ઇન્ડિયન મેડિકલ અસોસિએશને (આઇએમએ) સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયન મેડિસિન (સીસીઆઇએમ) દ્વારા ૨૦ નવેમ્બરના એક ગેઝેટ પ્રસિદ્ધ કરીને આયુર્વેદિક ડૉકટરોને ઑપરેશન કરવાની આપેલી પરવાનગીનો વિરોધ કરવા આવતી કાલે તા.8મી ડિસેમ્બર 2020ના રોજ સુરત, ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર સહિત દેશભરમાં અનેક શહેરોમાં તબીબો દેખાવો કરશે, કેટલીક પ્રાઇવેટ બ્રાન્ડ્સની હોસ્પિટલો પણ બંધ રાખવાનો નિર્ણય જાહેર કરાયો છે.
આઇએમએ માગણી કરી રહ્યું છે કે સીસીઆઇએમએ દ્વારા આપવામાં આવેલી સજિર્કલ પ્રક્રિયાઓ વિશેની સૂચનાઓ પાછી ખેંચી લેવામાં આવે તેમ જ મિક્સોપેથીને પ્રોત્સાહન આપવાની યોજના બનાવી રહેલી રાષ્ટ્રીય તબીબી આયોગની તમામ ચાર સમિતિઓને વિસજર્ન કરવામાં આવે, ઉપરાંત આપણા દેશમાં દરેક પ્રકારની દવાના સંશોધનકાર્યને પ્રોત્સાહન આપી તેનો વિકાસ કરવો જોઈએ.
સુરત ઇન્ડિયન મેડિકલ એસોસીએશન સક્રિય રીતે લડી રહ્યું છે આ મુદ્દા પર
આ માટે સીસીઆઇએમએ આયુર્વેદ પ્રક્રિયાઓ મોર્ડન મેડિકલ સાયન્સની સમકક્ષ છે એ વાતને તેમને પુરાવા આપીને સાબિત કરવી જોઈએ. અગાઉ કાયદાકીય લડતમાં કોર્ટના આદેશો છે કે મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા અથવા સ્ટેટ મેડિકલ કાઉન્સિલ સાથે રજિસ્ટર્ડ વ્યક્તિઓ જ મોર્ડન મેડિસિન સિસ્ટમની પ્રેક્ટિસ કરી શકે છે. સીસીઆઇએમ સાથે કાનૂની લડત એક જ વિકલ્પ છે. સીસીઆઇએમના આદેશને કારણે ઉદ્દભવનારી સંભવિત આફતો સામે સમાજને જાગરૂક કરવા આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે.
ઑલિમ્પિક ચંદ્રક વિજેતા અને હરિયાણાના બૉક્સર વિજેન્દ્ર સિંહે સરકારને ચેતવણી આપી છે કે દિલ્હીની સીમાઓ પર આંદોલન કરી રહેલા ખેડૂતોની માગણી મુજબ સરકાર નવા કૃષિ કાયદાઓ પાછા નહીં ખેંચી લે તો તે રાજીવ ગાંધી ‘ખેલરત્ન’ અવૉર્ડ પાછો આપી દેશે.
રવિવારે કૃષિ આંદોલન ૧૧મા દિવસમાં પ્રવેશ્યું હતું.
વિજેન્દ્ર સિંહ રવિવારે હરિયાણા-દિલ્હી સીમા પર પહોંચ્યો હતો. ગત લોકસભાની ચૂંટણીમાં તે કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી પણ લડી ચુક્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કૃષિ આંદોલન ખેંચી લેવાને મામલે સરકાર અને ખેડૂતો વચ્ચેની વાતચીતનું હજુ સુધી કોઈ સકારાત્મક પરિણામ નથી આવ્યું.
