ઇન્ડીયા Archives - Page 97 of 217 - CIA Live

September 20, 2020
corona_india.jpg
1min5260

ભારતમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોનાના રોગચાળાના મામલે હવે સારા સમાચાર જાણવા મળી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાના દર્દીઓ સાજા થવાની બાબતમાં ભારતે અમેરિકાને પાછળ છોડી દીધું છે અને સૌથી વધારે સફળતા હાંસલ કરી છે. દેશના આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ શનિવારે કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા કોરોનાના નવા કેસથી વધી ગઇ હતી. શનિવારે કોરોનાથી ૯૫,૮૮૦ લોકો સાજા થયા હતા અને કોરોનાના ૯૩,૩૩૭ નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના કુલ કેસ ૫૩ લાખથી વધી ગયા છે.

અત્યાર સુધી દેશમાં ૪૦,૦૮,૪૩૧ કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થઇ ગયા છે, જે દુનિયામાં સૌથી વધારે છે.

કોરોનાથી અત્યાર સુધીમાં દેશમાં ૮૫,૬૧૯ લોકોનાં મૃત્યુ થયાં છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૨૪૭ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. કોરોનાથી સાજા થવાનો દર ૭૯.૨૮ ટકા પર પહોંચી ગયો છે. અને મૃત્યુ દર ઘટીને ૧.૬૧ થઇ ગયો છે.

હાલમાં દેશમાં કોરોનાના કુલ ૧૦,૧૩,૯૬૪ સક્રિય કેસો છે, જે કુલ કેસોના ૧૯.૧૦ ટકા છે.

૭ ઑગસ્ટના રોજ દેશમાં કોરોના કેસનો આંકડો ૨૦ લાખને પાર થઇ ગયો હતો. ૨૩ ઑગસ્ટના રોજ કોરોના કેસનો આંકડો ૩૦ લાખને પાર થઇ ગયો હતો. પાંચ સપ્ટેમ્બરના રોજ કોરોના કેસનો આંકડો ૪૦ લાખને પાર થઇ ગયો હતો અને ૧૬ સપ્ટેમ્બરના રોજ કોરોના કેસનો આંકડો ૫૦ લાખને પાર થઇ ગયો હતો.

છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા ૧,૨૪૭ મૃત્યુમાં ૪૪૦ મહારાષ્ટ્રમાં, ૧૭૯ કર્ણાટકમાં, ૯૮ ઉત્તર પ્રદેશમાં, ૬૭ આંધ્ર પ્રદેશમાં, ૫૯ પ. બંગાળમાં, ૬૭ તમિળનાડુમાં, ૬૨ પંજાબમાં અને ૩૦ દિલ્હીમાં નોંધાયા છે.

અત્યાર સુધીમાં કોરોનાથી નોંધાયેલ કુલ ૮૫,૬૧૯ મૃત્યુમાં ૩૧,૭૯૧ મૃત્યુ મહારાષ્ટ્રમાં, ૮,૬૮૫ તમિળનાડુમાં, ૭,૮૦૮ કર્ણાટકમાં, ૫,૨૪૪ આંધ્ર પ્રદેશમાં, ૪,૯૦૭ દિલ્હીમાં, ૪,૮૬૯ ઉત્તર પ્રદેશમાં અને ૪,૨૪૨ પ. બંગાળમાં નોંધાયા છે.

કોરોના વાઇરસને પછાડવામાં કેન્દ્રની મોદી સરકારની મહેનત રંગ લાવી છે અને ભારતનો રિકવરી રેટ દુનિયાભરમાં સૌથી વધુ થયો છે.

