CIA ALERT

ઇન્ડીયા Archives - Page 82 of 217 - CIA Live

January 7, 2021
Cia_women_train2.jpg
1min948

મહિલાઓએ ગુડ્ઝ ટ્રેન ચલાવી અને સંપૂર્ણપણે સંચાલન પણ સુપેરે કર્યું : ભારતમાં આવું પહેલીવાર બન્યું

CiA Live આ ન્યુઝને ઘનિષ્ઠતાથી પ્રમોટ કરી રહ્યા છીએ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મહિલાઓ અમુક કાર્યો કરી શકે જ નહીં એવી ગેરમાન્યતાના વાામાંથી આપણે બહાર આવી રહ્યા છે એની પ્રતીતિ કરાવતી ઘટના શેર કરતા આનંદ અનુભવું છું. મહિલા કશું પણ કરી શકે છે, કરીયર કાઉન્સિલર હોવાના નાતે અનેક દિકરીઓને મેં મિકેનિકલ એન્જિનિયરિંગ વિષયમાં અભ્યાસ કરવા પ્રેરી હતી અને તેઓ આજે જબરદસ્ત કામ કરી રહી છે. બાકી એ દિકરીઓને એવું જ કહેવાયું હતું કે મિકેનિકલ એન્જિનિયરિંગ મહિલાઓ માટે છે જ નહીં.

મહિલાઓને પ્લેન ઉડાડતા તમે સાંભળ્યું, જોયું હશે પણ મહિલાઓ ટ્રેન ચલાવે છે એવું તમને પહેલીવાર અમે CiA Live જણાવી રહ્યા છે

આખી ગુડ્ઝ ટ્રેન ચલાવી, સંચાલન કર્યું અને એ પણ જોરદાર રીતે

મહિલાઓએ મહારાષ્ટ્રના વસઇથી ગુજરાતના વડોદરા સુધી ગુડ્ઝ ટ્રેનનું સંચાલન સુપેરે કર્યું. રેલવે મિનિસ્ટર પિયુષ ગોયેલના જણાવ્યા અનુસાર તો વસઇથી વડોદરા સુધીની ગુડઝ ટ્રેનને હંકારવાથી લઇને ગાર્ડ સહિતના તમામ પદો પર મહિલાઓ હતી અને તેમણે ક્યાંય પણ કોઇની હેલ્પ લીધા વગર પોતાની ફરજ જોરદાર રીતે અને પ્રેરણાદાયી રીતે અદા કરી છે.

ભારતના રેલવે મંત્રીએ ખુદ મહિલાઓના આ કાર્યને બિરદાવતા કહ્યું કે સ્ત્રી સશક્તિકરણનું આ એક અદભૂત ઉદાહરણ છે.

January 7, 2021
Railways.png
1min465

ભારતીય રેલવેએ બુધવારે 6 જાન્યુઆરી 2020એ મહત્વની જાહેરાત કરતા રેલવે મુસાફરો જોગ જણાવ્યું હતું કે હવે કેન્સલ કરવામાં આવેલી ટિકીટનું રિફંડ 6 મહિનાની જગ્યાએ 9 મહિના સુધી મળવાપાત્ર થશે. આવું કરવા પાછળનું કારણ એ છે કે હજારો મુસાફરો કોરોના કાળ દરમિયાનમાં તેમની બુક્ડ કરેલી ટિકિટ કૅન્સલ કરાવી શક્યા નથી. હાલના છ મહિનાના ગાળામાં રિફન્ડ મેળવવા સક્ષમ નથી, પરીણામે હવે 9 મહિના સુધી કેન્સલ્ડ ટિકીટનું રિફંડ કરવામાં આવશે.