ભારતમાં કોરોના રસી અંગે પહેલી વખત સત્તાવાર અને નક્કર માહિતી વડાપ્રધાન શ્રી મોદીએ આજરોજ તા.4 ડિસેમ્બરના રોજ યોજાયેલી સર્વપક્ષિય ઓનલાઇન મિટીંગમાં જારી કરી હતી. પીએમ શ્રી મોદીએ તમામ રાજકીય પક્ષોને અપીલ કરી કે તેઓ લોકોને રસી વિશે જાગૃત કરે. પીએમ મોદીએ કહ્યું કે, નિષ્ણાતો માને છે કે, કોવિડ રસી આગામી કેટલાક અઠવાડિયામાં તૈયાર થઈ જશે.
સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, કોરોના રસી પહેલા હેલ્થકેયર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને વૃદ્ધોને આપવામાં આવશે.
ભારત રસીની ખૂબ નજીક છીએ તે ત્યારે તે જ લોકભાગીદારી, તે જ સાઈન્ટિફિક એપ્રોચ, તે જ સહકાર ભવિષ્યમાં પણ ખૂબ જ જરૂરી છે.
સમગ્ર વિશ્વની નજર દેશમાં બનાવવામાં આવેલી સૌથી સલામત અને સસ્તી રસી પર છે. પીએમે કહ્યું કે, નિષ્ણાતોએ આગાહી કરી છે કે, આગામી કેટલાક અઠવાડિયામાં કોરોના રસી તૈયાર થઈ જશે. વૈજ્ઞાનિકો દ્વારા રસીને લીલી ઝંડી મળતાની સાથે જ ભારતમાં લોકોને રસી આપવાની શરૂઆત કરાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ રસી અંગે તમામ પક્ષના નેતાઓને છેલ્લામાં છેલ્લી લેટેસ્ટ માહિતીથી માહિતગાર કર્યા હત.
તા.4 ડિસેમ્બરની સર્વપક્ષીય બેઠકમાં પીએમ શ્રી મોદીએ કહ્યું કે, રસીના સ્ટોક અને રીયલ ટાઇમ માહિતી માટે ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોવિડની રસીકરણ અભિયાન વ્યાપકપણે ફેલાશે.
આરબીઆઈએ રેપો રેટ 4 ટકા પર સ્થિર રખાયો છે જ્યારે રિવર્સ રેપો રેટ 3.35 ટકા જાળવી રાખ્યો છે. આરબીઆઈના આ નિર્ણયને પગલે તમામ લોન પરના ઈએમઆઈમાં ગ્રાહકોને કોઈ રાહત નહીં મળે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બે દિવસની મોનેટરી પોલીસી બેઠકના અંતે વ્યાજ દરમાં કોઈ બદલાવ નહીં કરતા યથાવત્ રાખ્યા છે.
કોરોના મહામારીને પગલે અર્થતંત્રમાં આવેલી પછડાટને લીધે તેને ફરીથી ધબકતું કરવા માટે ભવિષ્યમાં જરૂર જણાયે વ્યાજ દરમાં ઘટાડો કરાશે તમ આરબીઆઈના ગર્વનર શક્તિકાંત દાસે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું. ચાલુ વર્ષ માટે આરબીઆઈ અનુકૂળ ધિરાણનીતિ અપનાવવાનું ચાલુ રાખશે. મોનેટરી પોલીસીના સભ્યોએ સર્વાનુમતે આ બેઠકમાં વ્યાજ દર સ્થિર રાખવાનો નિર્ણય લીધો હોવાની સ્પષ્ટતા આરબીઆઈ ગર્વનરે કરી હતી.
કોરોના મહામારીને પગલે લાગુ કરાયેલા લોકડાઉથી અર્થતંત્રને ફટકો પડ્યો હતો જેને પગલે માર્ચથી અત્યાર સુધીમાં આરબીઆઈએ રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કર્યો હતો. છેલ્લે 22 મેના રોજ આરબીઆઈએ વચગાળામાં વ્યાજ દરમાં ઘટાડો કરતાઐતિહાસિક નીચા સ્તરે પહોંચ્યો હતો.