September 19, 2020
ipl2020.jpg
1min6480

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL આજે તા.19મી સપ્ટેમ્બર 2020થી શરૂ થઇ રહી છે. કોવીડ-19 પેન્ડેમિકની કપરી સ્થિતિને કારણે ભારતમાં આ ઇવેન્ટ શક્ય ન હોઇ, યુનાઇટેડ એમિરાતમાં રમાઇ રહેલી આ ટુર્નામેન્ટ ભલે ત્યાં રમાશે પણ સૌથી વધુ જોવાશે ભારતમાં. ટેલિવિઝન પર સતત 53 દિવસ સુધી આઇ.પી.એલ. છવાયેલી રહેશે અને એટલે જ નવી ફિલ્મોથી લઇને અનેક ઇવેન્ટ આ જ કારણે પોસ્ટપોન કરી દેવામાં આવી છે.

53 દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં કુલ 60 મેચ રમાશે. પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે અબુધાબીમાં રમાશે. ત્યારે આ વખતે IPLમાં કોરોનાના કારણે કેટલાક નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

નવા ફેરફારમાં ટીમને અનલિમિટેડ કોરોના સબસ્ટીટ્યુટ મળશે. ઉપરાંત IPLમાં પ્રથમ વખત બોલને ચમકાવવા માટે બોલર્સ લાળનો ઉપયોગ કરી શકશે નહીં. ઈજાગ્રસ્ત ખેલાડીની જગ્યાએ અન્ય પ્લેયર સબ્સ્ટીટ્યૂટ તરીકે સામેલ કરી શકાશે. આ વખતે ફ્રન્ટફુટનો બોલ ફિલ્ડને બદલે થર્ડ અમ્પાયર જોશે. ત્યારે લાંબા સમય બાદ ભારતીય ક્રિકેટરો મેદાનમાં ઉતરી રહ્યા છે.

September 19, 2020
paytm.jpg
1min6020

ભારતની સૌથી મોટી પેમેન્ટ એપ ગણાતી પેટીએમ (Paytm) ગૂગલ પ્લે સ્ટોર પર તા.18મીએ રિમુવ કરી દેવામાં આવી હતી. પરંતુ, એ બેન ફક્ત ચાર કલાકનો જ રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ગૂગલે તેની પોલિસીનું ઉલ્લંઘન કર્યું હોવાથી પેટીએમ પર કાર્યવાહી કરાઈ હતી. જોકે ચાર કલાક પછી એપ ફરી પ્લે સ્ટોરમાં દેખાવા લાગી છે. તા.18મી સપ્ટેમ્બરે સાંજે ફરીથી ગુગલ પ્લે સ્ટોર પર પેટીએમ ગોઠવાઇ ગઇ હતી.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એપને ગેમ્બલિંગ પોલિસીના ઉલ્લંઘનને લીધે રિમૂવ કરાઈ હતી. ગૂગલ ઈન્ડિયાએ આજે તેના બ્લોગ પોસ્ટમાં ગેમ્બલિંગ અર્થાત (ઓનલાઈન જુગાર)ની પોલિસીની વાત કરી હતી. બ્લોગમાં ક્યાંય પણ પેટીએમના નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. પરંતુ તે પેટીએમ પર ઈશારો કરે છે તેમ લાગી રહ્યું છે. કારણકે બ્લોગ પબ્લિશ થયાની ગણતરીની મિનિટોમાં એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી રિમૂવ થઈ હતી. પેટીએમે પેટીએમક્રિકેટલીગ શરૂ કરતાં જ કંપની ગૂગલની આંખે ચડી છે. ઓનલાઈન ગેમ્બલિંગને રોકવા માટે ગૂગલે આ નિર્ણય લીધો છે. કંપનીએ તેના બ્લોગમાં પોલિસીનું ઉલ્લંઘન કરતી એપને પ્લે સ્ટોર પરથી દૂર કરવાની પણ વાત કહી હતી, સાથે જ ગૂગલની શરતોનું પાલન થઈ ગયા બાદ એપને રિસ્ટોર કરી લેવાની વાત પણ કહેવામાં આવી હતી. જોકે આ મામલે પેટીએમે મૌન સાધ્યું હતું.