ભારતમા મોટી સંખ્યામાં બુક્ડ કરાયેલી ટ્રેન ટિકીટો હજુ સુધી પેસેન્જરોએ કેન્સલ કરાવી છે પરંતુ, હજી તેમની કેન્સ્લ થયેલી ટિકિટો માટેનું રિફન્ડ મેળવવું બાકી છે, તેથી ઘણી ઝોનલ રેલવેએ સૂચનો અને વિનંતી કર્યાં હતાં, જેને પગલે ટિકિટ કૅન્સલ કરવા માટે અને રિફન્ડ મેળવવા માટે ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે, તેમ ભારતીય રેલવેએ યાદીમાં જણાવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પેસેન્જરોએ નાણાં ગુમાવવાની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભારતીય રેલવે મહામારીને કારણે કૅન્સલ થયેલી ટ્રેનોનું પૂરું રિફન્ડ ચૂકવશે. સ્ટેશન પર બુકિંગ કરનારા પેસેન્જરો કાઉન્ટર પર તેમની ટિકિટો જમા કરાવીને ડિપાર્ચર ડેટ (ટ્રેન ઉપડવા તારીખ)ના નવ મહિનાની અંદર રિફન્ડ મેળવી શકશે. ઑનલાઇન ટિકિટ બુક કરાવનારા પેસેન્જરો ભારતીય રેલવે જ્યારે પણ ટ્રેન રદ કરે ત્યારે ઑટોમેટિક ઑનલાઇન રિફન્ડ મેળવશે.

January 6, 2021
boris.jpeg
1min473

વૈશ્વિક મહામારીના સંકટને લીધે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનનો ભારત પ્રવાસ રદ કરી દેવાયો છે. તેઓ પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ રુપે સામેલ થવાના હતા. 

માહિતી મુજબ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને મંગળવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરતાં ભારત આવવા તેમની અસર્થતા વ્યક્ત કરી હતી. બ્રિટિશ વડાપ્રધાને પોતાનો ભારત પ્રવાસ રદ કરવા પર દુખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદી સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે આગામી છ મહિનામાં ભારત પ્રવાસ કરી શકે એવી આશા વ્યક્ત કરી હતી.

નોંધનીય છે કે કોરોના વાયરસના ખતરનાક સ્ટ્રેનને લીધે બ્રિટનમાં લોકડાઉન લાગૂ કરાયુ હતું. વાયરસના નવા પ્રકારને લીધે બ્રિટનમાં ગંભીર સ્થિતિ પેદા થઇ ચૂકી હતી. અહીં સુધી કે બ્રિટિશ પ્રશાસને પણ આ મુદ્દે એકવાર કહી દીધુ હતું કે નવા સ્ટ્રેનનું સંક્રમણ બેકાબૂ છે અને આવતા સમયમાં સ્થિતિ ગંભીર બનશે. બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાયરસના નવા પ્રકારના સંક્રમણથી દુનિયાભરમાં ખતરો વધી રહ્યો છે. નવા વેરિયન્ટના સંક્રમણના કેસ ભારત સહિત અનેક દેશોમાં મળી આવતા હવે દેશોની સરકારો આ અંગે કડક નિયમો-પ્રતિબંધો લાગૂ કરી છે. જેથી સંક્રમણને રોકી શકાય. 

ગત વર્ષે 15 ડિસેમ્બરે બ્રિટનના વિદેશ મંત્રીના પ્રવક્તાઓ માહિતી આપી હતી કે અમારા વડાપ્રધાન બોરિસ જોનસને ભારતના પ્રજાસત્તાક દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ બનવાના આમંત્રણને સ્વીકારી લીધુ છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 નવેમ્બરે ટેલિફોન પર વાતચીત દરમિયાન બ્રિટિશ વડાપ્રધાનને ઔપચારિક રીતે આમંત્રણ આપ્યું હતું. ભારતમાં કોઇપણ બ્રિટિશ વડાપ્રધાનને પ્રજાસત્તાક દિવસના પર્વે લાંબા સમય બાદ આમંત્રિત કરવામાં આવ્યા હતા. છેલ્લી વાર 1993માં બ્રિટનના પીએમ જોન મેજર ભારતના પ્રજાસત્તાક દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ બન્યા હતા. 

January 6, 2021
unicef.png
6min434
Due Date: January 1, 2021 | During Pregnancy

નવા વર્ષના પહેલા દિવસે દુનિયાભરમાં ૩,૭૧,૫૦૦ બાળકોનો જન્મ થયો હતો તેમાંથી સૌથી વધુ ૬૦,૦૦૦થી વધુ બાળકો ભારતમાં જન્મ્યા હતા, એમ યુનિસેફના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

