CIA ALERT

ઇન્ડીયા Archives - Page 88 of 215 - CIA Live

November 13, 2020
AffordableHousing.png
1min7960

કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને હાઉસિંગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા મોટી રાહતની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, રોજગારી વધારવાના પગલાં અને કોરોનાની રસીના સંશોધન માટે રૂપિયા ૯૦૦ કરોડની ફાળવણીની પણ જાણકારી આપી હતી. ખેડૂતોને ખાતર સબસિડી પેટે રૂ. ૬૫,૦૦૦ કરોડ ફાળવાયા હતા. નિકાસને પ્રોત્સાહન આપવા રૂપિયા ૩૦૦૦ કરોડ ફાળવાશે.

રૂપિયા બે કરોડ સુધીના ઘર (પ્રાઇમરી રેસિડેન્શિયલ યુનિટ)ના સર્કલ રેટથી ઓછી કિંમતે વેચાણ માટે આવકવેરાના કાયદા હળવા બનાવાયા છે. અત્યાર સુધીમાં સર્કલ રેટ અને એગ્રીમેન્ટ વેલ્યુના માત્ર ૧૦ ટકા તફાવતની પરવાનગી હતી. હવે રૂપિયા બે કરોડ સુધીની કિંમતના રેસિડેન્શિયલ યુનિટ્સના પ્રાઇમરી સેલ માટે આ ગાળો ૨૦૨૧ની ૩૦મી જૂન સુધી વીસ ટકા કરાયો છે. સરકારના આ પગલાંથી ઘર ખરીદનારા લોકો અને ડેવલપર્સ, એમ બન્નેને લાભ થશે.

સરકારે નવી રોજગારી પૂરી પાડનારી કંપનીઓને સબસિડી આપવાનો નિર્ણય લીધો છે. આ સબસિડીમાં રિટાયરમેન્ટ ફંડમાંના ફાળાને બે વર્ષ માટે આવરી લેવાશે. નવા કર્મચારીને નોકરીમાં રાખનારી અને એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનમાં નોંધાયેલી કંપનીને આત્મનિર્ભર રોજગાર યોજના હેઠળ સબસિડી અપાશે.

નિકાસને પ્રોત્સાહન આપવા એક્ઝિમ બેંકને રૂપિયા ૩,૦૦૦ કરોડ ફાળવાશે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે દેશ હવે કોરોનાને કારણે આવેલી મંદીમાંથી બહાર આવી રહ્યો છે અને દેશની ઈકોનોમી રીકવર થઇ રહી છે. તેમણે કહ્યું હતું કે આંકડાઓ જોઈએ તો જીએસટી કલેક્શન ઓક્ટોબરમાં ગત વર્ષની સરખામણીએ ૧૦ ટકા વધીને રૂ. ૧.૦૫ લાખ કરોડ પર પહોચ્યું છે. આવી જ રીતે પીએમઆઇ ઇન્ડેક્સમાં પણ સુધારો થયો છે અને એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન ૩૫.૩૭ અબજ ડોલરનું વિદેશી રોકાણ દેશમાં આવ્યું છે. આ ઉપરાંત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધારે રૂ. ૧૮૦૦૦ કરોડ વાપરશે જેનાથી ૧૨ લાખ નવા ઘરો બનાવવામાં મદદ મળશે.

નાણાં પ્રધાને દેશમાં કોવિડ-૧૯ની રિકવરીને પહોંચી વળવા માટે મદદ કરવા નવી રાહત અને પ્રોત્સાહનોની જાહેરાત કરી હતી. મે, ૨૦૨૦થી કેન્દ્ર સરકાર દ્વારા જે પણ રાહત આપવામાં આવી છે, તે રાહતની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે.