પેટીએમ એપ દેશનાં સૌથી મૂલ્યવાન સ્ટાર્ટ અપમાંથી એક છે. ગૂગલના પેમેન્ટ પ્લેટફોર્મ ગૂગલ-પે સાથે પેટીએમની ટક્કર છે. 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ 2019-20માં પેટીએમની રેવન્યૂ વધીને 3.629 કરોડ રૂપિયા પહોંચી હતી. તો નુક્સાનમાં 40%નો ઘટાડો નોંધાયો હતો. One97 કમ્યુનિકેશન લિમિટેડ કંપની પેટીએમની ઓનર છે. ટેક રિસર્ચ ફર્મ સેન્સર ટાવરના રિપોર્ટ અનુસાર, ઓગસ્ટ મહિનામાં પેટીએમ છઠ્ઠી સૌથી વધારે ડાઉનલોડ થનારી ફિનટેક એપ છે. એપ પેમેન્ટ ઓપ્શનથી શરૂ થઈ હતી. ત્યાર બાદ તે ઓનલાઈન શોપિંગ, ગેમિંગ અને બેકિંગ સર્વિસ ઓફર કરે છે.

September 19, 2020
Parliament-8.jpg
1min5050

કૃક્ષિ ક્ષેત્ર સાથે સંબંધિત ત્રણ બિલ માટે ખેડૂતો દેખાવો કરી રહ્યા છે. ભારે વિરોધ પ્રદર્શન થવા છતા પણ કેન્દ્ર સરકાર પીછેહઠ કરવા માટે તૈયાર નથી. શુક્રવારના રોજ બિહારને કેટલીક યોજનાઓની ભેટ આપતા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ બિલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કેટલાક પક્ષો ખેડૂતોને ભ્રમમાં નાખી રહ્યા છે. આ વટહુકમોથી ખેડૂતોને ઘણો બધો ફાયદો થશે.

વડાપ્રધાન નરેનદ્ર મોદીએ કહ્યું કે કાલે વિશ્વકર્મા જયંતિના દિવસે લોકસભામાં ઐતિહાસિક કૃષિ સુધાર બિલ પસાર કરવામાં આવ્યા છે. આ ખરડાઓએ આપણા અન્નદાતા ખેડૂતોને અનેક બંધનોમાંથી મુક્તિ અપાવી દીધી છે. આ સુધારાઓથી પોતાની ઉપજ વેચવા માટે ખેડૂતોને વધારે વિકલ્પો અને વધારે અવસર મળી રહેશે. હું દેશના ખેડૂતોને આ ખરડાઓ માટે શુભેચ્છા પાઠવું છું.

વિપક્ષની ઝાટકણી કાઢતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ખેડૂત અને ગ્રાહક વચ્ચે જે વચોટિયાઓ હોય છે, કે જેઓ ખેડૂતોની કમાણીનો મોટા ભાગનો હિસ્સો પોતાની પાસે રાખી લેતા હોય છે તેમનાથી બચવા માટે આ આ ખરડા પસાર કરવા અત્યંત જરૂરી હતા. આ ખરડાઓ ખેડૂતો માટેનું રક્ષા કવચ બનીને આવ્યા છે. પરંતુ કેટલાક લોકો જે દશકાઓ સુધી સ્તાતમાં રહ્યા છે, દેશ પર રાજ કર્યું છે, તે લોકો ખેડૂતોને આ વિષય પર ભ્રમમાં નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

વડાપ્રધાને કહ્યું કે કેટલાક લોકો ખોટુ બોલી રહ્યા છે. ચૂંટણી સમયે ખેડૂતોને આકર્ષવા માટે મોટી-મોટી વાતો કરતા હતા, લેખિતમાં પણ આપતા હતા અને પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ ખેડૂતો માટે કામ કરવાના દાવાઓ કરતા હતા પરંતુ ચૂંટણી બાદ બધું ભૂલી જતા હોય છે. આજે જ્યારે એ જ વસ્તુઓ ભાજપા-એનડીએ સરકાર કરી રહી છે તો વિપક્ષ જાત-જાતના ભ્રમ ફેલાવી રહી છે.