દેશમાં ખાંડનુ ઉત્પાદન એક ઓક્ટોબર ૨૦૧૯થી ૩૦ નવેમ્બર ૨૦૨૦ દરમિયાન ૪૨.૯૦ લાખ ટને પહોંચ્યુ છે, જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ૨૦.૭૨ લાખ ટન ઉત્પાદન થયુ હતું. આ રીતે ખાંડ ઉત્પાદનમાં ૨૨.૧૮ લાખ ટનની વૃદ્ધિ થઇ છે. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ઇસ્મા)નાં આંકડા અનુસાર સીઝન વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૦ નવેમ્બર સુધી ૪૦૮ સુગર મિલો શેરડીનું પિલાણ કરી રહી હતી, જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળા સુધીમાં ૩૦૯ મિલો શેરડીનું પિલાણ કરી રહી હતી.
ઇસ્માના મતે ૨૦૨૦-૨૧ દરમિયાન હાલની સીઝનમાં ખાંડના ઉત્પાદનનું સ્થિતિ ઘણા હદ સુધી ૨૦૧૮-૧૯ સીઝનની સમકક્ષ છે, જ્યારે બે પ્રારંભિક મહિનામાં ૪૧૮ મિલોએ શેરડીના પિલાણથી ૪૦.૬૯ લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યુ હતુ.
ચાલુ વર્ષે સુગર મિલો દ્વારા શેરડીના રસ અને મોલાસીસનો વ્યાપક પ્રમાણમાં ઇથેનોલ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેના પરિણામ સ્વરૂપ ચાલુ વર્ષે ખાંડનું ઉત્પાદન ૨૦ લાખ ટન ઓછુ થવાની અપેક્ષા છે.
ઉત્તરપ્રદેશમાં ૩૦ નવેમ્બર ૨૦૨૦ સુધી ૧૨.૬૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ઉત્પાદન ૧૧.૪૬ લાખ ટન હતુ. રાજ્યમાં ૧૧૧ સુગર મિલોમાં શેરડીનુંપિલાણ થઇ રહ્યુ છે. ઇસ્માના મતે મહારાષ્ટ્રમાં ચાલુસીઝનમાં ૧૫૮ સુગર મિલો કાર્યરત છે જ્યારે વિતેલી સીઝનમાં સમાન સમયગાળા સુધી ૭૧ સુગર મિલો ચાલી રહી હતી. રાજ્યમાં ચાલુ સીઝનમાં અત્યાર સુધી ૧૫.૭૨ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે. વિતેલ સીઝનમાં તેનું ઉત્પાદન અત્યાર સુધીમાં ૧.૩૮ લાખ ટન હતુ. કર્ણાટકમાં ૬૩ સુગર મિલો ચાલી રહી છે તેમજ ૧૧.૧૧ લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યુ છે.
રાજ્યમાં પાછલા વર્ષે સમાન સમયગાળામાં ઉત્પાદન ૫.૬૨ લાખ ટન કર્યુ હતુ અને ૬૦ સુગર મિલો ચાલુ હતી. તો ગુજરાતમાં ૩૦ નવેમ્બર સુધી કુલ ૧.૬૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ૬૨ હજાર ટન ખાંડનું ઉત્પાદન થયુ હતુ. રાજ્યમાં ૧૫ સુગર મિલો ચાલી રહી છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ૧૪ સુગર મિલો ચાલી રહી હતી. ઉત્તરાખંડ, બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં લગભગ ૬૧ સુગર મિલો શેરડીનું પિલાણ કરી રહી છે તેમજ ૧.૭૭ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે. પાછલા વર્ષે સમાન સમયગાળામાં તેનુ ઉત્પાદન ૧.૬૪ લાખ ટન હતુ તેમજ ૫૩ સુગર મિલો ચાલી રહી હતી. ઇસ્માના મતે પહેલી ઓક્ટોબરથી શરૂ થયેલી નવી માર્કેટિંગ સીઝનમાં ૧૦૬.૪ લાખ ટન ખાંડનો ઓપનિંગ સ્ટોક હતો. ચાલુ વર્ષે ૩૧૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાનો અંદાજ છે. આવી રીતે ચાલુ વર્ષ પણ ખાંડના મામલે સરપ્લસ રહેશે. ચાલુ વર્ષે ભારતમાંથી ૬૦-૭૦ લાખ ટન ખાંડની નિકાસ થવી જરૂરી છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની નવેમ્બરમાં રૂ. ૧.૦૪ લાખ કરોડની આવક થઇ હતી, જ્યારે તેના અગાઉના મહિને એટલે કે ઓક્ટોબરમાં જીએસટીની આવક રૂ. ૧.૦૫ લાખ કરોડ રહી હતી, એમ નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષના સતત બીજા મહિને રૂ. એક લાખ કરોડથી વધુની જીએસટી આવક થઇ છે.