સીતારામને કહ્યું હતું કે વિદેશી હુંડિયામણની અનામત ૫૬૦ અબજ ડોલર પર પહોંચી ગયું છે. તેમણે કહ્યું કે જીએસટી કલેક્શન ઓક્ટોબરમાં ૧.૦૫ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું. એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન એફડીઆઇ ૩૫.૩૭ અબજ ડોલર રહ્યું હતું જે વાર્ષિક ૧૩ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

મુખ્ય અર્થશાસ્ત્રીઓએ સૂચવ્યું હતું કે રિકવરી માત્ર માંગથી જ નહીં, પણ મજબૂત આર્થિક વૃદ્ધિમાંથી પણ આવશે. તેમણે કહ્યું કે ઓક્ટોબરમાં પીએમઆઇ ૫૮.૯ ઉપર પહોંચી ગયો. જે સપ્ટેમ્બરમાં ૫૪.૬ ની સપાટીએ હતો.

વીજ વપરાશમાં વધારો અને બજારનું મજબૂત પ્રદર્શન સુધારણાના કેટલાક સંકેતો છે. છેલ્લા ૧૦-૧૫ દિવસથી આર્થિક સુધારા દેખાય છે.

સ્વનિર્ભર ભારત અભિયાન-૧ અંતર્ગત કેટલીક બાબતોમાં પર પ્રગતિ જોવા મળી રહી છે. વન નેશન વન રેશનકાર્ડ આમાં અગ્રણી છે. તેનો અમલ પહેલી સપ્ટેમ્બરથી કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં ૬૮.૬ કરોડ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે.

ઇન્ટ્રા સ્ટેટ પોર્ટેબિલીટી હેઠળ ૧.૫ કરોડ માસિક વ્યવહારો કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી શેરી વિક્રેતાઓ યોજના હેઠળ ૨૬.૬૨ લાખ લોનની અરજીઓ મળી છે. તેમાંથી ૧૩.૭૮ લાખ એપ્લિકેશન હેઠળ ૩૦ રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧,૩૭૩.૨૨ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.

કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ અત્યાર સુધીમાં ૧૮૩ લાખ અરજીઓ આવી છે. બેંકોએ આ અંતર્ગત ૧૫૦ લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ જારી કર્યા છે. બેંકે બે તબક્કામાં ૧,૪૩,૨૬૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત ૨૧ રાજ્યો દ્વારા કુલ ૧,૬૮૧.૩૨ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે નાબાર્ડ દ્વારા ૨૫ હજાર કરોડનું વધારાનું વિતરણ ખેડૂતોને કરવામાં આવ્યું છે. આ ઇમર્જન્સી વર્કિંગ કેપિટલ ફંડિંગ છે.

અહેવાલો અનુસાર સરકાર મુશ્કેલીમાં હોય તેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આના માધ્યમથી તે અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનો પ્રયાસ કરશે. કેબિનેટે બુધવારે મળેલી બેઠકમાં ૧૦ સેક્ટરમાં પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ્સ (પીએલઆઇ)ના અમલીકરણને મંજૂરી આપી છે. પીએલઆઇ હેઠળ આવતા પાંચ વર્ષમાં ૧.૪૬ લાખ કરોડ રૂપિયા પૂરા પાડવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૫૭ હજાર કરોડની મહત્તમ પ્રોત્સાહન પ્રાપ્ત કરનારા ક્ષેત્રોમાં ઓટો અને ઓટોમોબાઈલ ક્ષેત્ર હોઈ શકે છે.

આ સિવાય જે ક્ષેત્રોને લાભ થશે તેમાં એડવાન્સ સેલ કેમિસ્ટ્રી, બેટરીઓ, ફાર્મા, ફૂડ પ્રોડકટ્સ અને વ્હાઇટ ગુડ્સ સામેલ છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર વધારાના ઉત્પાદન પર કંપનીઓને પ્રોત્સાહન આપશે અને તેમને નિકાસ પણ કરશે. ગયા મહિને, નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે જાહેરાત કરી હતી કે સરકાર ઘરેલું ઉત્પાદન ક્ષેત્રને ટેકો આપવા માટે ઉત્પાદન સાથે જોડાયેલા પ્રોત્સાહન લાવશે.

રાહત પેકેજ બે મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રથમ તે છે કે વધુને વધુ લોકોને રોજગારી કેવી રીતે પૂરી પાડવી તેના ઉપર રાહત પેકેજમાં મહત્ત્વની જાહેરાત હોઈ શકે છે. આ માટે સરકાર પ્રોવિડન્ટ ફંડમાં ૧૦ ટકા સબસિડીની જાહેરાત કરી શકે છે.