September 19, 2020
airindia-1.jpg
1min5050

એર ઈન્ડિયા એક્સપ્રેસની જયપુરથી દુબઈની ફ્લાઈટમાં એક પેસેન્જર જે 2 સપ્ટેમ્બરના કોવિડ 19 પોઝિટિવ હતો તેણે 4 સપ્ટેમ્બરના મુસાફરી કરી હતી. અગાઉ પણ એક સપ્તાહ અગાઉ આ પ્રકારનો એક બનાવ બન્યો હતો.

કોવિડ 19 પોઝિટિવ દર્દીને ફ્લાઈટમાં દુબઈ લાવવા બદલ દુબઈ સિવિલ એવિએશન ઓથોરિટીએ એર ઈન્ડિયા એક્સપ્રેસની બેદરકારી બદલ પગલા લેતા તેમની ફ્લાઈટ સેવા 18 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રદ કરી દીધી છે. એક અધિકારીએ જણાવ્યા મુજબ એક સપ્તાહના ટૂંકા ગાળામાં એર ઈન્ડિયા એક્સપ્રેસની દુબઈની ફ્લાઈટમાં કોરોના પોઝિટિવ દર્દીને લાવવાની ઘટના બની છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે જણાવ્યું હતું કે તે એર ટ્રાવેલર્સની મુશ્કેલી ઘટાડવા પ્રયાસ કરી રહ્યું છે અને શુક્રવારે તે પોતાની ચાર શારજાહની ફ્લાઈટ્સનું સંચાલન કરશે.

દુબઈ નાગરિક ઉડ્ડયન સત્તાધીશોએ એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ સેવા 2જી ઓક્ટોબર સુધી રદ કરી દીધી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની જયપુર-દુબઈની ફ્લાઈટમાં 4 સપ્ટેમ્બરે એક કોરોના સંક્રમિત થયેલા મુસાફરે ટ્રાવેલ કરતા દુબઈએ કડક પગલું ભર્યું છે. નોંધનીય છે કે એક સપ્તાહમાં આ બીજો બનાવ છે જેમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં કોરોના દર્દીએ મુસાફરી કરી હોય.

યુએઈ સરકારના નિયમો મુજબ ભારતથી દુબઈ આવતા દરેક પેસેન્જરે કોવિડ 19 નેગેટિવનું સર્ટિફિકેટ સાથે લાવવાનું રહે છે. મુસાફરીના 96 કલાક પહેલા પેસેન્જરે પોતાનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી આ પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે.

September 17, 2020
nitin_gadkari.jpg
1min5050

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ કોરોના વાયરસ સંક્રમણની ઝપેટમાં આવ્યા પછી હવે વધુ એક કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વિટ કરીને આ બાબતે જાણકારી આપી હતી અને પોતાના સંપર્કમાં જે પણ લોકો આવ્યા હોય તેમને કાળજી જાળવવાની તેમજ પ્રોટોકોલ અનુસરવાની અપીલ કરી હતી. નોંધનીય છે કે કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે અને તાજેતરમાં આ પહેલા ચોમાસુ સત્રના પહેલા દિવસે જ આશરે 30 સાંસદ કોરોના મહામારીની ઝપેટમાં આવ્યા હતાં.

September 17, 2020
babri.jpg
1min5870

લખનઊની ખાસ સીબીઆઇની અદાલત ૩૦મી સપ્ટેમ્બરે બાબરી મસ્જિદ કેસનો ચુકાદો જાહેર કરવાની છે.

