈ ન હતી.

પીએમ નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ ફુમિયો કિશિદા વચ્ચેની બેઠક બાદ ભારત અને જાપાન વચ્ચે 6 ડીલ પર હસ્તાક્ષર થયા છે. જાપાને 2014માં કરેલ રોકાણ પ્રોત્સાહન પાર્ટનરશિપ હેઠળ ભારતમાં 3.2 લાખ કરોડ રૂપિયાના રોકાણ લક્ષ્યની જાહેરાત કરી છે. પીએેમ નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ કિશિદા વચ્ચે વાર્તા બાદ જાપાને પૂર્વોત્તર ક્ષેત્રના સતત વિકાસ અભિયાનની જાહેરાત કરી છે. ભારત અને જાપાનના પીએમ વચ્ચે વાર્તા બાદ સ્વસ્છ ઊર્જા પાર્ટનરશિપની પણ જાહેરાત કરાઈ હતી.

રશિયાના આક્રમણ અંગે જાપાનના પીએમ કિશિદાએ કહયું કે, બળપ્રયોગ કરીને યથાસ્થિતિને બદલવાની એકતરફી પ્રયત્નોની મંજૂરી આપવી જોઈએ નહીં. તેઓએ કહ્યું કે અમે યુક્રેનની સ્થિતિ પર ચર્ચા કરી, રશિયાનો હુમલો એક ગંભીર બાબત છે કેમ કે તેણે ઈન્ટરનેશનલ માપદંડોને હલાવી દીધા છે.

પીએમ મોદીએ બેઠક બાદ કહ્યું કે, કોરોના, આર્થિક રિકવરી અને જિયો પોલિટિકલ જેવા અનેક પડકારો વચ્ચે ભારત અને જાપાનની પાર્ટનરશિપને વધારે ઊંડી કરવી બંને દેશો માટે જ મહત્વપુર્ણ નથી પણ તેનાથી ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને સમગ્ર વિશ્વ સ્તર પર શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાને પ્રોત્સાહન મળશે. ભારત અને જાપાન બંને જ સુરક્ષિત અને સ્થિર એનર્જી સપ્લાયના મહત્વને સમજે છે. આ સ્થિર ઈકોનોમીના ગ્રોથના લક્ષ્યને મેળવવા માટે અને ક્લાયમેન્ટ ચેન્જની સમસ્યાને ઉકેલવા માટે જરૂરી છે. ભારત આજે મેક ઈન ઈન્ડિયા ફોર વર્લ્ડની અપાર સંભાવનાઓ રજૂ કરે છે. ત્યારે જાપાની કંપનીઓ ઘણા સમયથી એક પ્રકારે અમારી બ્રાન્ડ એમ્બેસડર રહી છે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ જેવા અમારા ફ્લેગશિપ પ્રોજેક્ટ્સમાં જાપાનનો સહયોગ ઉલ્લેખનીય છે. અમે આ યોગદાન માટે આભારી છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં સારી પ્રગતિ થઈ રહી છે.

March 16, 2022
Ukraine-Russia.jpg
1min519

યુક્રેનમાં 20-20 દિવસથી ચાલી રહેલા રશિયાએ છેડેલા યુદ્ધમાં હજી સુધી શાંતિનાં કોઈ અણસાર મળી રહ્યા નથી. ઉલટાં રોજ રશિયાનાં હુમલા વધુ ઘાતક બનતા જાય છે અને સ્થિતિ વધુ દારુણ. રશિયાનાં વિદેશ મંત્રાલય દ્વારા આજે યુક્રેનનાં દોનેત્સકમાં કરવામાં આવેલા હુમલા વિશે નિવેદન જારી કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું છે કે, 14મી માર્ચે દોનેત્સકમાં યુક્રેનની સેનાએ રહેણાંક વિસ્તાર આસપાસ ટોચકા-યુ મિસાઈલથી હુમલો કર્યો હતો. તેમાં 20 લોકોનાં મોત અને 28 ઘાયલ થયા છે. ટૂંકમાં રશિયાએ યુક્રેન ઉપર પોતાની જ જનતા ઉપર હુમલો કરી નાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બીજીબાજુ યુદ્ધનાં અંતની ગુહાર લગાવતા યુક્રેને કરેલી અરજી ઉપર આંતરરાષ્ટ્રીય કોર્ટ આવતીકાલે પોતાનો આદેશ સંભળાવી શકે છે.

દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને એલાન કર્યું હતું કે, રશિયાની ખિલાફ લડવા માટે યુક્રેનને શત્રો અને માનવીય સહાય પહોંચાડવામાં આવશે. શરણાર્થીઓને પણ અમેરિકામાં પનાહ આપવામાં આવશે.
યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેંસ્કીએ સોમવારની મોડી રાતે સંસદમાં એક વિધેયક પેશ કર્યુ હતું. જેમાં 24 માર્ચથી આગામી 30 દિવસ માટે સૈન્ય કાનૂન લંબાવવાનો પ્રસ્તાવ હતો.

બ્રિટનનાં રક્ષા મંત્રાલય દ્વારા આજે એક ટ્વિટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રશિયા હવે યુક્રેનમાં રાસાયણિક કે જૈવિક શત્રોનો ઉપયોગ કરવાનો કારસો કરી શકે છે. અગાઉ અમેરિકી અધિકારીઓ તરફથી પણ આ મતલબનાં નિવેદન આપવામાં આવેલા. યુક્રેને પણ આવી ભીતિને પગલે રશિયાને ચેતવણી આપેલી છે કે, આવા કોઈ રાક્ષસી શત્રો વપરાશે તો રશિયાને વધુ કઠોર પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.

રશિયા અને યુક્રેન વચ્ચે આંતરરાષ્ટ્રીય અદાલતમાં ચાલતા કેસ ઉપર પણ આવતીકાલે 16મીએ ફેંસલો આવી શકે છે. રશિયાએ યુક્રેન તરફથી મૂકવામાં આવેલા નરસંહારનાં આરોપોને ખોટા ગણાવ્યા છે. ઉલ્લેખનીય છે કે 24મી ફેબ્રુઆરીએ યુક્રેન ઉપર રશિયાનાં આક્રમણ બાદ તુરંત જ યુક્રેને ઈન્ટરનેશનલ કોર્ટમાં આ લડાઈનો અંત લાવવાની પોકાર કરવામાં આવી હતી.

March 8, 2022
russia-2.jpg
1min732

યુક્રેન સાથે જંગ છેડનાર રશિયાના નામે એક એવો રેકોર્ડ નોંધાઈ ગયો છે જે શરમજનક કહી શકાય.

રશિયા હવે દુનિયાનો એવો દેશ બની ગયો છે જેના પર સૌથી વધારે પ્રતિબંધો લાગુ થઈ ગયા છે.આ બાબતમાં રશિયાએ ઈરાન અને નોર્થ કોરિયાને પણ પાછળ રાખી દીધા છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે અમેરિકા અને યુરોપે રશિયા પર અત્યાર સુધીમાં 5530 પ્રતિંબંધો લગાવ્યા છે.

રશિયા પર આ પૈકીના 2754 પ્રતિબંધ તો 22 ફેબ્રુઆરીથી જ લાગેલા છે અને બીજા પ્રતિબંધો એ પછી લાગુ કરાયા છે.

ઈરાનની વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષમાં તેના પર 3616 પ્રતિંબધ લગાવ્યા છે.મોટાભાગના પ્રતિબંધ આતંકવાદ અને ન્યુક્લિયર પ્રોગ્રામના કારણે લગાવાયા છે.જ્યારે સીરિયા અને નોર્થ કોરિયા પર ક્રમશ 2608 અને 2077 પ્રતિબંધ લાગુ થયેલા છે.જ્યારે રશિયા પર માત્ર 10 દિવસમાં  5000 કરતા વધારે પ્રતિબંધ લગાવી દેવાયા છે.