બીજા પગલાં તરીકે સરકાર કે.વી. કામત સમિતિ દ્વારા દબાણ અને મુશ્કેલી હેઠળ તમામ ૨૬ ક્ષેત્રો માટે ઇમર્જન્સી ક્રેડિટની વ્યવસ્થા કરી શકે છે. વિવિધ ક્ષેત્ર માટે વિવિધ રાહત આપી શકાય છે.

November 6, 2020
whasapppay.jpg
4min8380

નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ગઇકાલ તા. 5 નવેમ્બર 2020ના રોજ ભારતમાં ફેસબુકને ઓનલાઇન મની ટ્રાન્સફરની સુવિધા શરૂ કરવા સંદર્ભે મંજૂરી આપી છે. ફેસબુકની માલિકીની એપ્લિકેશન WhatsAppPay ટૂંક સમયમાં યુઝર્સને નાણાંકીય લેવડદેવડની સુવિધા આપશે. નાણાંકીય લેવડ-દેવડ માટે Unified Payments Interface (UPI) methodનો ઉપયોગ કરવાનો રહેશે.

NPCI દ્વારા થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર્સ પર 30 ટકાની કેપ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ નિયમ 1 જાન્યુઆરીથી લાગુ થશે. જેનો અસરકારક અર્થ એ છે કે યુપીઆઈએ નવા ગ્રાહકોને સ્વીકારવાનું બંધ કરવું પડશે અને તે સરળતા રહેલ ટ્રાન્ઝેક્શનની સંખ્યાને પ્રતિબંધિત કરવી પડશે.

ફેસબુકની માલિકીના વ્હોટ્સએપ પે એપને નાણાંકીય લેવડદેવડની મંજૂરી મળતા જ પેટીએમ, ગૂગલ એપ, ફોન પે, જિયો એપ, એમેઝોન પે વગેરેમાં ફફડાટ મચી ગયો છે કેમકે હાલમાં વ્હોટ્સ એપ જેટલો વ્યાપ વિસ્તાર કોઇ અન્ય સોશ્યલ મેસેજિંગ સાઇટનો નથી. વ્હોટ્સએપનો વિશાળ યુઝર બેઝ જોતા તેની પેમેન્ટ એપને પણ જબરદસ્ત પ્રતિસાદ સાંપડે એમ છે.

જેમને હજુ સુધી UPI એટલે શું એ ખબર ન હોય તેમના માટે

National Payments Corporation of India NPCI

National Payments Corporation of India (NPCI), an initiative of the Reserve Bank of India (RBI) and Indian Banks‘ Association (IBA), is an umbrella organisation for operating retail payments and settlement systems in India.

How to Make a Payment Using WhatsApp In-Chat Payment?

To transfer funds using the WhatsApp In-Chat Payment system, click on the ‘Rupee’ symbol under the ‘Attachment’ option. After this step, money transfers can be made in a single step by entering the transaction amount and the UPI PIN. The main advantage of this type of payment system is that users will not have to navigate out of the chat window to make a payment.

Let us now understand the step-by-step process involved in making payments via Whatsapp (for Android users):

Step 1: Go to the chat window of the person to whom you want to make a payment and click on the attachment icon

Step 2: Proceed to click on the ‘Payment’ option in the chat window and accept terms and conditions

Step 3: Enter the amount you want to transfer, UPI PIN and send the money For those with iOS phones, click on the plus symbol in the chat window and follow the procedure from step 2.

Features and Benefits of WhatsApp In-Chat Payment

  • Make payment to anyone on WhatsApp contact list from anywhere and at anytime
  • User-friendly ‘pay’ feature that makes transferring funds as simple as sending a photo or a message
  • The payee/beneficiary will receive a payment notification on their chat window once the fund transfer has been made
  • There is no need to ask the payee for account details such as account number or IFSC Code. All you need is a virtual address to make payment
  • The WhatsApp In-Chat Payment application is a one-of-a-kind payment feature