આ કેસમાં ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી અને કલ્યાણસિંહ સહિત ૩૨ આરોપીને ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસના આરોપીઓ દ્વારા ટ્રાયલ કોર્ટને જણાવાયું છે કે પોતે આ કેસમાં નિર્દોષ હોવાના દસ્તાવેજી પુરાવા તેઓ કોર્ટમાં રજૂ કરશે.

સીબીઆઇની ખાસ અદાલતે ગત સપ્તાહ દરમિયાન ૩૨માંથી ૩૧ આરોપીના નિવેદન નોંધ્યા હતા. બાબરી મસ્જિદ તોડવાનું ષડ્યંત્ર ભાજપના પીઢ નેતાઓ દ્વારા રચાયું હોવાના કેસની સીબીઆઇની અદાલતમાં સુનાવણી ચાલી રહી છે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ કેસનો ચુકાદો ૩૧મી ઑગસ્ટ પહેલા જાહેર કરવાનો આદેશ ટ્રાયલ કોર્ટને આપ્યો હતો.

ભાજપ અને સંઘ પરિવારના લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી અને કલ્યાણસિંહ જેવા પ્રમુખ નેતાના નામ આરોપી તરીકે દાખલ કરવામાં આવ્યા હતા.

અયોધ્યામાં આવેલી ૧૬મી સદીની બાબરી મસ્જિદને ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના દિવસે કરસેવકોએ તોડી પાડી હતી. સીબીઆઇના એસ. કે. યાદવે લખેલા પત્રની નોંધ લઇને જસ્ટિસ રોહિન્ટન એફ. નરીમાનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે વીડિયો કોન્ફરન્સ દ્વારા જણાવ્યું હતું કે અમે એ વાતની નોંધ લીધી છે કે શ્રીમાન યાદવ આ કેસનો ઝડપથી નિકાલ થાય એ માટે ઘટતું કરી રહ્યા છે, પણ અગાઉ આપેલો સમય અને ત્યાર બાદ આપવામાં આવેલા વધારાના સમયગાળાને ધ્યાનમાં લેતા હવે આ કેસની પૂર્ણાહૂતિ કરવાની અને ૩૧મી ઑગસ્ટ ૨૦૨૦ સુધીમાં કેસનો ચુકાદો આપવો જરૂરી છે.

ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે યાદવે વીડિયો કોન્ફરન્સની સુવિધાનો લાભ લઇને પુરાવા મેળવવાની પ્રક્રિયા પૂરી કરવી જોઇએ અને કેસનો ચુકાદો આપવામાં આવેલા સમયગાળામાં જાહેર કરવો જોઇએ.

ગયા વર્ષે જુલાઇમાં સુપ્રીમ કોર્ટે જજ યાદવના કાર્યકાળને લંબાવવાનો આદેશ ઉત્તર પ્રદેશની સરકારને આપ્યો હતો, જેથી ૨૫ વર્ષ જૂના કેસની પૂર્ણાહૂતિ લાવી શકાય. ૩૦મી સપ્ટેમ્બરે યાદવ નિવૃત્ત થવાના હતા.

ટ્રાયલ જજને આપવામાં આવેલી બે વર્ષની ડૅડલાઇન પણ સુપ્રીમ કોર્ટે લંબાવી હતી.

રાયબરેલીની મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહેલા કેસને સુપ્રીમ કોર્ટે ૨૦૧૭માં સીબીઆઇની લખનઊની ખાસ અદાલતમાં સંયુક્ત ટ્રાયલ માટે ટ્રાંસફર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે સીબીઆઇના જજને રોજેરોજ સુનાવણી કરીને બે વર્ષની અંદર આ કેસનો ચુકાદો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જજની બદલી અને કેસની સુનાવણીમાં તારીખ પાડવા પર મનાઇ ફરમાવી હતી.

આ મામલે કોઇ ફરિયાદ હોય તો એ સુપ્રીમ કોર્ટને જણાવવાની હતી. આ સાથે આ આદેશનું સખતાઇથી પાલન કરવાની તાકિદ કરવામાં આવી હતી.