નવેમ્બર, ૨૦૧૯ની સરખામણીમાં નવેમ્બર, ૨૦૨૦માં જીએસટીની આવકમાં ૧.૪ ટકાનો વધારો થયો છે. નવેમ્બર, ૨૦૨૦માં જીએસટીની આવકનો આંકડો રૂ. ૧,૦૪,૯૬૩ રહ્યો હતો, જ્યારે નવેમ્બર, ૨૦૧૯માં આ આંકડો રૂ. ૧,૦૩,૪૯૧ રહ્યો હતો.
આ સિવાય ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં આ વર્ષે નવેમ્બરમાં આયાત કરેલા માલ-સામાનથી ૪.૯ ટકા વધુ આવક અને ડોમેસ્ટિક ટ્રાન્ઝેકશન (ઇમ્પોર્ટ સર્વિસનો સમાવેશ) દ્વારા થતી આવક ૦.૫ ટકા વધુ થઇ હતી, એમ નિવેદનમાં વધુમાં જણાવાયું હતું.
નવેમ્બર, ૨૦૨૦માં ગ્રોસ જીએસટી રેવેન્યુ રૂ. ૧,૦૪,૯૬૩ કરોડ રહી હતી જેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. ૧૯,૧૮૯ કરોડ, સ્ટેટ જીએસટી રૂ. ૨૫,૫૪૦ કરોડ અને આઇજીએસટી રૂ. ૫૧,૯૯૨ કરોડ અને સેસ રૂ. ૮૨૪૨ કરોડનો સમાવેશ થાય છે.
માઇક્રોબ્લોગિંગ સાઇટ, ટ્વીટર Twitter પર ફોલોઅર્સની સૌથી વધુ સંખ્યા ધરાવતી વ્યક્તિ ભારતમાં પી.એમ. નરેન્દ્રભાઇ મોદી છે. પી.એમ. મોદી સાહેબને આજની (3 ડિસેમ્બર 2020) તારીખે Twitter પર કુલ 63.9 મિલિયન એટલે કે 6 કરોડ 39 લાખ લોકો ફોલો કરી રહ્યા છે. મોદી સાહેબની એક ટ્વીટ ગણતરીની મિનિટોમાં દેશ દુનિયાના કરોડો લોકો સુધી પહોંચી જાય છે. આ તો થઇ પી.એમ. મોદી સાહેબના ફોલોઅર્સની વાત. www.cialive.in
આ પી.એમ. શ્રી નરેન્દ્રભાઇ મોદીના ટ્વીટર અકાઉન્ટનું હોમ પેજ છે. જેમાં તા.3 ડિસેમ્બર 2020ની સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 63.9 મિલિયન ફોલોઅર્સ સંખ્યા છે જ્યારે તેઓ કુલ 2345 અકાઉન્ટને ફોલો કરી રહ્યાનું જણાય આવે છે.