રશિયા પર સૌથી વધારે 568 પ્રતિબંધ સ્વિત્ઝરલેન્ડ દ્વારા લગાવાયા છે.એ પછી યુરોપિયન યુનિયને 518 અને ફ્રાંસે 512 પ્રતિબંધ લગાવ્યા છે.અમેરિકાએ 243 પ્રતિબંધ મુક્યા છે.

March 7, 2022
zelensky.jpg
1min499

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે Dt.7/3/22 યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે વાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે ફોન પર લગભગ 35 મિનિટ સુધી વાત ચાલી હતી. પીએમએ ઝેલેન્સ્કી સાથે રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં યુક્રેન સરકાર દ્વારા આપવામાં આવેલી મદદ માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો આભાર માન્યો હતો. વડાપ્રધાને સુમીમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવાના ચાલી રહેલા પ્રયાસોમાં યુક્રેન સરકારના સમર્થનની પણ માંગ કરી હતી. સૂત્રો અનુસાર, વડાપ્રધાને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી સીધી વાતચીતની પ્રશંસા કરી હતી.

આ પહેલા 26 ફેબ્રુઆરીએ પણ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને પીએમ મોદી વચ્ચે યુદ્ધ સંકટને લઈને વાતચીત થઈ હતી. ઝેલેન્સ્કીએ આ દરમિયાન ભારતના રાજકીય સમર્થનની માંગ કરી હતી. તે સમયે યુક્રેનના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીને યુક્રેનમાં ચાલી રહેલી સંઘર્ષની સ્થિતિ વિશે વિગતવાર માહિતી આપી હતી.

February 24, 2022
russia_ukraine.jpg
1min505

ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, રશિયન રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનમાં સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો છે. આદેશ જારી કરતા પુતિને કહ્યું કે જો યુક્રેન પીછેહઠ નહીં કરે તો યુદ્ધ થશે. પુતિને યુક્રેનની સેનાને શક્ય તેટલી વહેલી તકે શસ્ત્રો મૂકવાની ધમકી આપી અન્યથા યુદ્ધ ટાળી શકાશે નહીં.

રશિયાના રાષ્ટ્રપતિ પુતીને યુક્રેન પર હુમલાની ઘોષણ કર્યા બાદ રશિયન સેનાએ યુક્રેનના શહેર પર મિસાઈલોનો મારો શરુ કરી દીધો છે. મળતી માહિતી પ્રમાણે યુક્રેનની રાજધાની કિવમાં પણ ધડાકાઓ સંભળાયા છે. કિવના એરપોર્ટ પર પણ ગોળીબારીના અહેવાલો આવ્યા છે. રશિયાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરો યુક્રેનના એર ફિલ્ડમાં પ્રવેશી ચુક્યા છે ત્યારે સાઈરન વગાડી નાગરિકોને સાવચેત કરાયા હતા.
રશિયાના રક્ષા મંત્રાયલે દાવો કર્યો છે કે યુદ્ધની ઘોષણાના કલાકોમાં જ તેમની સેનાએ યુક્રેનના એરબેઝ સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. સાથે સાથે કિવની એર ડિફેન્સ સિસ્ટમને પણ નષ્ટ કરી છે.

 બીજી તરફ યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે રશિયન સેનાને વળતો  જવાબ આપતા રશિયાના પાંચ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર તોડી પાડયા છે. 

રશિયન રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનની સેનાને હથીયાર હેઠા મૂકી શરણાગતિ સ્વીકારવા કહ્યું હતું. જેથી રણમેદાનમાં લોહી ના રેડાય. બીજી તરફ યુક્રેન પોતાની રક્ષા કરવા કટિબદ્ધ છે.

January 29, 2022
cia_multi-1280x1045.jpg
1min667

Jayesh Brahmbhatt 98253 44944

ટ્રાન્સપોર્ટ કેનેડાએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર 28 જાન્યુઆરીએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભારત અને મોરોક્કોથી આવનારા પેસેન્જર્સે હવે કોરોના ટેસ્ટ કરાવવો જરુરી નથી. જોકે, કેનેડા પહોંચ્યા બાદ પેસેન્જર્સને કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે. આ નિયમ કોઈપણ દેશમાંથી કેનેડા આવતા લોકો પર લાગુ પડે છે.