યુનિસેફે જણાવ્યું હતું કે નવા વર્ષના પ્રથમ દિવસે દુનિયામાં ૩,૭૧,૫૦૪ બાળકો જન્મ્યા હતા. નવા વર્ષનું પ્રથમ દિવસનું સૌથી પ્રથમ બાળક પેસેફિકમાં આવેલા ફિજીમાં અને છેલ્લું બાળક અમેરિકામાં જન્મ્યું હતું. એમાંથી ભારતમાં ૫૯,૯૯૫, ચીનમાં ૩૫,૬૧૫, નાઇજિરીયામાં ૨૧,૪૩૯, પાકિસ્તાનમાં ૧૪,૧૬૧, ઇન્ડોનેશિયામાં ૧૨,૩૩૬, ઇથોપિયામાં ૧૨,૦૦૬, અમેરિકામાં ૧૦,૩૧૨, ઇજિપ્તમાં ૦,૪૫૫, બાંગલાદેશમાં ૯,૨૩૬ અને ડેમોક્રેટ રિપબ્લિક ઑફ કોંગોમાં ૮,૬૪૦ બાળક જન્મ્યા હતા.

૨૦૨૧માં કુલ ૧૪૦ મિલિયન બાળક જનમશે અને તેમની સરેરાશ આયુ ૮૪ વર્ષની રહેશે, એમ યુનિસેફના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

UNICEF Press Release

An estimated 371,504 babies will be born around the world on New Year’s Day, according to UNICEF.

As the calendar turns to 2021, UNICEF is again celebrating the new lives being brought into the world on January 1. Fiji in the Pacific will welcome 2021’s first baby. The United States will welcome its last. Globally, over half of these births are estimated to take place in 10 countries: India (59,995), China (35,615), Nigeria (21,439), Pakistan (14,161), Indonesia (12,336), Ethiopia (12,006), the United States (10,312), Egypt (9,455), Bangladesh (9,236) and the Democratic Republic of the Congo (8,640).

In total, an estimated 140 million children will be born in 2021. Their average life expectancy is expected to be 84 years.

“The children born today enter a world far different than even a year ago, and a New Year brings a new opportunity to reimagine it,” said UNICEF Executive Director Henrietta Fore. “Children born today will inherit the world we begin to build for them—today. Let us make 2021 the year we start to build a fairer, safer, healthier world for children.”

2021 will also mark the 75th anniversary of UNICEF. Over the course of the year, UNICEF and its partners will be commemorating the anniversary with events and announcements celebrating three-quarters of a century of protecting children from conflict, disease and exclusion and championing their right to survival, health and education.

“Today, as the world faces a global pandemic, economic slowdown, rising poverty and deepening inequality, the need for UNICEF’s work is as great as ever,” said Fore. “For the last 75 years, throughout conflicts, displacements, natural disasters and crises, UNICEF has been there for the world’s children. As a New Year dawns, we renew our commitment to protect children, to speak up for their rights, and to make sure their voices are heard, no matter where they live.”

In response to the global pandemic, UNICEF launched the Reimagine campaign, a global effort to prevent the COVID-19 pandemic from becoming a lasting crisis for children. Through the campaign, UNICEF is issuing an urgent appeal to governments, the public, donors and the private sector to join UNICEF as we seek to respond, recover and reimagine a better, post-pandemic world.

On the 1st of January 2021 about 60,000 babies are expected to be born in India, with a life expectancy of 80.9 years.

An additional thousand babies are surviving each day due to the country’s efforts as envisaged in the India Newborn Action Plan 2014 – 2020. A million newborns with special needs survive each year thanks to the additional 320 district level Special Newborn Care Units established in this period

The Government of India has renewed its commitment towards ending preventable newborn mortality and strengthening services and systems for early childhood development.

Recognizing the challenges thrown up by the COVID-19 pandemic, UNICEF India Country Representative, Dr Yasmin Ali Haque said, “ Anticipating and addressing the potential impact of the pandemic is crucial if we are to prevent a roll back of gains made in saving the lives of children. As we do so, we must also think long term, to build back a better world when the crisis finally recedes. The pandemic has shown us the need for systems and policies to be in place to protect people all the time, not just in the event of a crisis. Under its Reimagine campaign, UNICEF appeals to governments, private sector entities, donors and all partners to join hands and lay the groundwork for building back better, to assure every child’s right to survive and thrive is protected and promoted at all times.”