November 6, 2020
diwali-fire-crackers-vectors-1.jpg
2min8040

હિન્દુ સંસ્કૃતિના સૌથી મોટા તહેવારમાં ફટાકડાની ભારે ધૂમ હોય પરંતુ, કહેવાતા સિદ્ધાંતવાદીઓ, પર્યાવરણવાદીઓ હવે દિવાળીમાં ફટાકડા નહીં ફોડવાની પેરવી કરી રહ્યા છે અને તેના ભાગરૂપે મુંબઇ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઓડિશા વગેરે રાજ્યોએ તો ફટાકડા પર પ્રતિબંધ લાદી દીધો છે. ગુજરાતમાં સરકારે આ અંગે કશો ફોડ પાડ્યો નથી એનો અર્થ એ સમજવો કે ગુજરાતમાં ફટાકડા ફૂટશે.

મુંબઇ

દિવાળીના તહેવારમાં પણ કોરોનાના આંતકનો ઓછાયો રહેવાનો હોઈ દિવાળીની ઉજવણી દરમિયાન મરિન ડ્રાઈવ, જુહૂ, વરલી સી ફેસ જેવા સાર્વજનિક સ્થળે ફટાકડા ફોડવા પર મુંબઈ મહાનગરપાલિકાએ પ્રતિબંધ મૂક્યો છે. ફટાકડા ફોડવા સંદર્ભમાં મુંબઈ મહાનગરપાલિકા એક સ્ટાર્ન્ડ ઑપરેટિંગ પ્રોસેજર (એસઓપી) બહાર પાડવાની છે, તે મુજબ મર્યાદિત માત્રામાં ફટાકડા ફોડી શકાશે. જોકે સાર્વજનિક સ્થળે ફટાકડા ફોડનારા સામે મુંબઈ પોલીસની મદદથી મુંબઈ મહાનગરપાલિકાએ સખત કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

કોરોનાએ પગલે આ વર્ષે તમામ તહેવારો સાદગીપૂર્વક ઊજવવામાં આવ્યા છે ત્યારે હિંદુઓના સૌથી મોટા તહેવાર ગણાતા દિવાળીને પણ સાદાઈપૂર્વ ઊજવવાની રાજ્ય સરકારની સાથે જ મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈગરાને નમ્ર વિનંતી કરી છે. તેથી દર વર્ષની માફક ફટાકડા ફોડવા પર નિયંત્રણ આવી જવાનું છે. પાલિકા આગામી બે દિવસમાં ફટાકડા ફોડવા માટે નિયમાવલી જાહેર કરશે. આ દરમિયાન ફટાકડા ફોડતા સમયે સૅનિટાયઝરનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ રહેશે એવું એડિશન મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.

નવી દિલ્હી

દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ મુકાયો હતો. પ્રદૂષણ વધવાને કારણે દિલ્હીની પરિસ્થિતિ વણસી રહી હોવા વચ્ચે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે લોકોને આ વરસે દિવાળીના દિવસોમાં ફટાકડા નહીં ફોડવાની અને ‘આપ’ સરકાર દ્વારા યોજવામાં આવનારા લક્ષ્મીપૂજનના કાર્યક્રમમાં જોડાવાની અપીલ કરી હતી.

પશ્ચિમ બંગાળ

કોલકાતા હાઈ કોર્ટે કોવિડ-૧૯ની મહામારીને ધ્યાનમાં રાખીને પશ્ર્ચિમ બંગાળમાં મા કાલી પૂજા, જગદધાત્રી પૂજા અને છઠ પૂજા સહિતના હિન્દુ તહેવારો દરમિયાન ફટાકડા વેચવા તથા ફોડવા પર ગુરુવારે પ્રતિબંધ મૂક્યો હતો.

ન્યાયાધીશો સંજીબ બૅનરજી અને અરિજીત બૅનરજીની ડિવિઝન બેન્ચે બે જાહેર હિત અરજીઓની સુનાવણી દરમિયાન આ આદેશ જાહેર કર્યો હતો. કાળી પૂજા ૧૫મી નવેમ્બરે છે.

અદાલતે એવો પણ આદેશ બહાર પાડ્યો હતો કે ‘આ પ્રતિબંધ જગદધાત્રી, છઠ પૂજા તથા કાર્તિક પૂજા દરમિયાન પણ લાગુ પડશે. દુર્ગા પૂજા દરમિયાન મંડપમાં પ્રવેશની મનાઈ જેવા માર્ગદર્શિકાઓ પણ કાલી પૂજા દરમિયાન લાગુ પડશે.