હાલ માત્ર દિલ્હીથી જ કેનેડાની સીધી ફ્લાઈટ જાય છે, અન્ય શહેરોમાંથી પણ હવે સુવિધા શરુ થશે

કેનેડાની સરકારના જણાવ્યા અનુસાર, કેનેડા પહોંચ્યા બાદ એરપોર્ટમાંથી બહાર નીકળતા પહેલા કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે. સરકારે કેનેડા આવતા લોકોને એરપોર્ટ પર ઉપલબ્ધ ટેસ્ટિંગ ફેસિલિટીનું અગાઉથી બુકિંગ કરાવવા માટે પણ અનુરોધ કર્યો હતો, જેથી તેઓ આ પ્રક્રિયા જલ્દી પૂરી કરી શકે. જોકે, કેનેડાની સરકારે પોતાના નાગરિકોને જરુર ના હોય તો વિદેશ પ્રવાસ ટાળવા માટે સલાહ આપી છે.

અગાઉ ભારતથી સીધી ફ્લાઈટમાં કેનેડા આવતા લોકોને ડિપાર્ચરના 18 કલાક પહેલા ટેસ્ટ કરાવવો પડતો હતો, જે નેગેટિવ હોય તો જ પેસેન્જરનું બોર્ડિંગ થઈ શકતું હતું. ભારતથી વાયા યુએઈ, યુરોપ કે અમેરિકાથી કેનેડા પહોંચતા લોકોને પણ કોરોના ટેસ્ટમાંથી મુક્તિ અપાઈ છે.

કોરોના ટેસ્ટમાં કેનેડાએ રાહત આપી, પરંતુ કેનેડા પહોંચ્યા બાદ તો ટેસ્ટ કરાવવો જ પડશે

January 7, 2022
quarantine.jpg
1min600
COVID-19: Things To Follow In Home Quarantine; People Around Should Take  Precautions

દેશમાં કોરોનાના કેસોમાં થઇ રહેલા વધારા વચ્ચે સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે દેશમાં આગમન પછી સાત દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇનમાં રહેવું ફરજિયાત બનાવ્યું છે. તે બાદ આઠમા દિવસે તેમનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. આ નવો આદેશ 11 જાન્યુઆરી, 2022થી આગળના આદેશો સુધી માન્ય રહેશે.

બંને શ્રેણીના મુસાફરોએ ‘એર સુવિધા’ પર RT-PCR રિઝલ્ટ અપલોડ કરવાનું રહેશે. તેમણે મુસાફરી શરૂ કરવાના 72 કલાકની અંદર COVID-19 નેગેટિવ RT-PCR રિપોર્ટ પણ અપલોડ કરવાનો રહેશે. જે મુસાફરોને એરાઇવલ પર ટેસ્ટની જરૂર હોય તેમણે એર સુવિધા પોર્ટલ પર ટેસ્ટનું ઓનલાઈન પ્રી-બુકિંગ કરવું જોઈએ.

આ સિવાય એટ રિસ્કની કેટેગરીમાં આવતાં દેશોની સંખ્યા વધીને 19 થઈ ગઈ છે. આ શ્રેણીમાં 9 વધુ નવા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 1 ડિસેમ્બરથી વિદેશથી ભારત આવવા અંગેની માર્ગદર્શિકામાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવી માર્ગદર્શિકા 11 જાન્યુઆરીથી લાગુ થશે. અગાઉના યુરોપિયન દેશો મળી 11 સાથે હવે નવ દેશમાં આફ્રિકાના તાન્ઝાનિયા, ગાના, ઈથિયોપીયા, કેન્યા, નાઇજીરીયા, તુનેશિયા, ઝામ્બિયાથી આવનાર તમામ મુસાફરોનો ભારતના એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ અને ક્વોરન્ટાઈન થવું ફરજિયાત બનશે.