January 4, 2021
index.jpg
1min594

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક કંપોઝિટ ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સનું નિર્માણ કર્યું છે. આ ઇન્ડેક્સથી માહિતી મળશે કે દેશભરમાં પેમેન્ટનું કઈ રીતે ડિજિટાઇઝેશન થયું છે. આ ઇન્ડેક્સમાં ૫ાંચ મુખ્ય પેરામીટર્સ હશે. આ પાંચ પેરામીટર્સ અલગ અલગ સમયગાળા દરમિયાન દેશમાં ડિજિટલ પેમેન્ટના પેનિટ્રેશનનું આકલન કરવામાં મદદ કરશે.

આરબીઆઈના નિવેદન અનુસાર આ પેરામીટર્સમાં પેમેન્ટ ઇનેબલર્સ,પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર-ડિમાન્ડ સાઈડ ફેકટર્સ, પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર-સપ્લાય સાઈડ ફેકટર્સ, પેમેન્ટ પરફોર્મન્સ અને ક્ધઝ્યુમર સેટ્રિસિટીનો સમાવેશ થાય છે.

આમાંથી તમામ એક પેરામીટર્સની અંદર અમુક સબ પેરામીટર્સ હશે અને તમામ એક પેરામીટર્સની અંદર ઘણા માપવાલાયક ઈન્ડિકેટર્સ હશે. આ ઇન્ડેક્સમાં માર્ચ ૨૦૧૮ને બેઝ પિરિયડ બનાવવામાં આવ્યું છે. બેઝ પિરિયડનો ડીપીઆઇ સ્કોર ૧૦૦ રાખવામાં આવ્યો છે.

આ બેઝ અનુસાર માર્ચ ૨૦૧૯નો ઉઙઈં સ્કોર ૧૫૩.૪૭ અને માર્ચ ૨૦૨૦નો ઉઙઈં સ્કોર ૨૦૭.૮૪ આવ્યો છે.નિવેદન અનુસાર આ સ્કોર જણાવે છે કે આ સમયગાળા દરમિયાન ડિજિટલ પેમેન્ટમાં ઘણો વિકાસ થયો છે.

January 3, 2021
covaxin.jpg
1min492

કોરોના કાળ દરમિયાન શરુ થયેલા નવા વર્ષના આરંભમાં જ દેશને બીજી કોરોના વેક્સીન મળી ગઇ છે. ભારતની સ્વદેશી વેક્સીન અને ભારત બાયોટેક દ્વારા તૈયાર કોવેક્સીનને દેશમાં ઇમરજન્સી ઉપયોગ માટે CDSCO ની મંજૂરી મળી ગઇ છે. 

આ પહેલા નવા વર્ષના પહેલા જ દિવસે દેશમાં ઇમરજન્સી ઉપયોગ માટે કોવિશીલ્ડને મંજૂરી આપવામાં આવી હતી. આમ, વર્ષની શરુઆતના બે દિવસમાં દેશનો બે-બે કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઇ છે. કેન્દ્ર સરકાર હાલમાં વેક્સીનેશન કાર્યક્રમને લઇને દેશભરમાં ડ્રાય રન ચલાવી રહી છે. જેથી વેક્સીનેશન એક્શન પ્લાનની તૈયારીઓની પૂર્ણ ચકાસણી થાય. 

કોરોના વેક્સીનની ઇમરજન્સીની સ્થિતિમાં ઉપયોગ પર મંજૂરી મળતા દેશભરમાં હવે વેક્સીનેશન કાર્યક્રમ જલ્દીથી શરુ થાય એની આશા જાગી ઉઠી છે. બીજી તરફ કેન્દ્ર સરકાર પણ દાવો કરી રહી છે કે, રસીકરણ માટે જરુરી તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. નોંધનીય છે કે કોરોના વેક્સીનને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજથી લઇને તેની વહેંચણી સુધી વ્યવસ્થા એક મોટો પડકાર સમાન છે. કેન્દ્ર સરકાર આ મુદ્દે શરુઆતથી જ કાર્યરત હોવાનો દાવો કરી રહી હતી કે, વેક્સીનેશન માટે જરુરી કોલ્ડ સ્ટોરેજ ચેઇન દેશભરમાં તૈયાર છે અને હવે કોરોના વેક્સીનની રાહ જોવામાં આવી રહી હતી. 