દુર્ગા પૂજા દરમિયાન અદાલતની માર્ગદર્શિકાઓનો અસરદાર અમલ કરવા બદલ ન્યાયમૂર્તિઓની બેન્ચે રાજ્ય સરકારને બિરદાવી હતી અને પોલીસને આદેશ આપ્યો હતો કે કાલી પૂજા દરમિયાન પણ પ્રતિબંધ સહિતના નિયમો બરાબર લાગુ પડે એની તકેદારી રાખજો.

કાલી પૂજા દરમિયાન ૩૦૦ ચોરસ મીટરના મંડપમાં ૧૫ લોકોને અને વધુ મોટા વિસ્તારના મંડપમાં ૪૫ લોકોને પ્રવેશવાની છૂટ મળશે. અદાલતે વિસર્જન દરમિયાન સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

Hariyana

The Haryana government on Monday declared possession and sale of imported firecrackers as illegal and punishable in the state. Deputy commissioners of all the districts have been directed to be vigilant in this regard and take strict action against the sale and distribution of imported firecrackers.

Additionally, they have also been asked to ensure there is no storage of imported firecrackers by conducting the inspection of all the establishments and taking preventive actions.

November 5, 2020
ipl.jpeg
1min494

મુંબઇ ઇન્ડિયન્સની મજબૂત ટીમ અને આઇપીએલની વર્તમાન સિઝનમાં શાનદાર દેખાવ કરનાર દિલ્હી કેપિટલ્સની ટીમ વચ્ચે ગુરૂવારે ફાઇનલમાં પહોંચવા માટે પહેલા ક્વોલીફાયરમાં કાંટે કી ટક્કર થશે. લીગ રાઉન્ડના બન્ને મેચમાં મુંબઇએ દિલ્હીને હાર આપી છે. આથી આવતીકાલના મેચમાં પણ તે ફેવરિટ માનવામાં આવે છે. જો કે સુકાની રોહિત કહે છે કે તે ઇતિહાસ છે. અહીં પહોંચ્યા બાદ જે સારો દેખાવ કરશે તેને જીત મળશે.

આ મુકાબલાની વિજેતા ટીમ સીધી જ ફાઇનલમાં પહોંચશે. જ્યારે પરાજીત ટીમને આ માટે વધુ એક તક મળશે. કારણ કે બન્ને ટીમ પોઇન્ટ ટેબલ પર પહેલા-બીજા સ્થાને છે.

આઇપીએલની ચાર વખતની વિજેતા મુંબઇ ઇન્ડિયન્સ ટીમને લીગ રાઉન્ડમાં હાર આપવી કોઇ ટીમ માટે આસાન ન હતી, પણ મંગળવારના મેચમાં હૈદરાબાદના હાથે 10 વિકેટે મળેલી હારથી ચેમ્પિયન ટીમનો આત્મવિશ્વાસ થોડો ડગમગી ગયો છે.

બીજી તરફ પોતાના પહેલા ખિતાબ માટે ઝઝુમી રહેલી દિલ્હી કેપિટલ્સ સતત ચાર મેચ ગુમાવ્યા બાદ નિર્ણાયક મુકાબલામાં બેંગ્લોરને પરાજીત કરીને નંબર ટૂ ટીમ બની છે. આ જીતથી તેનો આત્મવિશ્વાસ વધ્યો છે. મુંબઇની ટીમ માટે સકારાત્મક વાત એ છે કે તેનો કેપ્ટન રોહિત શર્મા વાપસી કરી ચૂકયો છે. હેમસ્ટ્રિંગને લીધે તે ચાર મેચ રમી શકયો ન હતો. જો કે આ સ્ટાર બેટ્સમેન હૈદરાબાદ સામે પ રન જ કરી શકયો હતો. મુંબઇ પાસે સારી બેટિંગ લાઇન અપ છે. યુવા ઇશાન કિશન (428 રન) તેનો મહત્ત્વનો બેટધર બનીને ઉભરી આવ્યો છે. કિવંટન ડિ’કોક (443 રન) તેની ભૂમિકા બખૂબી નિભાવી રહ્યો છે. સૂર્યકુમાર યાદવ (410 રન) શાનદાર ફોર્મમાં છે. જ્યારે કિરોન પોલાર્ડ, હાર્દિક પંડયા અને કુણાલ પંડયા બિગ હિટર છે.