અમે અહીં પી.એમ. મોદી જેમને ફોલો કરી રહ્યા છે એની વાત કરી રહ્યા છીએ
પી.એમ. મોદી જેમને ફોલો કરે છે એવા ફક્ત 2345 ટ્વીટર અકાઉન્ટ છે. આ સંખ્યામાં દેશ અને વિદેશની બધી હસ્તીઓ છે. મોદી સાહેબ જેમને ફોલો કરી રહ્યા છે એ ફક્ત 2345 અકાઉન્ટ્સમાં હવે સુરતીઓની વાત કરીએ તો ઓછા જાણીતા લોકો, ભાજપામાં હાલ કોઇ હોદ્દા પર ન હોય તેવા સુરતીઓની યાદી અહીં રજૂ કરી છે. www.cialive.in
મૂળજી ઠક્કર (માજી કોર્પોરેટર, ઉધના વિસ્તાર)
અતુલ વેકરીયા (અતુલ બેકરી, સુરત)
ધનસુખ પટેલ (માજી ધારાસભ્ય, ઓલપાડ)
સુષ્મા અગ્રવાલ (માજી ડેપ્યુટી મેયર, સુરત)
પ્રફુલ પાનશેરીયા (માજી ધારાસભ્ય, કામરેજ, સુરત)
પી.વી.એસ. શર્મા (ભાજપા નેતા, સુરત)
કેયુર જે દેસાઇ (ભાજપા નેતા, કતારગામ)
નિલેશ દેસાઇ (સુરત)
રવિ ઘિયાર (સુરત)
ડૉ. માઉન્ટેન જીપ્સી (કિંજલ દેસાઇ કે.ડી.)
બર્તવાલ વિક્રમ
ભાજપાના જાણિતા નેતાઓને પણ પી.એમ. મોદી Twitter પર ફોલો કરી રહ્યા છે જે આ મુજબ છે
ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ જેવા ભારતના રાષ્ટ્રીય સ્તરના બોર્ડ The Council for the Indian School Certificate Examination (CISCE) એ રાજ્યોના મુખ્યમંત્રીઓને અપીલ કરતા કહ્યું છે કે અમને તા.4 જાન્યુઆરી 2021થી ઓછામાં ઓછું ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ સ્કુલ શરૂ કરવા દો. માર્ચ 2021માં બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ આખું વર્ષ કશું ભણ્યા નથી, તેમના ભણતરને અતિશય ગંભીર નુકસાન પહોંચ્યું છે, બને તેટલું ઓછું નુકસાન થાય તે માટે જાન્યુઆરી 2021થી આપના રાજ્યોમાં The Council for the Indian School Certificate Examination (CISCE) એફિલિયેટેડ સ્કુલો શરૂ કરવા દો. તેમણે કહ્યું કે ધો.10 ધો.12ના વિદ્યાર્થીઓ સ્કુલે આવશે ત્યારે કોવીડ-19ની તમામ નીતિ નિયમો, જોગવાઇઓનું પાલન શાળાઓ કરશે તેની પૂરેપૂરી જવાબદારી લઇએ છીએ
CISCE asks CMs to allow reopening of schools for class 10 & 12 from January 4
The Council for the Indian School Certificate Examination (CISCE) બોર્ડના સેક્રેટરી ગેરી આર્થૂને કહ્યું કે જાન્યુઆરીથી અમને સ્કુલ શરૂ કરવાની મંજૂરી અપાશે તો અમે વિદ્યાર્થીઓને થોડી ઘણી પણ બોર્ડની પરીક્ષાની મહત્વની તૈયારીઓ કરાવી શકીશું.
“With the students physically attending school, the time will be utilised for practical work, project work and for doubt clearing lessons. This will be extremely beneficial to the students who will now get the time to interact directly with their teachers,” Gerry Arathoon, chief executive and secretary of CISCE said in a release.
ISCE બોર્ડની વાત સમજવા જેવી છે
ISCE બોર્ડના સેક્રેટરીએ રાજ્યોના મુખ્યમંત્રીઓને કરેલી અપીલ પણ સમજવા જેવી વાત છે. કેમકે બોર્ડના વિદ્યાર્થીઓ આખું વર્ષ કશું ભણ્યા નથી. તેમણે જેઇઇ, નીટ જેવી પરીક્ષાઓ આપવાની છે. કોલેજમાં પ્રવેશ માટે પરફોર્મન્સ (માર્કસ) લાવવાના છે. ઘરે બેસીને આ પ્રમાણે તૈયારીઓ કરવી અશક્ય છે.
ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્રાન્સપોર્ટ યૂનિયન એ આગામી 8 ડિસેમ્બરથી દેશવ્યાપી હડતાળનું એલાન કર્યુ હતું.