રાયબરેલીના કેસમાં ભાજપના નેતાઓ પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે એમણે આપેલા ભડકાવનારા ભાષણને લીધે રાષ્ટ્રની એકતા પર ખતરો ઊભો થયો અને લોકોમાં દુશ્મનાવટ થઇ.

લખનઊ કેસમાં સીબીઆઇ લાખો અજ્ઞાત કરસેવકો, મસ્જિદ તોડવાના કૃત્ય અને હિંસાની તપાસ કરી રહી છે.

આ બંને કેસ સંયુક્ત કરવાથી અને ષડ્યંત્રના આરોપ દાખલ કરવાથી આરોપી નેતાઓ સામે સીબીઆઇએ ૫ ઑક્ટોબર, ૧૯૯૩માં દાખલ કરેલા કેસ પ્રમાણે કામ ચલાવવામાં આવશે.

September 16, 2020
corona_india.jpg
1min5510

તા.16મી સપ્ટેમ્બર 2020ના રોજ સવારે ભારતમાં કોરોના કેસોની સંખ્યા 50 લાખને પાર કરી ગઇ હતી. અમેરીકા પછી સૌથી વધુ કેસો ભારતમાં મળી રહ્યા છે. ઓગસ્ટ 2020 પછી સૌથી વધુ દૈનિક કેસો ભારતમાં જ મળી રહ્યા છે.

૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૮૩,૮૦૯ કેસ નોંધાતા કોરોનાના કેસની કુલ સંખ્યાનો આંક રવિવારે ૪૯ લાખને પાર કરી ગયો હતો, એમ કેન્દ્રના આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે વધુ ૧૦૫૪ જણનાં મૃત્યુ થયાં હતાં.

દેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોનો આંક ૮૦,૭૭૬ પર પહોંચ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

દેશમાં કોરોનાનો મૃત્યુદર ઘટીને ૧.૬૪ ટકા થઈ ગયો હોવાનું તેમણે કહ્યું હતું. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૪૯,૩૦,૨૩૬ કેસ નોંધાયા છે અને તેમાંથી ૩૮,૫૯,૩૯૯ દરદી સાજા થઈ ગયા છે. કોરોનાના દરદીઓના સાજા થવાની ટકાવારી ૭૮.૨૮ ટકા જેટલી હોવાનું તેમણે કહ્યું હતું. કોરોનાના કેસની સંખ્યા એક લાખ પર પહોંચતા ૧૧૦ દિવસ લાગ્યા હતા, પરંતુ કેસની સંખ્યા દસ લાખ પર પહોંચતા માત્ર ૫૦ દિવસ જ લાગ્યા હતા. ૭ ઑગસ્ટે ભારતમાં કોરોનાના કેસનો

આંક ૨૦ લાખ, ૨૩ ઑગસ્ટે ૩૦ લાખ તેમ જ પાંચ સપ્ટેમ્બરે ૪૦ લાખને વટાવી ગયો હતો.

દેશમાં કોરોનાના હજુ પણ ૯,૯૦,૦૬૧ કરતા વધુ સક્રિય કેસ છે જે કોરોનાના કુલ કેસની ટકાવારીના ૨૦ ટકા જેટલી હોવાનું તેમણે કહ્યું હતું.