January 3, 2021
seaplane-1280x826.jpg
1min551
Ahmedabad: India’s first seaplane lands at Sabarmati River ahead of its inauguration by Prime Minister Narendra Modi in Ahmedabad, Monday, October 26, 2020.

ભારતની જળમાર્ગ મંત્રાલયે સાગરમાલા સીપ્લેન સેવા માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મગાવ્યા છે. મંત્રાલયે યમુના રિવરફ્રન્ટથી અયોધ્યા, ટિહરી, શ્રીનગર અને ચંડીગઢ, મુંબઈથી શિરડી, લોનાવાલ અને ગણપતિપુલે, સુરતથી દ્વારકા, માંડવી અને કંડલા ઉપરાંત અંડમાન અને નિકોબારથી લક્ષદ્વીપ સમૂહ માટે ઈઓઆઈ માગ્યા છે.

આ રૂટ ઉપર સીપ્લેન ઉડાન યોજના હેઠળ સંચાલીત કરવામાં આવશે. આ સ્કીમ હેઠળ સામાન્ય લોકો વાજબી કિંમતમાં મુસાફરી કરી શકે છે.

મંત્રાલયે પરિયોજના માટે એક હબ અને સ્પોક મોડલનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે. પરિયોજનાના સફળતાપૂર્વક શરૂ થવા ઉપર નક્કી રૂટ ઉપર સેવા શરૂ થઈ શકે છે. અમદાવાદ રિવર ફ્રન્ટથી કેવડિયા સુધી સ્પાઈસજેટ કંપની સીપ્લેન સેવા આપે છે.

કંપની આ માટે 15 સીટર ટ્વીટ ઓટેર 300 એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે. જે દુનિયામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતું સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ છે.

January 2, 2021
lakhvi.jpg
1min561

મુંબઇ 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કર એ તૈયબાના આતંકી ઝકીઉર રેહમાન લખવીની પાકિસ્તાનમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. આતંકીઓને ફંડિગ અને અન્ય મદદ કરવાના આરોપમાં પાકિસ્તાન સરકારે તેની ધરપકડ કરી હતી. લખવી અને હાફિઝ સઇદે સાથે મળીને મુંબઇ 29 નવેમ્બર 2008ના આતંકી હુમલાનું પ્લાનિંગ કર્યું હતું. 

આતંકી સંગઠન લશ્કર એ તૈયબાબના કમાન્ડર લખવીને મુંબઇ હુમલા પછી યૂએનએસસીની રજૂઆથ હેઠળ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયો હતો. 

26/11 એ લશ્કર એ તૈયબાના 10 આતંકીઓએ મુંબઇમાં બોમ્બ વિસ્ફોટ અને ગોળીબારી કરી આતંક ફેલાવ્યો હતો. આ આતંકી હુમલાએ કુલ 166 લોકોનો ભોગ લીધો હતો, 300થી વધુને ઘાયલ કર્યા હતા. લખવીને છ વર્ષની સજા બાદ પાકિસ્તાને એપ્રિલ 2015માં મૂક્ત કર્યો હતો, જે પછી હવે ફરીથી ધરપકડ કરવા માટે મજબૂર બન્યુ હતું. 

January 1, 2021
astra_zeneca-1280x720.jpg
1min490

ઓક્સફોર્ડની કોવિશિલ્ડ વેક્સીનના ઈમર્જન્સી ઉપયોગ માટે મળી મંજૂરી

2021 કેલેન્ડર વર્ષના પહેલા જ ભારત સરકારે ભારતીય લોકોને મોટી રાહતના સમાચાર આપ્યા છે. કેન્દ્ર સરકારે કોરોના વાયરસ માટે ભારતમાં ઉપયોગમાં લેવા માટેની પ્રથમ વેક્સીનના ઇમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકાર રચિત એક્સપર્ટ પેનલે ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા દ્વારા તૈયાર કરવામાં આવેલી કોવિશિલ્ડ વેક્સીનને આજરોજ તા.1લી જાન્યુઆરીને શુક્રવારે ઈમર્જન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ ભારત યુકે અને આર્જેન્ટિના બાદ ઓક્સફોર્ડની વેક્સીનને મંજૂરી આપનારો ત્રીજો દેશ બની ગયો છે.