આશરે એક કરોડ માલવાહક ટ્રક ડ્રાઇવરોનું પ્રતિનિધિત્વ સંભાળી રહેલા સર્વોચ્ચ ટ્રાન્સપોર્ટ બોડી ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ-AIMTCએ ખેડૂતોના આંદોલનને સમર્થન જાહેર કર્યુ હતું અને ઉત્તર ભારતના રાજ્યો સહિત દેશભરમાં જરુરી વસ્તુઓની અવર-જવર પર રોક લગાવતી હડતાળનું એલાન કર્યુ હતું.
AIMTCના અધ્યક્ષ કુલતારન સિંહ અટવાલનું કહેવુ હતું કે જો સરકાર આંદોલનકારી ખેડૂતોની માંગોને નહીં માને તો અમે સમગ્ર ભારતને ચક્કાજામ કરીશું. AIMTCનું કહેવુ હતું કે ખેડૂતો તેમના કાયદેસરના અધિકારો માટે લડી રહ્યા છે. ભારતના પરિવહન ક્ષેત્રની માફક, કૃષિ ક્ષેત્ર પણ દેશની જીવનદોરી છે. દેશના 70 ટકા ગામડાઓ ખેતી પર નિર્ભર છે. ખેડૂતોના આંદોલનથી સંપૂર્ણ ઉત્તર ભારત અને પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીરથી આવતા હજારો ટ્રકો પ્રભાવિત થયા છે અમે એમનુ સમર્થન કરીએ છીએ કારણ કે 65 ટકા ટ્રક ખેતી સાથે જોડાયેલી ચીજોના ટ્રાન્સપોર્ટમાં છે.
ઇન્ડિયન એરફોર્સમાં અપટુ ડેટ કારકિર્દી બની શકે એ માટે ઇન્ડિયન એરફોર્સે 2021ના વર્ષ માટેની AFCAT (AIR FORCE COMMON ADMISSION TEST)નું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. ઇન્ડિયન એરફોર્સની વેબસાઇટ પર જઇને એન્જિનિયરિંગ, સાયન્સ, કોમર્સ, બીબીએ થયેલા ગ્રેજ્યુએટ ઉમેદવારો આ પરીક્ષા આપીને જુદી જુદી પોસ્ટ પર ભરતી માટેની પ્રક્રિયામાં જોડાઇ શકે છે.
AFCAT (AIR FORCE COMMON ADMISSION TEST)ની પરીક્ષા તા.20 અને 21મી ફેબ્રુઆરી 2021ના રોજ ઓનલાઇન લેવામાં આવશે. આ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરનારા ઉમેદવારોનું સિલેકશન થશે અને તેમને ટ્રેનિંગ આપીને ઇન્ડિયન એરફોર્સની જુદી જુદી બ્રાન્ચમાં લાઇફટાઇમ જોબ આપવામાં આવશે.
એન્જિનિયરિંગ, કોમર્સ, મેનેજમેન્ટ અને સાયન્સ ગ્રેજ્યુએટ ઉમેદવારો AFCAT (AIR FORCE COMMON ADMISSION TEST) આપી શકે છે
Educational Qualifications.
(i) Flying Branch. Candidates should have mandatorily passed with a minimum of 50% marks each in Maths and Physics at 10+2 level and
(a) Graduation with minimum three years degree course in any discipline from a recognized University with a minimum of 60% marks or equivalent.
OR
(b) BE/B Tech degree (Four years course) from a recognised University with a minimum of 60% marks or equivalent.
OR
(c) Candidates who have cleared Section A & B examination of Associate Membership of Institution of Engineers (India) or Aeronautical Society of India from a recognised University with a minimum of 60% marks or equivalent.
(ii) Ground Duty (Technical) Branch.
(aa) Aeronautical Engineer (Electronics) {AE (L)}. Candidates with a minimum of 50% marks each in Physics and Mathematics at 10+2 level and a minimum of four years degree graduation/integrated post-graduation qualification in Engineering/ Technology from recognized University OR cleared Sections A and B examination of Associate Membership of Institution of Engineers (India) or Aeronautical Society of India or Graduate membership examination of the Institution of Electronics and Telecommunication Engineers by actual studies with a minimum of 60% marks or equivalent in the following disciplines:- (aaa) Communication Engineering.