સુકાની રોહિત શર્મા દબાણગ્રસ્ત મેચનો મોટો ખેલાડી ગણાય છે. મુંબઇની બોલિંગને જસપ્રિત બુમરાહ (23 વિકેટ) અને ટ્રેંટ બોલ્ટ (20 વિકેટ) ધારદાર બનાવે છે. આ બન્નેને હૈદરાબાદ વિરૂધ્ધ વિશ્રામ અપાયો હતો.

બીજી તરફ દિલ્હી તરફથી અનુભવી શિખર ધવન (પ2પ રન) શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે. જો કે તેને બીજા બેટ્સમેનો તરફથી પૂરતો સહયોગ મળી રહ્યો નથી. દિલ્હીની ચિંતા પૃથ્વી શો અને ઋષભ પંતના નબળા ફોર્મની છે. સુકાની શ્રેયસ અય્યર (421 રન) લીગ રાઉન્ડના બીજા તબક્કામાં ચમકદાર દેખાવ કરી શકયો નથી. વિદેશી ખેલાડી હેટમાયર અને સ્ટોઇનિસે મહત્ત્વના મેચમાં ફોર્મ બતાવવું પડશે. રબાડા (2પ વિકેટ) અને નોત્ઝે (19 વિકેટ) સાથે સારી બોલિંગ કરી રહ્યા છે. આ આફ્રિકી જોડી દિલ્હી માટે હુકમના એક્કા સમાન છે.

November 4, 2020
banks-1280x592.jpg
2min622

98253 44944

વિદેશમાં ફરવા જનારાઓ, વિદેશમાં અભ્યાસાર્થે જનારાઓ, વિદેશમાં બિઝનેસ અર્થે જનારાઓની સંખ્યા વધતી જાય છે. વિદેશ જનારાઓએ એક વાતની ખાસ તકેદારી રાખવી પડે છે કે તેઓ જો રૂપિયાનું આયોજન નહીં કરે તો વિદેશમાં અટવાય શકે છે. એક સામટી કેશ લઇને વિદેશ જવામાં પણ જોખમ હોય છે. આવી સ્થિતિમાં જો ભારતીય બેંકો જ વિદેશમાં ઉપલબ્ધ બની શકે તો તેનાથી સારી સુવિધા શું હોઇ શકે.

અહીં ભારતીય બેંકોની વિદેશોમાં કયાં ક્યાં બ્રાન્ચીસ આવી છે તેની વિગતો રજૂ કરી છે. આ માહિતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે.

November 2, 2020
marriage.jpg
1min4780

ગુજરાતમાં જેમ જેમ કોરોનાના કેસો ઓછા થઇ રહ્યા છે તેમ તેમ સરકારે અનલોકની પ્રક્રિયાને વધુ મુક્ત બનાવવાનું શરૂ કર્યું છે. હવે ગુજરાતમાં મેરેજ સમારંભોમાં 200 મહેમાનોને આમંત્રિત કરવાની છૂટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર, ગુજરાત સરકારે પણ લગ્નપ્રસંગમાં 200 લોકોને ભેગા થવાની છૂટ આપી છે.

સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે છૂટ ભલે 200 લોકોને એકત્ર થવાની આપી હોય, પરંતુ તેમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે.

લગ્ન અને મરણ જેવા પ્રસંગોમાં જ સૌથી વધુ લોકો એકત્ર થતા હોય છે. જોકે, ભીડભાડમાં કોરોના વધુ ફેલાતો હોવાના કારણે સરકારે તેના પર આકરા નિયંત્રણો લાદ્યા હતા. બીજી તરફ, લોકડાઉન અને કોરોનાને કારણે અનેક લગ્નપ્રસંગો પણ રદ્દ થયા હતા.