ઓક્સફોર્ડની કોરોના વેક્સીન ભારતની કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે. સીરમ ઈન્સ્ટિટ્યુટે 50 મિલિયન ડોઝ તૈયાર રાખ્યા છે અને તેમાના મોટા ભાગના ડોઝ ભારતમાં જ આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું છે કે કોરોનાની વેક્સીન શનિવારે કોલ્ડ સ્ટોરેજમાંથી ભારના અન્ય રાજ્યોમાં ઝડપથી પહોંચાડવામાં આવશે.

ભારત જેવા દેશ માટે ઓક્સફોર્ડની કોવિશિલ્ડ વેક્સીન એકદમ યોગ્ય છે કેમ કે ફાઈઝર અને મોડર્નાની કોવિડ-19 વેક્સીનની જેમ ઓક્સફોર્ડની વેક્સીનને સ્ટોરેજ માટે અત્યંત નીચા તાપમાનની જરૂર નથી અને તે ઘરમાં વપરાતા ફ્રીઝ ટેમ્પરેચર (2થી 8 ડિગ્રી સેલ્સિયસ)માં પણ સ્ટોર કરી શકાય છે. તેથી શરૂઆતથી જ ઓક્સફોર્ડની વેક્સીન પર ભારતની નજર હતી. આ ઉપરાંત ઓક્સફોર્ડની વેક્સીનની કિંમત પણ અન્ય વેક્સીનની તુલનામાં સસ્તી છે. આ વેક્સીનના બે ડોઝ 1,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. ઓક્સફોર્ડની વેક્સીનની અસરકારકતા 95 ટકા છે.

January 1, 2021
gst.jpg
1min831

1 જુલાઇ 2017ના રોજ જીએસટી લાગૂ થયો હતો, એ પછીના 21 મહિનામાં સૌથી વધુ ટેક્સ ડિસેમ્બર 2020માં મળ્યો

ભારત સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત ગણાતા જીએસટીની ડિસેમ્બર 2020 મહિનાની આવકનો આંકડો રૂ.1.15 લાખ કરોડને આંબી જતા કેન્દ્ર સરકાર હરખાઇ ઉઠી છે. 1 જુલાઇ 2017 એટલે કે છેલ્લા 21 મહિનાથી જીએસટી લાગૂ થયા પછીનો આ મંથલી ટેક્સ કલેક્શનનો આ સૌથી મોટો આંકડો છે. વર્તમાન નાણાકિય વર્ષમાં સળંગ ત્રીજા મહિને જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાનો સાયકોલોજીકલ માર્ક પાર કરી ગયો છે.

ડિસેમ્બર 2020ના જીએસટી કલેક્શન અગાઉ સૌથી વધુ કલેક્શન એપ્રિલ 2019મા થયું હતું. ત્યારે 1,13,866 કરોડ રૂપિયા કલેક્શન થયું હતું.

ડિસેમ્બર 2020મા જીએસટીનું કલેક્શન 1,15,174 કરોડ રૂપિયા છે જે ડિસેમ્બર 2019મા થયેલા 1.03 લાખ કરોડ કરતા 12 ટકા વધારે છે. નવેમ્બરથી 31 ડિસેમ્બર 2020 સુધીમાં 87 લાખ જીએસટીઆર-3બી રિટર્ન્સ ફાઈલ થયા છે.

જીએસટીની માસિક આવક (ચાલુ હિસાબી વર્ષમાં)

  • એપ્રિલમાં 32,172 કરોડ
  • મે માં 62,151 કરોડ
  • જૂનમાં 90,917 કરોડ
  • જૂલાઈમાં 87,422 કરોડ
  • ઓગસ્ટમાં 86,499 કરોડ
  • સપ્ટેમ્બરમાં 95,480 કરોડ
  • ઓક્ટોબરમાં 1,05,155 કરોડ
  • નવેમ્બરમાં 1,04,963 કરોડ
  • ડિસેમ્બરમાં 1,15,174 કરોડ રૂપિયા

ડિસેમ્બર 2020માં કેન્દ્ર સરકારની તિજોરીને થયેલા આટલી જંગી રકમના ટેક્સ કલેક્શન એ બાબતની પ્રતીતિ થાય છે કે કોરોના અને એ પછી લોકડાઉનના કારણે મંદ પડેલું ભારતીય અર્થતંત્ર હવે ફરીથી પાટા પર ચડી રહ્યું છે.