આઈસીએમઆરના જણાવ્યાનુસાર ૧૫ સપ્ટેમ્બર સુધીમાં દેશમાં કોરોનાના ૫,૮૩,૧૨,૨૭૩ જેટલા નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે નોંધાયેલા કુલ ૧૦૫૪ મૃત્યુમાં મહારાષ્ટ્ર ૩૬૩, કર્ણાટક ૧૧૯, પંજાબ ૬૮, ઉત્તર પ્રદેશ ૬૨, આંધ્ર પ્રદેશ ૬૦, પ. બંગાળ ૫૮, તમિળનાડુ ૫૩, મધ્ય પ્રદેશ ૨૯, દિલ્હી ૨૬, હરિયાણા ૨૫, છત્તીસગઢ ૧૮, ગુજરાત અને જમ્મુ-કાશ્મીર પ્રત્યેકમાં ૧૭, કેરળ અને ઉત્તરાખંડ પ્રત્યેકમાં ૧૫, રાજસ્થાન અને ગોવા પ્રત્યેકમાં ૧૪, આસામ ૧૩, ઓડિશા ૧૧, તેલંગણા ૧૦, બિહાર અને પુડુચેરી પ્રત્યેકમાં ૦૯, ત્રિપુરા ૦૭, ઝારખંડ ૦૬, ચંડીગઢ અને હિમાચલ પ્રદેશ પ્રત્યેકમાં ૦૫, સિક્કિમ ૦૨, આંદામાન-નિકોબાર ટાપુ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને લદાખ પ્રત્યેકમાં ૦૧ મૃત્યુનો સમાવેશ થાય છે.

દેશભરમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૮૦,૭૭૬ લોકોનાં મોત નીપજ્યાં છે અને કુલ ૨૯,૮૯૪ મૃત્યુ સાથે મહારાષ્ટ્ર મોખરે છે.

જૉન્સ હૉપ્ક્ધિસ યુનિવર્સિટીના જણાવ્યાનુસાર કોરોનાની રિકવરીને મામલે ભારત વિશ્ર્વમાં ટોચના સ્થાને છે તો બ્રાઝિલ અને અમેરિકા અનુક્રમે ત્યાર પછીના સ્થાને છે.

અમેરિકા બાદ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થયેલા દેશમાં ભારતનો નંબર આવે છે.

કોરોનાને કારણે અમેરિકામાં સૌથી વધુ લોકોનાં મૃત્યુ થયા છે તો ભારત આ યાદીમાં અમેરિકા અને બા્રઝિલ પછીના એટલે કે ત્રીજા સ્થાને છે.

ઓક્ટોબરના પહેલા અઠવાડિયા સુધીમાં દેશમાં કોરોનાના કેસની સંખ્યા ૭૦ લાખથી વધી જશે તેમ જ કોરોનાના કેસને મામલે ભારત અમેરિકાને પાછળ રાખી દઈ ટોચના સ્થાને પહોંચી જાય તેવી શક્યતા હોવાની હૈદરાબાદસ્થિત ‘બિટ્સ પિલાની’નામની સંસ્થાના સંશોધકોની ટુકડીએ જાહેરાત કરી છે.

દરમિયાન, કોરોનાની રસી ન શોધાય ત્યાં સુધી સાવચેત રહેવાનું અને કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને જણાવ્યું છે.

September 15, 2020
mps.jpg
1min4700

સોમવારના રોજ સંસદના ચોમાસા સત્રની શરૂઆત થઈ ચૂકી છે, સંસદ શરૂ થાય તે પહેલા લોકસભાના 17 સાંસદ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ સાંસદોનો કોરોનાનો રિપોર્ટમાં 13 અને 14 સપ્ટેમ્બરના રોજ સંસદ ભવનમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોના સંક્રમિત 17 સાંસદોમાં સૌથી વધારે 12 સાંસદ ભારતીય જનતા પાર્ટીના છે. YRS કોંગ્રેસના બે, શિવસેના, DMK અને RLPના એક-એક સાંસદનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે સંસદના ચોમાસા સત્ર શરૂ થાય તે અગાઉ નિયમ બનાવવામાં આવ્યો હતો કે તમામ કર્મચારી તેમજ સાંસદ સભ્યોનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને પરિસરમાં પ્રવેશ કરવા માટેની પરવાનગી આપવામાં આવશે. તેમજ તે રિપોર્ટ 72 કલાકથી વધારે પહેલાનો ન હોવો જોઈએ.