(aab) Computer Engineering/Technology.
(aac) Computer Engineering & Application.
(aad) Computer Science and Engineering/Technology.
(aae) Electrical and Computer Engineering. (aaf) Electrical and Electronics Engineering.
(aaq) Electronics Communication and Instrumentation Engineering.
(aar) Electronics Instrument & Control.
(aas) Electronics Instrument & Control Engineering.
(aat) Instrumentation & Control Engineering.
(aau) Instrument & Control Engineering.
(aav) Information Technology.
(aaw) Spacecraft Technology.
(aax) Engineering Physics.
(aay) Electric Power and Machinery Engineering.
(aaz) Infotech Engineering.
(aba) Cyber Security.
(ab) Aeronautical Engineer (Mechanical) {AE (M)}.
Candidates with a minimum of 50% marks each in Physics and Mathematics at 10+2 level and a minimum of four years degree graduation/integrated post-graduation qualification in Engineering/Technology from recognised University OR cleared Sections A & B examination of Associate Membership of Institution of Engineers (India) or Aeronautical Society of India by actual studies with a minimum of 60% marks or equivalent in the following disciplines:-
(aaa) Aerospace Engineering.
(aab) Aeronautical Engineering.
(aac) Aircraft Maintenance Engineering.
(aad) Mechanical Engineering.
(aae) Mechanical Engineering and Automation.
(aaf) Mechanical Engineering (Production).
(aag) Mechanical Engineering (Repair and Maintenance).
(aah) Mechatronics.
(aaj) Industrial Engineering.
(aak) Manufacturing Engineering.
(aal) Production and Industrial Engineering.
(aam) Materials Science and Engineering.
(aan) Metallurgical and Materials Engineering.
(aao) Aerospace and Applied Mechanics.
(aap) Automotive Engineering.
(aaq) Robotics
(aar) Nanotechnology
(aas) Rubber Technology and Rubber Engineering.
(iii) Ground Duty (Non-Technical) Branches.
(aa) Administration& Logistics.
Passed 10+2 and Graduate Degree (Minimum three years degree course) in any discipline from a recognised university with a minimum of 60% marks or equivalent or cleared section A & B examination of Associate Membership of Institution of Engineers (India) or Aeronautical Society of India from a recognised university with a minimum of 60% marks or equivalent.
B.Sc., B.Com., BBA passouts
(ab) Accounts Branch. Passed 10+2 and done graduation in any of the following streams with 60 % marks or equivalent from a recognized university:-
(aaa) B. Com Degree (Min three years course).
(aab) Bachelor of Business Administration (with specialization in Finance)/ Bachelor of Management Studies (with specialization in Finance)/ Bachelor of Business Studies (with specialization in Finance)
(aac) Qualified CA/ CMA/ CS/ CFA.
(aad) B.Sc. with specialization in Finance.
www.afcat.cdac.in
Indian Air Force (IAF) on Tuesday commenced the online application process for Air Force Common Admission Test (AFCAT) 01/2021 for flying branch and ground duty (Technical and Non-Technical) on its official website.
Candidates can apply for AFCAT 2021 through the official website of AFCAT — afcat.cdac.in — from today i.e., December 1, 2020. The last date to submit online applications for AFCAT is December 30.
AFCAT notification reads “Indian Air Force invites Indian citizens (Men and Women) to be part of this elite force as Group A Gazetted Officers in Flying and Ground Duty (Technical and Non-Technical) branches.
Online AFCAT examination will be conducted on 20 Feb 21 and 21 Feb 21.”
Candidates applying for the examination should ensure that they fulfill all the eligibility conditions for admission to the examination. Their admission at all the stages of examination viz.
Written examination and SSB test will be purely provisional, subject to their satisfying the prescribed eligibility conditions. If on verification at any time before or after the written examination or AFSB Testing, it is found that they do not fulfil any of the eligibility conditions, their candidature will be cancelled by the IAF.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.