સપ્ટેમ્બર મહિનાની સરખામણીમાં ઓક્ટોબરમાં ગુજરાતમાં કોરોનાના કેસોમાં ખાસ્સો ઘટાડો થયો છે. ગઈકાલે રાજ્યમાં 900થી ઓછા નવા કેસો નોંધાયા હતા. નવા કેસોમાં ઘટાડો થવાની સાથે રિકવરી રેટમાં વધારો થયો છે, અને મૃત્યુદરમાં પણ ઘટાડો નોંધાયો છે.

કોરોનાને કારણે આ વર્ષે ગુજરાતમાં નવરાત્રીમાં ગરબા માટે છૂટ પણ નહોતી અપાઈ. હવે દિવાળીના તહેવાર પણ નજીક આવી રહ્યા છે, ત્યારે પણ લોકોને બને ત્યાં સુધી ઘરે રહીને જ ઉજવણી કરવા અપીલ કરવામાં આવી રહી છે.

કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને પણ તાજેતરમાં ચેતવણી આપી હતી કે તહેવારોમાં લોકો ઘરોની બહાર વધુ નીકળશે અને તેનાથી કોરોનાના કેસ વધી શકે છે. તેમણે તહેવારોના સમયમાં સાચવી લઈને અત્યારસુધીની કોરોનાની લડત પર પાણી ન ફરી જાય તે સુનિશ્ચિત કરવા પણ લોકોને અપીલ કરી હતી.

અત્યારસુધી લગ્નપ્રસંગમાં 100 લોકો જ ભેગા થઈ શકતા હતા. જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે. જોકે, બંધ હોલમાં જો લગ્નપ્રસંગ હોય તો હોલની કેપેસિટીના અડધા લોકો જ ભેગા થઈ શકેશે.

November 2, 2020
vaccine.jpg
1min5430

બીજેપીએ બિહાર વિધાનસભાની ચૂંટણીના ઘોષણાપત્રમાં મફત કોરોના વૅક્સિનનું આપેલું વચન ચૂંટણીની આચારસંહિતાનો ભંગ નહીં હોવાનું ચૂંટણી પંચે ગઈ કાલે જણાવ્યું હતું. આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) ઍક્ટિવિસ્ટ સાકેત ગોખલેની ફરિયાદના અનુસંધાનમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને કોરોનાની રસી વિનામૂલ્ય ઉપલબ્ધ કરાવવાનું વચન આપવાથી આચારસંહિતાની કોઈ પણ જોગવાઈનો ભંગ થતો નથી. સાકેત ગોખલેએ સરકારે સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનો દાવો તેમની ફરિયાદમાં કર્યો હતો. 

November 1, 2020
vaishno-devi.jpg
1min6140

માતા વૈષ્ણોદેવી મંદિરે પહેલી નવેમ્બરથી પ્રતિદિને ૧૫,૦૦૦ શ્રદ્ધાળુને દર્શન કરવાની છૂટ આપવામાં આવી છે, એમ જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે શુક્રવારે કહ્યું હતું. કોરોના મહામારીને કારણે અગાઉ એક દિવસના ફક્ત ૭૦૦૦ શ્રદ્ધાળુને દર્શન કરવાની છૂટ આપવામાં આવી હતી.

નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (એસઓપી)માં વહીવટીતંત્રે જણાવ્યું હતું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી આદેશ આપે છે કે માર્ગદર્શિકા અને નિર્દેશનો ૩૦-૧૧-૨૦૨૦ સુધી કાયમ રહેશે, ફક્ત માતા વૈષ્ણોદેવી મંદિર, કતરામાં અગાઉની પ્રતિદિન ૭૦૦૦ શ્રદ્ધાળુને દર્શન કરવાની છૂટમાં ફેરફાર કરતા હવે ૧૫,૦૦૦ શ્રદ્ધાળુને દર્શન કરવાની છૂટ આપવામાં આવે છે.

કોરોના મહામારીને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન બાદ અંદાજે પાંચ મહિના પછી ત્રિકુટા ટેકરી પર આવેલું માતા વૈષ્ણાદેવીનું મંદિર ૧૬મી ઓગસ્ટથી ફરી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લુ મૂકાયું હતું. પ્રારંભિક તબક્કે ફક્ત દિવસના ૨૦૦૦ લોકોને દર્શન કરવા માટે પરવાનગી આપવામાં આવી હતી જેમાં ૧૦૦ જમ્મુ-કાશ્મીરની બહારના લોકોનો સમાવેશ કરાયો હતો.