ચોમાસુ સત્ર શરૂ થાય તે અગાઉ બંને સદનોના ઘણા બધા ઉંમરલાયક સાસંદોએ કોરોના મામલે ચિંતા વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે સત્ર શરૂ થાય તે અગાઉ ગાઈડલાઈન્સનું પાલન થશે તો પણ દરેક સમયે પરિસરમાં ઓછામાં ઓછા 2000 લોકો હાજર રહેશે.

નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસની મહામારી શરૂ થઈ ત્યારથી ચોમાસુ સત્ર શરૂ થયુ ત્યાં સુધીમાં કેન્દ્રીય મંત્રી અને બંને સદનોના કુલ મેળવીને લગભગ બે ડઝન જેટલા સાંસદો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. લોકસભામાં તમિલનાડુના સાંસદ એચ વસંતકુમારનું તો કોરોના વાયરસના સંક્રમણના કારણે નિધન પણ થઈ ચૂક્યું છે.

September 14, 2020
amitabh-bachchan-on-alexa-887240-1600061937.jpg
1min9400

અમેઝોન ઇન્ડિયાના હેડ અમિત અગરવાલે ટ્વીટ કરીને એક એવી હિન્ટ આપી છે કે વિશ્વભરમાં પ્રચલિત બનેલા એમોઝોનના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ડિવાઇઝ એલેક્ઝા કે જે યુઝરને કોઇપણ પ્રશ્નનો ઉત્તર આપીને તેનું પાલન કરે છે તેના પર એકાદ વર્ષમાં અમિતાભ બચ્ચન હિન્દીમાં જવાબો આપવા માંડશે.

અમેઝોન સાથે એલેક્ઝા ડિવાઇસમાં અમિતાભ બચ્ચને વોઇશ શેરીંગ અંગેની પાર્ટનરશીપ રચી છે અને હવે અમિતાભ બચ્ચનના વોઇસ ઇનપુટ્સ એલેક્ઝાના પ્રોગ્રામિંગ માટે લેવામાં આવશે. એકાદ વર્ષમાં અમિતાભ બચ્ચનના સ્વરમાં ભારતીય ભાષા હિન્દીમાં એલેક્ઝા પરથી યુઝરને જવાબો મળશે.

बॉलीवुड ऐक्टर अमिताभ बच्चन ने Amazon के साथ पार्टनरशिप की है. इस पार्टनरशिप के तहत भारत में पहली बार Alexa सेलिब्रिटी वॉयस में उपलब्ध होगा.

Amazon India के मुताबिक़ कस्टमर्स भारत में अमिताभ बच्चन की आवाज़ Alexa में पा सकेंगे. इसके लिए अमिताभ बच्चन वॉयस एक्सपीरिएंस ख़रीदना होगा. हालांकि ये फ़ीचर अगले साल से उपलब्ध होगा.

Amazon India ने कहा है कि Amazon Alexa की टीम अमिताभ बच्चन के साथ मिल कर काम करेगी ताकि उनकी वॉयस को Alexa के लिए बेहतर तरीक़े से कैप्चर किया जा सके.

अमिताभ बच्चन की वॉयस में Alexa के पॉपुलर वॉयस कमांड्स मिलेंगे. जैसे जोक्स, वेदर, शायरी, मोटिवेशनल कोट्स और ऐडवाइस अमिताभ बच्चन की वॉयस में उपलब्ध होंगे.

Alexa वॉयस एक्सपीरिएंस के लिए इस पार्टनरशिप पर अमिताभ बच्चन ने कहा है कि ये इसे लेकर उत्साहित हैं. उन्होंने यह भी कहा है कि वॉयस टेक्नोलॉजी से से कुछ ऐसा बनाया जिससे बेहतर तरीक़े से वो अपने ऑडिएंस और वेल विशर्स के साथ एंगेज कर पाएंगे.