યાત્રા રજિસ્ટ્રેશન કાઉન્ટર્સ ખાતે લોકો મોટી સંખ્યામાં ભેગા ન થાય તે માટે યાત્રાળુઓ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભવન, અધકુવારી, કતરા અને જમ્મુમાં યાત્રાળુઓને રહેવાની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ એસઓપીનું પાલન કરવું ફરજિયાત છે.

શ્રાઇન બોર્ડની અન્ય સુવિધાઓ જેવી કે, બેટરી દ્વારા ચાલતા વાહનો, રોપવે અને હેલિકોપ્ટર સેવા વગેરે પણ નિયમોનું પાલન કરીને ચાલુ છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

October 31, 2020
SOU.png
1min9070

ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જન્મ જયંતિ નિમિત્તે આજરોજ દેશભરમાં અનેક વિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ભારતનો સૌથી મોટો કાર્યક્રમ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ તા.31મી ઓક્ટોબરને શનિવારે સવારે ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 145ની જન્મજયંતી નિમિત્તે કેવડિયા ખાતે આવેલી સરદાર પટેલની 182 મીટર ઊંચી વિરાટ પ્રતીમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સરદાર પટેલની જન્મજયંતીની 2014થી રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

October 31, 2020
randeep-guleria-1200.jpg
1min5100

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા ફરી વધતાં એક તરફ કોવિડ-19ની ત્રીજી લહેર શરૂ થયાની ચર્ચા છે તો બીજીતરફ એઈમ્સના નિર્દેશક ડો. ગુલેરિયા આ બાબતનો સતત ઈન્કાર કરી રહ્યા છે. એક ખાનગી સમાચાર ચેનલ સાથે વાત કરતાં ડો. ગુલેરિયાએ ત્રીજી લહેરથી ફરી ઈન્કાર કરતાં કહ્યું કે હાલમાં બીજી લહેર જ છે જે ફરીથી તેજ બની ગઈ છે. આવું થવા પાછળનું કારણ તેમણે લોકો દ્વારા સાવધાની વર્તવામાં ઢીલાશને લેખાવતાં કહ્યું કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળ્યા નહીં અને માસ્ક લગાવવામાં પણ ઢીલાશ વર્તી.

ડો. ગુલેરિયાએ કેસ વધવા પાછળ ઋતુ અને પ્રદૂષણને પણ જવાબદાર લેખાવતાં કહ્યું કે પ્રદૂષણને કારણે વાયરસ વધુ સમય સુધી હવામાં રહે છે. પ્રદૂષણ અને વાયરસ બંને ફેફસાંને પ્રભાવિત કરે છે.

તેમણે કહ્યું હતું કે કોરોનાવાયરસ હજુ સમાપ્ત થયો નથી. યુરોપ અને અન્ય દેશનું ઉદાહરણ આપતાં ડો. ગુલેરિયાએ કહ્યું કે માસ્ક જરૂર પહેરવું જોઈએ અને જરૂરી ન હોય તો બહાર જવાનું ટાળવું જોઈએ. જો આપણે સાવધાની નહીં રાખીએ તો હજુ પણ વધુ મામલા સામે આવી શકે છે.
તેમણે એમ પણ કહ્યું કે યુવાઓ ખાસ કરીને વધુ બેદરકાર છે. તેમને એવું લાગે છે કે હળવું સંક્રમણ લાગશે અને કાંઈ કરવાની જરૂર રહેશે નહીં પરંતુ આવી ધારણા ખોટી છે. યુવાઓ વાયરસ ઘરે લઈ જાય છે અને બુજુર્ગ તેના શિકાર બની રહ્યા છે.’ તેમણે કોરોનાની રસી આવવા અંગેની આશા વ્યક્ત કરતાં એમ પણ કહ્યું કે બની શકે એવી દવાઓ પણ આવે જે આ વાયરસ પર સારી રીતે કાબૂ મેળવી શકે.